Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001013/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ আ' চg । BHકા પર1ષ ચરિકા ભાગ-૪ [ પ : ૧૦ ] IS IT TO S૩ NI (D) # 5 જજેyle For Private & Personal use only ' T LOO . છે Gઠા પ્રકાશન મંદિરના w.jainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ JEIR વિચિતઐત શ્રી કિંúષ્ટ શલાકા પુરુષત્રિ •ગુજ૨ાતી. ૨૪ ભગવાનના બહુરંગી ચિત્રો સહિત અભી હમચન્દ્રાચાય પદ્યાત્મકનું પર્વ ૧૦ ૧૦ મા પર્વમાં શ્રી મહાવીર સ્વામિ ચરિત્ર પ્રકાશક શ્રીજૈનપ્રકાશન મંદિ ૩૦૯૯૪ ખત્રીની ખક્કી ૉશીવાડાની પોળ અમદાવાદ-૩૮૦૦૦૧. પુનઃ મુદ્દણઃ૧૯૯૦ ફોનઃ૩૫૬૮૦૯ ત્રુ સંપૂર્ણ દથીદ૦ પર્વ ચાર પુસ્તકોના પ્લાસ્ટીક કવર સાથે સેંટના૫.૨૫૦/-(બસો પચાસ). www Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક તથા મુખ્ય પ્રાપ્તિસ્થાન : જન પ્રકાશન મંદિર ૩૦૯/૪ ખત્રીની ખડકી, દેશીવાડાની પોળ, 2. અમદાવાદ-૩૮૦૦૦૧, ફાન : ૩૫૬૮૦૬. () સુદ્રણ વ્યવસ્થા : નંદન ગ્રાફિકસ ફોન : ૩૫૬૧૭ * ૧૪૭, શીવાડાની પોળ, અમદાવાદ. શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રના દશ પર્વમાં સમાવેલાં ચરિત્રો પર્વ. તિર્થંકર. ચાવતી વાસુદેવ બલદેવ. પ્રતિવાસુદેવ કુલ * • » ૪ ૦ ૦ ૦ ૨. & | • - • • • - • • ૨૪ ૯ # અન્ય પ્રાપ્તિસ્થાન : C શ્રી મદ ડી. શાહ શ્રી સેવંતીલાલ વી. જેને જીવન નિવાસ સામે, ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, પાલિતાણા-૩૭૪ર૭૦. મુંબઈ-૪૦૦૦૦૨. શ્રી વર્ધમાન એસ. શાહ ૨૦, લોયર ચીના થામ્બીસ્ટ્રીટ મદ્રાસ-૬૦૦૦૭૯ સરસ્વતી પુસ્તક લટાર હાથીખાના, રતનપાળ, અમદાવાદ-૩૮૦૦૦૧ પાનાથ પુસ્તક ભંડાર કુવારા સામે, પાલિતાણા તથા શંખેશ્વર. શ્રી પા પ્રકાશન નિશાળ, રીલીફરે, અમદાવાદ-૩૮૦૦૦૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન જૈન શાસનના મહાન જ્યોતિર્ધર, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્યે રચેલા શ્રીત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર–મહાકાવ્યને ગુજરાતી અનુવાદ, વધુ એક વખત પ્રકાશિત કરી શ્રીસંઘના ચરણે ધરતાં અમે અપાર આનંદ અનુભવીએ છીએ. છત્રીસ હજાર કલાકમાં પથરાયેલા આ મહાગ્રંથમાં દસ પર્વોમાં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવતીએ, ૯ વાસુદે, ૯ બળદેવે, ૯ પ્રતિવાસુદે-એમ કુલ ૬૩ શલાકા પુરુષના પૂર્વભવે તથા વિવિધ જીવનપ્રસંગેયુક્ત જીવનચરિત્ર આલેખવામાં આવ્યાં છે. એક રીતે જોઈએ તો આ ગ્રંથ તે જૈન ધર્મના સર્વસંગ્રહની ગરજ સારે તે ગ્રંથ છે. આ ગ્રંથમાં ઇતિહાસ છે, ઉપદેશ છે, કથાઓ છે, દ્રવ્યાનુગ છે, કર્મશાસ્ત્ર છે, અને આવું તે ઘણું ઘણું છે. સુભાષિતેને તે આ ગ્રંથ ખજાને છે. આવા આ અદ્ભુત ગ્રંથનું ભાષાંતર દાયકાઓ અગાઉ, ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભા દ્વારા થયું હતું અને તેના પ્રકાશન દ્વારા આ અણમોલ ગ્રંથને લેકમેગ્ય બનાવવાનું શ્રેય તે સભાને ફાળે જાય છે. તે પ્રકાશન પછી તે આ ગ્રંથની ખૂબ માંગણી થતી રહી, અને તેની નવી નવી અનેક આવૃત્તિઓ પ્રગટ થતી જ રહી છે. અમે એ પણ અગાઉ આ ગ્રંથનું એક વખત પ્રકાશન કર્યું હતું, અને હવે લેકલાગણીને માન આપીને તથા શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યની નવમી જન્મશતાબ્દીના પાવન પ્રસંગની સ્મૃતિમાં આ, ગ્રંથનું અમે પુનઃ પ્રકાશન કરી રહ્યા છીએ. આશા છે કે અમારા પ્રકાશનને પણ, સુરી સાધર્મિક તેમ જ સાહિત્યરસિક બંધુઓ હષપૂર્વક વધાવી લેશે. ગ્રંથ પ્રકાશનમાં દષ્ટિદોષ કે મતિષથી કે પ્રેસદોષથી કઈ ક્ષતિ રહી ગઈ હોય તે તે સુધારવા તથા તે તરફ અમારું ધ્યાન દેરવાની અમારી વિનંતિ છે. જેન પ્રકાશન મંદિર વતી જશવંતલાલ ગી. શાહ પ્રકાશક Page #5 -------------------------------------------------------------------------- ________________ જીવનને તાર્થતાનો પંથ બતાવે તેવું આ પુસ્તકનૂતન આવૃત્તિ • શ્રી વસ્તુપાલ ચરિત્ર ૦ પામ્યું છે. ગુણીજનોના ગુણ ગાવાથી સમાજ ગૌરવાન્વિત બને છેવી જૈન તવારીખમાં વસ્તુપાલ-તેજપાલનાં નામ આદર અને એવા ગુણોની અનુમોદના કરનાર પણ માંગલ્ય પામે છે. અને ગૌરવથી લેવાય છે. એમનું જીવન, એમની ઉદારતા. ચારસો સિત્તેર જેટલાં પૃષ્ઠોમાં વહેતી આ રસપ્રદ કથા|| એમની વિરલ કોઠાસુઝ અને નમતા માટે સમગ્ર માનવસમાજ આપણી સંસ્કૃતિની ઊજળી પરંપરાનો સુદઢ સાક્ષાત્કારી અહોભાગ્યની લાગણી અનુભવે છે. કરાવે છે. કિંમત માત્ર વીસ રૂપિયા. શ્રી વસ્તુપાલ ચરિત્ર પ્રેરક જ માત્ર નહી, આસ્વાદ્ય પણ છે. જેનો તેમજ જેનેતોએ પણ આ કથા ખાસ માણવા નવી પેઢીમાં સંસ્કાર સીચન કરે તેમજ આપણાં સૌનાં ૧ આ ઉપરાંત પણ જૈન ધર્મને લગતાં અન્ય કોઇ પણ પુસ્તકો મેળવવા માટે આ સરનામે સંપર્ક કરવા વિનમ્ર ભલામણ છે. જેન પ્રકાશન મંદિર ૦ ૩૦૯/૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, કાલુપુર, અમદાવાદ -૩૮૦ ૦૧. ફોન ૩પ૬૮૦૬ Page #6 -------------------------------------------------------------------------- ________________ ഖലയള એmmmmmmmmmmmજીને પ્રસ્તાવના ક્ષક્ષક્ષક્ષક્ષક્ષક્ષક્ષક્ષક્ષણથી શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રનું આ છેલ્લું અથવા દશમું પર્વ છે. બધાં પ કરતાં આ પર્વ પ્રમાણમાં મોટું છે. આ પર્વમાં મુખ્ય શ્રી મહાવીર સ્વામીનું ચરિત્ર ઘણું વિસ્તરે છે. છમસ્થપણાના બાર વર્ષના વિહારનું વર્ણન ઘણું વિસ્તૃત છે. ગણધરવાદ પણ બહુ સારી રીતે ટૂંકામાં સમજાવેલ છે. આ પર્વમાં પ્રાસંગિક અનેક ઉત્તમ પુરૂષેના ચરિત્ર ને પ્રબંધ છે. શ્રેણિક, કેણિક, સુલસા, અભયકુમાર, ચેટકરા, હલવિહા, મેધકુમાર, નંદીષેણ, ચલણ, દુર્ગધા, આદ્રકુમાર, ઋષભદત્ત, દેવાનંદા, જમાળી, શતાનિક, ચંપ્રદ્યોત, મૃગાવતી, યાસા સાસા, આનંદાદિ દશા શ્રાવક, ગોશાળે, હાળીક, પ્રસન્નચંદ્ર, દુરાંદેવ, ગૌતમસ્વામી, પુંડરીક કંડરિક, અંબઇ, દશાર્ણભદ્ર, ધન્ના શાળીભદ્ર, રોહિણેય, ઉદાયન (શતાનિક પુત્ર), છેલ્લા રાજર્ષિ ઉદાયન, પ્રભાવતી, કપિલ કેવળી, કુમારનંદી સેની, ઉદાયિ (કોણીક પુત્ર), કુળવાળુક, અને કુમારપાળરાજા વિગેરેના ચરિત્રો ને પ્રબંધો ઘણા અસરકારક વર્ણવેલાં છે. તેમાં પણ શ્રેણિક કેણિક, અભયકુમાર, આદ્રકુમાર, રાંકદેવ, છેલ્લા રાજર્ષિ ઉદાયન અને ગોશાળા વિગેરેના વૃત્તાંત તે ઘણા જ વિસ્તારવાળી છે. જેમાંથી કેટલાક વિભાગ તે અન્ય ગ્રંથાદિકમાં અલભ્ય છે. પાંચમા અને ઋા આરાનું તથા ઉત્સર્પિણી કાળનું ભાવિ વૃત્તાંત પણ ઘણું વિસ્તારથી છે, ઇત્યાદિક અનેક હકીકતોથી પરિપૂર્ણ આ ચરિત્ર છે. તેનું વિશેષ વર્ણન અહીં લખવા કરતાં વાંચક વર્ગને સાદ્યત વાંચવાનીજ ખાસ ભલામણ કરવી 5 ધારીએ છીએ. આ પર્વમાં પ્રાસંગિક ઉપદેશ-દેશના–અને પ્રભુની ન્યાયવગર્ભિત સ્તવના અનેક સ્થાને એવી અપૂર્વ છે કે વાંચનારના હદય આનંદ, વેરાગ્ય તેમજ ધર્મશ્રદ્ધાથી પરિપૂર્ણ કરે છે. આ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર કળિકાળ સવર શ્રીમાન હેમચંદ્રાચાર્યનું બનાવેલું સંસ્કૃત પદ્યાત્મક છે. બ્લેક તમામ અનુટુપ છે. કુલશ્લેક સંખ્યા ૩૬૦૦૦ પ્રમાણ છે. આ આખા ચરિત્રનું ભાષાંતર કરાવી, તપાસી, શુદ્ધ કરીને છપાવવાનું કાર્ય પરોપકારી મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની કૃપા તેમજ પ્રેરણુવડે અમે સુમારે દશ વર્ષ અગાઉ શરૂ કરેલું તે પરમાત્માની કૃપાથી આજે પૂર્ણ થઈ શકયું છે. આ ચરિત્રના દણ પર્વ અથવા વિભાગ છે. તેને અમે સાત વિભાગમાં છપાવીને બહાર પાડેલ છે. સર્જને , ૫મું ને હું અને મેં ને શું પર્વ ભેળું બહાર પાડેલ છે. સાત વિભાગના મળીને કુલ ૧૮૨૬ પૃષ્ઠ થયાં છે; એટલે રેપલ આઠ પેજ ૨૨૮ ફારમે ય ૧૮ કારમે થયેલા છે. આવું મહાન કાર્ય પરમાત્માની કૃપા વિના પાર પડી શકતું નથી. ભાષાંતર યથાર્થ પ્રસિદ્ધ કરવા માટે અમે બનતે પ્રયાસ કરેલો છે, તે પણ તેની અંદર દષ્ટિદષથી યા મતિષથી જે કઈ ભૂલ થયેલી હોય તે સુરજનેએ ક્ષમા કરવી, અને અમારી તરફ ભૂલો મોકલવી કે જેથી પ્રથમના પાંચ વિભાગ (૭ પર્વ)ની ટૂંકા વખતમાં બીજી આવૃત્તિ બહાર પાડવાની છે તેમાં સુધારી શકાય. Page #7 -------------------------------------------------------------------------- ________________ બા મંચના કત્તા શ્રીમાન હેમચંદ્રાચાર્યનું વિસ્તાર યુક્ત ચરિત્ર તથા આખા ગ્રંથની પ્રસ્તાવના આ ચરિત્રના પ્રથમ પર્વની બીજી આવૃત્તિ છેડા વખતમાં બહાર પાડવાની છે તેમાં દાખલ કરશું, કે જે વાંચક વગને ઘણી ઉપયોગી થઈ પડશે. આ ચરિત્ર જૈનવર્ગમાં એટલું બધું પ્રખ્યાતિ પામેલું છે કે જેને માટે કોઈ પણ પ્રશંસા લખવી પડે એમ નથી. આ સ્ત્રિ અને તેના કરતાં જૈનવર્ગમાં પ્રથમ પંક્તિ ધરાવતા હોવાથી અત્ર કાંઈ પણ વિશેષ ન લખતાં સારગ્રાહી હિપૂર્વક સાત વાંચવાની ભલામણ કરી લેખિનીને વિરામ આપીએ છીએ. જેન-કર્મ-પ્રસારક સભા ભાવનગર Page #8 -------------------------------------------------------------------------- ________________ આ વિષયાનુક્રમણિકા. 1. સગ૧ લે(મહાવીર સ્વામીના પૂર્વ ભવનું વર્ણન). નયસારના ભાવમાં કરેલી સમકિતની પ્રાપ્તિ. મરિચિને ભવ. ઉપાર્જન કરેલું નીચ ગોત્ર. વિશ્વભૂતિને ભવ-વાસુદેવપણાનું કરેલું નિયાણું. ત્રિપુષ્ટ વાસુદેવને ભવ-ત્રણ ખંડના અધિપતિ. પ્રિયમિત્ર યુવતીન ભવ–છ ખંડનું સાધવું. નંદન મુનિનો ભવ–ઉપાર્જન કરેલ તીર્થકર નામકર્મ. નંદન મુનિએ કરેલી આરાધના. પ્રાણુત દેવલોક પુત્તર વિમાનમાં દેવ થવું. ૨. સર્ગ ૨ -મહાવીર જન્મ અને દીક્ષા મહોત્સવ). ગહરણનું વૃત્તાંત, જન્મોત્સવ-ઈદની શંકા તેનું નિવારણ-ઈ કરેલી સ્તુતિ. મામલકી કીડા-મહાવીર નામ સ્થાપન. મહાવીરમભુને વિવાહ. દીક્ષા મહોત્સવ. ૩. સર્ગ ૩ જે. (પ્રથમના છ વર્ષને વિહાર) ઉપસર્ગોની શરૂઆત. થળપણ યક્ષે કરેલ ઉપસર્ગ. પ્રભુને આવેલા દશ સ્વ-તેનું ફળ. અચ્છેદક નિમિતિયાનું વૃત્તાંત. ચંડકૌશિક સપને ઉપસર્ગ તેને પ્રતિબંધ. સુદ દેવે કરેલ ઉપરાગ. કબળ સબળ દેવે કરેલ નિવારણ-નું વૃત્તાંત પુw નિમિત્તિયાનું વૃત્તાંત. ગશાળાનું મળવું ને શિષ્ય થવું. ગાગાળાની ચેષ્ટાઓ. અંતરીનો કરેલો શીત પગ. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૪. સર્ગ ૪ -(બીજા છ વર્ષને વિહાર). ગોશાળાની ચેષ્ટાઓ. વેશિકામન તાપસનું વૃત્તાંત. પ્રભુએ ગોશાળાને બતાવેલ તેલશ્યાને વિધિ. ગોશાળાએ સાધેલી તેજોલેશ્યા. ઈદ્ર કરેલી પ્રભુની પ્રશંસા. સંગમ દેવે કરેલા અસહ્ય ઉપસર્ગો. સંગમનું થાકીને પાછા જવું. સૌધર્મેદ્ર સંગમને કાઢી મૂકવે. પ્રભુને સાતા પૂછવા ઈદ્રોનું આવવું. જીનું શ્રેષ્ઠીનું વૃત્તાંત. પૂરણ તાપસનું વૃત્તાંત તેનું ચમરેંદ્ર થવું. ચમરેંદ્રને ઉત્પાત. પ્રભુએ કરેલો અપૂર્વ અભિપ્રહ. ચંદનબાળાનું વૃત્તાંત–તેણે કરાવેલું પારણું. ગોવાળે કરેલો છે ઉપસર્ગ --પ્રભુના કાનમાં ખીલા નાખવા-ખરક વૈદ્ય કાઢવા–પ્રભુને થયેલ અસહ્ય પીડા. ૫. સર્ગ ૫ મે. (ભગવંતને કેવળજ્ઞાન, સંધસ્થાપના). ભગવંતને થયેલ કેવળજ્ઞાન. ઈકે કરેલી સ્તુતિ. ભગવંતે આપેલી દેશના. ઇંદ્રભૂતિ વિગેરેનું વૃત્તાંત. ઇંદ્રભૂતિ વિગેરેનું પ્રભુ પાસે આવવું-ગણુધરવાદ-સંશયનું નિવારણ-તેમણે લીધેલી દીક્ષા ચતુર્વિધ સંઘની સ્થાપના, ગણુધરએ કરેલી દ્વાદશાંગી-ચૌદપુર્વની રચના. ૬. સર્ગ ૬ છે. (શ્રેણિક, મેઘકુમાર, નંદીષેણુનું વૃત્તાંત). શ્રેણિક ને કૂણિકના પૂર્વ ભવ. નાગારથી ને સુલસાનું વૃત્તાંત. શ્રેણિક રાજાનું ચરિત્ર. અભયકુમારને જન્મ. અભયકુમારનું શ્રેણિકના મંત્રી થવું. ચેડા રાજાની સાત પુત્રીઓ. સુચેષ્ટા ને ચિલ્લણાનું વૃત્તાંત. કણિકનું ચિલ્લણની કુક્ષિમાં ઉત્પન્ન થવું-જન્મ. મેષકુમાર ને નંદીને જન્મ-સેચનક હાથીનું વૃત્તાંત. પ્રભુનું રાજગૃહી પધારવું-શ્રેણિકે કરેલી સ્તુતિ. મેકમારને થયેલ પ્રતિબંધતેણે લીધેલી દીક્ષા. ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૯ ૧૧૨ ૧૧૦ ૧૧૭ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ૧૨૦ ૧૧ ૧૨૩ ૧૨૮ ૧૨૯ ૧૩૭ ૧૩૫ ૧૩૮ ૧૩૮ ૧૩૯ ૧૪૧ ૧૪૩ મેવકુમારને થયેલ ઉદ્વિગ્નતા–પ્રભુએ કરાવેલી સ્થિરતા. નંદીષેણને થયેલ પ્રતિબોધ–તેણે લીધેલી દીક્ષા. નંદીષણનું ગૃહસ્થ થવું ને પાછા દીક્ષિત થવું. ૭ સર્ગ ૭ મિ. (ચિલ્લણ, શ્રેણિક, આદ્રકુમારનું વૃત્તાંત). શ્રેણિકરાજાને ચિલણ ઉપર આવેલ શક, પ્રભુએ કરેલું તેનું નિવારણ.. ચિલણા માટે કરાવેલ એકસ્થંભ મહેલ ચંડાળે વિવાવડે લીધેલ તેનો લાભ–તેની પાસેથી લીધેલ વિદ્યા. દુર્ગધાની હકીકત–તેનુ' શ્રેણિકની રાણું થવું. આદ્રકુમારનું વૃત્તાંત તેને થયેલ પ્રતિબોધ. આદ્રકુમારે લીધેલી દીક્ષા-પાછું સંસારી થવું. ફરીને લીધેલી દીક્ષા–તેને વિહાર–પ્રાંત મેક્ષે જવું. સગ ૮ મિ. (ઋષભદત્ત. દેવાનંદા, જમાળી, ગશાળા વિગેરેનું વૃત્તાંત). પ્રભુનું બ્રાહ્મણ ગામે પધારવું–પ્રભુની દેશના. ઋષભદત્ત ને દેવાનંદાએ લીધેલી દીક્ષા-મેક્ષ. જમાળિએ લીધેલ દીક્ષા–તેનું નિહવાપણું. પ્રિયદર્શનાનું પાછું વળવું–જમાળિનું મરીને કલ્પીય દેવ થવું. ચિત્રકારનું વૃત્તાંત–ચંડપ્રોત ને શતાનિક રાજા વચ્ચે વિગ્રહ-મૃગાવતીએ લીધેલ દીક્ષા ભાસા સાસાનું વૃત્તાંત. આનંદ શ્રાવકને અધિકાર-તેણે ગ્રહણ કરેલા શ્રાવકના વ્રત. કામદેવ વિગેરે ૮ શ્રાવકોના અધિકાર. મૃગાવતી ને ચંદનબાળા-બંનેને પરસ્પર ખમાવતાં થયેલ કેવળજ્ઞાન. જા અચ્છેરાનાં નામ.. ગશાળાનું વૃત્તાંત તેનું પ્રભુ પાસે આવવું.. ગોશાળાએ પ્રભુ ઉપર મૂકેલ તેજોમા. ગોશાળાને થયેલ પશ્ચાત્તાપ ને તેનું મરણ ગોશાળાના આગામી ભવ પ્રભુએ વાપરેલ બીજોરાપાક-વ્યાધિનું શમન. ૯ સર્ગ ૯ મે. (હાલિક, પ્રસન્નચંદ્ર, દુરાક્ટવ વિગેરેનાં વૃત્તાંત) એક હાળિકે (ખેડુતે) ગૌતમસ્વામી પાસે લીધેલ દીક્ષા–પ્રભુને જોઈને પાછા ભાગી જવું. પ્રસન્નચંદ્ર રાજર્ષિને અશુભ અધ્યવસાયથી થયેલ અશુભ બંધ ને શુભ અધ્યવસાયથી થયેલ કેવળજ્ઞાન. દાંક દેવનું કુષ્ટિપણે પ્રભુ પાસે આવવું–તેણે કરેલી ભક્તિ-પ્રભુએ કહેલું તેનું પૂર્વ વૃત્તાંત. શ્રેણિક રાજાએ કપિલા દાસી ને કાળ શૌકરિક માટે કરી જોયેલો પ્રયાસ. સાલ મહાસાલને દીક્ષા ને તેમને થયેલ કેવળજ્ઞાન. અષ્ટાપદની યાત્રા સ્વલબ્ધિથી કરનારને તદ્દભવ મેક્ષ' આવી પ્રરૂપણાથી ગૌતમસ્વામીનું ત્યાં જવું. ૧૪૭ ૧૫૦ ૧૫ ૧૫૪ ૧૫૪ ૧૫૫ ૧૫૯ ૧૬૧ ૧૬૪ ૧૬૪ ૧૬૫ ૧૭૨ ૧૭ D - II Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૮ ૧૮૦ ૧૮૦ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૮૫ ૧૮૫ ૧૮૬ ૧૮૭ ૧૮૮ શિમણુની પાસે ગૌતમસ્વામીએ કહેલ પુંડરીક કંડરીકની કથા. પંદરશે તાપસને આપેલી દીક્ષા–તેમને થયેલ કેવળજ્ઞાન. અબડ પરિવ્રાજકનું પ્રભુ પાસે આવવું–તેણે કરેલી સ્તુતિ. અંબાની સાથે પ્રભુએ તુલસાને કહેવરાવેલ ધર્મલાભ. - અંબડે સુલસાની કરેલી પરીક્ષા–સુલસાનું પાસ થવું. ૧. સર્ગ ૧૦ મિ. (દશાર્ણભદ્ર ને ધન્નાશાલિભદ્રનું ચરિત્ર). પ્રભુનું વિહાર કરતાં દશાર્ણપુર પધારવું. દલાણુભદ્રનું બહુ ભક્તિવડે ધામધુમથી પ્રભુને વાંદવા આવવું. દશાર્ણભદ્રને ગર્વ ઉતરી જ–તેણે લીધેલ ચારિત્ર શાળિભદ્રને પૂર્વ ભવ–તેનું ગોભદ્ર શેઠને ત્યાં જન્મવું. શાલિભદ્ધને અપૂર્વ સુખભેગ-શ્રેણિક રાજાનું તેને ત્યાં આવવું. “માથે સ્વામી છે” તે જાણવાથી શાલિભદ્રને થયેલ વૈરાગ્ય. ધમષ મુનિનું ત્યાં પધારવું-શાળિભદ્રનું વદિવા જવું–તેમની દેવાનાથી બેગ તજવાની સાળિભદ્દે કરેલી શરૂઆત. ધન્યકુમારને પડેલી ખબર–પ્રભુનું ત્યાં પધારવું. ધન્ય ને શાળિભદ્ર બંનેએ લીધેલી દીક્ષા. બંનેએ કરેલ અનશન-સવર્થસિહ દેવ થવું. ૧૧. સર્ગ ૧૧ મે(ૌહિણેય, અભયકુમાર, ઉદાયન, ચંડકત વિગેરે) રહણીઓ ચાર-તેણે સાંભળેલ પ્રભુનું એક વાકય. રહણીઆનું પકડાઈ જવું–તેને મનાવવા માટે અભયકુમારે કરેલ પ્રપંચ. પ્રભુ પાસેથી સાંભળેલા એક વચનથી તેનું છુટી જવું. રહણીઓને થયેલ પ્રતિબંધ-તેણે લીધેલ દીક્ષા-સ્વર્ગગમન. ચંપ્રતનું રાજગૃહીપર ચડી આવવું ને પાછા જવું. અભયકુમારને પકડી લાવવા ચંડuતે રચેલે પ્રપંચ–એ વેશ્યાનું શ્રાવિકા થઈને આવવુંઅભયકુમારને લઈ જવા. અભયકુમારને ચંડકતે આપેલ પ્રથમ વરદાન. વાસવદત્તાને ભણાવવા પ્રપંચથી ઉદાયનને લઈ આવવા વાસવદત્તાને લઈને ઉદાયનનું નાશી જવું. અનલગિરિ હાથીના ને અગ્નિશમનના પ્રસંગે આપેલ બે વરદાન. મરકી નિવારણને પ્રસંગે આપેલ ચોથું વરદાન–તે વરદાન માગતાં અભયકુમારનું છુટી જવું. અભયકુમારે ચંડમોતને જાહેરમાં પકડી લાવવાની કરેલી પ્રતિજ્ઞા–તેને માટે કરેલ પ્રપંચ. ચંપ્રદ્યોતને પકડી લાવવા ને છોડી મૂકાવવા.' એક કઠીઆરાએ લીધેલ દીક્ષા–અભયકુમારે બતાવેલું ચારિત્રનું અમૂલ્યપણું. અભયકુમારનું પ્રભુને વાંદવા આવવું–તેણે કરેલી સ્તુતિ. છેલ્લા રાજર્ષિ ઉદાયન રાજાનું પ્રભુએ કહેલ વૃત્તાંત. ૧૮૯ ૧૯૧ ૧૯૨ ૧૯૪ ૧૯૫ ૧૭ ૧૯૮ ૨૦૧ ૨૨ ૨૩ ૨૦૩ ૨૦૩ ૨૦૪ ૨૦૪ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૫ અંતર્ગત કુમારનંદી સોનીનું ચરિત્ર. • પ્રભાવતી રાણીનું ચરિત્ર. , મુજ (સુવર્ણ ળિકનું ચરિત્ર. છે કપિલ દેવળીનું ચરિત્ર. ઉદાયનને ચંપ્રત સાથે થયેલ યુદ્ધ-ચંપ્રદ્યતનું હારવું. ઉદાયન રાજાએ પ્રભુ પાસે લીધેલ દીક્ષા. ૨૯ ૨૧૧ ૨૧૬ ૨૧૮ ૨૨ ૧૨. સર્ગ ૧૨ મ. (વીતભયપત્તન, અભયકુમાર, કુણિક, ચેડારાજ ઉદાયી રાજા વિગેરેના ચરિત્ર), ૨૧૯ ઉદાયન રાજર્ષિને તેના ભાણેજે કરેલ વિષપ્રગ-દેવે કરેલું નિવારણ. ૨૧૯ તેણે કરેલ અનશન–મોક્ષગમન. ૨૨૦ દેવે વીતભયપત્તનને દાટી દેવું–અભિચિનું સ્વર્ગગમન. ભગવતે કહેલી આગામી હકીકત-કુમારપાળ રાજા થશે. ૨૨૧ કુમારપાળ ને હેમચંદ્રસૂરિને સંગ થશે–તેનું ફળ. ૨૨૧ વીતભયમાં દટાયેલ પ્રતિમાને કાઢશે-મંદિરમાં પધરાવશે. ૨૩ અભયકુમારનું ચારિત્ર્ય ગ્રહણું. ૨૩ કણિકે શ્રેણિકને બંદીખાને નાખવા ઉપરાંત આપેલું દુઃખ ૨૨૪ કણિકને પ્રાપ્ત થયેલ સદભાવ–શ્રેણિકને છોડવા માટે દેડવું–શ્રેણિકનું અપમૃત્ય-નગમન. ૨૨૬ કૂણિકે વસાવેલ ચંપાપુરી ત્યાં જઈને વસવું. ૨૨૭ હાવિહલ પાસે હાર વિગેરેની માગણી. તેનું ચેડારાજા પાસે જવું. ૨૨૮ કુણિ કે તેમની પાસે કરેલી હલ વિહતની માગણી. ૨૨૮ કુણિકની ચેડા રાજા ૫ર ચડાઈ–પરસ્પર યુદ્ધ. ૨૨૯ હટ્ટવિહતે લીધેલ ચારિત્ર ૨૩ કુણિકને વેશ્યાદ્વારા પ્રપંચ-કુળવાળુકનું ચરિત્ર. ૨૭ મુળવાળુકનું પડી જવું (ભ્રષ્ટ થવું–વિશાળાનો વિનાશ. ૨૫ વિશાળાની પ્રજાને નીલવત પર્વત ઉપર લઈ જવી ચેટક રાજાનું સ્વર્ગગમન ચંપાપતિનું ચંપાએ પાછા આવવું. ' ૨૭ કૃણિકને ચકવતી થવાને પ્રયત્ન–તેનું અપમૃત્યુ-નગમન. ૨૮ પ્રભુને પરિવાર (તેની સંખ્યા). ૨૩ ૧૩. સ ૧૩ મે, (ભગવંતની છેલ્લી દેના, નિવણ વિગેરે). ભગવંતનું અપાપાપુરી પધારવું- કરેલી સ્તુતિ. હસ્તિપાલ રાજાએ કરેલી સ્તુતિ-પ્રભુની છેલ્થી દેશના. હસ્તિપાળ રાજાએ દીઠેલા સ્વ-પ્રભુએ કહેલું તેનું ફળ. પ્રભુએ કહેલા પાંચમા આરાના ભાવ પ્રભુએ કહેલા છઠ્ઠા આરાના ભાવ. ઉત્સર્પિણીના પહેલા બીજા આરાના ભાવ. ૨ ૨ ૨૪૩ ૨૪ ૨૭ Page #13 -------------------------------------------------------------------------- ________________ અનાગત ચોવીશીમાં થના ૨૪ પ્રભુના ને તેના પૂર્વભવના છના નામ–ભરચકી, નવ વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવના નામ. સુધમસ્વિામીએ કરેલ પ્રશ્ન ને ઉત્તર. ગૌતમસ્વામીને દેવરામને પ્રતિબંધ કરવા મેકલવા. ભગવંતનું નિવણ. ભગવંતને નિવણ મહત્સવ. ગૌતમસ્વામીને કેવળજ્ઞાન ને તેમનું નિર્વાણ. ૨૪ ૨૪૯ ૨૪૯ ૨૫૦ ૨૫૧ ૨૫૨ ૨૫ ૧૪. ગ્રંથકર્તાની પ્રશસ્તિ. RUTUTUTUTUTHURUTHUTHURUTUTUTUTUTUTRUTHUTHUTGURUTURE UNJHUNJHUNUUUUUUUh[h[h[t[[[[[[[[[[[ી Page #14 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री वर्द्धमानस्वामी ॥ Mann. 600 onnMON MOOOOO KALAN है WARANAND in 00000DOD श्रीमते वीरनाथाय, सनाथायाभुतश्रिया । महानन्दसरोराज,-मरालायार्हते नमः ।।२४।। Page #15 -------------------------------------------------------------------------- ________________ ************************* श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र ************ 00000000000000000000000000% પર્વ ********* મું 20000000000000000000000000 સગ ૧ લે શ્રી મહાવીર સ્વામીના પૂર્વ ભવનું વર્ણન દુઃખ વારી શકાય તેવા રાગાદિ શત્રુઓને નિવારવામાં વીર જેવા, પૂજનિક અને યોગીનાથ શ્રી મહાવીર સ્વામીને મારો નમસકાર છે. સુર અસુરએ પૂજેલું અને પુણ્યજલના સરવરરૂપ એ દેવાધિદેવ પ્રભુના ચરિત્રનું હવે અમે વર્ણન કરીશું. આ જબૂદ્વીપને વિષે પશ્ચિમ વિદેહ ક્ષેત્રના આભૂષણરૂપ મહાવપ્ર નામના વિજયમાં જયંતી નામે નગરી છે. તે નગરીમાં ભુજાના વયથી જાણે નવીન વાસુદેવ ઉત્પન્ન થયેલ હોય તે મહા સમૃદ્ધિમાન શત્રુમદ્દન નામે રાજા હતો. તેના પૃથ્વી પ્રતિષ્ઠાન નામના ગામમાં નયસાર નામે એક સ્વામીભક્ત ગ્રામચિંતક (ગામેતી) હતો. તે સાધુજનના સંબંધ વિનાનો હતો, તથાપિ અપકૃત્યથી પરાડમુખ, બીજાના દેષને જોવામાં વિમુખ અને ગુણગ્રહણમાં તત્પર હતે. એક વખતે રાજાની આજ્ઞાથી તે મોટા કાટ્ટો લેવા માટે પાથેય (ભાતું) લઈ કેટલાક ગાડાં સાથે એક મહાટવીમાં ગયો. ત્યાં વૃક્ષ છેદતાં તેને મધ્યાહ્ન સમય થયે, એટલે ઉદરમાં જઠરાગ્નિની જેમ સૂર્ય આકાશમાં અધિક પ્રકાશવા લાગ્યું. તે વખતે તે નયસારના સમય જાણનારા સેવકો મંડપાકાર વૃક્ષની નીચે તેને માટે ઉત્તમ રસવતી લાવ્યા. પોતે ક્ષુધા તૃષાથી આતુર હતો છતાં પણ “કઈ અતિથિ આવે તો હું તેને ભેજન કરાવીને પછી જમું ' એમ ધારી નયસાર આમતેમ જોવા લાગ્યા. તેવામાં સુધાતુર, તૃષાતુર, શ્રાંત, પિતાના સાથને શોધવામાં તત્પર અને પસીનાથી જેમના સર્વ અંગ વ્યાસ થઈ ગયાં છે એવા કેટલાક મુનિઓ તે તરફ આવી ચડ્યા. “આ સાધુઓ મારા અતિથિ થયા તે બહુ સારું થયું ? એમ ચિંતવતા નયસારે તેમને નમસ્કાર કરીને પૂછ્યું કે, “હે ભગવંત! આવી મેટી અટવીમાં તમે ક્યાંથી આવી ચડ્યા? કેમકે શસ્ત્રધારી પણ એકાકીપણે આ D - 1 Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨] . શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પ ૧૦ મુ’ અટવીમાં ફરી શકે તેમ નથી.' તેઓ ખેલ્યા- અમે પૂર્વે અમારા સ્થાનથી સાથેની સાથે ચાલ્યા હતા પણ માર્ગમાં કાઈ ગામમાં ભિક્ષા લેવાને પેઠા, તેવામાં સાથ ચાલ્યા ગયા; અમને શિક્ષા કઈ મળી નહીં, તેથી અમે તે સાથેની પછવાડે પછવાડે ચાલ્યા પણ તે સાથે તા મળ્યા નહી અને આ અટવીમાં આવી ચડયા.’ નયસાર માલ્યા− અહા ! એ સાથ કવા નિર્દય ! કેવા પાપથી પણુ અભીરૂ ! કેવા વિશ્વાસઘાતી! કે તેની આશાએ સાધુએ સાથે ચાલેલા તેમને લીધા વગર તે પેાતાના સ્વામાંજ નિષ્ઠુર બનીને ચાલ્યેા ગયા; પરંતુ આ વનમાં મારા પુણ્યથી તમે અતિથિરૂપે પધાર્યાં તે બહુ ઠીક થયું.' આ પ્રમાણે કહીને નયસાર તે મહામુનિઓને જ્યાં પેાતાનું લેાજનસ્થાન હતું ત્યાં લઈ ગયા. પછી પેાતાને માટે તૈયાર કરી લાવેલા અન્નપાનથી તેણે તે મુનિઓને પ્રતિલાભિત કર્યો. એટલે મુનિએએ ત્યાંથી ખીચે જઈને વિધિવડે તેના આહાર કર્યાં. ભાજન કરીને નયસાર મુનિએની પાસે આવ્યા. પ્રણામ કરી કહ્યું કે, ‘હે ભગવંત ! ચાલા હું તમને નગરના માર્ગ ખતાવું. ’ પછી તેઓ તેની સાથે ચાલ્યા અને નગરીને માગે આવ્યા; એટલે એક વૃક્ષની નીચે બેસીને તેઓએ નયસારને ધમ સભળાવ્યા. તે સાંભળીને આત્માને ધન્ય માનતા નયસારે તેજ વખતે સમકિત પ્રાપ્ત કર્યું, પછી તેમને વાંદીને તે પાછા વળ્યા અને બધા કાટા રાજાને માકલાવીને પાતે પાતાના ગામમાં આવ્યેા. * પછી મેાટા મનવાળે! નયસાર સદા ધર્મના અભ્યાસ કરતા, સાત તત્ત્વને ચિતવતા અને સમિતને પાળતા કાળ નિગમન કરવા લાગ્યા. એ પ્રમાણે આરાધના કરતા નયસાર અંત સમયે પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મૃત્યુ પામી સૌધર્મ દેવલાકમાં પલ્યાપમના આયુષ્યવાળા દેવતા થયા. આ ભરતક્ષેત્રમાં વિનીતા નામે શ્રેષ્ઠ નગરી છે. જે નગરીને યુગાદિ પ્રભુને માટે દેવતાઓએ પૂર્વે વસાવેલી હતી. તેમાં શ્રી ઋષભસ્વામીના પુત્ર ભરત, નવ નિધિ અને ચોઢ રત્નના સ્વામી ચક્રવતી થયા હતા. તેને ઘેર આ ગ્રામચિતક નયસારના જીવ પુત્રપણે અવતર્યાં. તે આસપાસ મરિચિ (કિરણા )ને ફેલાવતા હતા તેથી તેનુ* મિરિચ એવું નામ પાડયું હતું. એક વખતે શ્રી ઋષભસ્વામીના પ્રથમ સમવસરણમાં પિતા અને ભ્રાતાની સાથે તે રિચિ પણ ગયા. ત્યાં દેવતાઓએ કરેલે પ્રભુના મહિમા ોઈ ને અને ધમ સાંભળીને સમકિત પ્રાપ્ત થતાં તેણે તત્કાળ ચારિત્ર ગ્રહણ કર્યું. સારી રીતે યતિધમ ને જાણીને પેાતાના શરીરમાં પણ નિઃસ્પૃહ થયેલા ત્રિશુપ્તિ તથા પંચ સમિતિને ધરતા અને કથાયને વજ્રતા એ મહાત્રતી રિચિ મુનિ સ્થવિર સાધુએની પાસે એકાદશ અંગને ભણુતા શ્રી ઋષભપ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા. એ પ્રમાણે ઘણા કાળ અતિ દારૂણ સૂર્યના કિરા પર્યંત વ્હાર કરતાં અન્યદા ગ્રીષ્મૠતુ આવી. તે સમયે પડવાથી તપેલી પૃથ્વીની રજ વટેમાર્ગુના ચરણુના નખને Page #17 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે] શ્રી મહાવીરસવામીના પૂર્વ ભવનું વર્ણન રાંધી નાંખવા લાગી. તે વખતે જેના સર્વ અંગ વેદથી આદ્ર થઈ ગયા છે અને પહેરેલાં બે વસ્ત્રો મળવડે લિપ્ત બની ગયા છે. એવા તે મરિચિ મુનિ તૃષાથી પીડિત થયા છતા તત્કાળ ચારિત્રાવરણીય કર્મના ઉદયથી આ પ્રમાણે ચિંતવવા લાગ્યા. “મેરૂ પર્વતની જેમ વહન થઈ શકે નહીં તેવા આ સાધુપણાના ગુણને વહન કરવાને હવે હું સમર્થ નથી; કારણ કે હું તે નિર્ગુણ અને ભવની આકાંક્ષાવાળો છું. પણ હવે વ્રતનો ત્યાગ પણ શી રીતે થાય? કેમકે ત્યાગ કરવાથી તે લેકમાં લજજા પ્રાપ્ત થાય તેમ છે. પણ એ એક ઉપાય છે કે જેથી વ્રત પણ કાંઈક રહે અને આ શ્રમ પડે નહીં. આ શ્રમણ ભગવંતે ત્રિદંડથી વિરક્ત છે અને હું તે દંડથી જીતાયેલો છું. તેથી મારે ત્રિદંડનું લાંછન થાઓ. આ સાધુઓ કેશના લોચથી મુંડ છે અને હું તે શસ્ત્રવિડે કેશને મુંડાવવાવાળો તેમ જ શિખાધારી થાઉં. વળી આ સાધુઓ મહાવ્રતધારી છે અને હું અણુવ્રતધારી થાઉં. આ મુનિઓ નિષ્કિચન છે અને હું મુદ્રિકાદિક પરિગ્રહધારી થાઉં. મુનિઓ મેહ રહિત છે. અને હું મોહવડે આચ્છાદિત હોવાથી છત્રવાળે થાઉં. આ મહર્ષિઓ ઉપનિહ રહિત થઈ વિચરે છે પણ હું તો ચરણની રક્ષાને માટે ઉપાનહ રાખીશ. આ સાધુઓ શીળવડે સુગંધી છે અને હું શીળવડે સુગંધી નથી તેથી મારે સુગંધને માટે શ્રીખંડ ચંદનના તિલક થાઓ. આ મહર્ષિઓ કષાય રહિત હોવાથી શુકલ અને જીણું વસ્ત્રધારી છે તે કષાયવાળા એવા મારે કષાય (રંગેલા) વસ્ત્રો છે. આ મુનિઓએ તે ઘણું જીવોની વિરાધનાવાળા સચિત્ત જળનો આરંભ ત છે. પણ મારે મિત જળથી સ્નાનપાન થાઓ.” આ પ્રમાણે પિતાની બુદ્ધિથી વિચાર કરીને કષ્ટથી કાયર એવા મરિચિએ લિંગને નિર્વાહ કરવાને ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કર્યો. મરિચિનો આવે નવીન વેજ જોઈને બધા લોકો તેને ધર્મ પૂછતા હતા, ત્યારે તે શ્રી જિનોએ કહેલા સાધુધર્મને કહેતે હતો. પછી લોકો તેને પુનઃ પૂછતા કે “તમે તેવા સાધુધર્મને કેમ આચરતા નથી?” ત્યારે તે કહેતે કે “તે મેરૂના ભાર જેવા સાધુધર્મને વહન કરવાને હું સમર્થ નથી.” પિતાના કરેલા ધર્મના વ્યાખ્યાનથી પ્રતિબંધ પામી છે ભવ્યજ સાધુ થવા ઇરછતા તેને મરિચિ શ્રી કષભદેવ પ્રભુને સેંપી દેતે હતે. આવા આચારવાળે મરિચિ પ્રભુની સાથે વિહાર કરતા હતા. એક વખતે પ્રભુ ફરીવાર વિનીતા નગરી સમીપે આવીને સમોસર્યા. ત્યાં ભરતચકીએ પ્રભુ પાસે આવી ભાવી અરિહંતાદિ સંબંધી પૂછ્યું, એટલે પ્રભુએ ભવિષ્યમાં થનારા અહંત, ચક્રવતી, વાસુદેવ અને બલદેવ કહી બતાવ્યા. પછી ભારતે ફરીવાર પૂછયું કે-“હે નાથ! આ સભામાં તમારી જેમ આ ભરતક્ષેત્રમાં આ ચોવીશમાં તીર્થકર થનાર કઈ ભવ્ય જન છે?” તે વખતે પ્રભુ મરિચિને બતાવીને બેલ્યા કે-“આ તારે પુત્ર મરિચિ આ ભરત૧ મનદં, વચનદં, કાયદ. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પવ ૧૦ સુ ક્ષેત્રમાં વીર નામે છેલ્લા તીર્થંકર થશે. વળી પાતનપુરમાં ત્રિપૃષ્ટ નામે પહેલા વાસુદેવ અને વિદેહ ક્ષેત્રને વિષે સૂકાપુરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવ્રુત્તી થશે.' તે સાંભળી પ્રભુની આજ્ઞા લઈને ભરત મરિચિ પાસે આવ્યા અને ત્રણ પ્રદક્ષિણા દઈને તેને વંદના કરી. પછી કહ્યું કે- શ્રી ઋષભપ્રભુના કહેવા પ્રમાણે તમે આ ભરતક્ષેત્રમાં ચરમ તીર્થંકર થશેા, પાતનપુરમાં ત્રિપૃષ્ટ નામે પહેલા વાસુદેવ થશે અને વિદેહક્ષેત્રની સૂકાપુરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવત્તી' થશેા. તમે સન્યાસી છે તેથી હું તમને નાંદતા નથી, પણ ભાવી તીર્થંકર છે તેથી તમને વંદના કરુ છુ.' આ પ્રમાણે કહી વિનયવાન ભરતચક્રી પ્રભુને ફરીવાર વંદના કરીને હર્ષ પામતા વિનીતાનગરીમાં આવ્યા. રિચ ભરતચક્રીએ કહેલી હકીકત સાંભળી હર્ષોંથી ત્રણવાર ત્રિપદી નગાડીને નાચવા લાગ્યા, અને ઉંચે સ્વરે કહેવા લાગ્યા કે, ‘· પેાતનપુરમાં હું પહેલા વાસુદેવ થઈશ, સૂકાનગરીમાં ચક્રવત્તી થઈશ અને પછી ચરમ તીથ કર થઈશ. હુવે મારે ખીજાની શી જરૂર છે? હું વાસુદેવામાં પહેલા, મારા પિતા ચક્રવત્તી આમાં પહેલા અને મારા પિતામહ તીર્થંકરામાં પ્રથમ. અહા! મારું' કુળ કેવુ' ઉત્તમ છે?' એવી રીતે વારવાર ભુજાફ્રાટ કરી જાતિમદ કરતાં મરિચિએ નીચ ગાત્ર ઉપાર્જન કર્યું. : શ્રી ઋષભસ્વામીના નિર્વાણુ પછી પણ સાધુઓની સાથે વિહાર કરતા મિિશ્ચ ભવ્ય જનાને આધ કરી કરીને સાધુઓની પાસે મેાકલતા હતા. એક વખતે મરિચિ વ્યાધિગ્રસ્ત થયા. તે વખતે આ સ`યમી નથી, એવું ધારીને ખીજા સાધુઓએ તેની આવાસના કરી નહીં, તેથી ગ્લાનિ પામીને મરિચિએ મનમાં વિચાયુ” કે, અહા! આ સાધુમા કે જે દાક્ષિણ્ય વગરના, નિય, સ્વાર્થ માંજ ઉદ્યમવ'ત અને લેાકવ્યવહારથી વિસુખ છે તેમને ષિકાર છે. હું કે જે તેમને પરિચિત, સ્નેહવાળા અને એકજ ગુરૂના દીક્ષિત તેમજ વિનીત છું, તેનું પાલન કરવું તે દૂર રહ્યું પણ તે સામું પણ જોતા નથી; પરંતુ મારે આવુ.. ખરાબ ચિંતન ન કરવુ જોઇએ. કારણ કે આ સાધુએ પાતાના શરીરની પશુ પસ્ચિર્યા કરતા નથી તા મારી જેવા ભ્રષ્ટની પરિચર્યા તા કેમ કરે ? માટે હવે જો હું આ વ્યાધિમાંથી મુક્ત થાઉં" તા પછી કાઈ મારી સેવા કરે તેવા એક શિષ્ય કરૂ કે જે આવુ જ લિંગ ધારણ કરે.' આ પ્રમાણે ચિ ંતવ્રતા મરિચિ દૈવયેાગે સાો થયા. એક વખતે તેને કપિલ નામે કુલપુત્ર મળ્યા. તે ધના અથી હતા, તેથી તેણે કપિલને આહત ધમ કહી સંભળાવ્યા. એ વખતે કપિલે તેને પૂછ્યુ કે તમે પાતે એ ધમ પ્રેમ માચરતા નથી ?' મરિચિ મેલ્યા કે 'હું તે ધમ પાળવાને સમથ નથી.' કપિલે કહ્યું કે ‘ ત્યારે શું તમારા માર્ગમાં ધમ નથી?' આવા પ્રશ્નથી તેને જિનધમાઁમાં આળસુ અણી શિષ્યને ઇચ્છતા મરિથિ આલ્યેા કે ‘· જૈન માર્ગીમાં પણ ધમ છે અને મારા માગમાં પશુ ધમ છે.' પછી કપિલ તેના શિષ્ય થયા. તે વખતે મિથ્યા ધર્મના ઉપદેશથી મરિચિએ કાટાકાટી સાગરાપમ પ્રમાણુ સ ́સાર ઉપાર્જન કર્યા. તે પાપની કાંઈ પણ અલાચના કર્યાં વગર પ્રાંતે Page #19 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લો] શ્રી મહાવીર સ્વામીના પૂર્વ ભવનું વર્ણન અનશનવડે મૃત્યુ પામીને મરિચિ બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયે. કપિલ પણ આસૂર્ય વિગેરેને પોતાના શિષ્યો કરી તેમને પોતાના આચારને ઉપદેશ આપી મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં દેવ થયા. ત્યાં અવધિજ્ઞાનથી પિતાના પૂર્વ જન્મને જાણીને તે પૃથ્વી પર આવ્યો, અને તેણે આસૂર્ય વિગેરેને પોતાને સાંખ્ય મત જણાવ્યું. તેના આમ્નાયથી આ પૃથ્વી પર સાંખ્ય દર્શન પ્રવત્યું. કેમકે લોકો પ્રાયઃ સુખસાણા અનુષ્ઠાનમાં જ પ્રવર્તે છે. - મરિચિને જીવ બ્રહ્મ દેવલોકમાંથી ચ્યવીને કેલ્લાક નામના ગામમાં એંશી લાખ પૂર્વના આયુષ્યવાળ કૌશિક નામે બ્રાહ્મણ થયો. વિષયમાં આસક્ત, દ્રવ્ય ઉપાર્જન કરવામાં તત્પર અને હિંસાદિકમાં સૂગ વગરના તે બ્રાહ્મણે ઘણે કાળ નિગમન કર્યો. અંતે ત્રિદંડી થઈ મૃત્યુ પામી ઘણું ભવમાં ભમીને તે સ્થણુ નામના સ્થાનમાં પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ થયો. ત્યાં પણ ત્રિદંડી થઈ બહોતેર લાખ પૂર્વનું આયુષ્ય નિર્ગમી સૌધર્મ દેવલોકે મધ્યમ સ્થિતિવાળો દેવતા થયો. ત્યાંથી રચવી ચૈત્ય નામના સ્થાનમાં તે ચેસઠ લાખ પૂર્વના આયુષ્યવાળે અન્યોત નામે બ્રાહ્મણ થયો. ત્યાં પૂર્વની જેમ ત્રિદંડી થયો. પછી મૃત્યુ પામી ઈશાન દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી ચ્યવી મંદિર નામના સંનિવેશમાં અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયો. તે ભાવમાં પણ ત્રિદંડી થઈ છપ્પન લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામી સનસ્કુમાર દેવલોકમાં મધ્યમાયુ દેવતા થયે. ત્યાંથી ચ્યવીને શ્વેતાંબી નગરીમાં ભારદ્વાજ નામે વિપ્ર થયે. તે ભાવમાં પણ ત્રિદંડી થઈ ચુંવાલીશ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામીને માહેંદ્ર કલ્પમાં મધ્યમ સ્થિતિએ દેવતા થયા. ત્યાંથી ચવીને ભવભ્રમણ કરી રાજગૃહ નગરમાં સ્થાવર નામે બ્રાહ્મણ થયે. તે ભવમાં ત્રિદંડી થઈ ચેત્રીશ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં મધ્યમાયુષ્યવાળે દેવતા થયે. ત્યાંથી ચ્યવીને તેણે ઘણું ભવમાં પરિભ્રમણ કર્યું. કારણ કે “પિતાના કામના પરિણામથી પ્રાણી અનંત ભવમાં ભ્રમણ કરનારે થાય છે.” રાજગૃહ નગરમાં વિશ્વનંદી નામે રાજા હતા. તેને પ્રિયંગુ નામની પત્નીથી વિશાખનંદી નામે એક પુત્ર થશે. તે રાજાને વિશાખભૂતિ નામે એક નાનો ભાઈ યુવરાજ હ. તે યુવરાજને ધારિણે નામે સ્ત્રી હતી. મરિચિનો જીવ પૂર્વ જન્મમાં ઉપાય ન કરેલા શુભ કર્મથી તે વિશાખાભૂતિ યુવરાજની ધારિણી નામની આથી વિશ્વભૂતિ નામે પુત્રપણે અવતર્યો. તે વિશ્વભૂતિ અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થયે. એક વખતે નંદન વનમાં દેવકુમારની જેમ તે વિશ્વભૂતિ અંતઃપુર સહિત પુષ્પકરંડક નામના ઉધાનમાં કી કશ્વા ગયે. તે ક્રીડા કરતો હતો તેવામાં રાજાનો પુત્ર વિશાખનંદી કી કરવાની ઇચ્છાએ ત્યાં આવ્યો. પણ વિશ્વભૂતિ અંદર હોવાથી તે બહાર રહ્યો. તે સમયે પુષ્પ લેવાને તેની માતા દાસીએ આવી, તેમણે તે વિશ્વભૂતિ અને વિશાખનલીને અંદર ને બહાર Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું રહેલા જોયા. દાસીઓ પાસેથી એ ખબર સાંભળી પ્રિયંગુ રાણી કપ પામી રીસાઈને બેસવાના ઘરમાં જઈને બેઠી. રાજાએ રાણીની ઈચ્છા પૂર્ણ કરવા માટે યાત્રાની ભેરી વગડાવી; અને કપટવડે સભામાં કહ્યું કે “આપણે પુરૂષસિંહ નામને સામંત ઉદ્ધત થઈ ગયો છે, માટે તેને વિજય કરવાને હું જઈશ.” તે ખબર સાંભળી સરલ સ્વભાવી વિશ્વભૂતિ વનમાંથી રાજસભામાં આવ્યો અને ભક્તિ વડે રાજાને નિવારી પોતે લશ્કર સાથે પ્રયાણ કર્યું. તે પુરૂષસિંહ સામંતની પાસે ગયા, ત્યાં તેને આજ્ઞાવંત જોઈ પોને પાછા વળે. માર્ગમાં પુપકરંડેક વન પાસે આવ્યા ત્યાં દ્વારપાળે જણાવ્યું કે, અંદર વિશાખનંદી કુમાર છે, તે સાંભળી તે ચિંતવવા લાગ્યું કે “મને કપટવડે પુષ્પકરંડક વનમાંથી કાઢો. પછી તેણે ક્રોધ પામી મુષ્ટિવડે એક કઠાના વૃક્ષ પર પ્રહાર કર્યો. જેથી તેના સર્વ ફળો તૂટી પડવાથી પૃથ્વી બધી આચ્છાદિત થઈ ગઈ તે બતાવીને વિશ્વભૂતિ દ્વારપાળ પ્રત્યે બે કે-જે વડિલ પિતાશ્રી ઉપર મારી ભક્તિ ન હોત તે હું આ કોઠાનાં ફળની જેમ તમારા સર્વના મસ્તકે ભૂમિપર પાડી નાંખત, પણ તેમના પરની ભક્તિથી હું એમ કરી શકતો નથી. પરંતુ આ વંચાયુક્ત ભેગની મારે જરૂર જ નથી. એમ બોલતે તે સંભૂતિ મુનિની પાસે ગયે. અને ચારિત્ર ગ્રહણ કર્યું. તેને દીક્ષિત થયેલે સાંભળી વિશ્વનંદી રાજા અનુજબંધુ સહિત ત્યાં આવ્યા, અને તેને નમી નમાવીને રાજ્ય લેવાને માટે પ્રાર્થના કરી, પરંતુ વિશ્વભૂતિને રાજ્યની ઈચ્છા વગરનો જાણી રાજા પિતાને ઘેર ગયા. અને વિશ્વભૂત મુનિએ ગુરૂની સાથે બીજે વિહાર કર્યો. તપસ્યાથી અતિ કૃશ થયેલા અને ગુરૂની આજ્ઞાવડે એકાકી વિહાર કરતા વિશ્વભૂતિ મુનિ અન્યદા મથુરાપુરીએ આવ્યા. તે વખતે ત્યાંના રાજાની પુત્રીને પરણવાને માટે વિશાખનંદી રાજપુત્ર પણ મથુરામાં આવ્યો હતો. વિશ્વભૂતિ મુનિ માસખમણને અંતે પારણું કરવા માટે નગરીમાં વહેરવા પિઠા. જ્યાં વિશાખનંદીની છાવણી હતી તેની નજીક આવ્યા એટલે તેના માણસોએ “આ વિશ્વભૂતિ કુમાર જાય” એમ કહી વિશાખનંદીને ઓળખાવ્યા. શત્રુની જેમ તેને જોતાં જ વિશાખનંદીને કેપ ચડ્યો. તેવામાં વિશ્વભૂતિ મુનિ કેઈક ગાયની સાથે અથડાવાથી પૃથ્વી પર પડી ગયા. તે જોઈને “કાઠાંના ફળોને પાડવાનું તારૂં બળ ક્યાં ગયું ?” એમ કહી વિશાખનંદી હસ્યો. તે સાંભળી વિશ્વભૂતિએ કોલવડે તે ગાયને શીંગડાવતી પકડીને આકાશમાં ભમાવી. પછી એવું નિયાણું કર્યું કે, “આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી હું ભવાંતરે ઘણું પરાક્રમવાળે થઈ આ વિશાખનંદીના મૃત્યુને માટે થાઉં.” પછી કેટી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પૂર્વ પાપની આલોચના કર્યા વગર મૃત્યુ પામીને તે વિશ્વભૂતિ મહાશુક દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવતા થયે. આ ભરતક્ષેત્રમાં પોતાનપુર નામના નગરમાં રિપુ પ્રતિશત્રુ નામે એક પરાક્રમી રાજા હતા. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. તેને ચાર સ્વપ્નોથી સૂચિત થયેલ અચલ નામે એક બલભદ્ર પુત્ર થયે, અને મૃગાવતી નામે મુગલોચના પુત્રી થઈ. એક વખતે યૌવનવતી Page #21 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લા] શ્રી મહાવીસ્વામીના પૂર્વ ભવનું વર્ણન [છ અને રૂપવતી એવી તે ખાળા જ્યારે પિતાને પ્રણામ કરવાને ગઈ ત્યારે તેણીને પાતાના ઉત્સ’ગમાં બેસાડી. પછી તેણીની સાથે પાતે પાણિગ્રહણ કરવાના ઉપાય વિચારીને તેને વિદાય કરી. રિપુપ્રતિશત્રુ રાજાએ નગરના વૃદ્ધ જનાને મેલાવીને પૂછ્યું કે, ‘આપણા સ્થાનમાં જે રત્ન ઉત્પન્ન થાય તે કાનુ` કહેવાય ? તેને નિર્ણય બતાવેા.' તેઓએ કહ્યું કે, તે રત્ન તમારૂં' કહેવાય.' એવી રીતે ત્રણવાર કહેવરાવી, રાજાએ મૃગાવતીને પરણવાને માટે રાજસભામાં તેડાવી. તે જોઈ નગરના લેાકેા લજજા પામ્યા. રાજા ગાંધવ વિધિથી મગાવતી પુત્રીને સ્વયમેવ પરણ્યા. તે જોઈ લજા અને ક્રોધથી આકુલ થયેલી ભદ્રાદેવી રાજાને તજી દઈ અચલ કુમારને સાથે લઈને નગર બહાર નીકળી દક્ષિણ તરફ્ ચાલી. અચલ કુમાર ત્યાં માહેશ્વરી નામે નવી નગરી વસાવી. તેમાં પેાતાની માતાને રાખી, અને પોતે પિતાની પાસે ગયા, તેના પિતા (રિપુપ્રતિશત્રુ) પેાતાનીજ પુત્રીરૂપ પ્રાને પતિ થયા તેથી બધા લેાકા તેને પ્રજાપતિ એવે નામે ખેલાવવા લાગ્યા. “ કર્મની ગતિ ખલવાન છે.” હવે વિશ્વભુતિના જીવ મહાશુક્ર દેવલાકમાંથી ચ્યવી સાત સ્વપ્નાએ જેનુ વાસુદેવપણુ સુચવ્યુ' છે એવા તે મૃગાવતીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયા. સમય આવતાં મૃગાવતીએ પ્રથમ ૧ વાસુદેવને જન્મ આપ્યા. તેના પૃષ્ઠ ભાગમાં ત્રણ પાંસળીઓ હતી, તેથી તેનું ત્રિપુષ્ટ એવું નામ પાડ્યું. તે એંશી ધનુષ્યની કાચાવાળા થઈ અચલની સાથે રમવા લાગ્યા. પછી સર્વ કળાનુ અધ્યયન કરી અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થયા. વિશાખન’દીના જીવ અનેક ભવામાં પરિભ્રમણ કરી તુ ંગગિરિમાં કેશરીસિંહ થયા. તે શંખપુરના પ્રદેશમાં ઉપદ્રવ કરવા લાગ્યા. તે સમયે અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવે એક નિમિત્તિઅને પૂછ્યું કે, ' મારૂં મૃત્યુ કાનાથી થશે ?' એટલે નિમિત્તિએ કહ્યું કે, જે તારા ચડવેગ નામના દૂત ઉપર ધસારા કરશે અને તુંગિરિ પર રહેલા કેશરીસિંહને જે એક લીલા માત્રમાં હણી નાખશે, તે તને મારનાર થશે.' પછી અધગ્રીવ રાજાએ શંખપુરમાં શાળીના ક્ષેત્ર વવરાવ્યા અને તેની રક્ષાને માટે પોતાના તાબાના રાજાઓને વારા પ્રમાણે રહેવાની આજ્ઞા કરી. એકા તેના સાંભળવામાં આવ્યું કે, ‘પ્રજાપતિ રાજાને બે પરાક્રમી પુત્રા છે.” તેથી કાઈ પ્રકારના સ્વાર્થને માટે તેની પાસે તેણે પેાતાના ચડવેગ દૂતને માકલ્યા. રાજા પ્રજાપતિ પાતાની સભામાં બેસીને સગીત કરાવતા હતા, ત્યાં પોતાના સ્વામીના બળથી ઉન્મત્ત થયેàા ચંડવેગ દૂત અકસ્માત્ આવી પહાંચ્યા. જેમ માગમાનું અધ્યયન કરતાં અકાળે વિજળી થાય અને વિદ્મ આવી પડે તેમ તે સ'ગીતમાં વિદ્મ રૂપ થયા અને તત્કાળ રાજા ઊભા થયા. એ કુમારેાએ મંત્રીને પૂછ્યું કે, ‘આ કાણુ છે?? એટલે મંત્રી એલ્યા, આ કૃત મહા પરાક્રમી અધગ્રીવ રાજાના પ્રધાનરૂપ છે. ’ ' * ૧ આ ચોવીશીમાં આ ભરતક્ષેત્રમમાં થયેલા નવ વાસુદેવામાં પહેલે. Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૩ મું પછી અચલ અને ત્રિપૂટે પિતાના પુરુષોને આજ્ઞા કરી કે, “જ્યારે આ દૂત અહીંથી જાય ત્યારે અમને જણાવજે.” પ્રજાપતિ રાજાએ તે કૂતને કેટલાક દિવસ રોકી સત્કાર કરીને વિદાય કર્યો, એટલે તે ત્યાંથી ચાલ્યું. તેના ખબર કુમારના માણસોએ આવીને કુમારને આપ્યા. કુમારો તેને અર્થે માર્ગે આડા ફર્યા અને પિતાના સુભટે પાસે તેને સારી પેઠે માર મરાવ્યું. તે વખતે તેના સહાયકારી સુભટો સાથે હતા તે કાકપક્ષીની જેમ ત્યાંથી તત્કાળ પલાયન કરી ગયા. તે ખબર પ્રજાપતિ રાજાને પડયા એટલે તેણે ચંડવેગને પાછા પિતાની પાસે બોલાવ્યો અને અધિક સત્કાર કરીને કહ્યું કે, “હે ચંડવેગ! આ મારા કુમારને અવિનય આપણા સ્વામી અશ્વગ્રીવને કહેશે નહીં. કારણ કે અજ્ઞાનથી થયેલા દુર્વિનયવડે મહાશય પુરુષે કોપ કરતા નથી.” દૂત “બહુ સારું' એમ કહી ત્યાંથી ચાલ્યા. પણ જે તેની સાથે સુભટે હતા, તેઓએ આગળથી જઈને અશ્વગ્રીવ રાજાને આ સર્વ વૃત્તાંત જણાવી દીધું. “અશ્વગ્રીવે તે વાર્તા જાણી છે” એમ સમજવામાં આવવાથી અસત્ય બોલવાથી ભય પામેલા ચંડવેગે પણ પિતાની ઉપર જે ઉપદ્રવ થયો હતો, તેની વાત યથાર્થ રીતે કહી બતાવી. પછી અશ્વગ્રીવે બીજા માણસને સમજાવી પ્રજાપતિ રાજા પાસે મોકલીને કહેવરાવ્યું કે, “તમે તુંગગિરિ જઈને સિંહથી શાળાના ક્ષેત્રની રક્ષા કરો. આવી અશ્વગ્રીવ રાજાની આજ્ઞા છે. તે સાંભળી પ્રજાપતિ રાજાએ પોતાના કુમારને કહ્યું કે, “તમે આપણા સ્વામી અગ્રીવને કપાવ્યા તેથી તેણે વારા વગર પણ સિંહથી શાળીક્ષેત્રની રક્ષા કરવાની આજ્ઞા કરી.” આ પ્રમાણે કહીને પ્રજાપતિરાજાએ ત્યાં જવા તૈયારી કરી, એટલે બંને કુમારો તેને નિવારી સિંહના યુદ્ધમાં કૌતુકી થઈ પોતે જ શંખપુર તરફ ચાલ્યા. ત્રિપૃષ્ટ ત્યાં પહોંચ્યા પછી તે શાળીક્ષેત્રના રક્ષક ગોપલોકોને પૂછ્યું કે, “બીજા રાજાઓ અહીં આવે છે તે આ સિંહથી કેવી રીતે રક્ષા કરે છે? અને તેટલીવાર સુધી ક્યાં રહે છે?” ગેપલાકે બોલ્યા-બીજા રાજાઓ પ્રત્યેક વર્ષે વારેવારે આવે છે તે જ્યાં સુધી આ શાળી લણી લેવાય ત્યાં સુધી ચતુરંગ સેનાને શાળીક્ષેત્ર ફરતો કિલ્લો કરીને તેની રક્ષા કરે છે.” ત્રિપૃષ્ટ કહ્યું કે, “એટલીવાર સુધી અહીં કે| બેટી થાય, માટે મને તે સિંહ બતાવે કે જેથી હું એકલો જ તેને મારી નાખું.” પછી તેઓએ તુંગગિરિની ગુહામાં રહેલા સિંહને બતાવ્યું, રામ અને વાસુદેવ અશ્વરથમાં બેસીને તે ગુહા પાસે આવ્યા. એટલે તે ગુહાની પાસે લોકોએ કોલાહલ કર્યો. તે સાંભળી બગાસાંથી મુખને ફાડતે કેશરીસિહ બહાર નીકળે. તેને જોઈ આ સિંહ દિલ છે અને હું રથી છું, માટે અમારા બંનેનું રુદ્ધ સમાન કહેવાય નહીં.” એમ ધારી ત્રિપૃષ્ટ હાથમાં ઢાલ તરવાર લઈને રથમાંથી નીચે ઉતરી પડયો. વળી ફરીવાર વિચાર્યું કે, “આ સિંહને દાઢ અને નખ માત્રજ શસ્ત્ર રૂ૫ છે અને મારી પાસે તો ઢાલ તરવાર છે, તેથી એ પણ ઉચિત નથી.” એવું ધારી ત્રિપૃષ્ઠ હાલ તરવાર પણ છેડી દીધા. તે જોઈને તે કેશરીને જાતિસ્મરણ થયું. તેથી તેણે ચિંતવ્યું Page #23 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ ] શ્રી મહાવીરસ્વામીના પૂર્વ ભવતું વર્ણ ન [ફ કે, ‘પ્રથમ તે આ પુરૂષ એકલા મારી શુઢા પાસે આવ્યે તે શ્રીપણું, ખીજું રથમાંથી નીચે ઉતર્યો તે ધીપણું અને ત્રીજું શસ્ત્ર છેડી દીધાં. તે ધીપણુ, માટે મદાંધ હાથીની જેમ અતિ દુઃ એવા આ ત્રિપૃષ્ટને હુ મારી નાંખું.' આમ વિચારી મુખ ફાડીને એ સિંહ ફાળ ભરી ત્રિપૃષ્ટ ઉપર કુદી પડયો. એટલે ત્રિપૃષ્ઠે એક હાથે ઉપરના અને ખીજે હાથે નીચેના હોઠ પકડીને જીણુ વસ્ત્રની જેમ તેને ફાડી નાખ્યા. તત્કાળ દેવતાઓએ વાસુદેવ ઉપર પુષ્પ, આભરણુ અને વસ્રોની વૃષ્ટિ કરી. લેાકેા વિસ્મય પામી ‘સાધુ, સાધુ' એવા શબ્દો કહેતા સ્તુતિ કરવા લાગ્યા. તે વખતે અહા ! આ નાના બાળક જેવા કુમારે મને આજે કેમ – માર્યાં ? • એવા અમથી તે સહુ એ ભાગે થયેા છતા પણ ધ્રૂજવા લાગ્યા. એટલે ચરમ તીર્થંકરના જીવ તે વાસુદેવને સારથિ ગૌતમ ગણધરના જીવ હતા તેણે સ્ફુરણાયમાન થતા સિંહુ પ્રત્યે કહ્યું- અરે સિંહ ! જેમ તુ પશુઓમાં સિંહુ છુ, તેમ આ ત્રિપૃષ્ટ મનુષ્યમાં સિંહ છે, તેણે તને માર્યાં છે તેથી તું વૃથા અપમાન શા માટે માને છે ? કેમકે કાઈ હીન પુરૂષે તને માર્યાં નથી.' આ પ્રમાણે અમૃત જેવી તે સારથિની વાણી સાંભળી પ્રસન્ન થઈ ને તે સિંહ મૃત્યુ પામ્યા. અને ચેાથી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયા. તેનું ચમ લઈ બંને કુમાર પાતાના નગર તરફ ચાલ્યા અને પેલા ગામડીઆ લેાકેાને કહ્યું તમે આ ખબર અશ્વગ્રીવને આપે અને કહે કે, હવે તું ઇચ્છા પ્રમાણે શાળી ખા અને વિશ્વાસ ધરીને રહે. કારણ કે, તારા હૃદયમાં શલ્યરૂપ જે કેશરી હતા તેને મારી નાંખ્યા છે.' આ પ્રમાણે કહી તે અંતે કુમારા પાતનપુર ગયા અને પેલા ગ્રામ્ય લેકે એ તે વૃત્તાંત અશ્વગ્રીવને જણાવ્યેા. અગ્રીવ રાજા હવે ત્રિપૃષ્ટથી શકા પામવા લાગ્યા. એટલે કપટ વડે તેઓને મારી નાંખવાની ઇચ્છાથી તેણે એક તને સમજાવીને પ્રજાપતિ રાજા પાસે મેકલ્ચા. તે દૂત ત્યાં જઈને મેલ્યા કે, ‘રાજન! તમારા એ પુત્રાને અગ્રીવ પાસે મેાકલા. અમારા સ્વામી તે બંનેને જુદું જુદું' રાજ આપશે.' પ્રજાપતિ બેન્ચે- હું સુંદર દૂત ! મારા કુમારાની શી જરૂર છે? હું પોતે જ સ્વામી પાસે આવીશ.' દૂતે પુનઃ કહ્યું કે, ‘જો તમે કુમારેાને ન માકલા, તે યુદ્ધ કરવાને સજજ થો, પછી કહ્યું નહતું. એમ કહેશે। નહિ. ' આ પ્રમાણે કહેતા તે દ્દત ઉપર કુમારેાએ ક્રધવડે ધસારો કરીને તેને ક્ષણવારમાં નગરની બહાર કાઢી મૂકો. દૂતે આવીને તે વાર્તો અશ્વગ્રીવને કહી સ`ભળાવી. એટલે અન્યગ્રીવ કેાપથી અગ્નિની જેમ પ્રજવલિત થયા. હયગ્રીવ રાજા અને ત્રિપૃષ્ટ તથા અચલ યુદ્ધની ઇચ્છાથી પોતપેાતાના સૈન્યને લઈ ને થાવત્તગિરિ પાસે આવ્યા. સંવત્ત મેઘની જેમ પરસ્પર અથડાતા બંને પક્ષના સૈનિકા મહામાંહી યુદ્ધ કરવા લાગ્યા.. જ્યારે સૈનિકાના ક્ષય થવા આવ્યા ત્યારે અશ્વગ્રીવ અને D - 2 Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૦] - શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું ત્રિપષ્ટ અને સૈન્યના યુદ્ધને અટકાવીને પોતેજ રથી થઈ યુદ્ધ કરવા લાગ્યા. અશ્વગ્રીવના સવ અને નિષ્ફલ થતાં તેણે શત્રુની ગ્રીવાને છેદવામાં લંપટ એવું ચક્ર ત્રિપૃષ્ઠની ઉપર મૂક્યું. તે વખતે લોકોએ હાહાકાર કર્યો. તે ચક્ર જેમ અષ્ટાપદ જનાવર પર્વતના શિખર ઉપર પડે તેમ તુંબ ભાગથી વિપૃષ્ટના ઉરસ્થળપર પડયું. પછી વીરશ્રેષ્ટ ત્રિપૃછે તે ચક્ર હાથમાં લઈ તેના વડે કમળનાળની જેમ લીલામાત્રમાં અશ્વગ્રીવના કંઠને છેદી નાખે. તે વખતે “આ અચલ અને ત્રિપૃષ્ટ પહેલા બલભદ્ર અને વાસુદેવ છે એવી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ પૂર્વક આઘેષણ કરી. તત્કાળ સર્વ રાજાઓએ આવીને તેમને પ્રણામ કર્યો. પછી તે બંને વીરાએ પોતાના પરાક્રમથી દક્ષિણ ભરતાદ્ધને સાધી લીધું. તે પ્રથમ વાસુદેવે પોતાની ભુજાવડે કટિશિલાને ઉપાડીને છત્રની જેમ લીલામાત્રમાં મસ્તક સુધી ઉંચી કરી. પછી સર્વ ભૂચકને પરાક્રમથી દબાવીને તે પોતનપુર ગયા. ત્યાં દેવતાઓએ અને રાજાઓએ તેમને અર્ધચક્રીપણાને અભિષેક કર્યો. જે જે રત્નવસ્તુ તેનાથી દૂર હતી, તે સર્વ ત્રિપૃષ્ટ પાસે આવીને તેને આશ્રિત થઈ. તેમાં ગાયકોમાં રત્નરૂપ કેટલાક મધુર સ્વરવાળા ગાયકો પણ ત્રિપૃષ્ઠની પાસે આવ્યા. એક વખતે તે ગાયકો ગાતા હતા અને વાસુદેવ શયન કરતા હતા, તે વખતે તેમણે પિતાના શય્યાપાળને આજ્ઞા કરી કે, “આ ગાયકો ગાય છે તેઓને મારા ઉંઘી ગયા પછી રજા આપવી.” શય્યાપાળે “બહુ સારું” એમ કહ્યું. પછી ત્રિપૃષ્ઠને તો નિદ્રા આવી ગઈ, પણ તે ગાયકોના મધુર ગાયનમાં લુખ્ય થયેલા શય્યાપાળે તે ગાયકને વિદાય કર્યા નહિ. એમ કરતાં પ્રાતઃકાળ થવા આવ્યું એટલે વાસુદેવ ઊડ્યા. તેમણે ગાયકોને ગાતાં જોઈ શય્યાપાળને કહ્યું કે, “તે આ ગાયકોને કેમ વિદાય કર્યા નહીં?” તે બોલ્યો-“સ્વામી ! ગાયનના લેભથી. આવો ઉત્તર સાંભળી વાસુદેવને કેપ ચડયો. તેથી પ્રાતઃકાળે તેના કાનમાં તપાવેલું સીસુ રેડાવ્યું. તેથી તે શય્યાપાળ મરણ પામ્યો. તે કૃત્યથી ત્રિપુટે અશાતા વેદનીય કર્મ નિકાચિત બાંધ્યું. તે સિવાય તે ભાવમાં પ્રભુપણાને લીધે તેણે બીજું પણ ઘણું મહા માઠા પરિણામવાળું ઉગ્ર કર્મ બાંધ્યું. એ પ્રજાપતિ રાજાના પુત્ર ત્રિપૃથે હિંસાદિકમાં અવિરતપણે અને મહા આરંભ તથા પરિગ્રહમાં તત્પરપણે ચોરાશી લાખ વર્ષ નિગમન કર્યા. ત્યાંથી મૃત્યુ પામીને તે સાતમી નરકમાં નારકી થયો અને તેના વિયોગથી અચલ બળદેવ દીક્ષા લઈ મૃત્યુ પામીને મોક્ષે ગયા. ત્રિપૃષ્ણને જીવ નરકમાંથી નીકળીને કેશરીસિંહ થયો. તે મૃત્યુ પામી ચોથી નરકે ગયો. તેવી રીતે તે તિર્યંચ અને મનુષ્યાદિ તિમાં ઘણા ભવ ભમ્યો. પછી મનુષ્ય જન્મ પામીને તેણે શુભ કમ ઉપાર્જન કર્યું, તેથી તે અપરવિદેહમાં મૂકાનગરીને વિષે ધનંજય રાજાની ધારિણું નામની રાણીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ચૌદ સ્વએ જેની ચક્રવત્તીપણાની સમૃદ્ધિ જણાવી છે એવા સંપૂર્ણ લક્ષણવાળા તે પુત્રને ધારિણીએ યોગ્ય સમયે જન્મ આપ્યું. માતાપિતાએ તેનું પ્રિય મિત્ર એવું નામ પાડ્યું. માતાપિતાના Page #25 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે ] શ્રી મહાવીર સ્વામીના પૂર્વ ભવનું વર્ણન [૧૧ મરથની સાથે તે અનુક્રમે મોટે થયો. સંસારથી નિર્વેદ પામેલા ધનંજય રાજાએ પ્રિય મિત્રને રાજ્યપર બેસારીને દીક્ષા લીધી. પ્રિયાની જેમ ભૂમિને પાળતા પ્રિય મિત્ર રાજાને અનુક્રમે ચૌદ મહારને ઉત્પન્ન થયા. પછી ચકના માર્ગને અનુસરીને પખંડ વિજય કરવા ચાલ્યા. પ્રથમ પૂર્વાભિમુખ ચાલી માગધતી આવ્યા. ત્યાં અષ્ટમ તપ કરી ચતુરંગ સેના સહિત પડાવ કર્યો. અમને અંતે રથારૂઢ થઈ થોડે દૂર જઈને તેણે ધનુષ્ય હાથમાં લીધું. પછી એ મહાભુજે માગધતીર્થ કુમાર દેવને ઉદ્દેશીને પિતાના નામથી અંકિત ગરૂડના જેવું એક બાણ તેના તરફ ફેંકયું. તે બાણ આકાશમાં બાર યોજન પર્યત જઈને માગધદેવની આગળ ઉત્પાત વજીની જેમ પડયું. તે વખતે “મરવાને ઈરછતા એવા કોણે આ બાણ નાંખ્યું?' એમ ચિંતવતા માગધદેવે કપથી ઊઠીને તે બોણ હાથમાં લીધું. એટલે તેની ઉપર ચકવત્તીના નામના અક્ષરની શ્રેણી જોઈને તે ક્ષણવારમાં શાંત થઈ ગયું. પછી કેટલીક ભેટો લઈને તે પ્રિયમિત્ર ચકીની પાસે આવ્યો. અને “હું તમારે આજ્ઞાધારી છું” એમ બોલતો આકાશમાં ઉભે રહ્યો, ઉપાય જાણનારા તેણે વિવિધ ભેટેથી ચકવરીની પૂજા કરી. ચક્રવત્તએ તેનો સત્કાર કરીને વિદાય કર્યો અને પોતે પાછા વળીને પારણું કર્યું. તેમજ તે માગધદેવને નિમિત્તે ત્યાં અઠ્ઠાઈ ઉત્સવ કર્યો. પછી કર્ક રાશિના સૂર્યની જેમ ચક્રવતી દક્ષિણ દિશા તરફ ગયા. ત્યાં વરદામ નામના દેવને પૂર્વની જેમ સાધી લીધે. ત્યાંથી પશ્ચિમ તરફ જઈ પ્રભાસપતિને સાથે. પછી સિંધુ નદી સમિપે ગયા. ત્યાં જેમણે અષ્ઠમતપ કર્યું છે એવા ચક્રવતી પાસે સિંધુદેવીએ પ્રત્યક્ષ થઈને બે દિવ્ય રત્નમય ભદ્રાસનો અને દિવ્ય આભૂષણે આપ્યા. તે દેવીને વિદાય કરીને ચકના માગને અનુસરતા ચક્રી વૈતાઢયગિરિ પાસે આવ્યા. ત્યાં અષ્ટમ કરીને વૈતાઢ્યાદ્રીકુમાર નામના દેવને સાધી લીધે. પછી તમિસા ગુહા સમીપે જઈ અષ્ટમ તપ કર્યું. એટલે ત્યાં રહેલા કૃતમાળ દેવે સ્ત્રીરત્નને યોગ્ય એવાં બીજાં આભૂષણે આપ્યા. સેનાપતિએ ચક્રીની આજ્ઞાથી ચર્મરત્નવડે સિંધુ નદી ઉતરીને લીલામાત્રમાં તેનું પ્રથમ નિષ્ફટ સાધી લીધું. ત્યાંથી પાછા આવી ચકીની આજ્ઞાથી અષ્ટમતપ કરીને દંડરત્નના ઘાતવડે તેણે તમિસાનું દ્વાર ઊઘાડવું. પછી ચક્રવતી ગજરનપર આરૂઢ થઈ, તેના દક્ષિણ કુંભસ્થળ ઉપર પ્રકાશને અર્થે મણિરત્ન મૂકીને તમિસા ગુહામાં પેઠા. ત્યાં કાકણું રત્નથી ગુહાની બંને બાજુએ પ્રકાશને માટે સૂર્યમંડલ જેવા માંડલા કરતા ચક્રવતી ચક્રને અનુસરતા ચાલ્યા. પછી ઉમ્મન્ના અને નિમગ્ના નદીપર પાજ બંધાવી. તેના વડે તે નદી ઉતરીને પોતાની મેળે ઉઘડી ગયેલા તે ગુફાના ઉત્તરદ્વારથી ચકી બહાર નીકળ્યા. ત્યાં ચક્રવતીએ આપાત જાતિના કિરાત કોને જીતી લીધા. અને સેનાપતિ પાસે ગંગા નદીનું પ્રથમ નિષ્ફટ સધાવ્યું. પોતે અષ્ટમભક્ત કરીને ગંગાદેવીને સાધી. પછી ગુફાના અધિષ્ઠાયક દેવને સાંધીને સેનાપતિ પાસે સિંધુનું બીજુ નિકૂટ સધાવી ચકને અનુસરી ત્યાંથી પાછા ફરી વૈતાઢવ્યગિરિ પાસે આવ્યા. ત્યાં વૈતાઢ્ય ઉપરની બંને શ્રેણીના વિદ્યાધરોને વશ કરી લીધા. પછી ખંડપ્રપાતા ગુફાના અધિ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર [પર્વ ૧૦ મું છાયક દેવને સાધી સેનાપતિ પાસે ગુહાના કમાડ ઉઘડાવીને ચક્રી સૈન્ય સહિત વૈતાઢયગિરિની બહાર નીકળ્યા. પછી પ્રિય મિત્ર ચક્રવત્તીએ અષ્ટમ તપ કર્યો, જેથી નૈસર્પ વિગેરે નવનિધિ તેને વશ થયા. પછી સેનાપતિ પાસે ગંગાનું બીજું નિષ્ફટ સધાવી છ ખંડનો વિજય કરી પ્રિય મિત્ર ચક્રવત્તી સૂકા નગરીએ આવ્યા. ત્યાં દેવતાઓએ અને રાજાઓએ મળીને બાર વર્ષના મહોત્સવપૂર્વક તેમના ચકવરીપણાને અભિષેક કર્યો. પછી એ રાજા નીતિથી પૃથ્વીનું પાલન કરવા લાગે. એક વખત મૂકાનગરીના ઉદ્યાનમાં પિટિલ નામના આચાર્ય સમોસર્યા. તેમની પાસેથી ધમ સાંભળી પુત્રને રાજ્યપર બેસારીને તેમણે દીક્ષા લીધી, અને કેટી વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપ કર્યું. પછી એકંદર ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામીને મહાક દેવલોકે સર્વાર્થ નામના વિમાનને વિષે દેવતા થયા. મહાશુક્ર દેવકથી ચ્યવી ભરતખંડને વિષે છત્રા નામની નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામની રાણીથી નંદન નામે પુત્ર થયો. તે યૌવનવાન થતાં રાજ્યપર બેસારીને જિતશત્રુ રાજાએ સંસારથી નિર્વેદ પામી દીજ્ઞા લીધી. લોકોને આનંદ ઉત્પન્ન કરનાર તે નંદનરાજા સમૃદ્ધિથી ઈંદ્રના જેવો થઈ યથાવિધિ પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યો. અનુક્રમે જન્મથી વીશ લાખ વર્ષ વ્યતિક્રમાવી વિરક્ત થઈને તે નંદન રાજાએ પિટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. નિરંતર માસોપવાસ કરવા વડે પિતાના શ્રમયને ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચાડતા નંદનમુનિ ગુરૂની સાથે ગ્રામ, આકર અને પુર વિગેરેમાં વિહાર કરવા લાગ્યા. તે બંને પ્રકારના અપધ્યાન (આd, રૌદ્ર)થી અને દ્વિવિધ બંધન (રાગ દ્વેષ)થી વર્જિત હતા; પ્રકારના દંડ (મન, વચન, કાય), ત્રણ પ્રકારના ગૌરવ (ઋદ્ધિ, રસ, શાતા) અને ત્રણ જાતિના શલ્ય (માયા, નિદાન, મિથ્યા દર્શન)થી રહિત હતા, ચાર કષાયને તેમણે ક્ષીણ કર્યા હતા, ચાર સંજ્ઞાથી વર્જિત હતા, ચાર પ્રકારની વિકથાથી રહિત હતા, ચતુર્વિધ ધર્મમાં પરાયણ હતા અને ચાર પ્રકારના ઉપસર્ગોથી પણ તેને ઉદ્યમ અખલિત હતપંચવિધ મહાવ્રતમાં સદા ઉદ્યોગી હતા અને પંચવિધ કામ (પાંચ ઇંદ્ધિઓના વિષયોના સદા દ્વેષી હતા, પ્રતિદિન પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં આસક્ત હતા, પાંચ પ્રકારની સમિતિને ધારણ કરતા હતા અને પાંચ ઈંદ્રિયને જીતનારા હતા; ષડૂ જવનિકાયના રક્ષક હતા, સાત ભયના સ્થાનથી વજિત હતા, આઠ મદના સ્થાનથી વિમુક્ત હતા, નવવિધ બ્રહ્મચર્યની ગુતિને પાળતા હતા અને દશ પ્રકારના યતિધર્મને ધારણ કરતા હતા, સમ્યફ પ્રકારે એકાદશ અંગનું અધ્યયન કરતા હતા, બાર પ્રકારની યતિપ્રતિમાને વહન કરવાની રૂચિવાળા હતા; દુસહ એવી પરીષહની પરંપરાને તે સહન કરતા હતા અને તેઓને કોઈ પ્રકારની સ્પૃહા નહોતી. આવા તે નંદમ મુનિએ એક લાખ વર્ષ સુધી તપ કર્યું. એ મહા તપસ્વી મુનિએ અહંત ભક્તિ વિગેરે વીશ સ્થાનકેના આરાધનથી દુખે મેળવી શકાય તેવું તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. Page #27 -------------------------------------------------------------------------- ________________ [૧૩ સગ ૧ ] શ્રી મહાવીર સ્વામીના પૂર્વભવનું વર્ણન એવી રીતે મૂળથીજ નિષ્કલંક એવા સાધુપણાને આચરીને આયુષ્યને અંતે તેમણે આ પ્રમાણે આરાધના કરી. કાળ અને વિનય વિગેરે જે આઠ પ્રકારને જ્ઞાનાચાર કહે છે, તેમાં મને જે કોઈ પણ અતિચાર લાગે છે તે તેને મન, વચન, કાયાથી હું નિંદુ છું. નિઃશંકિત વિગેરે જે આઠ પ્રકારને દશનાચાર કહ્યો છે, તેમાં જે કોઈ પણ અતિચાર થયો હોય તે તેને હું મન, વચન, કાયાએ કરી સરાવું છું. લેભથી કે મોહથી મેં પ્રાણુઓની સૂક્ષમ કે બાદર જે હિંસા કરી હોય તેને મન, વચન, કાયાથી સરાવું છું. હાસ્ય, ભય, ધ અને લાભ વિગેરથી મેં જે મૃષા ભાષણ કર્યું હોય તે સર્વ નિંદુ છું અને તેનું પ્રાયશ્ચિત્ત આચરૂં છું. રાગ દ્વેષથી ડું કે ઘણું જે કાંઈ અદત્ત પદ્રવ્ય લીધું હોય તે સર્વને સરાવું છું. પૂર્વે મેં તિર્યંચ સંબંધી, મનુષ્ય સંબંધી કે દેવ સંબંધી મિથુન મનથી, વચનથી કે કાયાથી સેવ્યું હોય તે ત્રિવિધ ત્રિવિધ સરાવું છું. તેમના દોષથી ધન ધાન્ય અને પશુ વિગેરે બહુ પ્રકારને પરિગ્રહ મેં પૂર્વે ધારણ કર્યો હોય તેને મન, વચન, કાયાથી સરાવું છું. પુત્ર, સ્ત્રી, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ અને બીજા જે કઈ પદાર્થમાં મને મમતા રહેલી હોય તે સવને હું વિસરાવું છું. ઇંદ્રિયથી પરભવ પામીને મેં રાત્રે ચતુર્વિધ આહાર કર્યો હોય તેને પણ હું મન, વચન અને કાયાથી નિંદુ છું. કેધ, લાભ, રાગ, દ્વેષ, કલહ, પિશુનતા, પરનિંદા. અભ્યાખ્યાનર અને બીજું જે કાંઈ ચારિત્રાચાર વિષે દુષ્ટ આચરણ કર્યું હોય તેને હું મન, વચન, કાયાથી સરાવું છું. બાહ્ય કે અત્યંતર તપસ્યા કરતાં મને મન, વચન, કાયાથી જે અતિચાર લાગ્યો હોય તેને હું મન, વચન, કાયાએ બિંદુ છું. ધર્મના અનુષ્ઠાનમાં મેં જે કાંઈ વીર્ય ગોપડ્યું હોય તે વીર્યાચારના અતિચારને પણ હું મન, વચન, કાયાએ કરી નિંદુ છું. મેં કોઈને માર્યો હેય, દુષ્ટ વચન કહ્યાં હેય, કોઈનું કાંઈ હરી લીધું હોય અથવા કાંઈ અપકાર કર્યો હોય તે તે સર્વે મારા૫ર ક્ષમા કરજે. જે કઈ મારા મિત્ર કે શત્રુ, સ્વજન કે પરજન હોય તે સર્વ મને ક્ષમા કરજે, હું હવે સર્વેમાં સમાન બુદ્ધિવાળો છું. તિયચપણમાં જે તિર્ય, નારકીપણામાં જે નારકીએ, દેવપણામાં જે દેવતાઓ અને મનુષ્યપણમાં જે મનુષ્યને મેં દુઃખી કર્યા હોય તેઓ સર્વ મને ક્ષમા કરજો, હું તેમને ખમાવું છું, અને હવે મારે તે સર્વની સાથે મૈત્રી છે. જીવિત, યૌવન, લક્ષમી, રૂપ અને પ્રિય સમાગમ–એ સર્વે વાયુએ નચાવેલા સમુદ્રના તરંગની જેવા ચપલ છે. વ્યાધિ, જન્મ, જરા, અને મૃત્યુથી ગ્રસ્ત થયેલા પ્રાણીઓને શ્રી જિનેદિત ધર્મ વિના આ સંસારમાં બીજું કઈ શરણ નથી. સર્વે જીવો સ્વજન પણ થયેલા છે અને પરજન પણ થયેલા છે તે તેમાં કેણ કિંચિત પણ પ્રતિબંધ કરે? પ્રાણું એકલો જ જન્મ છે, એટલે જ મૃત્યુ પામે છે, એટલે જ સુખને અનુભવે છે અને એકલેજ દુઃખને અનુભવે છે. પ્રથમ તે આત્માથી આ શરીર અન્ય છે, ધન ધાન્યાદિક પણ અન્ય છે, બંધુઓ પણ ૧ ચાડી ખાવી. ૨ અછતું આળ દેવું Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] શ્રી ત્રિષ્પષ્ટ શલાકા પુરૂષ ચરિત્ર [પ ૧૦ સુ' અન્ય છે, અને તે દેહ, ધન, ધાન્ય તથા બંધુઓથી આ જીવ અન્ય (જુદા) છે, છતાં તેમાં મૂખ જન વૃથા માહ રાખે છે. ચરખી, રૂધિર, માંસ. અસ્થિ, ગ્રંથી, વિષ્ઠા અને મૂત્રથી પૂરાયેલા આ અશુયિના સ્થાનરૂપ શરીરમાં કયે બુદ્ધિમાન્ પુરૂષ મેહ રાખે? આ શરીર ભાડે રાખેલા ઘરની જેમ છેવટે અવસ્ય છેોડી દેવાનું છે. અર્થાત્ તેનું ગમે તેટલુ લાલન પાલન કર્યુ હાય તા પણ તે નાશવત છે. ધીર કે સયર સર્વ પ્રાણીએ અવશ્ય મરવાનુ તેા છેજ, પરંતુ બુદ્ધિમાન પુરૂષે એવી રીતે મરવુ કે જેથી પુન: મરવુ' પડે નહીં. મારે અહત પ્રભુનું શરણુ હો, સિદ્ધ ભગવંતનું શરણુ હો, સાધુઓનુ' શરણુ હજો અને કેવળી ભગવતે કહેલા ધનું શરણુ હો. મારે માતા શ્રી જિનધમ, પિતા ગુરૂ, સહેાદર સાધુઓ અને સાધમી મારા બંધુએ છે, તે શિવાય આ જગતમાં સર્વ જાળવત્ છે. શ્રી ઋષભદેવ વિગેરે આ ચાવીશીમાં થઈ ગયેલા તીર્થંકરાને અને બીજા ભરત, અરવત તથા મહાવિદેહ ક્ષેત્રના અ`તાને હું નમુ` છું. તીથ કરાને કરેલે! નમસ્કાર પ્રાણીઓને સંસારના છંદને અર્થ અને આધિના લાભને માટે થાય છે. હું સિદ્ધભગવાને નમસ્કાર કરૂ છુ, કે જેઓએ ધ્યાનરૂપ અગ્નિથી હજારા ભવના કરૂપ કાષ્ટોને બાળી નાખ્યા છે. પંચવિધ આચારને પાળનારા આચાર્યાને હું નમસ્કાર કરૂ છુ. જેએ સદા ભવચ્છેદમાં ઉદ્દત થઈ પ્રવચનને ધારણ કરે છે. જેએસ શ્રુતને ધારણ કરે છે અને શિષ્યાને ભણાવે છે, તે મહાત્મા ઉપાધ્યાયાને હું નમસ્કાર કરૂ' છું, જે લાખા ભવમાં બાંધેલા પાપને ક્ષણવારમાં નાશ કરે છે, એવા શીલવ્રતધારી સાધુને હું નમસ્કાર કરૂં છું, સાવદ્ય યાગ તથા બાહ્ય અને અભ્યંતર ઉપનેિર હુ" યાવજ્જીવ મન, વચન, કાયાથી વેાસરાવું છું, હું ચાવજીવ ચતુતિધ આહારને ત્યાગ કરૂ છું. અને ચરમ ઉચ્છ્વાસ સમયે દેહને પણ વાસરાવું છું.” દુષ્કર્મની ગણુા, પ્રાણીઓની ક્ષામા, શુભ ભાવના, ચતુઃશરણુ, નમસ્કાર સ્મરણુ, અને અનશન આ પ્રમાણે છ પ્રકારની આરાધના કરીને તે નંદન મુનિ પેાતાના ધર્માચાય ને, સાધુઓને અને સાધ્વીઓને ખમાવવા લાગ્યા. અનુક્રમે એ મહામુનિ સાઠ દિવસ સુધી અનશનવ્રત પાળી પચવીશ લાખ વર્ષનું' આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામીને પ્રાણુત નામના દશમા દેવલાકમાં પુષ્પાત્તર નામના વિસ્તારવાળા વિમાનમાં ઉપપાદ શય્યામાં ઉત્પન્ન થયા. એક અંતર્મુહૂત્તમાં તે મદ્ધિક દેવ થઈ ગયા. પછી પેાતાની ઉપર રહેલા દેવદૃષ્ય વજ્રને દુર કરી શય્યામાં બેસીને જેવું તે અકસ્માત પ્રાપ્ત થયેલ વિમાન, દેવસમૂહ અને મેટી સમૃદ્ધિ જોઈ તે વિસ્મય પામી ગયા. અને વિચારમાં પડચા કે, · આ બધુ કયા તપથી મને પ્રાપ્ત થયું છે?’પછી અવધિજ્ઞાનથી જોતાં તેમને પેાતાનો પૂર્વ ભવ અને વ્રત યાદ આવ્યા. તેથી તેમણે ચિત્તમાં ચિ'તથ્યુ કે, અહે!! અહમનો કેવા પ્રભાવ છે!” એ વખતે તેના સેવકભૂત સવ દેવતાએ એકઠા થઈ ને ત્યાં આવ્યા. અને અંજલિ જોડી હુ થી તેમને આ પ્રમાણે કહેવા લાગ્યા- હે સ્વામી! હું જગતને આનંદકારી! હું જગતનું ભદ્ર ૧ જૈનશાસન. ૨ બાહ્ય ઉપધિ વસ્ત્ર પાત્રાદિ ઉપકરણા અને અભ્યંતર ઉપષિ વિષય કષાયાદિ. 6 " Page #29 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લા] [ ૧૫ શ્રી મહાવીરસ્વામીના પૂર્વભવનુ વર્ણન કરનાર ! તમે જય પામેા, ચિરકાલ સુખે રહા, તમે અમારા સ્વામી છે, રક્ષક છે અને યશસ્વી છે. તમે વિજય પામે. આ તમારૂ વિમાન છે, અમે તમારા આજ્ઞાકારી દેવતાઓ છીએ, આ સુ ંદર ઉપવના છે, આ સ્નાન કરવાની વાપિકા છે, આ સિદ્દાયતન છે, આ સુધર્મા નામે મહાસભા છે અને આ સ્નાનગૃહ છે. હવે તમે તે સ્નાનગૃહને અલંકૃત કરી કે જેથી અમે તમને અભિષેક કરીએ.' આ પ્રમાણે તે દેવતાઓના કહેવાથી તે દેવ સ્નાનગૃહમાં ગયા અને ત્યાં રહેલા ચરણપીડવાળા સિંહાસનપર બીરાજ્યા. દેવતાઓએ હાથમાં કુંભ લઈ દિવ્ય જલવડે તેમને અભિષેક કર્યો. પછી કકર દેવતાઓ તેમને અલંકાર ગૃહમાં લઈ ગયા. ત્યાં તેમણે એ દેવદૃષ્ય વસ્ત્રો, અ'ગરાગ અને મુગટ વિગેરે દિવ્ય આભૂષણા ધારણ કર્યો. પછી ત્યાંથી વ્યવસાયસભામાં ગયા, ત્યાં પેાતાના કલ્પનું પુસ્તક વાંચ્યું. પછી પુષ્પાદિક પૂજાની સામગ્રી લઈ સિદ્ધાલયમાં ગયા. ત્યાં એકસે ને આઠ અર્હુતની પ્રતિમાઓને સ્નાત્ર કર્યું, અર્ચન, વંદન અને સ્તવના કરી, પછી પેાતાની સુધર્મા સભામાં આવી સંગીત કરાવ્યું અને પેાતાના તે વિમાનમાં રહીને યથારૂચિ ભાગ ભાગવવા લાગ્યા. સમતિ ગુણુરૂપ આભૂષણવાળા તે દેવ અહુતાના કલ્યાણકને સમયે મહાવિદેહાર્દિ ક્ષેત્રોમાં ગયા અને ત્યાં જિનેશ્વર ભગવંતને વંદના કરી. એવી રીતે અત સમયે તેા ઉલટા દરેક બાબતમાં વિશેષ શેાભિત થયેલા એવા તે તેવે વીશ સાગરાપમનું આયુષ્ય પૂર્ણ કર્યું". ખીજા દેવતા છ માસનું આયુષ્ય અવશેષ રહે ત્યારે માટુ પામે છે, પરંતુ તીર્થંકર થનાર દેવતાઓ તા પુછ્યાય અત્યંત નજિક આવેલ હાવાથી ખીલકુલ મેાહ પામતા નથી. इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्टि शलाका पुरुष चरिते महाकाव्ये दशमपर्वणि श्री महावीर चरित पूर्वभव वर्णनो नाम ।। પ્રથમ: સગર્ જો શ્રો મહાવીર જન્મ અને દીક્ષા મહાત્સવ આ જબુદ્વીપના ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડ નામે એક બ્રાહ્મણ લેાકાનુ ગામ હતું. ત્યાં કાંડાલસ નામના કુળમાં ઉત્પન્ન થયેલ ઋષભદત્ત નામે એક બ્રાહ્મણ રહેતા હતા, તેને દેવાનંદા નામે એક જાલ ધર કુળની ભાÚ હતી. આષાઢ માસની શુકલ ષષ્ઠીએ ચંદ્ર Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું હસ્તાર (ઉત્તરાષાઢા) નક્ષત્રમાં આવતા નંદનમુનિનો જીવ દશમા દેવલોકમાંથી રચવીને દેવાનંદાની કુક્ષિમાં અવતર્યો. તે વખતે સુખે સુતેલા દેવાનંદાએ ચૌદ મહાસ્વન અવલક્યા. પ્રાતઃકાળે તેણીએ તે પિતાના સ્વામીને જણાવ્યા. રાષભદત્તે તે સંબંધી વિચાર કરીને કહ્યું કે, “આ સ્વપ્ન જેવાથી તમારે ચાર વેદને પારગામી અને પરમ નિષ્ઠાવાળો પુત્ર થશે, તેમાં જરા પણ સંશય નથી.” જાણે કલ્પવૃક્ષ આવ્યું હોય તેમ પ્રભુ જ્યારે દેવાનંદની કુક્ષિમાં આવ્યા ત્યારથી તે બ્રાહ્મણને મોટી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. દેવાનંદાના ગર્ભમાં પ્રભુના આવ્યા પછી ખ્યાશી દિવસ વ્યતિત થયા એટલે સૌધર્મ દેવકના ઈદ્રનું સિંહાસન કંપાયમાન થયું. અવધિજ્ઞાનથી પ્રભુને દેવાનંદાના ગર્ભમાં આવેલા જાણી શકઇંદ્ર સિંહાસનથી ઊભા થઈ નમસ્કાર કરીને આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે-“ત્રણ જગતના ગુરૂ અહત કદિ પણ તુચ્છ કુળમાં, દરિદ્ર કુળમાં કે ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થતા નથી. પણ પુરુષમાં સિંહ સમાન તેઓ તો છીપમાં મોતીની જેમ ઈવાકુ વિગેરે ક્ષત્રીય વંશમાંજ ઉત્પન્ન થાય છે, આ પ્રભુ નીચ કુળમાં ઉત્પન્ન થયા તે તે અસંગત થયું છે, પરંતુ પ્રાચીન કર્મને અન્યથા કરવા અહંત પ્રભુ પણ સમર્થ નથી. એ પ્રભુએ મરિચિના જન્મમાં કુળમદ કર્યો હતો તેથી જે નીચ નેત્ર કમ ઉપાર્જન કર્યું હતું તે હજુ પણ ઉપસ્થિત છે. પણ કમને વશ થઈ નીચ કુળમાં ઉત્પન્ન થયેલા અહંતોને કઈ મહાકુળમાં લઈ જવા એ સર્વદા અમારો અધિકાર છે. ત્યારે હાલ ભરતક્ષેત્રમાં મોટા વંશમાં ઉત્પન્ન થયેલ રાજા અને રાણી કેણુ છે કે જેને ત્યાં-ડોલરના પુષ્પમાંથી કમલપુષ્પમાં ભ્રમરને લઈ જાય તેમ હું તેમને સંચાર કરવું. અહો મારા જાણવામાં આવ્યું, આ ભરતક્ષેત્રમાં મહીમંડલના મંડનરૂપ ક્ષત્રીયકુંડ નામે નગર છે, જે મારા નગરના જેવું સુંદર છે. તે વિવિધ ચિનું સ્થળ છે, ધર્મનું તે એક કારણ છે, અન્યાયથી રહિત છે અને સાધુઓથી પવિત્ર છે. ત્યાંના રહેવાસી લોકે મૃગયા અને મદ્યપાન વિગેરે વ્યસનથી અસ્પષ્ટ છે. તેથી તે શહેર તીર્થની જેમ ભરતક્ષેત્રમાં જેને પવિત્ર કરનારું છે. તે નગરમાં ઈવાકુ વંશમાં ઉત્પન્ન થયૅલ સિદ્ધાર્થ નામે પ્રખ્યાત રાજા છે. જે ધર્મથી જ પિતાના આત્માને સદા સિદ્ધાર્થ માને છે. તે જીવાજીવાદિ તત્ત્વોને જાણનારે છે, ન્યાયમાર્ગને મોટો વટેમાર્ગ છે, પ્રજાને સન્માર્ગે સ્થાપન કરનાર છે, પિતાની જેમ પ્રજાને હિતકામી છે, દિન, અનાથ વિગેરે લોકોને ઉદ્ધાર કરવામાં બંધુરૂપ છે, શરની ઇચ્છાવાળાને શરણ કરવા લાયક છે અને ક્ષત્રીયોમાં શિરોમણિ છે. તેને સતીજનમાં શ્રેષ્ઠ, અને જેના ગુણ અને આકૃતિ સ્તુતિ કરવા યોગ્ય છે એવી પુણ્યની ભૂમિરૂપ ત્રિશલા નામે મુખ્ય પટરાણી છે. સ્વભાવથી જ નિર્મળ અને ગુણરૂપ તરંગવાળી તે દેવી સાંપ્રતકાળે ગંગા નદીની જેમ પૃથ્વીને પવિત્ર કરે છે. સ્ત્રી જન્મની સાથે જ રહેનારી માયાથી પણ અકલંકિત અને સ્વભાવે સરલા એવી તે રામા પૃથ્વી પર કૃતાર્થ નામવાળી છે. તે દેવી હાલ દૈવયોગે ગર્ભિણ પણ છે, તેથી મારે તેના અને દેવાનંદાના ગર્ભને અદલબદલ કરે છે.” Page #31 -------------------------------------------------------------------------- ________________ [૧૭ સર્ગ ૧ શ્રી મહાવીર સ્વામીના પૂર્વભવનું વર્ણન આ પ્રમાણે વિચાર કરી છે પિતાના પાયદળ સેનાપતિ ગમેથી દેવને બેલાવી તેમ કરવાને સત્વર આજ્ઞા આપી. નૈગમેલી દેવે પણ તરતજ સ્વામીની આજ્ઞા પ્રમાણે દેવાનંદા અને ત્રિશલાના ગર્ભને અદલબદલ કર્યા. તે વખતે શય્યામાં સુતેલી દેવાનંદા બ્રાહ્માણીએ પૂર્વે જેયેલા ચૌદ મહા સ્વામને પિતાના મુખમાંથી પાછા નીકળતા દીઠા, તેથી તે તરત બેઠી થઈ પણું શરીર નિર્બળ અને જવરથી જર્જરિત થઈ ગઈ અને છાતી કુટતી “કોઈએ મારે ગર્ભ હરી લીધ” એમ વારંવાર પિકાર કરવા લાગી. આધિન માસની કૃષ્ણ ત્રયોદશીએ ચંદ્ર હસ્તત્તરા નક્ષત્રમાં આવતાં તે દેવે પ્રભુને ત્રિશલાના ગર્ભમાં સ્થાપિત કર્યા. તે વખતે ત્રિશલા દેવીએ હાથી, વૃષભ, સિંહ, અભિષેક થતી લહમી; માલા, ચંદ્ર, સૂર્ય, મહાધ્વજ, પૂર્ણકુંભ, પદ્મ સરોવર, સમુદ્ર, વિમાન, રત્નરાશિ અને નિર્ધમ અગ્નિ-એ ચૌદ સ્વને મુખમાં પ્રવેશ કરતા જોયા. પછી ઇંદ્ર, તેમના પતિ સિદ્ધાર્થ રાજાએ તેમજ સ્વપ્ન ફળના કહેનારા નિમિત્તિઓએ તે સ્વપ્નોનું ફળ તીર્થકરના જન્મરૂપ કહ્યું. તે સાંભળી દેવી ઘણે હર્ષ પામ્યા. હર્ષ પામેલા દેવીએ અદ્ભૂત ગર્ભ ધારણ કર્યો. પછી ક્રીડાગ્રહની ભૂમિમાં પણ તે પ્રમાદ રહિત વિહાર કરવા લાગી. પ્રભુ ગર્ભમાં આવતાં શક ઇંદ્રની આજ્ઞાથી જૈભક દેવતાઓએ સિદ્ધાર્થ રાજાના ગ્રહમાં વારંવાર ધનના સમૂહ લાવીને સ્થાપન કર્યા. ગર્ભમાં અવતરેલા ભગવંતના પ્રભાવથી તેનું આખું કુળ ધન, ધાન્યની સમૃદ્ધિથી વૃદ્ધિ પામ્યું. જે રાજાઓ ગર્વથી પૂર્વે સિદ્ધાર્થ રાજાને નમતા નહોતા, તેઓ હાથમાં ભેટો લઈ પિતાની મેળે ત્યાં આવી આવીને નમવા લાગ્યા. એકદા “મારા ફરકવાથી (હાલવા ચાલવાથી) મારી માતાને વેદના ન થાઓ” એવું ધારીને પ્રભુ ગર્ભવાસમાં પણ યોગીની જેમ નિશ્ચળ રહ્યા. તે વખતે પ્રભુ માતાના ઉદરમાં સર્વ અંગના વ્યાપારને સંકેચીને એવી રીતે રહ્યા કે જેથી માતા ઉદરમાં ગર્ભ છે કે નહીં તે સમજી શક્યા નહીં. તેથી ત્રિશલાને ચિંતા થઈ કે, “શું મારે ગર્ભ ગળી ગયે, વા શું કેઈએ હરી લીધે, કે શું નાશ પામ્યો, કે થંભિત થયે? જે એમાંથી કાંઈ પણ થયું હોય તો મારે હવે જીવવાનું કાંઈ કામ નથી. કારણ કે મૃત્યુનું દુઃખ સહન કરી શકાય તેમ છે, પણ આવા ગર્ભના વિયોગનું દુઃખ સહન કરી શકાય તેમ નથી.” આ પ્રમાણે આ ધ્યાન કરતા દેવી કેશ છૂટા મૂકી, અંગરાગ છેડી દઈ અને કર ઉપર મુખકમલ રાખી રૂદન કરવા લાગ્યા. તેમ જ બધા આભૂષણે છોડી દીધા, નિઃશ્વાસથી અધરને વિધુર કરી દીધા, સખીઓ સાથે પણ મૌન ધરી રહ્યા અને સુવું કે જમવું તજી દીધું. આ ખબર જાણી સિદ્ધાર્થ રાજા ખેદ પામ્યા. તેમજ તેમના મોટા પુત્ર નંદિવર્ધ્વન અને પુત્રી સુદર્શના પણ ખેદ પામ્યા. તે અવસરે ત્રણ જ્ઞાનના ધારક પ્રભુએ જ્ઞાનવડે આ પ્રમાણે પોતાના માતાપિતાને દુઃખ ઉત્પન્ન થયેલ જાણીને ગર્ભજ્ઞાપન કરાવવાને માટે એક અંગુલિ ચલાયમાન D - 3 Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું કરી. જેથી તરત “મારો ગર્ભ હજુ અક્ષત છે એમ જાણી દેવી હર્ષ પામ્યા અને ગભરકુરણની વાર્તા કહેવાથી રાજા સિદ્ધાર્થ પણ ઘણા ખુશી થયા. તે વખતે પ્રભુએ ચિંતવ્યું કે, “અહા ! હું હજી અદષ્ટ છું, તે છતાં મારા માતાપિતાનો મારા પર કેટલો નેહ છે? તેથી જે તેઓના જીવતાં હું દીક્ષા લઈશ તે જરૂર સ્નેહના મેહથી આધ્યાનવડે ઘણું અશુભ કર્મ ઉપાર્જન કરશે, માટે માતાપિતાના જીવતાં હું દીક્ષા લઈશ નહીં. આ પ્રમાણે પ્રભુએ સાતમે માસે અભિગ્રહ લીધે. અનુક્રમે ગર્ભસ્થિતિ પૂર્ણ થયે જે વખતે સર્વ દિશાઓ પ્રસન્ન થઈ હતી, સર્વ ગ્રહો ઊચ્ચ સ્થાને આવ્યા હતા, પવર પૃથ્વી પર પ્રસરીને પ્રદક્ષિણ અને અનુકૂલ વાતે હતો, જગત બધું હર્ષથી પૂર્ણ થયું હતું અને જયકારી શુભ શકુને થતા હતા તે સમયે નવ માસ અને સાડા સાત દિવસ વ્યતિત થતાં ચૈત્ર માસની શુકલ ત્રયોદશીએ ચંદ્ર હસ્તારના નક્ષત્રમાં આવતાં ત્રિશલા દેવીએ સિંહના લાંછનવાળા, સુવર્ણ સમાન કાંતિવાળા અને અત્યંત સુંદર પુત્રને જન્મ આપ્યો. તે અવસરે ભેગંકરા વિગેરે છપ્પન દિકુમારીઓએ આવીને પ્રભુનું અને માતાનું સૂતિકા કર્મ કર્યું. સૌધર્મ ઇદ્ર પણ આસન કંપથી પ્રભુનો જન્મ જાણી તત્કાળ પરિવાર સહિત સૂતિકાગ્રહમાં આવ્યા. અહંતને અને તેમની માતાને દૂરથી પ્રણામ કરી નજીક આવીને તેણે દેવીપર અવસ્વાપનિકા નિદ્રા મૂકી. પછી દેવીની પડખે ભગવંતનું પ્રતિબિંબ મૂકી ભક્તિકર્મમાં અતૃપ્ત એવા છે પિતાના શરીરના પાંચ રૂપ કર્યા. એક રૂપે તેણે પ્રભુને પિતાના હાથમાં ઉપાડ્યા, બીજે રૂપે પ્રભુને માથે છત્ર ધર્યું, બે રૂપે પ્રભુની બંને બાજુ સુંદર ચામર ધારણ કર્યા અને એક રૂપે વજા ઉછાળતા અને નૃત્ય કરતા પ્રભુની આગળ ચાલ્યા. એ પ્રમાણે મેરૂગિરિપર જઈ અતિ પાંડુકંબલા નામની શિલા ઉપર પ્રભુને ઉત્કંગમાં લઈને સિંહાસન પર બેઠા. તે વખતે બીજા ત્રેસઠ ઈ દ્રો પણ પ્રભુને સ્નાત્ર કરવા માટે ત્યાં આવ્યા. આભિયોગિક દેવતાઓ નાત્રને માટે તીર્થનું જલ લઈ આવ્યા. તે અવસરે ભક્તિથી કોમળ ચિત્તવાળા શકને આટલો બધો જલનો સંભાર પ્રભુ શી રીતે સહન કરી શકશે” એમ શંકા ઉત્પન્ન થઈ. એટલે ઇંદ્રની આશંકા દૂર કરવા સારૂ પ્રભુએ લીલામાત્રે વામ ચરણના અંગુઠાથી મેરૂગિરિને દબાવ્યા. તેથી તત્કાળ જાણે પ્રભુને નમવાને માટે જ હોય તેમ મેરૂ પર્વતના શિખરો નમી ગયા, કુલગિરિઓ જાણે તેની નજીક આવતા હોય તેમ ચળાયમાન થયા, સમુદ્રો જાણે પ્રભુને સ્નાત્ર કરવાને ઇચ્છતા હોય તેમ ઘણું ઉછળવા લાગ્યા અને પૃથ્વી જાણે પ્રભુ પાસે નૃત્ય કરવાને ઉમુખ થઈ હોય તેમ સત્વર કંપવા લાગી. આ પ્રમાણે ઉત્પાત જોઈને “આ શું થયું?” એમ ચિંતા કરતા ઈ અવધિજ્ઞાને જોયું એટલે ૧ દિકુમારિકાઓએ કરેલ મહોત્સવનું વર્ણન પ્રથમ પર્વમાં ભદેવના અધિકારમાં સવિસ્તર આપેલું હોવાથી અહીં આપ્યું નથી, Page #33 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯ કહ્યું, હું નાથ ! k સગ ૨ જો] શ્રી મહાવીરસ્વામીનેા જન્મ અને દીક્ષા મહે।ત્સવ તે બધી પ્રભુના પરાક્રમની લીલા તેના જાણવામાં આવી. પછી ઇંદ્રે અસામાન્ય એવુ... તમારૂ માહાત્મ્ય મારા જેવા સામાન્ય પ્રાણી શી રીતે જાણી શકે ? માટે મે' જે આવું વિપરીત ચિંતવ્યું, તે મારૂ દુષ્કૃત્ય મિથ્યા હો.' આ પ્રમાણે કહી ઈંદ્રે પ્રભુને પ્રણામ કર્યાં. પછી આનંદ સહિત અનેક પ્રકારના વાજિંત્રા વાગતે છતે ઇંદ્રાએ તીના સુગધી અને પવિત્ર જલવડે અભિષેક મહાત્સવ કર્યાં. તે અભિષેકના જલને સુર, અસુર, મનુષ્ય અને નાગકુમારા વંદન કરવા લાગ્યા અને વારંવાર સર્વ પ્રાણીઓના અંગાપર છાંટવા લાગ્યા. પ્રભુના સ્નાત્રજળ સાથે મળેલી મૃત્તિકા પણ વંદન કરવા ચાખ્ય થઈ પડી. કેમકે ગુરૂના સંસર્ગથી લઘુની પણ ગૌરવતાં થાય છે.” પછી સૌધર્મેદ્ર પ્રભુને ઈશાન ઈંદ્રના ઉત્સ’ગમાં આપી સ્નાન, અર્ચન અને આરાત્રિક કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા– “ અર્હ"ત, ભગવત, સ્વયંબુદ્ધ, વિધાતા અને પુરૂષામાં ઉત્તમ એવા આદિકાર તી કર રૂપ તમને હું નમસ્કાર કરૂ છુ, લાકમાં પ્રદીપરૂપ, લેાકને પ્રદ્યોતના કરનારા, લેાકમાં ઉત્તમ, લેાકના અધીશ અને લેાકના હિતકારી એવા તમને હું નમું છુ.. પુરૂષામાં શ્રેષ્ઠ પુંડરીક કમળ રૂપ, સુખના આપવાવાળા, પુરૂષામાં સિ'હુ સમાન અને પુરૂષોમાં મદગંધી ગજેંદ્ર રૂપ એવા તમને નમસ્કાર છે. ચક્ષુને અને અભયને આપનારા, એધિદાયક, માર્ગદેશક, ધદાયક, ધ દેશક અને શરણદાયક એવા તમને હું નમું' છું.. ધર્મના ચક્રવતી, છદ્મસ્થપણાને નિવૃત્ત કરનાર અને સમ્યગ્ દન ધારી એવા તમને નમસ્કાર છે. જિન અને જાપક', તરેલા અને તારનાર, કમથી મુક્ત અને મુકાવનાર, તથા યુદ્ધ અને એધ કરનાર એવા તમને હુ‘નમું છું. સČજ્ઞ, સર્વાંઈં, સર્વ અતિશયના પાત્ર અને આઠ કર્મનો નાશ કરનાર એવા હે સ્વામી ! તમને નમસ્કાર છે. ક્ષેત્ર, પાત્ર, તી, પરમાત્મા, સ્યાદ્વાદવાદી, વીતરાગ અને મુનિ એવા તમને નમસ્કાર છે. પૂજ્યેાના પણ પૂજ્ય, મહેાટાથી પણ મેાટા, આચાર્યના પણ આચાય અને જ્યેષ્ટના પણ જ્યેષ્ઠ એવા તમને નમસ્કાર છે. વિશ્વને ઉત્પન્ન કરનાર, ચેાગીએના નાચ અને યાગી, પવિત્ર કરનાર અને પવિત્ર, અનુત્તર અને ઉત્તર એવા તમને નમસ્કાર છે. પાપનું પ્રક્ષાલન કરનાર, યેાગાચાર્ય, જેનાથી કેાઈ ખીજું વિશેષ ઉત્તમ નથી એવા, અગ્ર, વાચસ્પતિ અને મંગળ રૂપ તમને નમસ્કાર છે. સ તરફથી ઉદિત થયેલા, એક વીર, સૂર્ય રૂપ, અને, ‘ૐ ભૂર્ભુવઃ સ્વઃ ' એ વાણીથી સ્તુતિ કરવા ચેાગ્ય એવા તમને નમસ્કાર છે. સર્વ જનના હિતકારી, સર્વ અના સાધનાર, અમૃતરૂપ, બ્રહ્મચર્યને ઉદિત કરનાર, આપ્ત અને પારગત એવા તમને નમસ્કાર છે, દક્ષિણીય, નિવિકાર, દયાળુ અને વજ્રઋષભનારાચ શરીરના ધારણ કરનાર એવા તમને નમસ્કાર છે. ત્રિકાળના જાણુનાર, જિનેદ્ર, સ્વયંભૂ, જ્ઞાન, બળ, વીય, તેજ, શક્તિ અને ઐશ્વર્યંમય એવા તમને નમસ્કાર છે. ૨ રાગ દ્વેષ જીતેલા અને બીજાને જીતાવનારા. ܙ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૦] શ્રી ત્રિષષ્ટ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મુ આદિ પુરૂષ, પરમેષ્ટી, મહેશ અને તિખ્તત્વરૂપ એવા તમને નમસ્કાર છે. સિદ્ધાર્થ રાજાના કુળ રૂપી ક્ષીરસાગરમાં ચંદ્ર જેવા, મહાવીર, ધીર અને ત્રણ જગતના સ્વામી એવા તમને નમસ્કાર છે.” આ પ્રમાણે સ્તુતિ કરી પ્રભુને લઈ માતાની પાસે મૂક્યા અને તેમનું પ્રતિબિંબ અને અવસ્વાપનિકા નિદ્રા હરી લીધી. પછી ઉશી ક્ષમવસ્ત્ર તથા બે કુંડળ અને પ્રભુની શય્યા ઉપર શ્રીદામગંડક મૂકી ઇંદ્ર પિતાના સ્થાનકે ગયા. તે સમયે ઇંદ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલા ભક દેવતાઓએ સિદ્ધાર્થ રાજાના ગૃહમાં સુવર્ણ માણિક્ય અને વસુધારાની વૃષ્ટિ કરી. પ્રભાતકાળે રાજા સિદ્ધાર્થે પ્રભુના જન્મોત્સવમાં પ્રથમ તે કારાગૃહમાંથી સર્વ કેદીઓને છોડી મૂક્યા. “અહંતનો જન્મ ભવિ પ્રાણીઓને ભવમાંથી પણ છોડાવે છે. ત્રીજે દિવસે માતાપિતાએ પ્રસન્ન થઈ પુત્રને સૂર્ય ચંદ્રના બિંબના દર્શન કરાવ્યા. છ દિવસે મધુર સ્વરે મંગળ ગીત ગાનારી, કુંકુમના અંગરાગને ધરનારી, ઘણું આભૂષણોથી શૃંગારેલી અને કંઠમાં લટકતી માળા પહેરનારી અનેક કુલીન સૌભાગ્યવતી સ્ત્રીઓની સાથે રાજા રાણીએ રાત્રિ જાગરણોત્સવ કર્યો. જ્યારે અગ્યારમો દિવસ પ્રાપ્ત થયા એટલે સિદ્ધાર્થ રાજાએ અને ત્રિશલા દેવીએ પુત્રનો જાતકર્મમહત્સવ પૂર્ણ કર્યો. જેની ઈચ્છા માત્ર સિદ્ધ થઈ છે એવા સિદ્ધાર્થ રાજાએ બારમે દિવસે પિતાના સર્વ જ્ઞાતિ, સંબંધી અને બાંધીને બોલાવ્યા. તેઓ હાથમાં અનેક પ્રકારની માંગલ્ય ભેટ લઈને આવ્યા. એગ્ય પ્રતિદાનના વ્યવહારમાં તત્પર એવા રાજાએ તેમનો સત્કાર કર્યો. પછી સિદ્ધાર્થ રાજાએ તેને કહ્યું કે, “આ પુત્ર ગર્ભમાં આવતાં અમારા ઘરમાં, નગરમાં અને માંગલ્યમાં ધનાદિકની વૃદ્ધિ થયેલી છે તેથી તેનું વર્ધમાન એવું નામ છે. આ પ્રમાણે સાંભળી તે બંધુઓએ પણ હર્ષ પામીને કહ્યું કે, “એમજ થાઓ.” પછી “પ્રભુ મોટા ઉપસર્ગોથી પણ કંપાયમાન થશે નહી” એવું ધારી ઈદ્ર તે જગત્પતિનું મહાવીર એવું નામ પાડયું. ભક્તિવંત એવા સુર અને અસુરોથી આગળ પડી પડીને સેવાતા, અમૃત વર્ષિણ દષ્ટિથી પૃથ્વીનું સિંચન કરતા અને એક હજાર ને આઠ લક્ષણેથી ઉપલક્ષિત એવા પ્રભુ છે કે સ્વભાવથી ગુણવૃદ્ધ તે હતા જ, પરંતુ અનુક્રમે વયે કરીને પણ વધવા લાગ્યા. એક વખતે આઠ વર્ષમાં કંઈક ઓછી વયના પ્રભુ સમાન વયના રાજપુત્રોની સાથે વયને યોગ્ય એવી ફ્રીડા કરવા ગયા. તે સમયે અવધિજ્ઞાનયડે તે જાણીને ઇંદ્ર દેવતાઓની સભામાં ધીરપણામાં મહાવીર એવા વીર ભગવંતની પ્રશંસા કરી. તે સાંભળી કોઈ મત્સરી દેવ “હું તે મહાવીરને ક્ષોભ પમાડું” એવું ધારીને જ્યાં પ્રભુ ક્રીડા કરતા હતા ત્યાં આવ્યા, તે વખતે પ્રભુ રાજપુત્રોની સાથે આમલકી ક્રીડા કરતા હતા. ત્યાં તે દેવ કોઈ વૃક્ષના મૂળ પાસે માયાથી મોટો સર્પ થઈને રહ્યો. તેને જોઈ તત્કાળ સર્વ રાજપુત્રે ત્રાસ પામી દશ દિશામાં નાસવા લાગ્યા એટલે પ્રભુએ હસતા હસતા દેરીની જેમ તેને ઉંચે Page #35 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ ] શ્રી મહાવીરસ્વામીને જન્મ અને દીક્ષા મહોત્સવ કરીને હર પૃથ્વી પર ફેંકી દીધે. રાજકુમારો તે જોઈ લજજા પામીને પાછા કીડા કરવા માટે એકઠા થયા. એટલે તે દેવ પણ રાજકુમાર થઈને ત્યાં આવ્યા. સર્વ કુમારો એક વૃક્ષ ઉપર ચડડ્યા. પ્રભુ સર્વ કુમારોથી પહેલાં વૃક્ષના અગ્ર ભાગ ઉપર ચડી ગયા. અથવા “જે લકાગે જવાના છે તેને આ વૃક્ષના અગ્ર૫ર જવું કેણ માત્ર છે. ત્યાં રહેલાં પ્રભુ મેરૂના શિખર પર સૂર્યની જેમ શોભવા લાગ્યા અને શાખાઓમાં લટકતા બીજ કુમારે વાનરોની જેવા દેખાવા લાગ્યા. તે રમતમાં ભગવાન જીત્યા. એ રમતમાં એવું પણ હતું કે, “જે હારી જાય તે બીજાઓને પિતાના પૃષ્ટ ઉપર ચડાવીને વહન કરે.” એટલે રાજપુત્રો અશ્વની જેમ વીર પ્રભુને પોતાના પૃષ્ટપર બેસાડીને વહન કરવા લાગ્યા. અનુક્રમે મહા પરાક્રમીઓમાં શ્રેષ્ઠ એવા પ્રભુ પેલા દેવના પૃષ્ટ ઉપર પણ આરૂઢ થયા. તત્કાળ એ દુષ્ટ બુદ્ધિવાળો દેવ વિકરાળરૂપ કરી પર્વતને પણ નીચા કરે તેમ વધવા લાગે, તેના પાતાળ જેવા મુખમાં રહેલી જિહુવા તક્ષક નાગ જેવી દેખાવા લાગી, ઉંચા પર્વત જેવા મસ્તકપર આવેલા પીલા કેશ દાવાનળ જેવા દેખાવા લાગ્યા, તેની ભયંકર દાઢ કરવતના જેવી થઈ ગઈ, તેના લેચન અંગારાની સગડીની જેવા જાજવલ્યમાન જણાવા લાગ્યા, તેના નસકોરા પર્વતની ગુહાની જેમ અતિ ઘોર દેખાવા લાગ્યા અને બ્રકુટીવડે ભંગુર એવી ભમર જાણે બે મોટી સપિણી હેય તેવી જણાવા લાગી. આ પ્રમાણે તે દેવ વધવાથી વિરામ પામ્યો નહી, તેટલામાં તે તેનું સ્વરૂપ જાણુંને મહા પરાક્રમી પ્રભુએ તેના પૃષ્ટ ભાગ ઉપર એક મુષ્ટિ મારીને તેને વામન કરી નાંખે. પછી તે દેવ ઈ વર્ણન કરેલા ભગવંતના પૈયને પ્રત્યક્ષ જોઈને પિતાનું સ્વરૂપે પ્રગટ કરી પ્રભુને નમીને પિતાને સ્થાનકે ગયે. પ્રભુ આઠ વરસ ઉપરાંતના થયા એટલે પિતાએ તેમને અભ્યાસ કરાવવા માટે નિશાળે મૂકવાને આરંભ કર્યો. તે વખતે ઈંદ્રનું સિંહાસન કંપાયમાન થયું. એટલે ઈ અવધિજ્ઞાનથી પ્રભુના માતાપિતાની અદ્ભુત સરલતા જાણી, અને “અરે શું સર્વજ્ઞ પ્રભુને શિષ્યપણું હોય?” એમ વિચારી તત્કાળ ત્યાં આવ્યો. પ્રભુને નિશાળે લઈ જવામાં આવ્યા, ત્યાં ઈદ્ર પ્રભુને ઉપાધ્યાયના આસન પર બેસાર્યા. પછી પ્રણામ કરીને પ્રાર્થના કરી, એટલે પ્રભુએ શબ્દપારાયણ (વ્યાકરણ) કહી બતાવ્યું. એ શબ્દાનુશાસન ભગવંતે ઈંદ્રને કહ્યું, તે સાંભળી ઉપાધ્યાયે લોકમાં એંદ્ર વ્યાકરણ એવા નામથી પ્રખ્યાત કર્યું. સાત હાથ ઊંચી કાયાવાળા પ્રભુ અનુક્રમે યૌવન પ્રાપ્ત થયા. એટલે વનના હાથીની જેમ લીલાથી ગમન કરવા લાગ્યા. ત્રિલેક્યમાં ઉત્કૃષ્ટ એવું રૂ૫, ત્રણ જગતનું પ્રભુત્વ અને નવીન યૌવન પ્રાપ્ત થયા છતાં પણ પ્રભુને જરા પણ વિકાર ઉત્પન્ન થયે નહીં. રાજા સમરવીરે યશોદા નામની પિતાની કન્યાને વદ્ધમાન સ્વામીને આપવા માટે મંત્રીઓની સાથે ત્યાં મોકલી. મંત્રીઓએ ક્ષત્રીયકુંડ નગરે આવી સિદ્ધાર્થ રાજાને નમીને કહ્યું કે, અમારા સ્વામીએ પિતાની પુત્રી યશોદા આપના પુત્રને આપવા માટે અમારી સાથે Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૨ 1 શ્રી ત્રિષષ્ટિ શલાક પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું મોકલેલ છે. અમારા સ્વામી પ્રથમથી જ તમારા દાસ છે, તે આ સંબંધવડે વિશેષ થાઓ અને અમારા ઉપર પ્રસન્ન થઈને તેનો અનુગ્રહ કરો. સિદ્ધાર્થ રાજા બોલ્યા કે મને અને ત્રિશલાને કુમાર વિવાહાત્સવ જેવાને ઘણે મનોરથ છે, પણ એ કુમાર જન્મથીજ સંસારથી વિરક્ત છે, તેથી તેની પાસે વિવાહાદિક પ્રજનની વાત પણ અમે કહી શકતા નથી, તથાપિ તમારા આગ્રહથી અનેક વચનની યુક્તિઓથી તેના મિત્રદ્વારા વિવાહની વાર્તા અમે આજે તેને કહેવરાવીશું.” આ પ્રમાણે કહીને રાજા સિદ્ધાર્થ ત્રિશલાદેવીને પૂછી પ્રભુના બુદ્ધિમાન મિત્રને વિવાહ કબુલ કરાવવા માટે પ્રભુની પાસે મોકલ્યા. તેઓએ પ્રભુ પાસે જઈ સવિનય નમસ્કાર કરીને તેમને સિદ્ધાર્થ રાજાની આજ્ઞા કહી સંભળાવી. પ્રભુ બેલ્યા-“તમે નિરંતર મારી પાસે રહેનારા છે, તેથી ગ્રહવાસથી પરામુખ એવા મારા ભાવને જાણે છે. તેઓ બેલ્યા હે કુમાર! તમને અમે સંસારથી ઉદ્વિગ્ન માનીએ છીએ, પણ તમારે માતાપિતાની આજ્ઞા અલંધ્ય છે” એમ પણ અમારું માનવું છે. વળી તમે અમારી પ્રણય યાચનાની પણ કદી અવમાનના કરતા નથી, તો આજે એક સાથે સૌની અવમાનના કેમ કરે છે?” ભગવંત બોલ્યા- “અરે મેહગ્રસ્ત મિત્રો ! તમારે આ શો આગ્રહ છે? કારણ કે સ્ત્રી વિગેરેનું પરિગ્રહ તે ભવભ્રમણનું જ કારણ છે. વળી “મારા માતાપિતા જીવતાં તેમને મારા વિયેગનું દુઃખ ન થાઓ.” એવા હેતુથી જ હું દીક્ષા લેવાને ઉત્સુક છતાં પણ હમણા દીક્ષા લેતે નથી.” આ પ્રમાણે પ્રભુ કહેતા હતા, તેવામાં વિવાહને માટે રાજાની આજ્ઞાથી ત્રિશલાદેવી પિતે ત્યાં આવ્યા. પ્રભુ તરત ઊભા થયા અને ગૌરવથી માતાને ઉંચા રત્નસિંહાસન પર બેસારી આ પ્રમાણે બાલ્યા કે, “હે માતા ! તમે આવ્યા તે સારું થયું, પણ તમારે અહીં આવવાનું શું કારણ હતું? મને બે લાવ્યો હતો તે તમારી આજ્ઞાથી હું તરતજ આપની પાસે આવત.” ત્રિશલાદેવી બેલ્યા–“વત્સ! અનેક પ્રકારના ઉદયનાં કારણભૂત તમે જે અમારા ઘરમાં આવ્યા છે, તે કાંઈ અમારા અલ્પ પુણ્ય નથી, તમને અવકન કરતાં ત્રણ જગતને પણ તૃપ્તિ થતી નથી, તે તમારા દર્શનારૂપ મહા દ્રવ્યવહેજ ધનિક એવા અમોને કેમ તૃપ્તિ થાય? હે પુત્ર! અમે જાણીએ છીએ કે, તમે સંસારવાસથી વિરક્ત છે, તે છતાં અમારાપર અનુકંપાથી ગૃહવાસમાં રહ્યા છે. તે વિનયના સ્થાનરૂપ! તમે જે કે પિતાની મનોવૃત્તિને બાધા પમાડીને એ દુષ્કર કાર્ય કરેલું છે, તથાપિ એટલાથી અમે તૃપ્તિ પામતા નથી, માટે તમને અમે વધૂ સહિત જેઈ તૃપ્તિ પામીએ-એમ કરવા માટે આ સામે આવેલી યશોદા નામની રાજપુત્રીની સાથે ઉદ્વાહ કરે. તમારા પિતા પણ તમારે વિવાહેસવ જેવાને ઉત્કંઠિત છે. માટે અમારા બંનેના આગ્રહથી આ દુષ્કર કાર્ય કરો.” આ પ્રમાણે માતાનાં વચન સાંભળી પ્રભુ વિચારમાં પડયા કે, “આજે આ મારે શું આવી પડયું, એક તરફ માતાનો આગ્રહ છે અને બીજી તરફ સંસારપરિભ્રમણને ભય છે. માતાનો દુઃખ થાય છે એવી શંકાથી હું ગર્ભમાં પણ અંગ સંકેચીને રહ્યો હતો, તે હવે તેમની મનોવૃત્તિ દુભાય નહીં તેવી રીતે ગ્રહવાસમાં પણ મારે રહેવું જોઈએ. વળી મારે Page #37 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ ) શ્રી મહાવીરસ્વામીને જન્મ અને દીક્ષા મહોત્સવ [૨ ભેગફલકમ પણ બાકી છે અને માતાપિતા પણ માન્ય છે. આ પ્રમાણે ચિંતવીને પ્રભુએ માતાના તે શાસનને માન્ય કર્યું. પછી ત્રિશલાદેવી સિદ્ધાર્થ રાજાની પાસે આવ્યા અને વિવાહના સંબંધમાં પુત્રે આપેલી સંમતિ હર્ષપૂર્વક જણાવી. પવિત્ર દિવસે સિદ્ધાર્થ રાજાએ મહાવીર કુમાર અને યશોદાનો વિવાહોત્સવ જન્મોત્સવના જેવો કર્યો. ત્રિશલા રાણી અને સિદ્ધાર્થ રાજા વધૂવરને જોઈને પિતાના આત્માને ધન્ય માનતા જાણે અમૃતરસનું પાન કર્યું હોય તેમ હર્ષ પામવા લાગ્યા. માતાપિતાના નેત્રને ચંદ્રરૂપ પ્રભુ યશદાદેવીની સાથે વિષયસુખને આસક્તિ વગર જોગવવા લાગ્યા. કેટલેક કાળ જતાં પ્રભુ થકી યશોદાદેવીને નામ અને રૂપથી પ્રિયદર્શના નામે એક દુહિતા થઈ. મહા કુળવાનું અને સમૃદ્ધિવાન જમાલિ નામે યુવાન રાજપુત્ર એ યૌવનવતી પ્રિયદર્શનાને પરણ્ય. પ્રભુને જન્મથી અઠયાવીશ વર્ષ થયા એટલે તેમના માતાપિતા અનશન કરી મૃત્યુ પામીને અશ્રુત દેવલોકમાં દેવ થયા. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીનાં જીવ અશ્રુત દેવલોકમાંથી રથવી, અપરવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય ભવ પામી અવ્યય પદને પ્રાપ્ત થશે. માતાપિતાને અંગસંસ્કાર કર્યા બાદ કેટલાક દિવસ વીતી ગયા પછી શેકમય થયેલા અંતર પુર સહિત નંદિવર્ધન પ્રત્યે પ્રભુ બેલ્યા- હે બંધુ! જીવને મૃત્યુ હંમેશા પાસે જ રહેલું છે, અને આ જીવિત નાશવંત છે, તેથી મૃત્યુ પ્રાપ્ત થયે પ્રાણુએ તેનો શેક કરવો એ કાંઈ તેનો પ્રતિકાર નથી. તેથી હે ભાઈ! આ વખતે તો પૈર્યનું અવલંબન કરી ધર્મનું આચરણ કરવું તેજ ઘટે છે. શેક કરે એ તે કાયર પુરુષને યેગ્ય છે.” આ પ્રમાણે પ્રભુએ બેધ કર્યો, એટલે નંદિવર્ધ્વને સ્વસ્થ થયા. પછી પિતાનું રાજ્ય અલંકૃત કરવાને તેણે પ્રાર્થના કરી, પરંતુ સંસારથી ઉદ્વેગ પામેલા વીરે જ્યારે પિતાનું રાજ્ય સ્વીકાર્યું નહી ત્યારે મંત્રીઓએ મળીને આગ્રહથી નંદિવદ્ધનને રાજ્યાભિષેક કર્યો. અન્યદા ચિરકાળ થયા ઈઝેલી દિક્ષા લેવાને માટે તેમાં આદરવાળા મહાવીરે પિતાના પિતાના ભાઈ નંદિવર્ધનની રજા માગી, એટલે નંદિવર્ણન શેકથી ગદ્ગદિત વાણીએ બોલ્યા કે “હ જાતા ! અદ્યાપિ મને માતાપિતાના વિયેગનું વિસ્મરણ થયું નથી, હજુ સવ સ્વજન પણ શોકથી વિમુક્ત થયેલ નથી, તેવામાં તમે મને વિયેગ આપી ક્ષત ઉપર ક્ષાર નાંખવાનું કેમ કરે છે?” આવા જયેષ્ટ બંધુના આગ્રહથી પ્રભુએ ભાવયતિના અલંકારોએ અલંકૃત થઈ નિત્ય કાર્યોત્સર્ગ ધરતાં, બ્રહ્મચર્યમાં તત્પર રહેતાં, સ્નાન તથા અંગરાગે રહિત, વિશુદ્ધ ધ્યાનમાં તત્પરપણે, એષણીય અને પ્રાસુક અન્નથી પ્રાણવૃત્તિ કરતાં માંડમાંડ ગ્રહવાસમાં એક વર્ષ નિગમન કર્યું. પછી લોકાંતિક દેવતાઓએ આવીને કહ્યું કે, “તીર્થ પ્રવર્તાવો.” એટલે પ્રભુએ યાચકોને ઈચ્છા પ્રમાણે વાર્ષિક દાન આપ્યું. પછી ઈંદ્રાદિક દેવોએ અને નંદિવર્ધન વિગેરે રાજાઓએ શ્રી વીરપ્રભુને યથાવિધિ દીક્ષાભિષેક કર્યો. