Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
૩૦
જૈનધર્મને પ્રાણ ધર્માધિકારમાં જન્મસિદ્ધ વર્ણભેદને આદર ન કરતાં ગુણ-કર્મના આધારે જ સામાજિક વ્યવસ્થા કરે છે. એટલા માટે એની દષ્ટિએ સગુણ શદ્ર પણ દુર્ગુણ બ્રાહ્મણ વગેરેથી શ્રેષ્ઠ છે; અને ધાર્મિક ક્ષેત્રમાં, ગ્યતાને આધારે, દરેક વર્ણનાં પુરુષ કે સ્ત્રી સમાન રૂપે ઉચ્ચ પદનાં અધિકારી છે. શ્રમણુધર્મનું અંતિમ સાધ્ય, બ્રાહ્મણ ધર્મની જેમ, અભ્યદય નહીં પણ નિઃશ્રેયસ છે. નિઃશ્રેયસને. અર્થ એ કે અહિક અને પારલૌકિક અનેક પ્રકારના બધા લાભને ત્યાગ સિદ્ધ કરવાવાળી એવી સ્થિતિ કે જેમાં પૂર્ણ સામ્ય પ્રગટ થાય, અને કઈ કોઈનાથી ઓછ કે વધારે યોગ્ય રહેવા ન પામે. જીવસૃષ્ટિ તરફની શ્રમણધર્મની દૃષ્ટિ પૂર્ણ આત્મસામ્યની છે, કે જેમાં કેવળ પશુ-પંખી વગેરે કે કીટ-પતંગ વગેરે જંતુઓનો જ નહીં પરંતુ વનસ્પતિ જેવા અતિક્ષુદ્ર જીવવર્ગને પણ સમાવેશ થાય છે. આમાં કઈ પણ દેહધારીને કોઈ પણ કારણે કરવામાં આવતા વધ આત્મવધ જેવો જ લેખવામાં આવ્યો છે અને વધુમાત્રને અધર્મનું કારણ માનવામાં આવ્યું છે.
બ્રાહ્મણ પરંપરા મૂળમાં “બ્રહ્મ”ની આસપાસ શરૂ થઈ અને વિકસી છે, જ્યારે શ્રમણ પરંપરા “સમ’–સામ્ય, શમ અને શ્રમ-ની આસપાસ શરૂ થઈ તેમ જ વિકસી છે. “બ્રહ્મ ના અનેક અર્થોમાંથી પ્રાચીન બે અર્થ અહીં ધ્યાન આપવા યોગ્ય છે: (૧) સ્તુતિ, પ્રાર્થના; (૨) યજ્ઞયાગાદિ કર્મ. વૈદિક મંત્રો તેમ જ સૂક્તો દ્વારા જે અનેક પ્રકારની સ્તુતિઓ અને પ્રાર્થનાઓ કરવામાં આવે છે, એ “બ્રહાર' કહેવાય છે. એ જ રીતે વૈદિક મંત્રોને જેમાં વિનિયોગ કરવામાં આવે છે, તે યજ્ઞયાગાદિ કર્મને પણ “àલ્લન' કહેવામાં આવે છે. વૈદિક મંત્રો અને સૂક્તોને પાઠ કરનાર પુરોહિતવર્ગ અને યજ્ઞયાગાદિ કરાવનાર પુરોહિતવર્ગ જ બ્રાહ્મણ છે. વૈદિક મંત્રો દ્વારા કરવામાં આવતી સ્તુતિ-પ્રાર્થના તેમ જ યજ્ઞયાગાદિ કર્મની અતિપ્રતિષ્ઠાની સાથે સાથે જ પુરે હિતવર્ગનું સમાજમાં તેમ જ તત્કાલીન ધર્મમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org