Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
પૂર્વ ભૂમિકા
૧૧
પ્રવૃત્તિ નથી કરતું, પણ તે પોતપોતાના નાના-મોટા જૂથ, દળ કે વ માટે કાંઈ ને કાંઈ કરે જ છે. આ એની એક રીતે ધવૃત્તિ થઈ. પણ આ ધવૃત્તિના મૂળમાં જાતિગત પરંપરાથી ચાલ્યા આવતા એક રૂઢ સંસ્કાર હોય છે; એની સાથે એમાં સમજણ કે વિવેકનું તત્ત્વ વિકસ્યું નથી હોતું; એની શકયતા પણ નથી હોતી; તેથી એ ધવૃત્તિને ધ દૃષ્ટિની કાટિમાં મૂકી ન શકાય.
મનુષ્યપ્રાણી જ એવું છે જેમાં ધષ્ટિનાં ખીજો સ્વયંભૂ રીતે પડેલાં છે. એવાં ખીજોમાં એની જ્ઞાન અને જિજ્ઞાસાવૃત્તિ, સંકલ્પશક્તિ અને સારા-નરસાના વિવેક કરવાની શક્તિ, તેમ જ ધ્યેયને સિદ્ધ કરવાના પુરુષાર્થ, આ મુખ્ય છે. મનુષ્ય જેટલું ભૂતકાળનું સ્મરણ અન્ય કાઈ પ્રાણીમાં નથી. એના જેટલા ભૂતકાળના વારસા સાચવવાની અને આગલી પેઢીએને એ વારસે વધારા સાથે આપવાની કળા પણ કાઈમાં નથી. તે એકવાર કાંઈ પણ કરવાના સ'કલ્પ કરે તો તે તેને સાથે જ છે, અને પેાતાના નિણુંચાને પણુ, ભૂલ જણાતાં, બદલે અને સુધારે છે. એના પુરુષાર્થની તા કાઈ સીમા જ નથી. તે અનેક નવાંનવાં ક્ષેત્રોને ખેળે અને ખેડે છે. મનુષ્યજાતની આ શક્તિ તેજ તેની ધર્માદિષ્ટ છે.
પરંતુ મનુષ્યજાતિમાં અત્યારે ધર્માંદૃષ્ટિના વિકાસની જે ભૂમિકા જણાય છે તે એકાએક સિદ્ધ થઈ નથી. આનેા સાક્ષી તિહાસ છે. એડવાં કેડ નામના વિદ્વાને ધવિકાસની ભૂમિકાઓના નિર્દેશ ટ્રકમાં
આ રીતે કર્યો છે: We look out before we look in, and we look in before we look up. ડૉ. આનંદશંકર ધ્રુવે એનું ગુજરાતી આ રીતે કર્યુ છે: “ પ્રથમ અહિદષ્ટિ, પછી અન્તર્દષ્ટિ અને છેવટે ઊર્ધ્વદૃષ્ટિ; પ્રથમ ઈશ્વરનું દન બાહ્ય સૃષ્ટિમાં થાય, પછી અન્તર્ત્મામાં (કતવ્યનું ભાન વગેરેમાં) થાય અને છેવટે ઉભયની એકતામાં થાય.” જૈન પરિભાષામાં એને હિરાભા, અન્તરાત્મા અને પરમાત્માની અવસ્થા કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org