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું રાહુવકે ચંદ્રની જેમ ભ્રાતાના વિરહદુઃખથી આકુલ થયેલા નંદિવને માંડમાંડ પિતાના સેવકપુરૂષોને આજ્ઞા કરી કે, “દેવસભાની જેમ સુવર્ણની વેદિકા અને સુવર્ણના સ્તંભેવાળી, સૂર્યસહિત મેરગિરિ તટની જેમ સુવર્ણમય સિંહાસનથી મંડિત, પાલક વિમાનની જાણે નાની બહેન હોય તેમ ઘુઘરીઓની માળાના નાદવાળી, મોટા ઉમવાળી ગંગાનદીની જેમ ઉડતી ધ્વજાઓવાળી, પચાસ ધનુષ લાંબી, છત્રીશ ધનુષ ઉંચી અને પચવીશ ધનુષ પહાળી, વીરકુમારને બેસવાને લાયક ચંદ્રપ્રભા નામે એક શિબિકા તૈયાર કરો.” તત્કાળ તેઓએ તેવી શિબિકા તૈયાર કરી. “જેમ દેવતાઓને મનથી કાર્ય સધાય છે તેમ રાજાઓને વચનથી સધાય છે.” પછી શક પણ તેવી જ શિબિકા કરાવી. બંને તુલ્ય શોભાવાળી હોવાથી જાણે જેડલે ઉત્પન્ન થઈ હોય તેવી શોભવા લાગી. પછી દેવશક્તિથી નદીમાં નદીની જેમ બીજી શિબિકા પહેલી શિબિકામાં અંતહિત થઈ ગઈ. પછી જગતપ્રભુએ પ્રદક્ષિણા દઈ શિબિકાપર ચડીને તેમાં રહેલા ચરણપીઠ યુક્ત સિંહાસનને અલંકૃત કર્યું. મંગલિક શ્વેત વચ્ચેથી ચંદ્રિકા સહિત ચંદ્રની જેમ અને સર્વ અંગે ધારણ કરેલા આભૂષણોથી બીજા કલ્પવૃક્ષની જેમ પ્રભુ શોભવા લાગ્યા. પ્રભુ પૂર્વાભિમુખે બેઠા એટલે કુળમહત્તા સ્ત્રી પવિત્ર થઈ શુદ્ધ વસ્ત્ર પહેરી, વિચિત્ર રત્નાલંકારે ધારણ કરી, શાખાવડે વૃક્ષની જેમ હાથમાં રાખેલા વઅવડે શોભતી, પ્રભુની દક્ષિણ તરફ મન સ્થિર કરીને બેઠી. મોતીના અલંકારો અને નિર્મળ વસ્ત્રો પહેરી એક સ્ત્રી પ્રભુના મસ્તક પર ચાંદની જેમ ચંદ્રને ધરે તેમ છત્ર ધરીને ઊભી રહી. બે સ્ત્રીઓ સર્વ અંગમાં સુવર્ણભરણ પહેરી મેરૂ પર્વતના તટમાં બે ચંદ્રની જેમ પ્રભુને બંને પડખે સુંદર ચામર ધરીને ઊભી રહી. એક બાળા રૂપાની ઝારી હાથમાં લઈને વાયવ્ય દિશામાં ઊભી રહી. એક સ્ત્રી તાળવૃત હાથમાં રાખીને અગ્નિ દિશામાં ઊભી રહી. શિબિકાના પૃષ્ટ ભાગે વૈડૂર્ય રત્નના દંડવાળા અને એક હજાર ને આઠ સુવર્ણની શલાકાવાળા પાંડુ છત્રને લઈને રાજા ઊભા રહ્યા. શિબિકાને બંને પડખે સૌધર્મ અને ઈશાન ઈંદ્ર તેરણના થંભની જેમ ચામર લઈને ઊભા રહ્યા. પછી સહસ પુરૂષોથી ઉપાડી શકાય એવી તે શિબિકા પ્રથમ સેવકપુરૂષોએ ઉપાડી, પછી શક, ઈશાન, બલિ અને ચમાર પ્રમુખ ઈદ્રોએ તથા દેવતાઓએ ઉપાડી. તેમાં દક્ષિણના ઉપરના ભાગથી શક ઈંદ્ર ઉપાડી. ઉત્તરના ભાગથી ઈશાનપતિએ ઉપાડી, અને દક્ષિણ તથા ઉત્તર બાજુના અધભાગે ચમકે તથા બળીઈદ્ર ધારણ કરી. તેમજ બીજા ભુવનપતિ વિગેરે દેવતાઓએ પોતપોતાની ગ્યતા પ્રમાણે વહન કરી. તે સમયે અત્યંત ઉતાવળા જતા ને આવતા અનેક દેવતાઓથી તે સ્થાન સાયંકાળે પક્ષીઓથી આકાશની જેમ સાંકડું થઈ ગયું. દેવતાઓએ વહન કરેલી તે શિબિકાવડે અનુક્રમે પ્રભુ જ્ઞાતખંડ નામના ઉત્તમ ઉપવન સમિપે પધાર્યા. તે ઉપવન, પ્રિયની જેમ હિમઋતુના આવવાથી જાણે રોમાંચિત થઈ હોય તેવી ચારેબની લતાએથી મનહર જણાતું હતું અને જાણે વનલક્ષમીએ આપેલા કસુંબાના રાતા વસ પહેર્યા હોય તેવા પાકેલા નારંગીના વનવડે અંકિત હતું. કૃષ્ણ ઈક્ષુદંડમાં પરસ્પર Page #39 -------------------------------------------------------------------------- ________________ સગ જે] શ્રી મહાવીર પ્રભુનો પ્રથમના છ વર્ષનો વિહાર [૨૫ પાત્રપણે આલેષ કરતા બ્રમરાઓના અવાજથી જાણે મુસાફરોને બોલાવતું હોય એવું જણાતું હતું. તે ઉધાનમાં પ્રવેશ કર્યા પછી પ્રભુએ શિબિકામાંથી ઉતરીને સવ આભૂષણો તેજી દીધાં. તે વખતે ઇ પ્રભુના કંધઉપર એક દેવદ્રવ્ય વસ્ત્ર નાંખ્યું. પછી ત્રિજગપ્રભુએ પંચમુષ્ટિવડે સર્વ કેશનો લેચ કર્યો. શક ઈદ્રિ તે કેશ દૂષ્ય વસ્ત્રમાં લઈને ક્ષીરસાગરમાં ક્ષેપન કર્યા. પછી તેણે પાછા આવીને સર્વ કોલાહલ અટકાવ્યા એટલે પ્રભુએ સિદ્ધને નમસ્કાર કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. જન્મથી ત્રીશ વર્ષ નિર્ગમન થતાં માર્ગશીષ માસની કૃષ્ણ દશમીએ ચંદ્ર હસ્તત્તરા નક્ષત્રમાં આવતાં દિવસના છેલ્લા પહેરે છઠ્ઠ તપ કર્યો છે જેણે એવા પ્રભુને ચારિત્રની સાથે જ મન ૫ર્યાય જ્ઞાન ઉત્પન્ન થયું. इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्टि शलाका पुरुष चरिते महाकाव्ये दशमपर्वणि श्री महावीर जन्म प्रवृज्या वर्णनो नाम દ્વિતીય સત્ર | ૨ સગ ૩ જે શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષનો વિહાર, દીક્ષા લીધા પછી ત્રણ જગતના પતિ મહાવીર પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કરવા માટે પિતાના સહેદર બંધુ નંદિવર્દનની અને બીજા પણ જ્ઞાતવંશના પુરૂષની રજા લીધી. પ્રભુ જ્યારે ચારિત્ર રૂપી રથમાં આરૂઢ થઈ વિહાર કરવાને ચાલ્યા, તે વખતે તેમના પિતાને મિત્ર સમ નામે એક વૃદ્ધ બ્રાહ્મણ ત્યાં આવી પ્રભુને નમીને બોલ્યા કે-“હે સ્વામી! આપે પિતાની અને પારકાની અપેક્ષા વગર સાંવત્સરિક દાન આપ્યું, તેથી બધું જગતું દારિદ્રય વગરનું થઈ ગયું, પણ હું એક મંદભાગ્ય દરિદ્રી રહી ગયો છું. હે નાથ! હું જન્મથીજ મહા દરિદ્રી છું અને બીજાઓની પ્રાર્થના કરવાને માટે અહર્નિશ ગામે ગામ ભટક્યા કરું છું. કેઈ ઠેકાણે નિભન્સના થાય છે, કેઈ ઠેકાણે ઉત્તર પણ મળતું નથી અને કોઈ ઠેકાણે મુખ મરડે છે, પણ એ બધું હું સહન કરું છું. તમે દાન આપ્યું તે સમયે હું ધનની આશાથી બહાર ભમતે હતો, તેથી મને તમારા વાર્ષિક દાનની ખબર પડી નહી અને તમારું દાન મારે નિષ્ફળ થયું. માટે હે પ્રભુ! હવે પણ મારા પર કૃપા D - 4 Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૬] શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર [૫ ૧૦ મું કરીને મને દાન આપે. કેમકે મારી પત્નીએ તિરસ્કાર કરીને મને તમારી પાસે મોકલો છે. પ્રભુ કરૂણા લાવીને બોલ્યા- “હે વિપ્ર! હવે તો હું નિઃસંગ થયો છું, તથાપિ મારા ખભા ઉપર જે આ વસ્ત્ર છે તેને અર્ધ ભાગ તું લઈ લે. તે વિપ્ર અર્ધ વસ્ત્ર લઈ હર્ષ પામતે પિતાને ઘેર આવ્યા. પછી છેડા બંધાવવાને તુણનાર વણકરને બતાવ્યું. તે વઅને જોઈ તુણુનારે પૂછ્યું કે “આ વસ્ત્ર તને કયાંથી મળ્યું?' બ્રાહ્મણે કહ્યું કે, “શ્રી મહાવીર પ્રભુની પાસેથી.” તુણનાર બોલ્યો કે, “હે વિપ્ર! તું પાછે જા, અને આનો બીજો અર્થ ભાગ તે મુનિની પાસેથી લઈ આવવા માટે તેમની પછવાડે ફર. તે મુનિને અટન કરતાં કરતાં કેઈ ઠેકાણે કાંટા વિગેરેમાં ભરાઈને તે અર્ધ વસ્ત્ર પડી જશે, પછી તે નિઃસ્પૃહ મુનિ તેને ગ્રહણ કરશે નહીં. એટલે તું તે લઈને અહીં આવતે રહેજે. પછી તેના બે ભાગને એજીને હું તે વસ્ત્ર શુકલ પક્ષના ચંદ્રની જેમ એક સંપૂર્ણ કરી આપીશ. તેનું મૂલ્ય એક લાખ દીનાર ઉપજશે. તે આપણે સહેદર બંધુની જેમ અર્થે અર્ધ વહેંચી લેશું.” “બહુ સારૂં.' એમ કહીને તે બ્રાહ્મણ પાછો પ્રભુની પાસે આવ્યા. ઈસમિતિ શોધવા પૂર્વક ચાલતા પ્રભુ કૃર્માર ગામે આવી પહોંચ્યા. ત્યાં નાસિકાના અગ્ર ભાગ ઉપર નેત્ર આરોપી બે ભુજા લાંબી કરીને પ્રભુ સ્થાણુની જેમ પ્રતિમા ધરીને રહ્યા. તે સમયે કોઈ ગેવાળ આખે દિવસ વૃષભને હાંકી ગામની સીમ પાસે જ્યાં પ્રભુ કાયેત્સર્ગ ઊભા હતા ત્યાં આવ્યો. તેણે વિચાર્યું કે, “આ મારા વૃષભ અહિં ગામના સીમાડા પર ભલે ચરે, હું ગામમાં જઈ ગાયોને દેહીને પાછો આવીશ.” આવું ચિંતવી તે ગામમાં ગયો. પછી વૃષભ ચરતા ચરતા કોઈ અટવીમાં પેશી ગયા. કારણ કે ગોપ વિના તેઓ એક સ્થાનકે રહી શકતા નથી. પછી તે ગોપાલ ગામમાંથી ત્યાં આવ્યો, અને પ્રભુને પૂછયું કે, “મારા વૃષભ કયાં છે?” પ્રતિમા ધારી પ્રભુ કાંઈ પણ બોલ્યા નહીં. પ્રભુ જ્યારે બોલ્યા નહીં ત્યારે ગોપે વિચાર્યું કે, “આ કાંઈ જાણતા નથી.” પછી તે પોતાના વૃષભેને શોધવા ગયો. શોધતાં શોધતાં આખી રાત્રિ નિગમન થઈ ગઈ તે બેલે ફરતા ફરતા પાછા પ્રભુ હતા ત્યાં આવ્યા અને સ્વસ્થ ચિત્તે વાળતા વાગોળતા પ્રભુ પાસે બેઠા. પેલે પ ભમી ભમીને પાછો ત્યાં આવ્યો, એટલે ત્યાં વૃષભેને બેઠેલા જોઈ તેણે વિચાર્યું કે, “આ મુનિએ પ્રભાતમાં મારા વૃષભને લઈ જવાની ઈરછાથી તે વખત સંતાડી રાખ્યા હશે. આ વિચાર કરી તે અધમ ગોપ વેગથી બળદની રાશ ઉપાડીને પ્રભુને મારવા દેડયો. તે સમયે શક ઇંદ્રને વિચાર થયો કે, “પ્રભુ પ્રથમ દિવસે શું કરે છે તે જોઉં. એમ વિચારી જ્ઞાનવડે જેવા લાગ્યા. ત્યાં તે તે ગોપને પ્રભુને માર મારવા ઉદ્યત થયેલો છે. એટલે સ્થભિત કરી, પ્રભુ પાસે આવી તિરસ્કાર પૂર્વક તે ગોપને કહ્યું કે, “અરે પાપી! આ સિદ્ધાર્થ રાજાના પુત્રને તું શું નથી જાણત?પછી ઈંદ્ર ત્રણ પ્રદશિણા પૂર્વક મસ્તકવડે પ્રણામ કરી પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે, “હે સ્વામી! આપને બાર વર્ષ સુધી ઉપસર્ગની પરંપરા થશે, Page #41 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ | શ્રી મહાવીર પ્રભુનો પ્રથમના છ વર્ષને વિહાર [ ર૭ માટે તેનો નિષેધ કરવા સારૂ હું તમારે પારિપાશ્વક થવા ઈચ્છું છું. પ્રભુ સમાધિ પારીને ઈંદ્રપ્રત્યે બોલ્યા કે-“અહંતો કદિ પણ પરસહાયની અપેક્ષા રાખતા નથી. વળી અહંત પ્રભુ બીજાની સહાયથી કેવળજ્ઞાન ઉપાર્જન કરે એવું થયું નથી, થતું નથી અને થશે પણ નહીં. જિતેંદ્રો કેવળ પિતાના વિયથી જ કેવળજ્ઞાન પામે છે અને પિતાના વિયથી જ મોક્ષે જાય છે.” પ્રભુનાં આવાં વચન સાંભળી ઈંદ્ર બાલતપસ્યાથી વ્યંતર દેવમાં ઉત્પન્ન થયેલા પ્રભુની માસીના પુત્ર સિદ્ધાર્થને આજ્ઞા કરી કે, “તારે પ્રભુની પાસે રહેવું અને જે પ્રભુને મારવાનો ઉપસર્ગ કરે, તેને તારે અટકાવે. આ પ્રમાણે કહી ઈદ્ર સ્વસ્થાનકે ગયા, અને સિદ્ધાર્થ તેમની આજ્ઞા સ્વીકારીને પ્રભુ પાસે રહ્યો. વીર પ્રભુ છઠ્ઠનું પારણું કરવાને માટે કલાક ગામમાં ગયા. ત્યાં બહુલ નામના બ્રાહ્મણને ઘેર પ્રભુએ સાકર વિગેરેથી મિશ્રિત પરમાનથી પારણું કર્યું. તે બ્રાહ્મણને ઘેર દેવતાઓએ વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પછી ચંદ્રની જેવા શીતળ લેશ્યાવાળા, સૂર્યની જેમ તપના તેજથી દુઃખે જોઈ શકાય તેવા, ગજેની જેવા બલવાન, મરૂની જેવા નિશ્ચલ, પૃથ્વીની જેમ સર્વ સ્પશને સહન કરનારા, સમુદ્રની જેવા ગંભીર, સિંહની જેવા નિય, ધૃતાદિ હમેલા અગ્નિની જેમ મિથ્યાદષ્ટિઓને અદશ્ય, ગેંડાના ભંગની જેમ એકાકી, મોટા સાંઢની જેમ મહા બલવાન, મની જેમ ઇદ્રિયોને ગુપ્ત રાખનાર, સપની જેમ એકાંત દષ્ટિ સ્થાપનાર, શંખની પેઠે નિરંજન, સુવર્ણની જેમ જાતરૂપ (નિર્લેપ), પક્ષીની જેમ મુક્ત, જીવની જેમ અખલિત ગતિવાળા, ભારંડ પક્ષીની જેમ પ્રમાદ રહિત, આકાશની જેમ નિરાશ્રય, કમલદલની જેમ લેપ રહિત તથા શત્રુ અને મિત્ર, તૃણ અને સ્ત્રી, સુવર્ણ અને પાષાણુ, મણિ અને કૃતિકા, આલેક અને પરલોક, સુખ અને દુઃખ તથા સંસાર અને મોક્ષમાં સમાન હૃદયવાળા, નિષ્કારણ કરૂણાળ મનને લીધે ભવસાગરમાં ડુબી જતા મુગ્ધ જગતને ઉદ્ધાર કરવાની ઇચ્છાવાળા એવા પ્રભુ સાગર મેખલાવાની અને વિવિધ ગ્રામ, પુર તથા અરણ્યવાળી આ પૃથ્વી ઉપર પવનની જેમ અપ્રતિબંધપણે વિહાર કરવા લાગ્યા. દીક્ષાને સમયે દેવતાઓએ પ્રભુના શરીર પર જે સુગંધી દ્રવ્યોનું વિલેપન કર્યું હતું. તેની સુગંધથી ખેંચાઈ આવીને ભ્રમરાઓ પ્રભુને ઉપદ્રવ કરવા લાગ્યા, ગામના તરૂણ પુરૂષ પ્રભુની પાસે તે સુગંધની યુક્તિ માગવા લાગ્યા અને તરૂણ સ્ત્રીઓ કામ જવરના ઓષધરૂપ તેમના અંગના સંગને યાચવા લાગી. એ પ્રમાણે દીક્ષાના દિવસથી માંડીને ચાર માસ સુધી પ્રભુએ પર્વતની જેમ સ્થિર રહીને તે સંબંધી ઉપસર્ગો સહન કર્યા. અન્યદા પ્રભુ વિહાર કરતા કરતા મેરાક નામના ગામ પાસે આવ્યા. ત્યાં દુઈજજતક જાતિના તાપસો રહેતા હતા. તે તાપસોને કુલપતિ પ્રભુના પિતાને મિત્ર હતું. તે પ્રભુની ૧ સાથે રહેનાર સેવક. ૨ સાડાબાર કેટી દ્વવ્યને વરસાદ. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ સું પાસે આવ્યા. પૂર્વના અભ્યાસથી પ્રભુએ તેને મળવાને માટે તેની સામે હાથ પસાર્યાં. કુલપતિએ ત્યાં રહેવાની પ્રાથના કરી, એટલે સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીર એકરાત્રિકી પ્રતિમાએ ત્યાં તે રાત્રિ રહ્યા. પ્રાતઃકાળે વિહાર કરવાની ઈચ્છા કરતા પ્રભુને કુલપતિએ વિજ્ઞપ્તિ કરી કે, આ એકાંત સ્થાનમાં તમે વર્ષાકાળ નિમન કરજો. ' જો કે પ્રભુ વીતરાગ હતા પણ તેના આગ્રહથી તેનુ... વચન સ્વીકારી શ ́ખની જેમ નિરંજનપણે ત્યાંથી ખીજે વિહાર કરવાને ચાલ્યા. વાયુની જેમ પ્રતિબંધ રહિત અને કમલપત્રની જેવા નિલે પ પ્રભુએ સત્ર વિહાર કરતાં ગ્રીષ્મકાળ નિગમન કર્યો. પછી પાતાના પિતાના મિત્ર પેલા કુળપતિને આપેલુ' વચન સંભારી ચાતુર્માસ્ય કરવાને માટે મારાક ગામે પાછા પધાર્યા. વર્ષારૂતુમાં મેઘગર્જના કરી ધારાગૃહની જેમ અખંડ ધારાએ વર્ષવા લાગ્યા, અને હુંસની જેમ મુસાફરી) પોતાતાને સ્થાને જવા લાગ્યા. એ સમયે પૂર્વોક્ત કુલપતિએ પ્રભુની સાથે ભત્રીજાપણાને સ્નેહ સબંધ હૃદયમાં ચિંતવીને તૃણુથી આચ્છાદિત કરેલુ. એક ઘર પ્રભુને રહેવા માટે અર્પણ કર્યું”. તેમાં વડવાઈવાળા વટવૃક્ષની જેમ જાનુપ′′ત લાંખી ભુજાવાળા પ્રભુ મનને નિયંત્રિત કરીને પ્રતિમાધારીપણે રહ્યા. તે વખતે ભયકર ગ્રીષ્મૠતુના માહાત્મ્યથી જેમાં બધા તૃણુ સુકાઈ ગયા છે એવા વનમાં નવીન વર્ષાઋતુથી હજુ નવા તૃણુ ઉગી નીકળ્યા નહાતા તેથી ગામની ગાયેા તાપસેાના ઝુંપડાના તૃણુને ખાવા માટે દોડવા લાગી, એટલે નિર્દય તાપસા યષ્ટિવર્ડ ગાયાને મારવા લાગ્યા. તેઓએ જ્યારે ગાયાને મારીને હાંકી કાઢી ત્યારે તે ગાયા જેમાં પ્રભુ રહેતા હતા, તે ઝુપડીને ખાવા લાગી, “ પ્રભુ સ્તલની જેમ સ્થિર રહેતા હતા તેથી ત્યાં તેમને કાના ભય લાગે?” તે જોઈ તાપસે પ્રભુની ઉપર ક્રોધે ભરાયા છતા અંદર અંદર ખેલવા લાગ્યા કે− જેમ અમે અમારી ઝુંપડીઓનુ રક્ષણ કરીએ છીએ તેમ આ મુનિ તા તેની ઝુ ંપડીનું રક્ષણ કરતા નથી. અહા ! આવા તે આ કુલપતિને અતિથિ કાણુ છે કે જેના જોતા છતાં આ ગાયા તેની ઝુંપડીને ખાઈ જાય છે. અહા! કેવુ' અસ્વાર્થ નિષ્ટપણું છે ? શું કરીએ ! આ અતિથિ કુલપતિને આત્માની જેવા પ્રિય છે, તેના ભયથી અમે કાંઈ પણ કઠોર વચન ખાલી શકતા નથી.' આવુ· ધારી એક વખતે તે તાપસેા પ્રભુની ઉપર મનમાં ઘણુા મત્સર લાવી કુલપતિની પાસે ગયા. અને ઉપાલંભ આપીને આ પ્રમાણે ખેલ્યા કે, ‘· હું કુલપતિ! તમે આપણા આશ્રમમાં આવા તે ક્રાણુ મમતા રહિત મુનિને અતિથિ તરીકે લાવ્યા છે કે જેના અંદર રહેવા છતાં આપણા તે ઝુંપડાના નાશ થઈ ગયા. તે અતિથિ એવા તા અકૃતજ્ઞ, ઉદાસી, દાક્ષિણ્યતા રહિત અને આલસુ છે કે, જે ગાયાથી ખવાઈ જતાં પોતાના આશ્રમનું રક્ષણ કરતા નથી. હું મુનિ ! કર્દિ પેાતાના આત્માને મુનિ માનનાર એ અતિથિ સમતા ધારણ કરીને ગાયાને ઢાંકતા નહી' હાચ તે શુ' ગુરૂદેવનુ અર્ચન કરનારા અમે મુનિએ નથી?” તાપસાના આવાં વચને સાંભળી કુલપતિ પ્રભુની પાસે આવ્યે, અને જોયુ તે પાંખા આવેલા પક્ષીની જેમ તે આશ્રમ આચ્છાદન રહિત જોવામાં આવ્યા. એટલે આ તાપસા ઇર્ષ્યા વગરના અને Page #43 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ ] શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષને વિહાર [ ૨૯ સત્ય બોલનારા છે, એમ ચિંતવી તેણે પ્રભુને કહ્યું “હે તાત! તમે આ ઝૂંપડાની રક્ષા કેમ ન કરી? તમારા પિતાએ માવજીવ સર્વ આશ્રમોની રક્ષા કરી છે. દુટોને શિક્ષા કરવી, એ તમારું યોગ્ય વ્રત છે. વળી પક્ષીઓ પણ પોતાના માળાનું આત્માની જેમ રક્ષણ કરે છે તો તમે વિવેકી થઈને આશ્રમની કેમ ઉપેક્ષા કરી?” આ પ્રમાણે પિતાના વિવેકને રોગ્ય એવી શિક્ષા આપી એ વૃદ્ધ તાપસ સિદ્ધાર્થની મિત્રતા સંભારતો પુનઃ પોતાના આશ્રમમાં ગયે. પ્રભુએ વિચાર્યું કે, “મારે નિમિત્તે આ સર્વને અપ્રીતિ થશે, તેથી સર્વનું હિતનું ઇરછનારા એવા માટે અહિં રહેવું ગ્ય નથી.” આ પ્રમાણે ચિંતવતા અને અધિક વૈરાગ્યને ધારણ કરતા દયાનિધિ પ્રભુએ તે વખતે આ પ્રમાણે પાંચ અભિગ્રહ ધારણ કર્યા. ૧ કદિ પણ જ્યાં અપ્રીતિ થાય તેને ઘરે વસવું નહીં. ૨ જ્યાં રહેવું ત્યાં સદા કાર્યોત્સર્ગ કરીને જ રહેવું. ૩ પ્રાયઃ મૌનજ ધારણ કરવું. ૪ કરપાત્રવડે ભેજન કરવું અને ૫ ગૃહસ્થને વિનય કર નહીં, આ પ્રમાણે પાંચ અભિગ્રહ લઈને વર્ષાઋતુને અર્ધમાસ વ્યતિત થયા છતાં પણ ત્યાંથી વિહાર કરીને પ્રભુ અસ્થિ નામના ગામમાં આવ્યા. પ્રભુએ ત્યાં વસવાને માટે ગામના લોકોને વિજ્ઞપ્તિ કરી, એટલે ગામના લોકો બોલ્યા કે, “અહીં એક યક્ષ છે, તે કેઈને વસવા દેતો નથી, તે યક્ષની મોટી કથા છે, તે સાંભળેઅહીંઆ પૂર્વે વદ્ધમાન નામે શહેર હતું. અહીં બંને તટમાં કાદવવાળી વેગવતી નામે નદી છે. એક વખતે ધનદેવ નામે કઈ વણિક કરીયાણાના પાંચસો ગાડાં ભરીને અહીં આવ્યો હતો. તેની પાસે એક મટે વૃષભ હતો. તે મોટા વૃષભને આગળ કરીને તેણે બધા ગાડાંઓ એ વિષમ નદી ઉતારી દીધા. અતિ ભાર ખેંચવાથી એ વૃષભ મુખમાંથી રૂધિર વમતો જીર્ણ થયેલા સાત્વિક અશ્વની જેમ પૃથ્વી પર પડી ગયો. પછી તે વણિકે તે ગામના બધા લોકોને એકઠા કરીને તે વૃષભની સાક્ષીએ કહ્યું કે મારા જીવિત જેવા આ વૃષભને અહિં થાપણની જેમ મૂકી જાઉં છું, તેનું તમારે સારી રીતે પાલન પોષણ કરવું. આ પ્રમાણે કહીને તે વૃષભના ઘાસચારાને માટે તે ગ્રામ્યલકોને ઘણું ધન આપ્યું. સ્વામીને એ ધર્મ જ છે.” આ પ્રમાણે એ વણિક ઘાસચારા માટે દ્રવ્ય આપવાવડે તથા તેની પાસે પુષ્કળ ઘાસ પાણી મૂકવાવડે એ વૃષભનું પ્રિય કરી નેત્રમાં અશ્રુ લાવીને અન્યત્ર ચાલ્યો ગયે. તે પાપી ગ્રામ્યલોકોએ ઘાસચારાને માટે ધન લીધું પણ કુવૈદ્ય જેમ દ્રવ્ય લીધાં છતાં રોગીની સંભાળ ન લે તેમ તેઓએ તે વૃષભની ઘાસચારા વિગેરેની સંભાળજ લીધી નહીં. જેનું હૃદય તુટી ગયેલ છે એવા અને ક્ષુધા તૃષાથી પીડિત થયેલા તે વૃષભનાં અંગમાં માત્ર અસ્થિ અને ચર્મ રહ્યા. તેણે વિચાર્યું કે, “અહો! આ ગ્રામજ બધું નિર્દય, પાપીષ્ટ, નિષ્ફર આશયવાળું, બરાબર ચાંડાલ જેવું અને ઘણું ઠગારું છે. તેઓએ કરુણ લાવીને મારી જેવા દીનનું પાલન કરવું તે દૂર રહ્યું પણ મારા સ્વામીએ જે મારા ઘાસચારા માટે ધન આપ્યું હતું, તે પણ આ ગામના લોકો ખાઈ ગયા.” આ પ્રમાણે આ ગામના રહેનારા ઉપર કેધવાળ વૃષભ અકામ નિજર કરી મૃત્યુ પામીને શૂલપાણિ નામે વ્યંતર થયેલ છે. તેણે વિસંગે જ્ઞાનથી પિતાના પૂર્વ જન્મની કથા જાણી અને પોતાનું વૃષભરૂપ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પ ૧૦ નું શરીર પણ દીઠું, તેથી તેને આ ગામના લોકો ઉપર ઘણે ક્રોધ ચડ્યો. એટલે જાણે મહામારીનો અધિકારી દેવ હોય તેમ તેણે આ ગામમાં મહામારીને રેગ વિકુ. તેથી મૃત્યુ પામતા ગ્રામ્યલકો વડે અહિંઆ અસ્થિના ઢગલા થઈ ગયા. ગામના આતુર લેકે વારંવાર જ્યોતિષી વિગેરેને મરકીની શાંતિના ઉપાય પૂછવા લાગ્યા અને વૈદ્યની આજ્ઞા જેમ રોગી ઉઠાવે તેમ તેમની આજ્ઞા ઉઠાવીને મહામારીની શાંતિ માટે અનેક ઉપાય કરવા લાગ્યા. તેઓએ વારંવાર ગૃહદેવીઓની પણ સ્નાત્ર પૂજા કરી, તથાપિ જરા પણ મહામારીની શાંતિ થઈ નહીં. એટલે આ ગામના લોકે આ ગામ તજીને બીજા ગામમાં ચાલ્યા ગયા, પણ યમરાજના યુવરાજ જે તે ધી વ્યંતર તેમને ત્યાં પણ મારવા લાગ્યો. પછી સર્વ ગ્રામલકે એ વિચાર્યું કે, “આપણે કોઈ દેવ, દૈત્ય, યક્ષ કે ક્ષેત્રપાળને કોપા છે, માટે પાછા તે જ ગામમાં જઈએ અને તેને પ્રસન્ન કરવાના ઉપાય લઈએ.” આ પ્રમાણે વિચારી તેઓ એકઠા થઈને અહીં પાછા આવ્યા. પછી તેઓ સ્નાન કરી, વેત વસ્ત્ર પહેરી, ઉત્તરાસંગ ધરી છુટા કેશ મૂકી, ચત્વર ત્રિક વિગેરેમાં, ઉદ્યાનની ભૂમિમાં તથા ભૂતગૃહમાં તેમ જ બીજે સર્વ સ્થાનકે બળિ ઉડાડતા દીન વદને મુખ ઉંચા રાખી અંજલિ જોડીને આ પ્રમાણે કહેવા લાગ્યા કે-“હે દેવતાઓ, અસુરો, યક્ષો, રાક્ષસો અને કિન્નરો! અમે એ પ્રમાદથી જે કાંઈ તમારો અપરાધ કર્યો હોય તે સર્વથા ક્ષમા કરજે. મહાન પુરૂષને કેપ કદિ મોટો હોય તે પણ તે પ્રણામ સુધીજ રહે છે, માટે જે કઈ અમારાથી વિરાધિત થયેલ હોય તે પ્રસન્ન થાઓ.” આવી ગામના લોકોની દીનવાણી સાંભળી તે વ્યંતર આકાશમાં રહીને બે કે-“અરે! લુબ્ધકની જેવા દુરાશયવાળા લોકે! તમે હવે મને ખમાવવા આવે છે, પણ તે વખતે પેલા ક્ષુધા તૃષાથી પીડિત એવા વૃષભને માટે વણિકે જે ઘાસચારાનું ધન આપ્યું હતું તે વડે પણ તમે તેને ઘાસ કે પાણી કાંઈ આપ્યું નહોતું તે વૃષભ મૃત્યુ પામીને હું આ શૂલપાણિ નામે યક્ષ થયો છું. તે વૈરથી હું તમને મારી નાખવાનો છું. માટે તે વાત સંભાર !” આવાં વચન સાંભળી તેઓ પુનઃ ધૂપાદિક કરી પૃથ્વી પર આલેટી દીન થઈને આ પ્રમાણે કહેવા લાગ્યા-“હે દેવી! અમે તમારો અપરાધ કર્યો છે, તથાપિ હવે ક્ષમા કરે. બીજા કોઈના પણ શરણુ વગરના અમે તમારે શરણે આવ્યા છીએ.” તેમના આવાં વચન સાંભળી તે વ્યંતર જરા શાંત થઈને બોલ્યો કે આ જે મનુષ્યના અસ્થિઓ પડયા છે તેને સંચય કરે અને તેની ઉપર એક ઉંચું મારૂં દેવાલય કરાવો, તેમાં વૃષભરૂપે મારી મૂર્તિ કરીને સ્થાપ. આ પ્રમાણે કરવાથી હું તમને જીવિત આપીશ, અન્યથા નહીં આપું.” પછી સર્વ ગ્રામલોકોએ એકઠા થઈને તે યક્ષના વચન પ્રમાણે સર્વ કર્યું. ઈશિર્મા નામના એક બ્રાહ્મણને મોટે પગાર ઠરાવીને તે શૂલપાણિને પૂજારી નીમ્યો. અહીં અસ્થિ સંચય છે તેથી આ ગામનું નામ જે કે વાદ્ધમાન છે ( ૧ આ વર્ધમાન ગામ હાલ કાઠીઆવાડમાં આવેલા વઢવાણને કહે છે, ત્યાં શલપાણિ યક્ષનું દેવું અને તેની પ્રતિમા પણ છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ એ] શ્રી મહાવીર પ્રભુનો પ્રથમના છ વર્ષનો વિહાર [ ૩૧ તે પશુ ત્યારથી લેાકમાં અસ્થિક એવે નામે પ્રખ્યાત થયું. જે કાઈ કાપ ટીક વિશ્રાંત થઈને આ સ્થાનમાં રાત્રિવાસેા કરે છે, તેને તે શૂલપાણિ ચમરાજની જેમ મારા નાખે છે. અહિંના લાકા અને તેના પૂજારી ઇંદ્રશમાં પણ દિવસે અહી. રહી, સાયંકાલે પાતપાતાને ઘેર ચાલ્યા જાય છે, તેથી તમારે પણ અહી રહેવુ. ચેગ્ય નથી. ’ આ પ્રમાણે કહીને તે ગામના લોકોએ વીર પ્રભુને ખીજું સ્થાત રહેવા માટે ખતાવ્યું. પશુ પ્રભુએ તે ન સ્વીકારતાં તે યક્ષના સ્થાનનીજ માગણી કરી. એટલે ગામના લેાકાએ આજ્ઞા આપી. મેધ કરવાને ચેાગ્ય એવા તે વ્યંતરને જાણતા પ્રભુ તે યક્ષના સ્થાનમાં એક ખૂણે પ્રતિમા ધરીને ઉભા રહ્યા. ઇંદ્રશાઁ પૂજારીએ સાય'કાળે ધૂપ કરી બીજા મુસાફાને ત્યાંથી કાઢી મૂકી ભગવંતને પણ કહ્યુ` કે હું દેવ! તમે પણ આ સ્થાનમાંથી ખહાર નીકળા, કેમકે આ વ્યંતર ક્રૂર હાવાથી રાત્રે તમને મૃત્યુ પમાડશે.' તથાપિ પ્રભુ મૌન ધરીને ત્યાંજ સ્થિત રહ્યા. તે બ્યતરે વિચાયુ” કે, અહા ! આ કાઈ મરવાની ઈચ્છાએજ મારા સ્થાનમાં આવ્યે જાય છે; કેમકે ગ્રામàાકાએ અને મારા પૂજારીએ વારવાર વાર્યાં તા પણ આ વિષ્ઠ મુનિ અદ્ઘિજ રાત્રિવાસેા રહ્યો છે, તા હવે હું તેના ગવને હરી લઉં', ' પછી વખત થવાથી પૂજારી ચાલ્યા ગયા અને સૂર્ય અસ્ત પામ્યા; એટલે જ્યાં પ્રભુ કાયાત્સગ કરીને રહ્યા હતા ત્યાં તે વ્યંતરે અટ્ટહાસ્ય કર્યું". ચાતરફ પ્રસરતા અતિ રૌદ્ર અટ્ટહાસ્યના શબ્દથી જાણે આકાશ ફુટી ગયું હોય અને નક્ષત્રમ`ડલ તુટી પડ્યુ· હોય તેમ દેખાયુ.. તે સાંભળી ગામના લેાકા પરસ્પર કહેવા લાગ્યા કે, જરૂર પેલા મુનિને અત્યારે તે વ્યંતર મારી નાખશે.’ તે વખતે પાર્શ્વનાથના સાધુએમાં ફરનાર ઉત્પલ નામે અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનમાં પડિત એવા એક પરિવ્રાજક ત્યાં આવ્યા હતા. તેણે લેાકા પાસેથી તે દેવાય મહાવીરનું વૃત્તાંત સાંભળ્યુ. તેથી રખે તે છેલ્લા તીથ કર હાય !” એમ વિચારતાં તેના હૃદયમાં ધીરજ રહી નહી. અર્થાત્ તેને બહુ ચિંતા થવા લાગી. અહી પેલા ચન્ને મહા ભયંકર અટ્ટહાસ કર્યું. તેથી પ્રભુને કિંચિત પણ છેૢાલ થયા નહી, એટલે તે વ્ય ંતરે મહાધાર હાથીનું રૂપ વિકુછ્યુ. પ્રભુએ તે હાથીના રૂપને પશુ ગણ્યુ નહીં, એટલે ભૂમિ અને આકાશના માનદંડ જેવું પિશાચનું રૂપ વિકળ્યુ. તેથી પણ પ્રભુ ક્ષેાભ પામ્યા નહી. પછી તે દુઃ યમરાજના પાશ જેવુ' ભય'કર સપનુ. રૂપ વિકુછ્યુ, અમેાઘ વિષના જીરા જેવા તે સર્પ પ્રભુના શરીરને દૃઢ રીતે ભરડા લીધે। અને ઉગ્ર દાઢાથી ડસવા લાગ્યા. જ્યારે સપ પણ નિષ્ફળ થયા ત્યારે તે યક્ષે પ્રભુને શિર, નેત્ર, મૂત્રાશય, નાસિકા, દાંત, પૃષ્ટ અને નખ એમ સાત સ્થાનકે અસહ્ય વેદના પ્રગટ કરી. એમાંની એક વેદના પણ સામાન્ય માણસને મૃત્યુ પમાડે, તેવી સાતે વેદના એક સાથે ઉત્પન્ન કરી તા પણ પ્રભુએ તે સહન કરી. આ પ્રમાણે ઉપસર્ગ કરી કરીને તે વ્યંતર જ્યારે થાકી ગયા ત્યારે વિસ્મય પામી પ્રભુને નમી અજલી જોડીને કહેવા લાગ્યા- હે દયાનિધિ! તમારી શક્તિને નહીં જાણતા એવા મે દુરાત્માએ તમારા અત્યંત અપરાધ કર્યો છે તે ક્ષમા કરી.? તે વખતે પેલા C Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પ ૧૦ મું સિદ્ધાર્થ દેવ કે જેનું મન આટલીવાર પિતાના કાર્યમાં વ્યગ્ર હતું. તેને હવે પ્રભુ પાસે રહેવાની ઈંદ્રની આજ્ઞા સાંભરી. તત્કાળ ત્યાં આવી મોટા આટોપથી બેલ્યો કે, “અરે દેવાધમ શૂલપાણિ! નહીં પ્રાર્થના કરવા ગ્ય જે મૃત્યુ તેની પ્રાર્થના કરનારની જેમ તે આ શું કર્યું! હે દુર્મતિ ! આ સિદ્ધાર્થ રાજાના પુત્ર તીર્થકર ભગવંત વીરપ્રભુ છે કે જે ત્રણ લેકને પણ પૂજવા યોગ્ય છે, તેને શું તું નથી જાણતો? જો આ તારું ચરિત્ર પ્રભુનો ભક્ત શકઈ જાણશે તો તું તેના વજની ધારાનો ભંગ થઈ પડીશ. સિદ્ધાર્થના આવાં વચન સાંભળીને શૂલપાણિ ભય અને પશ્ચાત્તાપથી આકુળવ્યાકુળ થઈ ગયે. તેથી તેણે પ્રભુને ફરીવાર ખમાવ્યા. કેમકે તે વખતે બીજે કાંઈ ઉપાય નહતું. તેને પ્રશાંત થયેલ જાણીને દયાળુ સિદ્ધાર્થે કહ્યું કે “અરે! તું હજુ તત્ત્વને જાણતો નથી, માટે જે યથાર્થ તત્વ છે તે સાંભળ-વીતરાગમાં દેવબુદ્ધિ, સાધુઓમાં ગુરૂબુદ્ધિ અને જિનેશ્વર ભગવંતે કહેલા ધર્મમાં ધર્મબુદ્ધિએ પ્રમાણે આત્મા સામે નિર્ણય કર. હવેથી પિતાના આત્માની જેમ કોઈ પણ પ્રાણીને પીડા કરીશ નહીં. પૂર્વે કરેલાં સર્વ દુષ્કૃત્યની નિંદા કર. પ્રાણ એકવાર પણ આચરેલા તીવ્ર કર્મનું ફળ કેટાનકોટી ગણું પામે છે.” આ પ્રમાણે તત્વ સાંભળી શૂલપાણિ યક્ષ પ્રથમ કરેલા અનેક પ્રાણીઓના ઘાતને સાંભળીને વારંવાર પિતાના આત્માને નિંદવા લાગે અને ઘણે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી સમકિતને ધારણ કરી સંસારથી ઉદ્વેગ પામેલા તે યક્ષે પ્રભુના ચરણની પૂજા કરી અને પિતાના અપરાધરૂપ મળને છેવામાં જલ જેવું સંગીત પ્રભુની આગળ કરવા લાગ્યા. તે સંગીનના શબ્દને સાંભળીને ગામના લકે ચિંતવવા લાગ્યા કે, “તે મુનિને મારીને હવે યક્ષ ક્રીડા કરતે હશે.' પ્રભુને કાંઈક ઉણા ચાર પહોર સુધી શૂળપાણિએ કદર્શિત કર્યા હતા, તેથી શ્રમ લાગતાં પ્રભુને જરા નિદ્રા આવી. તેમાં તેમણે આ પ્રમાણે દશ સ્વપ્ન જોયા-પ્રથમ વને વૃદ્ધિ પામતા તાળપિશાચને પિતે હો એમ દીઠું. બીજે સ્વને વેત કેકિલ અને ત્રીજે સ્વને વિચિત્ર કોકિલ પિતાની સેવા કરતા જોવામાં આવ્યા. ચોથે સ્વપ્ન બે સુગંધી માળા દીઠી. પાંચમે સ્વને પિતાની સેવા કરવામાં ઉધત થયેલ ગેવગે છે. છઠું સ્વપ્ન પદુમથી ભરપૂર પ સરવર દીઠું. સાતમે સ્વને પિતે બે ભુજાથી સાગર તરી ગયા. આઠમે સ્વપને કીરણેને પ્રસારતું સૂર્યબિંબ જોયું. નવમે સ્વને પોતાના આંતરડાથી વીંટાએલે માનુષોત્તર ગિરિ છે અને દશમે સ્વને પિતાને એરૂગિરિના શિખર ઉપર આરૂઢ થયેલા જોયા, આ પ્રમાણે દશ સ્વપ્ન જોઈ પ્રભુ જાગ્રત થયા. તેવામાં જાણે તેમને વંદન કરવાને ઈચ્છતે હોય તેમ સૂર્ય ઉદય પામ્યું. તે વખતે ગામના સર્વ લેકે, ઇદ્રશર્મા પૂજારી અને ઉ૫લ નિમિત્તિઓ ત્યાં આવ્યા. પ્રભુને અક્ષત અંગવાળા અને પૂજેલા જોઈ સર્વ હર્ષ પામ્યા. પછી આશ્ચર્યથી પુરપાદિકવડે પ્રભુને પૂછ રણમાં જીત પામેલા વીરાની જેમ તેઓએ માટે સિંહનાદ કર્યો. પછી તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે, “આપણે ભાગ્યયોગે જ આ દેવાય પ્રભુને દુષ્ટ વ્યંતરના ઉપદ્રવમાંથી કુશળ રહેલા દીઠા છે.” Page #47 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ ] શ્રી મહાવીર પ્રભુનો પ્રથમના છ વર્ષને વિહાર [૩૭ ઉ૫લ નિમિતિએ પ્રભુને ઓળખીને વંદના કરી અને લઘુશિષ્યની જેમ તે પ્રભુના ચરણકમળ પાસે બેઠે. ભગવંતે કાત્સગ પાય પછી ઉત્પલ પ્રભુને ફરીને નમ્યો અને પિતાના જ્ઞાનના સામર્થ્યથી પ્રભુને આવેલા દશ સ્વપ્નને જાણીને તે બોલ્યા કે, “હે સ્વામી! તમોએ રાત્રિને અંતે જે દશ સ્વપ્ન જોયા છે તેનું ફળ તમે પિતે તે જાણે છે, તથાપિ હું ભક્તિવશ થઈને કહું છું–હે નાથ! પ્રથમ સ્વને તમે જે તાલપિશાચને હશે, તેથી તમે મોહને હણી નાખશે, બીજે સ્વને જે શુકલ કોકિલ જોયો. તેથી તમે શુકલ ધ્યાનપર આરૂઢ થશો, ત્રીજે સવને જે વિચિત્ર કોકિલ છે, તેથી તમે દ્વાદશાંગીને વિસ્તારો, પાંચમે સ્વને જે ગવગ જે તેથી તમારે ચતુર્વિધ સંઘ થશે, છઠું સ્વપ્ન જે પદ્ધસરોવર જોયું તેથી દેનો સમૂહ તમારા સેવકભૂત થશે, સાતમે સ્વને જે સમુદ્ર તરી ગયા તેથી આ ભવસમુદ્રને તરી જશે, આઠમે સ્વને જે સૂર્ય જે તેથી તમને કેવલજ્ઞાન ઉત્પન્ન થશે, નવમે સ્વપને જે આંતરાડાથી વીંટાએલ માનસર પર્વત જે તેથી તમારે પ્રતાપ યુક્ત યશ વિસ્તૃત થશે અને દશસે સ્વપને જે તમે મેરગિરિના શિખર ઉપર ચડયા તેથી તમે સિંહાસન પર બેસીને ધર્મનો ઉપદેશ કરશે. આ પ્રમાણે નવ સર્વનનું ફળ હું જાણું છું, પણ ચોથા સ્વપ્નમાં તમે જે બે માળાએ જઈ તેનું ફળ હું જાણતો નથી. તે સમયે ભગવંત બોલ્યા-એ બે માળાનું ફળ એવું છે કે, હું ગૃહસ્થાનો અને યતિનો-એમ બે પ્રકારે ધર્મ કહીશ.” પછી ઉ૫લ પ્રભુને નમીને પિતાને સ્થાનકે ગયે અને બીજાઓ પણ મનમાં વિસ્મય પામી તિપિતાને સ્થાનકે ગયા. ત્યાં આઠ અધ માસક્ષપણ કરવાવડે ચાતુર્માસ્ય નિમન કરીને પ્રભુએ તે અસ્થિક ગામથી અન્યત્ર વિહાર કર્યો. તે વખતે શૂલપાણિ યક્ષ પ્રભુની પછવાડે આવી નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે-“હે નાથ ! તમે પોતાના સુખની અપેક્ષા કર્યા વિના માત્ર મારી ઉપર અનુકંપા કરવાને માટે જ અહિં આવ્યા હતા, પરંતુ મારા જે કોઈ પાપી નહી કે, જેણે તમારે વિષે આ અપકાર કર્યો અને તમારા જેવો કોઈ સ્વામી નહીં, કે જે તેમ છતાં પણ મારે વિષે ઉપકારી થયા. હે વિશ્વના ઉપકારી ! જે તમે અહીં આવીને મને બોધ ન કર્યો હોત તો આજે મેં જરૂર નરકભૂમિ મેળવી હોત.” આ પ્રમાણે કહીને તે પણ ભક્તિપૂર્વક ભગવંતને પ્રણામ કરી મદ રહિત હસ્તિની જેમ શાંત થઈ પાછો વળે. દીક્ષાના દિવસથી એક વર્ષ વીત્યા પછી પાછા પેલા મારાક ગામમાં આવીને પ્રભુ બહારના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. તે સમયે તે ગ્રામમાં અચ્છેદક નામે એક પાખંડ રહેતે હતે. તે મંત્ર તંત્ર વિગેરેથી પિતાની આજીવિકા ચલાવતું હતું. તેના માહાભ્યને સિદ્ધાર્થ વ્યંતર સહન કરી શક્યો નહીં, તેથી અને વીર પ્રભુની પૂજાની અભિલાષાથી તે સિદ્ધાર્થ પ્રભુના શરીરમાં પ્રવેશ કર્યો. પછી કોઈ ગેપાલ જ હતો તેને બેલાવીને કહ્યું D - 5 Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ મું કે, “તે સૌવીર સહિત કંગરનું ભોજન કર્યું છે અને તું બલદેનું રક્ષણ કરવાને જાય છે. અહીં આવતાં આવતાં તે એક સપને જે હતું, અને આજે તું સ્વપ્નામાં ભરપૂર રાયો હતે. અરે ગેપ ! ખરે ખરું કહે, આ બધું મારું કહેવું બરાબર છે?” ગોપાલે કહ્યું બધું સત્ય છે. પછી સિદ્ધાથે તેને વિશેષ પ્રતીતિ ઉપજાવવાને માટે બીજું ઘણું કહ્યું. તે સાંભળી ગોવાળ વિસ્મય પામી ગયો. તેણે ગામમાં જઈને કહ્યું કે “અહા ! આપણા ગામની બહાર વનમાં એક ત્રિકાલવેરા દેવાય આવેલા છે, તેઓએ મને પ્રતીતિ થાય તેમ બધું બરાબર કહ્યું છે.” તે સાંભળી બધા ગામના લેકે કૌતુકથી પુષ્પ અક્ષત વિગેરે પૂજાનો સામાન લઈ પ્રભુની પાસે આવ્યા. સિદ્ધાર્થ પ્રભુના શરીરમાં સંક્રમીને બોલ્યો કે, “તમે સર્વે શું મારે અતિશય જેવાને આવ્યા છે?” ગામના લોકોએ “હા” કહી, એટલે સિદ્ધાર્થ પૂર્વે તેઓએ જે જોયેલું, કરેલું, સાંભળેલું અને કહેલું હતું તે બધું બરાબર કહી આપ્યું. સિહાથે કેટલુંક ભવિષ્ય કહ્યું, તે સાંભળી લોકોએ મોટા મહિમાથી પ્રભુની પૂજા અને વંદના કરી. એવી રીતે લોકો પ્રતિદિન ઉપરાઉપર આવી આવીને પડવા લાગ્યા, તેથી સિદ્ધાર્થના મનમાં ઘણી પ્રીતિ ઉત્પન્ન થઈ એક વખતે ગામના લેકેએ ત્યાં આવીને કહ્યું, “સ્વામી! અમારા ગામમાં એક અચ્છેદક નામે જ્યોતિષી વસે છે, તે પણ તમારી જેમ બધું જાણે છે.” સિદ્ધાર્થ બે કે, તે પાખંડી કાંઈ પણ જાણતો નથી. તે તે તમારા જેવા ભેળા માણસોને છેતરીને પિતાની ઉદરપૂરણા કરે છે. તે લોકોએ આવીને અચ્છેદકને કહ્યું કે, “અરે! તું તે કાંઈ પણ જાણતું નથી, સર્વ ભૂત, ભવિષ્ય ને વર્તમાન તે નગર બહાર રહેલા દેવાયું જાણે છે.” તે સાંભળી પિતાની પ્રતિષ્ઠાનો નાશ થવાના ભયથી અચ્છેદક બે-“અરે લોકો ! ખરેખર પરમાર્થને નહીં જાણનારા એવા તમારી આગળ તે જાણનારમાં ખપે છે, પણ જે તે મારી આગળ આવે તે હું જાણું કે, તે ખરેખર જ્ઞાતા છે. ચાલે, આજે તમારા દેખતાં હું તેની અજ્ઞતા ખુલ્લી કરી આપીશ.” આ પ્રમાણે કહીને તે અચ્છેદક કેધ કરતે ગામના કૌતુકી લોકોની સાથે જ્યાં પ્રભુ કાર્યોત્સર્ગ કરી રહ્યા હતા, ત્યાં સત્વર આવ્યો. પછી બે હાથની આંગળીમાં એક ઘાસનું તરણું બંને બાજુથી પકડીને પ્રભુ પ્રત્યે બોલ્યો કે, “કહે, આ તરણું મારાથી છેદાશે કે નહીં ?” તેના મનમાં એવું હતું કે, આ દેવાય જે કહેશે તેથી હું વિપરીત કરીશ, એટલે તેની વાણી અમૃત થઈ જશે.” સિદ્ધાર્થ પ્રભુના શરીરમાં સંક્રમીને કહ્યું કે, “એ તૃણ છેદાશે નહીં. એટલે અચ્છેદક આંગળી સજજ કરીને તે તરણું છેઠવા તત્પર થયો. તે વખતે ઈદ્ર પિતાની સભામાં બેઠા બેઠા વિચાર્યું કે, “હમણા વીરપ્રભુ ક્યાં વિચરતા હશે?” ઉપગ આપી જોયું, તે પ્રભુની સાથે તે અદકની ચેષ્ટા તેમના જેવામાં આવી. તત્કાળ તેણે ધાર્યું કે, “પ્રભુના મુખથી નીકળેલી વાણી અસત્ય ન થાઓ.” એવું ધારી તેણે અચ્છદકની દશે આંગળી વજથી છેદી ૧. એક જાતની કાંજી, ૨ કાંગ જાતિનું ધન, _ . . * - - - Page #49 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ ] શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષના વિહાર [૩૫ નાખી, તૃણને છેદતાં તેને આવી રીતે દુઃખી થયેલો જોઈને બધા લકે તેને હસવા લાગ્યા. તેથી મૂઢ બુદ્ધિવાળે અચ્છેદક ઉમરની જેમ ત્યાંથી બીજે ચાલ્યો ગયો. પછી સિદ્ધાર્થે ગ્રામ્ય જનને કહ્યું કે, આ અચ્છેદક ચેર છે.” ત્યારે લેકેએ પૂછયું “સ્વામી! તેણે શું અને કેનું ચાયું છે?” સિદ્ધાર્થે કહ્યું “આ ગામમાં એક વરઘોષ નામે સેવક છે.” તે સાંભળતાં જ વીરઘાણે ઊભા થઈને પ્રણામ કર્યો. કહ્યું કે, “શું આજ્ઞા છે?” એટલે ફરીવાર સિદ્ધાર્થ – પૂર્વે દશપળ પ્રમાણનું એક પાત્ર તારા ઘરમાંથી ખેવાયું છે?” વીરાજે કહ્યું, હા. પછી સિદ્ધાર્થ બેલ્યો કે, “તે પાત્ર આ પાખંડી અછંદકે હરી લીધું છે, તેની ખાત્રી કરી જે. તારા ઘરની પાછળ પૂર્વ દિશામાં સરગવાનું વૃક્ષ છે, તેની નીચે એક હાથ છેદીને દાટેલું છે, માટે જા, તે લઈ લે.” વરઘોષ ઉત્કંઠિત થઈ તે લેવાને માટે પિતાને ઘેર ગયો અને જે ઠેકાણે કહ્યું હતું તે ઠેકાણેથી તે લઈને પાછા આવ્યા. તે જોઈ કોલાહલ કરી રહેલા ગામના લોકોને સિદ્ધાર્થે પુનઃ કહ્યું, “સાંભળો, અહિં કેઈ ઈદ્રશર્મા નામે ગૃહસ્થ છે?” લોકોએ હા પાડી, ત્યાં તે ઇંદ્રશર્મા આવીને હાજર થયા અને અંજલિ જોડીને બોલ્યો કે, “ઈદ્રશમાં હું. શી આજ્ઞા છે?” સિદ્ધાર્થે કહ્યું, “ભદ્ર! પ્રથમ તારે એક મેં એવા છે?' ઇદ્રશમ વિસ્મય પામીને બોલ્યો-હા. સિદ્ધાર્થ બે- તે મેંઢાને આ અચ્છેદક ભિક્ષુક મારીને ખાઈ ગયો છે અને તેના અસ્થિ બોરડીના વૃક્ષની દક્ષિણ બાજુએ દાટી દીધા છે.” લેકેએ કૌતુકથી ત્યાં જઈ તેના અસ્થિ જેયા, અને “ત્યાં છે” એમ આવીને તેઓએ કહ્યું. સિદ્ધાર્થ બોલ્યો-“તે પાખંડીનું એક ત્રીજુ પણ દુશ્ચરિત છે, પણ હવે હું તે કહીશ નહી.” ગામના લેકે આગ્રહથી વારંવાર બેલ્યા કે, “ભગવદ્ ! પ્રસન્ન થાઓ, અને તે અમને થોડું પણ કહે. તમારી કહેલી અર્ધ કથા પણ ઘણી રમણીક લાગશે.” સિદ્ધાર્થ કે, “તો તે કહીશ જ નહિ, પણ જે તમારે કુતુહલ હોય તે તે અચ્છેદકને ઘેર જઈ તેની સ્ત્રીને પૂછે, તે કહેશે.” એટલે લોકે તેને ઘેર ગયા. હવે તે દિવસે તેણે પિતાની સ્ત્રીને મારેલી હતી, તેથી તે રાષવતી થઈ નેત્રમાં અશ્વ લાવી આ પ્રમાણે ચિંતવતી હતી કે, “આ દુરાશય પતિ અચ્છદકની આંગળીઓ છેદાણી અને બધા લોકોએ તેને તિરસ્કાર કર્યો તે બહુ સારું થયું, હવે જે લોકો હમણું મારી પાસે આવે તે હું તેનું સર્વ દુશ્ચરિત ખુલ્લુ કરી દઉં, કે જેથી એ પાપી મને મારવાનું ફળ પૂરેપૂરું મેળવે. તેવામાં તે ગામના લોકો ત્યાં આવ્યા, અને તેઓએ તે સ્ત્રીને અચ્છેદકના દુરિત વિષે પૂછયું, એટલે તે બોલી કે, “એ પાપીનું નામ પણ કેણુ લે, એ દુષ્ટ કર્મચાંડાળ પોતાની બેનની સાથે વિષયસુખ ભેગવે છે અને કદિ પણ મારી ઈરછા કરતા નથી.” આ વાત સાંભળી કળકળાટ કરતા ગામના લોકો અચ્છદકની નિંદા કરતા કરતા પિતાપિતાને ઘેર ચાલ્યા ગયા. પછી એ ભિક્ષુક સર્વ કેકાણે “પાપી, પાપી” એમ કહેવાત તિરસ્કાર પામ્ય અને કઈ કેકાણેથી તેને ભિક્ષા પણ મળી નહીં. પ્રતિષ્ઠા રહિત પુરુષને ધિક્કાર છે.” Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૬] : શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ મું પછી અચ્છેદક એકાંતે શ્રી વીરપ્રભુ પાસે જઈ દીનપણે નમીને બેલ્યો કે “હે ભગવન! આપ અહિંથી બીજે પધારે. કેમ કે જે પૂજ્ય હોય છે તે તે બધે પૂજાય છે. હું તે માત્ર અહિંજ જાણીતું છું, બીજે તે મારું નામ પણ કઈ જાણતું નથી! “શૂગાળનું શૌય તેની ગુફામાં જ હોય છે, બહાર હેતું નથી. ” હે નાથ! મેં તમારો અજાણે પણ જે અવિનય કર્યો તેનું ફળ મને હમણાં જ પ્રાપ્ત થયેલું છે, માટે હવે તમે મારા ઉપર કૃપા કરો.” આવાં તેનાં વચન સાંભળીને અપ્રીતિવાળા સ્થાનને પરિહાર કરવાના અભિગ્રહવાળા પ્રભુ ત્યાંથી ઉત્તરે ચાવાળ નામના સન્નિવેશ તરફ ચાલ્યા. દક્ષિણે અને ઉત્તરે એમ ચાવાલા નામના બે ગામ હતા અને તેની વચમાં સુવર્ણવાળુકા તથા રૂપવાળુકા નામે બે નદીઓ હતી. પ્રભુ દક્ષિણ બાજુના ચાવાલ ગામથી ઉત્તર બાજુના ચાવાલ ગામ તરફ જતા હતા, ત્યાં સુવર્ણવાળુકાના તટ ઉપર તેમનું અર્ધ દેવદૂષ્ય વસ્ત્ર કાંટા સાથે ભરાઈ રહ્યું. થોડે ચાલ્યા પછી પ્રભુએ વિચાર્યું કે, “આ વસ્ત્ર અયોગ્ય સ્થંડિલ ભૂમિએ ભ્રષ્ટ ન થાઓ.” એમ વિચારી જરા પાછું જે પ્રભુ આગળ ચાલતા થયા. હવે પેલો બ્રાહ્મણ જે પ્રભુની પાછળ ફરતો હતો, તે તેર માસે આ અર્ધ વસ્ત્ર લઈ પ્રભુને વાંદીને પિતાના ગામ તરફ ચાલ્યું. હર્ષિત ચિત્તે પિતાને ગામે પહોંચી તે અર્ધ વસ લઈને પિલા વણકરની પાસે ગયો અને તેને તે વસ્ત્ર આપ્યું. તુણનારે તેના બે ખંડને ન જણાય તેવાં સાંધી લીધા. પછી તે વેચતાં તેને એક લાખ દીનાર ઉપજ્યા. તે બંને જણાએ બંધુની જેમ અર્ધ અર્ધ વેંચી લીધા. ' અહિં ભગવાન વીરપ્રભુ પવનની જેમ અખલિતપણે વિહાર કરતા શ્વેતાંબી નગરી તરફ ચાલ્યા. માર્ગમાં ગોવાળોના પુત્રોએ કહ્યું કે, “હે દેવાય! આ માર્ગ તાલીએ પાંશરો જાય છે, તેની વચમાં કનકબળ નામે તાપસેને આશ્રમ આવે છે, ત્યાં હમણુ એક દષ્ટિવિષ સ૫ રહે છે, જેથી ત્યાં પક્ષીઓને પણ સંચાર નથી, માત્ર વાયુનેજ સંચાર છે. માટે એ સરળ માર્ગ છેડી દઈ બીજા આ વક્ર માર્ગે ચાલે, કેમકે જેનાથી કાન ત્રુટી જાય તેવું સુવર્ણનું કર્ણાભૂષણ પણ શા કામનું?” પ્રભુએ જ્ઞાનવડે તે સપને ઓળખે. એ સર્ષ પૂર્વ જન્મમાં તપસ્વી સાધુ હતે, એક વખતે તે પારણાને માટે ઉપાશ્રયથી બહાર ગયે. માર્ગમાં તેના પગ નીચે એક દેડકી કચરાઈ ગઈ. તે જોઈને તેની આલોચના કરવા માટે એક ક્ષુલ્લકે તેને દેડકી બતાવી, તે જોઈ ઉલટ તે લેકેએ મારી નાખેલી બીજી દેડકીઓ બતાવવા લાગ્યો અને બોલ્યા કે-“અરે ક્ષુલ્લક! શું આ દેડકીઓ પણ મેં મારી નાંખી?” તે સાંભળી ક્ષુલ્લક મૌન ધરી રહ્યા. શુદ્ધિબુદ્ધિએ તેણે વિચાર્યું કે, “આ મહાનુભાવ છે, તેથી સાયંકાળે તેની આલોચના કરશે. પછી આવશ્યક (પ્રતિક્રમણ) કરતાં પણ જ્યારે તેની આચના કર્યા વગર તે સાધુ બેસી ગયા, ત્યારે ક્ષુલ્લકે ચિંતવ્યું કે, “એ દેડકાની વિરાધના ભુલી ગયા હશે, તેથી તેણે સંભારી આપ્યું કે, “આર્ય! કેમ તમે પેલી Page #51 -------------------------------------------------------------------------- ________________ સ ૩ જે] શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષના વિહાર દેડકીની આલાચના કરતા નથી ?' તે સાંભળીને ક્ષેપક ક્રોધ કરી ઊભા થઈ તે ક્ષુલ્લકને મારવા દોડવા. ક્રોધાંધ થઈ ને ચાલતાં વચમાં એક સ્તંભ સાથે મસ્તક અફળાઈ જવાથી તે સાધુ મૃત્યુ પામી ગયા. સાધુપણાની વિરાધના કરવાથી તે જ્યાતિષ્ક દેવતામાં ઉત્પન્ન થયા. ત્યાંથી રચવી કનખલ નામના સ્થાનમાં પાંચસેા તપસ્વીઓના કુલપતિની પત્નીથી કોશિક નામે પુત્ર થયા. ત્યાં કૌશિકગાત્રપણાને લીધે બીજા પણ કૌશિક તાપસેાજ હતા. તેમાં આ તાપસ વિશેષ ક્રોધી હોવાથી તે ચંડકૌશિક નામે પ્રખ્યાત થયા. પૂર્વ કુલપતિ યમરાજને અતિથિ થતાં એ ચડકૌશિક તાપસાના કુલપતિ થયા. તેને પોતાના વનખંડ ઉપર ઘણી મૂર્છા હતી, જેથી તે રાત દિવસ ભમ્યા કરતો અને કેઈ ને તે વનમાંથી પુષ્પ, ફલ, મૂલ, કે પત્ર લેવા દેતા નહાતો. કર્દિ જો કોઈ તે વનમાંથી સડેલ' પણ ફળ કે પત્રાદિક ગ્રહણ કરતું તેા તે કુહાડા, યષ્ટિ કે ઢેખાળુ' લઈ તેને મારવા દોડતો હતા. ત્યાંના રહેનાર તાપસાને પણ ફળાદિક લેવા દેતા ન હેાવાથી સીદાતા એવા બધા તાપસા, લાકડી પડતાં કાક પક્ષી ભાગી જાય તેમ દશે દિશામાં જતા રહ્યા. એક દિવસે ચંડકૌશિક તે વાટિકાસ બધી કામને માટે બહાર ગયા, તેવામાં કેટલાએક રાજકુમારા શ્વેતાંબી નગરીથી સત્વર ત્યાં આવીને તે વનને ભાંગવા લાગ્યા. જ્યારે કૌશિક પાછા આવ્યા ત્યારે ગાપાલાએ તેને જણાવ્યુ કે, ‘જુઓ, આ કાઈક તમારા વનને ભાંગી નાખે છે.' તે સાંભળી હુતદ્રવ્યથી અગ્નિની જેમ કૌશિક ક્રોધથી પ્રગલિત થયા. તત્કાળ અકુ ધારાવાળા કુહાડા લઈને દોડયો. તેને આવતા જોઈને આજ પક્ષીથી બીજા પક્ષીઓની જેમ સઘળા રાજપુત્રા નાશી ગયા. અને તે કૌશિક પગવડે સ્ખલના પામતાં યમરાજનાં મુખ જેવા કાઈ ખાડામાં પડી ગયા. પડતાંજ તેણે ફેકેલા તીક્ષ્ણ કુહાડા તેની ઉપર પડયો, જેથી તેના મસ્તકના બે ભાગ થઈ ગયા. કુકમના વિપાક આવાજ હોય છે.” તેનાથી મૃત્યુ પામી તે ચ'ડકૌશિક આ વનમાં દૃષ્ટિવિષ સપ થયેલા છે. “ તીવ્રાનુખ ધી કૈાધ ભવાંતરમાં પણ સાથે જ હૃય છે, ’’ :: આ પ્રમાણે તેના પૂર્વભવ વિચારી એ દૃષ્ટિવિષ સ અવશ્ય પ્રતિધ કરવાને યોગ્ય છે' એમ ધારીને જગત્પ્રભુ વીર પેાતાની પીડાને અવગણી સરલ માર્ગે ચાલ્યા. પ્રભુએ જ્યારે એ જીણુ અરણ્યમાં પ્રવેશ કર્યો, ત્યારે તેમાં ચરણસંચાર નહી હાવાથી વાલુકા જેમની તેમ રહેલી હતી, જલાશયમાંથી વહેતી નીકા પાણી વિનાની હતી, જીણુ થયેલા વૃક્ષા સુકાઈ ગયા હતા, છગુ પત્રાના સમૂહથી બધા ભાગ પથરાઈ ગયા હતા, રાફડાએથી ઘણા ભાગ વ્યાપ્ત થઈ ગયા હતા અને ઝુંપડીએ બધી પૃથ્વી ભેગી થઈ ગઈ હતી. એવામાં અરણ્યમાં આવીને પ્રભુ ચક્ષમ ડપમાં નાસિકાપર નેત્રને સ્થિર કરીને કાયાત્સગે રહ્યા. થોડી વારે પેલે વિષ સર્પ મુખમાંથી કાળરાત્રિ જેવી જિજ્હાને બહાર કાઢતો અભિમાન યુક્ત થઇને ક્રવા નીકળ્યા. વનમાં આજ્ઞારેખાની જેમ પાતાના શરીરની રેખા પડતો ચાલ્યા જાય છે, તેવામાં તેણે વીર પ્રભુને જોયાં. એટલે ' અરે! મારી અવજ્ઞા કરવા માટે આ કેણુ મને જાણ્યા વગર અહિં નિઃશંક થઈ ને પેશી ગયા છે? અને શકુની જેમ સ્થિર થઈને ઊભે રહ્યો IF Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું છે, માટે હું તેને ભસ્મ કરી નાખું. આ પ્રમાણે વિચારીને કેપે ધમધમતો તે સર્ષ પિતાના ફણાટોપને વિસ્તારવા લાગ્યો. જવાળામાળાને વમન કરતી, લતા વૃક્ષોને દહન કરતી, તેમજ ફાર કુકારોથી ભયંકર એવી દૃષ્ટિથી તે પ્રભુને જોવા લાગ્યો. તેથી પ્રજવલિત એવી તેની દષ્ટિજવાળાઓ આકાશમાંથી ઉલ્કા જેમ પર્વત પર પડે તેમ પ્રભુના શરીર ઉપર પડી. પણ મહા પ્રભાવિક પ્રભુની ઉપર તે કાંઈ પણ અસર કરી શકી નહીં. કેમકે “મહાન્ પવન પણ મેરૂને કંપાવવાને સમર્થ થાય?” પિતાની તીવ્ર દષ્ટિવડે પણ જ્યારે પ્રભુને કાંઈ થયું નહીં ત્યારે “હજુ કેમ આ કાષ્ટની જેમ દગ્ધ થયે નહીં.' એવું વિચારી વિશેષ ક્રોધ કરીને તેણે સૂર્યની સામું જોઈ જોઈને વિશેષ દષ્ટિજવાળા છોડવા માંડી. તથાપિ એ જવાળાઓ પણ પ્રભુની ઉપર તો જળધારા જેવી થઈ ગઈ, એટલે તે સર્પ શૂગ વગરનો થઈને પ્રભુના ચરણકમળપર ડો. પિતાના વિષની ઉગ્રતાથી દુર્મદ એ તે “મારા તીવ્ર વિષવડે આક્રાંત થઈને આ હમણ પડશે તો રખે મને દાબી ન નાખે. એવા ઈરાદાથી ડશી ડરીને દૂર ખસતો હતો. પ્રભુના અંગપર જે સ્થાનકે તે હસતો ત્યાંથી તેનું ઝેર પ્રસરી શકતું નહીં, માત્ર ગાયના દૂધ જેવી રૂધિરની ધારા ત્યાંથી ખરતી હતી. ઘણીવાર તેમ થવાથી “આ શું! એમ વિસ્મય પામીને તે પ્રભુની આગળ ઉભો રહ્યો. અને વિલખે થઈને પ્રભુની સામે જોવા લાગ્યો. પછી પ્રભુના અતુલ રૂપને નીરખતાં પ્રભુના કાંત અને સૌમ્ય રૂપને લીધે તેના નેત્રા સ્તબ્ધ થઈ ગયા. જ્યારે તે કાંઈક ઉપશાંત થયા ત્યારે પ્રભુ બેલ્યા કે-“અરે ચંડકૌશિક ! બુઝ! બુઝ! મોહ પામ નહીં.” ભગવંતનું આ વચન સાંભળી ઉહાપોહ કરતાં તે સપને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને તેણે પોતાના મનમાં અનશન અંગીકાર કરવાનો નિશ્ચય કર્યો. અનશન કરવાવડે સર્વ ક્રિયાથી રહિત થયેલા અને ઉપશાંતપણાને પામેલા તે સપને જાણીને પ્રભુએ પિતાની દષ્ટિવડે તેનું સિંચન કર્યું. પછી “વિષવડે ભયંકર એવી મારી દષ્ટિ કેઈન ઉપર પણ ન પડે એમ ધારીને પિતાના રાફડામાં મોટું રાખી તે સપ સમતા રૂપ અમૃતને પીવા લાગે. પ્રભુ પણ તેની અનુકંપાવડે ત્યાં જ સ્થિતિ કરીને રહ્યા. “મહાન પુરુષની પ્રવૃત્તિ બીજાના ઉપકારને માટે જ હેાય છે.” ભગવંતને ઉપદ્રવ રહિત રહેલા જોઈ સર્વ ગોવાળે અને વત્સ પાળો વિસ્મય પામીને સત્વર ત્યાં આવ્યા. અને પોતાની ખાત્રી કરવા માટે વૃક્ષને અંતરે સંતાઈ રહીને તે મહાત્મા સર્પને નિશ્ચલ રહેલ જોઈ તેઓને વિશ્વાસ આવ્યો, એટલે તેની નજીક આવી તે સપના શરીરને લાકડીઓથી અડવા લાગ્યા. તો પણ તેને સ્થિર રહેલ જોઈ ગોવાળોએ એ વાર્તા લેકેને કહી એટલે કે ત્યાં આવ્યા, અને વીરપ્રભુને તથા મરણોન્મુખ એવા તે સપને વંદના કરવા લાગ્યા. ગોવાળોની કેટલીક સ્ત્રીઓ તે માગે થઈને ઘી વેચવા જતી હતી, તેઓએ તે સર્પના શરીર પર ઘી ચેપડ્યું. તે ગંધથી ત્યાં તીક્ષણ મુખવાળી કીડીઓ આવી, તે સર્પના કલેવરને ચારણ જેવું કરી દીધું. “મારા પાપકર્મ પાસે આ પીડા શી ગણત્રીની છે.” એમ વિચાર કરતો તે સર્પરાજ તે દુસહ વેદનાને પણ સહન કરવા લાગ્યા. Page #53 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ જો] શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષને વિહાર [ ૩૯ અને “આ બિચારી અલ્પબલવાળી કીડીઓ મારા શરીરના દબાણથી પીલાએ નહીં. એવું ધારી એ મહાશય સર્ષે પિતાનું અંગ જરા પણ હલાવ્યું નહીં. આ પ્રમાણેના કરૂણા પરિણામવાળો અને ભગવંતની દયામૃત દષ્ટિથી સિંચન થતો તે સર્પ એક પખવાડીએ મૃત્યુ પામીને સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયે. કૌશિક સપની ઉપર આવો મહા ઉપકાર કરી ત્યાંથી વિહાર કરીને પ્રભુ ઉત્તરવાચાળ નામના ગામ સમિપે આવ્યા. પોપવાસને અંતે પારણાને માટે ગોચરીએ ફરતા પ્રભુ નાગસેન નામના ગૃહસ્થને ઘેર ગયા. તે દિવસે તે ગૃહસ્થને એકને એક પુત્ર જે બાર વર્ષ થયાં પરદેશ ગયો હતો તે વાદળા વગરની વૃષ્ટિની જેમ અકસ્માત ઘેર આવ્યા હતા, તેથી નાગસેને પિતાને ઘેર ઉત્સવ કર્યો હતો અને પિતાના સર્વ સ્વજન વર્ગને ભોજન આપ્યું હતું. તે સમયે પ્રભુ ત્યાં વહોરવા પધાર્યા. વીરપ્રભુને દૂરથી આવતા જોઈ નાગસેનને ઘણે હર્ષ થશે. તેથી તેણે ભક્તિપૂર્વક પવડે પ્રભુને પ્રતિલાભિત કર્યા. તે વખતે અહદાન, અહધાન” એમ બોલતા દેવતાઓએ ત્યાં વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પછી પ્રભુ પારણું કરીને શ્વેતાંબી નગરી તરફ ચાલ્યા. તે નગરી જિનભક્ત એવા પ્રદેશી રાજાથી વિભૂષિત હતી, પ્રભુના ખબર સાંભળી પ્રદેશ રાજા જાણે બીજે ઈંદ્ર હોય તેમ નગરજને, અમાત્ય અને અનેક રાજાઓને પરિવાર લઈ પ્રભુની સામે આવ્યો અને ભક્તિથી વીરપ્રભુને વંદના કરી. પછી રાજા રાજા પિતાના નગરમાં ગયો અને તપથી શ્રેષ્ઠ એવા પ્રભુ અનુક્રમે વિહાર કરતા કરતા સુરભિપુર સમિપે આવ્યા. ત્યાંથી જાણે પૃથ્વીની ઓઢણી હોય, અને સમુદ્રનું જાણે પ્રતિમાન હોય તેવી ઊંચા તરંગવાળી ગંગાનદી પાસે આવ્યા. પ્રભુ ગંગા ઉતરવાને ઈચ્છતા હતા, તેથી સિદ્ધાંત નામના કોઈ નાવિકે તૈયાર કરેલ નાવમાં પ્રભુ અને બીજા મુસાફરો બેઠા. પછી નાવિકે બે બાજુથી હલેસાં ચલાવ્યાં, એટલે બે પાંખો વડે પક્ષિણીની જેમ તે નાવિકા ત્વરાથી ચાલવા લાગી. તે સમયે કાંઠા ઉપર રહેલું ઘુવડ પક્ષી બોલ્યું, તે સાંભળી નાવમાં બેઠેલા શકુન શાસ્ત્રના જાણુ ક્ષેમિલ નામના નિમિતિએ કહ્યું કે, “આ વખતે આપણે કુશળક્ષેમે પાર ઉતારવાના નથી. થોડા સમયમાં આપણુ સવને મરણુત કષ્ટ પ્રાપ્ત થશે, પણ આ મહર્ષિના મહિમાથી આપણે બચી જશું.” તે આમ બોલતા હતા તેવામાં નાવ અગાધ જળમાં આવ્યું. ત્યાં સુદંષ્ટ્ર નામે એક નાગકુમાર દેવ રહેતું હતું, તેણે પ્રભુને જોયા. પૂર્વ જન્મનું વૈર સંભારી તેણે ક્રોધથી ચિંતવ્યું કે, જ્યારે આ ત્રિપૃષ્ટ હતા, ત્યારે હું સિંહ હતે તેણે મને માર્યો હતો, તે વખતે હું તેના દેશથી ઘણે દૂર રહેતા હતા, મેં કાંઈ તેને અપરાધ કર્યો હતો અને હું એક ગુહામાં સંતાઈ રહ્યો હતો, ત્યાં પોતાની ભુજાના વીર્યના ગર્વથી અને માત્ર કૌતુક કરવાની ઈચ્છાથી એણે આવીને મને મારી નાખ્યું હતું. તે આજે મારી નજરે પડયો તે બહુ સારું થયું, હવે હું મારું વેર લઉં. ઋણની જેમ વૈર પ્રાણીને સેંકડો જન્મ સુધી અનુસરે છે. પૂર્વનું વૈર લેવાથી જેને Page #54 -------------------------------------------------------------------------- ________________ 4. ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું જન્મ કૃતાર્થ થયેલ છે એવા મારૂં પછી કદી તરતમાં જ મૃત્યુ થાય તે પણ તેથી મને ખેદ નહીં થાય.” આ પ્રમાણે વિચારીને એ મુદદેવ કોધથી ભયંકર નેત્ર કરતે વીરપ્રભુની પાસે આવ્યું અને આકાશમાં રહીને તેણે માટે કિલકિલાર કર્યો. પછી બે કે - અરે ! તું કયાં જાય છે?” એમ કહી પ્રલયકાળના દાવાનળ જે ભયંકર સંવતક જાતિનો મહાવાયુ તેણે વિદુર્યો. તેનાથી વૃક્ષો પડી ગયા, પર્વતે કંપાયમાન થયા અને જેના ઉમિ આકાશ પર્યત ઉડી રહ્યા છે એવું ગંગાનું જળ ઉછળવા લાગ્યું. ઉંચે ઉછળતા અને પાછા બેસી જતા ગંગાના તરંગથી ગજેકે ઉપાડેલા કે વૃક્ષની જેમ તે નાવ ઉંચે નીચે હાલકલોલક થવા લાગ્યું. તેને કુવાસ્તંભ ભાંગી ગયે, સઢ ફાટી ગયે અને નાવને આત્મા હોય તેવો કર્ણધાર ભયભીત થઈ ગયે. નાવમાં બેઠેલા સર્વજને જાણે યમરાજની જિહા આગળ આવ્યા હોય તેમ મરણેન્મુખ થઈને વ્યાકુળપણે પિતા પોતાના ઈષ્ટદેવને સંભારવા લાગ્યા. તે વખતે કંબળ ને સંબળ નામના બે દેવે આવીને તે ઉપસર્ગનું નિવારણ કર્યું. તેના પૂર્વ ભવને વૃત્તાંત આ પ્રમાણે– મથુરાપુરીમાં જિનદાસ નામે એક વણિક રહેતું હતું, તે શ્રાવક ધર્મ પાળતે હતો. તેને સાબુદાસી નામે સ્ત્રી હતી. તે બંને દંપતીએ પરિગ્રહનું પ્રમાણ કરતાં ઢોર રાખવાના પચ્ચખાણ લીધા હતા, તેથી હમેશાં તેઓ આહીર લેકની સ્ત્રીઓ પાસેથી દહીં દુધ વિગેરે લેતા હતા. એક વખતે કઈ આહીરની સ્ત્રી ઉત્તમ દહીં લાવી, તે ખરીદ કરી પ્રસન્ન થઈને સાધુદાસીએ તેને કહ્યું કે, “તારે જે દુધ દહીં વિગેરે થાય તે તું વેચવા જઈશ નહીં, અહિંજ લાવજે, અમે તે લેશું અને તેનું તારી ઈચ્છા પ્રમાણે મૂલ્ય આપશું. ત્યારથી તે આહિરી પણ ખુશી થઈને હમેશાં તેમજ કરતી અને સાધુદાસી પણ તેને વસ્ત્ર વિગેરે વસ્તુ આપીને ખુશી કરતી. તેમ કરતાં તે તે બંનેને સગી બેનેની જેવો સ્નેહ થયો. એક વખતે તે આહીરની સ્ત્રીને ઘેર વિવાહનો પ્રસંગ આવ્યું. એટલે તેણીએ તે પ્રસંગે આ શેઠ શેઠાણીને નિમંત્રણ કર્યું. ત્યારે તેમણે કહ્યું કે, “ભદ્ર! અમે વણિક છીએ તેથી તારે ઘેર આવી શકીશું નહીં, પણ તારે વિવાહને યોગ્ય જે વસ્તુ જોઈએ તે સર્વ અમારે ઘેરથી લઇ જજે.” એમ કહીને તેમણે વસ્ત્ર, ધાન્ય, અલંકાર વિગેરે તેણીને આપ્યા. તેમની આપેલી વસ્તુઓથી તેને વિવાહાત્સવ ઘણે સુંદર છે. જે તેના સગા વાળ લેકેમાં તેની શોભાનું કારણું થઈ પડયો. તેથી તે ગેવાળ અને ગોવાળણી પ્રસન્ન થઈને ત્રણ વર્ષની વયના તેમજ શોભીતા કંબલ અને સંબલ નામના બે બળદ શેઠને દેવા માટે લાવ્યા. શેઠે તે ગ્રહણ કર્યા નહીં, તો પણ તેઓ બળાત્કારે તેને દ્વારે બાંધીને ચાલ્યા ગયા. ગેવાળોને સ્નેહ એજ હોય છે. જિનદાસે વિચાર્યું કે “હવે જે હું આ બે વૃષભાને છેડી મૂકીશ તો બીજા સાધારણ પુરૂષ તેને હળ વિગેરેમાં જોડશે ને દુઃખી કરશે અને મારે ૧ નાવને ચલાવનાર Page #55 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ ] શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષને વિહાર [૪૧ ઘેર તેના ઉપયોગ વગર તેને પાળવા તે પણ મુશ્કેલ છે. હવે મારે શું કરવું? મૂર્ખ સાથેના નેહથી હું સંકટમાં પડી ગયો છું.” આ વિચાર કરીને તે દયાળુ જિનદાસ શેઠ તે બંને વૃષભનું પ્રાસુક ઘાસ અને પાણીથી પિષણ કરવા લાગ્યા. અષ્ટમી કે ચતુર્દશી આવે ત્યારે તે શેઠ ઉપવાસ કરી પૌષધ વ્રત લઈને તે બળદ સાંભળે તેમ ધર્મ સંબંધી પુસ્તક વાંચતા હતા. એ પ્રમાણે હમેશાં ધર્મ સાંભળવાથી તેઓ ભદ્રિકભાવી થયા. પછી જે દિવસે શેઠ ભજન કરે નહીં તે દિવસે તેઓ પણ ઘાસ પાણી વાપરે નહીં. તે દિવસે તેમને ઘાસ વિગેરે નીરે પણ જ્યારે તેઓ ખાય નહી ત્યારે શેઠે વિચાર્યું કે, “મેં આટલા વખત સુધી તો માત્ર દયાને લીધે આ બળદને પિષ્યા પણ હવે તો આ મારા સાધમી બંધુ છે, એવી બુદ્ધિથી મારે તેમનું પિષણ કરવું જોઈએ. આ પ્રમાણે વિચારીને શેઠ પ્રતિદિન તેમનું વિશેષ વિશેષ બહુમાન કરવા લાગ્યા. કારણ કે પછી શેઠની બુદ્ધિમાં તે પશુતરીકે નહેતા. અન્યદા ભંડીરવણ નામના યક્ષનો યાત્સવ આવ્યો. એટલે તે દિવસે ગામના યુવાન બાળકોએ વાહનોની વહનક્રીડા કરવા માંડી. તે ગામમાં જિનદાસને એક કૌતુકી મિત્ર હતા, તે ઍદિને પૂછયા વગર તે દિવસે તે બંને વૃષભને પિતાને વાહને જોડવા લઈ ગયો. “જ્યાં સ્નેહ હોય છે ત્યાં જુદાઈ ન હોવાથી પૂછવાની જરૂર રહેતી નથી, જે તેનું હોય તે પિતાનું મનાય છે.” કુકડાનાં ઈંડાં જેવા વેત, જાણે જેડલેજ જન્મ્યા હોય તેમ એક સરખા, દડાની જેવા વર્તુલ અંગવાળા, ચામર જેવાં પુછવાળા, જાણે ઉંચે ચડતા હોય તેમ ઉછળતા, અને વાયુના પુત્ર હોય તેવા વેગવાળા, તે બંને બળદને તે શેઠના મિત્રે પોતાની ગાડીમાં જોડવા. તેમની સુકુમારતા જાણયા વગર એ નિર્દય મિત્ર લોકોને આશ્ચર્ય પમાડવાને માટે ચાબુક અને પરણની આરથી મારી મારીને તેમને હાંકવા લાગ્યો. અનુપમ વેગવાળા તે વૃષભવડે તેણે વાહનકીડા પણ કરનારા બધા નગરજનેને એક ક્ષણમાં જીતી લીધા. આરથી પડેલા છીદ્રામાંથી નીકળતા રૂધિરવડે જેમના અંગ આદ્ધ થઈ ગયા છે અને જેઓના સાંધાઓ તુટી ગયા છે એવા વૃષભેને કામ પતી જવાથી તે મિત્ર શેઠને ઘેર પાછા બાંધી આ. ભોજનને અવસર થતાં શેઠ હાથમાં જવનો પુ લઈ પુત્રની જેમ તે વૃષભેની પાસે આવ્યા. ત્યાં તો તે વૃષભેના મુખ પહોળાં રહી ગયા હતા, નેત્રમાંથી અશ્રુ પડતા હતા, શ્વાસ ચડ્યો હતો, અસહ્ય દુઃખી જણાતા હતા, કંપાર છુટતો હતો અને આવડે પડેલા છીદ્રોમાંથી રૂધિરની ધારાઓ નીકળતી હતી. તેમની આવી સ્થિતિ જોઈને શેઠ બોલ્યા કે, આ બળદ કે જે મને પ્રાણથી પણ વહાલા છે, તેઓને પૂછયા વગર લઈ જઈને કયા પાપીએ આવી દશાને પમાડયા?? પછી પરિજને આવીને શેઠને તેમના મિત્રની વાર્તા કહી, એટલે પિતાના સહોદરને વિપત્તિ આવવાથી થાય તેમ તેમને ઘણે ખેદ થયો. એ વૃષને પણ અનશન કરવાની ઈચ્છા થયેલી હોવાથી તેઓએ શેઠે આપેલા ઘાસ કે પાણી જરા સુયા પણ નહીં. પણ શેઠે પૌષ્ટિક અન્નથી ભરપૂર એક થાળ લાવીને તેની D - 6 Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું પાસે મૂક્યો, તેને તેઓએ દષ્ટિથી પણ સંભવિત કર્યો નહીં. પછી તેમને ભાવ જાણીને શેઠે તેમને ચારે આહારના પરચખાણ કરાવ્યા, તે તેઓએ અભિલાષાપૂર્વક સમાધિપણે ગ્રહણ કર્યા. તેમની પર દયા લાવી બીજા સર્વ કામ છેડી દઈને શેઠ પિતે તેમને નવકાર મંત્ર સંભળાવતા અને ભાવસ્થિતિને બંધ કરતા તેની પાસે જ બેસી રહ્યા. નવકાર મંત્રને સાંભળતા અને ભાવસ્થિતિને ભાવતા, તેઓ સમાધિથી મૃત્યુ પામીને નાગકુમારમાં દેવપણે ઉત્પન્ન થયા. તે કંબલ અને સંબલે અવાધિજ્ઞાનથી જોયું તો સુદંષ્ટ્ર નાગકુમારે પ્રભુ ઉપર કરેલ નાવ બુડાડી દેવારૂપ ઉપદ્રવ તેમના જેવામાં આવ્યો. એટલે-આપલે હમણું બીજું કાંઈ પણ કામ કરવાની જરૂર નથી, હમણા તો ચાલે, અહંતની ઉપર થતાં ઉપદ્રવને એકદમ અટકાવીએ.” આ પ્રમાણે વિચારી તેઓ પ્રભુની પાસે આવ્યા. તેમાંથી એક જણ સુદ નાગકુમારની સાથે યુદ્ધ કરવા પ્રવર્તે અને બીજા હાથે કરીને તે નાવને ગંગાને સામે તીરે મૂકી દીધું. પેલે સુદંષ્ટ્ર દેવ જે કે મેટી અદ્ધિવાળે હતો, પણ આયુષ્યને અંત આવેલ હોવાથી તેનું બળ ઘટી ગયું હતું, અને આ બંનેને ન દેવાપણાને વૈભવ હતો, તેથી તે બંનેએ તેને જીતી લીધા. પછી સદં ત્યાંથી નાશી ગયો, એટલે કંબલ શંબલ નાગકુમારોએ પ્રભુને નમીને હર્ષથી પ્રભુની ઉપર પુષ્પની અને સુગંધી જળની વૃષ્ટિ કરી. તમારા પ્રભાવથી આ નદીને આપત્તિની જેમ અમે ઉતરી ગયા.” એમ બોલતા નાવમાં બેઠેલા બીજા લેકો ભક્તિથી વીરપ્રભુને વંદના કરવા લાગ્યા. બંને નાગકુમારો પ્રભુને નમીને પોતાના સ્થાનકે ગયા. પ્રભુ નાવમાંથી ઉતરી વિધિપૂર્વક ઈર્યા પથિકી પ્રતિક્રમીને ત્યાંથી બીજી દિશા તરફ ચાલ્યા. જેમાં સૂક્ષમ અને આદ્ર રેતી છે એવા ગંગાનદીના તટ ઉપર ચકાદિકના લાંછનવાળી પ્રભુના પગલાની પંક્તિ પૃથ્વીને આભૂષણ રૂપે પુટપણે પડતી હતી. તેવામાં સામુદ્રિક લક્ષણને જાણનાર પુષ્પ નામનો કોઈ પુરુષ તે પગલાની પંક્તિ જોઈને વિચારવા લાગ્યો કે, “આ રસ્તે થઈને કઈ ચક્રવતી એકલા ગયેલા લાગે છે. અદ્યાપિ તેને રાજ્ય મળ્યું નહીં હોય અથવા કેઈએ છળ કરીને તેનું રાજ્ય લઈ લીધું હશે. હું ધારું છું કે તે હમણાજ અહીંથી ચાલ્યા જાય છે, માટે હું જઈને તેની સેવા કરું, કેમકે તે સેવકને ઈચ્છતા હશે. આવી અવસ્થામાં સેવેલા તે ચક્રવત્તી જરૂર ફળ આપશે. સેવ્ય પુરૂષની સેવા કરવાનો અવસર પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વિચારી તે પગલે પગલે ચાલ્યો. આગળ જતાં સ્થણુક નામના ગામ પાસે અશોક વૃક્ષની નીચે પ્રતિમા ધરીને રહેલા પ્રભુને તેણે જોયા. તેમના હૃદયમાં શ્રીવત્સનું લાંછન હતું, મસ્તક પર મુગટનું ચિહ્ન હતું, અને ભુજા ઉપર ચક્રાદિકને લાંછન હતા. બંને હાથ શેષનાગની જેવા લાંબા હતા અને નાભિમંડળ દક્ષિણવર્તવાળું, ગભીર તેમજ વિસ્તીણું હતું. પ્રભુના શરીર ઉપર આવા લોકોત્તર ચિ તેના Page #57 -------------------------------------------------------------------------- ________________ [ ક સગ ૩ ] શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષને વિહાર લેવામાં આવ્યા. તે જોઈ પુષે વિચાર્યું કે, “જેમ ચરણના લક્ષણેથી આ લોકોત્તર પુરૂષ છે એમ જણાય છે તેમ બીજા લક્ષણથી પણ આ ચક્રવત્તી હોય એમ સૂચવાય છે. આવા લક્ષણે છતાં પણ આ તે ભિક્ષુક છે, તેથી મને આશ્ચર્ય થાય છે, માટે આવા ભિક્ષુક ઉપર સારી આશા રાખનારા મને અને મારા શાસ્ત્રના શ્રમને ધિક્કાર છે. વિશ્વને ઠગવાને માટે અને પિતાના કૌતુક પૂરવાને માટે કેઈ અનાપ્ત (અહિતકારી) પુરુષે જ આ શાસ્ત્ર રચ્યાં હોય એમ લાગે છે. મરૂભૂમિમાં ઝાંઝવાના જળ જઈને મૃગ દેડે તેમ તેમનાં વચન ઉપર આશા રાખીને હું વૃથા દોડી આવ્યો.” આ પ્રમાણે વિચારતાં તે પુષ્પના હૃદયમાં ઘણે ખેદ થયે. તે સમયે શકઈને સ્વર્ગમાં બેઠા બેઠા વિચાર થયો કે, “મહાવીર પ્રભુ અત્યારે કયાં વિચરતા હશે?” અવધિજ્ઞાને જતાં તેણે સ્થણુક ગામમાં પ્રભુને રહેલા જોયા અને પુષ્ય નૈમિત્તિકને ખેદથી પોતાના શાસ્ત્રોને દૂષણ આપતો જે; એટલે ઈદ્ર સત્વર ત્યાં આવ્યાં. અને તે પુષ્પ નિમિત્તિઓના દેખતાં પ્રતિમા ધરી રહેલા પ્રભુને મોટી સમૃદ્ધિથી તેણે વંદના કરી. પછી પુષ્પને કહ્યું કે, “અરે મુખ! તું શાસ્ત્રની નિંદા કેમ કરે છે? શાસ્ત્રકારોએ કાંઈ પણ મૃષા ભાષણ કરેલું નથી. હું તો હજુ આ પ્રભુના બહારનાજ લક્ષણે જાણે છે, અંતરના જાણતો નથી, પણ આ પ્રભુના માંસ અને રૂધિર દુધની જેવા ઉજવળ છે, તેમના મુખકમળને શ્વાસ કમળની ખુશબે જે સુગંધી છે, તેમનું શરીર તદ્દન નિરોગી અને મળ તથા પસીનાથી રહિત છે. આ ત્રણ જગતના સ્વામી, ધર્મચકી, જગતહિતકારી અને વિશ્વને અભય આપનાર સિદ્ધાર્થ રાજાના પુત્ર વીરપ્રભુ છે. ચોસઠ ઇંદ્રિો પણ આમના સેવકો છે, તે તેની પાસે ચક્રવતી શા હિસાબમાં છે કે જેનાથી તે ફળની ઈરછા કરે છે. આ પ્રભુ વાર્ષિક દાન આપીને ભવસાગર તરવાની ઈચ્છાથી રાજ્ય છોડી દીક્ષા લઈને અશાંતપણે વિહાર કરે છે. શાસ્ત્રોમાં કહેલાં લક્ષણે બરાબર જ છે. માટે તું જરા પણ ખેદ ન કરે. હું તને ઈછિત ફળ આપીશ, કેમકે આ પ્રભુનું દર્શન નિષ્ફળ હોય જ નહીં.” આ પ્રમાણે કહી તે પુષ્ય નિમિત્તિઓને ઈચ્છિત ફળ આપી પ્રભુને નમીને ઇંદ્ર પુનઃ પિતાને સ્થાનકે ગયા. વીરપ્રભુ કાયોત્સર્ગ પારીને ચરણન્યાસવડે પૃથ્વીને પવિત્ર કરતા અનુક્રમે રાજગૃહ નગરે આવ્યા. તે નગરની બહાર નજીકમાં નાલંદા નામના ભૂમિભાગમાં કોઈ વણકરની વિશાળ શાળામાં પ્રભુ પધાર્યા. ત્યાં વર્ષાકાળ નિગમન કરવા માટે તે વણકરની પ્રભુએ રજા લીધી. પછી માસક્ષપણ કરતા તે શાળાના એક ભાગમાં પ્રભુ રહ્યા. આ સમયમાં મંખલી નામે કઈ સંખ્યા હતા. તેને ભદ્રા નામે ી હતી. તે બંને ચિત્રપટ લઈને પૃથ્વી પર ફરતા હતા. તેઓ શરવણ ગામમાં આવ્યા. ત્યાં ભદ્રાએ એક ઘણી ગાયોવાળા બ્રાહ્મણની ગૌશાળામાં પુત્રને જન્મ આપે. તે શાળામાં પ્રસ, તેથી ૧ ચિત્રકળા જાણનાર ભિક્ષાચર વિશેષ. Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું તેનું નામ ગોશાળ એવું પાડ્યું. અનુક્રમે યુવાવસ્થા પામ્યું, એટલે તેણે પિતાના પિતાને ધંધો શીખી લીધો. આ ગશાળક સ્વભાવથી જ કલહ કરતો હતો, માતાપિતાને વશ રહેતો નહોતે, જન્મથી જ લક્ષણહીન હતા અને ઉત્કટ વિચક્ષણ હતું. એક વખતે તે માતાપિતાની સાથે કલહ કરી, ચિત્રપટ લઈને ભિક્ષાને માટે નીકળી પડયો. ફરતે ફરતે તે રાજગુહ નગરે આવ્યા. જે પ્રદેશ પ્રભુએ અલંકૃત કર્યો હતો, તે શાળામાં જ તે ગોશાળ સિંહની પાસે શગાલની જેમ એક ખુણે આવીને વસ્યો. પ્રભુ માસક્ષપણનું પારણું કરવાની ઈચ્છાએ વિજય શ્રેષ્ઠીને ઘેર કરપાત્ર વડે વહોરવા આવ્યા. શ્રેષ્ઠ બુદ્ધિવાળા વિશ્રેષ્ઠીએ પોતે મોટી ભક્તિથી સમ્યફ પ્રકારની ભેજનવિધિપૂર્વક પ્રભુને પ્રતિલાભિત કર્યા. તે વખતે આકાશમાં અહી દાનં” એમ આ ઘોષણા કરીને દેવતાઓએ તેના ઘરે રનવૃષ્ટિ વગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યા. તે હકીકત સાંભળી શાળે ચિંતવ્યું કે, “આ મુનિ કેઈ સામાન્ય નથી. કારણ તેને અન્ન આપનારના ઘરમાં પણ આવી સમૃદ્ધિ થઈ ગઈ. માટે હું તો આ ચિત્રપટનું પાખંડ છોડી દઈને આ મુનિને જ શિષ્ય થાઉં, કારણ કે આ ગુરૂ નિષ્ફળ નહીં થાય.” તે ગે શાળા આમ ચિંતવતો હતો, તેવામાં તે પ્રભુ પારણું કરીને પાછા તે શાળામાં આવી કાયોત્સર્ગ કરીને રહ્યા. શાળા પ્રભુને નમીને બે -“હે ભગવન્! હું સુજ્ઞ છતાં પણ પ્રમાદથી તમારા જેવા મહામુનિને પ્રભાવ અદ્યાપિ જાણી શક્યો નહીં, પણ હવે હું તમારો શિષ્ય થઈશ. આજથી તમે એકજ મારૂં શરણ છે.” આ પ્રમાણે કહીને તેણે તેમ કર્યું, તો પણ પ્રભુ તો મૌન ધરીને જ રહ્યા. ગશાળે ભિક્ષા માગીને પ્રાણવૃત્તિ કરતો છતો પિતાની બુદ્ધિથી પ્રભુને શિષ્ય થઈને પ્રભુનું પડખું રાત દિવસ છોડતો નહોતે. બીજે માસક્ષપણે પ્રભુ વહોરવા નીકળ્યા, ત્યારે આનંદ નામના એક ગૃહસ્થ ખાદ્ય વસ્તુવડે પ્રતિલાભિત કર્યા. ત્રીજે માસક્ષપણે સુનંદ નામના ગૃહસ્થ સર્વકામગુણ નામના આહારથી પ્રભુને પ્રતિલાભિત કર્યા. ગશાળ પણ ભિક્ષાના અન્નથી ઉદરપાષણ કરી ભગવંત શ્રી મહાવીર પ્રભુને અહનિશ સેવવા લાગ્યો. એક વખતે કાર્તિક માસની પૂર્ણિમાએ ગશાળે હદયમાં ચિંતવ્યું કે, “આ મેટા જ્ઞાની છે એમ સાંભળું છું, તે આજે હું તેમના જ્ઞાનની પરીક્ષા કરૂં.” પછી તેણે પૂછયું, હે સ્વામી! આજે પ્રત્યેક ગૃહને વિષે વાર્ષિક મહોત્સવ થાય છે, તે મને આજે ભિક્ષામાં શું મળશે તે કહે.” તે વખતે પેલે સિદ્ધાર્થ પ્રભુના શરીરમાં પેસીને બે કેભદ્ર! ખાટું થઈ ગયેલું કોદ્રવ ને ફરનું ધાન્ય અને દક્ષિણામાં એક ઓટો રૂપીઓ મળશે.' તે સાંભળી ગશાળો દિવસના પ્રારંભથીજ ઉત્તમ ભેજનને માટે શ્વાનની જેમ ઘેર ઘેર ભમવા લાગ્યો, તથાપિ તેને કોઈ ઠેકાણેથી કાંઈ પણ મળ્યું નહીં. જ્યારે સાયંકાળ થયે ત્યારે કોઈ સેવક તેને પિતાને ઘેઈ લઈ ગયો અને ખાટાં થઈ ગયેલ કેદરા ને કૂર આપ્યાં. અતિ સુધાને લીધે તે એવું અન્ન પણ ખાઈ ગયું. પછી તેને દક્ષિણમાં એક રૂપીએ આપે. તે રૂપીઆની પરીક્ષા કરાવી તો તે પણ ખૂટે નીકળે એટલે તે લજજા પામી Page #59 -------------------------------------------------------------------------- ________________ સૂગ ૩ જો] શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષના વિહાર [૪૫ ગયા. પછી ‘ જે ભાવી હાય છે તે થાય છે' એવા નિયતિવાદને તેણે ગ્રહણ કર્યા. દીક્ષા લીધા પછી આ બીજું ચામાસુ નાલંદાપાડામાં નિગમન કરી ત્યાંથી નીકળીને પ્રભુ કલ્લાક નામના ગામ પાસે આવ્યા. ત્યાં અહુલ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે માતા આદરથી બ્રાહ્મણાને પેાતાને ઘેર જમાડતો હતા. તેને ઘેર પ્રભુ ભિક્ષાને અર્થે આવ્યા. તેણે ધી સાકર સહિત ખીર પ્રભુને પહેારાવી; એટલે દેવતાઓએ તેને ઘેર પાંચ દિવ્ય પ્રગટ કર્યાં. પ્રભુએ અહીં ચાથા મારાક્ષપણુનું પારણું. કર્યું, જે પારણુ' શ્રદ્ધાથી વહે.રાવનારા દાતાર પ્રાણીને સ’સારથી તારનારૂ છે. ' " અહિં પેલેા ગાશાળા સાયકાળે લજજા પામતો પામતો છાનામાના આવીને પેન્ની શાળામાં પેઠા. ત્યાં તેણે પ્રભુને જોયા નહી, ‘એટલે સ્વામી કયાં છે? એમ તે લેાકેાને પૂછવા લાગ્યા; પણુ ફાઈ એ પ્રભુના ખબર આપ્યા નહી', તેથી તે દ્વીન થઈ ને શેાધવા માટે આખા દિવસ ચારે ખાજુ ફર્યો. પછી ‘હું તો પાછે। એકાકી થઈ રહ્યો' એમ વિચારી મસ્તક મુડાવી, વસ્ત્ર છેાડીને તે ત્યાંથી નીકળી પડ્યો. તે કાલાક ગામે આવ્યા, ત્યાં તેણે લેકામાં વાત થતી સાંભળી કે આ મહેલ બ્રાહ્મણને ધન્ય છે, કે મુનિને દાન કરવાથી જેના ઘરમાં દેવતાઓએ રત્નાની વૃષ્ટિ કરી.' આ વાત સાંભળી ગેાશાળે વિચાયુ” કે, આવા પ્રભાવ મારા ગુરૂનેાજ છે; તેથી જરૂર તે અહિં જ હશે, ' આમ વિચારીને તે પ્રભુને શેાધવા માટે ભમવા લાગ્યા. નિપુણ દૃષ્ટિએ શેાધતાં એક સ્થાનકે કાર્યોત્સર્ગ રહેલા પ્રભુને તેણે દીઠા. તે પ્રભુને પ્રણામ કરીને એલ્યેા કે, “ હે પ્રભુ ! પૂર્વે હું દીક્ષાને યાગ્ય નહોતો, હવે આ વઆદિકના સંગ છેાડી દેવાથી ખરેખર નિઃસંગ થયા છું, માટે મને શિષ્ય તરીકે કબુલ કરા અને તમે મારા યાવજ્જીવ શુરૂ થાએ; તમારા વિના હું ક્ષણવાર પણ રહી શક્તો નથી. હે સ્વામી! તમે રાગ રહિત છે. તેથી તમારા સાથે સ્નેહ કેમ થાય ? કારણ કે એક હાથે તાળી પડતી નથી; પણ શું કરૂ? મારૂ મન બળાત્કારે તમારી તરફ દોડે છે. તેમજ હું મારા આત્માને તમે સ્વીકારેલા છે એમજ માનું છું: કારણ કે તમે વિકસિત ક્રમળ જેવી દૃષ્ટિથી મારી સામું જુએ છે.” તેનાં આવાં વચન સાંભળી જો કે પ્રભુ શીતરાગ હતા તો પણ તેના ભાવને જાણીને તેની ભવ્યતાને માટે પ્રભુએ તેનુ' વચન સ્વીકાર્યું. મહાન્ પુરૂષષ કાં વત્સલ નથી થતા› "' 66 પછી પ્રભુ તે ગોશાળાને સાથે લઈ યુગમાત્ર દૃષ્ટિ કરતાં સ્વણુ ખલ નામના સ્થાન તરફ ચાલ્યા. માર્ગમાં કેટલાક ગાવાળીઆએ ક્ષીર રાંધતા હતા, તે જોઈ ગેાશાળે કહ્યું, સ્વામી! હું ક્ષુધાતર થયા છું, માટે ચાલેા આપણે આ પાચસાનનું ભાજન કરીએ. ’ સિદ્ધાર્થે કહ્યું કે, એ ક્ષીર બનશે જ નહી',' તે સાંભળી દુષ્ટ બુદ્ધિવાળા ગાશાળે તે ગાવાળા પાસે જઈને કહ્યુ કે, આ દેવાય ત્રિકાલજ્ઞ છે, તે કહે છે કે આ ક્ષીર અધી ચડતાં જ તેનુ પાત્ર કાચા પાત્રની જેમ ફુટી જશે.' તે સાંભળી ભય પામેલા ગાવાળાએ . Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ] શ્રી ત્રિષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર ઈ પ` ૧૦ સુ તે હાંડીને નાંશની ખપાટાથી બાંધી લીધી; પરંતુ તેમાં ચાખા પ્રમાણથી વધારે નાખેલા હાવાથી તે ફુલ્યા એટલે હાંડી ફ્રુટી ગઈ. પછી ગોવાળીઆએ ઠીઓમાં રહેલ ક્ષીરને ખુશી થતા થતા ખાઈ ગયા. ગોશાળાને તેમાંથી કાંઈ પણ મળી નહીં, તેથી તેણે વિશેષે નિયતિવાદ ગ્રહણ કર્યાં. ત્યાંથી વિહાર કરી પ્રભુ બ્રાહ્મણગ્રામમાં ગયા. ગામમાં મુખ્ય બે પાડા હતા. તેના નૐ અને ઉપનંદ નામે એ ભાઈ એ માલિક હતા. છઠ્ઠને પારણે પ્રભુ ન'દના પાડામાં ગોચરી કરવા ગયા. નદે પ્રભુને દહીં` સહિત ક્રૂર (કરા) વહેારાવ્યા. ગાશાળા ઉપનંદના પાડામાં તેનું ઘર માટુ' જોઈ આદરથી ભિક્ષા માટે ગયા. ઉપનંદની આજ્ઞાથી એક દાસીએ તેને વાસી ચેાખા આપ્યા. તે નહિ ગમવાથી દુષ્ટ બુદ્ધિવાળા તેણે ઉપન ંદને તિરસ્કાર કર્યાં. ઉપનંદ દાસી પ્રત્યે ખેલ્યા કે ‘જો તે અન્ન ન લેતા હૈાય તે તેના માથાપર નાખી હૈ.' દાસીએ પણુ તેમજ કર્યું; એટલે ગાશાળે કાપ કરીને કહ્યું કે જે મારા ગુરૂનુ તપતેજ હાય તા આ ઉપનંદનું ઘર ખળી ભસ્મ થાઓ.' પ્રભુનું નામ લઈને આપેલા શાપ પણ નિષ્ફળ ન થવા જોઈએ' એમ વિચારી નજીકમાં રહેલા તરાએ ઉપન’દનુ ઘર ઘાસના પુજની જેમ બાળી નાંખ્યું. ત્યાંથી વિહાર કરીને પ્રભુ ચંપાનગરીએ પધાર્યા. ત્યાં બે બે માસક્ષપણુ કરવાની પ્રતિજ્ઞા લઈને ત્રીજું ચામાસુ` રહ્યા. સમ્યક સમાધિને ધારણ કરતા પ્રભુ ઉત્કટિક વિગેરે આસનાવડે કાયાત્સગ કરતા મુક્તની જેમ ત્યાં રહ્યા. નગરીની બહાર ખીજા એ માસક્ષપણનું પારણું કરી ગોશાળા સહિત પ્રભુ કલ્લાક નામના ગામે આવ્યા. ત્યાં રાત્રે એક શૂન્યગૃહમાં પ્રતિમ ધારણ કરીને રહ્યા. ગોશાળા વાનરની જેમ ચપળતા કરતા કરતા તેના દ્વાર આગળ બેઠા. * તે ગામના સ્વામીને સિહ નામે એક પુત્ર હતો. તે અભિનવ યૌવનવાળા હાવાર્થી વિદ્યુતિ નામની તેની દાસીની સાથે રતિક્રીડા કરવાની ઇચ્છાએ તે શૂન્યગૃહમાં પેઠા. તેણે ઉંચે સ્વરે કહ્યું કે, આ ગૃહમાં જે કાઈ સાધુ, બ્રાહ્મણુ કે મુસાફર હોય તે ખેલો કે જેથી અમે અહિંથી ખીજે સ્થાને જઈએ.’ પ્રભુ તો કાયાત્સગ માં રહેલા હતા, તેથી તે તે મૌન રહ્યા; પરંતુ ગેાશાળા આ વચન સાંભળ્યા છતાં પણ કપટથી એલ્યા નહીં. જ્યારે કાઈના પ્રત્યુત્તર મળ્યા નહી. ત્યારે તે સિંહૈ દાસીની સાથે ઘણીવાર સુધી ત્યાં ક્રીડા કરી. પછી તે ઘરમાંથી નીકળવા ગયા એટલે પ્રકૃતિથી ચપળ અને દુમતિ એવા ગાશાળા જે દ્વાર પાસે બેઠા હતો તેણે ત્યાંથી નીકળતી વિદ્યુન્મતિ દાસીને કરવડે સ્પર્શી કર્યાં; એટલે તેણીએ રાડ પાડીને કહ્યું કે, સ્વામી! કાઈ પુરૂષે મને સ્પર્શ કર્યો.' તત્કાળ સિંહ પાછા વળી શૈાશાળાને પકડીને મેલ્યું. કે- અરે કપટી! તે છાના રહીને અમારી અનાચાર જોયા. તે વખતે મે' ખેલાયે। તો પણ ઉત્તર આપ્યા નહીં.' આ પ્રમાણે કહીને તેને ઘણું કુટીને સિંહ પેાતાને સ્થાનકે ગયા. પછી ગાથાળે પ્રભુને કહ્યું કે, હે સ્વામી! તમારા ' Page #61 -------------------------------------------------------------------------- ________________ સુગ ૩ જો શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષના વિહાર [ ૪૭ દેખતાં આણે મને માર્યા-' સિદ્ધાર્થ એલ્યું કે, ‘તું અમારી જેવા શીલ ( આચાર) કેમ રાખતો નથી? દ્વારે રહીને આવી ચપળતા કરે છે તો તને માર કેમ ન મળે ?’ પછી ત્યાંથી નીકળીને પ્રભુ પત્રકાળ નામના ગામમાં આવ્યા. ત્યાં પણ પૂર્વની જેમ પ્રભુ કાઈ શુન્યગૃહમાં પ્રતિમા ધરીને રહ્યા. ગોશાળા ભય પામીને તે ઘરના એક ખુણામાં એસી રહ્યો. તે ગામના સ્વામીના પુત્ર સ્કંદ પણ ઇતિલા નામની દાસીની સાથે રતિક્રીડા કરવાને માટે ત્યાં આવ્યેા. તેણે પણ સિંહની જેમજ પૂછ્યું. પણ કોઈએ ઉત્તર આપ્યા નહીં. પછી તે ક્રીડા કરીને નીકળ્યા ત્યારે ગાશાળા ઉચે સ્વરે હસી પડયો. એટલે અહિં પિશાચની જેમ ગુપ્ત રહીને કાણુ હસે છે?' એમ ખેલતા તે આવીને તેને ઘણો માર માર્યાં. પછી સ્કંદ પોતાને ઘેર ચાલ્યા ગયા. ગોશાળે પ્રભુને શું સ્વામીના ધમ આવા હાય? નિર્દેષ એવા મને મારતા તમે મારૂં નથી ?' સિદ્દા ખેલ્યા- અરે મૂખ! તેતરપક્ષીની જેમ મુખોષથી અનથ ભાગવે છે' કહ્યું કે, હે નાથ ! " C પછી વીરપ્રભુ ત્યાંથી વિહાર કરીને કુમાર સનિવેશે આવ્યા. ત્યાં ચ'પરમણીય નામના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. તે ગામમાં ધન ધાન્યની સમૃદ્ધિવાળા કુપન નામે એક કુંભાર રહેતો હતો, મદિરાના ક્રીડાની જેમ તેને મદિરા ઉપર ઘણી પ્રીતિ હતી. તે સમયે તેની શાળામાં મુનિચંદ્રાચાય નામે એક પાર્શ્વનાથ પ્રભુના બહુશ્રુત શિષ્ય ઘણા શિષ્યવગની સાથે રહેલા હતા. તે પેાતાના શિષ્ય વન નામના સૂરિને ગચ્છમાં મુખ્યપણે સ્થાપીને જિનકલ્પતુ અતિ દુષ્કર પ્રતિક ્ કરતા હતા. તપ, સત્ય, શ્રુત, એકત્વ અને બળ એમ પાંચ પ્રકારની તુલના કરવા માટે તે સમાધિપૂર્વક ઉપસ્થિત થયેલા હતા.અહિ' ગાથાળે પ્રભુને કહ્યું કે હું નાથ ! અત્યારે મધ્યાન્હના સમય છે, માટે ચાલે, ગામમાં શિક્ષા લેવા જઈએ.' સિદ્ધાર્થ' કહ્યુ કે આજે અમારે ઉપવાસ છે.' પછી ક્ષુધાતુર થયેલા ગાશાળા ગામમાં ભિક્ષાને માટે ગયા. ત્યાં ચિત્ર વિચિત્ર વજ્રને ધારણ કરનારા અને પાત્રાદિકને રાખનારા પાશ્વનાથના પૂર્વોક્ત શિષ્યાને તેણે જોયા; એટલે પૂછ્યું કે, તમે કેણુ છે?' તેઓ ખાલ્યા કે– અમે શ્રી પાર્શ્વનાથના નિગ્રંથ શિખ્યા છીએ' એશાળે હસતાં હસતાં કહ્યું કે, “ મિથ્યા ભાષણ કરનારા તમને ધિક્કાર છે. તમે વજ્રાદિક ગ્રંથીને ધારણ કરનારા છે, તે છતાં નિગ્રંથ શેના? કેવળ આજીવિકાને માટેજ આ પાખડની કલ્પના કરી જણાય છે. વઆદિક સ'ગથી રહિત અને શરીરમાં પણ અપેક્ષા વગરના જેવા મારા ધર્મોચાય છે તેવા નિગ્રંથ તો હાવા જોઇએ.” તે જિનેદ્રને જાણુતા નહતા, તેથી ગેાશાળાના આવાં વચન સાંભળીને ખેલ્યા કે, ‘જેવા તું છું, તેવા તારા ધર્માંચાય પણ હશે; કેમકે તે પાતાની મેળે લિગ ગ્રહણ કરનારા જણાય છે.' ક્ષુધાતુર થયેલા ગોશાળે તેમનાં આવાં . 1 જિનકીપણ' કરવાની તુલના રક્ષણ કેમ કરતા તુ આમ અનેકવાર Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું વચનથી શાપ આપ્યો કે, “જે મારા ગુરૂનું તપતેજ હોય તો આ તમારા ઉપાશ્રય બની જાઓ.” તેઓ બોલ્યા કે-“તારા વચનથી અમે બળીશું નહીં.” ગોશાળ વિલ થઈ પ્રભુ પાસે આવીને કહેવા લાગે કે-“આજે મેં તમારા તપસ્વીપણાની નિંદા કરનારા સગ્રંથ સાધુઓને જોયા, તમારી નિંદા સાંભળીને મેં ક્રોધથી તેમને શાપ આપે કે, તમારા ઉપાશ્રય બળી જાઓ, તથાપિ તેમને ઉપાશ્રય જરા પણ બળે નહીં, માટે તે સ્વામિન! તેનું શું કારણ હશે તે કહે.” સિદ્ધાર્થ બે -“અરે મૂઢ! તેઓ શ્રી પાર્શ્વનાથના શિષ્યો છે, તેમનો ઉપાશ્રય તારા શાપથી કેમ બળે?” એવામાં રાત્રિ પડી, એટલે તે સુનિચંદ્રસૂરિ ઉપાશ્રયની બહાર પ્રતિમા ધરીને રહ્યા. પેલે કુપનય કુંભાર મદિરાપાન કરી ઉન્મત્ત બનીને ઘુમતો ઘૂમતો ત્યાં આવ્યું, તેણે આચાર્યને જોયા એટલે એ દુષ્ટ કુંભારે ચરબુદ્ધિથી આચાર્યને ગળેથી પકડીને શ્વાસ વગરના કરી દીધા, પણ તેઓ શુભ ધ્યાનથી ચલિત થયા નહીં. તે વેદનાને સહન કરતાં તેમને તત્કાળ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, અને મૃત્યુ પામી દેવલોકે ગયા. તે સ્થાનની નજીકમાં રહેલા વ્યંતરોએ પ્રાતઃકાળના પવનની જેમ તેમની ઉપર પુષ્પ વર્ષાવીને તેમનો મહિમા કર્યો. અહિં ગોશાળાએ આકાશમાં વિજળીની પેઠે પ્રકાશતી દેવશ્રેણીને જોઈને પ્રભુને પૂછયું કે, “સ્વામી! શું આ તમારા શત્રુઓનો ઉપાશ્રય સળગી ઉઠયો? આ આકાશમાં જણાતા અત્યંત ઉદ્યોતથી મને એવું અનુમાન થાય છે. સિદ્ધાર્થે કહ્યું કે, “અરે એમ કહે નહીં, આ તો તે સૂરિ શુભ ધ્યાનથી સ્વર્ગે ગયા; કેમકે “શુભ ધ્યાન કામધેનુની જેમ સર્વ મનોરથ પૂરનારૂં છે.' તેમને મહિમા કરવાને આ તેજોમય દેવતાઓ આવે છે, જેથી તારા જેવા અ૫ બુદ્ધિવાળા માણસને અગ્નિની ક્રાંતિ ઉત્પન્ન થઈ.” કૌતુક્કી તે જોવાને માટે ગોશાળો સવાર ત્યાં ગયો, એટલામાં તો દેવતાઓ પોતાને સ્થાને ચાલ્યા ગયા, કેમકે “એવા દુષ્ટને દેવ દર્શને કયાંથી હોય?' પણ ત્યાં પુષ્પ અને સુગંધી જળની વૃષ્ટિ જોઈને તે હs પામે. પછી તેમના શિષ્ય જે ઉપાશ્રયમાં સુતા હતા, તેઓની પાસે જઈને તેણે આ પ્રમાણે કહ્યું કે, “અરે મુંડાઓ! તમે દુષ્ટ શિખ્યો છે, કારણ કે દિવસે ઈરછા પ્રમાણે ભજન કરીને આખી રાત્રિ અજગરની જેમ સુઈ રહે છે. તમે પણ જાણતા નથી કે, તમારા સૂરિ મૃત્યુ પામી ગયા. અહે! ઉત્તમ કુળમાં જન્મ લેનારા તમારા જેવાને ગુરૂને વિષે પણ આટલે પ્રતિબંધ નથી?” પછી તે શિષે બેઠા થયા અને “આ પિશાચની જેમ કોણ બેલું છે?” એમ ચિંતવન કરવા લાગ્યા. પછી તેઓ ઉપાશ્રયની બહાર આવ્યા. ત્યાં આચા ને મરણ પામેલા જાણી તેઓ કુલીન પુત્રની જેમ અત્યંત ખેદ પામીને ઘણીવાર સુધી પિતાના આત્માની નિંદા કરવા લાગ્યા. ગોશાળો પણ તેમને તિરસ્કાર કરી વેચ્છાથી જેમ તેમ બોલતે પ્રભુ પાસે આવ્યું પ્રભુ ત્યાંથી વિહાર કરીને ચોરાક ગામે આવ્યા. ત્યાં પરચકના ભયથી ચારને શાધનારા આરક્ષક પુરૂષોએ ગોશાળા સહિત પ્રભુને કાત્સર્ગ રહેલા જોયા. તેમને પૂછયું Page #63 -------------------------------------------------------------------------- ________________ [૪૯ સગ ૩ જે] શ્રી મહાવીર પ્રભુનો પ્રથમના છ વર્ષને વિહાર કે “તમે કેણ છે?” પરંતુ મૌનપણાના અભિગ્રહવાળા પ્રભુ કાંઈ પણ બેલ્યા નહીં. મુનિઓ બધિર જેવાજ હોય છે. ઉત્તર ન મળવાથી તેમણે ધાર્યું કે, “જરૂર આ કઈ હેરૂ છે, તેથી મૌન ધરીને રહેલ છે. આમ ધારીને તે ક્રૂર બુદ્ધિવાળા પુરૂષએ ગોશાળા સહિત પ્રભુને પકડયા. અને બંનેને ડાકિણની જેમ બાંધીને કૂવામાં નાખ્યા અને વારંવાર ઘડાની જેમ ઉંચા નીચા કરવા લાગ્યા. તે અવસરે સેમા અને જયંતિ નામે ઉપલ નિમિતિની બે બહેનો કે જેઓ પાર્શ્વનાથ પ્રભુની શિષ્યા (ઉત્તમ સાધ્વીઓ) થઈ હતી, તેઓ તે ગામમાં આવેલી હતી. તેમણે લોકોની પાસેથી સાંભળ્યું કે, “અમુક સ્વરૂપવાળા કઈ બે પુરૂને આરક્ષક લોકે કુવામાં રાખી ઉંચા નીચા કરીને પાણીમાં નાખવા કાઢવા- , વડે પીડે છે.” તે સાંભળી તેઓએ વિચાર્યું કે, “ખે એ ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામી હોય!” આવું ધારીને તેઓ તત્કાળ ત્યાં આવી, તે ત્યાં પ્રભુને તેવી સ્થિતિમાં જોયા. એટલે તેમણે આરક્ષકને કહ્યું કે, “અરે મૂર્ખ ! તમે શું મરવાને ઈચ્છે છે? તમે શું આ સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીર પ્રભુ છે એમ નથી જાણતા ?’ સાધ્વીનાં આવાં વચન સાંભળીને તેઓએ ભય પામીને પ્રભુને મૂકી દીધા અને વારંવાર ખમાવવા લાગ્યા. પરંતુ “મહાન પુરૂષ કેપ કરતાજ નથી, તેઓ તે પિતાનો આત્મા રખે મલીન ન થાય એવી શંકાથી ક્ષમાજ કરે છે.” પ્રભુ કેટલાક દિવસ ત્યાં નિર્ગમન કરીને ચોથે ચેમાસું કરવા માટે પૃચંપા નગરીએ પધાર્યા. ત્યાં ચાર માસક્ષપણુ કરી વિવિધ પ્રકારે પ્રતિમા ધરતા પ્રભુ ચાતુર્માસ્ય રહ્યા. ચોમાસાને છે તે દિવસે કાત્સર્ગ પારી ત્યાંથી નીકળીને કૃતમંગળ નામના નગરે ગયા. તે નગરમાં દરિદ્ર સ્થવિરપણે ઓળખાતા, આરંભી, પરિગ્રહધારી અને સ્ત્રી સંતાનવાળા કેટલાક પાખંડીઓ વસતા હતા. તેમના પાડાની વચમાં એક મોટું દેવાલય હતું, તેમાં તેઓના કુળક્રમથી આવેલી કેઈ દેવતાની પ્રતિમા હતી. તે દેવાલયના એક ખુણામાં જાણે તેને સ્તંભ હોય તેમ નિષ્કપ થઈને વીરપ્રભુ કાર્યોત્સર્ગ ધરીને રહ્યા. તે સમયે માઘ માસ હતા અને ટાઢ ઘણી દુસહ પડતી હતી. પ્રભુ આવ્યા તે દિવસે તે પાખંડીઓને તે દેવાલયમાં રાત્રે મહોત્સવ હતો. એટલે પુત્ર પરિવાર લઈ તેઓ હર્ષથી દેવાલયમાં એકઠા થયા, પછી નૃત્ય ગીત કરીને જાગરણ કરવા લાગ્યા. તે જોઈ ગોશાળ હાસ્ય કરીને બે“અરે! આ પાખંડીઓ કેણ હશે? કે જેઓની સ્ત્રીઓ મદ્યપાન કરીને આમ નૃત્ય ગીત કરે છે. તે સાંભળી તેઓએ કોપાયમાન થઈને તેને ઘરમાંથી કાઢી મૂક્યો. ગોશાળ ટાઢથી હકારની જેમ અંગસંકેચ કરતા અને ગાયક જેમ વીણુ વગાડે તેમ દંતવાણાને વગાડતે બહાર ઉભે રહ્યો. થોડીવારે અનુકંપા લાવી તેઓએ પાછો ગોશાળાને અંદર દાખલ કર્યો. થોડીવારે તેની ટાઢ દૂર થઈ, એટલો પાછો ફરીવાર તે પ્રથમની જેમ બોલ્યો. પાછે તેને કાઢી મૂક્યો, વળી દયા લાવીને પ્રવેશ કરાવ્યો. એવી રીતે કોપ અને કૃપા કરીને તેઓએ D - 7. Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર [પ ૧૦ મું ૫૦ ^ ] ગશાળાને ત્રણ વાર કાઢયો અને પેસાડયો. જ્યારે ચાથી વાર ગોશાળો પેડ ત્યારે તે આલ્યે! કે, ‘અરે પાખંડીએ ! અલ્પ બુદ્ધિવાળા એવા તમાને સાચું કહેતાં કેમ કાપ થાય છે? તમારા આવા દુષ્ટ ચારિત્ર ઉપર કેમ કાપ કરતા નથી ? અને હુ જે સ્પષ્ટ ખેલનારા છુ, તેની ઉપર આમ વારવાર કાપ કરેા છે ?' આ સાંભળી તેનુ* કુટ્ટન કરવાને યુવાન પાખ’ડીઓ તૈયાર થયા, એટલે તેમના વૃદ્ધો તેમને વારીને કહેવા લાગ્યા‘ આ મહા તપસ્વી મહાત્મા દેવાય ના ફાઈ પીધારી ઉપાસક જણાય છે, માટે એના ખેલવાને ગણકારવું નહી', તે ભલે સ્વેચ્છાએ મેલ્યા કરે, જો તમે તે સાંભળી ન શકતા હા તે વાઘ વગાડયા કરેા. તેઓએ · તેમ કર્યુ” અને અનુક્રમે સૂર્યોદય થયા એટલે વીરપ્રભુ ત્યાંથી વિહાર કરી શ્રાવસ્તી નગરીએ આવ્યા, અને નગર બહાર કાર્યાત્સગ ધરીને રહ્યા. ભેાજનના અવસર થતાં ગેાશાળે પ્રભુને કહ્યું કે, ' ભગવન્ ! ભિક્ષા લેવા ચાલી, મનુષ્ય જન્મમાં સારરૂપ એક લેાજનજ છે. ' સિદ્ધાથે પૂર્વની જેમ કહ્યુ', ' અરે ભદ્ર! અમારે ઉપવાસ છે.' ગે!શાળે પૂછ્યું કે, સ્વામી ! ત્યારે મારે આજ કેવા આહાર થશે ?' સિદ્ધાર્થ આલ્યા– આજે તા તારે નરમાંસની ભિક્ષા થશે.' ગેાશાળા મેલ્યા- જ્યાં માંસના ગધ પણ ન હેાય તેવે સ્થાનકે હું ભિક્ષા કરીશ. ' આવા નિશ્ચય કરીને તે શ્રાવસ્તીપુરીમાં ભિક્ષા લેવા પેઠી. . , 7 એ નગરીમાં પિતૃદત્ત નામે એક ગૃહસ્થ હતા, તેને શ્રીભદ્રા નામે પ્રિયા હતી. તેને મૃતક પુત્ર આવતા હતા. એક વખતે તેણીએ શિવદત્ત નામના નિમિત્તિને આદરથી પૂછ્યું કે, ‘મારે સંતાન શી રીતે જીવે ? ' તેણે કહ્યું, “ ભદ્રે! જ્યારે તારે મરેલ સતાન જન્મે, ત્યારે તેના રૂધિરયુક્ત માંસની દુધ, ઘી, અને મધ સાથે મેળવીને ક્ષીર કરવી, પછી પગે ધૂળવાળો કાઈ સારા ભિક્ષુક આવે તેને આપી દેવી. તેમ કરવાથી જરૂર તારાં સંતાન જીવશે અને તારી પ્રસૂતિ નાશ નહીં પામે; પણ તે ભિક્ષુક જ્યારે ભાજન કરીને જાય ત્યારે તમારે તત્કાળ ઘરનું દ્વાર ફેરવી નાખવુ', કેમકે કદી પાછળથી તે જાણે તેા પશુ કાપથી તમારા ઘરને બાળી શકે નહીં.” સંતાનના અથવાળી તે સ્ત્રીએ ગોશાળો શિક્ષા કરવા ગયા તે દિવસેજ ખાળક આવેલ હાવાથી પૂર્વોક્ત રીતે ક્ષીર ખનાવી, અને જ્યારે ગાશાળા તેને ઘેર આવ્યા ત્યારે તેણીએ ભક્તિથી તે પાયસાન્ન તેને આપ્યું. ગાશાળેા તે જમીતે પ્રભુની પાસે આવ્યા અને તે વા' કહી બતાવી. સિથે ક્ષીર સંબધી જે મૂળ વાર્તા હતી તે કહી ખતાવી, એટલે તત્કાળ ગોશાળે મુખમાં આંગળી નાંખીને વમન કર્યું. તેમાં બાળકના નખ વિગેરે ઝીણા અવયવા જોઈ ને તેને ઘણા કાધ ચઢળ્યો; તેથી તે પેલી સ્ત્રીનું ગૃહ શેાધવા નીકળ્યા; પણ તેણીએ ગૃહતુ. દ્વાર ફેરવી નાખેલુ. હાવાથી ગાવાળની જેમ ગાશાળા તેના ઘરને ઓળખી શકયો નહી. પછી ગેાશાળા ખેલ્યું કે, ' તે મારા ગુરૂતુ' તપતેજ હોય તા આ ખધા પ્રદેશ ખળી જાઓ.' સાન્નિધ્ય રહેલા વ્યંતરાએ વિચાર્યું" કે, ‘પ્રભુનુ' માહાત્મ્ય અન્યથા ન થાઓ,' એમ વિચારી તેઓએ તે બધા પ્રદેશ ખાળી નાખ્યા Page #65 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ જો] શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષને વિહાર ત્યાંથી વિહાર કરી પ્રભુ હરિક નામના ગામે ગયા, ત્યાં ગામની બહાર રહેલા હરિદ્ર વૃક્ષની નીચે પ્રતિમા ધરીને રહ્યા. તે વખતે પત્રની છાયારૂપ છત્રવાળા તેજ વૃક્ષની નીચે શ્રાવસ્તી નગરીએ જતે કઈ માટે સાથે ઉતર્યો. વાઘથી ભય પામેલાંની જેમ તે સાથે ટાઢથી ભય પામીને ત્યાં રાત્રે અગ્નિને પ્રજવલિત કર્યો. પછી પ્રાતઃકાળે ઉઠીને સાથે ચાલતો થયે; પણ પ્રમાદથી તે અગ્નિને બુઝાવ્યો નહીં. તેથી તે અગ્નિ વ્યાધિની જેમ પ્રસરતો પ્રસરતે સમુદ્રમાં વડવાનલની જેમ મહાવીર પ્રભુની પાસે આવ્યો. તે વખતે “ભગવાન ! આ અગ્નિ નજીક આવ્યો માટે અહીંથી નાશી જાઓ.” એમ બોલતો ગોશાળો તરત કાકપક્ષીની જેમ બીજે નાશી ગયો. પ્રભુએ તેનું વચન સાંભળ્યું હતું પણું કર્મરૂપ ઇધનને બાળવાને માટે ધ્યાનરૂપ અગ્નિની જેમ તે અગ્નિને પણ માનતા ત્યાં સ્થિર થઈને ઊભા રહ્યા. હેમંતના તુષાર (ઝાકળ)થી કમળના બે કેશની જેમ તે અગ્નિથી પ્રભુના ચરણ શ્યામ થઈ ગયા. અગ્નિ શાંત થયા પછી પ્રભુ ગોશાળા સહિત લાંગલ નામના ગામે ગયા. ત્યાં વાસુદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. તે ગામના બાળકે ત્યાં કીડા કરતા હતા, તેઓને ગોશાળ પ્રેતની જેમ વિકૃતરૂપ કરીને ચોતરફથી બીવરાવવા લાગ્યો. તેના ભયથી કેઈના વસ્ત્રો પડી ગયા, કોઈની નાસિકાઓ કુટી, કેઈ ચાલતા ચાલતા પડી ગયા. તેવી રીતે સર્વ બાળકો ગામ તરફ નાશી ગયા; એટલે તે બાળકોના પિતાઓ ત્યાં આવ્યા, અને ગોશાળાને વિકૃત રૂપધારી જેઈને “અરે અમારા બાળકોને કેમ બીવરાવે છે?' એમ કહી તેઓ તેને પુષ્કળ માર મારવા લાગ્યા. તે વખતે ગામના વૃદ્ધો ત્યાં આવ્યા, તેઓ પ્રભુને જોઈને બોલ્યા કે-“અરે! મુખેં! એને છોડી દે, એ તે આ દેવાયને સેવક હોય એમ જણાય છે,” તેઓએ વૃદ્ધોના કહેવાથી તેને છોડી મૂકયો, એટલે ગોશાળે પ્રભુને કહ્યું કે સ્વામી! અન્ય જન મને મારે છે, તે પણ તમે અદ્યાપિ મારી ઉપેક્ષા કેમ કરે છે? તમે તે વાની જેવા નિષ્ફર જણાએ છો' સિદ્ધાથે કહ્યું કે, “તું જે માર ખાય છે, તે વ્યાધિની જેમ અંગમાંથી ઉઠેલા તારા સ્વભાવથી જ ખાય છે.” પછી કાર્યોત્સર્ગ પારી ત્યાંથી વિહાર કરીને પ્રભુ આવર્ત નામના ગામે આવ્યા. ત્યાં બળદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. ગોશાળે ત્યાં પણ પ્રથમની જેમ ગામના બાળકોને બીવરાવવા લાગ્યો. તે બાળકોના પિતાએ ત્યાં આવીને દુર્મદ સાંઢીઆની જેમ તેને કુટી નાખે. તેમના ગયા પછી ફરીવાર પણ તે બાળકને બીવરાવવા લાગ્યો. “પ્રાણીઓથી પ્રાણુત સુધી પણ પ્રકૃતિ છોડાતી નથી.” કેધ પામી તે બાળકોના પિતાએ ત્યાં આવી પરસ્પર કહેવા લાગ્યા કે, “આ બીચારા બળકુટકને મારે તે કાંઈ ઠીક નહીં, તેના સ્વામીને જ મારે, કારણ કે તે તેને નિષેધ કેમ કરતા નથી. સેવકો અપરાધ કરે તે તેના સ્વામીને દંડ કરે, એવી મર્યાદા છે.” પછી અપરાધ છતાં શ્વાનની જેમ ગોશાળાને છેડી દઈને તે દુબુદ્ધિએ દંડ ઉગામતા વીરપ્રભુની પાસે આવ્યા. તેવામાં ત્યાં રહેલો અહંતો ભક્ત કે વ્યંતર કોધથી બળદેવની Page #66 -------------------------------------------------------------------------- ________________ પર] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું પ્રતિમામાં અધિણિત થયે; તેથી જાણે પ્રત્યક્ષ બળદેવ હોય તેમ તે બળદેવની પ્રતિમા હળ લઈને તેમની સામે મારવા આવી. તે જોઈને આશંકા અને વિસ્મય પામી સર્વ ગ્રામ્યજનો પ્રભુના ચરણકમળમાં પડી ખમાવવા લાગ્યા અને પિતાને નિંદવા લાગ્યા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ ચોરાક ગામે આવ્યા, અને કોઈ એકાંત સ્થળે પ્રતિમા ધરીને રહ્યા. ગોશાળે કહ્યું કે, “સ્વામી ! ગોચરી જવું છે કે નહીં? ' સિદ્ધાર્થે કહ્યું, આજે અમારે ઉપવાસ છે.” પછી. સુધાતુર થયેલો ગોશાળો એકલો ઉત્સુકપણે ભિક્ષાને માટે ગામમાં ગયે. ત્યાં કોઈક ઠેકાણે ગોઠને માટે રસોઈ થતી તેણે દીઠી; એટલે “ભિક્ષાને સમય થયો છે કે નહિ? ” તેનો નિર્ણય કરવા ગોશાળ સંતાઈ સંતાઈને જેવા લાગે. તે વખતે તે ગામમાં ચાર લોકોનો મોટો ભય હતું, તેથી “આ સંતાઈને જુએ છે, માટે તે ચાર છે અથવા ચોરનો મેકલેલો ચર પુરુષ છે.” એમ તર્ક કરીને ગામના લોકોએ ગશાળાને કુટી નાંખ્યો. શૈશાળે કોધાયમાન થઈને શાપ આપ્યો કે, “જે મારા ધર્મગુરૂનું તપતેજ હોય તે આ લોકોને ગોષ્ટિમંડપ બળી જાઓ.” એટલે ભગવંતના ભક્ત વ્યંતરેએ તે મંડપને બાળી નાખ્યો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ કલંબુક નામના ગામે ગયા. તે ગામમાં મેઘ અને કાલહસ્તી નામે બે શૈલપાળક ભાઈઓ રહેતા હતા. તે વખતે કાળહસ્તી સૈન્ય લઈને ચોરોની પછવાડે જતો હતો. તેણે માર્ગમાં ગે શાળા સહિત વિરપ્રભુને આવતા જોયા, એટલે તેની ઉપર ચારની શંકા કરી. “તેવા લોકોની એવીજ બુદ્ધિ હોય છે.” કાળહસ્તીએ પૂછયું કે, “તમે કેણ છો?” પરંતુ મૌનધારી પ્રભુ કાંઈ બોલ્યા નહીં. ગે શાળો પણ ગમતની ખાતર વાનરની જેમ મૌન ધરી રહ્યો. પછી તેણે ગે શાળાને અને પ્રભુને બાંધીને પિતાના ભાઈ મેઘને સેપ્યા. તે મેઘ સિદ્ધાર્થ રાજાને સેવક હતો અને તેણે પ્રથમ પ્રભુને જોયા હતા, તેથી પ્રભુને ઓળખ્યા, એટલે પ્રભુને તેણે ખમાવીને મૂકી દીધા. પ્રભુએ અવધિજ્ઞાનથી જાણ્યું કે, “હજુ મારે ઘણું કર્મની નિર્જરા કરવાની છે. તે કર્મ સહાય વિના મારાથી તરત ખપાવાય તેમ નથી. કારણ કે સૈનિકે સિવાય શત્રુઓને માટે સમુહ જીતી શકાતો નથી. આ આયે દેશમાં વિહાર કરવાથી મને તેવી સહાય મળવી દુર્લભ છે, માટે હવે હું અનાર્ય દેશમાં વિહાર કરૂં.' આ વિચાર કરીને મોટા ઘર સાગરમાં જલજંતુ પ્રવેશ કરે તેમ પ્રભુ લાટ દેશમાં ગયા, જે દેશમાં પ્રાયઃ બધા દૂર સ્વભાવી મનુષ્યજ રહેતા હતા. ત્યાં પ્રભુને જોઈને કોઈ “મુડે મુડે' એમ કહીને મારવા લાગ્યા, કેઈ સ્પર્શ ધારીને પકડવા લાગ્યા, કેઈ ચોર ધારીને એમને બાંધવા લાગ્યા, કેઈકૌતુકથી પ્રભુની ઉપર ભસતા શ્વાનોને મૂકવા લાગ્યા અને બીજાઓ પોતાની મરજી પ્રમાણે બીજી અનેક પ્રકારની વિડંબના કરવા લાગ્યા. પરંતુ જેમ રોગી અતિ ઉગ્ર ઔષધોથી રોગનો નિગ્રહ થત ૧ અહીં સહાયક ઉપદ્રવાદિકના કરનારને ગયા છે. ૨ આર્ય રાજાને ગુપ્ત ચર. Page #67 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ જો] શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષની વિહાર [ ૫૩ જાણી હર્ષ પામે, તેમ પ્રભુ આવા ઉપસર્ગોથી કમ ખપતાં જાણુને અતિ હર્ષ પામતા હતા. વનમાંથી પકડી લાવેલા હાથીની જેમ ગોશાળે પણ ત્યાં બંધન અને તાડન વિગેરેની અનેક વેદનાએ સહન કરી. પ્રભુ ત્યાં કર્મની ઘણી નિર્જરા કરીને જાણે કૃતાર્થ થયા હોય તેમ આ દેશની સન્મુખ ચાલ્યા. અનુક્રમે પૂર્ણ કરીશ નામના ગામની નજિક જતાં તે લાટ દેશની ભૂમિમાં પ્રવેશ કરવાને ઇચ્છતા બે ચોરોએ પ્રભુને સામા આવતા જોયા. એટલે આ અપશુકન થયા.” એવું ધારી તેઓ પ્રભુને મારવાની ઈચ્છાથી કન્તિકા ઉપાડીને આવતા પ્રેતની જેમ ખગ ઉગામીને પ્રભુની સામે દેડિયા, આ સમયે દેવલોકમાં બેઠેલા ઈંદ્રને ચિંતવન થયું કે, “હાલ વીરપ્રભુ કયાં હશે ?” અવધિજ્ઞાને જોતાં તેણે પ્રભુને તથા તેમને મારવાને તૈયાર થયેલા તે બંને ચોરોને તત્રસ્થ જેયા. તત્કાળ સિંહ જેમ હાથીને મારી શકે તેવા પંજાથી બે હરિણને મારે તેમ ઈ મેટા પર્વતને તોડી શકે તેવા પરાક્રમી વાવડે તે બંને ચારેને મારી નાંખ્યા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ ભદિલપુર આવ્યા. ત્યાં ચાર માસના ઉપવાસ (ચેમાસી ત૫) કરીને પાંચમું ચાતુર્માસ્ય રહ્યા. તપનું પારણું કરી ત્યાંથી વિહાર કરતાં અનુક્રમે પ્રભુ કદલી સમાગમ નામના ગામ પાસે આવ્યા. ત્યાંના લોકો યાચકોને અન્ન આપતા હતા, તે જોઈ ગાશાળે પ્રભુને કહ્યું કે, “સ્વામી! અહિં ભજન કરો. સિદ્ધાર્થે કહ્યું કે, અમારે આજે ઉપવાસ છે.” “ત્યારે હું એકલે જમીશ” એમ કહી તે ત્યાં ગયે. ગોશાળો ત્યાં જમવા બેઠે, પણ પિશાચની જેમ તૃપ્ત થયે નહી, એટલે ગામના લોકોએ સર્વ અન્નથી ભરેલ એક થાળ તેને અર્પણ કરી દીધે. ગોશાળો તેમાંનું બધું અન્ન ખાઈ શક્યો નહીં, કંઠ સુધી આહાર કર્યો, તેથી પાણી પીવામાં પણ મંદ થઈ ગયો, એટલે તે લેકેએ અરે! તું તારી આહાર કરવાની શક્તિને પણ જાણતા નથી, તેથી તું શું મૂર્તિમાન દુષ્કાળ છું?” એમ કહી તે થાળ તેના મસ્તકપર ફેંકયો. પછી તૃપ્તિથી પેટને પંપાળતા પંપાળતે ગોશાળા ત્યાંથી ચાલ્યા ગયે. ત્યાંથી વિહાર કરીને પ્રભુ ભૂખંડ નામના ગામે ગયા. પ્રભુ કાર્યોત્સર્ગ રહ્યા. ગોશાળો સદાવ્રતનું ભેજન મેળવવાની ઈચ્છાથી પૂર્વવત તે ગામમાં ગયે. પૂર્વની જેમ ત્યાં પણ તેને ભજન અને તિરસકાર બંને મળ્યા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ તું બાક નામના ગામ સમિપે આવ્યા. પ્રભુ બહાર પ્રતિમા ધરીને રહ્યા અને ગોશાળો ગામમાં ગયો. તે ગામમાં બહુશ્રુત અને અનેક શિષ્યોના પરિવારથી પરવરેલા શ્રી પાર્શ્વનાથના શિષ્ય વૃદ્ધ નંદીષેણુચાર્ય આવ્યા હતા, તેઓ ગચ્છની બધી ચિંતા છોડી દઈને જિનકલ્પના પ્રતિકર્મને ૨ કરતા હતા, તેમને જોઈ ગોશાળ મુનિચંદ્રાચાર્યની જેમ તેમનું પણ હાસ્ય કરીને પ્રભુની ૧ સદાવ્રત હતું. ૨ જિનક૯૫ની તૂલના. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ ૫૧ ૧૦ મુ પાસે આવ્યા. તે મનિદીષેણુ રાત્રે તે ગામના કાઈ ચાકમાં ધર્મધ્યાન કરવા માટે કાર્યાત્સગ ધરીને સ્ત'ભની જેમ સ્થિર રહ્યા. ચાકી કરવા નીકળેલા ગ્રામરક્ષકાએ તેમને ચારની ભ્રાંતિથી મારી નાંખ્યા. તેઓ સદ્ય અવધિજ્ઞાન મેળવી મૃત્યુ પામીને દેવલાકે ગયા. દેવતાઓએ તેમને મહિમા કર્યાં, તે જોઈ શોશાળે ત્યાં આવી તેમના શિષ્યાને પૂર્વવત્ તિરસ્કાર કર્યાં. ' ત્યાંથી વિહાર કરીને પ્રભુ કૃષિકા નામના ગામ પાસે આવ્યા. ત્યાં આરક્ષક લેાકાએ પ્રચ્છન્ન ચરપણાની ભ્રાંતિથી ગોશાળા સહિત પ્રભુને હેરાન કર્યા, તે વખત નિરપરાધી એવા કેાઈ રૂપવાન્, શાંત, અને યુવાન દેવા'ને ગુપ્ત ચરની ભ્રાંતિથી આરક્ષકા મારે છે’ એવા વાર્તાલાપ લેાકેામાં ફેલાયે. તે વાર્તાલાપ શ્રી પાર્શ્વનાથની પ્રગલ્ભા અને વિજયા નામે એ શિષ્યા ચારિત્ર છેાડીને નિર્વાહને માટે પરિવાજિકા થઈ તે ગામમાં રહેતી હતી, તેણે સાંભળ્યા. તેથી ‘રખે, તે વીર પ્રભુ તા ન હોય?' એવી શંકા કરતી ત્યાં આવી. ત્યાં ભગવતને તેવી સ્થિતિમાં જોયા; એટલે તેએએ પ્રભુને વંદના કરીને આરક્ષકાને કહ્યું કે, “અરે મૂખે^! આ સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી મહાવીર છે એમ શુ તમે નથી જાણુતા ? હવે જલદી તેમને છેડી મૂકા; કેમકે આ ખબર જો ઇંદ્ર જાણશે તેા તમારી ઉપર પ્રાણહર વ મૂકશે,” આ પ્રમાણે સાંભળીને તેઓએ પ્રભુને છેાડચા અને વારંવાર ખમાવ્યા. પછી ભગવત ત્યાંથી વિશાળાપુરી તરફ ચાલ્યા. આગળ જતાં બે માર્ગા આવ્યા. એટલે ગાશાળે કહ્યું કે, “હે નાથ ! હું તમારી સાથે નહી. આવું, કારણ કે મને કાઈ મારે છે ત્યારે તમે તટસ્થ થઈ જોયા કરેા છે, વળી તમને ઉપસર્ગો થાય છે ત્યારે તેની સાથે મને પણ ઉપસગે થાય છે, કેમકે અગ્નિ સુકાની સાથે લીલાને પણ ખાળે છે. વળી લાકા પ્રથમ મને મારે છે અને પછી તમને મારે છે. તેમજ સારા ભાજનની ઈચ્છા થયા છતાં કાઈ દિવસ લેાજન થાય છે અને કાઇ દિવસ ભૂખ્યા રહેવુ' પડે છે. વળી પાષાણુમાં અને રત્નમાં, અરણ્યમાં અને નગરમાં, તડકામાં અને છાયામાં, અગ્નિમાં અને જળમાં, હુણવા આવનારમાં અને સેવકમાં નિવિશેષ-સમષ્ટિ રાખનાર એવા તમારી સેવા મૂઢ બુદ્ધિવાળા પુત્રની જેમ કાણુ કરે? એક તાળવૃક્ષની સેવા કરે તેવી નિષ્ફળ તમારી સેવા મેં બ્રાંત થઈને આજ સુધી કરી છે તે સભારો, હવે હું તેવી સેવા કરીશ નહી.” સિદ્ધાર્થ ખેલ્યા ‘તને જે રૂચે તે કર. અમારી તેા એવીજ શૈલી છે, તે કદિ પણ અન્યથા થશે નહીં.' પછી પ્રભુ ત્યાંથી વિશાળા નગરીને માર્ગે ચાલ્યા અને ગોશાળો એકલેા રાજગૃહ નગરને માર્ગે ચાલ્યેા. આગળ ચાલતાં સર્પવાળા મોટા રાફડામાં ઉંદર પેસે તેમ જેમાં પાંચસેા ચાર રહે છે એવા એક મેટા અરણ્યમાં ગોશાળે પ્રવેશ કર્યાં. એક ચારે ગીધની જેમ વૃક્ષ ઉપરથી ગોશાળાને દૂરથી આવતો જોયા, એટલે તેણે બીજા ચારાને કહ્યુ' કે • કાઈ દ્રવ્ય વિનાના નગ્ન પુરૂષ આવે છે.' તેઓ ખાલ્યા કે, ‘તે નગ્ન છે તો પણ આપણે Page #69 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ જો] શ્રી મહાવીર પ્રભુનો પ્રથમના છ વર્ષનો વિહાર [૫૫ તેને છોડે નહીં, કારણ કે કદાપિ તે કોઈને મોકલેલે ચર પુરૂષ પણ હોય? માટે તે આપણે પરાભવ કરીને જાય તે ઉચિત નથી.” એવી રીતે વિચારી તેઓ નજીક આવેલા ગોશાળાને “મામો, મામો” કહી વારા ફરતી તેના ખભા પર ચડીને તેને ચલાવવા લાગ્યા. વારંવાર એવી રીતે ચલાવવાથી ગોશાળાના શરીરમાં શ્વાસ માત્ર બાકી રહ્યો, એટલે ચાર લોકે તેને છોડીને ત્યાંથી બીજે ચાલ્યા ગયા. ગોશાળે વિચાર્યું કે, “સ્વામીથી જુદા પડતાં પ્રારંભમાં જ શ્વાનની જેમ મેં આવી દુઃસહ વિપત્તિ ભેગવી, પ્રભુની વિપત્તિને તો ઈંદ્રાદિક દેવતાઓ પણ આવી આવીને દૂર કરે છે, તો તેમના ચરણને શરણે રહેવાથી મારી પણ વિપત્તિઓ નાશ પામે છે. જે પ્રભુ રક્ષણ કરવાને માટે પોતે સમર્થ છતાં પણ કોઈ કારણથી ઉદાસીન રહે છે, તેવા પ્રભુને મંદ ભાગ્યવાળા પુરૂષ ધનના નિધિને પ્રાપ્ત કરે તેમ હું હવે શી રીતે પ્રાપ્ત કરીશ? માટે ચાલ, તેની જ શોધ કરૂં,” આવો નિશ્ચય કરી ગશાળ પ્રભુના દર્શનને માટે તે વનનું ઉલ્લંઘન કરીને અશ્રાંત પણે ભમવા લાગ્યો. પ્રભુ વિશાલા નગરીમાં આવ્યા. ત્યાં કઈ લેહકારની શાળામાં લોકેની આજ્ઞા લઈને પ્રભુ પ્રતિમા ધારણ કરીને રહ્યા. તે શાળાને સ્વામી લુહાર છ માસ સુધી રોગોથી પીડાઈ તરતમાં જ નિરોગી થયો હતો. તે જ દિવસે પિતાના સ્વજનોથી વિટાઈ પિતાની કોડમાં આવ્યું. ત્યાં પ્રભુને જોઈને તેણે ચિંતવ્યું કે, “પહેલે જ દિવસે મારે આ પાખંડીના દર્શન થયા તે મોટું અપશુકન થયું, માટે આની ઉપર જ લેઢાને ઘણુ મારીને એ અમંગળને દૂર કરૂં.” પછી તે દુષ્ટ પ્રભુને મારવા માટે ઘણું ઉપાડીને દેડ્યો. તે વખતે ઇંદ્રને વિચાર થયો કે, “હાલ પ્રભુ ક્યાં હશે?” અવધિજ્ઞાને જોતાં તે લુહારને ઘણુ મારવા ઉદ્યત થયેલ જાણું ઈંદ્ર તત્કાળ ત્યાં આવ્યા અને પોતાની શક્તિથી તે ઘણું તેના જ માથા ઉપર પડાવ્યા, તેથી માંડ માંડ રોગમુક્ત થયાં છતાં પણ ઘણના પ્રહારથી તે લુહાર યમદ્વારમાં પહોંચી ગયો. ઈંદ્ર પ્રભુને નમી સૌધર્મ કલ્પમાં ગયા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ ગ્રામક નામના ગામ પાસે આવ્યા. ત્યાં બિભેલક નામના ઉદ્યાનમાં આવેલા બિલેલક નામના યક્ષના મંદિરમાં પ્રભુ કાર્યોત્સર્ગ કરીને રહ્યા. તે યક્ષને પૂર્વ ભવે સમતિ ફરસેલું હતું, તેથી તેણે અનુરાગ ધરીને દિવ્ય પુષ્પ અને વિલેપન કથી પ્રભુની પૂજા કરી. ત્યાંથી વિહાર કરીને પ્રભુ શાલિશીષ નામના ગામે પધાર્યા. ત્યાં ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા, તે વખતે માઘ માસ વિતતો હતે. ત્યાં કટપૂતના નામે એક વાણુવ્યંતરી દેવી હતી, તે પ્રભુના ત્રિપૃષ્ણના જન્મમાં પ્રભુની વિજયવતી નામે પત્ની હતી. તે ભવમાં તેને સારી રીતે માન ન મળવાથી રાષવતી થઈને મૃત્યુ પામી હતી. કેટલાક ભવમાં ભમ્યા પછી તે મનુષ્ય ભવ પામી હતી. તે લવમાં બાળતપ કરી મૃત્યુ પામીને આ ભવમાં તે વ્યંતરી થઈ હતી. પૂર્વના વિરથી અને પ્રભુના તેજને સહન ન કરી શકવાથી તેણે પ્રભુની પાસે આવીને Page #70 -------------------------------------------------------------------------- ________________ પર ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર | [ પર્વ ૧૦ મું તાપસીનું રૂપ વિકુવ્યું. પછી માથે જટા ધારણ કરી, વલકલના વસ્ત્ર પહેરી, હિમ જેવા શીતળ જળમાં શરીરને બાળીને પ્રભુની ઉપર ઉંચે ઉભી રહી. પછી પવન વિસ્તારીને સીસળીઆની જેમ શરીર પરથી જળના અતિ દુસહ શીતળ બિંદુઓ પ્રભુની ઉપર ઉંચે પડવા લાગ્યા. જટાના અગ્ર ભાગથી અને વલકલમાંથી પડતા જળબિંદુઓએ પ્રભુને પલાળી દીધા. જે બીજો કોઈ પુરૂષ તે ઠેકાણે હેત તો શીતથી ઠરીને ફાટી જાત, અર્થાત્ પ્રાણ જતા રહેત. આ પ્રમાણે આખી રારિ શીતાપસર્ગને સહન કરતાં પ્રભુનું અત્યંત કર્મોને ખપાવે તેવું ધર્મધ્યાન વિશેષ દીપી નીકળ્યું, અને અનુત્તર વિમાનમાં રહેલા દેવો હોય તેવું સર્વ લોકને અવલોકન કરાવનારૂં વિશેષ પ્રકારનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. શ્રી વીરપ્રભુને દેવભવમાં પણ જ્યારે જ્યારે સહજ અવધિજ્ઞાન પ્રાપ્ત થતું ત્યારે તેઓ એકાદશાંગી સૂત્રાર્થના ધારણ કરનારા થતા હતા. અહીં રાત્રિ વ્યતીત થઈ એટલે કટપૂતના શાંત થઈ ગઈ. પછી તે ઘણે પશ્ચાત્તાપ કરીને ભક્તિપૂર્વક પ્રભુની પૂજા કરી પોતાને સ્થાનકે ગઈ. ત્યાંથી વિહાર કરીને પ્રભુ ભદ્રિકાપુરીએ આવ્યા. ત્યાં દીક્ષા લીધા પછીનું છઠું ચોમાસું કરવાને માટે પ્રભુ તપને આચરતા સ્થિતિ કરીને રહ્યા. ત્યાં છ માસે ગોશાળો આવીને મ. પૂર્વની જેમ પ્રભુની સેવા કરતો તે સાથે રહ્યો. પ્રભુએ વિવિધ અભિગ્રહપૂર્વક ત્યાં ચાર માસક્ષપણ કર્યા. પછી વર્ષાકાળ નિર્ગમન કરી નગરીની બહાર પારણું કર્યું. इल्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्टि शलाका पुरुष चरिते महाकाव्ये दशमपर्वणि श्री महावीर प्रथम षड वर्ष विहार वर्णनो नाम तृतीय सर्गः ॥ શ્રી મહાવીર સ્વામીને બીજા છ વર્ષને છદ્મસ્થ વિહાર. શાળે સેવેલા શ્રી વીરભગવંતે ત્યાર પછી આઠ માસ સુધી ઉપસર્ગ વગર મગધદેશની ભૂમિમાં વિહાર કર્યો. પછી આલંભિકા નામની નગરીએ ગયા. ત્યાં ચાર માસક્ષપણુ કરીને ચોમાસું ઉલ્લંઘન કર્યું. ચોમાસું પૂર્ણ થયા પછી તે નગરીની બહાર પારણું કરીને પ્રભુ ગોશાળા સહિત કુડક નામના ગામે ગયા. ત્યાં વાસુદેવના મંદિરના એક ખુણામાં ૧ લોકાવધિ. Page #71 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ ] શ્રી મહાવીર પ્રભુનો બીજા છ વર્ષને વિહાર [ ૫૭ જાણે રત્નમય પ્રતિમા બેસાડી હોય તેમ પ્રભુ પ્રતિમા ધરીને રહ્યા. પ્રકૃતિથી નિર્લજજ અને ઘણા વખતથી કરેલી સંલીનતાથી આતુર થયેલ ગોશાળો વાસુદેવની પ્રતિમાના મુખ પાસે પુરૂષ ચિન્હ ધરીને ઉભે રહ્યો. તેવામાં તેને પૂજારી આવ્યું, તે ગાશાળાને એવી રીતે રહેલે જોઈને વિચારવા લાગ્યો કે, “આ કેઈ પિશાચગ્રસ્ત અથવા ગાંડો માણસ જણાય છે.” એવું વિચારતો તે અંદર પેઠે અને તેને બરાબર જે; એટલે તેને નગ્ન જોઈને તેણે ધાર્યું કે, આ કેઈ નગ્ન જૈન સાધુ જણાય છે. વળી વિચાર્યું કે, “જે હું અને મારીશ તો લેકે કહેશે કે, આ દુષ્ટ નિર્દોષ એવા સાધુને વિનાકારણ માર્યા છે, માટે આનું ગામને જે યોગ્ય લાગે તે કરે; તેથી હું આ વાત ગામના લોકોને જઈને કહે,” એમ વિચારીને તે ગામના લોકોને તેને બતાવવા તેડી લાવ્યું. તત્કાળ ગામના બાળકેએ તેને લપડાકેથી અને મુષ્ટિઓથી કુટવા માંડ્યો. પછી એ ગાંડે છે, માટે એને મારવાથી સયું' એમ કહીને વૃદ્ધ લોકેએ તેને છોડાવ્યું. કર્મરૂપી શત્રુને મદન કરનારા પ્રભુ ત્યાંથી વિહાર કરીને મર્દન નામના ગામ પાસે આવ્યા. ત્યાં બળદેવના મંદિરમાં પ્રભુ પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં પણ પૂર્વની જેમ બળદેવના મુખમાં પુરૂષચિન્હ રાખીને ગેપાળે ઉભો રહ્યો. તેથી પૂર્વની જેમ ગામના લોકોએ કુટહ્યો અને પૂર્વની જેમ વૃદ્ધોએ છોડાવ્યા. ત્યાંથી વિહાર કરીને તપસ્વી પ્રભુ બહુશાળ નામના ગામે ગયા. ત્યાં શાળવન નામના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં શાલાર્યા નામે એક વ્યંતરી હતી, તેણે કાંઈ પણ કારણ વગર ક્રોધ પામીને પ્રભુની ઉપર કમને ઘાત કરનારા કેટલાક ઉપસર્ગો કર્યા. ઉપસર્ગ કરતાં કરતાં જ્યારે તે શ્રાંત થઈ ત્યારે તેણે પ્રભુની પૂજા કરી. પછી ત્યાંથી વિહાર કરીને વીરપ્રભુ હાલ નામના ગામે આવ્યા. ત્યાં જીતશત્રુ નામે રાજા હતાતે રાજાને કેઈ રાજા સાથે વિરોધ ચાલતો હતો; તેથી રાજપુરૂષોએ માર્ગમાં પ્રભુને ગોશાળા સહિત આવતા જોયા. એટલે “તમે કેણ છે?” એમ તેઓએ પૂછયું, પણ મૌનધારી પ્રભુ કાંઈ બોલ્યા નહીં. તેથી આ કોઈ શત્રુના હેરૂ છે. એવું ધારી તેમને પકડીને છતશત્રુ રાજાને સેંગ્યા. ત્યાં અસ્થિક ગામથી ઉ૫લ નિમિત્તીઓ આવેલ હતો. તેણે પ્રભુને ઓળખ્યા, એટલે વંદના કરી અને જીતશત્રુ રાજાને બધી વાર્તા કહી. પછી રાજાએ પણ ભક્તિથી પ્રભુને વંદના કરી. ત્યાંથી વિહાર કરીને પ્રભુ પુરિમતાલ નગરે પધાર્યા. ત્યાં પૂર્વે એવું બનેલું હતું કે ત્યાં વાગુર નામે એક ધનાઢય શેઠ રહેતો હતો. તેને ભદ્રા નામે પ્રિયા હતી. તે વંધ્યા હતી, તેથી સંતાનને માટે દેવતાઓની બાધાઓ કરી કરીને થાકી ગઈ હતી. એક વખતે તે બંને શકટમુખ નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં તેઓએ દેવની જેમ પુષ્પ ચુંટવા વિગેરેથી ચિરકાળ ક્રીડા કરી. કીડા કરતાં કરતાં તેઓ એક મોટા જીણુ મંદિર પાસે આવ્યા. કૌતુકથી D - 8 Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ મું ૫૮ ] બંનેએ તેમાં પ્રવેશ કર્યો. અંદર દૃષ્ટિને અમૃત જેવી શ્રીમલ્લિનાથ પ્રભુની પ્રતિમા દેખીને શ્રદ્ધાપૂર્વક તેમણે વંદના કરી. પછી પ્રાથના કરી કે, હે દેવ ? તમારા પ્રસાદથી જો અમારે પુત્ર કે પુત્રી થશે, તે અમે આ તમારા ચૈત્યના ઉદ્ધાર કરશું, અને ત્યારથી સદા તમારા ભક્ત થઈને રહેશું.' આ પ્રમાણે કહીને તેઓ પેાતાને ઘેર આવ્યા. ત્યાં નજીકમાં કાઈ અહુતભક્ત વ્યંતરીના નિવાસ હતા, તેના પ્રભાવથી ભદ્રાના ઉદરમાં ગર્ભ રહ્યો. તેથી શેઠને દેવ ઉપર પ્રતીતિ આવી. ગર્ભના દિવસથીજ માંડીને તેણે મોટા હષથી દુર્ગતિમાંથી પાતાના આત્માની જેમ તે દેવાલયના ઉદ્ધાર કરવાના આરભ કર્યા. અને બુદ્ધિમાન વાગુર શેઠ લીધેલા અભિગ્રહ પ્રમાણે દરરોજ ત્યાં જઈ ને તે મલ્લિનાથની પ્રતિમાની ત્રિકાળ પૂજા કરવા લાગ્યા. તેને જિનભક્ત જાણીને વિચરતા એવા સાધુ અને સાધ્વીઓ પણ તેને ઘેર આવવા માંડયા અને તે પણ સદા તેમની પૂજા સત્કાર કરવા લાગ્યા. નિત્યના સાધુએના સંગથી શ્રેષ્ઠ બુદ્ધિવાળા તે શેઠ શેઠાણી શ્રાવકપણું પામ્યા અને સવ વિધિના જાણનારા થઈ ગયા. આ સમયે શ્રી વીરભગવંત તે પુરિમતાલ નગરના શકેટમુખ નામનાજ ઉદ્યાનમાં કાઉસગ્ગ કરીને રહ્યા. ત્યાં ઈશાનેદ્ર જિનેશ્વરને વદના કરવા આવ્યે. તેણે મણિનાથ પ્રભુના બિંબને પૂજવા માટે જતા તે વાગુર શેઠને જોયા. એટલે ઈશાન ઈદ્રે કહ્યુ` કે, અરે શેઠ! આ પ્રત્યક્ષ જિનેશ્વરનું ઉલ્લુંઘન કરીને જિનેશ્વરના ખિંખને પૂજવા માટે આગળ કયાં જાઓ છે ? આ ભગવાન શ્રી વીરસ્વામી ચરમ તીર્થંકર છે, તે છદ્મસ્થપણે વિહાર કરતાં અહિં પ્રતિમાધારી થઈને રહ્યા છે. ’ તે સાંભળી વાગુર શેઠે મિથ્યા દુષ્કૃત દુઈ ત્રણ પ્રદક્ષિણા કરી કૃની જેમ શરીર સ ́કાચીને ભક્તિથી પ્રભુને વંદના કરી. પછી ઈશાનદ્ર અને વાગુર શેઠ પ્રભુને નમીને પાતાને સ્થાનકે ગયા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ ઉષ્ણાક નામના નગર તરફ ચાલ્યા. ભાગમાં તરતના પરણેલા અને તદ્દન વિરૂપ આકૃતિવાળા કેાઈ વરવધૂ સામા મળ્યા. તેમને જોઈ ને ગોશાળો ખેલ્યા કે− અહા ! જુએ તેા ખરા ! આ બંનેના કેવા મેાટા પેટ છે, મોટા દાંત છે, હડપચી તથા ડોક લાંખી છે, વાંસામાં ખુંધ નીકળેલી છે અને નાકે ચીખા છે. અહા ! વિધાતાની જોડી દેવાની ખુખી પણ કેવી છે, કે જેણે વરકન્યા બંને સરખા મેળવી દીધા છે! હું તા ધારૂ છું કે, તે વિધાતા પણુ કૌતુકી છે. તે આ પ્રમાણે ગોશાળા તેમની આગળ જઈ જઈ ને વારવાર કહેવા લાગ્યા, અને મશ્કરા [ વિષક ]ની જેમ વાર વાર અટ્ટહાસ કરવા લાગ્યા. તે જોઈને તે વવરની સાથેના માણસા કાધાયમાન થયા. તેથી ગેાશાળાને તેઆએ ચારની જેમ મયૂરખ'ધવડે આંધીને વાંસની જાળમાં ફેકી દીધા, ગોશાળે પ્રભુને ઉદ્દેશીને કહ્યું કે, હું સ્વામી ! મને ખાંધ્યા છે, તે છતાં તમે મારી ઉપેક્ષા કેમ કરે છે ? તમે અન્ય જાની ઉપર પણ કૃપાળુ છે, તે શું પાતાના સેવક ઉપર કૃપાળુ નથી ?’ સિદ્ધાર્થે કહ્યું કે, ‘ વાનરની જેમ ચપળતા કરનારા એવા તારે તારા પેાતાના દુશ્ચરિત્રથી * Page #73 -------------------------------------------------------------------------- ________________ સગ ૪] શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષને વિહાર [૫૯ હમેશા વિપત્તિ તે સિદ્ધ થઈ ચુકી છે. પ્રભુ થોડે દૂર જઈને તેની રાહ જોતા ઉભા રહ્યા. એટલે પેલા વધૂવરના માણસો પ્રભુને જોઈને વિચારવા લાગ્યા કે, “જુઓ, આ મહા તપસ્વી દેવાર્ય આ પુરૂષની રાહ જુએ છે, માટે કદાચ આ માણસ તેમને પીઠધારી, છત્રધારી કે કોઈ બીજું કાર્ય કરનાર સેવક હશે.” આ પ્રમાણે વિચારીને તેઓએ પ્રભુને માટે ગોશાળાને છેડી મૂક્યો. પછી પ્રભુ તેની સાથે ચાલતા અનુક્રમે ગોભૂમિમાં આવ્યા. ગોશાળે ગોવાલને પૂછ્યું કે, “અરે બીભત્સ મૂર્તાિવાળાઓ અરે મ્લેચ્છો ! અરે પોતાના નેહડામાંજ શૂરવીર ગોવાળ કહે, આ માર્ગ ક્યાં જાય છે?” ગોવાળી આ બેલ્યા અરે! મુસાફર! તું વિનાકારણ શા માટે અમોને ગાળો આપે છે? અરે શાળા ! તારે નાશ થઈ જશે. ” ગોશાળે કહ્યું, “અરે દાસીના પુત્રજે તમે મારે આટલે આક્રોશ સહન નહીં કરે તે હું અધિક આક્રોશ કરીશ, વળી મેં તમને કાંઈ ગાળો આપી નથી. મેં તમને મલેચ્છ ને બીભત્સ કહ્યા છે તો શું તમે મલેચ્છ અને બીભત્સ નથી ? મેં ખોટું શું કહ્યું છે?” તે સાંભળી તેઓએ ક્રોધથી ગોશાળાને બાંધીને વાંસના વનમાં ફેંકી દીધો; પરંતુ બીજા દયાળુ મુસાફરોએ તેને છોડાવ્યું. ત્યાંથી વિહાર કરીને પ્રભુ રાજગૃહનગરે પધાર્યા. ત્યાં ચાર માસક્ષપણુવડે વિવિધ પ્રકારના અભિગ્રહ કરીને પ્રભુએ આઠમું ચોમાસું નિગમન કર્યું. ચાતુર્માસને અંતે નગરની બહાર પ્રભુએ પારણું કર્યું. પછી પ્રભુએ ચિંતવ્યું કે, મારે હજુ પણ ઘણું કમ નિજરવાનું છે. આમ વિચારીને કમ નિર્જરાને માટે પ્રભુ ગોશાળા સહીત વજાભૂમિ, શુદ્ધભૂમિ, અને લાટ વિગેરે મહેર દેશમાં વિચર્યા. તે દેશમાં પરમાધાર્મિક જેવા સ્વછંદી મ્લેચ્છ વિવિધ ઉપસર્ગોથી શ્રી વીરપ્રભુને ઉપદ્ર કરવા લાગ્યા. કોઈ પ્રભુની નિંદા કરતા, કઈ પ્રભુને હસતા, અને કઈ શ્વાન વિગેરે દુષ્ટ પ્રાણીઓને લઈને પ્રભુને વિટી વળતા હતા પરંતુ “આથી કર્મને ધ્વસ થાય છે” એવું ધારીને શલ્યના ઉદ્ધારના સાધનોથી છેદાદિક થતાં જેમ હર્ષ પામે તેમ પ્રભુ તે ઉપસર્ગોથી ઉલટા હર્ષ પામતા હતા. કર્મરોગની ચિકિત્સા કરનાર પ્રભુ કમને ક્ષય કરવામાં સહાયકારી તે પ્લેને બંધુથી પણ અધિક માનતા હતા. જેમના ચરણના અંગુઠા માત્ર વડે દબાવવાથી અચળ એવો મેરૂ પણ કંપાયમાન થયું હતું, તેવા શ્રી વીરપ્રભુ પણ કર્મથી પીડાય છતાં આવી રીતે વર્તે છે. શકઈ તેમની આપત્તિ દૂર કરવાને માટે સિદ્ધાર્થ વ્યંતરને નિમેલે છે પણ તે તો માત્ર ગોશાળાને ઉત્તર આપવાને જ ઉપયોગી થઈ પડ્યો, બીજી વખત તો તે હાજર પણ રહે નહીં. પ્રભુના ચરણમાં મોટા મોટા સુરેદ્રો આવીને વારંવાર આળોટે છે અને કિંકર થઈને વર્તે છે. ઈંદ્રાદિક પણ પ્રભુને પ્રાપ્ત થતી કર્મજન્ય પીડામાં માત્ર ઉદાસી થઈને રહે છે. જેમના નામ માત્રથી દુષ્ટ ઉપક દ્રવી જાય છે, તે પ્રભુને ઉલટા અતિ શુદ્ર લોકો ઉપદ્રવ કરે છે, તેનો પોકાર કોની આગળ જઈને કરીએ? જગતના તે કૃતH સુકૃતેને ધિકાર છે, કે જેઓ સ્વામીથી ઉત્પન્ન Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું થયેલા છે, છતાં પણ આવા વિપ્નમાં આવી પડેલા સ્વામીની રક્ષા કરતા નથી. આખા જગતનું રક્ષણ અને ક્ષય કરવાનું પિતામાં બળ છતાં પ્રભુ તેને કિંચિત્ પણ ઉપગ કરતા નથી. કારણ કે “સંસારસુખના લાલચુ પુરૂષ જ પિતાના બળનું તેવા પ્રકારે ફળ મેળવવા ઈચ્છે છે.” આશ્રયસ્થાન પણ નહીં મળી શકવાથી ટાઢ અને તડકાને સહન કરતા પ્રભુ છ માસ સુધી ધર્મ જાગરણ કરતાં તે ભૂમિમાં રહ્યા, અને શૂન્યાગારમાં કે વૃક્ષતળે રહીને ધર્મધ્યાનમાં પરાયણ એવા પ્રભુએ નવમું ચાતુર્માસ્ય નિગમન કર્યું. ત્યાંથી વિહાર કરીને પ્રભુ ગોશાળા સાથે સિદ્ધાર્થ પુરે આવ્યા. ત્યાંથી કુર્મગ્રામ તરફ ચાલ્યા. માર્ગમાં એક તિલનો છોડ જેઈને ગોશાળે પ્રભુને પૂછયું કે-“સ્વામી! આ તિલનો છોડવો ફળશે કે નહીં?” ભવિતવ્યતાને યોગે પ્રભુ પિોતે જ મૌન છેડીને બોલ્યા, હે ભદ્ર! એ તિલનો છેડ ફળિત થશે. પુષ્પના સાત જીવ જે બીજા છેડમાં રહેલા છે, તે રવીને આજ છોડમાં તિલની સિંગમાં તેટલા જ તિલપણે ઉત્પન્ન થશે.” પ્રભુના આ પ્રમાણેનાં વચન પર ગશાળાને શ્રદ્ધા ન આવવાથી તેણે તે તિલના ભોથાંને માટી હાથેથી ઉખેડીને બીજે મૂકી દીધું. તે વખતે “પ્રભુની વાણી અસત્ય ન થાઓ.” એવું ધારીને નજીક રહેનારા કેઈ દેવતાએ તરત જ ત્યાં મેઘની વૃષ્ટિ વિકુવી, તેથી ત્યાંની જમીન અને તે તલનું ભોથું જરા આદ્ર થયું. તેવામાં તે પ્રદેશમાં કોઈ ગાય નીકળી, તેની ખરીથી તે ભેગું દબાયું, એટલે તે આ ભૂમિમાં પેશી ગયું, પછી પૃથ્વી સાથે મળી જવાથી સજજડ થયું. અનુક્રમે તેના મૂળ ઊંડા ગયા અને નવા અંકુરા ઉત્પન્ન થયા. અનુક્રમે તેની સીંગમાં પ્રભુએ કહ્યા પ્રમાણે પુષ્પના સાત જીવો તિલપણે ઉત્પન્ન થયા અને વધવા લાગ્યા. ભગવંત ત્યાંથી દુષ્ટ બુદ્ધિવાળા અને પિતાને પ્રભુને ખરે ભક્ત માનતા ગોશાળ સહિત કુર્મગ્રામે ગયા. હવે ચંપા અને રાજગૃહી નગરીની વચ્ચે ધનથી પૂર્ણ અને મહીમંડળમાં મંડનરૂપ ગોબર નામે એક ગામ છે. તેમાં ગેશંખી નામે એક આહીરપતિ કૌટુંબી (કણબી) રહેતે હતો. તેને બંધુમતી નામે એક વંધ્યા સ્ત્રી હતી, કે જે તેને અતિ વલ્લભ હતી. તે ગામની નજીક ખેટક નામે એક ગામ હતું. તે ગામ ચોરલકોએ આવીને ભાંગી નાંખ્યું અને ઘણું લોકોને બંદી તરીકે પકડ્યા. તે સમયે વેશિકા નામની કઈ એ પુત્રને જન્મ આપ્યો. તેનો પતિ હણાયેલ હોવાથી તેને સવરૂપવતી જાણીને ચેરલોકોએ સાથે લીધી. પ્રસવ રોગથી પીડિત એવી તે સ્ત્રી વૃષભ જેવા દુર્દાત અને વેગે ચાલતા ચાલકની સાથે હાથમાં બાળકને લઈને ચાલી શકી નહીં. ત્યારે ચારે બાલ્યા કે, “અરે સ્ત્રી ! જે તું જીવવાને ઈચ્છતી હોય તે મૂર્તિમાન વ્યાધિ જેવા આ બાળકને છેડી દે.” પછી તે વેશિકા બાળકને એક વૃક્ષ તળે મૂકી દઈને ભય પામી છતી ચારકોની સાથે ચાલી. “સર્વ લોકોને પ્રાણુથી વિશેષ બીજું કાંઈ પણ પ્રિય નથી.” પ્રાતઃકાળે પેલો ગોશંખી કણબી ત્યાં આવ્યો, તેણે એ બાળકને જોયે. તેને સ્વરૂપવાનું જોઈને તેણે ગ્રહણ કર્યો, અને ઘેર આવી પિતાની Page #75 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ થે ] શ્રી મહાવીર પ્રભુનો બીજા છ વર્ષને વિહાર : [ ૬૧ પત્નીને પુત્ર તરીકે રાખવા અર્પણ કર્યો. “અપુત્રીઆઓને બીજાનો પુત્ર પણ અતિ વહાલે લાગે છે.” પછી તે બુદ્ધિમાન કણબીએ એક મેંઢાને મારી તેના રૂધિરથી બાળકને ખરડીને અને પોતાની પત્નીને સૂતિકાને વેષ પહેરાવીને લોકોમાં એવી વાત ફેલાવી કે, “મારી સ્ત્રીને ગૂઢગલ્ય હતું, તે આજે પુત્રને પ્રસવ થયો છે.” આમ કહીને તેણે લોકોમાં મહોત્સવ પ્રવર્તા. અહીં તે બાળકની માતા વેશિકાને જે ચરલોકો લઈ ગયા હતા, તેણે ચંપાપુરીના ચૌટામાં વેચવાને માટે ઉભી રાખી. તેને પોતાના ધંધાને યોગ્ય ધારીને કોઈ વેશ્યાએ ખરીદ કરી. પછી તે વેશ્યાએ તેને ગણિકાને બધા વ્યવહાર શીખવાડજો. અનુક્રમે રૂપથી અસરાને પણ તિરસ્કાર કરે તેવી તે વેશિકા એક પ્રખ્યાત ગણિકા થઈ પડી, તે વેશિકાને પુત્ર ગશખિક કણબીને ઘેર યુવાનું થયું. એક વખતે તે મિત્રોની સાથે ઘીનું ગાડું વેચવાને માટે ચંપાનગરીમાં આવ્યું. ત્યાં નગરજનોને ચતુર રમણીઓની સાથે વિલાસ કરતા જોઈ તે પણ વિલાસ કરવાની ઈચ્છાથી ગણિકાઓના પાડામાં ગયો. ત્યાં બીજી વેશ્યાઓમાં રહેલી પિતાની માતા વેશિકાને તેણે જોઈ, એટલે તેની સાથે રમણ કરવાની તેની ઈચ્છા થઈ. “અજ્ઞાન મનુષ્ય પશુ જેવા જ હોય છે.” પછી તેણે તત્કાળ તેને એક આભૂષણ આપ્યું અને રાત્રે સ્નાન વિલેપનાદિ કરીને તેણીના ઘર તરફ ચાલ્યો. માર્ગે જતાં તેને એક પગ વિષ્ટામાં પડયો, પણ કામમાં મોહ પામી ગયેલા તેણે કાંઈ જાણ્યું નહીં. એ વખતે તેને પ્રતિબંધ કરવાને માટે તેની કુળદેવતાએ માર્ગમાં એક ગાય અને વાછડો વિકુળં. તે વાછડાને જોઈને પિતાનો પગ તેની સાથે તે ઘસવા લાગે, તેવામાં તે વત્સ મનુષ્ય વાણીએ ગાયને કહેવા લાગે-માતા! જુઓ આ કઈ પુરૂષ ધર્મ રહિત નિર્દયપણે પિતાના વિષ્ટા ભરેલા પગને મારી સાથે ઘસે છે.” તે સાંભળી ગાય બલી-“વત્સ! ખેદ કર નહીં, તેનું એ અપકૃત્ય કાંઈ વિશેષ નથી, કેમ કે કામદેવનો ગધેડો થઈને એ પિતાની માતા સાથે વિલાસ કરવાને ત્વરાથી જાય છે. તે સાંભળી તેણે ચિંતવ્યું કે, “આ ગાય મનુષ્યવાણીથી આમ કેમ બોલે છે? માટે હું તે વેશ્યાની તજવીજ તે કરૂં.” આવો વિચાર કરી તે વેશ્યાને ઘેર આવ્યો. વેશ્યાએ અત્યાન વિગેરે કરવા વડે તેનો સત્કાર કર્યો, પરંતુ પેલી ગાયની વાણીથી શંકા આવેલી હોવાથી તે પુરૂષના ચિત્તમાં કામવ્યાપારનો રોધ થઈ ગયે હતું, એટલે તેણે ક્ષણવાર રહીને તે વેશ્યાને કહ્યું કે-“ભદ્ર! તમારી જે પરંપરા હોય તે કહો.” તેનું એ વચન જાણે સાંભળ્યું જ ન હોય તેમ કરીને એ વેશ્યા તેને અનેક પ્રકારના હાવભાવ બતાવવા લાગી. “વેશ્યાઓનું પ્રથમ કામશાસન એજ છે.” ફરીથી તે બોલ્યો કે-“જો તમે તમારી હકીક્ત કહેશે તો હું તમને બમણું દ્રવ્ય આપીશ, માટે ખરેખરી હકીક્ત કહે, તમને તમારા માતાપિતાના સેગન છે.” આવી રીતે જ્યારે તેણે વારંવાર કહ્યું, ત્યારે તેણીએ જે યથાર્થ હતું, તે કહી સંભળાવ્યું. તે સાંભળી શંકા પામીને તે ત્યાંથી ઉઠી ગયો અને તત્કાળ પિતાને ગામ ગયો. ત્યાં જઈને તેણે પિલા કણબી માતાપિતાને પૂછયું કે, “હું તમારા અંગ જ પુત્ર છું કે ખરીદ કરેલ છું? અથવા કોઈ બીજી રીતે Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર [પર્વ ૧૦ મું મળેલો પુત્ર છું? જે યથાર્થ હોય તે કહે.” તેઓએ કહ્યું કે, “તું અમારે અંગ જ પુત્ર છે,” આવી રીતે અસત્ય કહેવાથી તે પીડિત થઈ રીસ ચડાવીને બહાર જવા લાગ્યો, એટલે તેઓએ જે રીતે તે પ્રાપ્ત થયો હતો તે વૃત્તાંત યથાસ્થિત કહી બતાવ્યું. તેથી તેના જાણવામાં આવ્યું કે, “વેશિકા વેશ્યા ખરેખરી મારી પોતાની માતાજ છે.” પછી તે પાછે ચંપાનગરીએ ગયે, અને વેશિકાની પાસે જઈને તેણે પોતાનું વૃત્તાંત જણાવ્યું. પોતાના પુત્રને ઓળખીને વેશિકા લજજાથી નીચું મુખ કરી રૂદન કરવા લાગી. પછી તેની કુટ્ટિનીને ઘણું દ્રવ્ય આપી તેણે પોતાની માતાને ત્યાંથી છોડાવી અને પિતાને ગામ લઈ જઈને તેને ધર્મ માર્ગમાં સ્થાપિત કરી. તે વેશિકાનો પુત્ર “વૈશિકાયન” એવા નામથી ઓળખાવા લાગે. ત્યાં આવ્યા પછી વિષયથી ઉદ્વેગ પામીને તેણે તરતજ તાપસવ્રત ગ્રહણ કર્યું. પિતાના શાસ્ત્રના અધ્યયનમાં તત્પર અને સ્વધર્મમાં કુશળ એવો તે તાપસ ફરતે ફરતો શ્રી વીરપ્રભુના આગમન પહેલાં કૂર્મ ગામમાં આવ્યો હતો. તે ગામની બહાર રહી મધ્યાહૂન સમયે ઉંચા હાથ કરી, સૂર્યમંડળ સામે દષ્ટિ રાખી, વડવૃક્ષની વડવાઈઓની જેમ લંબાયમાન જટા રાખીને સ્થિર રહેતો હતો. સ્વભાવથી જ વિનીત, દયા દાક્ષિણ્યથી યુક્ત અને સમતાવાન એ તે ધર્મધ્યાનમાં તત્પરપણે મધ્યાહુન સમયે આતાપના લેતા હતા. એ કૃપાનિધિ તાપસ સૂર્યકિરણના તાપથી પૃથ્વી પર ખરી પડતી જુઓને વીણી વીણીને પાછી પોતાના મસ્તક પર નાંખતો હતો. આવા વેશિકાયમ તાપસને જોઈને ગોશાળ પ્રભુની પાસેથી ત્યાં આવ્યું. અને તેને પૂછ્યું કે, “અરે તાપસ! તું શું તત્ત્વ જાણે છે? અથવા તું શું જુનો શય્યાતર છું? તું સ્ત્રી છું કે પુરૂષ? એ પણ કાંઈ બરાબર સમજાતું નથી. આ પ્રમાણે તેણે કહ્યું, તો પણ એ ક્ષમાવાન તપસ્વી કાંઈ પણ બોલ્યા નહીં. શાળા તો વારંવાર તે પ્રમાણે કહેવા લાગ્યા, કેમકે “કુતરાના પુછને બહુ વાર સુધી યંત્રમાં રાખ્યું હોય તો પણ તે સરલ થતું નથી.” છેવટે તે તાપસને કે૫ ચડયો. એટલે તેણે તેની ઉપર તેલેસ્યા મૂકી. “અતિશે ઘસવાથી ચંદનના કાણમાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે.” જ્વાળાએથી વિકરાળ એવી તેઓલેશ્યાથી ભય પામેલે તે ગોશાળ દાવાનળથી ત્રાસ પામેલ હસ્તી જેમ નદી પાસે જાય તેમ પ્રભુની પાસે આવ્યો. શાળાની રક્ષા કરવાને માટે પ્રભુએ શીતલેશ્યા સામી મૂકી; તેથી જળવડે અગ્નિની જેમ તેજેશ્યા શમી ગઈ. પ્રભુની તેવી સમૃદ્ધિ [ શક્તિ ] જઈને વૈશિકાયન વિસ્મય પામ્ય; તેથી તે શ્રી મહાવીરની પાસે આવી નમ્રતાથી આ પ્રમાણે છે કે, હે ભગવન્ ! મેં તમારે આ પ્રભાવ જાણ્યા નહોતે, માટે મારું આ વિપરીત આચરણ ક્ષમા કરો.” આ પ્રમાણે કહીને તે તાપસ ગયો. ત્યાર પછી ગોશાળે પ્રભુને પૂછયું કે, “હે ભગવંત! આ તેજલેશ્યાની લબ્ધિ શી રીતે પ્રાપ્ત થતી હશે? પ્રભુ બેલ્યા- જે મનુષ્ય નિયમધારી થઈ સર્વદા છઠ્ઠ કરે અને એક મુષ્ટિ કુભાષ તથા અંજલિ માત્ર જળથી પારણું કરે તેને છ માસને અંતે અખલિત અને પ્રતિપક્ષીને ભયંકર એવી મહા તે વેશ્યા ઉપજે.” Page #77 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ ] શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષને વિહાર [૬૩ પછી કૂર્મગ્રામથી વિહાર કરીને પ્રભુ ગોશાળા સહિત સિદ્ધાર્થ પુર નામના ઉત્તમ નગર તરફ ચાલ્યા. માર્ગમાં પેલું તિલના વૃક્ષનું ભાથું જ્યાં પડેલું હતું તે પ્રદેશ આવ્યો, એટલે ગોશાળે કહ્યું કે, “હે સ્વામી! આપે જે તિલને છેડ ઉગવાને કહ્યો હતે તે ઉો નથી. પ્રભુ બેલ્યા–“ઉગે છે, અને તે અહીં જ છે. ગશાળે તે વાત માની નહીં. પછી તેણે તે તિલને છેડ લઈને તેની શીગ ચીરી, તે તેમાં તિલના બરાબર સાત દાણા ઉગેલા દીઠા. એટલે ગોશાળો બોલ્યો કે, “શરીરનું પરાવર્તન કરીને પાછા જતુએ ત્યાં ને ત્યાં જ ઉત્પન્ન થાય છે.” પછી પ્રભુએ તે જેલેશ્યાને જે વિધિ કર્યો હતો તે પ્રમાણે તેજલેશ્યા સાધવાને માટે ગેશાબ પ્રભુને છેડીને શ્રાવતી નગરીએ ગયે. ત્યાં એક કુંભારની શાળામાં રહીને પ્રભુએ જેમ કહ્યું હતું તેમ છ માસ પર્યત તપ કર્યું અને તેજલેશ્યા સિદ્ધ કરી. પછી તેની પરીક્ષા કરવાને માટે તે એક કૂવાને કાંઠે ગયો અને પિતાને કેપ ઉત્પન્ન કરવા માટે કોઈ દાસીને ઘડે કાંકરે મારી ફેક્યો. દાસીએ તેને ગાળો આપવા માંડી, એટલે તેણે તત્કાળ ક્રોધ કરીને તેના પર તેલેશ્યા મૂકી, જેથી તે દાસી વીજળી પડવાથી બળે તેમ બની ગઈ અને તેને તેજલેશ્યાની પ્રતીતિ થઈ. પછી કૌતુક જેવાની પ્રીતિવાળો ગશાળ લેકોથી પરિવૃત થઈ વિહાર કરવા લાગ્યા. એક વખત શ્રી પાર્શ્વનાથ પ્રભુના છ શિષ્ય કે જેઓએ ચારિત્ર તજી દીધું હતું અને અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનમાં પંડિત હતા, તેઓ ગોશાળાને મળ્યા. તેઓના શોણ, કલિંદ, કર્ણિકાર, અછિદ્ર, અગ્નિશાન અને અર્જુન એવા નામ હતા. તેઓએ સૌહદપણથી ગોશાળાને અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન બતાવ્યું. “સમાન શીળવાળા પુરૂષને સદ્ય મંત્રી થાય છે.” તેલેશ્યા અને અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન મળવાથી ગર્વ ધરતે ગોશાળ “હું જિનેશ્વર છું” એમ કહેતે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. પ્રભુ સિદ્ધાર્થપુરથી વિહાર કરીને વૈશાળી નગરીએ પધાર્યા. ત્યાં પ્રભુના પિતાને મિત્ર શંખ ગણરાજ મોટો પરિવાર લઈને પ્રભુની સામે આવ્યો અને પૂજા કરી. ત્યાંથી વિહાર કરીને ભગવંત વાણિજક ગામ તરફ ચાલ્યા. માર્ગમાં મંડિકા નામે એક નદી આવી તે નાવવડે ઉતર્યા. પ્રભુ નાવમાંથી ઉતરવા લાગ્યા, એટલે નાવીકે તપેલી રેતીવાળા તટ ઉપર નાવ રાખીને નદી ઉતારવાનું મૂલ્ય માગ્યું. તે વખતે શંખ ગણરાજને ભાણેજ ચિવ નૌકાસૈન્ય લઈને પાછા ફરતો હતો, તેણે પ્રભુને અટકાવેલા જોયા. તેથી તેણે તત્કાળ તે નાવિકને તિરસ્કાર કરી ભગવંતને છેડાવ્યા. પરમ ભક્તિથી પ્રભુ પૂજા કરીને તે ચિત્ર પિતાને નગરે ગયે. પછી ભગવંત વાણિજક ગ્રામે આવ્યા. ત્યાં બહાર પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં આનંદ નામે શ્રાવક રહેતા હતા, તે સદા છઠ્ઠતપ કરતો હતો અને આતાપના લેતો હતો. તેને અવધિજ્ઞાન થવાથી તે પ્રભુને વાંદવા આવ્યું. પ્રભુને વંદના કરી અંજલિ Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ મુ’ ૬૪ ] જોડીને તે ખેલ્યું કે- હે ભગવંત! આપે દુઃસહ પરીષહેા અને દારૂગૢ ઉપસર્ગ[ સહુન કર્યા છે; તમારૂ શરીર અને મન બંને વજ્ર જેવા છે કે જે આવા પરીષહેા અને ઉપસગે થી ભગ્ન થતાં નથી. હે પ્રભુ! હવે તમારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પણ નજીક છે. આ પ્રમાણે કહી ફરીવાર પ્રભુને વાંદીને તે આનંદશ્રાવક પેાતાને ઘેર ગયા. પછી કાયાત્સગ પારીને પ્રભુ શ્રાવસ્તી નગરીએ પધાર્યા. ત્યાં દીક્ષા લીધા પછીનું દશમું' ચાતુર્માસ્ય નિ`મન કર્યું". ચાતુર્માસ્ય પૂર્ણ થયે નગર બહાર પારણું કરીને પ્રભુ સાયટિક ગામે આવ્યા. ત્યાં પ્રભુએ ભદ્રા પ્રતિમા અંગીકાર કરી. તે પ્રતિમામાં અશન છેડી પૂર્વાભિમુખે રહી એક પુદ્ગલ ઉપર દૃષ્ટિ સ્થિર કરીને આખા દિવસ રહ્યા. તે રાત્રિએ દક્ષિણાભિમુખ, ખીજે દિવસે પશ્ચિમાભિમુખ અને ખીજી રાત્રિએ ઉત્તરાભિમુખ એમ છઠ્ઠું તપવડે તે પ્રતિમા પૂર્ણ કરી. તે પ્રતિમા પાર્યાં વગર પ્રભુએ મહાભદ્રા પ્રતિમા અંગીકાર કરી, અને પૂર્વાદિ દિશાના ક્રમથી ચાર અહેારાત્ર સુધી રહ્યા. એમ દશમ (ચાર ઉપવાસ) વડે મહાભદ્રા પૂર્ણ કરીને તરતજ ખાવીશમ (દૃશ ઉપવાસ )ના તપવર્ડ સતાભદ્રા પ્રતિમા અંગીકાર કરી. તે પ્રતિમા આરાધતાં દશે દિશાઓમાં એક એક અહેારાત્ર રહ્યા. તેમાં ઉદ્ધ અને અા દિશાને પ્રસંગે ઉદ્ધ અને અધા ભાગે રહેલા દ્રવ્ય ઉપર દૃષ્ટિ સ્થાપિત કરી. એવી રીતે ત્રણે પ્રતિમા કરીને પારણાને માટે પ્રભુ આનંદ નામના એક ગૃહસ્થને ઘેર ગયા. ત્યાં તેની બહુલા નામે કેાઈ દાસી પાત્ર ધેતી હતી. તે ટાઢું. અન્ન કાઢી નાખતી હતી, તેવામાં પ્રભુને આવેલા જોઈ ને તે ખેલી કે, હું સાધુ! તમારે આ ક૨ે છે?' પ્રભુએ હાથ પ્રસાર્યા, એટલે તેણીએ ભક્તિથી તે અન્ન આપ્યું. પ્રભુના પારણાથી પ્રસન્ન થયેલા દેવતાઓએ ત્યાં પાંચ દિવ્ય પ્રગટ કર્યો. તે જોઇ લેાકેા ઘણુંા હર્ષ પામ્યા. રાજાએ તે બહુલાને દાસીપણામાંથી મુક્ત કરી. “ પ્રભુના પ્રસાદથી ભવ્ય પ્રાણીઓ ભવથી પણ મૂકાય છે તે આમાં શું આશ્ચય છે!” ત્યાથી વિહાર કરતાં પ્રભુ ઘણા મ્લેચ્છ લાકાથી ભરપૂર એવી દૃઢભૂમિમાં આવ્યા. ત્યાં પેઢાળ નામે ગ્રામની નજીક પેઢાળ નામના ઉદ્યાનમાં પાલાસ નામના ચૈત્યમાં પ્રભુએ અષ્ટમ તપ કરીને પ્રવેશ ક્વેર્યાં. ત્યાં જ ંતુઓનો ઉપરાધ ન થાય તેવા એક શિલાતલ ઉપર જાતુ સુધી ભુજા લખવી. શરીરને જરા નમાડી, ચિત્ત સ્થિર કરી, નિમેષ રહિત નેત્રે રૂક્ષ દ્રવ્યપર દૃષ્ટિ રાખીને પ્રભુ એક રાત્રિની મહાપ્રતિમાએ રહ્યા. તે સમયે શઇંદ્ર સુધર્માં સભામાં ચેારાસી હજાર સામાનિક દેવતાઓ, તેત્રીશ ત્રાયત્રિંશ દેવતાઓ, ત્રણ પ્રકારની સભાએર, ચાર લેાકપાળા, અસંખ્ય પ્રક્રીણુંક દેવતાએ, ચારે દિશાઓમાં દૃઢ પરિકર બાંધીને રહેલા પ્રત્યેક ચેારાશી હજાર અંગરક્ષકા, સેનાથી વી...ટાયેલા સાત સેનાપતિએ, આલિયાગિક દેવદેવીઓના ગણેા અને કિશ્મિબ્યાદિક દેવતાઓના પરિવાર સહિત બેઠા હતા. દક્ષિણ ૧ ગુરૂસ્થાનકી. ર્ અભ્યંતર સભા, મધ્ય સભા, ખાદ્ય સભા. ૩ સેવવ Page #79 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ ] શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષને વિહાર લકા દ્ધની રક્ષા કરનાર તે ઈદ્ર શક્ર નામના સિંહાસન પર બેસી નૃત્ય, ગીત અને ત્રણ પ્રકારના વિદ્યાવિદવડે કાળ નિગમન કરતા હતા. તે વખતે અવધિજ્ઞાનથી ભગવંતને તેવી રીતે રહેલા જાણી તે તત્કાળ ઉભો થયો. પગમાંથી પાદુકા છોડી દઈ, ઉત્તરાસંગ કરી, જમણા જાનુને પૃથ્વી પર સ્થાપિત કરી અને ડાબા જાનુને જરા નમાવી, પૃથ્વી પર મસ્તક લગાડીને તેણે શક્રસ્તવવડે પ્રભુને વંદના કરી. પછી બેઠા થઈ જેના સર્વ અંગમાં રોમાંચકચક પ્રગટ થયેલો છે એવા ઈદ્ર સર્વ સભાને ઉદ્દેશીને આ પ્રમાણે કહ્યું-“અરે! સૌધર્મલેકવાસી સર્વ દેવતાઓ! શ્રી વીરપ્રભુનો અદ્દભૂત મહિમા સાંભળ-પંચ સમિતિને ધારણ કરનાર, ત્રણ શુદ્ધિઓથી પવિત્ર, કિધ, માન, માયા અને લેભથી પરાભવ નહિ પામેલ, આશ્રવ રહિત અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવ સંબંધી કઈ પ્રકારે પણ પ્રતિબંધ નહિ કરનાર એ પ્રભુ એક રૂક્ષ પુદ્ગલ ઉપર દષ્ટિને સ્થિર કરીને અત્યારે મહાધ્યાનમાં સ્થિત થયેલા છે. તેમને એ ધ્યાનમાંથી ચળાયમાન કરવાને દેવતાઓ, અસુર, યક્ષો, રાક્ષસ, ઉરગે, મનુષ્ય કે ઐક્ય પણ શક્તિવાન નથી.” આવા ઇદ્રનાં વચન સાંભળીને તે સભામાં બેઠેલ ઇદ્રનો સામાનિક સંગમ નામનો દેવતા કે જે અભવ્ય અને ગાઢ મિથ્યાત્વના સંગવાળા હતા, તે લલાટ ઉપર ચડાવેલી ભૃકુટીથી ભયંકર દેખાતે, અધરને કંપાવતો અને કેપથી નેત્રને રાતા કરતાં બોલ્યા કે હે દેવેંદ્ર! એક શ્રમણ રૂપ થયેલા મનુષ્યમાત્રની તમે આટલી બધી પ્રશંસા કરે છે, તેનું કારણ સત્ અસત્ બેલવામાં સ્વછંદતા પ્રગટ કરનાર તમારી પ્રભુતા જ છે. હે સુરેંદ્ર! એ સાધુ દેવતાઓથી પણ ધ્યાનમાંથી ચલિત કરી શકાય તેવો નથી” એવું ઉદ્ભર તમે હદયમાં કેમ ધારો છે? અને કદિ ધારો છે તો શા માટે કહે છે? જેના શિખર આકાશને રૂંધી રહ્યા છે અને જેના મૂળ રસાતળને રૂંધી રહેલા છે એવા સુમેરૂગિરિને પણ જેઓ એક હેફાની જેમ ભુજાવડે ફેંકી દેવા સમર્થ છે, કુળગિરિ સહિત બધી પૃથ્વીને બાળા દેવામાં જેને સ્પષ્ટ વૈભવ છે એવા સાગરને પણ જેઓ એક ગંડૂષ (કેગળા) માત્ર કરી જાય તેવા છે, અને અનેક પર્વવાળી આ પ્રચંડ પૃથ્વીને જેઓ છત્રની જેમ એક ભુજાએ ઉપાડી લેવાની શક્તિ ધરાવે છે, આવા અતુલ સમૃદ્ધિવાળા, અમિત પરાક્રમી અને ઈચ્છા પ્રમાણે સિદ્ધિને પ્રાપ્ત કરનારા દેવતાઓની આગળ એ મનુષ્ય માત્ર સાધુ કોણ છે? હું પોતે જ તેને ધ્યાનમાંથી ચલાયમાન કરીશ.” આ પ્રમાણે કહી ભૂમિ પર હાથ પછાડીને તે સભામંડપ માંથી ઊભો થયો, તે વખતે “અહંત પ્રભુ પારકી સહાયથી અખંડિત તપ કરે છે તેવું રખે આ ટુબુદ્ધિ જાણે નહીં? એમ ધારી શકે ઈ છે તેની ઉપેક્ષા કરી. પછી વેગવડે ઉઠેલા પ્રલયકાળના અગ્નિ જે અને નિબિડ મેઘ જેવા પ્રતાપવાળે, રૌદ્ધ આકૃતિથી સામું પણ જોઈ ન શકાય એ, ભયથી અપ્સરાઓને નસાડ અને મેટા વિકટ ઉરસ્થળના આઘાતથી ગ્રહમંડળને પણ એકઠા કરતો તે પાપી દેવ જ્યાં પ્રભુ હતા ત્યાં આવ્યું. નિષ્કારણ જગતના બંધુ અને નિરબાધપણે યથાસ્થિત રહેનારા વીરભુને જોતાં તેને અધિક D - 9 Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું દ્વેષ ઉત્પન્ન થયો. તત્કાળ તે દુષ્ટ દેવે પ્રભુની ઉપર અકાળે અરિષ્ઠને ઉત્પન્ન કરનારી મહા દુઃખદાયક રજની વૃષ્ટિ કરી. તે રજના પૂરથી ચંદ્રને રાહુની જેમ અને સૂર્યને દુદિનની જેમ પ્રભુના સર્વ અંગેને ઢાંકી દીધાં. તે રજથી તેણે સર્વ તરફથી પ્રભુના શરીરના દ્વારા એવા પૂર્યા કે જેથી પ્રભુ શ્વાસોચ્છવાસ લેવાને પણ અશક્ત થઈ ગયા. તથાતિ જગદ્ગુરૂ એક તિલમાત્ર પણ ધ્યાનથી ચલિત થયા નહીં. “ ગમે તેવા શક્તિવાન ગજે દ્રોથી પણ શું કુલગિરિ ચલિત થાય?” પછી રજને દૂર કરીને તે ટુટે પ્રભુના સર્વ અંગને પીડા કરનારી વજમુખી કીડીઓ ઉત્પન્ન કરી. તે કીડીઓ પ્રભુના અંગમાં એક બાજુથી પેશોને વેચ્છાએ બીજી બાજુએ-આરપાર વસ્ત્રમાં સોય નીકળે તેમ નીકળી તીક્ષણ મુખાગથી પ્રભુના સર્વ અંગને વધવા લાગી. નિર્ભાગીની ઈચછાઓ નિષ્ફળ થાય તેમ જ્યારે કીડીઓને ઉપસર્ગ પણ નિષ્ફળ થયો, ત્યારે તેણે પ્રચંડ પારષદે (ડ) વિકુળં. “દુરાત્મા પુરૂષના અપકૃત્યને અંત હોતો નથી.” તેઓના એક એક પ્રહારથી નીકળતા ગાયના દૂધ જેવા રૂધિરવડે પ્રભુ નિઝરણાવાળા ગિરિની જેવા દેખાવા લાગ્યા. જ્યારે તેઓથી પણ પ્રભુ ક્ષોભ પામ્યા નહીં, ત્યારે તેણે પ્રચંડ ચાંચવાળી દુર્નિવાર ઘીમેલ વિકુવી. પ્રભુના શરીર ઉપર તેઓ મુખાત્રથી એવી ચુંટી ગઈ કે જાણે શરીર સાથે જ ઉઠેલી રામપંક્તિ હોય તેવી દેખાવા લાગી. તેથી પણ યોગસાધનના જાણ જગદ્ગુરૂ ચળિત થયા નહીં, એટલે પ્રભુને ધ્યાનમાંથી ચળાવવાના નિશ્ચયવાળા તે દુષ્ટ વીંછીઓ વિકુ. તેઓ પ્રલયકાળના અગ્નિના તણખા જેવા અને તપાવેલા ભાલાની જેવા પોતાના ભયંકર પુરછના કાંટાઓથી ભગવંતના શરીરને ભેદવા લાગ્યા. તેઓથી પણ પ્રભુ આકુળ થયા નહીં, એટલે ફડા સંકલ્પ કરનારા તેણે ઘણું દાંતવાળા નકુલ (નળ) વિકુવ્ય. ખી! ખી! એ વિરસ શબ્દ કરતા તેઓ પોતાની ઉગ્ર દાઢેથી ભગવંતના શરીરમાંથી તોડી તોડીને માંસના ખડે જુદા પાડવા લાગ્યા. તેઓથી પણ તે કૃતાર્થ થયે નહી, એટલે યમરાજના ભુજદંડ જેવા ભયંકર અને મોટી ફણાવાળા સર્પોને તેણે મહા કોપથી ઉત્પન્ન કર્યા. મોટા વૃક્ષને જેમ ક્રૌંચાની લતા વીંટાઈ વળે તેમ તે સર્પોએ મહાવીર પ્રભુને પગથી તે મસ્તક સુધી વીટી લીધા. પછી તેઓ પિતાની ફણુએ ફાટી જાય તેવા જોરથી પ્રભુ ઉપર ફણુઓના પ્રહાર કરવા લાગ્યા અને દાઢે ભાંગી જાય તેટલા જોરથી પિતાની દાઢવડે તેમને ડસવા લાગ્યા. જ્યારે બધું ઝેર વમન કરીને તેઓ દેરીની જેમ લટકી રહ્યા ત્યારે દુટે વજા જેવા દાંતવાળા ઉંદરે ઉત્પન્ન કર્યા. તેઓ નખથી, દાંતથી, મુખથી અને કરથી પ્રભુના અંગને ખણવા લાગ્યા અને તેની ઉપર મૂત્ર કરીને ક્ષત ઉપર ક્ષાર નાખવા લાગ્યા. જ્યારે તેમાંથી પણ કાંઈ થયું નહીં, ત્યારે ક્રોધથી ભૂત જેવા થયેલા તે દેવે મેટા દંતમૂશળવાળો એક ગદ્રવિકુવ્યું. પગના પાતથી જાણે પૃથ્વીને નમાડતા હોય અને મોટી તેમ જ ઉંચી કરેલી સુંઢથી જાણે આકાશને તોડીને નક્ષત્રાને નીચે પાડવા ઈચ્છતો હોય તેવો તે ગજેન્દ્ર પ્રભુની ઉપર દેડી આવ્યો. તેણે દુર સુંઢથી પકડીને પ્રભુના શરીરને આકાશમાં દૂર ઉછાળી દીધું. પછી પ્રભુનું શરીર કણેકણ વેરણ શરણ Page #81 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ થ] શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષને વિહાર [ ૬૭ થઈ જાય તો ઠીક એવું ધારીને તે દ્વરાશય દાંત ઊંચા કરી પ્રભુને પાછો ઝીલી લેવા દેવો. એવી રીતે ઝીલ્યા પછી તે દાંત વડે વારંવાર એવી રીતે પ્રહાર કરવા લાગ્યો કે જેથી પ્રભુની વા જેવી છાતીમાંથી અગ્નિના તણખા નીકળવા લાગ્યા. તથાપિ એ વરાક હાથી પ્રભુને કાંઈ પણ કરી શક્યો નહીં, એટલે તે દુટે જાણે વૈરિણી હોય તેવી એક હાથિણી વિમુવી. તેણે અખંડ એવા મસ્તકથી અને દાંતોથી પ્રભુને ભેદી નાંખ્યા અને વિષની જેમ પિતાના શરીરના જળથી તે ભાગ પર સિંચન કરવા લાગી. જ્યારે તે હાથિયું પણ પ્રભુના શરીર પર રેણુ જેવી થઈ ગઈ ત્યારે તે અધમ દેવે મગરના જેવી ઉગ્ર દાઢવાળા એક પિશાચનું રૂપ વિકવ્યું. જવાળાઓથી આકુળ એવું તેનું ફાડેલું મુખ પ્રજવલિત અગ્નિકુંડની જેવું ભયંકર લાગતું હતું, તેની ભુજાઓ યમરાજના ગ્રહના ઉંચા કરેલા તોરણના સ્તંભ જેવી હતી, અને તેની જધા અને ઉરૂ ઉંચા તાડવૃક્ષ જેવા હતા. ચર્મના વસ્ત્ર ધરત, અટ્ટહાસ કરતે અને કિલ કિલ શબ્દ કરી કુકારા કરતાં તે પિશાચ હાથમાં કાતી લઈને ભગવંતને ઉપદ્રવ કરવા માટે દોડી આવ્યા. તે પણ ક્ષીણ તેલવાળા દીપકની જેમ જ્યારે બુઝાઈ ગયો ત્યારે તે નિર્દય દેવે તરત ક્રોધથી વાઘનું રૂપ કર્યું. પુચ્છની છટાના આચ્છોટથી પૃથ્વીને ફાડતો હોય અને બત્કાર શબ્દના પડછંદાથી ભૂમિ તથા અંતરીક્ષને રોવરાવતું હોય, તેવો તે વાઘ વજ જેવી દાઢથી અને ત્રિશૂલ જેવા નખાથી ભુવનપતિને અવ્યગ્રપણે ઉપદ્રવ કરવા લાગ્યો. તે પણ દાવાનલમાં દગ્ધ થયેલા વૃક્ષની જેમ નિસ્તેજ થયો એટલે તે અધમ દેવ સિદ્ધાર્થ રાજાનું રૂપ ધારણ કરીને આવ્યા. તે બે-“હે તાત! આ અતિ દુષ્કર કામ તે શા માટે આરંવ્યું છે? માટે આ દીક્ષા છોડી દે, અમારી અવગણના કર નહીં, તારો ભાઈ નંદિવર્ધન મને વૃદ્ધાવસ્થામાં અશરણ છોડી દઈને ચાલ્યો ગયો છે.” પછી ત્રિશલા દેવીને વિકુળં. તેણે પણ વારંવાર તેજ વિલાપ કર્યો. તેઓના એવા વિલાપથી પણ જ્યારે પ્રભુનું મન લિપ્ત થયું નહીં, ત્યારે તે દુરાચારીએ એક છાવણી (માણસેથી વસેલી) વિમુવી. તેમાંથી એક રસોયાને ભાત રાંધવાનો વિચાર થયે; તેને ચુલાને માટે પાષાણુ મળ્યા નહીં એટલે તેણે પ્રભુના બે ચરણને ચુલા રૂપ કરીને તેના પર ભાતનું ભાજન મૂક્યું અને બે પગની વચ્ચે તત્કાળ અગ્નિ પ્રજ્વલિત કર્યો. અનુક્રમે તે અગ્નિ તેણે એટલો બધે વધારી દીધો કે પર્વત પર દાવાનલની જેમ પ્રભુના ચરણમૂળ તે અગ્નિથી તપાયમાન થયા. તથાપિ અગ્નિમાં મૂકેલા સુવર્ણની જેમ તેમની શોભા હીન થઈ નહીં. (ઉલટી વૃદ્ધિ પામી.) પછી તે નિષ્ફળ થયેલા અધમ દેવે એક ભયંકર પકવણું (ચંડાળ) વિકુવ્યું. તેણે આવીને પ્રભુના કંઠમાં, બે કાનમાં, બે ભુજામાં અને જપા ઉપર શુદ્ર પક્ષીઓનાં પાંજરા લટકાવ્યા. તે પક્ષીઓએ ચાંચ તથા નખના પ્રહારે એટલા બધા કર્યા કે જેથી પ્રભુનું બધું શરીર તે પાંજરાની જેવું સેંકડો છિદ્રોવાળું થઈ ગયું. તેમાં પણ પાકેલા પાંદડાની જેમ તે પકવણ જ્યારે અસારતાને પામ્યા ત્યારે તે દુષ્ટ મહા ઉત્પાત કરનાર પ્રચંડ પવન ઉત્પન્ન કર્યો. મોટા વૃક્ષોને તૃણની જેમ આકાશમાં ઉછાળતો અને દિશાઓમાં પથરા અને કાંકરાઓને ફેંકતી તે પવન ચોતરફ પુષ્કળ રજ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મુ ઉડાડવા લાગ્યું. ધમણની જેમ અંતરીક્ષ અને ભૂમિને સર્વ તરફથી પૂરી દેતા તે પવને પ્રભુને ઉપાડી ઉપાડીને નીચે પછાડયા. તેવા ઉગ્ર પવનથી પણ જ્યારે તેનું ધાર્યું થયું નહીં, ત્યારે દેવતામાં કલંકરૂપ તે દુષ્ટ તત્કાળ વંટોળીઓ વાયુ વિકુવ્વ. પર્વતોને પણ જમાડવાને પરિપૂર્ણ પરાક્રમવાળા તે વંટેળીઆએ ચક્રપર રહેલા માટીના પિંડની જેમ પ્રભુને જમાડયા. સમુદ્રમાંહેના આવત્તની જેમ તે વળીઆએ પ્રભુને ઘણું ભમાડયા છતાં પણ એક તાનમાં રહેલા પ્રભુએ કિંચિત પણ ધ્યાન છોડ્યું નહીં. પછી તે સંગમને વિચાર થયે કે, “અહે! આ વજ જેવા કઠીને મનવાળા મુનિને મેં ઘણી રીતે હેરાન કર્યા, તો પણ તે જરા પણ શેભ પામ્યા નહિ, પણ હવે આ ભગ્ન વાચાવાળો થઈને હું ઇંદ્રની સભામાં કેમ જાઉં? માટે હવે તે તેના પ્રાણનો નાશ કરવાથી જ તેનું ધ્યાન નાશ પામશે, તે સિવાય બીજે ઉપાય નથી.” આવો વિચાર કરીને તે અધમ દેવે એક કાળચક ઉત્પન્ન કર્યું. હજાર ભાર લેહથી ઘડેલું તે કાળચક્ર કૈલાસ પર્વતને જેમ રાવણે ઉપાડ્યો હતો તેમ તે દેવે ઉંચું ઉપાડયું. પછી જાણે પૃથ્વીને સંપુટ કરવા માટે બીજે તેટલા પ્રમાણવાળો પુટ હેાય તેવું તે કાળચક તેણે રવડે પ્રભુની ઉપર નાખ્યું. ઉછળતી જ્વાળાઓથી સર્વ દિશાઓને વિકરાળ કરતું તે ચક્ર સમુદ્રમાં વડવાનળની જેમ પ્રભુ ઉપર પડયું. કુલપર્વતને પણ ચૂર્ણ કરવામાં સમર્થ એવા એ ચક્રના પ્રહારથી પ્રભુ જાનુ સુધી પૃથ્વીમાં મગ્ન થઈ ગયા. આ પ્રમાણે થયા છતાં પણ ભગવંત તેને મિષ્ટ દૃષ્ટિએ જોતા હતા તેથી જરૂર તે વિશ્વને તારવાને ઈરછનારા છે અને અમે સંસારના કારણે છીએ. જ્યારે આવા કાળચક્રથી પણ એ પંચત્વને પામ્યા નહીં ત્યારે તો જરૂર છે અને અગોચર છે, તેથી હવે બીજો ઉપાય શો રહ્યો? હવે તો તે અનુકૂળ ઉપસર્ગોથી કઈ રીતે ક્ષોભ પામે તેમ કરવું જોઈએ, આવી બુદ્ધિથી તે દેવ વિમાનમાં બેસી પ્રભુ આગળ આવીને બોલ્યો કે “હે મહર્ષિ તમારા ઉગ્ર તપથી, સવથી. પરાક્રમથી, પ્રાણની પણ ઉપેક્ષા કરવાથી અને આરંભેલા કાર્યને નિર્વાહ કરવાની ટેકથી હું તમારી ઉપર સંતુષ્ટ થયો છું; માટે હવે આવા શરીરને કલેશ કરનારા તપથી સર્યું; તમારે જે જોઈએ તે માગી લ્યો. હું તમને શું આપું? તમે જરા પણ શંકા રાખશે નહીં. કહો તો જ્યાં નિત્ય ઈચ્છમાત્ર કરવાથી બધા મનોરથ પૂરાય છે તેવા સ્વર્ગમાં આજ દેહથી તમને લઈ જાઉં? અથવા કહો તો અનાદિ ભવથી સંરૂઢ થયેલા સર્વ કર્મોથી મુક્ત કરી એકાંત પરમાનંદવાળા મોક્ષમાં તમને લઈ જાઉં? અથવા કહો તો બધા મંડલાધીશ રાજાએ પિતાના મુગટથી જેના શાસનનું પાલન કરે તેવી સમૃદ્ધિવાળા સામ્રાજ્યને આ લોકમાંજ આપું?” આવી રીતે વચનોથી લોભાવતાં પણ પ્રભુનું મન જરા પણ શોભ પામ્યું નહીં અને કાંઈ પ્રત્યુત્તર મળે નહીં, એટલે તેણે આ પ્રમાણે વિચાર્યું કે, “આ મુનિએ મારી બધી શક્તિનો પ્રભાવ નિષ્ફળ કર્યો છે, પણ હજુ એક કામદેવનું અમેઘ શાસન બાકી રહેલું છે. કારણ કે કામદેવના અસ્રરૂપ ૨મણીઓના કટાક્ષમાં આવેલા મોટા પુરૂષે પણ પિતાના પુરૂષવતને લેપ કરતા જોવામાં આવેલા છે.” આવો નિશ્ચય કરી તે Page #83 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ થી] શ્રી મહાવીર પ્રભુના બીજા છ વર્ષના વિહાર [ ૬૯ દેવતાએ દેવાંગનાએને આજ્ઞા કરી અને તેમના વિભ્રમમાં સહાય કરનાર છએ ઋતુઓને પ્રગટ કરી. મત્ત કેાકિલાના મધુર પુજિતાથી પ્રસ્તાવના કરતી કામનાટકની નટીરૂપ વસ ́તલક્ષ્મી શેાભી ઉઠી. કદંબના વિકસિત પુષ્પરજથી દિગ્વધુને માટે સેર'થ્રી દાસીની જેમ મુખવાસ સજ્જ કરતી ગ્રીષ્મૠતુની લક્ષ્મી વિસ્તાર પામી, કેતકીના પુષ્પના મિષથી જાણે કામદેવના રાજ્યાભિષેકમાં સર્વ અ'એ મંગળિક તિલક કરતી હાય તેવી વર્ષાઋતુ પ્રગટ થઈ. નવી નીલ કમળના મિષથી હજારા નેત્રવાળી થઈ પેાતાની ઉત્તમ સ`પત્તિનેજ જોતી હૈાય એવી શરદૂઋતુ પ્રકાશી નીકળી, શ્વેત અક્ષર જેવી નવીન ડાલરનીકળીએથી કામદેવની જયપ્રશસ્તિને લખતી હાય તેવી હેમંતલક્ષ્મી ખીલી નીકળી. ડોલર અને સિંદુવારના પુષ્પાથી હેમંત અને વસંતઋતુને ગણિકાની જેમ સાથે નભાવતી શિશિરલક્ષ્મી વૃદ્ધિ પામી. એવી રીતે ક્ષણમાં સ ઋતુએ સાથે પ્રગટ થયા પછી તરતજ કામદેવની સેના જેવી દેવાંગનાએ પ્રગટ થઈ. ભગવતની આગળ આવી તે રમ્ય અંગવાળી રમણીઓએ કામદેવના વિજયી મંત્રાસ જેવું સંગીત શરૂ કર્યુ”. કોઈ શુદ્ધ ચિત્તે લય સાથે ગાંધારગ્રામથી અનેક રાગની જાતિઓને ગાવા લાગી, કેાઈ પ્રવીણુ દેવાંગના ક્રમ અને ઉત્ક્રમથી વ્યંજન અને ધાતુઓને સ્પષ્ટ પ્રગટ કરતી મધુર વીણા વગાડવા લાગી. કાઈ ફૂટ, નકાર અને ધાંકાર એ ત્રણ પ્રકારના મેઘ જેવા ધ્વનિ કરતી ત્રિવિધ મૃગને વગાડવા લાગી; કાઈ આકાશ તથા પૃથ્વીમાં ઉછળતી, વિવિધ હાવભાવ અને નવનવા દૃષ્ટિભાવ કરતી નાચવા લાગી; દૃઢ અ‘ગહાર અને અભિનયથી કંચુકીને તાડતી અને શિથિલ કેશપાશને ખાંધતી કેાઈ પાતાની ભુજાના મૂળને બતાવતી હતી; કેાઈ દડપાદ વિગેરે અભિનયના મિષથી પોતાના ગેરૂચંદન જેવા ગૌર સાથળના મૂળને વારંવાર બતાવતી હતી, કેાઈ શિથિળ થયેલા અધેાવસની ગ્રંથોને દૃઢ કરવાની લોલાથી પાતાના વાપી જેવા નાભિમંડળને બતાવતી હતી, કાઈ ઇજ્જત નામના હસ્તાભિનયનો મિષ કરી વારવાર ગાઢાલિંગનની સ‘જ્ઞાને કરતી હતી, કાઈ નીવીને દૃઢ કરવાના છળથી ઉત્તરીય વસ્ત્રને ચળાવી પાતાના નિતંબખિ'મને દેખાડતી હતી; કેાઈ વિશાળલેાચના દેવી અંગભંગના મ્હાનાથી પુષ્ટ અને ઉન્નત સ્તનવાળા પેાતાના વક્ષસ્થળને ચિરકાળ સુધી દર્શાવતી હતી. “ અરે ભદ્ર! જો તમે ખરેખરા વીતરાગ છે. તેા શુ' તમે કાઈ વસ્તુપર રાગ નથી વિસ્તારતા ? જો તમે શરીર ઉપર પણ નિરપેક્ષ છે. તો તે અમને ચાં માટે અણુ નથી કરતા ? જો દયાળુ છે તો અકસ્માત ઉત્કૃષ્ટ ધનુષ્ય લઈને અમારી પર ઉઠેલા આ વિષમાયુધ કામદેવથી અમારી રક્ષા કેમ કરતા નથી ? પ્રેમના લાલચુ છતાં પણ જો ક્રિ કૌતુકથી અમારી ઉપેક્ષા કરતા હા તેા તે કૌતુક ક્ષણવાર કરવુ' ઘટિત છે, અમારા મરણાંત સુધી કરવુ. ચેાગ્ય નથી. હું સ્વામિન! હવે કઠણુતા છેાડી ઢો, અને અમારા મનોરથા પૂરા કરા. પ્રાથનાથી વિમુખ થાએ નહીં.” આ પ્રમાણે કાઈ કાઈ ી વારવાર કહેવા લાગી. આવી રીતે દેવાંગનાઓના ગીત, વાદ્ય, નૃત્ય, અંગવિકાર અને ચાટુ (ખુશામતનાં) વચનોથી પ્રભુ જરા પણ ક્ષેાભ પામ્યા નહી’. