Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈન સંસ્કૃતિનું હૃદય
૭૧ વાડ્મયમાં વેદનું પ્રામાણ્ય સ્થાપન કરવાને ન તે કોઈ પ્રયત્ન કર્યો કે ન તે બ્રાહ્મણગ્રંથે માન્ય રાખેલ કોઈ યજ્ઞયાગાદિ કર્મકાંડને માન્ય રાખ્યો. નિવર્તક ધર્મનાં મંતવ્ય અને આચાર
સેંકડે નહીં બલ્ક હજાર વર્ષ પહેલાંથી ધીમે ધીમે નિવક ધર્મના અંગ-પ્રત્યંગ રૂપે જે અનેક મંતવ્યો અને આચારોન, મહાવીરબુદ્ધના સમય સુધીમાં વિકાસ થઈ ચૂક્યો હતો તે સંક્ષેપમાં આ છે
(૧) આત્મશુદ્ધિ જ જીવનનો મુખ્ય ઉદ્દેશ છે, નહીં કે ઐહિક કે પારલૌકિક કઈ પણ પદનું મહત્વ.
(૨) આ ઉદેશની પૂર્તિમાં બાધક એવા આધ્યાત્મિક મોહ, અવિદ્યા અને તેમાંથી જન્મેલ તૃષ્ણાને સમૂળગો ઉચ્છેદ કરવો.
(૩) આ માટે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું અને એના દ્વારા સમગ્ર જીવનવ્યવહારને તૃષ્ણ વગરને બનાવવો. એને સારુ શારીરિક, માનસિક, વાચિક વિવિધ તપસ્યાઓનું તથા જુદા જુદા પ્રકારના ધ્યાન-યેગમાર્ગનું અનુસરણ અને ત્રણ, ચાર કે પાંચ મહાવ્રતનું આજીવન પાલન.
(૪) આધ્યાત્મિક અનુભવ ધરાવતા કઈ પણ માણસે કોઈપણ ભાષામાં કહેલ આધ્યાત્મિક વર્ણનવાળાં વચનોને જ પ્રમાણરૂપ માનવાં, નહીં કે ઈશ્વરકૃત કે અપૌરુષેય મનાતા, કઈ ખાસ ભાષામાં રચાયેલ
ને.
(૫) લાયકાત અને ગુરુ પદની એકમાત્ર કસોટી જીવનની આધ્યાત્મિક શુદ્ધિને ગણવી, નહીં કે જન્મસિદ્ધ વર્ણવિશેષ. આ દૃષ્ટિએ સ્ત્રી અને શુદ્ર સુધ્ધાંને ધર્માધિકાર એટલે જ છે, જેટલો એક બ્રાહ્મણ અને ક્ષત્રિય પુરુષને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org