Book Title: Agamnu Amrutpan
Author(s): Saubhagyachand Nagindas Shah
Publisher: Saubhagyachand Nagindas Shah

View full book text
Previous | Next

Page 311
________________ " સુમન ! એ જ કારણે એક અસદાચાર તિર્યંચ સેવે, તે જ અસદાચાર જે મનુષ્ય સેવે, તે તેને તિયચ કરતાં પાપકમને બંધ ઘણે મેટા થાય છે. દેવ અને નારકે માટે પણ તારતમ્ય છતાં એ જ ન્યાય કહ્યો છે. અર્થાત સમાન પાપ આચરવા છતાં તેનાથી મનુષ્યને જેટલું પાપકર્મને બંધ થાય છે, તેટલે દેવને, તિયાને કે નારકને થતો નથી. સુમન ! માનવજાતિમાં જન્મેલા માટે આ ન્યાય છે. એક ઉચ્ચ કુળને પામેલો-ઉત્તમ તરીકે પંકાએલો મનુષ્ય જે પાપ કરે તેવું જ તે પાપ હલકા જીવનને પામેલો સામાન્ય મનુષ્ય કરે, તે તેને સમાન શિક્ષા કે સમાન કામ બંધ થતું નથી. સુમન ! જેમ જેમ જીવન ઊંચું અને કૌતિ વધારે, તેમ તેમ તેના સારા-નરસા કાર્યોથી તેને અને બીજાને પણ લાભ કે હાનિ મોટી. એક ચાર જ્યારે ચોરી કરે, ત્યારે તેને જે શિક્ષા થાય છે, તેનાથી કેઈગુણ અધિક શિક્ષા-દંડ વગેરે એક ન્યાયાધીશને નાનકડી લાંચ-રૂશવત લેવાથી થાય છે. સુમન ! એથી તને સમજાશે કે-વિશ્વવ્યવસ્થાના ધોરણે ચારેય ગતિમાં મનુષ્ય જીવનનું મૂલ્ય અને મહત્ત્વ ઘણું છે, તે તેની જવાબદારી પણ ઘણી મોટી છે. અને તેથી વિશ્વવ્યવસ્થાના લૌકિક કે લોકેત્તર નાના-મોટા કાનુન પૈકી જે જે કાનુને માટે પિતે પાળવાને જવાબદાર છે, તે તે કાનુનેને તેને પૂર્ણ વફાદારીપૂર્વક પાળવા જોઈએ. એથી વિરુદ્ધ જે જે જે કુટુંબ, જ્ઞાતિ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વની એક વ્યક્તિ પણ એમાં ભૂલ કરે છે, તે તે પોતાને, તે તે કુટુંબ, જ્ઞાતિ, સમાજ, રાષ્ટ્ર અને યાવત્ વિશ્વને પણ હાનિ પહોંચાડે છે. આ હકીકતને સમજવા એક દષ્ટાન્ત છે તે સાંભળી ૧૩૨

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324