Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
૭૫ mmmmmmuunuvuorenvurmmmmmmmm
જૈન સંસ્કૃતિનું હૃદય
મા-માંસ વગેરે સાત વ્યસનોને નાબૂદ કરવાને તથા એમને ઓછાં કરવાને જૈન વર્ગે એટલે બધો પ્રયત્ન કર્યો છે કે જેને લીધે તે એ વ્યસનમાં ડૂબેલી અનેક જાતિઓમાં સુસંસ્કાર નાખવા શક્તિશાળી બનેલ છે. જોકે બૌદ્ધ વગેરે બીજા સંપ્રદાય પણ પિતાની પૂરી તાકાતથી આ સુસંસ્કારને માટે પ્રયત્ન કરતા હતા, પણ જેને પ્રયત્ન આ દિશામાં અત્યાર સુધી ચાલુ છે અને જ્યાં જેનોનો પ્રભાવ સારે છે ત્યાં, આ સ્વૈરવિહારના સ્વતંત્ર યુગમાં પણ, મુસલમાન અને બીજા માંસાહારી લેકે સુધ્ધાં ખુલ્લંખુલ્લા માંસ-દારૂનો ઉપયોગ કરતાં સંકેચ અનુભવે છે. લોકમાન્ય તિલકે સાચું જ કહ્યું છે કે ગુજરાત વગેરે પ્રાંતોમાં પ્રાણુરક્ષા અને નિર્માસ ભજનને જે આગ્રહ છે તે જૈન પરંપરાને જ પ્રભાવ છે.
જૈન વિચારસરણીને એક મૌલિક સિદ્ધાંત એ છે કે દરેક વસ્તુનો વિચાર વધારેમાં વધારે પાસાં અને વધારેમાં વધારે દષ્ટિબિંદુઓથી કરે, અને વિવાદાસ્પદ વિષયમાં પોતાના સાવ વિરોધી પક્ષના અભિપ્રાયને પણ એટલી જ સહાનુભૂતિથી સમજવાનો પ્રયત્ન કરે, જેટલી સહાનુભૂતિ પોતાના પક્ષ તરફ હોય; અને અંતે સમન્વયરૂપે જ જીવનવ્યવહારનો ફેંસલે કરવો. આમ તો આ સિદ્ધાંત બધાય વિચારકના જીવનમાં, એક કે બીજે રૂપે, કામ કરતા જ રહે છે, એના સિવાય પ્રજાજીવન ને તે
વ્યવસ્થિત બની શકે છે કે ન તે શાંતિ મેળવી શકે છે; છતાં જૈન વિચારકેએ એ સિદ્ધાંતની એટલી બધી ચર્ચા કરી છે, અને એના ઉપર એટલો બધો ભાર દીધો છે કે જેને લીધે કટ્ટરમાં કટ્ટર વિરોધી સંપ્રદાયને પણ કંઈ ને કંઈ પ્રેરણા મળતી જ રહી છે. રામાનુજનો વિશિષ્ટાદ્વૈત, એ ઉપનિષદની ભૂમિકા ઉપર ઊભે થયેલે અનેકાંતવાદ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org