Book Title: Agamnu Amrutpan
Author(s): Saubhagyachand Nagindas Shah
Publisher: Saubhagyachand Nagindas Shah

View full book text
Previous | Next

Page 306
________________ નિરોગી બને છે, તેમ કુલિન સદાચારનો પક્ષપાતી આત્મા વિવાહવ્યવસ્થાના પાલનપૂર્વક લગ્ન કરી, ઔષધની જેમ ગૃહવાસ સેવવા છતાં, ક્રમશઃ આત્મવિશુદ્ધિ કરતો આત્માના આરોગ્ય રૂપ સંપૂર્ણ બ્રહ્મચર્યનું સર્વ પ્રગટ કરી શકે છે. સુમન ! ગૃહસ્થજીવનમાં ધર્મ કરતાં અધર્મનું પલ્લું ભારે નમતું હોય છે. જ્ઞાનીઓએ ઊંચામાં ઊંચા ગૃહસ્થ ધર્મને પણ સાધુધર્મની અપેક્ષાએ સવા વસે (રૂપિયામાં એક આના જેટલી કહ્યો છે. પંદર આના પાપપ્રવૃત્તિ અને એક આને નિપ્રવૃત્તિ કરી શકે છે, તો પણ તેનામાં પ્રગટ થએલી માગનુસારિતા અને સમ્યગ્દષ્ટિરૂપ એવી શક્તિ પ્રગટ કરી શકે છે, કે જેના બળે એક આના જેટલા ધર્મથી પંદર આના જેટલા પાપનો નાશ કરી સોળ સોળ આના ધર્મ કરવાની શક્તિ મેળવી શકે છે. જેમ નિરોગીને ઔષધ અનાવશ્યક છે, તેમ પૂર્વ જન્મમાં વિવિધ સદાચારસેવનથી ભેગવૃત્તિને નિર્માલ્યપ્રાયઃ બનાવી દીધી હાઈ ભેગના સર્વત્યાગનું સત્ત્વ પામેલા હોય છે. તે આત્મા આજન્મ બ્રહ્મચર્યવ્રત પાળી સ્વ-પરહિત સાધી શકે છે. જ્યારે તેવી કક્ષાએ નહિ પહોંચેલે-ભગવૃત્તિને પરા ધીન જીવ, ભેગવૃત્તિનો નાશ કરવાના લક્ષ્યપૂર્વક આર્યકુળોની વિવાહવ્યવસ્થાને અનુસરવાથી, ઉત્તરોત્તર ભેગવૃત્તિને ક્ષીણ કરી સંપૂર્ણ બ્રહ્મચર્યનું સર્વ પ્રગટ કરી શકે છે. સુમન ! વિવાહવ્યવસ્થા ભેગ-સુખ માટે છે, એમ માનવું તે અજ્ઞાન છે. ભગ એ રોગ છે અને તેને ટાળવા માટે વિવાહવ્યવસ્થાદિ આર્ય આચારો એક વિશિષ્ટ ઉપાય ૧૨૭

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324