SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃતિનું હૃદય ૭૧ વાડ્મયમાં વેદનું પ્રામાણ્ય સ્થાપન કરવાને ન તે કોઈ પ્રયત્ન કર્યો કે ન તે બ્રાહ્મણગ્રંથે માન્ય રાખેલ કોઈ યજ્ઞયાગાદિ કર્મકાંડને માન્ય રાખ્યો. નિવર્તક ધર્મનાં મંતવ્ય અને આચાર સેંકડે નહીં બલ્ક હજાર વર્ષ પહેલાંથી ધીમે ધીમે નિવક ધર્મના અંગ-પ્રત્યંગ રૂપે જે અનેક મંતવ્યો અને આચારોન, મહાવીરબુદ્ધના સમય સુધીમાં વિકાસ થઈ ચૂક્યો હતો તે સંક્ષેપમાં આ છે (૧) આત્મશુદ્ધિ જ જીવનનો મુખ્ય ઉદ્દેશ છે, નહીં કે ઐહિક કે પારલૌકિક કઈ પણ પદનું મહત્વ. (૨) આ ઉદેશની પૂર્તિમાં બાધક એવા આધ્યાત્મિક મોહ, અવિદ્યા અને તેમાંથી જન્મેલ તૃષ્ણાને સમૂળગો ઉચ્છેદ કરવો. (૩) આ માટે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું અને એના દ્વારા સમગ્ર જીવનવ્યવહારને તૃષ્ણ વગરને બનાવવો. એને સારુ શારીરિક, માનસિક, વાચિક વિવિધ તપસ્યાઓનું તથા જુદા જુદા પ્રકારના ધ્યાન-યેગમાર્ગનું અનુસરણ અને ત્રણ, ચાર કે પાંચ મહાવ્રતનું આજીવન પાલન. (૪) આધ્યાત્મિક અનુભવ ધરાવતા કઈ પણ માણસે કોઈપણ ભાષામાં કહેલ આધ્યાત્મિક વર્ણનવાળાં વચનોને જ પ્રમાણરૂપ માનવાં, નહીં કે ઈશ્વરકૃત કે અપૌરુષેય મનાતા, કઈ ખાસ ભાષામાં રચાયેલ ને. (૫) લાયકાત અને ગુરુ પદની એકમાત્ર કસોટી જીવનની આધ્યાત્મિક શુદ્ધિને ગણવી, નહીં કે જન્મસિદ્ધ વર્ણવિશેષ. આ દૃષ્ટિએ સ્ત્રી અને શુદ્ર સુધ્ધાંને ધર્માધિકાર એટલે જ છે, જેટલો એક બ્રાહ્મણ અને ક્ષત્રિય પુરુષને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy