________________
શત્રુઓને દૂર કરી તેના સ્થાને નમસ્કારભાવ, પરાર્થભાવ અને વૈરાગ્યમૂલક સમાદિ ધર્મને પ્રગટાવવા પડશે.
સુમન ! જીવનમાં શ્વાસોચ્છવાસ કરતાંય ન્યાયવૃત્તિની આવશ્યકતા ઘણું મોટી છે, કારણ કે- એક શ્વાસોચ્છવાસમાં અસંખ્યાતા સમયે વ્યતીત થાય છે અને તે પ્રત્યેક સમયે જીવ મૂળ સાત કે આઠ કર્મો બાંધ્યા જ કરે છે. આ કર્મબંધ સમયે જે મન ન્યાયના પક્ષમાં હોય તો બંધાતાં તે દરેક કર્મો શુભ બંધાય અને અન્યાયના પક્ષમાં હોય તો તે દરેક કામ અશુભ બંધાય છે. એનું પરિણામ એ આવે કે-બાંધેલાં તે શુભ કર્મોના ઉદયથી જીવને સુખસામગ્રી મળે અને તેને ભેગવતા સુખનો અનુભવ કરી શકાય. અશુભ કર્મો બાંધ્યા પછી તેના ઉદયે ન ગમે તે પણ દુઃખના નિમિત્ત આવે અને તે દુઃખને અનુભવ કરાવે. .
સુમન ! એમ શ્વાસોચ્છવાસ બંધ થવાથી એક જ વત્તમાન ભવનો નાશ થાય છે, જ્યારે અશુભ કર્મોના બંધ અને ઉદયની પરંપરાથી વર્તમાન સાથે ભૂત-ભાવિ પણ અનેક જન્મે બરબાદ થાય છે. મહા મહેનતે લાંબા કાળે માનવભવ જેવી ઉચ્ચ કક્ષાને પામેલે જીવ પુનઃ ત્યાંથી નીચે ઉતરતો નારકી, તિય"ચ અને છેક નિગદ સુધી પણ પહોંચે છે.
સુમન ! અન્યાયવૃત્તિથી જીવ પાંચેય પ્રકારનું જ્ઞાનાવરણીય અને નવેય પ્રકારનું દર્શનાવરણીય કર્મ બાંધે છે. તેના ઉદયથી તે અજ્ઞાન, મૂર્ખ, જડ, આંધળે, બહેરો, બેબડે, મુંગો, લુલે, પાંગળ અને લૂંટ થાય છે. તે તે ઈન્દ્રિયે મળતી નથી અને મળે તે પણ તેનાથી શબ્દાદિ તે તે વિશ્વનું યથાર્થ જ્ઞાન થઈ
૫૧