Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
૨૩
પૂર્વભૂમિકા એ વાતની વિચારણા કરવી પણ યોગ્ય લેખાશે કે સંપ્રદાય શું વસ્તુ છે, અને એની સાથે દર્શનને કેવો સંબંધ રહ્યો છે; તેમ જ એ સાંપ્રદાયિક સંબંધના પરિણામે દર્શનમાં કયા ગુણદોષ આવી ગયા, વગેરે.
સામાન્ય રીતે બધાય એમ જ સમજતા અને માનતા આવ્યા છે કે દર્શનનો અર્થ છે તત્ત્વનો સાક્ષાત્કાર. બધાય દાર્શનિકે પિતપોતાના સાંપ્રદાયિક દર્શનને સાક્ષાત્કાર રૂપ જ માનતા આવ્યા છે. અહીં સવાલ એ થાય છે કે સાક્ષાત્કાર એટલે શું ? આનો જવાબ એક જ હોઈ શકે કે સાક્ષાત્કાર એનું નામ છે કે જેમાં શ્રમ કે સંદેહને સ્થાન ન હેય, અને જે તત્ત્વનો સાક્ષાત્કાર થયો હોય એમાં પછી મતભેદ કે વિરોધ ન હોય. જે દર્શનની આવી સાક્ષાત્કારાત્મક વ્યાખ્યા સૌને માન્ય હોય તે, બીજો સવાલ એ થાય છે કે અનેક સંપ્રદાયાશ્રિત જુદાં જુદાં દર્શનેમાં એક જ તત્ત્વની બાબતમાં આટલા ભિન્ન ભિન્ન મતભેદ કેવા ? અને એમાં જેનું સમાધાન થઈ ન શકે એવો પરસ્પર વિધ કે? આ શંકાનું સમાધાન કરવાનો આપણી પાસે એક જ રસ્તે છે કે આપણે “દર્શન” શબ્દને કંઈક જાદે અર્થ સમજીએ. એનો જે સાક્ષાત્કારરૂપ અર્થ કરવામાં આવે છે, અને જે લાંબા સમયથી શાસ્ત્રોમાં પણ લખેલે મળે છે, એ અર્થ જે યથાર્થ છે તે, મારા અભિપ્રાય પ્રમાણે, એ બધાંય દર્શનને નિર્વિવાદ અને અસં. દિગ્ધરૂપે માન્ય એવા નીચેના આધ્યાત્મિક પ્રમેચોમાં જ ઘટી શકે છે –
(૧) પુનર્જન્મ; (૨) એનું કારણ; (૩) પુનર્જન્મને ગ્રહણ કરનાર કાઈક તત્વ; (૪) સાધનવિશેષ દ્વારા પુનર્જન્મનાં કારણે નાશ.
આ પ્રમેયોને સાક્ષાત્કારના વિષય માનવામાં આવે છે. કોઈ તપસ્વી દ્રષ્ટા કે દ્રષ્ટાઓને ક્યારેક ને ક્યારેક આ તને સાક્ષાત્કાર થયે હશે, એમ કહી શકાય; કેમ કે અત્યાર સુધી કોઈ પણ આધ્યાત્મિક દર્શનમાં આ અને એના જેવાં તો સંબંધમાં ન તે મતભેદ પ્રગટ થશે છે, અને ન એમાં કોઈએ વિરોધ દર્શાવ્યો છે. પણ ઉપર સૂચવેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org