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું આ પ્રમાણે તે એક રાત્રિમાં કાયોત્સર્ગે રહેલા પ્રભુની ઉપર તે અધમ દેવ સંગમે વશ મોટા ઉપસર્ગો કર્યા. પ્રાતઃકાળે તેણે વિચાર્યું કે, “અહો ! આ મહાશય મર્યાદાથી સમુદ્રની જેમ ધ્યાનથી જરા પણ ચળિત થયા નહીં. તો હવે પ્રતિજ્ઞા ભ્રષ્ટ થઈને શું હું પાછે સ્વર્ગમાં જાઉં? પણ તેમ તે શી રીતે જવાય! માટે ચિરકાળ સુધી અહીં રહી આ મુનિને અનેક ઉપસર્ગો કરીને કોઈ રીતે ક્ષોભ પમાડું.” પ્રાત:કાળે સૂર્યના કિરણોથી વ્યાપ્ત એવો માર્ગ થતાં પ્રભુ યુગમાત્ર દૃષ્ટિ આપતાં વાલુક નામના ગ્રામ તરફ ચાલ્યા, માર્ગમાં તે અધમ સંગમે પાંચસો ચેર અને વેલના સાગર જેવી ઘણી રેતી વિમુવી. તે પાંચસો ચોર “માતુલ! માતુલ!” એમ ઉંચે સ્વરે કહી પ્રભુને તેવી રીતે આલિંગન દેતા વળગી પડ્યા કે જેથી પર્વત હોય તો તે પણ ફુટી જાય. તેનાથી ક્ષોભ પામ્યા સિવાય સમતારસના સાગર પ્રભુ રેતીમાં જાનુ સુધી પગ ખુંચાડતા ખુંચાડતા વાલુકા ગ્રામે આવ્યા. એવી રીતે સ્વભાવથી દૂર બુદ્ધિવાળો તે દેવ નગરમાં, ગામમાં, વનમાં કે પ્રભુ જ્યાં જાય ત્યાં તેમની પછવાડે જઈને અનેક પ્રકારનાં ઉપસર્ગો કરતો હતો. આ પ્રમાણે ઉપસર્ગ કરતાં કરતાં તે સંગમ દેવને છ માસ વીતી ગયા. અન્યદા પ્રભુ વિહાર કરતા કરતા કોઈ ગોકુળમાં આવ્યા. તે સમયે ત્યાં ગોકુળમાં ઉત્સવ ચાલતો હતો. પ્રભુએ છ માસ સુધી ઉપવાસ કર્યા હતા, તેથી આ વખતે પારણું કરવા સારૂં ગોકુળમાં ભિક્ષા માટે ગયા; પરંતુ જે જે ઘરમાં સ્વામી ભિક્ષા માટે જાય ત્યાં ત્યાં તે અધમ દેવ આહારને દૂષિત કરી નાખવા લાગ્યો. પ્રભુએ ઉપયોગ આપીને જોયું તો તે અધમ દેવ નિવૃત્ત થયો નથી એવું જાણી પ્રભુ પાછા ગોકુળની બહાર આવી પ્રતિમા ધરીને રહ્યા. તે દેવતાએ અવધિજ્ઞાનથી જોયું કે “હજુ આ મુનિના પરિણામ ભગ્ન થયા છે કે નહીં?' તો તેને જાણવામાં આવ્યું કે, “હજુ પણ તે ક્ષોભ પામ્યા નથી. એટલે તેણે વિચાર્યું કે, “છ માસ સુધી હમેશાં ઉપસર્ગો કર્યા, તેપણ સમુદ્રના જળથી સૌગિરિની જેમ આ મુનિ કંપ્યા નહીં; અને હજુ લાંબા વખત સુધી ઉપદ્રવ કરૂં તો પણ તે ધ્યાનથી ચલિત થશે નહીં, તેથી પર્વતને ભેદવામાં હાથી નિષ્ફળ થાય તેમ આમાં મારો પ્રયાસ તદન વૃથા થયે. હા! મારી દુબુદ્ધિથી ઠગાઈને સ્વર્ગના વિલાસનું સુખ છેડી શાપથી ભ્રષ્ટ થયેલાની જેમ હું આટલે બધે આ પૃથ્વી પર ભમે.” આ પ્રમાણે વિચાર કરીને તે દેવ પ્રભુને નમી અંજલિ જોડી લજજા પામી પ્લાન મુખે આ પ્રમાણે છે કે, “હે સ્વામિનૂ! શકઈઢે સુધર્મા સભામાં જેવી તમારી પ્રશંસા કરી હતી, તેવાજ તમે છો. તેના વચન પર શ્રદ્ધા નહીં કરીને મેં તમને ઘણા ઉપદ્રવ કર્યા, તથાપિ તમે સત્ય પ્રતિજ્ઞ છો અને હું બ્રણપ્રતિજ્ઞ થયો છું. મેં આ સારું કાર્ય કર્યું નથી, માટે હે ક્ષમાનિધિ ! તમે મારો તે અપરાધ ક્ષમા કરો. હવે ઉપસર્ગ કરવા. છોડી દઈને ખેદ પામતો હું દેવલોકમાં જાઉં છું. તમે પણ નિઃશંક થઈને ગામ, આગર અને પુર વિગેરેમાં સુખે વિહાર કરે. હવે તમે આ ગામમાં Page #85 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ ] શ્રી મહાવીર પ્રભુનો બીજા છ વર્ષને વિહાર [૭૧ ભિક્ષા માટે ખુશીથી પ્રવેશ કરે અને અદ્દષિત આહાર ગ્રહણ કરે. પૂર્વે જે દૂષિત ભિક્ષા મળતી હતી તે દોષ પણ મારાજ ઉત્પન્ન કરેલા હતા. પ્રભુ બોલ્યા-“હે સંગમદેવ! તું અમારી ચિંતા કરવી છોડી દે, અમે કોઈને આધિન નથી, અમે તે સ્વેચ્છાએ વિહાર કરીએ છીએ.” આ પ્રમાણે કહેતા વીર પ્રભુને પ્રણામ કરી તે અધમ દેવ પશ્ચાત્તાપ કરતે કરતે ઇંદ્રપુરી તરફ ચાલ્યા. આટલે વખત અહિં સૌધર્મ દેવલોકમાં બધા દેવતાઓ આનંદ અને ઉત્સાહ રહિત થઈ ઉઠેગ ધરીને રહ્યા હતા. શક્રઇદ્ર પણ સુંદર વેષ અને અંગરાગ છોડી તથા સંગીતાદિકથી વિમુખ થઈ અતિ દુઃખી બની જઈને મનમાં ચિંતવવા લાગ્યા કે-“અહો ! પ્રભુને થયેલા આ બધા ઉપસર્ગનું નિમિત્ત હું થયો છું; કારણ મેં જ્યારે પ્રભુની પ્રશંસા કરી ત્યારે જ તે દેવ કોપાયમાન થા.” આ પ્રમાણે ચિંતા કરતાં છ માસ વીતી ગયા, એટલે પાપરૂપ પંકથી મલીન, જળ સ્પર્શવાળા દર્પણની જેમ કાંતિના પ્રશ્નાર રહિત, પ્રતિજ્ઞા ભ્રષ્ટ, મંદ ઇદ્રિયોવાળો અને લજજાથી નેત્રકમળને પણ વાંચતો વીંચતો તે સંગમ ઇંદ્રથી અધિષ્ઠિત એવી સુધર્મા સભામાં આવ્યું. સંગમકને જેઈ ઇંદ્ર તેનાથી પરાફમુખ થયા અને ઉંચે સ્વરે બોલ્યા કે, “અહો સર્વ દેવતાઓ ! મારું વચન સાંભળે-આ સંગમક મહા પાપી અને કર્મચંડાળ છે. જે તેનું મુખ જોવામાં આવે તો પણ પાપ લાગે; તેથી એ જેવા ગ્ય પણ નથી. એણે આપણુ સ્વામીને બહુ કદર્થના કરીને મારો માટે અપરાધ કર્યો છે. પણ જે આ સંસારથી ભય પામે નહીં, તે મારાથી કેમ ભય પામે ? હું જાણું છું કે, અહંત પ્રભુ બીજાની સહાયથી તપ કરતા નથી, તેથી એ પાપીને મેં આટલા વખત સુધી શિક્ષા કરી નથી. પણ હવે જે એ અધમ દેવ અહિં રહેશે તો આપણને પણ પાપ લાગશે, તેથી તે દુષ્ટને આ દેવલોકમાંથી કાઢી મૂક યોગ્ય છે.” આ પ્રમાણે કહીને ક્રોધ પામેલા ઇંદ્ર વજીવડે પર્વતની જેમ તે અધમ દેવને ડાબા પગવડે પ્રહાર કર્યો, એટલે વિવિધ આયુધને ધારણ કરનારા ઈદ્રના સુભટો તેને ધક્કો મારીને ત્યાંથી કાઢવા લાગ્યા, દેવતાની સ્ત્રીએ હાથના કરકડી મરડી તેના પર આક્રોશ કરવા લાગી, તેમજ સામાનિક દેવતાઓ તેનું હાસ્ય કરવા લાગ્યા. આ પ્રમાણે તિરસ્કાર પામતે તે અધમ દેવ યાનક નામના વિમાનમાં બેસી બાકી રહેલું એક સાગરોપમનું આયુષ્ય ભેગવવા માટે મેરૂગિરિની ચૂલિકા ઉપર ગયો. પછી તે સંગમકની સ્ત્રીઓએ આવીને ઇંદ્રને વિજ્ઞપ્તિ કરી કે, “હે સ્વામી! જે તમારી આજ્ઞા હોય તો અમે અમારા પતિની પાછળ જઈએ.” દીન વદનવાળી તે સ્ત્રીઓને સંગમકની પાછળ જવાની ઈ આજ્ઞા આપી અને બીજા સર્વ પરિવારને તેની પાછળ જતા અટકાવે. અહિં શ્રી વીર ભગવંત બીજે દિવસે પારણું કરવાને માટે ગોકુળ ગામમાં ગોચરી કરવા નીકળ્યા, ત્યાં એક વૃદ્ધ વલ્સપાલિકા નામની ગોપીએ ભક્તિપૂર્વક પ્રભુને કલ્પે તેવા Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું પરમ અન્નથી પ્રતિલાભિત કર્યા. ચિરકાળે પણ પ્રભુનું પારણું થવાથી હર્ષ પામી સમિપ રહેલા દેવતાઓએ ત્યાં પંચ દિવ્ય પ્રગટ કર્યા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ આલંબિકા નામની નગરીએ ગયા. ત્યાં પ્રતિમા ધરીને ચિત્રસ્થ હોય તેમ સ્થિર રહ્યા. ત્યાં હરિ નામના વિદ્યકુમારના ઈં કે પ્રભુ પાસે આવી પ્રદક્ષિણા કરી નમીને આ પ્રમાણે કહ્યું કે-“હે નાથ ! તમે જે ઉપસર્ગો સહન કર્યા તે સાંભળવાથી પણ અમારા જેવાના હદય વિદિણું થઈ જાય, તેથી તમે વાથી પણ અધિક દઢ છે. હે પ્રભુ! હવે માત્ર થોડા ઉપસર્ગ સહ્યા પછી તમે ચાર ઘાતકમને નાશ કરશે અને થોડાજ કાળમાં કેવળજ્ઞાન ઉપાર્જન કરશો.” આ પ્રમાણે કહી ભગવંતને ભક્તિથી નમસ્કાર કરીને તે વિદ્યકુમાર નિકાયને ઇંદ્ર પિતાને સ્થાનકે ગયો. ત્યાંથી વિહાર કરી પ્રભુ વેતાંબી નગરીએ ગયા. ત્યાં હરિસહ નામના વિદ્યકુમારના છે કે આવી વંદના કરી. તે પણ હરિઇંદ્રની જેમ કહીને પિતાને સ્થાનકે ગયો. પ્રભુ ત્યાંથી વિહાર કરીને શ્રાવસ્તી નગરીએ આવી પ્રતિમા ધરીને રહ્યા. તે દિવસે બધી નગરીમાં લોકોએ કાત્તિકસ્વામીની રથયાત્રાનો ઉત્સવ મોટા આડંબરથી આદર્યો હતું. તેથી પ્રતિમા ધરીને રહેલા પ્રભુને છોડીને નગરજનો પૂજાની સર્વ સામગ્રી લઈ કાર્તિકસ્વામીની પૂજા કરવા માટે જવા લાગ્યા. પછી કાર્તિકની પ્રતિમાને સ્નાન અર્ચન કરી વિધિપૂર્વક રથમાં બેસાડવાને લોકો તૈયાર થયા. તે વખતે દેવલોકમાં શક્રઈબ્રે વિચાર્યું કે, “હાલ વીરપ્રભુ કયાં વિચરતા હશે ?' અવધિજ્ઞાનથી જોયું તે વીરપ્રભુને અને નગરજનોને ઉપર કહેલી સ્થિતિમાં જોયા. એટલે “અરે આ અવિવેકી નગરજ ને પ્રભુનું ઉલ્લંઘન કરીને કાર્તિકની પૂજા કેમ કરે ?” આવી ઈર્ષ્યા ધરીને ઈંદ્ર તત્કાળ ત્યાં આવ્યો અને કાર્તિકની પ્રતિમામાં પ્રવેશ કર્યો. પછી યંત્રમય પૂતળીની જેમ તે પ્રતિમા જ્યાં ભગવંત પ્રતિમાએ રહ્યા હતા તે તરફ ચાલી, પરંતુ નગરજનો તો તેને ચાલતી જોઈ કહેવા લાગ્યા, “અહો! આ કાર્તિકકુમાર પિતાની મેળે ચાલીને રથમાં બેસશે, તેવામાં તો તે પ્રતિમા પ્રભુની પાસે આવી અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને તેણે પ્રણામ કર્યો. પછી પ્રભુની ઉપાસના કરવાને માટે તે પૃથ્વી ઉપર બેઠી. એટલે “આ કોઈ આપણા ઈષ્ટદેવના પણ પૂજ્ય જણાય છે, તેથી આપણે તેનું ઉલ્લંઘન કર્યું, તે એગ્ય કર્યું નહિ.” આ પ્રમાણે કહેતા નગરજનોએ વિસ્મય અને આનંદ પામીને પ્રભુનો મહિમા કર્યો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ કૌશાંબી નગરીએ આવ્યા. ત્યાં પ્રતિમા ધરીને રહેલા પ્રભુને સૂર્ય ચંદ્ર મૂળ વિમાન સાથે આવીને ભક્તિથી સુખશાતાના પ્રશ્નપૂર્વક વંદના કરી. ત્યાંથી અનુક્રમે વિહાર કરતા પ્રભુ વારાણસી નગરીએ આવ્યા. ત્યાં શકઈ આવીને હર્ષથી પ્રભુને વંદના કરી, ત્યાંથી રાજગહ નગરે આવીને પ્રભુ પ્રતિમાએ રહ્યા. ત્યાં ઈશાને આવી ભક્તિથી સુખશાતા પ્રશ્નપૂર્વક વંદના કરી. ત્યાંથી પ્રભુ મિથિલાપુરીએ ગયા. ત્યાં જનક અજાએ અને ધરણેકે આવીને પ્રિયપ્રશ્નપૂર્વક પૂજા કરી. ત્યાંથી વિહાર કરી પ્રભુ વિશાલા Page #87 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ થો] શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષનો વિહાર નગરીએ ગયા, ત્યાં પ્રભુએ દીક્ષા લીધા પછીનું અગ્યારમું ચોમાસું કર્યું. ત્યાં સમર નામના ઉદ્યાનમાં બળદેવના મંદિરની અંદર પ્રભુ ચાર માસક્ષપણુ અંગીકાર કરી પ્રતિમાએ રહ્યા. ત્યાં ભૂતાનંદ નામે નાગકુમારના ઇંદ્ર આવીને પ્રભુને વંદના કરી અને પ્રભુને કેવળજ્ઞાન નજીકમાં થવાનું જણાવી સ્વસ્થાને ગયે. વિશાળાપુરીમાં જિનદત્ત નામે એક પરમ શ્રાવક રહેતો હતો. તે દયાળુ હતો અને વૈભવના ક્ષયથી “જીર્ણશ્રેષ્ટિ એવા નામથી પ્રખ્યાત થયો હતો. અન્યદા તે ઉદ્યાનમાં ગયે હતો, ત્યાં બળદેવના મંદિરમાં તેણે પ્રતિમાએ રહેલા પ્રભુને જોયા. તે વખતે આ છઘસ્થપણે રહેલા ચરમ તીર્થકર છે” એવા નિશ્ચયથી તેણે ભક્તિ સાથે પ્રભુને વંદના કરી. પછી પોતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યો કે- આ પ્રભુ આજે ઉપવાસ કરી પ્રતિમા ધરી રહ્યા જણાય છે, તે જે આવતી કાલે મારે ઘેર પારણું કરે તો ઘણું સારું થાય.” આવી આશા ધરીને તેણે ચાર માસ સુધી હમેશાં પ્રભુની સેવા કરી, છેલ્લે દિવસે પ્રભુને આમંત્રણ કરીને તે પિતાને ઘેર ગયો, અને પિતાને નિમિત્તે શ્રેષ્ઠ મનવાળા તેણે પ્રથમથી મેળવેલા પ્રાસુક અને એષણય ભેજન તૈયાર કરી રાખ્યા. પછી તે જિનદત્ત શ્રેષ્ટિ પ્રભુના માર્ગ તરફ દષ્ટિ રાખી આંગણામાં ઊભા રહીને ચિંતવવા લાગ્યો કે, “આ ભેજન હું પ્રભુને પહેરાવીશ. હું કે ધન્ય કે જેને ઘેર અહંતપ્રભુ પિતાની મેળે આવશે અને સંસારસાગરથી તારનારું પારણું કરશે. જ્યારે પ્રભુ આવશે ત્યારે હું તેમની સન્મુખ જઈશ અને ત્રણ પ્રદક્ષિણા કરી તેમના ચરણકમળમાં વંદના કરીશ. અહો ! આ મારો જન્મ હવે પુનર્જન્મને માટે નહીં થાય; કેમકે પ્રભુનું દર્શન પણ મોક્ષને માટે થાય છે તો પારણની તો વાત જ શી કરવી ?” આ પ્રમાણે જીર્ણશ્રેષ્ટિ ચિંતવન કરતા હતા તેવામાં તો પ્રભુ ત્યાંના નવીન શેઠને ઘેર પધાર્યા. તે નવીન શેઠ મિયાદષ્ટિ હતો, તેથી લક્ષમીના મદથી ઉંચી ગ્રીવા રાખીને તેણે દાસીને આજ્ઞા કરી કે, “ભદ્રે ! આ ભિક્ષુકને ભિક્ષા આપીને સત્વર વિદાય કર.” તે હાથમાં કાષ્ટનું ભજન લઈ તેમાં કુમાષ ધાન્યને લઈને આવી, અને પ્રભુએ પ્રસારેલા કરપાત્રમાં તે વહરાવ્યા. તત્કાળ દેવતાઓએ આકાશમાં દુંદુભિને નાદ કર્યો, ચેલક્ષેપ કર્યો, વસુધારા કરી તથા પુષ્પની અને સુગંધી જળની વૃષ્ટિ કરી. લોકે ભેળા થઈને તે અભિનવ શ્રેષ્ટિને પૂછવા લાગ્યા, એટલે તેણે કહ્યું કે-“પિતે પ્રભુને પાયસન્નવડે પારણું કરાવ્યું.” “અહો દાન, અહે દાન, એ દેવતાનો વનિ સાંભળી લોકો અને રાજા તે નવીન એષ્ટિની વારંવાર સ્તુતિ કરવા લાગ્યા. અહિં જીર્ણશ્રેષ્ટિ તે પ્રભુના આગમન સંબંધી વિચાર કરતો તેમ જ ઊભો હતો, તેવામાં દેવતાઓના દુંદુભિને વનિ સાંભળીને તે આ પ્રમાણે ચિંતવવા ૧. અડદના બાકુળા. ૨. વસ્ત્રની વૃષ્ટિ. ૩. દ્રવ્યની વૃષ્ટિ. D - 10 Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું લાગ્યો કે, “અહો! મારા જેવા મંદભાગ્યવાળાને ધિકકાર છે, મારો મનોરથ વૃથા થયા, કેમકે પ્રભુએ મારું ઘર મૂકીને બીજાને ઘેર પારણું કર્યું.' ત્યાં પારણું કર્યા પછી પ્રભુએ તો અન્યત્ર વિહાર કર્યો. તે ઉદ્યાનમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતના એક કેવળી શિષ્ય પધાર્યા. એટલે રાજાએ અને લોકેએ તેમની પાસે આવીને પૂછયું કે, “ભગવાન ! આ નગરીમાં મોટા પુણ્યના સમૂહને ઉપાર્જન કરનાર કોણ છે?” કેવળી બેલ્યા કે-અજીર્ણશ્રેષ્ટિ સવથી અધિક પૂન્યવાનું છે. લેકે બોલ્યા કે, “જીર્ણશ્રેષ્ટિ મોટા પુણ્યને ઉપાર્જન કરનાર શી રીતે છે? કારણ કે તેણે કાંઈ પ્રભુને પારણું કરાવ્યું નથી, તે કાર્ય કરનાર તે આ નવીન શ્રેષ્ટિ છે. વળી વસુધારા વિગેરે પણ આ નવીન શ્રેષ્ટિને ઘેર થયેલ છે, તે આ નવીન શ્રેષ્ટિ મહા પુણ્યના ઉપાર્જન કરનાર કેમ નહીં? કેવળી બોલ્યા કે, “ભાવથી તો તે જીર્ણ શ્રેષ્ટિ જિનદત્તે અહંત પ્રભુને પારણું કરાવ્યું છે. વળી તેણે તેવા ભાવથી અશ્રુત દેવલોકમાં જન્મ ઉપાર્જન કરીને સંસારને તોડી નાંખ્યો છે, જે તેવા ઉજવળ ભાવવાળા તેણે તે વખતે દુંદુભિનો વિનિ સાંભળે ન હેત તે થાનાંતરમાં પ્રાપ્ત થયેલ તે ઉજવળ કેવળજ્ઞાનને પામત. આ નવીન શ્રેષ્ટિ શુદ્ધ ભાવથી સહિત છે, તેથી તેણે અહતના પારણાનું માત્ર એ વસુધારા રૂપ આ લેક સંબંધી જ ફળ પ્રાપ્ત કર્યું છે. આ પ્રમાણે ભક્તિપૂર્વક અને ભક્તિરહિત અહંતના પારણાનું ફળ સાંભળી સર્વ લોકે વિસ્મય પામતા પિતપોતાને સ્થાનકે ગયા. અહી શ્રી વીરભગવંત નગર, ગામ, ખાણ અને દ્રણમુખ વિગેરે સ્થાનમાં વિહાર કરતા સુસુમારપુરે આવ્યા. ત્યાં અશોકખંડ નામના ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે એક શિલાતળ ઉપર રહી અષ્ટમ કરીને પ્રભુએ એક રાત્રિની પ્રતિમા ધારણ કરી. - આ અરસામાં જે બનાવ બન્યો તેની ઉત્પત્તિ આ પ્રમાણે–આ ભરતક્ષેત્રમાં વિંધ્યાચળની તળેટીમાં વસેલા વિલેલ નામના ગામમાં પૂરણ નામે એક ગૃહસ્થ રહેતે હતે. એક વખત અર્ધ રાત્રિએ ઉઠીને તેણે વિચાર્યું કે, “મેં પૂર્વ ભવે મોટું તપ કરેલું હશે કે જેથી આ ભવમાં મને આવી લક્ષમી અને આવી માન્યતા પ્રાપ્ત થઈ. પૂર્વે કરેલા શુભાશુભ કર્મનું ફળ આ લેકમાં પ્રાપ્ત થાય છે, તેવું લોકમાં સેવ્ય અને સેવકપણું દષ્ટિએ પડવાથી અનુમાન થાય છે. તે હવે ગૃહવાસ છોડી, સ્વજનોને સમજાવી આવતા ભવમાં ફળ પ્રાપ્ત કરવાને માટે હું મોટું તપ આચરૂં. કહ્યું છે કે-આઠ માસ સુધી એવું કાર્ય કરવું, કે જેથી ચોમાસાના ચાર માસ સુખે રહેવાય, દિવસે એવું કરવું કે રાત્રિએ સુખે સુવાય, પૂર્વ વયમાં એવું કાર્ય કરવું કે જેથી વૃદ્ધ વયમાં સુખે રહેવાય અને આ જીંદગીમાં એવું કાર્ય કરવું કે જેથી આગામી ભવે સુખ પ્રાપ્ત થાય.” આ પ્રમાણે ચિંતવીને પ્રાતઃકાળે સ્વજનોને જમાડી વ્રત લેવાની રજા લીધી અને પુત્રને પિતાને સ્થાનકે સ્થાપન કર્યો. પછી Page #89 -------------------------------------------------------------------------- ________________ સંગ ૪ ] શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષને વિહાર [૭૫ પોતે વ્રત લઈ પ્રણામ જાતિને તાપસ થઈ તપ કરવા લાગ્યો. તેણે ભિક્ષા લેવા માટે ચાર પડવાળું એક કાષ્ટમય ભિક્ષાપાત્ર ગ્રહણ કર્યું. અને તે દિવસથી માંડીને નિરંતર છઠ્ઠ તપ કરવા લાગ્યું. તે સાથે પ્રતિદિન આતાપના લેવાવડે શરીરને કૃશ કરવા લાગ્યો. જ્યારે પારણુંનો દિવસ હોય ત્યારે તે પેલું ચાર પડવાળું ભિક્ષાપાત્ર લઈને મધ્યાહ્નકાળે ભિક્ષા લેવા જતો. પહેલા પડમાં આવેલી ભિક્ષા તે પાથજનોને આપતે, બીજા પડમાં આવેલી ભિક્ષા તે કાગડા વિગેરેને નાંખતે, ત્રીજા પડમાં આવેલી ભિક્ષા મસ્યાદિક જળચર પ્રાણીઓને દેતો અને ચોથા પડમાં આવેલી ભિક્ષા રાગદ્વેષ રહિત ચિત્તે પોતે ખાતે હતે. એવી રીતે બાર વર્ષ સુધી બાળ (અજ્ઞાન) તપ કરી છેવટે તેણે બિભેલ ગામની ઈશાન દિશામાં અનશન ગ્રહણ કર્યું. એક માસનું અનશન પાળી મૃત્યુ પામીને બાળતપના પ્રભાવથી તે ચમરચંચા નગરીમાં એક સાગરોપમના આયુષ્યવાળે ચમરેંદ્ર થયો. ઉત્પન્ન થતાં જ અવધિજ્ઞાનરૂપ નેત્રથી તેણે બીજા ભુવને જોવા માંડયા. અનુક્રમે ઉદ્ધવ ભાગે દૃષ્ટિ કરતાં તેણે સૌધર્મેદ્રને જોયો. સૌધર્માવલંસ નામના વિમાનમાં સુધર્મા સભામાં બેઠેલા મહદ્ધિક વધારી શકઈંદ્રને જોઈ ક્રોધ કરીને તે પિતાના સ્વજનોને આ પ્રમાણે કહેવા લાગ્યો“અરે! અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર આ કોણ દુરાત્મા અધમ દેવ મારા મસ્તક પર રહીને નિર્લજજ પણે વિલાસ કરે છે? ” તેના ઉત્તરમાં તેના સામાનિક વિગેરે દેવતાઓ મસ્તક પર અંજલિ જેડીને બોલ્યા કે “હે સ્વામી! મહા પરાક્રમી અને પ્રચંડ શાસનવાળા સૌધર્મ કલ્પના તે ઈંદ્ર છે.” તે સાંભળીને જેને ઉલટે વિશેષ કોધ ઉત્પન્ન થાય છે એ તે ચમરેંદ્ર ભ્રકુટીથી ભયંકર મુખવાળો થઈ નાસિકાના કુંફાડાથી ચમરને પણ ઉડાડતો બે કે, “અરે! દેવતાઓ? તમે મારા પરાક્રમને જાણતા નથી, તેથી તેની પ્રશંસા કરે છે. હવે હું તમને તે ઇંદ્રને પાડી દઈને મારૂં બળ બતાવીશ. તે કદિ દૈવયોગે ઉંચે સ્થાનકે ઉત્પન્ન થયે તો તેથી કાંઈ મોટો સમર્થ થઈ ગયો નથી. કદિ કાગડે હાથીની પીઠ પર બેઠા હોય તેથી શું તે રથી ગણાય? તે ત્યાં આટલીવાર તે નિવિદને રહ્યો પણ હવે મારો ક્રોધ થતાં તે ત્યાં રહી શકશે નહીં. કેમકે–સૂર્ય ઉદય થતાં બીજાં તેજ કે અંધકાર કહી શકતાં નથી.” પછી સામાનિક દેવતાઓએ ફરીવાર કહ્યું કે, “હે સ્વામી! એ સૌધર્મપતિ પૂર્વ ભવના ઉપાર્જન કરેલા પુણ્યથી દેને પતિ થયેલ છે અને તેની સમૃદ્ધિ અને પરાક્રમ તમારાથી ઘણું અધિક છે. તમે તમારા પુણ્ય પ્રમાણે અમારી જેવાના સ્વામી થયા છો. તેથી પુણ્યને આધિન એવા વૈભવમાં તમારે ઈ કરવી ન જોઈએ. વળી જે કદી તમે તેના પ્રત્યે તમારું કાંઈ પણ પરાક્રમ બતાવવાનો આરંભ કરશે તે મેઘની સામે થનારા અષ્ટાપદ પશુની જેમ તે તમારા હાસ્યને માટે અને અધઃપાતને માટે થશે; માટે તમે શાંત થાઓ, સુખે રહી યથેચ૭પણે સુખભોગ ભેગો અને અમારાથી સેવાતાં વિવિધ વિનોદ જોયા ૧. સર્વને પ્રણામ કરવા એ જેને મુખ્ય ધર્મ છે એવા તાપસ. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] , શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું કરે.” પછી ચમક બે કે, “અરે! જે તમે બધા તેનાથી બહતા હો તે સુખે અહિં રહે, હું એકલો જ તેની સાથે યુદ્ધ કરવા જઈશ. સુરોનો ને અસુરોને હું કે તે એકજ ઈંદ્ર હૈ જોઈએ. એક મ્યાનમાં બે ખડ્રગ રહી શકે નહીં.” આ પ્રમાણે કહી ઉગ્ર ગજના કરીને આકાશમાં ઉડવાની ઈચ્છા કરતાં તેના મનમાં કાંઈક વિવેક આવ્યો, એટલે તે ફરીવાર આ પ્રમાણે ચિંતવવા લાગ્યો કે-“આ મારા સામાનિક દેવતાઓ શકેંદ્રને જેવો શક્તિવાન ગણે છે તે કદી તે હોય તો હોય, કેમકે આ દેવતાઓ લેશમાત્ર પણ મારૂં અહિત ઈરછનાર નથી. વળી કાર્યની ગતિ વિષમ હોય છે, તેથી દૈવયોગે કદિ મારે પરાજય થાય તો પછી આનાથી અધિક પરાક્રમવાળા કોને શરણે મારે જવું?” આ પ્રમાણે વિચારીને તેણે અવધિજ્ઞાને જોયું, તો સુસુમારપુરમાં શ્રી વિરપ્રભુને પ્રતિમા ધરીને રહેલા જોયા; એટલે તે વીરપ્રભુનું શરણ લેવાનો નિશ્ચય કરી ઉભો થઈને તુંબાલય નામની પિતાની આયુધશાળામાં ગયા. ત્યાંથી જાણે મૃત્યુને બીજો હાથ હોય તેવો એક મુદુગર તેણે ઉપાડ્યો અને ઉંચે નીચે તેમજ આડો તેને બે ત્રણ વાર ફેરવ્યો. પછી અસુર સ્ત્રીઓએ શુરવીર ધારીને કામનાથી જેવાયેલ, કૌતુક જેવાના અથી ભુવનપતિઓએ ઉત્સાહિત કરેલ અને સામાનિક દેવતાઓએ અજ્ઞ છે એ જાણી ઉપેક્ષા કરે તે ચમરાસુર ચમરચચા નગરીથી નીકળ્યો. ક્ષણવારમાં શ્રી વિરપ્રભુ પાસે આવી, પરિઘ આયુધને દૂર મૂકી, ત્રણ પ્રદક્ષિણા કરી નમીને આ પ્રમાણે બોલ્યો-“હે ભગવન્! તમારા પ્રભાવથી અતિ દુર્જય શકઈંદ્રને જીતી લઈશ; કારણ કે તે ઈંદ્ર મારા મસ્તક પર રહેલ હોવાથી મારા ચિત્તમાં બહુ બધા કરે છે. આ પ્રમાણે કહી પરિઘ આયુધ લઈને ઈશાન દિશામાં આવે અને વૈક્રિય સમુદુધાતવડે સદ્ય પિતાનું રૂપ એક લાખ યોજનાનું વિકુવ્યું. શ્યામ કાંતિવાળું એ મહા શરીર જાણે મૂર્તિમાનું આકાશ હોય, અથવા જાણે નંદીશ્વર મહાદ્વીપને જંગમ અંજનગિરિ હેય તેવું દેખાવા લાગ્યું. તેનું મુખ દાઢેરૂપ કરવતથી ભયંકર હતું, શ્યામ અને ચપળ કેશ હતા, મુખરૂપ કુંડમાંથી ઉછળતી વાળાઓથી આકાશ પણ પલ્લવિત થતું હતું, તેના વિશાળ વક્ષસ્થળથી સૂર્યમંડળ આચ્છાદિત થતું હતું, ભુજનદંડના હાલવાથી ગ્રહ, નક્ષત્ર અને તારાએ ખરતા હતા, નાભિમંડળ ઉપર લીન થયેલા સપના કુંફાડાથી ભયંકર દેખાતું હતું, તેના અતિ લાંબા જાનુ ગિરિની ચૂલિકાના અગ્ર ભાગને અડતા હોવાથી વિસ્મય ઉત્પન્ન કરતા હતા, અને પગના અવખંભથી ભૂમંડળને પણ વિધુર કરતા હતા. આવું ભયંકર રૂપ કરીને તે ચમરાસુર ગર્વાધ થઈ સૌધર્મપતિ તરફ ઉત્પ. ઉગ્ર ગર્જનાથી આખા બ્રહ્માંડને ફડકે, બીજે યમરાજ હેય તેમ વ્યંતરને બીવરાવતે, અને સિંહ જેમ હરણને ત્રાસ પમાડે તેમ જ્યોતિષ્ક દેને ત્રાસ પમાડતો તે ક્ષણવારમાં સૂર્ય ચંદ્રના મંડળનું ઉલ્લંઘન કરી શકના મંડલમાં આવી પહોંચે. તે ભયંકર મહામૂત્તિને Page #91 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ થે ] શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષને વિહાર [ ૭૭ અકસ્માત અને વેગથી આવતી જોતાં જ કિલ્વેિષ દેવાતા સંતાઈ ગયા, આભિગિક દેવતાઓ ત્રાસ પામી ગયા, સૈન્ય સહિત સેનાપતિએ શિધ્ર પલાયન કરી ગયા, અને સોમ તથા કુબેર પ્રમુખ દિપાલે નાશી ગયા. આત્મરક્ષકથી અખલિત અને છડીદારથી પણ અવારિત એ અસુરને ત્રાયઅિંશ દેવોએ “આ શું?’ એમ સંભ્રાંત ચિત્તે જે. સમકાળે ઉત્પન્ન થયેલા કેપ અને વિસ્મય વડે સામાનિક દેવતાઓએ જોયેલા તે ચમરે એક પગ પદ્મવેદિકાની ઉપર અને બીજો પગ સુધમ સભામાં મૂક્યો. પછી પરિઘ આયુધવડે ઇંદ્રકલ ઉપર ત્રણ વાર તાડન કરી, ઉત્કટ ભ્રકુટી ચડાવીને તે અતિ દુર્મદ ચમર શકઇંદ્ર પ્રત્યે આ પ્રમાણે બે -“હે ઈંદ્ર! તું આવા ખુશામતીયા દેવતાઓના વૃદથી કે તેમના પરાક્રમથી અદ્યાપિ મારી ઉપર રહે છે પણ હવે હું તને મારાથી પણ નીચે પાડી દઉં છું. પર્વત ઉપર કાગડાની જેમ તું અહિં ચિરકાળથી ફેગટજ રહ્યો છું. અરે ચમચંચા નગરીના સ્વામી અને વિશ્વને પણ અસહ્ય પરાક્રમવાળા મને ચમરાસુરને શું તું નથી જાણતો?” શકારીની હાકને કેશરીસિંહ સાંભળે તેમ જેમણે આવું કઠોર વચન પૂર્વે કદી સાંભળ્યું નહતું તે સાંભળીને શકેંદ્ર કાંઈક હસ્યા અને વિસ્મય પામ્યા. પછી અવધિજ્ઞાનવડે તેને અમરેંદ્ર જાણુને “અરે ચમર! તું નાશી જા” એમ બેલી ભ્રકુટી ચડાવી શક્રઈંદ્ર વજ હાથમાં લીધું, અને પ્રલયકાળના અગ્નિને સાર હેય, વિદ્યુતને જાણે સંચય હોય અને એક મળેલો વડવાનળ હોય તેવા તે પ્રજવલિત વાને ઈંદ્ર તેના પર મૂક્યું. તતઃ શબ્દ કરતું અને દેવતાઓએ ત્રાસ પામતાં જોયેલું તે વજી ચમરેંદ્ર તરફ દેડયું. સૂર્યના તેજને ઘુવડની જેમ તે વજાને જેવાને પણ અસમર્થ એવો તે ચમરાસુર વજાને આવતું જોતાં જ વડવાનરીની જેમ ઉંચા પગ ને નીચું માથું એમ થઈ ગયો, અને તત્કાળ ચિત્રાથી ચમરીમૃગ ભાગે તેમ શ્રી મહાવીર ભગવંતને શરણે આવવાની ઈચ્છાએ ત્યાંથી ભાગ્યો. તે વખતે અરે સુરાધમ! જેમ મોટા સર્ષ સાથે દેડકે, હાથી સાથે ઘેટે, અષ્ટાપદ સાથે હાથી અને ગરૂડ સાથે સર્પ યુદ્ધ કરવા ઇરછે તેમ અનાત્મજ્ઞ એવો તું અમારા ઈંદ્રની સાથે યુદ્ધ કરવાને ઈચ્છતો હતો, પણ તારે ભૂંડે હાલે નાશી જવું પડયું. આ પ્રમાણે કહીને દેવતાઓ તેને હસવા લાગ્યા. જેવો મહા દેહ ધરીને તે આવ્યા હતા, તેજ લઘુ દેહી થઈને પવને ચલાવેલા મેઘની જેમ ત્વરાથી નાસવા લાગ્યો. રૂપને નાનું નાનું કરતા તે અસુરની પછવાડે ઘની જેમ ચાલ્યું આવતું વજ જવાળાની શ્રેણિવડે શોભવા લાગ્યું. અહિં વજા છેડયા પછી ઈંદ્રને વિચાર થયો કે, “કોઈ પણ અસુરની પિતાની અહિં સુધી આવવાની શક્તિ નથી, તે છતાં આ અસુર અહિં સુધી આવ્યો તેથી હું ધારું છું કે જરૂર તે કઈ અર્હત, અહંતનું ચૈત્ય કે કોઈ મહર્ષિને મનમાં સ્મરી તેના વડે શક્તિ પ્રાપ્ત કરીને આવ્યો હશે.” આ પ્રમાણે વિચારી શકે છે અવધિજ્ઞાનવકે જોયું, એટલે તે શ્રી વીરપ્રભુના પ્રભાવથી ત્યાં આવ્યો હતો અને પાછે શ્રી વિરપ્રભુને શરણેજ ગમે છે એમ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું જાયું. તેથી “અરે ! હું માર્યો ગયો !” એમ બોલતો ઈંદ્ર જેના હાર વિગેરે આભૂષણો તુટી જતા હતા, તેમ વજાને માગે તેની પાછળ વેગથી દેડક્યો. ચમરેંદ્રને નિવાસ તેમજ પ્રભુનું વિહારસ્થાન અધભૂમિએ હવાથી આગળ ચમરે, તેની પછવાડે વજી અને તેની પાછળ શક્રઈંદ્ર પૂર્ણ વેગથી ચાલ્યા. ક્ષણવારમાં પ્રતિકાર કરનારની પાછળ હાથીની જેમ શકેંદ્ર તેમની નજીક આવી પુ; જેવામાં વા ચમરેંદ્રની નજીક આવી પૂગ્યું, તેવામાં તો તે ચમરેંદ્ર દાવાનળથી પીડિત હાથી જેમ નદી પાસે આવી પહોંચે તેમ પ્રતિમા ધરીને રહેલા પ્રભુની પાસે પહોંચી ગયે. અને “શરણ! શરણ !” એમ બેલતો અત્યંત લઘુ શરીર કરીને પ્રભુના બે ચરણની વચ્ચે કુંથુની જેમ ભરાઈ ગયો. તે વખતે વજી પ્રભુના ચરણકમળથી ચાર તસુ છેટુ રહ્યું હતું, એટલામાં તો સપને વાદી પકડે તેમ છે વજને મુષ્ટિથી પકડી લીધું. પછી પ્રભુને પ્રદક્ષિણાપૂર્વક વંદના કરીને ઈંદ્ર અંજલિ જોડી ભક્તિથી ભરપૂર એવી વાવડે આ પ્રમાણે બોલ્યો-“હે નાથ ! આ ચમરેંદ્ર ઉદ્ધત થઈને મને ઉપદ્વવ કરવા માટે તમારા ચરણકમળના પ્રભાવથી મારા દેવલોક સુધી આવ્યો હતો. તે મારા જાણવામાં આવ્યું નહતું, તેથી અજ્ઞાનવડે મેં આ વજી તેના પર મૂક્યું હતું. ત્યારપછી અવધિજ્ઞાનવડે તેને તમારા ચરણકમળમાં લીન થયેલો મેં જાણ્યો છે, માટે મારા તે અપરાધને ક્ષમા કરજે.” આ પ્રમાણે કહી શકે કે ઈશાન કુણમાં જઈ પોતાને રેષ ઉતારવાને પિતાનો વામચરણ પૃથ્વી પર ત્રણવાર પછાડ્યો. પછી ચમરેંદ્રને કહ્યું કે-“હે અમર ! તું વિશ્વને અભય આપનાર શ્રી વીરપ્રભુને શરણે આવ્યો તે તે બહુ સારું કર્યું. કારણ કે તે સર્વ ગુરૂઓને પણ ગુરૂ છે. હવે મેં વૈર તજી દઈને તને છોડી દીધો છે, માટે તું ખુશીથી પાછો ચમચંચા નગરીમાં જઈને તારી સમૃદ્ધિના સુખનો ભોક્તા થા.” આવી રીતે ચમરને આશ્વાસન આપી ફરીવાર પ્રભુને નમસ્કાર કરીને ઈદ્ર પિતાને સ્થાનકે ગયા. પછી સુર્યાસ્ત થતાં ગુહામાંથી જેમ ઘુવડ નીકળે તેમ ચમરે પ્રભુના બે ચરણના અંતરમાંથી બહાર નીકળે; અને પ્રભુને નમી અંજલિ જેડીને બોલ્યો કે-“સર્વ જીવોના જીવન ઔષધરૂપ હે પ્રભુ! તમે મને જીવિતના આપનાર છે. તમારા ચરણને શરણે આવતાં અનેક દુઃખના સ્થાનરૂપ આ સંસારથી પણ મુક્ત થવાય છે, તો વજથી મુક્ત થવું તે તે કેણ માત્ર છે? હે નાથ ! મેં અજ્ઞતાથી પૂર્વ ભવમાં બાળતપ કર્યું હતું, તેથી તેનું આ અજ્ઞાન સહિત અસુરેંદ્રપણારૂપ ફળ મને પ્રાપ્ત થયું છે. મેં અજ્ઞાનથી આ સર્વ પ્રયત્ન મારા આત્માને અનર્થકારી જ કર્યો હતો, પણ છેવટે તમારે શરણે આવ્યો તે સારું કર્યું. જે પૂર્વ ભવે મેં તમારું શરણ લીધું હતું તે હું અમ્યુરેંદ્રપણું કે અહમિંદ્રપણું પ્રાપ્ત કરત. અથવા હે નાથ ! મારે ઇંદ્રપણુની હવે શી જરૂર છે? કેમકે હમણું તો ત્રણ જગતના પતિ એવા તમે મને નાથપણે પ્રાપ્ત થયા, તેથી મને બધું પ્રાપ્ત થયું છે.” આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક કહી પ્રભુને નમીને ચમરેંદ્ર ચમચંચા નગરીમાં આવ્યો. ત્યાં પિતાના Page #93 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ થો] શ્રી મહાવીર પ્રભુનો બીજા છ વર્ષને વિહાર | [ ૭૯ સિંહાસન પર બેસી, લજજાથી નીચું મુખ કરીને તે પિતાને સ્વાગત પૂછવા આવેલા સામાનિક દેવતા પ્રત્યે બેલ્યો કે, “હે દેવ ! તમે મધ્યસ્થપણે જેવો શકને કહ્યો હતો તે જ તે છે, પણ મેં તે વખતે અજ્ઞાનથી તે કાંઈ જાણ્યું નહીં. પ્રથમ સિંહની ગુહામાં શિયાળ જાય તેમ હું તેની સભામાં ગયે. ત્યાં તેના આભિયોગિક દેવોએ કૌતુક જોવાની ઈચ્છાથી મારી ઉપેક્ષા કરીને જવા દીધે. પણ ઈદે મારી ઉપર વજા છેડયું. તેથી ભય પામીને મહા કષ્ટ હું સુરાસુરે એ નમેલા શ્રીવીરપ્રભુના ચરણને શરણે ગયો. શ્રી વિરપ્રભુને શરણે જવાથી ઈંદ્ર મને જીવતો છોડી દીધે, એટલે હું અહિં આવ્યો છું; હવે તમે સૌ ચાલો, આપણે શ્રી વીરપ્રભુ પાસે જઈને વાંઢીએ.” આ પ્રમાણે ચમરે પિતાના સર્વ પરિવાર સાથે પ્રભુની પાસે આવ્યું અને પ્રભુને નમી સંગીત કરીને પછી પિતાની નગરી પ્રત્યે ગયો. પ્રાતઃકાળે પ્રભુ એક રાત્રિની પ્રતિમા પારને અનુક્રમે વિહાર કરતા ભેગપુર નામના નગરે આવ્યા. ત્યાં માહેંદ્ર નામે કઈ ક્ષત્રિય હતા, તે દુર્મતિ પ્રભુને જોઈ એક ખજુરીની યષ્ટિ લઈને પ્રભુને પ્રહાર કરવા દેડક્યો. તે વખતે સનસ્કુમારેંદ્ર કે જે ઘણે વખત થયા પ્રભુના દર્શન કરવાને ઉત્કંઠિત હતા, તે પ્રભુને વાંદરાને ત્યાં આવ્યા, એટલે તે શઠને ઉપદ્રવ કરતા તેમણે જોયો. તેથી તે ક્ષત્રિયને તિરસકાર કરી ઇદ્ર પ્રભુને વંદના કરી, અને ભક્તિપૂર્વક સુખવિહાર પૂછીને પિતાને સ્થાને ગયો. ભગવંત પણ ત્યાંથી વિહાર કરી નંદીગ્રામે આવ્યા. ત્યાં નંદી નામે ભગવંતના પિતાને મિત્ર હતો, તેણે ભક્તિથી પ્રભુની પૂજા કરી. ત્યાંથી વિહાર કરી પ્રભુ મેઢક ગામે આવ્યા. ત્યાં એક ગોવાળ વાળની દેરી લઈને પ્રભુને મારવા દેવળ્યો. ત્યાં કુર્માર ગામની જેમ ઇંદ્ર આવી તે ગેપને વાર્યો અને પ્રભુને ભક્તિથી વંદના કરી. ત્યાંથી વિહાર કરી પ્રભુ કૌશાંબી નગરીએ આવ્યા. કૌશાંબીમાં શત્રુઓના સૈન્યને ભયંકર શતાનિક નામે રાજા હતો. તેને ચેટક રાજાની પુત્રી મૃગાવતી નામે રાણી હતી, તે સદા તીર્થકરના ચરણની પૂજામાં એકનિષ્ઠાવાળી પરમ શ્રાવિકા હતી. શતાનિક રાજાને સુગુપ્ત નામે મંત્રી હતો, તેને નંદા નામે સ્ત્રી હતી, તે પણ પરમ શ્રાવિકા અને મૃગાવતીની સખી હતી. તે નગરમાં ધનાવહ નામે એક શેઠ રહેતો હતો, તે ઘણે ધનાઢય હતા, તેને ગૃહકર્મમાં કુશળ મૂલા નામે પત્ની હતી. અહીં વીર પ્રભુ આવ્યા તે વખતે પૌષ માસની કૃષ્ણ પ્રતિપદા હતી. પ્રભુએ તે દિવસે આ પ્રમાણેનો બહુજ અશક્ય અભિગ્રહ ધારણ કર્યો કે, “કેઈ સતી અને સુંદર રાજકુમારી દાસીપણાને પામેલી હોય, પગમાં લેહમય બેડી નાખેલી હોય, માથું મુડેલું હોય, ભુખી હોય, રૂદન કરતી એક પગ દેહલિ (ઉંબર) ઉપર અને બીજે બહાર રાખીને બેઠી હોય, અને સર્વ ભિક્ષુકે તેના ઘરે આવીને ગયેલા હોય, તેવી સ્ત્રી સૂપડાને એક ખૂણે રહેલા કુલમાષ (અડદ) જે મને વહેરાવે, તે ચિરકાળે પણ હું પારણું કરીશ, તે સિવાય કરીશ નહીં.” આ અભિગ્રહ લઈને પ્રભુ પ્રતિદિન ભિક્ષા સમયે ઉરચ નીચ ગૃહમાં ગોચરી માટે ફરવા લાગ્યા, Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું પરંતુ પ્રભુને ઉપર પ્રમાણે અભિગ્રહ હોવાને લીધે કઈ ભિક્ષા આપે તે પ્રભુ લેતા નહીં, તેથી નગરજને પ્રતિદિન રોચ કરતા અને પિતાની નિંદા કરતા હતા. એ પ્રમાણે અશક્ય અભિગ્રહ હોવાને લીધે ભિક્ષા લીધા વગર બાવીશ પરીષહને સહન કરતા પ્રભુએ ચાર પહોરની જેમ ચાર માસ નિગમન કર્યા. એક વખત પ્રભુ સુગુપ્ત મંત્રીને ઘેર ભિક્ષા માટે ગયા, ત્યાં તેની સ્ત્રી નંદાએ પ્રભુને દૂરથી જોયા, એટલે “આ મહાવીર અહંત સારે ભાગ્યે મારે ઘેર આવ્યા.” આ પ્રમાણે બોલતી નંદા આનંદ પામતી સામી આવી. અને તે બુદ્ધિમાન શ્રાવિકાએ પ્રભુને કપે તેવા ભેજ્ય પદાર્થો પ્રભુ પાસે ધર્યા, પરંતુ પ્રભુ અભિગ્રહને વશ થઈ તેમાંથી કાંઈ પણ લીધા વગર ચાલ્યા ગયા. તત્કાળ નંદાનું હદય મંદ થઈ ગયું, અને “હું અભાગિણી છું, મને ધિકકાર છે, મારે મનોરથ પૂર્ણ થયે નહીં' એમ શેક કરવા લાગી. આ પ્રમાણે ખેદ કરતી તેને તેની દાસીએ કહ્યું કે, “હે ભદ્રે ! આ દેવાય પ્રતિદિન આવી રીતે ભિક્ષા લીધા વગર જ ચાલ્યા જાય છે, કાંઈ આજ જ આમ બન્યું નથી.” એ વાત સાંભળી નંદાએ વિચાર્યું કે, “પ્રભુએ કોઈ અપૂર્વ અભિગ્રહ ધારણ કર્યો જણાય છે કે જેથી પ્રાસુક અન્ન પણ લેતા નથી. હવે પ્રભુને તે અભિગ્રહ કઈ રીતે પણ જાણી લેવો જોઈએ.” આવી ચિંતા કરતી નંદા આનંદ રહિત થઈને બેઠી હતી, તેવામાં સુગુપ્ત મંત્રી ઘરે આવ્યા, તેમણે તેને ચિંતા કરતી જોઈ. સુગુપ્ત કહ્યું, “પ્રિયે ! ઉદ્વિગ્ન ચિત્તવાળા કેમ દેખાઓ છે? શું કોઈએ તમારી આજ્ઞા ખંડિત કરી છે? વા મેં કઈ તમારે અપરાધ કર્યો છે?” નંદા બોલી-સ્વામી ! કોઈએ મારી આજ્ઞા ખંડિત કરી નથી; તેમ તમારે પણ કાંઈ અપરાધ નથી; પણ હું શ્રી વિરપ્રભુને પારણું કરાવી શકી નહીં, તેથી મને ઘણે ખેદ થાય છે. ભગવાન વીરપ્રભુ નિત્ય શિક્ષાને માટે આપણા નગરમાં આવે છે અને કેઈ અપૂર્વ અભિગ્રહને લીધે ભિક્ષા લીધા વગર ચાલ્યા જાય છે. માટે હે મહામંત્રી ! તમે તે પ્રભુને અભિગ્રહ જાણી લો, જે નહીં જાણે તો બીજાના ચિત્તને ઓળખનારી તમારા બુદ્ધિ વૃથા છે. સુગુપ્ત કહ્યું કે, “હે પ્રિયા! તે પ્રભુનો અભિગ્રહ જેવી રીતે જણાશે તેમ હું પ્રાતઃકાળે પ્રયાસ કરીશ.” તે વખતે મૃગાવતી રાણીની વિજયા નામની છડીદાર સ્ત્રી ત્યાં આવી હતી. તેણે આ દંપતીની વાર્તા સાંભળી, એટલે તે બધી તેણે પોતાની સ્વામિની મૃગાવતી પાસે જઈને કહી. તે સાંભળી મૃગાવતી રાણીને પણ તત્કાળ ખેદ ઉત્પન્ન થયે. શતાનીક રાજાએ સંજમ પામી તેના ખેદનું કારણ પૂછયું. એટલે મૃગાવતી જરા ભ્રકુટી ઊંચી કરી અંતરના ખેદ અને ક્ષોભના ઉદ્ગારથી વ્યાપ્ત એવી વાણીએ બેલી કે–“રાજાએ તે આ ચરાચર જગતને પોતાના બાતમીદારોથી જાણી શકે છે અને તમે તમારા એક શહેરને પણ જાણી શક્તા નથી, તે તેની પાસે શી વાત કરવી? રાજ્યના સુખમાં પ્રમાદી થયેલા હે નાથ ! ત્રણ લોકને પૂજિત ચરમ તીર્થંકર શ્રી વીરભગવંત આ શહેરમાં વસે છે, તે તમે જાણે છે? તેઓ કેઈ અભિગ્રહને લીધે ઘેર ઘેર ફરે છે પણ ભિક્ષા લીધા વગર પાછા ચાલ્યા જાય છે, તે તમે જાણે છે ? મને, તમને, અને આપણું અમાત્યને ધિકાર છે, Page #95 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ ]. શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષને વિહાર [૮૧ કે જ્યાં શ્રી વીરમભુ અજ્ઞાત અભિગ્રહે આટલા બધા દિવસો સુધી ભિક્ષા વગર રહ્યા છે.” રાજાએ કહ્યું, “હે શુભાશ! હે ધર્મચતુરે! તમને સાબાશ છે. મારા જેવા પ્રમાદીને તમે બહુ સારી શિખામણ યોગ્ય વખતે આપી છે. હવે પ્રભુને અભિગ્રહ જાણું લઈને હું પ્રાતઃ કાળે તેમને પારણું કરાવીશ.” આ પ્રમાણે કહી રાજાએ તત્કાળ મંત્રીને બોલાવ્યો, અને કહ્યું કે “હે ભદ્ર! મારી નગરીમાં શ્રી વીરપ્રભુ ચાર માસ થયા ભિક્ષા વગર રહ્યા છે, તેથી આપણને ધિક્કાર છે! માટે તમારે ગમે તેમ કરી તેમને અભિગ્રહ જાણી લે, કે જેથી હું તે અભિગ્રહ પૂરીને મારી શુદ્ધતાને માટે પારણું કરાવું.” મંત્રી બોહે મહારાજ ! તેમનો અભિગ્રહ જાણી શકાય તેમ નથી, હું પણ તેથી જ ખેદ પામું છું, માટે તેને કોઈ ઉપાય રચવો જોઈએ.” પછી રાજાએ ધર્મશાસ્ત્રમાં વિચક્ષણ એવા તથ્થકદી નામના ઉપાધ્યાયને બેલાવીને કહ્યું કે, “હે મહામતિ ! તમારા શાસ્ત્રમાં સર્વ ધર્મોના આચારે કહેલા છે, તે તેમાંથી શ્રી જિનેશ્વરના અભિગ્રહની વાત કહે.' ઉપાધ્યાય બેલ્યા કે, “હે રાજન ! મહર્ષિઓને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર ભેદથી ઘણું અભિગ્રહે કહેલા છે. આ ભગવંતે જે અભિગ્રહ લીધેલ છે, તે વિશિષ્ટ જ્ઞાન વગર કદિ પણ જાણી શકાશે નહીં.' પછી રાજાએ નગરીમાં આષણા કરાવી કે, “અભિગ્રહને ધારણ કરનારા શ્રી વીરપ્રભુ ભિક્ષા લેવા આવે ત્યારે લોકોએ અનેક પ્રકારની ભિક્ષા આપવી.” રાજાની આજ્ઞાથી અને શ્રદ્ધાથી સર્વ લોકેએ તેમ કર્યું, તથાપિ અભિગ્રહ પૂર્ણ ન થવાથી પ્રભુએ કઈ સ્થાનકેથી ભિક્ષા ગ્રહણ કરી નહીં. આ પ્રમાણે ભિક્ષા રહીત રહેતાં છતાં પણ વિશુદ્ધ ધ્યાનમાં લીન થયેલા પ્રભુ અશ્લાન મુખે રહેતા હતા અને લેકે દિવસે દિવસે લજજા અને ખેદથી વિશેષ આકુળવ્યાકુળ થઈ તેમને જોયા કરતા હતા. આ અરસામાં શતાનિક રાજાએ સૈન્ય સાથે વંટાળીઆની જેમ વેગથી એક રાત્રિમાં જઈને ચંપાનગરીને ઘેરી લીધી. ચંપાપતિ દધિવાહન રાજા તેનાથી ભય પામી નાશી ગયો. “અતિ બળવાન પુરૂષથી રૂંધાયેલા મનુષ્યને પલાયન સિવાય બીજો કોઈ સ્વરક્ષણને ઉપાય નથી.” પછી શતાનિક રાજાએ “આ નગરીમાંથી જે લેવાય તે લઈ લેવું.” એવી પિતાના સૈન્યમાં આઘોષણા કરાવી, એટલે તેના સુભટોએ ચંપાનગરીને વેચ્છાએ લુંટવા માંડી. દધિવાહન રાજાની ધારિણે નામની રાણીને તેની વસુમતી નામની પુત્રી સહિત કઈ ઉંટવાળ હરી ગયે. શત્રુરૂપ કુમુદમાં સૂર્ય જે શતાનીક રાજા કૃતાર્થ થઈ સૈન્યના પરિવાર સાથે કૌશાંબી નગરીએ પાછો આવ્યો. ધારિણું દેવીના રૂપથી મેહ પામેલા પેલા ઉંટવાળા સુલટે લોકેની આગળ ઉંચે સ્વરે કહેવા માંડયું કે, “આ જે પ્રૌઢા રૂપવતી સ્ત્રી છે તે મારી સ્ત્રી થશે અને આ કન્યાને કૌશાંબીના ચૌટામાં જઈને વેચી દઈશ.” તે સાંભળી ધારિણી દેવીએ મનમાં વિચાર્યું કે, “હું ચંદ્રથી પણ નિર્મળ એવા વંશમાં જન્મેલી D - 11 Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું છું, વળી મહાન વંશમાં ઉત્પન્ન થયેલા દધિવાહન રાજાની પત્ની છું અને જૈન ધર્મ મને પરિણમેલો છે. તો આવા અક્ષરે સાંભળ્યા છતાં પણ હું પાપનું ભાજન થઈને હજુ છવું છું, તેથી મને ધિક્કાર છે! અરે સ્વભાવે ચપળ એવા જીવ ! હજુ આ દેહમાં બેસી કેમ રહ્યો છું? જે તું તારી મેળે નહી નીકળે તો માળામાંથી પક્ષીને કાઢે તેમ હું તને બળાત્યારે કાઢીશ.” આ પ્રમાણેના તિરસ્કારથી જાણે ઉદ્વેગ પામ્યા હોય તેમ ખેદથી ફુટી ગયેલા તેના હૃદયમાંથી તેના પ્રાણ ક્ષણવારમાં નીકળી ગયા. તેને મૃત્યુ પામેલી જોઈ ઉંટવાળા સુભટે ખેદ કર્યો કે, “આવી સતી સ્ત્રીને માટે મેં કહ્યું કે, “આ મારી પત્ની થશે” તે મેં ખરાબ કર્યું, મને ધિક્કાર છે! આંગળીથી બતાવતાં કુષ્માંડફળ (કેળાં)ની જેમ મારી દુષ્ટ વાણીથી આ સતી જેમ મૃત્યુ પામી તેમ કદી આ કન્યા પણ મૃત્યુ પામશે; માટે હવે તેને ખેદ ઉપજાવો નહીં.” આ વિચાર કરીને તે રાજકન્યાને મીઠે વચને બોલાવતે તે કૌશાંબી નગરીમાં લાવ્યું. અને તેને રાજમાર્ગમાં વેચવાને ઉભી કરી. દેવગે ત્યાં ધનાવહ શેઠ આવી ચડ્યો. તે વસુમતીને જોઈને વિચારમાં પડયે કે “આની આકૃતિ જોતાં આ કોઈ સામાન્ય મનુષ્યની પુત્રી જણાતી નથી, પણ યૂથમાંથી ભ્રષ્ટ થયેલી મૃગલી જેમ પારધિના હાથમાં આવે તેમ માતાપિતાથી વિખુટી પડેલી આ કન્યા આ નિય માણસના હાથમાં આવી જણાય છે, તેણે અહિં મૂલ્ય લઈને વેચવા મૂકી છે. તેથી આ બીચારી જરૂર કોઈ હીન માણસના હાથમાં સપડાઈ જશે, માટે આ માણસને ઘણું દ્રવ્ય આપીને હુંજ આ કૃપાપાત્ર કન્યાને ખરીદું પોતાની પુત્રીની જેમ હું તેની ઉપેક્ષા કરવાને અશક્ત છું. કોઈ પણ પ્રકારની અડચણ વિના મારે ઘેર રહેતાં દૈવયોગે આ બાળાને તેના સ્વજનવર્ગને સંયોગ પણ થઈ જશે. આ પ્રમાણે વિચારી તે સુભટની ઈચ્છા પ્રમાણે તેને મૂલ્ય આપી ધનાવહ શેઠ અનુકંપાથી તે બાળાને પોતાને ઘેર લઈ ગયો. તેણે સ્વચ્છ બુદ્ધિએ પૂછયું કે “હે વત્સ ! તું કેની કન્યા છું, અને તારો સ્વજનવ કોણ છે તે કહે, ભય પામીશ નહીં, તું મારી પુત્રી જ છું.” તે પિતાના કુળની અતિ મહત્તા હોવાથી કાંઈ કહી શકી નહીં, તેથી કાંઈ પણ ન બોલતાં સાયંકાળે કમલિની રહે તેમ અધોમુખ કરીને ઊભી રહી. પછી શેઠે પિતાની મૂલા શેઠાણીને કહ્યું કે, “પ્રિયા ! આ કન્યા આપણી દુહિતા છે, તેનું અતિ યત્નથી પુષ્પની જેમ લાલનપાલન કરવું.” આવાં શ્રેષ્ટિનાં વચનથી તે બાળા ત્યાં પોતાના ઘરની જેમ રહી અને બાળચંદ્રની લેખાની જેમ સર્વના નેત્રને આનંદ આપવા લાગી. તેણીના ચંદન જેવા શીતળ વિનય વચન અને શીલથી રંજિત થયેલા શ્રેષ્ટિએ પરિવાર સાથે મળીને તેનું ચંદના એવું નામ આપ્યું. અનુક્રમે કરભ જેવા ઉરૂવાળી તે બાળ યૌવનવયને પ્રાપ્ત થઈ તે સમયે સમુદ્રને જેમ પૂર્ણિમાની રાત્રિ હર્ષ આપે તેમ તે એષ્ટિને હર્ષ આપવા લાગી. રવભાવથીજ રૂપવતી છતાં યૌવન પામવાથી વિશેષ રૂપવતી થયેલી ચંદનાને જોઈને મૂલા શેઠાણી મનમાં ઈષી લાવી આ પ્રમાણે વિચારવા લાગી કે, “શ્રેષ્ટિએ આ કન્યાને પુત્રીવત્ રાખી છે, પણ હવે Page #97 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ થો] શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષને વિહાર તેના રૂપથી મોહિત થઈને કદિ શેઠ તેની સાથે પરણે તે હું જીવતી મુવા જેવી થઉં.' આ પ્રમાણે સ્ત્રીપણાને છાજતા તુરછ હૃદયને લીધે તે મૂલા ત્યારથી રાત્રિ દિવસ ઉદાસ રહેવા લાગી. એક વખતે શેઠ ગ્રીષ્મ ઋતુના તાપથી પીડિત થઈને દુકાનેથી ઘેર આવ્યા, તે વખતે દૈવયોગે કઈ સેવક તેના પગને ધોનારો હાજર ન હતું, તેથી અતિ વિનીત ચંદના ઉભી થઈ અને શેઠે વારી તે પણ તે પિતૃભક્તિથી શેઠના પગ ધોવા પ્રવતી. તે વખતે તેને સ્નિગ્ધ શ્યામ અને કમળ કેશપાશ અંગની શિથિલતાથી છુટી જઈને જલપંકિત ભૂમિમાં પડ્યો; એટલે “આ પુત્રીનો કેશપાશ ભૂમિના કાદવથી મલિન ન થાઓ” એવું ધારી શેઠે સહજ સ્વભાવે યષ્ટિથી તેને ઉંચે કર્યો અને પછી આદરથી બાંધી લીધો. ગેખ ઉપર રહેલી મૂલાએ તે જોયું, એટલે તેને વિચાર આવ્યું કે “મેં પ્રથમ જે તક કર્યો હતો, તે બરાબર મળતે આવે છે, આ યુવાન સ્ત્રીનો કેશપાશ શેઠે પોતાની મેળે બાંધ્યો, તે તેના પત્ની પણાનું પ્રથમ ચિન્હ સૂચવે છે, કારણ કે પિતાનું કામ એવી રીતે કરવાનું હોતું નથી, માટે હવે એ બાળાનો વ્યાધિની જેમ મૂળમાંથી જ ઉછેદ કરે.” આવો નિશ્ચય કરી એ દુરાશા ડાકણની જેમ તેવા વખતની રાહ જોવા લાગી. શેઠ ક્ષણવાર વિશ્રામ કરીને ફરીથી બહાર ગયા એટલે મૂલાએ એક નાપિતને બોલાવી ચંદનાનું મસ્તક મુંડાવી નાંખ્યું, પછી તેના પગમાં બેડી નાંખી ક્રોધરૂપ રાક્ષસને વશ થયેલી મૂલાએ લતાને હાથિણની જેમ ચંદનાને ઘણું તાડન કર્યું. પછી ઘરના એક દૂરના વિભાગ (ઓરડા) માં ચંદનાને પૂરી કમાડ બંધ કરીને મૂલાએ પોતાના પરિવારને કહ્યું કે, “શ્રેષ્ટિ આ વિષે કાંઈ પૂછે છે કેઈએ કાંઈ પણ કહેવું નહીં, તે છતાં જે કહેશે તે મારા પરૂપ અગ્નિમાં આહુતિરૂપ થશે.” આવી રીતે નિયંત્રણ કરી મૂલા પિતાને પિયર જતી રહી. સાયંકાળે શેઠે આવીને પૂછ્યું કે, “ચંદના ક્યાં છે?' એટલે મૂલાના ભયથી કેઈએ ઉત્તર આપે નહીં. શેઠે વિચાર્યું કે, “મારી વત્સા ચંદના કાંઈ રમતી હશે અથવા ઘરની ઉપર હશે એવી રીતે પાછું રાત્રે પૂછયું, પણ કોઈએ કાંઈ કહ્યું નહીં, એટલે સરલ બુદ્ધિવાળા શેઠે ધાયું કે, “ચંદના સુઈ ગઈ હશે.” એવી રીતે બીજે દિવસે પણ જોઈ નહીં, તેમ જ ત્રીજે દિવસે પણ જોઈ નહીં, એટલે શંકા અને કોપથી આકુળવ્યાકુળ થયેલા શેઠે પરિજનને પૂછ્યું, અરે સેવકે ! કહો, મારી પુત્રી ચંદના ક્યાં છે? જે તમે જાણતાં છતાં નહીં કહે, તે હું તમારો સર્વને નિગ્રહ કરીશ.” આ સાંભળી કોઈ વૃદ્ધ દાસીએ ચિંતવ્યું કે, “હું ઘણું વર્ષ સુધી જીવી છું, હવે મારું મૃત્યુ પણ નજીક છે, માટે કદિ જે હું ચંદનાનું વૃત્તાંત કહીશ તો મૂલા મને શું કરી શકશે.' આ વિચાર કરીને તેણે મૂલા અને ચંદનાની બધી વાર્તા શેઠને કહી સંભળાવી. પછી તે વૃદ્ધાએ જઈને જ્યાં ચંદનાને પૂરી હતી, તે ઘર શેઠને બતાવ્યું, એટલે ધનાવહ શેઠે પોતાની મેળે તેનું દ્વાર ઉઘાડ્યું. ત્યાં ચેરે ખેંચેલી લતાની ૧ સેવક વિગરને. Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧૦ મું જેવી સુધા તૃષાથી પીડિત, નવી પકડેલી હાથિણીની જેમ બેડીથી બાંધી લીધેલી, ભિક્ષકોની જેમ માથે મુંડિત કરેલી અને જેના નેત્રકમળ અથથી પૂરિત છે એવી ચંદનાને ધનાવહ શેઠે અવકી. શેઠે તેને કહ્યું કે, “વત્સ! તું સ્વસ્થ થા.” એમ કહો નેત્રમાંથી અશ્રુ પાડતા શેઠ તેને ભેજન કરાવવાને માટે રસવતી લેવા સારૂ ઉતાવળા રસોડામાં ગયા, પણ દૈવયોગે ત્યાં કાંઈ પણ અવશેષ ભેજન જોવામાં આવ્યું નહીં, તેથી સુપડાના ખૂણામાં પડેલાં કુભાષ તેણે ચંદનાને આપ્યા અને કહ્યું “હે વત્સ! હું તારી બેડી તેડવાને માટે લુહારને બોલાવી લાવું છું, ત્યાં સુધી તું આ કુભાષનું ભજન કર.” આ પ્રમાણે કહી શેઠ બહાર ગયા, એટલે ચંદના ઊભી ઊભી વિચાર કરવા લાગી કે, “અહોમારો રાજકુળમાં જન્મ કયાં અને આ વખતે આવી સ્થિતિ કયાં? આ નાટક જેવા સંસારમાં ક્ષણમાં વસ્તુમાત્ર અન્યથા થઈ જાય છે, એ બધું મેં જાતે અનુભવ્યું છે. અહો! હવે હું શું તેને પ્રતિકાર કરું? આજે અઠ્ઠમને પારણે આ કુભાષ મળ્યા છે, પણ જે કઈ અતિથિ આવે તે તેને આપીને પછી હું જમું, અન્યથા જમીશ નહીં. ” આવો વિચાર કરીને તેણે દ્વાર ઉપર દષ્ટિ નાખી, તેવામાં તો શ્રી વીરમ્રભુ ભિક્ષાને માટે ફરતા ફરતા ત્યાં આવી ચડડ્યા. તેમને જોઈને “અહો કેવું શુભ પાત્ર! અહે કેવું ઉત્તમ પાત્ર! અહે મારા પુણ્યનો સંચય કે! કે જેથી આ કોઈ મહાત્મા ભિક્ષાને માટે અહિં અચાનક પ્રાપ્ત થયા.” આ પ્રમાણે ચિંતવીને તે બાળા કુભાષવાળું સુપડું હાથમાં લઈ એક પગ ઉમરાની અંદર અને એક પગ બહાર રાખી ઊભી રહી. બેડીને લીધે ઉમર ઉલંઘવાને અશક્ત એવી તે બાળા ત્યાં રહી છતી આદ્ર હૃદયવાળી ભક્તિથી ભગવંત પ્રત્યે બેલી-“હે પ્રભુ! જો કે આ ભેજન આપને માટે અનુચિત છે, તથાપિ આપ પરોપકારમાં તત્પર છે, તેથી તે ગ્રહણ કરીને મારા પર અનુગ્રહ કરે.” દ્રવ્યાદિ ચારે પ્રકારથી શુદ્ધ રીતે અભિગ્રહ પૂર્ણ થયેલો જાણી, પ્રભુએ તે કુભાષની ભિક્ષા લેવાને માટે પિતાને કર પ્રસાર્યો. તે વખતે “અહો! મને ધન્ય છે” એમ ધ્યાન ધરતી ચંદનાએ સુપડાના એક ખુણાવડે તે કુલ્માષ પ્રભુના હાથમાં નાખ્યા. પ્રભુને અભિગ્રહ પૂર્ણ થવાથી દેવતાઓ પ્રસન્ન થઈને ત્યાં આવ્યા, અને તેઓએ વસુઘરા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યા. તત્કાળ ચંદનાની બેડીઓ તુટી ગઈ તેને ઠેકાણે સુવર્ણના નૂપુર થઈ ગયા, અને કેશપાશ પૂર્વની જેમ સુશોભિત થઈ ગયું. શ્રી વીરપ્રભુના ભક્ત દેવતાઓએ તત્કાળ ચંદનાને સવ અંગમાં વસ્ત્રાલંકારથી શોભિત કરી દીધી. પછી દેવતાઓ પૃથ્વી અને અંતરીક્ષના ઉદરને પૂરે તે ઉત્કૃષ્ટ નાદ કરી સૂત્રધારની જેમ હર્ષ પામતા ગીત નૃત્યાદિક કરવા લાગ્યા. દુંદુભિનો વિનિ સાંભળી મૃગાવતી અને શતાનિક રાજા તથા સુગુપ્ત મંત્રી અને નંદા મેટા પરિવાર સાથે ત્યાં આવ્યા. દેવપતિ શકઇદ્ર પણ પૂર્ણ અભિગ્રહવાળા પ્રભુને વાંદવા ૧ આ વખતે ચંદનાના નેત્રમાં આંસુ નહતા, તેથી પ્રભુ અભિગ્રહની અપૂર્ણતા જાણ પાછા વળ્યા; એટલે ચંદનાને પારાવાર ખેદ થતાં તેની આંખમાં આંસુ આવ્યા. પ્રભુ અભિપ્રહ પૂર્ણ થંલ જાણું પાછી વળ્યા ને દાન લીધું. આમ અન્યત્ર કથન છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ ] શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષને વિહાર * [૮૫ માટે મનમાં હર્ષ પામતા પામતા વેગથી ત્યાં આવ્યા. દધિવાહન રાજાનો સંપુલ નામે એક કંચુકી હતો, તેને જ્યારે ચંપાનગરીને લુંટી ત્યારે ત્યાંથી શતાનિક રાજા પકડી લાવ્યા હતા, તેને આ વખતે જ છોડી મૂક્તાં તે પણ ત્યાં આવ્યા એટલે પિતાના રાજાની પુત્રી વસુમતીને જોઈને તેના પગમાં પડયો અને છુટે કંઠે રૂદન કરવા લાગ્યો, તેથી તે બાળાને પણ રૂદન આવ્યું. શતાનિક રાજાએ તેને પૂછ્યું કે, “તું કેમ રૂએ છે?' ત્યારે તે કંચુકી અશ્રુધાર સહિત બેલ્થ કે, “મહારાજ ! દધિવાહન રાજાની ધારિણું રાણીની આ પુત્રી છે. અહે! તેવા ઉત્કૃષ્ટ વૈભવથી ભ્રષ્ટ થઈને માતાપિતા વગરની આ બાળા બીજાને ઘેર દાસીવતું રહે છે, તે જોઈને મને રૂદન આવે છે.” રાજાએ કહ્યું કે, “હે ભદ્ર! આ કુમારી શેક કરવા યોગ્ય નથી, કારણ કે તેણે ત્રણ જગતનું રક્ષણ કરવામાં શૂરવીર એવા વીરપ્રભુને અભિગ્રહ પૂર્ણ કરીને પ્રતિલાશિત કર્યા છે. તે વખતે મૃગાવતી બેલી કે, “અરે! ધારિણી તે મારે બહેન થાય છે, તેની આ દુહિતા છે, તે તે મારી પણ દુહિતા છે. પછી માસમાં પાંચ દિવસ ઓછા રહેતાં ત૫નું પારણું કરીને તે ધનાવહ શેઠના ઘરમાંથી બહાર નીકળ્યા. પ્રભુના ગયા પછી લાભની પ્રબળતાથી શતાનિક રાજાએ તે વસુધારાનું ધન લેવાની ઈચ્છા કરી; એટલે સૌધર્મપતિએ શતાનિક રાજાને કહ્યું કે, હે રાજન ! તમે આ રત્નવૃષ્ટિ લેવાની ઈચ્છા કરે છે, પણ આ દ્રવ્ય ઉપર તમારે સવામીભાવ નથી, તેથી આ કન્યા જેને આપે, તે આ દ્રવ્ય લઈ શકે.” રાજાએ ચંદનાને પૂછયું કે-ચંદના! આ દ્રવ્ય કેણ લે?' ચંદના બોલી કે, “આ ધનાવહ શેઠ ગ્રહણ કરે, કારણ કે તે મારું પાલન કરવાથી મારા પિતા છે.” પછી ધનાવહ શેઠે તે વસુધારાનું દ્રવ્ય ગ્રહણ કર્યું. પછી તે ફરીવાર શતાનિક રાજાને કહ્યું કે, “આ બાળા ચરમદેહી છે અને ભગતષ્ણાથી વિમુખ છે, તેથી જ્યારે વીરપ્રભુને કેવળજ્ઞાન થશે ત્યારે તે તેમની પ્રથમ શિષ્યા થશે; માટે જ્યાં સુધી પ્રભુને કેવળજ્ઞાન ઉપજે, ત્યાં સુધી તમારે તેનું રક્ષણ કરવું. આ પ્રમાણે કહી પ્રભુને નમીને ઇંદ્ર દેવલોકમાં ગયા. રાજા શતાનિકે ચંદનાને પોતાને ત્યાં લઈ જઈ કન્યાઓના અંતઃપુરમાં રાખી. ચંદના પણ પ્રભુને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થવાનું ધ્યાન કરતી છતી ત્યાં રહી. પિલી મૂલા શેઠાણ જે અનર્થનું મૂળ હતી, તેને ધનાવહ શેઠે કાઢી મૂકી, તે દુર્બાન કરતી મૃત્યુ પામીને નરકે ગઈ. ' પ્રભુ ત્યાંથી વિહાર કરી પ્રાતઃકાળે સુમંગળ ગામે આવ્યા. ત્યાં સનસ્કુમાર આવી પ્રભુને વંદના કરી. ત્યાંથી પ્રભુ સક્ષેત્ર નામના ગામે આવ્યા, ત્યાં માહે કલ્પના ઈ આવી ભક્તિથી પ્રણામ કર્યો. ત્યાંથી પ્રભુ પાલક ગામે ગયા. ત્યાં ભાયલ નામે કોઈ વણિક યાત્રા કરવા જતો હતો, તેણે પ્રભુને આવતા જોયા. એટલે “આ શિક્ષકના અપશુકન Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૬] શ્રી ત્રિષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું થયા માટે તેના મસ્તક પર ખગનો પ્રહાર કરૂં.” આમ વિચારી ખગ ઉઘાડીને તે પ્રભુને મારવા દેડ્યો. તે વખતે સિદ્ધાર્થ વ્યંતરે આવી તે ખગવડે તેનું જ મસ્તક છેદાવી નાખ્યું. પ્રભુ ત્યાંથી વિહાર કરતા ચંપાનગરીએ આવ્યા. ત્યાં સ્વાદિદત્ત નામના કોઈ બ્રાહ્મણની અગ્નિહોત્રની શાળામાં પ્રભુ ચારે માસના ઉપવાસ કરીને બારમું ચોમાસું રહ્યા. ત્યાં પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામે બે મહદ્ધિક યક્ષો દરરોજ રાત્રે આવીને પ્રભુની પૂજા કરતા હતા. તે જોઈ સ્વાદિદત્ત વિચાર્યું કે, “આ દેવાર્ય શું કાંઈ જાણતા હશે કે જેથી પ્રત્યેક રાત્રિએ તેમની પાસે આવીને દેવતાઓ પૂજે છે.” આ પ્રમાણે ચિંતવી જિજ્ઞાસુ થઈને સ્વાદિદત્ત પ્રભુ પાસે આવ્યો અને પૂછયું કે, “દેવાય ! શિર વિગેરે અંગથી પૂર્ણ એવા આ દેહમાં છવ કર્યો કહેવાય !” પ્રભુ બોલ્યા કે, “દેહમાં રહ્યો છતે જે મહેં (હું) એમ માને છે તે જીવ છે.” સ્વાદિદત્તે કહ્યું, “તે શી રીતે સમજે?” ભગવંત બોલ્યાહે દ્વિજ ! મસ્તક હાથ વિગેરે જે અવયવો છે, તેનાથી તે જુદો છે અને સૂક્ષમ છે.” સ્વાદિદત્ત પૂછયું કે, “તે સૂક્ષ્મ છે પણ ક્યાં છે? તે બરાબર સ્પષ્ટ કહી બતાવો.' પ્રભુ બોલ્યા કે, “તે ઇન્દ્રિઓથી ગ્રહણ થતો નથી. આવા પ્રશ્નોત્તરથી તે બ્રાહ્મણે પ્રભુને તવ. વેત્તા જાણી ભક્તિથી પ્રભુની પૂજા કરી અને પ્રભુએ પણ તેને ભવ્ય જાણીને પ્રતિબંધ કર્યો. તે ચોમાસું વીત્યા પછી પ્રભુ જંભક ગામે આવ્યા. ત્યાં ઇંદ્ર નાટવિધિ બતાવીને બેલ્યા કે, “હે જગદ્ગુરૂ ! હવે થોડા દિવસ પછી આપને ઉજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.” આ પ્રમાણે કહી પ્રભુને નમીને ઇદ્ર સ્વર્ગે ગયા અને પ્રભુ ત્યાંથી વિહાર કરીને મેક ગામે આવ્યા. ત્યાં ચમરે કે આવી પ્રભુને વંદના કરી, અને સુખવિહાર પૂછીને પિતાને સ્થાનકે ગયો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ પગમાનિ ગામે ગયા, ત્યાં કાર્યોત્સર્ગ કરી ધ્યાનપરાયણ થઈને ગામની બહાર રહ્યા. આ સમયે વાસુદેવના ભવમાં શય્યાપાળકના કાનમાં તપાવેલું સીસું રેડીને ઉપાર્જન કરેલું અશાતા વેદનીય કર્મ પ્રભુને ઉદય આવ્યું. તે શય્યાપાળકને જીવ અહિં શેવાળ થયો હતો. તે પ્રભુની પાસે બળદોને મૂકીને ગાય દેવા માટે ગયે. તે બળદ સ્વેચ્છાએ ચરતા ચરતા કોઈ અટવીમાં દૂર ચાલ્યા ગયા. ક્ષણવારે ગોવાળ પાછો આવ્યો. ત્યાં બળદોને જોયા નહીં, એટલે તેણે પ્રભુને કહ્યું કે, “અરે અધમ દેવાર્ય ! મારા બળદે કયાં ગયા? તું કેમ બોલતા નથી? શું મારાં વચન સાંભળતું નથી ? આ તારા કાનના છિદ્ર શું ફોગટના જ છે?' આ પ્રમાણે કહ્યા છતાં પણ જ્યારે પ્રભુ બોલ્યા નહીં, ત્યારે તેણે અતિ ક્રોધ ધરી પ્રભુના બંને કર્ણરંદ્રમાં કાશડાની સળીઓ નાંખી. પછી તે શળીઓને તાડન કરવાથી તે શળીઓ પરસ્પર એવી રીતે મળી ગઈ કે, જાણે તે અખંડ એકજ શળી હોય તેમ દેખાવા લાગી. પછી આ બે ખીલાને કેઈ કાઢી શકે નહીં, એવું ધારીને તે દુષ્ટ ગોવાળ તેને બહાર દેખાતે ભાગ ભેદીને ચાલ્યો ગયો. માયા અને મિથ્યાત્વરૂપ શલ્ય જેના નાશ પામ્યા છે એવા પ્રભુ કાનમાં નાખેલા શલ્યવડે શુભ ધ્યાનથી જરા પણું કંપિત થયા નહીં. ત્યાંથી પ્રભુ મધ્યમ અપાપાનગરીએ પધાર્યા. ત્યાં પારણાને Page #101 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ થે ! શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષને વિહાર [ ૮૭ પારણને માટે પ્રભુ સિદ્ધાર્થ વણિકને ઘેર ગયા. તેણે પ્રભુને ભક્તિથી પ્રતિલાભિત કર્યા. ત્યાં તે સિદ્ધાર્થને એક ખરક નામે પ્રિય મિત્ર વૈદ્ય પ્રથમ આવેલો બેઠો હતે, તે સૂક્ષમ બુદ્ધિવાન હોવાથી પ્રભુને જોઈ વિચાર કરીને બેલ્યો કે, “અહો ! આ ભગવંતની મૂર્તિ સર્વ લક્ષણે સંપૂર્ણ છે, પણ જરા સ્લાનિભૂત જણાય છે તેથી શલ્યવતી હોય તેમ લાગે છે.” સિદ્ધાર્થે સંબમથી કહ્યું, “જે એમ હોય તે સારી રીતે તપાસ કરીને કહે કે ભગવંતના શરીરમાં કયે ઠેકાણે શલ્ય છે ?” પછી તે વૈધે પ્રભુના બધા શરીરની નિપુણતાથી તપાસ કરી, તો બંને કાનમાં ખીલા નાખેલા જોયા, એટલે તે સિદ્ધાર્થને પણ બતાવ્યા. સિદ્ધાર્થ બોલ્યા કે, “અરે ! કોઈ અપવાદથી કે નરકથી પણ ભય નહીં પામનારા પાપીએ આ દારૂણ કર્મ કરેલું જણાય છે. પરંતુ તે મહામતિ મિત્ર ! તે પાપીની વાર્તા કરવાની કોઈ જરૂર નથી, હવે તો પ્રભુના શરીરમાંથી શલ્યનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કર. આ શલ્ય તો પ્રભુના કાનમાં છે, પણ પીડા મને ઘણી થાય છે, તેથી આ વિષે હું જરા પણ વિલંબ સહન કરી શકતો નથી, મારૂં સર્વસ્વ ભલે નાશ પામે પણ જો આ જગત્પતિના કાનમાંથી કોઈ પણ રીતે શલ્યને ઉદ્ધાર થાય તો આપણે બંનેને આ ભવસાગરમાંથી ઉદ્ધાર થયો એમ હું માનું છું. ” વૈદ્ય બોલ્યો-“આ પ્રભુ જે કે વિશ્વનું રક્ષણ અને ક્ષય કરવામાં સમર્થ છે, પણ કમને ક્ષય કરવાને માટે તેમણે તે અપકારી પુરૂષની ઉપેક્ષા કરી છે, તેવા આ પ્રભુ કે જે પિોતાના શરીરની પણ અપેક્ષા રહિત છે, તેની મારાથી શી રીતે ચિકીત્સા થાય? કેમકે તેઓ કર્મની નિરાને માટે આવી વેદનાને પણ સારી માને છે.” સિદ્ધાર્થ બે-“હે મિત્ર! આવી વચનની યુક્તિ આ વખત શા માટે કરે છે? આ વાત કરવાનો સમય નથી, માટે સત્વર આ ભગવંતની ચિકીત્સા કર.” તેઓ બંને આ પ્રમાણે વાત કરે છે તેવામાં તો શરીરમાં પણ નિરપેક્ષ પ્રભુ ત્યાંથી ચાલ્યા ગયા. બહાર ઉદ્યાનમાં આવીને શુભ ધ્યાનમાં પરાયણ થયા. પછી સિદ્ધાર્થ અને ખરક વૈદ્ય ઔષધ વિગેરે લઈને ત્વરાથી ઉદ્યાનમાં આવ્યા. પછી પ્રભુને એક તેલની કુંડીમાં બેસાર્યા, તેમના શરીરને તેલનું અત્યંગન કર્યું, અને બળવાન્ ચંપી કરનારા માણસોની પાસે મર્દન કરાવ્યું. તે બળીણ પુરૂષાએ પ્રભુના શરીરના તમામ સાંધા શિથિલ કરી નાંખ્યા. પછી તેમણે બે સાણસી લઈ પ્રભુના બંને કાનમાંથી બંને ખીલા એક સાથે ખેંચ્યા; એટલે રૂધિર સહિત તે બંને ખીલા જાણે પ્રત્યક્ષ અવશેષ વેદનીય કર્મ નીકળી જતું હોય તેમ નીકળી પડયા. તે ખીલા ખેંચતી વખતે પ્રભુને એવી વેદના થઈ કે તે વખતે વજાથી હણાયેલા પર્વતની જેમ પ્રભુએ મોટી ભયંકર ચીસ પાડી. પ્રભુના માહાસ્યવડેજ તે ચીસના નાદથી પૃથ્વી કુટી ગઈ નહીં. “અહંત પ્રભુએ વિપત્તિમાં પણ બીજાને ઉપદ્રવકારી થતા નથી.” પછી સંરોહિણી ઔષધિથી પ્રભુના કાનને તત્કાળ રૂઝવી, ખમાવી તેમજ નમીને સિદ્ધાર્થ અને ખરક વૈદ્ય પિતાને ઘેર ગયા. તે શુભાશય પુરૂષે પ્રભુને વેદના કરતાં છતાં પણ દેવસંબંધી લહમીને ભેગવનારા થયા. પેલે દુરાશય ગોવાળ પ્રભુને વેદના કરી મરણ પામીને સાતમી નરકના દુઃખને પાત્ર થશે, Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું પ્રભુના હૈરવ [ ભયંકર] નાદથી તે ઉદ્યાન મહાભેરવ નામથી પ્રખ્યાત થયું, અને ત્યાં લકોએ એક દેવાલય કરાવ્યું. આ પ્રમાણે શ્રી વીર પ્રભુને જે જે ઉપસર્ગો થયા, તેમાં જઘન્ય ઉપસર્ગોમાં કટપૂતનાએ જે શીતને ઉપદ્રવ કર્યો તે, ઉત્કૃષ્ટ, મધ્યમ ઉપસર્ગોમાં સંગમે જે કાળચક મૂક્યું તે, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ ઉપસર્ગોમાં કાનમાંથી ખીલાને ઉદ્ધાર કર્યો તે ઉત્કૃષ્ટ. એવી રીતે પ્રભુને ઉપસર્ગોને પ્રારંભ પણ ગોવાળથી થયો અને પૂર્ણતા પણ ગોવાળથી થઈ અર્થાત્ આ ખીલાને ઉપસર્ગ છેલ્લે થયે. પ્રભુને તપસ્યામાં એક છમાસિક, નવ ચતુર્માસક્ષપણ, છ દ્વિમાસિક, બાર માસિક, તેર અદ્ધમાસિક, એક પરમાસિક, બે ત્રિમાસિક, બે દેઢમાસિક, બે અઢીમાસિક, ત્રણ ભદ્રાદિક પ્રતિમાઓ, કૌશાંબી નગરીમાં છ માસમાં પાંચ દિવસ ઓછા સુધી અભિગ્રહ ધારણ (ઉપવાસ), બાર અષ્ટમભક્ત, છેલી રાત્રે કાર્યોત્સર્ગ યુક્ત એક રાત્રિની બાર પ્રતિમાઓ, અને બસો ઓગણત્રીશ છ–એટલી થઈ અને ત્રણસો ને ઓગણપચાસ પારણા થયા. આ પ્રમાણે વ્રત લીધુ તે દિવસથી માંડીને સાડાબાર વર્ષ અને એક પખવાડીઆમાં તપસ્યાઓ થઈ. તેમણે નિત્યભક્ત કે ચતુર્થભક્ત (એક ઉપવાસ) કરેલ જ નથી. એવી રીતે જળરહિત સર્વ તપસ્યા કરતા, ઉપસર્ગોને જીતતા અને છદ્મસ્થપણે વિચરતા શ્રી વીરપ્રભુ હજુવાલિકા નામની મોટી નદીવાળા જંભક નામના ગામ પાસે આવ્યા. इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्टि शलाका पुरुष चरिते महाकाव्ये दशमपर्वणि श्री महावीर द्वितीय साग्रघडवार्षिक छद्मस्थ વિર લઈને નામ જાધક : | 0 000000000000000000000000000000000 lớcodongdongcaocdcdcd0000000000000 0 0000000000000000000000000000009 000000000000000000000000000000000 ૧ ભ, મહાભદ્ર, સર્વતોભક-બે, ચાર ને દશ દિવસની. Page #103 -------------------------------------------------------------------------- ________________ મ - શ્રી મહાવીર સ્વામીને કેવલજ્ઞાન અને ચતુર્વિધ સંઘની સ્થાપના. છુંભક ગામની બહાર રજુવાલિકા નદીના ઉત્તર તટ ઉપર સામાક નામના કોઈ ગૃહસ્થનું ક્ષેત્ર હતું. ત્યાં કોઈ ગુપ્ત—અસ્પષ્ટ રહેલા ચૈત્યની નજીક ચાલતારૂની નીચે પ્રભુ છઠ્ઠ તપ કરીને ઉત્કટિક આસને રહી આતાપના કરવા લાગ્યા. ત્યાં વિજય મુહૂર્ત શુકલધ્યાનમાં વતતા અને ક્ષપકશ્રેણી પર આરૂઢ થયેલા પ્રભુના ચાર ઘાતિ કર્મ જીર્ણ દેરીની જેમ તત્કાળ તુટી ગયા. તેથી વૈશાખ માસની શુકલ દશમીએ ચંદ્ર હસ્તત્તરા નક્ષત્રમાં આવ્યું છતે દિવસને ચોથે પહેરે પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ઇદ્રો આસનકંપથી પ્રભુના કેવલજ્ઞાનને જાણીને દેવતાઓની સાથે હર્ષ પામતા ત્યાં આવ્યા. તે અવસરે કોઈ દેવતા કુદવા લાગ્યા, કોઈ નાચવા લાગ્યા, કેઈ હસવા લાગ્યા, કોઈ ગાવા લાગ્યા, કોઈ સિંહની જેમ ગર્જના કરવા લાગ્યા, કોઈ અશ્વની જેમ હજારવ કરવા લાગ્યા, કેઈ હસ્તીની જેમ નાદ કરવા લાગ્યા. કોઈ રથની જેમ ચીત્કાર કરવા લાગ્યા અને કોઈ સર્ષની જેમ કુંડા મારવા લાગ્યા, પ્રભુના કેવલજ્ઞાનથી હર્ષ પામેલા ચારે નિકાયના દેવતાઓ બીજી પણ વિવિધ ચેષ્ટાઓ કરવા લાગ્યા. પછી દેવતાઓએ ત્રણ કિલ્લાવાળું અને પ્રત્યેક કિલે ચાર ચાર દ્વારવાળું સમોસરણ રચ્યું. “અહીં (રત્ન સિંહાસન પર બેસીને દેશના દેવી વિગેરે) સર્વવિરતિને યોગ્ય નથી.” એવું જાણતાં છતાં પણ પ્રભુએ પોતાને ક૯પ જાણીને તે સમવસરણમાં બેસી દેશના આપી. તેમના તીર્થમાં હાથીના વાહનવાળે, કૃષ્ણવર્ણ, વામ ભુજામાં બીરૂં અને દક્ષિણ ભુજામાં નકુલને ધારણ કરતે, માતંગ નામે યક્ષ અને સિંહના આસનવાળી, નીલવણું, બે વામ ભુજામાં બીરું અને વીણ તથા બે દક્ષિણ ભુજામાં પુસ્તક અને અભયને ધારણ કરતી સિદ્ધાયિકા નામે દેવી-એ બંને નિત્ય પ્રભુની પાસે રહેનારા શાસનદેવતા થયા. તે સમયે ત્યાં ઉપકારને ગ્ય એવા લોકોના બીલકુલ અભાવથી પરોપકારમાં તત્પર અને જેમનું પ્રેમબંધન ક્ષીણ થયેલું છે એવા પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. પછી મારે તીર્થકર નામ ગેત્ર નામનું મોટું કર્મ જે વેદવાનું છે તે ભવ્ય જતુને પ્રતિબંધ દેવાવડે અનુભવવું એગ્ય છે એમ વિચારીને અસંખ્ય કોટી દેવતાઓથી પરવારેલા, ૧ તીર્થંકરની દેશના નિષ્ફળ થાય નહીં છતાં વીર પ્રભુની પ્રથમ દેશના કોઈએ પણ વિરતિભાવ ગ્રહણ ન કરવાથી નિષ્ફળ ગઈ એ આશ્ચર્ય સમજવું. D - 12 • Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું અને દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણકમળ ઉપર ચરણ મૂકતા પ્રભુ દિવસની જેમ દેવતાના ઉદ્યોતથી રાત્રે પણ પ્રકાશ કરતા છતા બાર યોજનાના વિસ્તારવાળી, ભવ્ય પ્રાણીઓથી અલંકૃત અને યજ્ઞને માટે મળેલા પ્રબોધને લાયક ગૌતમાદિક ઘણા શિષ્યએ સેવેલી અપાપા નામની નગરીમાં આવ્યા. તે પુરીની નજીક મહાસેનવન નામના ઉદ્યાનમાં દેવતાઓએ એક સુંદર સમવસરણ રચ્યું. પછી જેમને સર્વ અતિશય પ્રાપ્ત થયા છે એવા અને સુર અસુરોથી સ્તવાતા એવા પ્રભુએ પૂર્વ દ્વારવડે તે સમવસરણમાં પ્રવેશ કર્યો. બત્રીશ ધનુ ઉંચા રત્નના પ્રતિષ્ઠદ જેવા ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી, “તીર્થ નમઃ' એમ કહી, આહતી મર્યાદાને પાળી, પ્રભુ પાદપીઠ યુક્ત પૂર્વ સિંહાસન ઉપર બેઠા. ભક્તિવાળા દેવતાઓએ પ્રભુના મહિમાથી જ બીજી ત્રણે દિશાઓમાં પ્રભુના પ્રતિરૂપ કર્યા. તે અવસરે સર્વ દેવતાઓ તથા મનુષ્ય વિગેરે યોગ્ય દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી પ્રભુના વદનને નિરખતાં પોતપોતાને યોગ્ય સ્થાને બેઠા. પછી ઈંદ્ર ભક્તિથી રોમાંચિત શરીરે પ્રભુને નમી અંજલિ જેડીને આ પ્રમાણે સ્તુતિ કરી. “હે પ્રભુ! લાવણ્યથી પવિત્ર શરીરવાળા અને નેત્રને અમૃતાંજન રૂપ એવા તમારે વિષે મધ્યસ્થપણું રાખવું તે પણ દેષને માટે છે તે શ્રેષ રાખવાની તે વાર્તા જ શી કરવી ? કપાદિકથી ઉપદ્રવ પામેલાઓ (કોળી વિગેરે) તે પણ તમારા પ્રતિપક્ષી છે” એવી લોકવાર્તા શું વિવેકી લોકો કરે છે? અર્થાત્ નથી કરતા. તમે વિરક્ત છે તેથી જે રાગવાન તમારા વિપક્ષી હોય તો તે વિપક્ષ જ નથી; કેમ કે સૂર્યને વિપક્ષી શું ખજુઓ હોઈ શકે? લવસત્તમ (અનુત્તરવાસી) દેવતાઓ પણ તમારા યોગને ઈચ્છતા છતાં તેને પામતા નથી તે ગમુદ્રા વિનાના બીજાઓની તે વાર્તા જ શી કરવી? હે સ્વામી! અમે તમારા જેવા નાથના શરણને જ અંગીકાર કરીએ છીએ, તમને જ સ્તવીએ છીએ અને તમારી જ ઉપાસના કરીએ છીએ. તમારા સિવાય બીજો કોઈ ત્રાતા નથી, તેથી ક્યાં જઈને કહીએ અને શું કરીએ? પિતાના આચારવડે જ મલીન અને પરને છેતરવામાં જ તત્પર એવા બીજા દેથી આ જગત ઠગાય છે. અહો! તેને પોકાર કોની આગળ કરીએ નિત્યમુક્ત કહેવરાવનારા, છતાં આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવામાં ઉઘત થનારા અને તેથી જ વંધ્યા સ્ત્રીના બાળક જેવા દેને કો સચેત પુરૂષ આશ્રય કરે? હે દેવ! બીજા કેટલાક મૂઢ પુરૂષ ઉદરપૂર્તિ કરનારા અને વિષયેદ્રિયો વડે દુરાચાર કરનારા દેવતાઓથી તમારા જેવા દેવાધિદેવને નિહવ કરે છે, તે કેવા ખેદની વાત? અહો! કેટલાક ઘરમાં રહીને ગર્જના કરનારા મિથ્યાત્વીઓ આ બધું આકાશપુષ્પવત્ છે એવી ક્ષિા કરીને અને તેનું કાંઈક પ્રમાણ કલપીને દેહ અને ગેહમાં આનંદ માનતા રહે છે. કામરાગ અને નેહરાગનું નિવારણ કરવું તે તે સહેજે બની શકે તેવું છે, પણ દષ્ટિરાગ તો એ અતિ પાપી છે કે જે સત્યરૂષને પણ ઉછેદન કરવો મુશ્કેલ પડે છે. હે નાથ! પ્રસન્ન મુખ, મધ્યસ્થ દૃષ્ટિ અને લેકને પ્રીતિ ઉપજાવનારૂં વચન-એ બધું તમારામાં અત્યંત પ્રીતિના સ્થાન રૂપ છતાં મૂહ Page #105 -------------------------------------------------------------------------- ________________ સગ ૫ મો] મહાવીર સ્વામીને કેવલજ્ઞાન અને સંઘની સ્થાપના લોક વૃથા તમારાથી ઉદાસ રહે છે. કદિ વાયુ સ્થિર રહે, પર્વત કરે અને જળ જાજવલ્યમાન થાય, તથાપિ રાગાદિકવડે ગ્રસ્ત થયેલા પુરૂષે કદિ પણ આપ્ત થવાને યોગ્ય નથી.” આ પ્રમાણે સ્તુતિ કરીને ઈંદ્ર વિરામ પામ્યા પછી પ્રભુએ સર્વ ભાષામાં સમજાય તેવી વાણીથી નીચે પ્રમાણે દેશના આપી. અહે! આ સંસાર સમુદ્રની જે દારૂણ છે, અને તેનું કારણ વૃક્ષના બીજની જેમ કમજ છે. પિતાનાજ કરેલા કર્મથી વિવેક રહિત થયેલ પ્રાણ કે ખોદનારની જેમ અધોગતિને પામે છે અને શુદ્ધ હદયવાળા પુરૂષ પિોતાનાજ કર્મથી મહેલ બાંધનારની જેમ ઉદ્ધર્વગતિને પામે છે. કર્મના બંધનું કારણ એવી પ્રાણીની હિંસા કદિ પણ કરવી નહીં. હમેશાં પોતાના પ્રાણની જેમ બીજાના પ્રાણની રક્ષામાં તત્પર રહેવું. આત્મપીડાની જેમ પર જીવની પીડાને પરિહરવાને ઇચ્છતા પ્રાણીઓ અસત્ય નહિ બોલતાં સત્ય જ બોલવું. માણસના બહિઃપ્રાણુ લેવા જેવું અદત્ત દ્રવ્ય કદિ પણ લેવું નહીં, કારણ કે તેનું દ્રવ્ય હરવાથી તેને વધ કરેલ જ કહેવાય છે. ઘણું જીવોનું ઉપમર્દન કરનારૂં મૈથુન કદિ પણ સેવવું નહીં. પ્રાણ પુરૂ પરબ્રહ્મ (મોક્ષ)ને આપનારૂ બ્રહ્મચર્યજ ધારણ કરવું. પરિગ્રહ ધારણ કરવો નહીં. ઘણું પરિગ્રહને લીધે અધિક ભારથી બળદની જેમ પ્રાણ વિધુર થઈને અર્ધગતિમાં પડે છે. આ પ્રાણાતિપાત વિગેરેના બે ભેદ છે. તેમાંથી સૂક્ષ્મને જે છોડી શકાય નહીં તે પછી સૂક્ષ્મના ત્યાગમાં અનુરાગી થઈ બાદરને ત્યાગ તો જરૂર કરો.” આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી સર્વ લોકે આનંદમાં મગ્ન થઈ ચિત્રવત્ સ્થિર થઈ ગયા. એ અરસામાં મગધ દેશમાં આવેલા ગબર નામના ગામમાં વસુભૂતિ નામે એક ગૌતમ ગોત્રી બ્રાહ્મણ રહેતું હતું. તેને પૃથ્વી નામની સ્ત્રીથી ત્રિભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે ત્રણ ગૌતમગાત્રી પુત્ર થયા હતા. કલ્લાક ગામમાં ધનુમિત્ર અને સ્મિલ્લ નામે બે બ્રાહ્મણે હતા, તેઓને વારૂણું અને ભદિલા નામની સ્ત્રીઓથી વ્યક્ત અને સુધર્મા નામે બે પુત્રો હતા. મૌર્ય ગામમાં ધનદેવ અને મૌર્ય નામે બે વિપ્ર હતા, તેઓ પરસ્પર માસીના દીકરા ભાઈ થતા હતા. ધનદેવને વિજયદેવી નામની પત્નીથી મંડિક નામે એક પુત્ર થયો હતો. તેને જન્મ થતાંજ ધનદેવ મૃત્યુ પામી ગયો. ત્યાંના લોકાચાર પ્રમાણે સ્ત્રી વગરને મૌર્ય વિજયદેવીની સાથે પરણ્ય. “દેશાચાર લજજાને માટે તે નથી.” અનુક્રમે મૌર્યથી તે વિજયદેવીને એક પુત્ર થયો તે લોકોમાં મૌર્યપુત્ર એવા નામથી પ્રખ્યાત થયે હતો. તેમજ વિમળાપુરીમાં દેવ નામના બ્રાહ્મણને જયંતી નામની સ્ત્રીથી અકંપિત નામે એક પુત્ર થયે હતો. કેશલાનગરીમાં વસુ નામના બ્રાહ્મણને નંદા નામની સ્ત્રીના ઉદરથી અચલબ્રાના નામે એક પુત્ર થયો હતો. વત્સ દેશમાં આવેલા તુગિર નામના ગામમાં દત્ત નામના બ્રાહ્મણને કરૂણુ નામની સ્ત્રીથી તૈતર્યા નામે પુત્ર Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પ ૧૦ મું થયું હતું. રાજગૃહ નગરમાં બેલ નામના બ્રાહ્મણને અતિભદ્રા નામની જીથી પ્રભાસ નામે પુત્ર થયે હતો. તે અગ્યારે વિપ્રકુમાર ચાર વેદરૂપી સાગરના પારગામી થયા હતા અને ગૌતમાદિક ઉપાધ્યાય થઈને જુદા જુદા સેંકડો શિષ્યોથી પરવરેલા રહેતા હતા. અપાપા નગરીમાં સોમિલ નામના એક ધનાઢ્ય બ્રાહ્મણે યજ્ઞકર્મમાં વિચક્ષણ એવા તે અગ્યારે દ્વિજોને યજ્ઞ કરવાને બોલાવ્યા હતા. તે સમયે ત્યાં સમવસરેલા શ્રી વીરપ્રભુન વાંદવાની ઈચ્છાથી આવતા દેવતાઓને જોઈ ગૌતમે બીજા બ્રાહ્મણને કહ્યું, “આ યજ્ઞ પ્રભાવ તે જુઓ ! આપણે મંત્રથી બોલાવેલા આ દેવતાઓ પ્રત્યક્ષ થઈને અહિં યજ્ઞમાં આવે છે. તે વખતે ચંડાળના ગૃહની જેમ યજ્ઞને વાડો છેડીને દેવતાઓને સમવસરણમાં જતાં જોઈ લેકો કહેવા લાગ્યા-“હે નગરજનો! અતિશય સહિત સર્વજ્ઞા પ્રભુ ઉદ્યાનમાં સમવસર્યા છે, તેમને વાંદવાને માટે આ દેવતાઓ હર્ષથી જાય છે.' સર્વજ્ઞ” એવા અક્ષરે સાંભળતાં જ જાણે કોઈ એ આદેશ કર્યો હોય તેમ ઇંદ્રભૂતિ કેપ કરી પોતાના સ્વજન પ્રત્યે બે-“અરે! ધિક્કાર ! ધિક્કાર ! મરૂ દેશના માણસ જેમ આંબાને છેડી કેરડા પાસે જાય તેમ આ લોકો મને છોડીને એ પાખંડીની પાસે જાય છે. શું મારી આગળ કોઈ બીજે સર્વજ્ઞ છે? સિંહની આગળ બીજે કઈ પરાક્રમી હોયજ નહી. કદિ મનુષ્યો તો મૂર્ખ હોવાથી તેની પાસે જાય, તો ભલે જાઓ, પણ આ દેવતાઓ કેમ જાય છે ? તેથી તે પાખંડીને દંભ કોઈ મહાન લાગે છે, પરંતુ જે એ સર્વજ્ઞ હશે તેવાજ આ દેવતાઓ પણ જણાય છે, કેમકે જે યક્ષ હેય તેજ અલિ અપાય છે. હવે આ દેવે અને માનવોના દેખતાં હું તેના સર્વજ્ઞપણાનો ગર્વ હરી લઉં.' આ પ્રમાણે અહંકારથી બોલતે ગૌતમ પાંચસે શિષ્યાથી પરવાર્યો છે જ્યાં શ્રી વીરપ્રભુ સુરનરોથી વીંટાઈને બેઠા હતા ત્યાં સમવસરણમાં આવ્યો. પ્રભુની સમૃદ્ધિ અને તાદશ તેજ જઈ “આ શું?” એમ ઇન્દ્રભૂતિ આશ્ચર્ય પામી ગયો. એવામાં તો “હે ગૌતમ! ઇંદ્રભૂતિ ! તમને સ્વાગત છે. આ પ્રમાણે જગદ્ગુરૂએ અમૃત જેવી મધુર વાણીવડે કહ્યું. તે સાંભળી ગૌતમ વિચારમાં પડશે કે, “શું આ મારા ગોત્ર અને નામને પણ જાણે છે? અથવા મારા જેવા જગત્મસિદ્ધ માણસને કણ ન જાણે, પણ જે મારા હૃદયમાં રહેલા સંશયને તે જણાવે અને તેને પિતાની જ્ઞાનસંપત્તિવડે છેદી નાખે તો તે ખરા આશ્ચર્યકારી છે એમ હું માનું.” આ પ્રમાણે હૃદયમાં વિચાર કરતા એવા સંશયધારી ઇંદ્રભૂતિને પ્રભુએ કહ્યું કે, “હે વિપ્રજીવ છે કે નહી? એ તારા હદયમાં સંશય છે, પણ હે ગૌતમ! છવ છે, તે ચિત્ત, ચિતન્ય, વિજ્ઞાન અને સંજ્ઞા વિગેરે લક્ષણેથી જાણી શકાય છે. જે જીવ ન હોય તે પુણ્ય પાપનું પાત્ર કોણ? અને તારે આ યાગ, દાન વિગેરે કરવાનું નિમિત્ત પણ શું?’ આ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળી તેણે મિથ્યાત્વની સાથે સંદેહને છોડી દીધે અને પ્રભુના ચરણમાં નમસ્કાર કરીને બોલ્યો કે, “હે સ્વામી! ઉંચા વૃક્ષનું માપ લેવાને નીચા પુરૂષની જેમ હું દુબુદ્ધિ તમારી પરીક્ષા લેવાને માટે અહિં આવ્યું હતું. હે નાથ ! Page #107 -------------------------------------------------------------------------- ________________ સગ પ મ ] મહાવીર સ્વામીને કેવલજ્ઞાન અને સંઘની સ્થાપના . (૩ હું દેષયુક્ત છું, તે છતાં તમે આજે મને સારી રીતે પ્રતિબધ આપે છે તે હવે સંસારથી વિરક્ત થયેલા એવા મને દીક્ષા આપીને અનુગ્રહિત કરે.' જગદ્ગુરૂ વિરપ્રભુએ તેને પિતાના પહેલા ગણધર થશે, એવું જાણીને પાંચસો શિષ્યો સાથે પોતેજ દીક્ષા આપી. તે સમયે કુબેરે ચારિત્રયમના ઉપકરણે લાવી આપ્યા. નિઃસંગ છતાં તેને ગ્રહણ કરતાં ગૌતમે વિચાર્યું કે, “નિરવ વ્રતની રક્ષા કરવામાં આ વાપાત્રાદિક ઉપયોગમાં આવે છે તેથી તે ગ્રહણ કરવા એગ્ય છે, કારણ કે તે ધર્મના ઉપકરણો છે. તે વગર છ પ્રકારના જવનિકાયની યતના કરવામાં તત્પર એવા છઘસ્થ મુનિએથી સારી રીતે જીવદયા શી રીતે પાળી શકાય? તેથી ઉદ્ગમ ઉત્પાદાદિક એષણવડે ગુણવાનું અને શુદ્ધ ઉપગરણે વિવેકી પુરૂષેએ અહિંસાને માટે ગ્રહણ કરવા જોઈએ. જ્ઞાન, દર્શન અને ચારિત્રને આચરવાની શક્તિવાળા પુરૂષ આદિ અંત અને મધ્યમાં મૂઢપણે સમયમાં કહેલા અથવા અવસર ઉચિત અર્થને સાધી લેવો. જ્ઞાન દર્શનથી રહિત એ જ અભિમાની પુરૂષ, આવા ઉપકરણમાં પરિગ્રહની શંકા કરે તેનેજ હિંસક જાણ. જે ધર્મના ઉપકરણમાં પરિગ્રહની બુદ્ધિ ધારણ કરે, તે તત્વને નહિ જાણનાર મૂર્ખને જ રાજી કરવાને ઈરછે છે. પૃથ્વીકાય, અપૂકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય વિગેરે ઘણું જીવોની ધર્મના ઉપકરણ વિના શી રીતે રક્ષા થાય? ઉપકરણે ગ્રહણ કર્યા છતાં પણ જે તે પોતાના આત્માને મન વચન કાયાથી દૂષિત અને અસંતોષી રાખે તો તે કેવળ પોતાના આત્માને છેતરે છે.” આ પ્રમાણે વિચાર કરીને ઇંદ્રભૂતિએ પાંચસો શિષ્યની સાથે દેવતાઓએ અર્પણ કરેલા ધર્મના ઉપકરણે ગ્રહણ કર્યા. - ઇન્દ્રભૂતિને દીક્ષિત થયેલા સાંભળીને અગ્નિભૂતિએ વિચાર્યું કે, “તે ઇંદ્રજાળિકે જરૂર ઈંદ્રભૂતિને છેતરી લીધા જણાય છે, માટે હું ત્યાં જઈ સર્વજ્ઞ નહિ છતાં પિતાને સર્વજ્ઞ માનનારા તે ધુતારાને જીતી લઉં અને માયાથી પરાજય કરેલા મારા ભાઈને પાછા લઈ આવું. સર્વ શાસના રહસ્યને જાણનાર અને મોટી બુદ્ધિવાળા ઈંદ્રભૂતિને માયા વગર છતવાને કોણ સમર્થ છે? કારણ કે માયા રહિત પુરૂષમાં માયા વિજય મેળવે છે, પરંતુ જે એ માયાવી મારા હૃદયને સંશય જાણીને તેને છેદી નાખે તે હું પણ ઈંદ્રભૂતિની જેમ શિષ્યો સહિત તેને શિષ્ય થાઉં.” આવું વિચારી અગ્નિભૂતિ પાંચસો શિષ્યો સહિત સમવસરણમાં ગયો અને જિનેશ્વરની પાસે બેઠો. તેને જોતાંજ પ્રભુ બેલ્યા કે –“હે ગૌતમ ગોત્રી અમિભૂતિ ! તારા હદયમાં એ સંશય છે કે, કમ છે કે નહિ? અને જે કમ હોય તે તે પ્રત્યક્ષાદિ પ્રમાણને અગમ્ય છતાં મૂર્તિમાન છે, એવા કર્મને અમૂત્તિમાન જીવ શી રીતે બાંધી શકે? અમૂત્તિમાન જીવને મૂત્તિવાળા કમથી ઉપઘાત અને અનુગ્રહ શી ૧ આહારાદિ કંઈ પણ વસ્તુ ગ્રહણ કરવા માટે મુનિરાજને ૪૨ દેષ રહિત લેવાનું કહેલું છે. તેના ઉદ્દગમ ઉપાદાદિ જુદા જુદા ભેદે છે. ૨ સમય-સિહાંત. Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિષ િશલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ મું રીતે થાય? આ તારા હદયમાં જે સંશય છે, તે વૃથા છે. કારણ કે અતિશય જ્ઞાની પુરૂષોને કર્મ પ્રત્યક્ષ જ જણાય છે અને તારા જેવા છઘસ્થ પુરૂષોને જીવની વિચિત્રતા જેવાથી અનુમાન વડે કમ જણાય છે. કર્મની વિચિત્રતાથી જ પ્રાણીઓને સુખ દુઃખ વિગેરે વિચિત્ર ભાવ પ્રાપ્ત થયા કરે છે, તેથી કમ છે. એ તું નિશ્ચય રાખ. કેટલાક જીવ રાજા થાય છે અને કેટલાક હાથી, અશ્વ અને રથના વાહનપણાને પામે છે. તેમ જ કેટલાક તેની પાસે ઉપાનહ વગર પગે ચાલનારા થાય છે. કોઈક હજારો પ્રાણીના ઉદર ભરનારા મહદ્ધિક પુરૂષો થાય છે અને કેઈ ભિક્ષા માગીને પણ પોતાનું ઉદર ભરી શકતા નથી. દેશ કાળ એક સરખા છતાં એક વ્યાપારીને ઘણો લાભ થાય છે અને બીજાની મૂળ મુંડીને પણ નાશ થાય છે. આવા કાર્યોનું કારણ તે કર્મ છે, કેમકે કારણ વિના કાર્યની વિચિત્રતા થતી નથી. મૂર્તિમાન કર્મને અમૂર્તિમાન જીવની સાથે જે સંગમ છે તે પણ આકાશ અને ઘડાની જેમ બરાબર મળતે છે. વળી વિવિધ જાતિના માંથી અને ઔષધોથી અભૂત્ત એવા જીવને પણ ઉપઘાત અને અનુગ્રહ થાય છે, તે પ્રમાણે કર્મોવડે જીવને ઉપઘાત અને અનુગ્રહ થાય છે તે પણ નિર્દોષ છે. આ પ્રમાણે પ્રભુએ તેના સંશય છેદી નાખે, એટલે અગ્નિભૂતિએ ઈર્ષા છોડી દઈને પાંચસો શિષ્યોની સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. અગ્નિભૂતિએ પણ દીક્ષા લીધી, તે વાત સાંભળી વાયુભૂતિએ વિચાર્યું કે, “જેણે મારા બંને ભાઈઓને જીતી લીધા તે ખરેખરા સર્વજ્ઞ જ હોવા જોઈએ, માટે તે ભગવંતની પાસે જઈ તેમને વંદના કરીને મારું પાપ ધોઈ નાંખું, તેમ જ હું પણ મારો સંશય છેદાવી નાંખું.આ પ્રમાણે વિચાર કરી વાયુભૂતિ પ્રભુની પાસે આવ્યા અને પ્રણામ કરી બેઠે. તેને જોઈને પ્રભુ બોલ્યા કે,–“હે વાયુભૂતિ! તને જીવ અને શરીર વિષે મોટે ભ્રમ છે. પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે ગ્રહણ થતો ન હોવાથી જીવ શરીરથી જુદે લાગતો નથી, તેથી જળમાં પરપોટાની જેમ જીવ શરીરમાંથી જ ઉત્પન્ન થઈને શરીરમાં જ મૂછ પામે છે. આવો તારો આશય છે, પણ તે મિથ્યા છે. કારણ કે સર્વ પ્રાણીઓને એ જીવ દેશથી તો પ્રત્યક્ષ છે, કારણ કે તેના ઇરછા વિગેરે ગુણે પ્રત્યક્ષ હોવાથી જીવ સ્વસંવિદ્ છે; એટલે કે તેને પોતાને જ અનુભવ થાય છે. તે જીવ દેહ અને ઇન્દ્રિયોથી જદે છે અને ઇંદ્રિ જ્યારે નાશ પામે છે ત્યારે પણ તે ઇંદ્રિયોએ પ્રથમ ભોગવેલા અને સંભારે છે.” આવી પ્રભુની વાણીથી પિતાને સંશય દાતાં વાયુભૂતિએ સંસારથી વિમુખ થઈ પાંચ શિષ્યોની સાથે દીક્ષા લીધી. પછી વ્યક્ત સ્પષ્ટતાથી વિચાર્યું કે, “ખરેખર એ સર્વજ્ઞ ભગવાન જ છે કે જેણે ત્રણ વેદની જેમ ઇંદ્રભૂતિ વિગેરે ત્રણેને જીતી લીધા છે. એ ભગવંત મારે સંશય પણ જરૂર છેદી નાખશે, અને પછી હું પણ તેમને શિષ્ય થઈશ.” આ વિચાર કરી વ્યક્ત પ્રભુ પાસે આવ્યો. તેને જોઈ પ્રભુ બોલ્યા- “હે વ્યક્ત ! તારા ચિત્તમાં એવો સંશય છે કે, Page #109 -------------------------------------------------------------------------- ________________ સર્ગ પ મ ] મહાવીર સ્વામીને કેવલજ્ઞાન અને સંઘની સ્થાપના [ લ્પ પૃથિવી આદિ પંચ ભૂતો છે જ નહીં, તેની જે આ પ્રતીતિ થાય છે, તે ભ્રમથી જલચંદ્રાવત છે. આ બધું શુન્ય જ છે–આ તારે દઢ આશય છે. પણ તે મિથ્યા છે, કારણ કે જે સર્વશૂન્યતાને પક્ષ લઈએ, તે પછી ભુવનમાં વિખ્યાત થયેલા સ્વપ્ન, અસ્વપ્ન, ગંધર્વપુર વિગેરે ભેદો થવા જ ઘટે નહીં.” આ પ્રમાણે સાંભળી વ્યકિતને સંશય છેદાઈ ગયો, તેથી તેણે વ્યક્ત વાસના બતાવીને પાંચસો શિષ્યોની સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. આ ખબર સાંભળીને ઉપાધ્યાય સુધર્મા પણ પિતાને સંશય છેદવાની ઈચ્છાથી કાલેકનું સ્વરૂપ જોવામાં સૂર્ય જેવા શ્રી વીરપ્રભુ પાસે આવ્યો. તેને જોઈ પ્રભુએ કહ્યું, “હે સુધર્મા ! તારી બુદ્ધિમાં એવો વિચાર વત્તે છે કે, આ જીવ જે આ ભવમાં છે, તે જ પરભવમાં થાય છે, કેમકે સંસારમાં કારણને મળતું જ કાર્ય થાય છે. શાળિબીજ વાવતાં તેમાંથી કાંઈ વાંકુર થતા નથી. પણ આ તારો વિચાર છે અને અઘટિત છે; કેમકે આ સંસારમાં જે મનુષ્ય મૃદુતા અને સરલતાદિકવડે માનુષી આયુષ્ય બાંધે છે તે ફરીને પણ મનુષ્ય થાય છે, પણ જે માયા વિગેરે રચતે અહી પશુરૂપે રહે છે, તે મનુષ્ય આગામી વે પશુ થાય છે. તેથી જીવની પૃથફ પૃથફ ગતિમાં ઉત્પત્તિ કર્મને આધીન છે અને તેથી જ પ્રાણીઓનું વિવિધપણું દેખાય છે. વળી “કારણને મળતું જ કાર્ય થાય છે? એમ કહેવું તે પણ અસંગત છે. કારણ કે શૃંગ વિગેરમાંથી શર પ્રમુખ ઉગી નીકળે છે.” આવી પ્રભુની વાણી સાંભળી સુધર્માએ પાંચસો શિષ્ય સહિત પ્રભુના ચરણકમળમાં દીક્ષા લીધી. પછી પિતાને સંશય છેદવને મંડિક પ્રભુની પાસે આવ્યો. તેને પ્રભુએ કહ્યું કે, તને બંધ અને મોક્ષ વિષે સંશય છે, પણ બંધ અને મેક્ષ આત્માને થાય છે એ વાત પ્રસિદ્ધ છે. મિથ્યાત્વાદિવડે કરેલે કમને જે સંબંધ, તે બંધ કહેવાય છે. તે બંધને લીધે પ્રાણી દેરી સાથે બંધાયો હોય તેમ નરક, તિયચ, મનુષ્ય અને દેવતારૂપ ચાર ગતિમાં પરિભ્રમણ કરતો છત પરમ દારૂણ દુઃખનો અનુભવ કરે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રમુખ હેતુથી જે કમને વિયોગ તે મેક્ષ કહેવાય છે, તે પ્રાણીને અનંત સુખ આપે છે. જે કે જીવ અને કર્મને પરસ્પર સંયોગ અનાદિ સિદ્ધ છે, પણ અગ્નિથી સુવર્ણ અને પાષાણ જુદા પડી જાય છે તેમ જ્ઞાનાદિકથી જીવ અને કર્મનો વિયોગ થઈ જાય છે.” આવા પ્રભુનાં વચનથી જેને સંશય છેદાઈ ગયો છે એવા તે મંડિકે સાડાત્રણ શિખ્યોની સાથે વ્રત ગ્રહણ કર્યું. પછી મૌર્યપુત્ર પિતાને સંદેહ છેદવાને માટે પ્રભુ પાસે આવ્યા. પ્રભુ બોલ્યા-મૌર્યપુત્ર! તને દેવતાઓને વિષે સંદેહ છે, પણ તે મિસ્યા છે. જે, આ સમવસરણમાં પિતાની મેળે આવેલા ઇંદ્રાદિક દેવતાઓ પ્રત્યક્ષ છે, શેષ કાળમાં સંગીત કાર્યાદિની વ્યગ્રતાથી અને મનુષ્ય લોકના દુસહ ગંધથી તેઓ અહીં આવતા નથી પણ તેથી કાંઈ તેમને અભાવ સમજે નહીં. તેઓ અહંતના જન્મઅભિષેક વિગેરે અનેક પ્રસંગે આ પૃથ્વી પર આવે છે. તેનું કારણ શ્રીમત્ અરિહંતને અતિ શ્રેષ્ઠ પ્રભાવ છે.” Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું આ પ્રમાણેની ભગવંતની વાણીથી મૌર્યપુત્ર પણ તત્કાળ પ્રતિબંધ પામે અને પિતાના ૩૫૦ શિષ્ય સહીત તેણે દીક્ષા લીધી. પછી અકંપિત પણ પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ કહ્યું કે-“નજરે દેખાતા ન હોવાથી નારકી નથી એમ તારી બુદ્ધિ છે, પણ નારકી જીવો છે, પરંતુ અત્યંત પરવશપણાથી તેઓ અહીં આવવાને સમર્થ નથી. તેમજ તારી જેવા મનુષ્યો ત્યાં જવાને સમર્થ નથી. નારકી જો તારી જેવાને પ્રત્યક્ષ ઉપલભ્ય નથી. છતાસ્થ જીવને તે યુક્તિગમ્ય છે અને જે ક્ષાયિક જ્ઞાનીઓ છે તેઓને તે પ્રત્યક્ષ દેખાય છે. વળી “આ લેકમાં કોઈ ક્ષાયિક જ્ઞાનીજ નથી” એવું પણ તું બોલીશ નહીં, કારણ કે તે શંકાને વ્યભિચાર મારાથી જ ફુટ રીતે થાય છે. (અર્થાત હું જ ક્ષાયિક જ્ઞાની છું.)” પ્રભુનાં આવાં વચન સાંભળી સંશય નષ્ટ થવાથી અકપિતે પ્રતિબંધ પામી ત્રણ શિષ્ય સાથે પ્રભુની પાસે દીક્ષા લીધી. પછી અચળભ્રાતા આવ્યો. પ્રભુએ તેને સ્કુટ રીતે કહ્યું, “અચળજાતા! તને પુણ્ય અને પાપમાં સંદેહ છે, પણ તું તેમાં જરા પણ સંશય કરીશ નહીં. કારણ કે આ લોકમાં પુણ્ય પાપનું ફળ પ્રત્યક્ષ જણાય છે, તેમજ વ્યવહારથી પણ સિદ્ધ થાય છે. દીર્ઘ આયુષ્ય, લક્ષમી, રૂપ, આરોગ્ય અને સકુળમાં જન્મ–એ પુણ્યનાં ફળ છે, અને તેથી વિપરીત એ પાપનાં ફળ છે.” આ પ્રમાણે પ્રભુનાં વચનથી સંશય છેદાઈ જતાં અચળભ્રાતાએ ત્રણસો શિષ્યોની સાથે દીક્ષા લીધી. પછી મેતાર્યા નામે દ્વિજ પ્રભુની પાસે આવ્યો. પ્રભુ બેલ્યા- “તને એ સંશય છે કે, “ભવાંતરમાં પ્રાપ્ત થવા રૂપ પરલોક નથી. કારણ કે ચિદાત્મારૂપ જીવનું સ્વરૂપ બધા ભૂતના એક સંદેહરૂપ છે. તે ભૂતનો અભાવ થતાં-વિખરાઈ જતાં જીવન પણ અભાવ થાય તો પછી પરલોક શી રીતે હોય?” પણ તે મિથ્યા છે. જીવની સ્થિતિ સર્વ ભૂતથી જુદી જ છે. કેમકે બધા ભૂત એકત્ર થાય તો પણ તેમાંથી કાંઈ ચેતના ઉત્પન્ન થતી નથી, તેથી ચેતના જે જીવનો ધર્મ છે, તે ભૂતથી જુદી છે. તે ચેતનાવાળે જીવ પરલોકમાં જાય છે અને ત્યાં પણ તેને જાતિસ્મરણ વિગેરેથી પૂર્વ ભવનું સ્મરણ થાય છે.” આ પ્રમાણે પ્રભુનાં વચનથી પ્રતિબંધ પામી મેતાયે ત્રણસો શિષ્યની સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યાર પછી પ્રભાસ આવ્યું. તેને જોઈ પ્રભુ બોલ્યા- “પ્રભાસ! “મોક્ષ છે કે નહીં?” એ તને સંદેહ છે, પણ તે વિષે જરા પણ સંદેહ રાખીશ નહીં. કર્મને ક્ષય તે મિક્ષ છે. વેદથી અને જીવની અવસ્થાના વિચિત્રપણાથી કર્મ સિદ્ધ થયેલું છે. શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી કર્મને ક્ષય થાય છે, તેથી અતિશય જ્ઞાનવાળા પુરૂષને મેક્ષ પ્રત્યક્ષ પણ થાય છે.” સ્વામીનાં આવાં વચનથી પ્રતિબધ પામી પ્રભાસે પણ ત્રણસો શિષ્યોની સાથે દીક્ષા લીધી. Page #111 -------------------------------------------------------------------------- ________________ સગ ૫ મો] મહાવીર સ્વામીને કેવલજ્ઞાન અને સંઘની સ્થાપના [છ આ પ્રમાણે મહાન્ કુળમાં ઉત્પન્ન થયેલા, મહા પ્રાજ્ઞ, સંવેગ પામેલા અને વિશ્વને વંદિત એવા તે અગ્યાર પ્રસિદ્ધ વિદ્વાને શ્રી વીરપ્રભુના મૂળ શિષ્યો થયા. આ સમયે શતાનિક રાજાને ઘેર રહેલી ચંદનાએ આકાશ માર્ગે જતા આવતા દેવતાઓને જેયા. તેથી પ્રભુને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થયાને નિશ્ચય થતાં તેને વ્રત લેવાની ઈરછા થઈ. પછી નજીક રહેલા કોઈ દેવતાએ તેને શ્રી વીરપ્રભુની પર્ષદામાં લાવીને મૂકી. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી નમીને તે દીક્ષા લેવાને તત્પર થઈ છતી ઉભી રહી. તે વખતે બીજી પણ અનેક રાજા તથા અમાત્યની પુત્રીઓ દીક્ષા લેવા માટે તૈયાર થઈ. પ્રભુએ ચંદનાને આગળ કરીને તે સર્વેને દીક્ષા આપી અને હજારે નરનારીઓને શ્રાવકપણામાં સ્થાપિત કર્યા. એવી રીતે ચતુર્વિધ સંઘની સ્થાપના થયા પછી પ્રભુએ ઈદ્રભૂતિ વિગેરેને ધ્રૌવ્ય, ઉત્પાદક અને વ્યયાત્મક ત્રિપદી કહી સંભળાવી. તે ત્રિપદીવડે તેમણે આચારાંગ, સૂત્રકૃતાંગ, ઠાણુગ, સમવાયાંગ, ભગવતી અંગ, જ્ઞાતાધર્મકથા, ઉપાસક, અંતકૃત, અનુત્તરપપાતિક દશા, પ્રશ્ન વ્યાકરણ, વિપાશ્રુત અને દૃષ્ટિવાદ-એ પ્રમાણે બાર અંગે રચ્યા. અને દષ્ટિવાદની અંદર ચૌદ પૂર્વે પણ રચ્યા. તેના નામ આ પ્રમાણે-ઉતપાદ, આગ્રાયણીય, વીર્યપ્રવાદ, અસ્તિનાસ્તિકવાદ, જ્ઞાનપ્રવાદ સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિધારવાદ, કલ્યાણ, પ્રાણવાય, ક્રિયાવિશાળ અને લેકબિંસાર-આ પ્રમાણેના ચૌદ પૂર્વે ગણધરોએ અંગેની પૂર્વે રચ્યા તેથી તે પૂર્વ કહેવાય છે. એવી રીતે રચતાં સાત ગણધરોની સૂત્રવાંચના પરસ્પર જુદી જુદી થઈ અને અકંપિત તથા અચળબાતાની તેમજ મેતાર્ય અને પ્રભાસની પરસ્પર સરખી વાંચના. થઈ. શ્રી વીરપ્રભુના અગ્યાર ગણધરો છતાં તેઓમાં બે બેની વાંચના સરખી થવાથી ગણ નવ થયા. પછી સમયને જાણનાર ઈન્દ્ર તત્કાળ સુધી રત્નચૂર્ણથી પૂર્ણ એવું પાત્ર લઈ ઉઠીને પ્રભુ પાસે ઉભા રહ્યા. એટલે ઇન્દ્રભૂતિ વિગેરે પણ પ્રભુની અનુજ્ઞા લેવાને માટે જરા મસ્તક નમાવી અનુક્રમે પરિપાટીથી ઉભા રહ્યા. પછી “ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી તમને તીર્થની અનુજ્ઞા છે” એમ બોલતા પ્રભુએ પ્રથમ ઈંદ્રભૂતિ-ગૌતમના મસ્તક ઉપર તે ચૂર્ણ નાંખ્યું. પછી અનુક્રમે બીજાઓના મસ્તક પર ચૂર્ણ નાંખ્યું. એટલે દેવતાઓએ પ્રસન્ન થઈને ચૂર્ણ અને પુષ્પની અગ્યારે ગણધરો ઉપર વૃષ્ટિ કરી. “આ ચિરંજીવી થઈ ધર્મનો ચિરકાળ સુધી ઉધત કરશે” એમ કહીને પ્રભુએ સુધર્મા ગણધરને સર્વ મુનિઓમાં મુખ્ય કરી ગણની અનુજ્ઞા આપી. પછી સાધ્વીઓમાં સંયમના ઉદ્યોગની ઘટનાને માટે પ્રભુએ તે સમયે ચંદનાને પ્રવત્તિની પદે સ્થાપિત કરી. ૧. મુનિ સમુદાય. ૨. ઘણા વર્ષ જીવી. D 13 Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮] ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પ ૧૦ મું આ પ્રમાણે પ્રથમ પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે પ્રભુએ દેશના સમાપ્ત કરી. એટલે રાજાએ તૈયાર કરાવેલ બળી પૂર્વ દ્વારથી સેવક પુરૂષે લાવ્યા. તે બળી આકાશમાં ઉડાડતાં તેમાંથી અર્ધ બળી આકાશમાંથીજ દેવતાઓ લઈ ગયા, અને અર્ધ ભૂમિપર પડયો, તેમાંથી અર્ધ ભાગ રાજા અને બાકીનો ભાગ બીજા લોકો લઈ ગયા. પછી પ્રભુ સિંહાસન પરથી ઉઠી દેવજીંદામાં જઈને બેઠા એટલે ગૌતમ ગણધરે પ્રભુના ચરણપીઠ ઉપર બેસીને દેશના આપી. બીજી પૌરૂષી પૂર્ણ થતાં વૃષ્ટિથી નવીન મેઘની જેમ ગૌતમ પણ દેશનાથી વિરામ પામ્યા. સર્વ વિશ્વને ઉપકાર કરવામાં તત્પર અને સુરઅસુર તથા રાજાઓ જેના ચરણકમળને સેવી રહ્યા છે એવા શ્રી વીરપ્રભુ કેટલાક દિવસ સુધી ત્યાં રહી લોકોને પ્રતિબંધ કરી ત્યાંથી અન્યત્ર પૃથ્વી પર વિહાર કરતા હતા. इत्याचार्य श्री हेमचंद्रसूरि विरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये दशमपर्वणि श्री महावीर केवळज्ञान चतुर्विध संघोत्पत्ति वर्णनो નામ ઉનઃ સઃ | વર્ગ ૬ હું G શ્રેણિક રાજાને સમકિતને લાભ અને મેઘકુમાર તથા ** *નંદીષેણની દીક્ષા ************* ***** આ ભરતક્ષેત્રમાં કુશાગ્રપુર નામના નગરમાં કુશાગ્ર બુદ્ધિવાળો પ્રસેનજિત નામે રાજા હતો. સર્વ દિશાઓને અલંકૃત કરતો તેનો અપાર કીર્તિસાગર શત્રુઓની કીર્તાિરૂપ સરિતાનો ગ્રાસ કરતો હતો. તેને સૈન્યને સંગ્રહ માત્ર રાજની શોભાને માટે હતું, કારણ કે તેના વૈરીરૂપ વાઘ તો તેના પ્રતાપરૂપ અગ્નિથી જ નાશ પામ્યા હતા. વાયુ પર્વતથી અને વજ સમુદ્રથી ખલિત થાય પણ તેની આજ્ઞા પૃથ્વી પર કોઈનાથી ખ્ખલિત થતી નહોતી. તે હાથ લાંબા કરનારા બધા યાચકેને દ્રવ્ય આપતે પણ જાણે તેમની સાથે સ્પર્ધા હોય તેમ તે તેઓને આપતાં પિતાના હાથને સંકેચાવત નહી. રણભૂમિમાં ઉડેલા રજથી અંધકાર થતાં વિજયલક્ષમીઓ અભિસારિકા થઈ પિતપોતાના પતિઓને છેડી તે રાજાને જ સર્વ અંગે આલિંગન કરતી હતી. સદાચારીમાં શિરોમણિ એવા એ રાજાના શુદ્ધ હૃદયમાં ઘાટા કેશપાસમાં અધિવાસની જેમ જિનધર્મ સ્થિર રહેલો હતો. શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસન Page #113 -------------------------------------------------------------------------- ________________ સગ દ ડ્રો] શ્રેણિકને સમકિત, મેઘકુમાર, નરીષેણને દીક્ષા [૯૯ રૂપ કમળમાં ભ્રમર જે તે સમ્યગદર્શનથી પુણ્યાત્મા થઈ અણુવ્રતધારી થયે હતો. રાજશિરોમણિ પ્રસેનજિતું રાજાને ઈંદ્રને દેવીઓની જેમ વિવાહિત રાજકન્યાઓવડે માટે અંતઃ પુર હતું. પૃથ્વી પર રાજ્ય કરતા એવા તે ઈદ્ર સમાન રાજાને જાણે તેની બીજી મૂતિએ હોય તેવા ઘણા પુત્રે પણ થયા હતા. આ અરસામાં ભરતક્ષેત્રને વિષે વસંતપુર નામના નગરમાં જિતશત્રુ નામે યથાર્થ નામવાળો રાજા હતો. તેને પૃથ્વી પર ઉતરેલી દેવી હોય તેવી ગુણરત્નની ખાણ અમરસુંદરી નામે પટરાણી હતી. તે દંપતિને સુમંગી નામે એક પુત્ર થયા હતા, જે મંગળનું નિવાસસ્થાન, રૂપમાં કંદર્પ જે અને કળાનિધિ ચંદ્ર જે હતો. એક નામે મંત્રીપુત્ર તેને મિત્ર હતો. તે શારીરિક સર્વ કુલક્ષણના પ્રથમ દૃષ્ટાંતરૂપ હતું. તેના કેશ પીળા હતા, તેથી જેના શિખરમાં દાવાનળ લાગે ય તેવા પર્વતની જે તે દેખાતું હતું. યુવડની જેમ તે નાકે ચિ હતું, માજર જેવા તેના પિંગ નેત્ર હતા, ઉંટના જેવી તેની લાંબી ડેક અને લાંબા હેઠ હતા, ઉંદરની જેવા નાના કાન હતા, કંદના અંકુર જેવી દાંતની પંક્તિ મુખની બહાર નીકળેલી હતી, જલદરવાળાની જેવું તેનું પેટ હતું, ગામના ડુક્કર જેવા ટુંકા સાથળ હતા, મંડળસ્થાનવત આસન વાળ્યું હોય તેવી વાંકી જંઘા હતી અને સુપડાના જેવા તેના પગ હતા. એ વરાક દુરાચારી જ્યાં જ્યાં ફરતે ત્યાં ત્યાં હાસ્યનું જ એકછત્ર રાજ્ય થતું હતું. જ્યારે જ્યારે એ સેનક દૂરથી આવતા હોય ત્યારે ત્યારે રાજપુત્ર સુમંગળ તેનું વિકૃતરૂપ જોઈને હસતે હતે. આ પ્રમાણે રાત્રિદિવસ રાજપુત્ર તેનું ઉપહાસ્ય કરતે તેથી તેને છેવટ અપમાનરૂપ વૃક્ષનાં મહાફળરૂ૫ વરાગ્ય ઉત્પન્ન થયા અને વૈરાગ્ય થતાંજ એ મંદભાગી સેનક ઉન્મત્તની પેઠે હદયશૂન્ય થઈ શહેરમાંથી નીકળી ગયે. મંત્રીપુત્રના ગયા પછી કેટલેક કાળે રાજા જિતશત્રુએ સુમંગળ કુમારને પિતાના રાજ્યપર બેસાર્યો. સેનકે વનમાં ફરતા કોઈ એક કુળપતિ તાપસને જે. તેની પાસે તાપસ થઈને તેણે ઉણિકા વ્રત ગ્રહણ કર્યું. તીવ્ર તપથી હમેશાં પોતાના આત્માને અતિ કદથના પમાડતે સેનક એકદા વસંતપુર નગરે આવ્યા. તેને મંત્રીપુત્ર અને તાપસ ધારીને સર્વ કે તેની પૂજા કરવા લાગ્યા. લોકોએ તેને વૈરાગ્ય થવાનું કારણ પૂછ્યું, એટલે તે કહેવા લાગ્યું કે, “સુમંગળકુમાર વારંવાર મારા વિરૂપનું હાસ્ય કરતે, તેથી મને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તે હાસ્ય મને તપલક્ષમીના એક જામીનરૂપ થઈ પડ્યું છે. આ ખબર સાંભળી રાજા સુમંગળ પણ તેને નમવા માટે આવ્યું અને તેને ઘણુ રીતે ખમાવીને આદરથી પારણાને માટે નિમંત્રણ કર્યું. સેનક તાપસે રાજાને આશીષ આપીને તેની પ્રાર્થના સ્વીકારી, તેથી રાજા કૃતાર્થ થયે હોય તેમ હર્ષ પામી પિતાને ઘેર આવ્યો. જ્યારે માસક્ષપણ પૂર્ણ થયું ત્યારે રાજાની પ્રાર્થના સંભારી તે તાપસ શાંત થઈ રાજભુવનના દ્વારે આવ્યા. તે સમયે રાજાને શરીરે ઠીક ન Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦] શ્રી ત્રિષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૫ ૧૦ મું હોવાથી દ્વારપાળે દ્વાર બંધ કર્યું હતું, તેથી ભિક્ષુકને કોણ જુએ? તેથી સેતુથી જળના પ્રવાહની જેમ તે ખલિત થઈને જે માર્ગે આવ્યો હતો, તે માર્ગે પાછો ચાલ્યો ગયે. પછી બીજા માસક્ષપણને નિશ્ચય કરી પાછું તેણે ઉષ્ટ્રિકા વ્રત લીધું અને જરા પણ કેપ પામ્યો નહીં. કારણ કે “મહર્ષિઓ તયની વૃદ્ધિથી હર્ષ પામે છે.” બીજે દિવસે રાજા સ્વસ્થ થયે એટલે તાપસને કરેલ આમંત્રણ સંભારી તેની પાસે આવી, નમી તથા ખમાવીને બે કે-“મહર્ષિ! મેં તમને પુણ્યને માટે નોતર્યા, પણ તેથી તો ઉલટું મને પાપ ઉપાર્જન થયું. “પ્રાયઃ પાપીઓને પાપજ અતિથિ થાય છે. હે ભગવન! મેં ઉલટું બીજે ઠેકાણેથી પણ તમારું પારણું અટકાવ્યું કારણ કે “અદાતાને પ્રિય આલાપ બીજે ઠેકાણેથી લાભ થવામાં પણ અંતરાય કરે છે. પણ હવે પ્રસન્ન થઈ આ બીજા માસક્ષપણના પારણ વખતે નંદનવનને કલ્પવૃક્ષની જેમ મારા આંગણુને અલંકૃત કરશો.” તાપસે તે વાત સ્વીકારી એટલે રાજા ઘેર ગયે. તેના પારણાના દિવસ માટે રાજા પ્રતિદિન આંગળીના વેઢા ગણતે હતો. જ્યારે માસક્ષપણ પૂર્ણ થયું એટલે તાપસ તે રાજાને ઘેર આવ્યો. પણ દૈવયોગે પૂર્વની જેમ તે દિવસે પણ રાજાના શરીરે ઠીક ન હોવાને લીધે દ્વાર બંધ કરેલું હતું, તેથી તાપસે વળી ફરીવાર ઉષ્ટ્રિકા વ્રત લીધું. રાજાએ સ્વસ્થ થઈ પૂર્વની જેમ વિનયથી પાછું આમંત્રણ કર્યું. ત્રીજુ માસક્ષપણ પૂર્ણ થતાં તે તાપસ પાછો રાજાને ઘેર આવ્યા, તે વખતે પણ પૂર્વની પેઠે રાજાનું શરીર વ્યાધિગ્રસ્ત હતું. વારંવાર આમ બનવાથી રાજકીય માણસોએ તે વખતે વિચાર્યું કે, “જ્યારે જ્યારે આ તપસ્વી અહીં આવે છે, ત્યારે ત્યારે આપણું સ્વામીનું અશિવ થાય છે.” તેથી તેઓએ રક્ષકોને આજ્ઞા આપી કે તે તાપસ મંત્રી પુત્ર છે. પણ જ્યારે તે રાજમંદિરમાં પ્રવેશ કરે ત્યારે તમારે તેને સપની જેમ બહાર કાઢી મૂકો. રક્ષકાએ તેમજ કર્યું, એટલે તાપસે ક્રોધવડે નિયાણું કર્યું કે, “હું મારા તપોબળથી આ રાજાના વધને માટે ઉત્પન્ન થાઉં.” તે મૃત્યુ પામી અલ્પ ઋદ્ધિવાળો વાનવ્યંતર દેવ થયો. રાજા પણ તાપસ થઈને તેજ ગતિને પામ્યા. ત્યાંથી આવીને સુમંગલ રાજાને જીવ પ્રસેનજિત્ રાજાની રાણી ધારણીના ઉદરથી શ્રેણિક નામે પુત્ર થયે. તેજ નગરમાં નાગ નામે એક રથિક હતા, તે પ્રસેનજિત રાજાના ચરણકમલમાં મરરૂપ હતો. તેમજ તે દયા અને દાનમાં આદરવાળે, પરનારીને સહદર, વીર, ધીર અને સર્વ કળાને અધ્યેતા હતો. જેથી તે સર્વ ગુણેના એક સ્થાનરૂપ ગણાતા. તેને મુલાસા નામે સ્ત્રી હતી, તે પુણ્યકર્મમાં આલસ્ય વગરની અને દેહધારી પુણ્યલક્ષ્મી હોય તેવી હતી. સાથે ધૂલિક્રીડા કરનારા બાળકોની જેમ તેનામાં પતિવ્રતાપણું, સમતિ, સરલતા વિગેરે ગુણ એકીસાથે વસતા હતા. એક વખતે નાગ રથિક પિત અપુત્ર હોવાથી નાળવા સહિત કમળ જેવા કર ઉપર મુખ રાખી ચિંતા કરવા લાગ્યો કે “પુત્રને હલાવીશ અને તેનું લાલન Page #115 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ડ્રો] શ્રેણિકને સમકિત, મેઘકુમાર, નંદીષેણુને દીક્ષા [ ૧૦૧ પાલન કરીશ આવો મારે મનોરથ પુત્ર વગર અવકેશી (વંધ્ય) વૃત્રની જેમ નિષ્ફળ થયો. જેઓએ બાલ્યવયમાં બ્રહ્મચર્ય પાળ્યું નહી અને યુવાવસ્થામાં પુત્રનું મુખ જોયું નહીં તેઓના બંને લોકને ઠગનારા કામીપણાને ધિક્કાર છે.” આ પ્રમાણે કાદવમાં ખુંચેલા હાથીની જેમ ચિંતામાં મગ્ન થયેલા અને જેનું મુખ વિવર્ણ થઈ ગયેલું છે એવા પતિને જોઈ તેની પ્રત્યે સુલસાએ વિનયથી અંજલિ જોડીને કહ્યું કે “હે નાથ ! તમે હસ્તરૂપ શય્યામાં મુખ રાખ્યું છે તે તમને કાંઈ ચિંતા હોય એમ કહી આપે છે. તો આપ શી ચિંતા કરે છે? તે કહે, અને મને તેની ભાગીદાર કરે.” નાગ સારથી બોલ્યો કે-“હું અપુત્ર છું, પુત્રપ્રાપ્તિની ઘણી વાંચ્છા છે, પરંતુ પુત્ર કે પુત્રીની ઈચ્છા કરતા એવા મને તેની પ્રાપ્તિનો કાંઈ પણ ઉપાય સૂજતો નથી.” સુલસા બોલી–“સ્વામી ! તમે બીજી ઘણી કન્યાઓ પરણો, તેમાંથી શું એક પણ પુત્રને પ્રસવ કરનારી નહિ થાય?” નાગ બોલ્યો-“હે પ્રિયે! આ જન્મમાં હું તારાથીજ રીવાળો રહેવાને છું, બીજી સ્ત્રી કદિ પણ પરણવાને નથી, તો પછી તેમનાથી પુત્રોની તો વાત જ શી કરવી? હો પ્રિયદર્શના! હું તે તારાથી થયેલા પુત્રને જ ઈચ્છું છું કે જે ચિરકાળે પણ આપણા બંનેની પ્રીતિરૂપ વિઠ્ઠીમાં ફળરૂપ થાય. તું જ મારા પ્રાણ, શરીર, મંત્રી અને મિત્ર છે, માટે પુત્રને અર્થે કઈ દેવની માનતા-બાધા વિગેરે કરવાવડે યત્ન કર.” સુલસા બેલી-“પ્રિય સ્વામી ! હું શ્રી અર્વતની આરાધના કરીશ, કારણ કે અહંતની આરાધને સર્વ કાર્યમાં ઈછિત ફળને આપનારી છે. પછી તે સુલસા આચાસ્લ વિગેરે દુસહ તપ કરવાવડે જન્મથી જ પવિત્ર એવા પિતાના આત્માને વિશેષ પવિત્ર કરવા લાગી, વિકાસ પામેલી નવમણિકાની જેમ મોતીનાંજ આભૂષણે પહેરવા લાગી, કસુંબી વસ્ત્રોથી અરુણ અજવાળી પ્રાતઃકાળની સંધ્યાની જેવી દેખાવા લાગી અને વીતરાગની પૂજામાં તેમજ બ્રહ્મચર્યમાં તત્પર રહેતી છતી પતિના દુઃખથી કેમળ મનવાળી થઈને સમાધિથી રહેવા લાગી. અહિં પ્રથમ સ્વર્ગમાં દેવોની સભામાં શકઈઢે પ્રશંસા કરી કે, “હાલ ભરતક્ષેત્રમાં ખરી શ્રાવિકા સુલસા છે.” તે સાંભળી એક દેવે વિસ્મય પામી કાન ઉંચા કર્યા અને સુલસાના શ્રાવિકાપણાની પરીક્ષા કરવાને માટે અહિં આવ્યો. તે વખતે સુલસા દેવાચન કરતી હતી, ત્યાં તે સાધુનું રૂપ લઈ “નિસિહી” બોલતે ઘરદેરાસરમાં પેઠો. અશ્વ વગરની વૃષ્ટિની જેમ તે મુનિને અચાનક આવેલા જોઈ સુલસાએ તેમને ભક્તિથી વંદના કરી અને તેમના આવવાનું કારણ પૂછ્યું. તે બે -“મને કઈ વૈદ્ય કહ્યું છે કે તમારે ઘેર લક્ષપાક તેલ છે, તો તે ગ્લાન સાધુને માટે મને આપો.” “મારૂં લક્ષપાક તેલ સાધુને ઉપયોગમાં આવવાથી સફળ થશે.” એમ બોલતી તે હર્ષથી તેલને કુંભ લેવા ચાલી. કુંભ લઈને આવતાં દેવતાએ શક્તિથી તે તેલને કુંભ તેના હાથમાંથી પાડી નાખ્યો. તત્કાલ માળમાંથી