Book Title: Agamnu Amrutpan
Author(s): Saubhagyachand Nagindas Shah
Publisher: Saubhagyachand Nagindas Shah

View full book text
Previous | Next

Page 295
________________ [૧૬] સુમન ! શિષ્ટાચારની પ્રશંસા પછી માર્ગાનુસારિતાના ત્રીજા ગુણમાં જ્ઞાનીઓએ આર્યકુળની વિવાહવ્યવસ્થાનું પાલન કરવાનું કહ્યું છે. અર્થાત વિવાહ કરો જે અનિવાર્ય બને, તે પણ તે આર્યકુળની વિવાહવ્યવસ્થાને અનુસરીને કરે જઈએ. સુમન ! પહેલાં આપણે વિચાર્યું છે કે તત્વથી ધન મેળવવાની બુદ્ધિ એ પાપ છે, તથાપિ ગૃહસ્થને ધન વિના વ્યવહાર ચાલે નહિ. એ કારણે જે લૌકિક વ્યવહારો અટકી પડે, અથવા પરિણામે ધાર્મિક વ્યવહારોથી પણ વંચિત થવાનો પ્રસંગ આવે, તો ગૃહસ્થને ધન મેળવવું જોઈએ; પણ તે ન્યાયપૂર્વક મેળવવું જોઈએ, કે જેથી સંસારવૃદ્ધિનું કારણ ન બને. સુમન ! ધન મેળવવામાં પણ ન્યાયનું પાલન કરવું તે ધર્મ છે અને તેથી તેને માર્ગાનુસારીધર્મને પ્રથમ પાયાને ગુણ કહ્યો છે. એ રીતે સુમન ! આર્યકુળની વિવાહવ્યવસ્થા માટે પણ સમજવાનું છે. ચિંતામણી અને કલ્પવૃક્ષ વગેરેની ઉપમા પણ જેને ઓછી પડે, તેવું મહામૂલ્ય મનુષ્યજીવન પામીને આત્માએ મુખ્યતયા બ્રહ્મચર્ય વગેરે આત્મગુણોની સિદ્ધિ ૧૧૬

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324