Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈનધર્મના પ્રાણ
૪૭
પરિણામે પામતાં રહે છે. સંસારકાળમાં ચેતન ઉપર વધુ પ્રભાવ પાડનારું દ્રવ્ય એકમાત્ર જડ પરમાણુમુંજ છે, જે જુદા જુદા રૂપે ચેતનના સપર્કમાં આવે છે, અને એની શક્તિઓને મર્યાદિત પણ કરે છે. ચેતનતત્ત્વની સાહજિક અને મૌલિક શક્તિએ એવી છે કે જે ચેાગ્ય દિશા મેળવીને કયારેક ને કયારેક એ જડ દ્રવ્યેાના પ્રભાવથી એને મુક્ત પણ કરી દે છે. જડ અને ચેતનના પારસ્પરિક પ્રભાવનું ક્ષેત્ર જ લાક છે; અને એ પ્રભાવથી છુટકારો મેળવવા એ જ લેાકાંત છે. જૈન પરપરાની લેાકક્ષેત્રવિષયક કલ્પના સાંખ્યયેાગ, પુરાણુ અને બૌદ્દ વગેરે પર પરાઓની કલ્પના સાથે અનેક અંશે મળતી છે.
જૈન પરંપરા, ન્યાય-વૈશેષિકની જેમ, પરમાણુવાદી છે, સાંખ્ય યોગની જેમ પ્રકૃતિવાદી નથી; તેાપણુ જૈન પરંપરાસંમત પરમાણુનુ સ્વરૂપે સાંખ્યપર પરાસંમત પ્રકૃતિના સ્વરૂપની સાથે જેવું મળતું છે એવુ ન્યાય-વૈશેષિકસંમત પરમાણુના સ્વરૂપ સાથે મળતું નથી, કારણ કે જૈનસંમત પરમાણુ સાંખ્યસભત પ્રકૃતિની જેમ પરિણામી છે, ન્યાયવૈશેષિકસંમત પરમાણુની જેમ ફૂટસ્થ નથી. એટલા જ માટે સાંખ્યસૌંમત એક જ પ્રકૃતિ જેમ પૃથ્વી, પાણી, પ્રકાશ, પવન વગેરે અનેક ભૌતિક સૃષ્ટિનું ઉપાદાન બને છે એવી જ રીતે જૈનસંમત એક જ પરમાણુ પૃથ્વી, પાણી, પ્રકાશ આદિ જુદા જુદા રૂપે પરિણત થાય છે. જૈન પરંપરા, ન્યાય-નૈરોષિકની જેમ, એમ નથી માનતી કે પૃથ્વી, પાણી વગેરેના ભૌતિક પરમાણુ મૂળમાં જ હમેશાં ભિન્ન જાતિના છે. આ ઉપરાંત એક ખીજાં પણુ અંતર ધ્યાનમાં લેવા જેવું છે. તે એ કે જૈનસંમત પરમાણુ વૈશેષિકસંમત પરમાણુ કરતાં એટલે વધારે સૂક્ષ્મ છે કે અંતે એ સાંખ્યસંમત પ્રકૃતિની જેવા જ અવ્યક્ત બની જાય છે. જૈન પરંપરાનેા અનંતપરમાણુવાદ પ્રાચીન સાંખ્યસંમત પુરુષબહુત્વાનુરૂપ પ્રકૃતિબહુત્વવાદથી દૂર નથી.
૧
૧. દશ નસમુચ્ચય, ગુણરત્ન ટીકા રૃ. ૯૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org