Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
પર
જૈનધર્મને પ્રાણ
mann
બીજી કઈ પરંપરાના ગુરુવને માટે “નિચ' શબ્દ પ્રચલિત કે રૂઢ થયેલે નથી મળતો. આ કારણે જ જૈનશાસ્ત્રને “નિરંથપાયા” અર્થાત “
નિવરન” કહેવામાં આવે છે. બીજા કોઈ સંપ્રદાયના શાસ્ત્રને “નિરીકવચન” કહેલ નથી.
આગમકથિત નિગ્રંથ સંપ્રદાયની સાથે બૌદ્ધ પિટકોને એટલે અને જેવો સીધો સંબંધ છે, એટલે અને એવો સંબંધ વૈદિક કે પૌરાણિક સાહિત્યનો નથી. એનાં કારણે આ પ્રમાણે છે –
(૧) જૈન સંપ્રદાય અને બૌદ્ધ સંપ્રદાય, બને શ્રમણ સંપ્રદાય છે, તેથી એમની વચ્ચે બ્રાતૃભાવ જેવો સંબંધ છે.
(૨) બૌદ્ધ સંપ્રદાયના સ્થાપક ગૌતમબુદ્ધ અને નિગ્રંથ સંપ્રદાયના અંતિમ પુરસ્કર્તા જ્ઞાતપુત્ર મહાવીર, બન્ને સમકાલીન હતા. તેઓ કેવળ સમકાલીન હતા એટલું જ નહીં, બલકે એમણે સમાન કે એક જ ક્ષેત્રમાં જીવન વિતાવ્યું હતું. બન્નેની પ્રવૃત્તિનું ધામ કેવળ એક જ પ્રદેશ નહીં બલકે એક જ શહેર, એક જ મહેલે અને એક જ કુટુંબ પણ હતું. બન્નેના અનુયાયીઓ પણ અરસપરસ મળતા હતા અને પિતપોતાના પૂજ્ય પુરુષોના ઉપદેશે અને આચાર સંબંધી મિત્રભાવે કે પ્રતિસ્પર્ધીભાવે ચર્ચા પણ કરતા હતા. એટલું જ નહીં, બલ્ક અનેક અનુયાયીઓ એવા પણ હતા, જેઓ પહેલાં કોઈ એકના અનુયાયી હતા, પણ પછીથી બીજાના અનુયાયી થયા; જાણે મહાવીર અને બુદ્ધના અનુયાયીઓ એવા પાડોશી કે કુટુંબી હતા કે જેમને સામાજિક સંબંધ બહુ નજીક હતે. એમ જ કહેવું જોઈએ કે જાણે એક જ કુટુંબના અનેક સભ્યો, અત્યારે પણ જોવામાં આવે છે એમ, જુદી જુદી માન્યતાઓ ધરાવતા હતા.
૧. ભગવતી ૯-૬-૩૮૩. ૨. ઉપાસકદશાંગ અ૦ ૮ ઈત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org