Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા
પ૭ સ્થિતિમાં બૌદ્ધ ગ્રંથમાં મહાવીર અને અન્ય નિગ્રંથો માટે ચારમહાવ્રતધારી રૂપે જે ઉલ્લેખ છે, એનો શું અર્થ સમજ?–આવે પ્રશ્ન આપોઆપ ઊભો થાય છે.
આને જવાબ આપણને ઉપલબ્ધ જૈન આગમાંથી મળી રહે છે. સદ્ભાગ્યે ઉપલબ્ધ આગમોમાં પ્રાચીન એવા અનેક સ્તરે સચવાઈ રહ્યા છે કે જે કેવળ મહાવીરના સમયની નિગ્રંથ પરંપરાની સ્થિતિ ઉપર જ નહીં બલકે એની પહેલાંની પાશ્વપત્યિક નિગ્રંથ પરંપરાની સ્થિતિ ઉપર પણ સ્પષ્ટ પ્રકાશ પાડે છે. ભગવતી અને ઉત્તરાધ્યયન જેવા આગમમાં વર્ણન આવે છે કે પાર્શ્વપત્યિક નિગ્રંથ, જેઓ ચાર મહાવ્રતધારી હતા, એમાંના ઘણાઓએ મહાવીરના શાસનનો સ્વીકાર કરીને એમણે પ્રરૂપેલ પાંચ મહાવ્રતોને ધારણ કર્યા હતાં, અને જૂની ચાર મહાવ્રતોની પરંપરાને બદલી નાખી હતી; જ્યારે કેટલાક એવા પણ પાર્શ્વપત્યિક નિર્ચ હતા કે જેમણે પોતાની ચાર મહાવ્રતની પરંપરાને જ ચાલુ રાખી હતી. મહાવીરે ચાર મહાવ્રતના સ્થાને પાંચ મહાવ્રતની સ્થાપના શા માટે કરી અને ક્યારે કરી, આ પણ એક ઐતિહાસિક સવાલ છે. મહાવીરે પાંચ મહાવ્રતની સ્થાપના શા માટે કરી?—આ સવાલનો જવાબ તો જૈન ગ્રંથ આપે છે, પણ એ સ્થાપના ક્યારે કરી?—આને જવાબ એ નથી આપતા. અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, આ ચાર યા–મહાવ્રતાની પ્રતિષ્ઠા ભગવાન પાર્શ્વનાથે કરી હતી, પણ ક્રમે ક્રમે નિગ્રંથ પરંપરામાં એવી શિથિલતા. આવી ગઈ કે કેટલાક નિગ્રંથ “અપરિગ્રહને અર્થ “સંગ્રહ ન કરે” એટલે જ કરીને સ્ત્રીઓને સંગ્રહ કે પરિગ્રહ કર્યા વગર પણ એમને સંપર્ક રાખતા હતા, અને છતાં માનતા હતા કે એથી અ
૧. “ઉત્થાનનો મહાવીરાંક (સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ, મુંબઈ) પૃ૦ ૪૬. - ૨. એજન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org