Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈન તત્ત્વજ્ઞાન
વિશ્વના ખાદ્ય અને આંતરિક સ્વરૂપ વિષે તથા તેના સામાન્ય તેમ જ વ્યાપક નિયમેના સબંધમાં જે તાત્ત્વિક દૃષ્ટિએ વિચારણા એ તત્ત્વજ્ઞાન. આવી વિચારણા કાઈ એક જ દેશ, એક જ જાતિ કે એક જ પ્રજામાં ઉદ્ભવે છે અને ક્રમશઃ વિકાસ પામે છે, એમ નથી હતું; પણ આ જાતની વિચારણા એ મનુષ્યત્વનું વિશિષ્ટ સ્વરૂપ હાવાથી તે વહેલી કે મેાડી દરેક દેશમાં વસનાર દરેક જાતિની માનવપ્રજામાં એછે કે વત્તે અંશે ઉદ્ભવે છે, અને તેવી વિચારણા જુદી જુદી પ્રજાઓના પરસ્પર સંસĆને લીધે, અને કાઈ વાર તદ્દન સ્વતંત્રપણે પણ, વિશેષ વિકાસ પામે છે, તેમ જ સામાન્ય ભૂમિકામાંથી પસાર થઈ તે અનેક રૂપે ફ્રૂટાય છે.
પહેલેથી આજ સુધીમાં ભૂખંડ ઉપર મનુષ્યજાતિએ જે તાત્ત્વિક વિચારણા કરી છે તે બધી આજે હયાત નથી, તેમ જ તે બધી વિચારણાઓને ક્રમિક ઇતિહાસ પણ પૂર્ણ પણે આપણી સામે નથી, છતાં અત્યારે એ વિશે જે કાંઈ સામગ્રી આપણી સામે છે અને એ વિશે જે કાંઈ થેાડુ ઘણું આપણે જાણીએ છીએ તે ઉપરથી એટલું તે નિવિવાદપણે કહી શકાય કે તત્ત્વચિંતનની જુદી જુદી અને પરસ્પર વિાધી દેખાતી ગમે તેટલી ધારાએ હાય, છતાં એ બધી વિચારધારાઓનું સામાન્ય સ્વરૂપ એક છે, અને તે એ કે વિશ્વના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org