Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈનધમ ના પ્રાણ
૩૪
તા વળી કાઈક કેવળ ચિત્ત-શુદ્ધિ કે અસંગતા [ –અનાસક્તિ ] ઉપર વધારે ભાર આપતી હતી. પણ બધાનું સમાન ધ્યેય સામ્ય કે સમતા હતું.
જે શાખાએ સાસિદ્ધિજન્ય અહિંસાને સિદ્ધ કરવા માટે અપરિગ્રહ ઉપર વધારે ભાર આપ્યા તેમ જ અગાર-ગૃહ-ગ્રંથ કે પરિગ્રહઅધનના ત્યાગ ઉપર વધારે ભાર આપ્યા, અને કહ્યું કે જ્યાં સુધી કુટુંબ તેમ જ પરિગ્રહનું બંધન હોય ત્યાં સુધી પૂર્ણ અહિંસા કે પૂર્ણ સામ્ય કયારેય સિદ્ધ ન થઈ શકે, શ્રમધર્મની એ જ શાખા નિગ્રંથ નામે વિખ્યાત થઈ. આના મુખ્ય પ્રવતા નેમિનાથ તથા પાર્શ્વનાથ જ હોય એમ લાગે છે.
વીતરાગપણાના આગ્રહ
અહિંસાની ભાવનાની સાથે સાથે તપ અને ત્યાગની ભાવના અનિવાય રીતે નિગ્રંથ ધર્મમાં ગૂંથાઈ તેા ગઈ જ હતી, પરંતુ સાધકાનાં મનમાં એ પ્રશ્ન ઊભા થયા કે ખાદ્ય ત્યાગ ઉપર વધારે પડતા ભાર આપવાથી શું આત્મશુદ્ધિ કે સામ્ય પૂર્ણ રૂપે સિદ્ધ થઈ શકે ખરાં ? આના જવાબમાંથી જ એ વિચાર જાગ્યા કે રાગ, દ્વેષ વગેરે મલિન વૃત્તિ ઉપર વિજય મેળવવા, એ જ મુખ્ય સાધ્ય છે. જે અહિંસા, જે તપ કે જે ત્યાગથી આ સાધ્યની સિદ્ધિ ન થઈ શકે એ અહિંસા, તપ કે ત્યાગ ગમે તેવાં કેમ ન હેાય, પણ આધ્યાત્મિક દૃષ્ટિએ એ નકામાં છે. આ જ વિચારના પ્રવતા ‘જિન' કહેવાવા લાગ્યા. આવા જિન અનેક થયા છે. સચ્ચક, બુદ્ધ, ગેાશાલક અને મહાવીર, એ બધા પોતપોતાની પરપરામાં જિનરૂપે પ્રસિદ્ધ થયેલા છે, પરંતુ અત્યારે ‘જિનકથિત જૈનધમ નું નામ દેવાથી મુખ્યત્વે મહાવીરના ધર્માંના જ એધ થાય છે, જે મુખ્યત્વે રાગ-દ્વેષના વિજય ઉપર જ ભાર આપે છે. ધવિકાસને તિહાસ કહે છે કે ધર્મની ઉત્તરાત્તર ઉધ્યમાં આવવાવાળી નવી નવી અવસ્થાઓમાં તે તે ધર્મની પ્રાચીન અવિરાધી અવસ્થાઓના સમાવેશ જરૂર થઈ જાય છે. એટલા માટે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org