Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈનધર્મના પ્રાણ
૩૬
સારી વીરતાના સંબંધમાં જૈનધર્મી, ગીતા અને ગાંધીજી
સાંખ્ય, યાગ અને ભાગવત જેવી અન્ય પરંપરામાં પૂર્વકાળથી સામ્યદૃષ્ટિની જે પ્રતિષ્ઠા હતી એને જ આધાર લઈ તે ભગવદ્ગીતાકારે ગીતાની રચના કરી છે. તેથી જ આપણે ગીતામાં ઠેકઠેકાણે સમદર્શી, સામ્ય, સમતા જેવા શબ્દો દ્વારા સામ્યદષ્ટિનું જ સમન થતું જોઈ એ છીએ. ગીતા અને આચારાંગની સામ્યભાવના મૂળમાં એક જ છે, આમ છતાં એ, પર પરાભેદને લીધે, ખીજી ખીજી ભાવનાએ સાથે મળી જઈ તે જુદી થઈ ગઈ છે. અર્જુનને સામ્યભાવનાના પ્રબળ આવેગ થઈ આવ્યા એવે વખતે પણ ગીતા એને ભિક્ષુક તરીકેનું જીવન સ્વીકારતાં શકે છે, અને શસ્ત્રયુદ્ધતા આદેશ આપે છે; જ્યારે આચારાંગસૂત્ર અર્જુનને એવા આદેશ ન આપતાં એ જ કહે કે જો તમે સાચેસાચ ક્ષત્રિય વીર હા તે સામ્યષ્ટિ પ્રાપ્ત થતાં હિંસક યુદ્ધ ન કરી શકા, બલ્કે ભિક્ષુકજીવનના સ્વીકાર કરવા પૂર્વક આધ્યાત્મિક શત્રુની સાથે સાચું ક્ષત્રિયપણું સાબિત કરી શકે છે. પ્રકાશ પાડતી ભરત–બાહુબલીની કથા જૈન છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સહાદર ભરત તરફથી ઉગ્ર પ્રહાર પામ્યા પછી બાહુબલીએ જ્યારે પ્રતિકારને માટે હાથ ઉગામ્યો એજ વખતે સમભાવની વૃત્તિ પ્રગટ થઈ. એ વૃત્તિના આવેગમાં બાહુબલીએ ભિક્ષુકજીવનને સ્વીકાર કર્યાં; પણ સામેા પ્રહાર કરીને ન તા ભરતના પ્રહારના બદ્લા ચૂકવ્યા કે ન એણે પોતાને ન્યાયયુક્ત રાજ્યભાગ લેવાના વિચાર કર્યાં. ગાંધીજીએ ગીતા અને આચારાંગ વગેરેમાં પ્રતિપાદિત સામ્યભાવને પેાતાના જીવનમાં યથાર્થ રૂપે વિકસિત કર્યાં અને એના આધારે કહ્યું કે માનવસંહારક યુદ્ધને તેા ત્યાગ કરેા, પણ સામ્ય કે ચિત્તશુદ્ધિના આધારે જ અન્યાયના પ્રતિકારને મા` પણ
યુદ્ધ કરીને જ
આ કથન ઉપર સાહિત્યમાં પ્રસિદ્ધ
૧. આચારાંગ ૧-૫-૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org