પડી ગયેલા ઈંડાની જેમ તે તડ દઈને ફુટી ગયે. એટલે સુલસા ફરીવાર બીજો તેલને કુંભ લાવી, તે પણ તેવીજ રીતે કુટી ગયો, તથાપિ તે જરાએ ખેદ પામી નહી. પછી ત્રીજો Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું લાવી તે તે પણ તેવીજ રીતે ફૂટી ગયે એટલે તેને ચિંતા થઈ કે, “આ સાધુની યાચના નિષ્ફલ થવાથી અવશ્ય હું અલ્પ પુણ્યવાળી છું.' આવા તેના ભાવ જોઈ તે દેવ પિતાનું સ્વરૂપે પ્રગટ કરીને બે કે, “હે ભદ્ર! ઈ તારા શ્રાવિકાપણાની પ્રશંસા કરી તેથી વિસ્મય પામી હું તારી પરીક્ષા કરવાને માટે અહિં આવ્યું હતું, તે હવે સંતુષ્ટ થયે છું, માટે વર માગ્ય.” તે સાંભળી સુલસા બેલી-“હે દેવ! જે સંતુષ્ટ થયો છે તે હું અપુત્ર છું, માટે મને પુત્ર આપે, તે સિવાય મારે બીજી કોઈ ઈચ્છા નથી.” દેવે તેને બત્રીશ ગુટિકા આપીને કહ્યું કે-“અનુક્રમે આ ગુટિકાનું તું ભક્ષણ કરજે તેથી આ જેટલી ગુટિકા છે તેટલા તારે પુત્ર થશે. અનશે! વળી ફરી જ્યારે તને પ્રજન પડે ત્યારે મારૂં સ્મરણ કરજે, હું તરત આવીશ.” આ પ્રમાણે કહી તે દેવ અંતર્ધાન થઈ ગયો. દેવના ગયા પછી મુલાસાએ વિચાર્યું કે, “અનુક્રમે આ બધી ગુટિકાઓ ખાવાથી ઘણુ બાલ થાય, તો તેમની અશુચિને કેણુ ચુંથે, માટે હું એક સાથે બધી ગુટિકા ખાઉં કે જેથી બત્રીસ લક્ષણવાળો એક જ પુત્ર થાય.” આવા પિતાની બુદ્ધિવડે વિચાર કરી સુલસા બધી ગુટિકાઓને એક સાથે ખાઈ ગઈ. જેવી ભવિતવ્યતા હતી તેવી તેની બુદ્ધિ થઈ. “અહો ! ભવિતવ્યતા અન્યથા થતી નથી. સમકાળે બત્રીશ ગુટિકાઓ ખાવાથી સમકાળે તેના ઉદરમાં બત્રીશ ગર્ભ ઉત્પન્ન થયા. તેમના વૃદ્ધિ પામવાથી ઘણા ફળોવાળી વલ્લીની જેમ તે ઘણા ગર્ભોને સહન કરી શકી નહીં. એ કૃશોદરીએ વજી જેવા સારવાળા ગર્ભને સહન કરી ન શકવાથી કાત્સગે રહી પેલા દેવનું સમરણ કરતાં જ તે દેવ હાજર થયે અને પૂછયું કે, “મને શા માટે સંભાર્યો?” ત્યારે તેણે ગુટિકાની બધી કથા માંડીને કહી. દેવ - અરે ! તે એક સાથે બધી ગુટિકા શા માટે ભક્ષણ કરી? તે ગુટિકા અમાઘ છે, તેથી તેટલા ગર્ભ એક સાથે તેને ધારણ થશે. ભદ્ર! સરલ બુદ્ધિથી પણ તે આ સારૂં કર્યું નહીં, કારણ કે આ પ્રમાણે થવાથી તે બત્રીશે પુત્રો સરખા આયુવાળા થશે. પણ હે મહાભાગે ! હવે ખેદ કરીશ નહીં, કારણ કે ભવિતવ્યતા બલવાનું છે. તે હવે હું તારી ગર્ભપીડા હરી લઈશ, માટે સ્વસ્થ થા.” પછી તે દેવ સુલસાની ગપીડા હરી લઈને સ્વસ્થાને ગયો. સુલસા પણ સ્વસ્થ થઈ છતી ભૂમિની જેમ ગૂગર્ભા થઈ ગર્ભસમય પૂર્ણ થતાં શુભ દિવસે અને શુભ મુહુર્ત સુલસાએ બત્રીસ લક્ષણવાળા બત્રીસ પુત્રને જન્મ આપ્યો. ધાત્રીઓથી લાલિત થતા તે પુત્રો અનુક્રમે વિધ્યગિરિમાં હાથીના બચ્ચાંની જેમ અખંડિત મનોરથે મોટા થયા. ગૃહલક્ષમી રૂપી પક્ષીના ક્રીડાવૃક્ષ જેવા તે બાળકો આંગણામાં રમતા છતા શોભતા હતા. નાગ રથિક તે કુમારને મેળામાં લઈ લઈને સ્નેહવડે આનંદના અશ્રુજળથી સ્નાન કરાવતું હતું. પગ ઉપર, મેળામાં, વાંસા ઉપર અને મસ્તક ઉપર ચડી જતા અને વળગતા કુમારાથી નાગ રથિક સિંહના Page #117 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ ] શ્રેણિકને સમકિત મેઘકુમાર, નદીએણને દીક્ષા [ ૧૦૩ શિશુએથી પર્વતની જેમ શોભતે હતે. નાગ રથિકના સર્વે કુમારે વયમાં સરખા હતા, તેથી તે બધા શ્રેણિકકુમારના અનુયાયી થયા. એક વખતે પ્રસેનજિત રાજાએ પોતાના પુત્રની રાજ્યોગ્યતા વિષે પરીક્ષા કરવાને માટે બધાને એક સાથે ખાવા બેસાડી પાયસાના સ્થાળ તેમની પાસે મૂકાવ્યા. જ્યારે તે કુમારો ભેજન કરવાને પ્રવર્યા ત્યારે રાજાએ તેમની ઉપર વ્યાઘના જેવા મુખ ફાડીને આવતા ધાનેને છેડી મૂક્યા. ધાને આવતાંજ બીજા કુમારો તો તત્કાળ ઉઠીને ભાગી ગયા, પણ બુદ્ધિના ધામરૂપ શ્રેણિકકુમાર એકલો બેસી રહ્યો. તે બીજા સ્થાળમાંથી શ્વાનને છેડે થોડો પાયસાન્ન આપવા લાગ્યો, અને જેવા તે શ્વાને તેને ચાટવા લાગ્યો તેવો પોતે પોતાના ભાણુનું પાયસાન્ન ખાવા લાગ્યો. એ પ્રમાણે તેણે ધરાઈને ખાધું. તે જોઈ રાજા ઘણે રાજી થયો, અને વિચાર્યું કે, “આ શ્રેણિકકુમાર ગમે તે ઉપાયથી શત્રુઓ વિગેરેને અટકાવશે અને પોતે પૃથ્વીને ભગવશે.' એક વખતે ફરીવાર પરીક્ષા કરવાને માટે રાજાએ બધા કુમારોને ભેગા કરી મોદકના ભરેલા કરંડીઆ અને પાણીના ભરેલા ઘડા મુદ્રિત કરીને આપ્યા, અને કહ્યું કે, “આ કરંડીઆમાંથી મુદ્રા તોડવા વગર મોદક ખાઓ અને આ ઘડામાંથી છિદ્ર પાડ્યા વગર પાણી પીવો.” શ્રેણિક વિના તેમાંથી કોઈ પણ મોદક ખાવા કે પાણી પીવા સમર્થ થયે નહીં. “બળવાન પુરૂષો પણ બુદ્ધિસાધ્ય કાર્યમાં શું કરી શકે.” શ્રેણિકે પેલા કરંડીઆઓને વારંવાર ખૂબ હલાવી અંદરના મોદકનું ચૂર્ણ કરી નાખી, તેની સળીઓના છિદ્રમાંથી ખેરવી ખેરવીને ખાધું અને ઘડાની નીચે રૂપાની છીપ રાખી ઘડામાંથી મળતા જળબિંદુથી તે ભરીને પાણી પીધું. “બુદ્ધિમાન પુરૂષને શું દુઃસાધ્ય છે.” આ પ્રમાણે શ્રેણિકની બુદ્ધિસંપત્તિની પરીક્ષા કરીને કુશાગ્ર બુદ્ધિવાળા રાજાએ તેનામાં રાજ્યની યોગ્યતાનો નિશ્ચય કર્યો. અન્યદા કુશાગ્રનગરમાં વારંવાર અગ્નિને ઉપદ્રવ થવા લાગે. તેથી રાજા પ્રસેનજિતે આષણ કરાવી કે, “આ નગરમાં જેના ઘરમાંથી અગ્નિ લાગશે, તેને રોગી ઉંટની જેમ નગરમાંથી જ બહાર કાઢી મૂકવામાં આવશે. એક દિવસ રાઈઆના પ્રમાદથી રાજાના મહેલમાંથીજ અગ્નિ ઉત્પન્ન થયો. “બ્રાહ્મણની જેમ અગ્નિ કેઈના નથી.” જ્યારે તે અગ્નિ વધવા માંડયો ત્યારે રાજાએ પોતાના કુમારને આજ્ઞા કરી કે, “મારા મહેલમાંથી જે વસ્તુ જે કુમાર લઈ જાય, તે તેને સ્વાધીન છે.” રાજાની આજ્ઞાથી બીજા સર્વ કુમારો રૂચિ પ્રમાણે હાથી ઘોડા તથા બીજી વસ્તુઓ લઈ ગયા અને શ્રેણિકકુમાર માત્ર એક ભંભાનું વાઘ લઈને નીકળ્યો. તે જોઈ રાજાએ પૂછયું કે, “તે માત્ર આ વાઘ જ કેમ લીધું ?” શ્રેણિક બોલ્યો, -“આ ભંભાવાય રાજાઓનું પ્રથમ જયચિન્હ છે, આના શબ્દથી રાજાઓને દિગવિજ્યમાં મેટું મંગળ છે, તેથી તેમણે આવા વાઘની પ્રથમ રક્ષા કરવી જોઈએ.” શ્રેણિકકુમારનું ૧ અંગરક્ષક Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મુ આવું મહેરછત્વ જોઈ પ્રસન્ન થયેલા રાજાએ તેનું ભંભાસાર એવું બીજું નામ પાડ્યું. રાજા પ્રસેનજિતે પૂર્વે પ્રતિજ્ઞાથી કહ્યું હતું કે, “જેના ઘરમાંથી અગ્નિ પ્રગટ થાય, તેણે નગરમાં રહેવું નહીં,” આ વચનને તે ભૂલી ગયો નહોતો. તેથી તેણે વિચાર્યું કે, “જે હું પ્રથમ મારી જાત ઉપર મારી આજ્ઞાનો અમલ નહીં કરું, તો બીજાઓ ઉપર શાસન કરવું શા કામનું છે?” આવા વિચારથી પરિવાર સહિત તરત જ રાજાએ કુશાગ્રનગરને છોડી દીધું. અને એક કોશ દૂર જઈ છાવણું નખાવીને ત્યાં રહ્યો. પછી લો કે ત્યાં જતાં પરસ્પર પૂછતા કે, “તમે ક્યાં જાઓ છે?” ત્યારે તેઓ પ્રત્યુત્તર આપતાં કે અમે રાજગૃહ (રાજાના ઘર)માં જઈશું. તે ઉપરથી રાજા પ્રસેનજિતે ત્યાં રાજગૃહ નામે નગર વસાવ્યું અને તેને ખાઈ કિલ, ચૈત્ય, મહેલ અને ચોટાઓથી ઘણું રમણીય બનાવ્યું. “બીજા કુમારે પોતપોતામાં રાજ્યની યોગ્યતા માને છે, તેથી શ્રેણિકની રાજ્યયોગ્યતા તેઓ ન જાણે તો ઠીક” એવું ધારી રાજાએ શ્રેણિકને અનાદર કર્યો. અને બીજા કુમારને જુદા જુદા દેશો આપ્યા ત્યારે શ્રેણિકને કાંઈ આપ્યું નહીં. કારણ કે તે તે સમજતું હતું કે પરિણામે આ રાજ્ય શ્રેણિકનું જ છે. પરંતુ આ પ્રમાણે પિતાનું અપમાન થવાથી અભિમાની શ્રેણિક વનમાંથી હાથીના બચ્ચાની જેમ નગર બહાર નીકળે. અનુક્રમે ફરતે ફરતે વેણુતટપુરે આવ્ય, વેણાતટ નગરમાં પ્રવેશ કરીને શ્રેણિકકુમાર ભદ્ર નામના કેઈ શ્રેષ્ઠિની દુકાને જાણે મૂર્તિમાન લાભદય કર્મ હોય તેમ બેઠે. એ સમયે તે નગરમાં કઈ માટે ઉત્સવ ચાલતે હતે, તેથી લોકો નવીન દિવ્ય વસ્ત્રાલંકાર અને અંગરાગ ધરીને ફરતા હતા. તે પ્રસંગને લીધે તે શેઠની દુકાને ઘણા ઘરાકે જુદી જુદી વસ્તુઓ ખરીદવા માટે આવવથી શેઠ આકુળવ્યાકુળ થઈ ગયા, પણ શ્રેણિક તેઓને જે વસ્તુઓ માગે તેને એકદમ પડીકા બાંધી બાંધીને ચાલાકીથી આપવા લાગ્યો. શ્રેણિકકુમારના પ્રયાસથી શેઠે તે દિવસે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. “પુણ્યવાન પુરૂષોને વિદેશમાં પણું લક્ષમી સાથે આવે છે.” પછી શ્રેષ્ઠિએ શ્રેણિકને પૂછયું, “આજે તમે કયા પુણ્યવાન ગૃહસ્થના અતિથિ થયા છે ?” શ્રેણિક બોલ્યા- “તમારે અતિથિ થયો છું.” શ્રેષ્ઠિએ ચિત્તમાં વિચાર્યું કે, “આજ રાત્રે સ્વપ્નમાં મેં નંદા પુત્રીને યોગ્ય એક વર જોયું હતું, તે સાક્ષાત્ આજ હશે.” પછી શેઠે કહ્યું કે, “હું ધન્ય થયે કે મારે ઘેર તમારા જેવા અતિથિ થયા. આજે તે અકસ્માત આળસુને ઘેર ગંગાજી આવ્યા.” પછી શેઠ દુકાન બંધ કરી શ્રેણિકને સાથે લઈને પિતાને ઘેર આવ્યા અને શ્રેણિકકુમાર સ્નાન કરાવી, ઉત્તમ વ પહેરાવી ઘણા આદરથી પિતાની સાથે જમાડયા. આ પ્રમાણે તે શ્રેષ્ઠિને ઘેર રહેતાં એક દિવસ શેઠે શ્રેણિક પાસે માગણી કરી કે, મારી આ નંદા નામની પુત્રીને તમે ગ્રહણ કરે.” શ્રેણિકે કહ્યું, “મારૂં કુળ જાણ્યા વગર તમે પુત્રી કેમ આપે છે?” શ્રેષ્ઠિએ કહ્યું, “તમારા ગુણથી મેં તમારું કુળ જાણી લીધું Page #119 -------------------------------------------------------------------------- ________________ સગં ૬ ડ્રો] શ્રેણિકને સમકિત, મેઘકુમાર, નંદીને દીક્ષા [૧૦૫ છે.' પછી શેઠના અતિ આગ્રહથી લમીને વિષ્ણુ પરણે તેમ શ્રેણિક નંદાને પર. શ્રેષ્ઠિના ગૃહમાં ધવળમંગળ પ્રવ. તે વલ્લભાની સાથે વિવિધ ભાગ ભગવતે શ્રેણિક નિકુંજમાં ગજેની જેમ કેટલાક કાળ ત્યાં રહ્યો. અહિં રાજા પ્રસેનજિતને અકસ્માત રોગની પીડા થઈ આવી, તેથી તેણે ઘણા ખેદપૂર્વક તત્કાળ શ્રેણિકને શોધી લાવવા માટે ઘણી સાંઢ મોકલી. તે સાંઢાવાળા માણસે ફરતા ફરતા વેણાતટે આવી શ્રેણિકને મળ્યા. તેમની પાસેથી પિતાને થયેલી પીડાની વાત સાંભળી, નંદાને સ્નેહથી સમજાવી, શેઠની રજા લઈને શ્રેણિક એકલા ત્યાંથી ચાલ્યા. નીકળતી વખતે તેણે “જેમાં ઉજ્વળ ભિંતો છે એવા રાજગૃહ નગરનો હું ગોપાળ છું.” એવા નિમંત્રણ મંત્ર જેવા તેને અક્ષરે અર્પણ કર્યા. પછી પિતાને રોગથી પીડિત જાણ શ્રેણિક સાંઢ ઉપર ચડી ઉતાવળા રાજગૃહ નગર તરફ ચાલ્યા અને ત્યાં પહોંચ્યા. તેને આવેલો જોઈ પ્રસેનજિતુ રાજા ઘણો હર્ષ પામ્યા. તત્કાળ હર્ષના અશ્રુજળ સાથે સુવર્ણકળશના નિર્મળ જળથી તેને રાજ્ય ઉપર અભિષેક કર્યો. પછી પ્રસેનજિત્ રાજા પાશ્વપ્રભુને અને પંચ નમસ્કાર મંત્રને સંભારતા છતા ચાર શરણ અંગીકાર કરી મૃત્યુ પામીને દેવકે ગયા. શ્રેણિકે બધી પૃથ્વીને ભાર ધારણ કર્યો. અહીં મંદાએ ઘણે દુર્વાહ ગર્ભ ધારણ કર્યો. તેણને એકદા એ દેહદ ઉત્પન્ન થયે કે, “હું હાથી ઉપર ચઢી મોટી સમૃદ્ધિથી પ્રાણીઓને ઉપકાર કરી અભય આપનારી થાઉં.” તેના પિતાએ તે વાત રાજાને જણાવી, તેને દેહદ પૂરો કર્યો. ગર્ભસમય પૂર્ણ થતાં સૂર્યને પૂર્વ દિશા પ્રસવે તેમ તેણે એક પુત્રને જન્મ આપ્યો. દેહદના અને અનુસાર માતામહ (માતાના પિતાએ) શુભ દિવસે તેનું “અભયકુમાર' એવું નામ પાડયું. તે અનુક્રમે મોટો થયો, નિર્દોષ વિદ્યા ભણ્યો અને આઠ વર્ષમાં તે તેર કળામાં પ્રવીણ થઈ ગયે. એક વખતે તેની સમાનવયના કેઈ બાળકે તેની સાથે કલહ થતાં કેપથી તેને તિરસ્કાર કરીને કહ્યું કે, “તું શું બોલે છે, તારા પિતા તે કોઈના જાણવામાં નથી.' અભયકુમારે કહ્યું કે, “મારા પિતા તો ભદ્ર શેઠ છે.” તેણે કહ્યું કે, “તે તો તારી માતાના પિતા છે.” પછી અભયે ઘરે આવીને માતાને પૂછયું કે-માતા! મારા પિતા કેણ છે?' નંદાએ કહ્યું, “આ ભદ્ર શેઠ તારા પિતા છે.” અભય બોલ્યો-“એ ભદ્ર શેઠ તે તારા પિતા છે, પણ જે મારા પિતા હોય તે કહે.” આ પ્રમાણે પુત્રના કહેવાથી નંદા આનંદ રહિત થઈને બેલી કે- વત્સ! કઈ દેશાંતરમાંથી આવીને મને પરણ્યા છે, અને તું ગર્ભમાં હતું ત્યારે કઈ ઉંટવાળા પુરૂષો તેમને લઈ ગયા છે. તેઓએ એકાંતે તેમને કાંઈક વાત કરી અને પછી તેમની સાથે તેઓ તરતજ ચાલ્યા ગયા છે. ત્યાર પછી અદ્યાપિ પર્યત જાણવામાં ૧ ગોપૃથ્વી. ગોપાળ=રાજા. D - 14 Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું આવ્યું નથી કે તેઓ ક્યાં છે અને કેણ છે?* અભયકુમારે કહ્યું કે, “તેમણે ચાલતી વખતે કાંઈ કહ્યું છે?” નંદાએ કહ્યું, “આવા અક્ષરો અર્પણ કર્યા છે” એમ કહી પત્ર બતાવ્યો. તે વાંચી અભયકુમાર પ્રસન્ન થઈને બોલ્યો કે-“મારા પિતા તે રાજગૃહ નગરના રાજા છે, માટે ચાલો હમણા જ આપણે ત્યાં જઈએ. પછી ભદ્રશેઠની રજા લઈ અભયકુમાર સામગ્રી સહિત નદાને લઈને રાજગૃહ નગરે આવ્યું. પિતાની માતાને પરિવાર સહિત બહાર ઉદ્યાનમાં મૂકી પોતે થેડે પરિવાર લઈ નગરમાં પેઠે. અહિં શ્રેણિક રાજાએ એકે ઉણ પાંચસો બહુ કુશળ મંત્રીઓ એકઠા કર્યા હતા અને બરાબર પાંચસો મંત્રીઓ પૂરા કરવાને માટે કેઈ ઉત્કૃષ્ટ પુરૂષને તે શોધતો હતો. તેવા બુદ્ધિમાન મનુષ્યની પરીક્ષાને માટે રાજાએ એક સૂકા કુવામાં પિતાની વીંટી નાખી દઈને લોકોને જાહેર કર્યું કે, “જે કાંઠે ઉભું રહી આ કુવામાંથી વીંટી બહાર કાઢી શકે, તે કુશળ બુદ્ધિવાન્ પુરૂષ મારા મંત્રીઓમાં અગ્રેસર થાય. લેકે કહેવા લાગ્યા કે, “અમારાથી આવું કાર્ય થવું અશક્ય છે. કેમકે જે હાથવડે આકાશમાંથી તારાને ખેંચી શકે તે આ મુદ્રિકા કાઢી શકે. તેવામાં અભયકુમાર ત્યાં હસતો હસતો આવ્યો, અને બે કે શું આ વીંટી ન લેલાય? એમાં મુશ્કેલ શું છે? તેને જોઈ લોકે વિચારમાં પડયા કે આ કઈ અતિશય બુદ્ધિમાન લાગે છે.” “સમય આવતાં પુરૂષના મુખનો રંગજ તેના પરાક્રમને કહી આપે છે.” પછી તેઓ બોલ્યા કે-“કુમાર! આ વીંટી લઈ લ્યો અને તેને માટે પણ કરેલી અર્ધ રાજ્યની લક્ષમી, રાજપુત્રી અને મંત્રીઓમાં મુખ્યતા ગ્રહણ કરો.” અભયકુમારે કુવાના કાંઠા ઉપર ઊભો રહી તરતજ આ ગોમયનો પિંડ તે કુવામાં રહેલી મુદ્રિકા ઉપર નાખ્યા અને પછી તેની ઉપર એક બળતો તૃણને પળે નાખે, જેથી તે ગમય તરતજ શોષાઈ ગયું. પછી નંદકુમારે (અભયકુમારે) શીઘ્રતાથી પાણીની નીક કરાવીને કુવાને પૂર્ણ ભરી દીધો અને લોકોને વિમયથી ભરી દીધા. પછી પેલું ગમય તર્યું એટલે તે ચતુર બાળકે તરત હાથવતી તે લઈ લીધું અને તેને ચોટેલી વીંટી છુટી પાડી. બુદ્ધિમાન પુરૂષોએ પ્રોજેલા ઉપાયની આગળ શું દુષ્કર છે?” રક્ષકોએ આવીને શ્રેણિકને આ ખબર આપ્યા એટલે તેણે વિસ્મય પામી તરતજ અભયકુમારને પિતાની પાસે બોલાવ્યા અને પુત્રની જેમ તેને આલિંગન કર્યું. “સ્વજન કદિ ઓળખાયેલ ન હોય તે પણ દૃષ્ટિએ પડતાં તેના પર હદય હર્ષ ધરે છે.” શ્રેણિક રાજાએ તેને પૂછયું કે, “તમે કયાંથી આવે છે?” અભયે કહ્યું, “હું વેણુતટ નગરથી આવ્યો છું.' રાજાએ પૂછ્યું, “હે ભદ્રમુખ! તે શહેરમાં સુભદ્ર નામે એક પ્રખ્યાત શેઠ રહે છે અને તેને નંદા નામે એક પુત્રી છે, તે સારી પેઠે છે?” અભયે કહ્યું, “હા, તે સારી રીતે છે. રાજાએ ફરીથી પૂછ્યું, “તે શેઠની પુત્રી નંદા સગર્ભા હતી, તેને શું અપત્ય થયું?” તે સાંભળી અભયકુમારે મનહર દાંતના કિરણેની શ્રેણિથી પ્રકાશ કરતાં કહ્યું કે, Page #121 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ હો] શ્રેણિકને સમક્તિ, મેઘકુમાર, નદીષણને દીક્ષા [ ૧૦૭ હે દેવ! તે નંદાએ અભયકુમાર નામના એક પુત્રને જન્મ આપ્યો છે. પછી તે કે રૂપવાન અને કેવા ગુણવાળો છે?' એમ રાજાએ પૂછયું એટલે અભય બે -“સ્વામી ! તેજ હું અભયકુમાર છું. તે સાંભળતાં જ રાજા તેને નેહથી આલિંગન કરી, ઉસંગમાં બેસારી અને મસ્તક સુંધી સનેહથી સ્નાન કરાવતા હોય તેમ નયનના અશુજળથી સિંચન કરવા લાગ્યું. પછી પૂછ્યું કે હે વત્સ! તારી માતા કુશળ છે?' એટલે અભયકુમારે અંજલિ જેડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે-“હે સ્વામી! ભ્રમરીની જેમ તમારા ચરણકમળને સંભારસ્તી મારી આયુષ્યમતી માતા હાલ આ નગરની બહારના ઉદ્યાનમાંજ છે. તે સાંભળી અમંદ આનંદ પામતા રાજાએ નંદાને લાવવા માટે અભયકુમારને આગળ કરી બધી સામગ્રી ત્યાં મોકલી અને પછી મનમાં ઘણી ઉત્કંઠા લાવી કમલિની પાસે રાજહંસ જાય તેમ પોતે પણ નંદાની સામે ગયા. રાજાએ ઉદ્યાનમાં આવીને આનંદયુક્ત ચિતે નંદાને જોઈ. પરંતુ વિગ દુઃખે પીડિત નંદાના કંકણે શિથિલ થઈ ગયા હતા, કપાળ ઉપર કેશ લટક્તા હતા, નેત્ર કાજળ વગરના હતા, માથે કેશપાશ છુટ હતું, મલીન વસ્ત્રો પહેર્યા હતા, અને શરીરની કૃશતાથી બીજના ચંદ્રની કળા જેવી તે દેખાતી હતી. આવી નંદાને મળી તેને આનંદ પમાડી રાજા પોતાના મહેલમાં તેડી લાવ્યા અને સીતાને રામની જેમ તેણે તેને પટરાણી પદ આપ્યું. અભયકુમારને પોતાની બેન સુસેનાની, પુત્રી, સર્વ મંત્રીઓમાં મુખ્યતા અને અર્ધ રાજ્ય આપ્યું. પિતા ઉપર પૂર્ણ ભક્તિથી પોતાને તેમના એક સેવક તુલ્ય માનતા અભયકુમારે થોડા સમયમાં પિતાની બુદ્ધિવડે દુઃસાધ્ય રાજાઓને પણ સાધી લીધા. વસુધારૂપી વધુના મુગટના માણિક્ય જેવી અને લક્ષ્મીથી વિશાળ વિશાળી નામે મેટી નગરી છે. તેમાં ઇંદ્રની જેમ અખંડ આજ્ઞાવાળો અને શત્રુ રાજાઓને સેવક કરનારો ચેટક નામે રાજા રાજ્ય કરે છે. તેને પૃથા નામની રાણીથી સાત પુત્રીઓ થઈ હતી, જેમાં રાજ્યના સાત અંગની અધિષ્ઠાયિકા સાત દેવી હોય તેવી લાગતી હતી. તેમના પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા, ચેષ્ટા, સુજયેષ્ટા અને ચિલ્લણ એવા અનુક્રમે નામ હતા. ચેટક રાજા શ્રાવક હતા. તેણે બીજાનો (પોતાના પુત્ર પુત્રીને પણ) વિવાહ કરવાની બાધા લીધી હતી, તેથી તેણે કેઈ ને પોતાની કન્યા આપી નહીં. તે બાબતમાં ઉદાસીન વૃત્તિ રાખીને રહ્યો. એટલે કન્યાઓની માતાઓએ તે બાબતમાં ઉદાસીન એવા રાજાની કઈ પ્રકારે સંમતિ મેળવીને તેમાંથી પાંચ કન્યાઓ યોગ્ય વરને આપી. વીતભય નગરના રાજા ઉદાયનને પ્રભાવતી આપી. ચંપાપતિ દલિવાહન રાજાને પદ્માવતી આપી. કૌશાંબીનાં રાજા શતાનીકને મૃગાવતી આપી. ઉજયિનીના રાજા પ્રદ્યોતનને શિવા આપી. કુંડગ્રામના અધિપતિ નંદિવર્ણન રાજા જે શ્રી વીરભગવંતના જયેષ્ટ બંધુ હતા, તેને ચેષ્ટા આપી. સુચેષ્ટા અને ચિલણા એ બે કુમારી રહી. તે બંને પરસ્પર રૂપશ્રીની ઉપમારૂપ હતી. દિવ્ય આકૃતિવાળી અને દિવ્ય વસ્ત્રાલંકારને ધારણ કરતી તે બંને પુનર્વસુ નક્ષત્રના Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પ ૧૦ મું બે તારાની જેમ સદા અવિયોગી (સાથે ને સાથે રહેતી હતી. કળા કલાપમાં કુશળ અને સવ અર્થને જાણતી તે બંને જાણે મૂર્તિમાન સરસ્વતી હોય તેમ મહેમણે વિદ્યાવિદ કરતી હતી. બંને સાથે જ દેવપૂજા કરતી, સાથેજ ધર્મ સાંભળતી અને એક સ્વરૂપવાળી હોય તેમ બીજુ સર્વ કાર્ય સાથે જ કરતી હતી. એક વખતે કોઈ સ્થવિરા તાપસી સુષ્મા અને ચિલ્લણથી અલંકૃત એવા કન્યાઓના અંતઃપુરમાં આવી. ત્યાં તેણે અજ્ઞાનીની સભાની જેમ તેમની આગળ પણ “શૌચમૂળ ધર્મજ પાપને નાશ કરનાર છે' એમ ગાલ ફુલાવીને કહ્યું. તે સાંભળી સુજયેષ્ટા બેલી-“અરે ! શૌચ કે જે અશુભ આશ્રવરૂપ છે, અને અશુભ આશ્રવ પાપને હેતુ છે, તે તે પાપને શી રીતે છેદી શકે?” આ પ્રમાણે કહી કુવામાં રહેલા દેડકા વિગેરેના યુક્તિવાળા દષ્ટાંતે આપી ગુણવડે પેટ સુષ્ટાએ તેના શૌચમૂળ ધર્મને ખંડિત કરી નાંખે. પછી જાણે મુખને મુદ્રિત કર્યું હોય તેમ તે તાપસી નિરૂતર થઈ ગઈ એટલે અંતઃપુરની દાસીઓ મુખ મરડી મરડીને તેને હસવા લાગી. અને પોતાની સ્વામિનીના જયથી ઉન્મત્ત થયેલી તે દાસીઓએ મોટો કોલાહલ કરી તે તાપસીને કંઠે પકડીને કાઢી મૂકી. તે તાપસી લેવા જતાં ઉલટું ખાઈને આવી હોય તેમ પૂજાને માટે જતાં ઉલટી અનર્થને પામી. તાપસીએ ત્યાંથી નીકળતાં વિચાર્યું કે, “આ સુચેષ્ટા ગવ પામી છે, માટે તેને ઘણું સપત્નીઓમાં પાડી દુઃખનું પાત્ર કરૂં.' આવું ધારી સર્વ કળાઓમાં ચતુર એવી તે તાપસીએ પિંડસ્થ ધ્યાનની લીલાથી સુભેચ્છાનું રૂપ મનમાં ધારીને એક પટ ઉપર આળેખી લીધું. સુષ્ટાનું રૂપ આલેખીને ક્રર તાપસી ત્વરાથી રાજગૃહ નગરે આવી અને રાજા શ્રેણિકને તે ચિત્ર બતાવ્યું. નેત્રરૂપ મગની મૃગજાળરૂપ ચિત્રલિખિત રમણને જોઈને રાજગૃહપતિ શ્રેણિક અનુરાગથી તેનું વર્ણન કરવા લાગ્યો-“અહા ! આ બાળાનું શું મનોહર રૂપ છે ! મયૂરના કલાપ તે તેના કેશપાશના દાસપણાને પામે છે, તેનું મનહર નેત્રવાળું મુખ જેમાં ભ્રમર લીન હોય તેવા કમળ જેવું છે, તેને કંઠ શંખનું અવલંબન કરે છે, સ્તનભૂષિત ઉરસ્થળ ક્રીડા કરતા કોકપક્ષવાળા સરોવર જેવું છે, નિતંબ ધનુર્ધર કામદેવને ખેલવા યોગ્ય ભૂમિ જેવા સવિસ્તર છે, સાથળ અનુક્રમે વતું હોવાથી ગજબંધના વિલાસને હરનારા છે. જંઘા કમળના જેવી સરલ અને કમળ છે અને સરલ જંઘાવાળા ચરણ. ઉંચા નાળવાવાળા કમળ જેવા છે. અહા ! આ મૃગાક્ષીનું અદ્વૈત સૌંદર્ય, ઉજવળ લાવણ્ય અને બીજું સર્વ પણ ઘણું રમ્ય છે.” આ પ્રમાણે વર્ણન કર્યા પછી તેના પર મોહિત થયેલા શ્રેણિકે તાપસીને પૂછયું કે, હે મહાભાગે! સ્ત્રીઓમાં શ્રેષ્ઠ એવી આ સ્ત્રીનું ચિત્ર તમે તમારી બુદ્ધિથી આળેખ્યું છે કે કોઈ સ્ત્રીના રૂપદર્શનથી આળેખ્યું છે?” તાપસી બોલી-બજેવું રૂપ મેં જોયું તેવું યથાશક્તિ આલેખ્યું છે. હે રાજા ! જેવું આ ચિત્રમાં છે તેવું કદિ દર્પણમાં જણાતું હશે.” પ્રેમથી મોહિત થયેલે રાજા તે ચિત્રસ્થ રૂપને જાણે આલિંગન Page #123 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ ફો] શ્રેણિકને સમકિત, મેઘકુમાર, નંદીષેણુને દીક્ષા [૧૦૯ કરવાને કે ચુંબન કરવાને ઈરછતો હોય તેમ દેખાવા લાગ્યા. પછી બોલ્યા કે, “હે ભદ્ર! મુક્તાવલીની જેમ આ બાળા કેના વંશમાં ઉત્પન્ન થઈ છે? ચંદ્રલેખાની જેમ તે હાલ કઈ નગરીને અલંકૃત કરે છે? ક્ષીરસાગરને લક્ષ્મીની જેમ કયા ધન્ય પુરૂષની એ પુત્રી છે? કયા પવિત્ર અક્ષરો તેના નામમાં આવ્યા છે? સરસ્વતીએ કઈ કઈ કળાથી તેના પર અનુગ્રહ કર્યો છે? અને કેાઈ પુરૂષના કરે તેના કરને ચુંબિત કર્યો છે કે નહી?” તાપસી બોલી“હે રાજન? વૈશાલીનગરીના અધિપતિ અને હૈહયવંશમાં ઉત્પન્ન થયેલા ચેટક રાજાની આ કુમારી છે, સર્વ કળાને ભંડાર છે અને સુકા તેનું નામ છે. ગુણ અને રૂપની યોગ્યતાથી તમે જ તેને વરવાને યોગ્ય છતાં જે આને બીજે પતિ થશે તો તમે ત્રીજા પુરૂષાર્થ (કામ)થી છેતરાશે.” પછી રાજા શ્રેણિકે તે તાપસીને વિદાય કરી અને જાણે પાંખે મેળવીને વૈશાલી નગરીમાં જવાને ઇચ્છતા હોય તેમ તેને સંભારતો છતો રહેવા લાગે. બીજે દિવસે રાજગૃહપતિ શ્રેણિકે સુચેષ્ટાની પ્રાર્થના કરવાને માટે એક દૂતને શિખવીને ચટક રાજા પાસે મોકલ્યા. સંદેશ આપવામાં ચતુર એવો તે દૂત સઘ વિશાળામાં આવી ચેટક રાજાને નમીને બોલ્યો કે-“હે રાજન ! મારા સ્વામી મગધપતિ શ્રેણિક તમારી કન્યા સુકાની માગણી કરે છે. મહાન પુરૂષોને કન્યાની માગણી કરવી તે કદિપણુ લજજાકારક નથી.” ચેટક રાજા બોલ્યા કે-“અરે દૂત! તારો સ્વામી પિતાથી અજાયે લાગે છે કે જે, વાહીકુળમાં ઉત્પન્ન થઈ હૈહયવંશની કન્યાને ઈચ્છે છે. સમાન કુળના વરકન્યાને વિવાહ થ એગ્ય છે, બીજાને નહી; માટે હું શ્રેણિકને કન્યા નહીં આપું, તું ચાલે જા.” દ્વતે આવી તે વૃત્તાંત શ્રેણિક રાજાને કહ્યો, તેથી શત્રુઓથી પરાભવ પામ્યો હોય તેમ તે ઘણે ખેદ પામ્યું. તે સમયે અભયકુમાર પિતાના ચરણકમલમાં ભ્રમરરૂપે થઈને ઊભે હત, તે બે કે “પિતાજી! શોક કરે નહીં, હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ.” પછી કળાકલાપના સાગર અભયકુમારે ઘેર જઈને એક પાટીઆપર મગધપતિ શ્રેણિકનું રૂપ આલેખ્યું. અને ગુટિકાથી વર્ણ તથા સ્વર બદલાવી વણિકનો વેષ લઈને તે વૈશાલી નગરીએ ગયા. ત્યાં ચેટક રાજાના અંતઃપુરની પાસે એક દુકાન ભાડે લીધી. અને અંતઃપુરની દાસીઓ જે વસ્તુ લેવા આવે તે કફાયતે આપવા લાગ્યું. તેમજ તે દાસીઓ જુએ તેમ પટ ઉપર આલેખેલા શ્રેણિકરાજાની નિત્ય પૂજા કરવા લાગ્યો. તે જોઈ દાસીએ પૂછયું કે “આ ચિત્ર કોનું છે !” એટલે તેણે કહ્યું કે, “આ રૂ૫ શ્રેણિકરાજા જે મારા દેવ તુલ્ય છે તેનું છે.” શ્રેણિકનું દૈવીરૂપ દાસીઓના જોવામાં આવ્યું, તેવું તેણે વર્ણન કરીને સુજ્યેષ્ટાને કહ્યું, સુયેષ્ટાએ પિતાની સખી જેવી એક સવથી જયેષ્ટ દાસી હતી, તેને આજ્ઞા કરી કે, “તે શ્રેણિકનું ચિત્ર મને સત્વર લાવીને બતાવ, તે જોવાનું મારા મનમાં ઘણું કૌતુક છે. તે દાસીએ અભયકુમારની દુકાને આવી ઘણું આગ્રહથી તે ચિત્ર લઈ જઈને સુચેષ્ટાને બતાવ્યું. અત્યંત સુંદર ચિત્ર જોઈ સુચેષ્ઠા ગિનીની જેમ નેત્રકમલને સ્થિર Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું રાખી તેમાં લીન થઈ ગઈ. ક્ષણવાર તેમજ રહ્યા પછી સત્વર એકાંતે જઈ તે સખી કે જે તેના ગુપ્ત અભિપ્રાયરૂપ સર્વસ્વને રાખવાની નિધાનભૂમિ જેવી હતી, તેને કહ્યું કે, “સખી! જેનું આ સુંદર ચિત્ર છે, તેને હું પતિ કરવાને ઈચ્છું છું. તેની સાથે જોડી દેવાને મારે વિધિ કોણ થશે? જે આ મનહર યુવાન મારા પતિ નહિં થાય, તે મારૂં હદય પાકેલા ચીભડાની જેમ દ્વિધા થઈ જશે, તેમાં જરા પણ સંશય નથી. માટે હે ભદ્ર! અહિં શે ઉપાય કરવો? તે કહે. મને તે ખરો ઉપાય તેના રૂપને પૂજન કરનાર વણિકનું શરણુ લેવું, તેજ લાગે છે. માટે હે યશસ્વિની ! હે મારા કાર્યની ધુરાને વહન કરનારી! તું સત્વર જઈને તે વણિકને પ્રસન્ન કર અને પાછી શીધ્ર આવી તેને સંદેશો મને કહે. તારું કલ્યાણ થાઓ.” દાસીએ દુકાને આવી વણિકરૂપ અભયકુમારની પ્રાર્થના કરી. અભયકુમારે કહ્યું કે, હું થોડા વખતમાં તમારી સખીનો મનોરથ પૂર્ણ કરીશ. હું એક સુરંગ ખોદાવી તે દ્વારા રાજા શ્રેણિકને અહિં લાવીશ. તે વખતે જે રથ આવે તેમાં તારી સખીએ તત્કાળ બેસી જવું, તમારી સ્વામિની શ્રેણિકને આવેલા ઈ આ ચિત્રમાં આલેખેલા રૂપની સાથે તેમને મેળવી હર્ષ પામશે.” આ પ્રમાણે કહ્યા પછી અમુક સ્થાને અમુક દિવસે, અને અમુક વખતે શ્રેણિક રાજા સુરંગદ્વારા આવશે.” એ ચોક્કસ તેને મુખે સંકેત કર્યો. દાસી તે પ્રમાણે સુજ્યેષ્ઠાને કહી પાછી આવીને અભયકુમાર પ્રત્યે બોલી કે તમારું વચન પ્રમાણ છે.” પછી તે અંતઃપુરમાં પુનઃ ચાલી ગઈ. અભયકુમારે દુકાન સમેટી રાજગૃહ નગરે જઈ પિતાને તે સંકેતની સર્વ વાત કહી સંભળાવી અને સુરંગ કરાવવાની તજવીજમાં તત્પર થયે. અહિં સુચેષ્ઠા ક્યારથી શ્રેણિક રાજાનું ચિત્ર જોયું ત્યારથી શ્રેણિકરાજાનું જ સ્મરણ કરતી કામને વશ થઈ છતી ઘણી અરતિ પામવા લાગી. એમ કરતાં કરતાં સંકેતને નિર્ણય કરેલો દિવસ આવ્યો, એટલે શ્રેણિકરાજા સુલસાના બત્રીશ પુત્રોની સાથે સુરંગના દ્વાર પાસે આવ્યું. પછી સુલસાના પુત્રોને રથ સહિત સાથે લઈ વૈતાથની ગુફામાં ચક્રવતીની જેમ શ્રેણિક રાજા સુરંગમાં પેઠો. સુરંગને બીજે દ્વારે નીકળ્યા એટલે મગધપતિએ સુષ્ઠાને દીઠી. તેને ચિત્ર પ્રમાણે જ મળતી જોઈ ઘણે હર્ષ પામ્યા. સુચેષ્ઠાએ આ સર્વ વૃત્તાંત સખીભાવથી ચિલ્લણને જણાવીને તેની રજા માગી એટલે ચિલણા પ્રતિજ્ઞાપૂર્વક બોલી કે, “હું તારા વગર એકલી રહીશ નહીં.' પછી સુકા ચિલ્લણને રથમાં બેસારી પિતે સત્વર રત્નને કરંડીઓ લેવા ગઈ. તે સમયે સુલસાના પુત્રોએ શ્રેણિક રાજાને કહ્યું કે “હે સ્વામી! શત્રુના ગૃહમાં ચિરકાળ રહેવું ઘટિત નથી.” સુલસાના પુત્રોની પ્રેરણાથી રાજા ચિલણાને લઈ તે સુરંગને માર્ગે જેમ આવ્યો હતો તેમ પાછો ચાલી નીકળ્યા. સુભેછા રત્નને કરંડીઓ લઈને આવી, ત્યાં તે વાદળામાં ઢંકાયેલા ચંદ્રની જેમ શ્રેણિકને ત્યાં જોયા નહીં. તેથી પિતાની બેનનું હરણ થયું અને પોતાને મનોરથ સિદ્ધ થયો નહીં, એવું ધારી તેણે ૧ વિધાતા-બ્રહ્માતુલ્ય. Page #125 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ઠ્ઠો] શ્રેણિકને સમકિત, મેઘકુમાર, નંદીષેણુને દીક્ષા [૧૧૧ ઉંચે સ્વરે પિકાર કર્યો કે-અરે! દેડ! દોડે! હું લુટાણી ! મારી બેન ચિલણનું હરણ થયું!” તે સાંભળતાંજ ચેટકરાજા તૈયાર થઈ ગયા. તેને તૈયાર થતાં જોઈ વીરંગક નામના રથીએ કહ્યું, “સ્વામી ! હું છતાં તમારે આવો આક્ષેપ કરવો યોગ્ય નથી. એમ કહી વીરંગક યુદ્ધ કરવાને સજજ થઈ કન્યાને પાછી લાવવા માટે સુરંગને દ્વારે ગયે. ત્યાં સુલતાના પુત્રોને જતા જોઈ મહાબાહુ વીરંગકે તેમને એક બાણથી મારી નાખ્યા. સુરંગ સાંકડી હોવાથી તેમના રથને વીરંગક બાજુર કરવા રહ્યો, તેટલામાં તો મગધપતિ શ્રેણિક દૂર નીકળી ગયા. પછી વિરંગને પાછા ફરી તે સર્વ વૃત્તાંત ચેટક રાજાને કહ્યો. પિતાની દુહિતાના હરણથી અને તે બત્રીશ રથિકોના મરણ પામવાથી ચેટકરાજાનું મન એક સાથે રોષ અને તેષથી પૂરાઈ ગયું. એ હકીકત સાંભળી સુપેઝાએ ચિંતવ્યું કે, “અહો! વિષયની લોલુપતાને ધિકાર છે. વિષયસુખની ઈચ્છા કરનારા મનુષ્ય આવી વિટંબનાઓ પામે છે. આવા વિચારથી સંસાર૫ર વિરક્ત થયેલી સુઝાએ ચેટકરાજાની રજા લઈ ચંદના આર્યાની પાસે દીક્ષા લીધી. અહિં રાજા શ્રેણિક પિતાના રથમાં બેઠેલી ચેલૂણાને સુભેછા ધારી “હે સુણા, હે સુકા !' એમ બેલાવવા લાગ્યા. ત્યારે ચેaણુએ કહ્યું કે “સુભેછા આવી નથી, હું તે સુણાની નાની બેન ચેલુગુ છું.” શ્રેણિક બેલ્યો-“હે સુંદર બ્રકુટીવાળી સ્ત્રી ! મારો પ્રયાસ વ્યર્થ એ નથી, તું પણ સુભેછાથી કાંઈ ન્યૂન નથી.” ચેલૂણું પતિના લાભથી અને બેનને છેતરવાથી એક સાથે હર્ષ અને શેકથી લિપ્ત થઈ રાજા શ્રેણિક પવન જેવા વેગવાળા રવિડે શીધ્ર પિતાના નગરમાં આવ્યા. તે ખબર સાંભળી અભયકુમાર પણ તરત તેની પાસે આવ્યા. પછી શ્રેણિક રાજાએ ગાંધર્વ વિવાહથી ચેāણાનું પાણગ્રહણ કર્યું. પછી રાજાએ નાગ અને સુલસાની પાસે જઈ તેના પુત્રના મૃત્યુના ખબર આપ્યા. તે દંપતી રાજા પાસેથી પુત્રનું અમંગળ સાંભળી મુક્તકંઠે રૂદન કરતા છતા વિલાપ કરવા લાગ્યા- “અરે કૃતાંત! તું ખરેખર કૃતાંતજ છે. તે અમારા પુત્રોને એક સાથે નાશ કેમ કર્યો? શું તેઓ બધા એક સાથે તારી સાંકળમાં આવી ગયા? પક્ષીઓને ઘણું બચ્ચાં થાય છે, પણ તેઓ અનુક્રમે મૃત્યુ પામે છે, કદિ પણ એક સાથે મરતા નથી. અથવા શું પરસ્પરના સ્નેહને લીધે તેઓ એક સાથે મરી ગયા? વા શું અમને બંનેને નિસ્નેહ જાણ્યા કે જેથી મૃત્યુએ તેમને અમારી પાસેથી ઠગી લીધા?” આ પ્રમાણે તારસ્વરે રૂદન કરતા તેઓને શ્રેણિક રાજાની સાથે આવેલ અભયકુમાર, તત્વવેત્તા આચાર્યની જેમ, બંધ કરવા લાગે કે-“અરે મહાશયો! જન્મધારી પ્રાણીઓને મૃત્યુ તે પ્રકૃતિ છે અને જીવિત વિકૃતિ છે, તે સ્વભાવસિદ્ધ એવા બનાવમાં તમારા જેવા વિવેકીને ખેદ કરવો નથી.” આ પ્રમાણે અભયકુમારે તે દંપતીને સમજાવ્યા. પછી ગ્ય વચને કહી શ્રેણિક રાજા અભયકુમાર સહિત રાજમહેલમાં આવ્યા. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું મગધપતિ શ્રેણિક, ઇંદ્રાણી સાથે ઈંદ્રની જેમ, ચલણદેવીની સાથે નિવિદને ભગ ભેગવવા લાગ્યા. પેલો ઔષ્ટ્રીકા વ્રત કરનાર સેનક તાપસ જે વ્યંતર થયો હતો, તે વ્યંતરપણાનું આયુષ્ય પૂર્ણ કરી, ચેલણાની કુક્ષિમાં પુત્રરૂપે અવતર્યો. તે ગર્ભના દોષથી ચલણાને પતિનું માંસ ખાવાને દેહદ ઉત્પન્ન થયો કે જે રાક્ષસીને પણ થાય નહીં. પતિભક્તિને લીધે ચલ્લણ તે દેહદ કેઈ ને પણ કહી શકી નહીં, તેથી દેહદ પૂર્ણ ન થવાને લીધે તે દિવસના ચંદ્રની જેમ ગ્લાનિ પામવા લાગી. આવા દુર્દેહદથી ગર્ભથી વિરક્ત થયેલી ચેલણાએ પાપને પણ અંગીકાર કરીને તે ગર્ભને પાડવા માંડયો પણ તે પડયો નહીં. જળ વગરની વેલડીની જેમ ચેલણને શરીરે સુકાતી જોઈ રાજાએ પ્રેમબંધુર વાણીથી તેનું કારણ પૂછ્યું“હે પ્રિયે! શું મેં કાંઈ તમારે પરાભવ કર્યો છે? વા કેઈએ તમારી આજ્ઞા ખંડિત કરી છે? શું કઈ દુઃસ્વપ્ન જોવામાં આવ્યું છે? વા શું તમારે કોઈ મનોરથ ભગ્ન થયો છે?” આ પ્રમાણે રાજાએ બહુ આગ્રહથી પૂછયું, એટલે જાણે વિષપાન કરતી હોય તેમ ગદ્ગદ્ અક્ષરે તેણે તેનું ખરેખરૂં કારણ કહી આપ્યું. પછી “હું તમારે દેહદ પૂરીશ” એમ પ્રિયાને આશ્વાસન આપી શ્રેણિકરાજાએ અભયકુમાર પાસે આવી તે વાત કરીને પૂછયું કે, “આ દેહદ શી રીતે પૂરો અભયે શ્રેણિકરાજાના ઉદર ઉપર સસલાનું માંસ બાંધી તેને ચર્મથી આચ્છાદિત કર્યું અને પછી તેને સવળા સુવાર્યા. શ્રેણિકની આજ્ઞાથી ચેલણ રાક્ષસીની જેમ એકાંતે તે માંસ અવ્યગ્રપણે ભક્ષણ કરવા લાગી. જ્યારે તે માંસ તોડી તોડીને ખાતી હતી ત્યારે જાણે નટવિઘાને અભ્યાસી હોય તેમ રાજા વારંવાર કૃત્રિમ મૂછ પામતો હતો. તે જોઈ પતિના દુઃખનું ચિંતવન કરતાં ચેલણાનું હૃદય કંપાયમાન થતું અને ગર્ભ સંબંધી વિચાર કરતાં તે ક્ષણવાર ઉલાસ પામતી. આવી રીતે બુદ્ધિના પ્રયોગથી ચલ્લણને દેહદ પૂર્ણ થયે, પણ પછી “અરે હું પતિને હણનારી પાપિણ છું” એમ બોલતી બોલતી તે મૂછ પામી ગઈ રાજાએ ચેલણને સાવધ કરી પિતાનું અક્ષત શરીર બતાવ્યું. તે દર્શન થતાં સૂર્યદર્શનથી કમલિનીની જેમ તે ઘણે હર્ષ પામી. નવ માસ પૂરા થયા એટલે ચંદનને મલયાચલની ભૂમિ પ્રસવે તેમ તે ચેટકકુમારીએ એક પુત્રને જન્મ આપ્યું. તત્કાળ ચલણાએ દાસીને આજ્ઞા કરી કે, “આ બાળક તેના પિતાને વૈરી છે માટે એ પાપીને સપના બચ્ચાની જેમ કાંઈક દૂર લઈ જઈને ત્યજી દે.” દાસીએ તેને લઈને અશોક વનની ભૂમિમાં જઈ મૂકી દીધો. ત્યાં ઉપપાદ શય્યામાં ઉત્પન્ન થયેલા દેવની જેમ તે પ્રકાશ કરતો છતે શોભવા લાગ્યું. તે બાળકને મૂકીને આવતી દાસીને જોઈને રાજાએ પૂછયું કે, “તું કયાં ગઈ હતી?” એટલે તેણીએ જેવું હતું તેવું સ્વરૂપ કહી દીધું. તરત જ રાજા અશવનમાં ગયો. અને તે પુત્રને જોઈ સ્વામીને પ્રસાદની જેમ પ્રીતિવડે બે હાથે ગ્રહણ કરી લીધું. પછી તેને લઈ ઘેર આવીને ચેલણાને કહ્યું કે, “અરે ! કુલીન અને વિવેકી થઈને તે આવું અકાય કેમ કર્યું? કે જે ચંડાળો પણ કરે નહિજે દુશ્ચારિણી, Page #127 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ડ્રો] શ્રેણિકને સમકિત, મેઘકુમાર, નંદીને દીક્ષા [૧૧૩ અધમી કે સાક્ષાત્ કર્કશા હોય તે પણ પિતાના ગોલકી કે કુંડ જાતિના પુત્રોને પણ તજી દેતી નથી.” ચેલ્લણું બોલી-“હે નાથ! આ પુત્રરૂપે તમારો વૈરી છે, કારણ કે જે ગર્ભમાં આવતાં જ મને મહા પાપકારી દેહદ ઉત્પન્ન થયો હતો, તેથી જ મેં તેને જન્મ થતાં છેડી દીધો હતો. કેમકે પતિનું કુશળ ઈચછનારી સ્ત્રીઓને પુત્ર હોય કે બીજે ગમે તે હોય પણ જે તે પતિને અહિતકારી હોય છે તેથી શું ?” પછી શ્રેણિક રાજાએ કહ્યું કે, “જે આ જયેષ્ટ પુત્રને તું છોડી દઈશ તે તારે બીજા પુત્રો પણ જળના પરપોટાની જેમ સ્થિર રહેશે નહીં.” આવી પતિની આજ્ઞાથી જે કે તે ઇચ્છતી નહોતી તો પણ સર્ષની જેમ તે બાળકને સ્તનપાન કરાવીને ઉછેરવા લાગી. - ચેલણાને તે પુત્ર કાંતિએ ચંદ્ર જેવો હતું અને અશોક વનમાં જ પ્રથમ જોવામાં આવ્યું હતું તેથી રાજાએ તેનું “અશોકચંદ્ર નામ પાડયું. જ્યારે તેને વનમાં છેડી દીધે હતો ત્યારે તેની કનિષ્ઠિકા આંગળી કે જે અશોક વૃક્ષના દલ જેવી કોમળ હતી, તે કુકડીએ કરડી ખાધી હતી. તેની પીડાથી રૂદન કરતાં તે બાળકની આંગળી કે જે રૂધિર-પરૂથી વ્યાપ્ત હતી, તેને રાજાએ નેહવડે મુખમાં નાંખી એટલે એ બાળક રોતો બંધ રહ્યો. અનુક્રમે કેટલેક દિવસે તે આંગળીનું વ્રણ તે રૂઝાઈ ગયું, પણ તે આંગળી બુંદી રહી, તેથી તેની સાથે ધૂળિક્રિડા કરનારા બાળકો તેને કુણકર કહેવા લાગ્યા. ત્યાર પછી ચેલ્લણા દેવીને હદયકમળમાં સૂર્યરૂપ હ@ અને વિહલ નામે બીજા બે પુત્ર થયા. ચેલણાના આ ત્રણે પુત્રો મોટા થયા એટલે જાણે મૂર્તિમાન પ્રભુત્વ, મંત્ર અને ઉત્સાહ એ ત્રણે શક્તિ હોય તેમ નિત્ય રાજાને અનુસરનારા થયા. તેમની માતા ચેલણા પિતાના ઠેષી કણિકને ગોળના લાડુ અને હલ વિહલને ખાંડના લાડુ હમેશાં મોકલતી હતી. પૂર્વ કર્મથી દૂષિત એ કુણિક આ પ્રમાણેને ટાળે શ્રેણિક જ કરે છે એવું હમેશાં મનમાં વિચારતો. અનુક્રમે કુણિક મધ્યમ વય (યૌવન)ને પ્રાપ્ત થયો, એટલે નેહવાળા શ્રેણિકે મોટા ઉત્સવથી તેને પાવતી નામની રાજપુત્રી સાથે પરણાવ્યો. શ્રેણિકરાજાની ધારણું નામની રાણેને ગાઁદ્રના સ્વપ્નથી સૂચિત ગર્ભ રહ્યો. અન્યદા તેને મેઘવૃષ્ટિમાં ભ્રમણ કરવાને દેહદ થયો. રાજાની આજ્ઞાથી અભયકુમારે દેવતાની આરાધના કરીને તે દેહદ પૂર્ણ કર્યો. પૂર્ણ સમયે તેણે મેઘકુમાર નામના પુત્રને જન્મ આપે. પૂર્વે એક બ્રાહ્મણે યજ્ઞ કરવા માંડયો હતો, તેમાં નોકર રહેવા એક દાસને તેણે પૂછયું, દાસે કહ્યું કે, “જે મને બ્રાહ્મણે જમતાં વધેલી રસોઈ આપે તે હું રહું, અન્યથા રહીશ ૧ પતિ મૃત્યુ પામ્યા પછી બીજા જારથી થયેલે પુત્ર કુંડ કહેવાય છે અને પતિ વિદ્યમાન છતાં જારથી થયેલો પુત્ર ગોલાક કહેવાય છે. ૨ મુંઠી આંગળીવાળે. D - 15 Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું નહિ.” બ્રાહ્મણે તે વાત સ્વીકારી એટલે તે દાસ યજ્ઞના વાડામાં રહ્યો. પછી શેષ રહેલી રસોઈમાં જે મળે તે બધું પેલો દાસ હમેશાં સાધુ મુનિરાજને વહેરાવવા લાગ્યો. તેના પ્રભાવથી દેવતાનું આયુષ્ય બાંધીને તે દાસ દેવલેકમાં ગયો અને સ્વર્ગમાંથી ચવીને તે શ્રેણિકરાજાને નંદીષેણ નામે પુત્ર થયો. પેલા યજ્ઞ કરનાર બ્રાહ્મણને જીવ અનેક યોનિઓમાં પરિભ્રમણ કરવા લાગ્યો. એક અરણ્યની અંદર મોટા હસ્તિયૂથમાં બળમાં દિગ્ગજના કુમાર જે એક યૂથપતિ હાથી હતું. તે કોઈ પણ બીજે યુવાન હાથી આ હાથિણીઓને સ્વામી (ઈચ્છક) ન થાઓ” એવી બુદ્ધિથી પિતાની જે જે હાથિણીને બચ્ચાં આવતાં તેને જન્મતાંવેંત જ મારી નાખતે હતા. તે ચૂથ માંહેલી એક હાથિણના ઉંદરમાં તે બ્રાહ્મણને જીવ ઉત્પન્ન થયે. ત્યારે તે ગણિ હાથિણીએ વિચાર્યું કે, “આ પાપી યૂથપતિએ મારા ઘણા પુત્રોને મારી નાખ્યા છે, તો હવે કઈ પણ ઉપાય કરીને મારા આ પુત્રની રક્ષા કરીશ.” એવો નિશ્ચય કરી જાણે વાયુથી પગ રહી ગયો હોય તેમ તે હાથિણું કપટથી લુલી લુલી ચાલવા લાગી. તેમ છતાં આ હાથિણી બીજા યૂથપતિને ભોગ્ય ન થાઓ” એમ ધારી હળવે હળવે ચાલતો યૂથપતિ તેની રાહ જોવા લાગ્યો. કમેકમે તે એટલી બધી મંદગતિએ ચાલવા લાગી કે તેથી અર્ધા પહોરે, એક દિવસે અને બે દિવસે તે આવીને ચૂથપતિને મળવા લાગી. “આ બીચારી અશક્ત છે, તેથી મને લાંબે કાળે મળે છે” એમ ધારીને હાથીના દિલમાં વિશ્વાસ બેઠો. “માયાવીથી કેણુ ન ઠગાય?” એક વખતે ચૂથપતિ દૂર જતાં તે હાથિણી માથાપર તૃણને પૂળો લઈને તાપસના આશ્રમમાં આવી. માથે પૂળે રાખતી અને પગે અલિત થતી તે હાથિને જોઈને આ બિચારી હાથિણી શરણની ઈચ્છા રાખે છે” એમ તાપસના જાણવામાં આવ્યું. એટલે “હે વત્સ! તું વિશ્વાસ રાખીને સ્વસ્થ થા.” આ પ્રમાણે તેમણે કહ્યું. પછી તે પિતાના ઘરની જેમ તેમના આશ્રમમાં રહી. અનુક્રમે જ્યારે તે હાથિણીને પુત્રને પ્રસવ થયો ત્યારે તે પુત્રને તાપસના આશ્રમમાં મૂકીને પિતે પછી પ્રથમની જેમ જ ચૂથમાં વિચારવા લાગી. કોઈ કોઈ વાર વચમાં ગુપ્ત રીતે આવી આવીને તે પોતાના બાળ કલભને સ્તનપાન કરાવી જતી હતી. તે બાલ ગજકુમાર આશ્રમના વૃક્ષની જેમ હળવે હળવે માટે થયે. તાપસો પાકેલા નીવારના ત્રાસથી અને શલકીના કવલથી પિતાના બાળકની જેમ તેનું પ્રેમથી પોષણ કરતા હતા. તે ગજકુમાર ક્રીડા કરતો છતે પિતાની સુંઢથી તપસ્વીઓના ઉત્સંગમાં પડી અને મસ્તક પર જટા મુગટ રચતો હતો. પાણીના ઘડાઓ ભરી ભરીને આશ્રમના વૃક્ષોનું સિંચન કરતા તાપને જાઈને તે કલભ પણ પિતાની સુંઢમાં જળ ભરી ભરીને વૃક્ષોનું સિંચન કરતા હતા. આ પ્રમાણે પ્રતિદિન આશ્રમના વૃક્ષોનું સિંચન કરવાથી તે કલમનું તાપસએ “સેચનક” નામ પાડયું. અનુક્રમે તેની સુંઢ સાથે વળગેલા દાંત ઉત્પન્ન થયા, નેત્ર મધુપિંગળ સરખા થયા, સુંઢ ભૂમિને સ્પર્શ કરવા લાગી, પીઠ ઉન્નત થઈ, કુંભસ્થળ ઊંચા થયા, ગ્રીવા લઘુ થઈ, વેણુક (પૂર્ણ ભાગ) કમથી નમી ગયે, સુંઢથી પુંછ જરાક જ Page #129 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ઢો] શ્રેણિકને સમતિ, મેઘકુમાર, નંદીને દીક્ષા ઉણું રહ્યું અને વિશ નથી શેવા લાગ્યો. તેમ જ પાછલા ભાગમાં નીચે ને ગાત્રના ભાગમાં ઉંચો થયો. આ પ્રમાણે હાથીનાં સર્વ લક્ષણએ સંયુક્ત થયા અને અનુક્રમે તેના મુખ ઉપર મદ પણ ઝરવા લાગ્યો. એક વખતે તે સેચનક નદીને તીરે પાણી પીવા ગયો, ત્યાં પેલો યૂથપતિ તેના જોવામાં આવ્યું. તેની સાથે યુદ્ધ કરીને તેણે (સેચનકે) તેને મારી નાખ્યો. અને પિતે બધા યૂથને પતિ થયો. પછી તેણે મનમાં વિચાર્યું કે, “જેમ મારી માતાએ મને કપટથી તાપસના આશ્રમમાં ગુપ્ત રાખે અને ત્યાં હું વૃદ્ધિ પામવાથી મારા પિતાને જેમ મેં મારી નાખ્યો તેમ એ આશ્રમમાં કઈ બીજે હસ્તી પણ વૃદ્ધિ પામીને તેવું કરી શકે, માટે એ આશ્રમોજ રહેવા જોઈએ નહીં. આવું વિચારી તેણે તટને નદી ભાંગી નાંખે તેમ તે બધા આશ્રમને તેનું ઠેકાણું પણ ન જણાય તેવી રીતે ભાંગી નાંખ્યાં. પછી “આ દુરાત્મા હસ્તી આપણને કઈ પણ આશ્રમમાં સુખે રહેવા દેશે નહીં. એમ ધારીને તે તાપસોએ જઈ શ્રેણિક રાજાને કહ્યું કે, “એક હાથી સર્વ લક્ષણેથી સંયુક્ત હોવાથી રાજાને યોગ્ય છે. આપ માણસે મોકલે તે બતાવીએ.” તત્કાળ શ્રેણિક રાજાએ માણસો સાથે જઈ તે હાથીને પકડીને બાંધી લીધા અને પિતાના દરબારમાં આર્યો. “રાજાઓ સેનાના અંગને વધારવાના કૌતુકી હોય છે.” આવા અસહ્ય બળવાળા હાથીને પણ રાજાએ બળાત્કારે બાંધી લીધો. “જળને અભેદ્ય ન હોવાની જેમ મનુષ્યને શું અસાધ્ય છે?” તે સેચનકના પગમાં સાંકળ નાખી નહોતી પણ તે ક્રોધથી જાણે ચિત્રસ્થ હોય તેમ સુંઢ, પુંછ અને કાન સ્થિર કરીને રહ્યો હતે. તેવામાં સારે ભાગે આપણું આશ્રમોનું કુશળ થયું.” એમ વિચારીને પ્રસન્ન થતા પેલા તાપસે ત્યાં આવીને તે બાંધેલા હાથીને તિરસ્કાર કરવા લાગ્યા કે-“અરે દુષ્ટ ! અમે તને લાલિત પાલિત કરી પિષણ આપી મેટ કર્યો ત્યારે તું ઉલટો અગ્નિની જેમ પિતાના જ સ્થાનનો ઘાત કરનાર થયે. અરે દુમતિ! અરે બળથી ઉન્મત્ત થયેલા! તેં જે અમારા આશ્રમ ભાંગ્યા તે કર્મનું જ તને આ બંધન રૂપે ફળ મળ્યું છે.” આવા તાપસના વચને સાંભળી હાથીએ વિચાર્યું કે, “જરૂર આ તપસ્વીઓએ જ કોઈ ઉપાયની રચના કરી મને આ દશાને પમાડયો છે.” પછી તત્કાળ તેણે ક્રોધથી કદલીના સ્તંભની જેમ આલાનસ્તંભને ભાંગી નાખ્યો અને કમળનાં બીસતંતુની જેમ તડતડાટ બંધનો તોડી નાંખ્યા, પછી છુટે થઈ ક્રોધથી નેત્ર અને મુખ રાતાં કરી ભ્રમરની જેમ પેલા તાપસને દૂર ફેંકી દીધા અને પોતે અરણ્ય તરફ દેડક્યો. શ્રેણિક રાજા અશ્વારૂઢ થયેલા પુત્રોને લઈને તે હાથીની પછવાડે દેડક્યો, અને મૃગયામાં પ્રાપ્ત થયેલા મૃગની જેમ તેને ચારે તરફથી ઘેરી લીધું. તે મત્ત ગજેન્દ્ર જાણે વ્યંતરગ્રસ્ત થયો હોય, તેમ હાવતના પ્રલોભનને કે તિરસ્કારને જરા પણ ગણતે નહોતે, પરંતુ નંદીનું વચન સાંભળીને અને તેને જોઈને તે શાંત થઈ ગયો. તેજ વખતે તેણે અવધિજ્ઞા Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું નથી પોતાનો પૂર્વ જન્મ જાણી લીધું. પછી નંદીષેણ તરતજ તેની પાસે આવી તેની કક્ષાનું આલંબન કરી દાંત ઉપર પગ દઈને તેના ઉપર આરૂઢ થયે અને તેના કુંભસ્થળ ઉપર ત્રણ મુષ્ટિ મારી. નંદીના વચનથી દંતઘાત વિગેરે ક્રિયા કરતો તે હાથી જાણે શિક્ષિત હોય તેમ બંધન સ્થાનકે આવ્યા. પછી શ્રેણિકે તે હાથીને પટ્ટો આપે અર્થાત પિતાનો પટ્ટહસ્તિ ઠરાવ્યું અને યુવરાજની જેમ તેને પિતાને પ્રીતિપાત્ર કર્યો. શ્રેણિક રાજાને કુલીન પત્નીએથી બીજા પણ કાળ વિગેરે ઘણું પરાક્રમી પુત્રો થયા. શ્રી વીરપ્રભુ ભવ્ય પ્રાણીઓને બંધ કરવા માટે વિહાર કરતા સુર અસુરોના પરિવાર સાથે રાજગૃહ નગરે આવ્યા. ત્યાં ગુણશીલ ચૈત્યમાં દેવતાઓએ કરેલા ચૈત્યવૃક્ષથી શોભિત સમવસરણમાં પ્રભુએ પ્રવેશ કર્યો. વીરપ્રભુને સમવસર્યા સાંભળી શ્રેણિકરાજા પુત્ર સહિત મોટી સમૃદ્ધિથી વાંદવા આવ્યા. પ્રભુને પ્રદક્ષિણા કરી, નમી, એગ્ય સ્થાને બેસીને ભક્તિમાન શ્રેણિકરાજા આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા-“હે ત્રાતા ! જગતને જીતનારા તમારા બીજા ગુણો તે એક તરફ રહ્યા પણ માત્ર ઉદાત્તશાંત એવી તમારી મુદ્રાએ જ આ ત્રણ જગતને જીતી લીધા છે. તેથી મેરૂ તૃણ સમાન અને સમુદ્ર ખાબોચીઆ જેવો થઈ ગયો છે. સર્વ મોટાઓથી પણ મેટા એવા તમને જે પાપીઓએ છોડી દીધા છે, તેઓના હાથમાંથી ચિંતામણિ રત્ન પડી ગયું છે અને જે અજ્ઞાનીઓએ તમારા શાસનના સર્વસ્વને સ્વાધીન કર્યું નથી, તેઓએ અમૃતને પ્રાપ્ત કરીને વૃથા કર્યું છે. જે તમારી ઉપર પણ ગુચ્છાકાર (વાંકી) દષ્ટિ ધારણ કરે છે, તેને સાક્ષાત્ અગ્નિનું શરણ જ પ્રાપ્ત થાય છે. તે વિષે વધારે શું કહેવું? જેઓ બીજા શાસને સાથે તમારા શાસનની તુલના કરે છે, તે હતાત્માએ અમૃત અને વિષને સમાન ગણે છે. જેઓ તમારા ઉપર મત્સરભાવ ધરે છે, તેઓ બહેરા અને મુંગા થાય છે, કારણ કે પાપકર્મથી શુભ પરિણામની વિકળતાજ થાય છે. જેઓ તમારા શાસનરૂપ અમૃતરસથી હમેશાં પોતાના આત્માને સિંચન કરે છે, તેઓને મારી પ્રણામાંજલિ છે અને અમે તેમની ઉપાસના કરીએ છીએ. જેમના મસ્તક ઉપર તમારા ચરણનખના કિરણે ચિરકાળ ચુડામણિ થઈ રહે છે, તે ભૂમિને પણ નમસ્કાર છે, એથી બીજું શું કહીએ. હું ધન્ય છું, સફળ જન્મવાળો છું અને કૃતાર્થ થયો છું કે જે તમારા ગુણગ્રામની રમણીયતામાં લંપટ રહ્યો છું.” આ પ્રમાણે સ્તુતિ કરીને શ્રેણિકરાજા વિરામ પામ્યા પછી શ્રી વિરપ્રભુએ અમૃતવૃષ્ટિ જેવી ધર્મદેશના આપી. પ્રભુની દેશના સાંભળી શ્રેણિક રાજાએ સમક્તિને આશ્રય કર્યો અને અભયકુમાર વગેરેએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. દેશનાને અંતે પ્રભુને પ્રણામ કરી તેમની વાણીથી પ્રસન્ન થયેલા પુત્રોની સાથે શ્રેણિક રાજા સ્વસ્થાનકે ગયા. ૧ અહીં જાતિસ્મરણ જ્ઞાનનો સંભવ છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ હો] શ્રેણિકને સમકિત, મેઘકુમાર, નરીષેણને દીક્ષા [૧૧૭ શ્રેણિક રાજા રાજભુવનમાં ગયા પછી તેમના મેઘકુમાર નામના પુત્રે તેમને અને ધારણુદેવીને ભક્તિથી અંજલિ જોડી ઉદાર વચને વિજ્ઞપ્તિ કરી કે–“તમેએ ચિરકાળ મારૂં લાલનપાલન કર્યું છે, હું કેવળ તમને શ્રમ આપનાર થયો છું, તથાપિ આટલી વિશેષ પ્રાર્થના કરું છું કે, હું આ અનંત દુઃખદાયી સંસારથી ચકિત થઈ ગયો છું, અને તે સંસારના તારક શ્રી વિરપ્રભુ સ્વયમેવ અહિં પધાર્યા છે, તો તમે મને આજ્ઞા આપે કે, જેથી હું સંસારભરૂના શરણરૂપ શ્રી વીરપ્રભુના ચરણમાં જઈને દીક્ષા લઉં.” શ્રેણિક અને ધારણ પુત્રના આવાં વચન સાંભળીને બોલ્યા કે “પુત્ર! આ વ્રત કાંઈ સહેલું નથી, તે તું કોમલાંગ થઈને તેને શી રીતે પાળી શકીશ?” મેઘકુમાર બોલ્યો-“હે પૂજ્ય! હું સુકુમાર છું છતાં સંસારથી ભય પામેલ હોવાથી તે દુષ્કર વ્રતને આદરીશ; માટે મારા પર પ્રસન્ન થાઓ. હે માતપિતા! જે મૃત્યુ માતપિતાના ઉલ્લંગમાંથી પણ પુત્રાદિકને ખેંચી લે છે, તે મૃત્યુને પ્રભુના ચરણને અનુસરવાથી હું છળ કરી છેતરીશ.” શ્રેણિક બેલ્યા-“વત્સ! જે કે તું સંસારથી ઉદ્વિગ્ન થયો છું, તથાપિ મારા રાજ્યને એક વાર ગ્રહણ કર અને મારી દષ્ટિને શાંતિ આપે. મેઘકુમારે તેમ કરવાને સ્વીકાર્યું એટલે રાજાએ મોટા મહોત્સવથી તેને રાજ્યપર બેસાર્યો. પછી રાજાએ હર્ષના આવેશથી પૂછયું કે, “હવે હું તને બીજું શું કરી આપું?” મેઘકુમાર બોલ્યો-“પિતાજી! જે મારા પર પ્રસન્ન થયા હો તો દીક્ષા ગ્રહણની ઈચ્છાવાળા મને કુત્રિકની દુકાનેથી રજોહરણ અને પાત્રાદિક મંગાવી આપે.” રાજા પોતાના વચનથી બંધાઈ ગયા હતા તેથી તેને કચવાતે મને પણ તેમ કરવું પડ્યું. પછી મેઘકુમારે પ્રભુની પાસે જઈને દીક્ષા લીલી. પહેલી જ રાત્રે મેઘકુમાર મુનિ નાના મોટાના ક્રમથી છેવટના સંથારા ઉપર સુતા હતા, તેથી બહાર જતા આવતા મુનિઓના ચરણ વારંવાર તેના શરીર સાથે અથડાતા હતા. તેથી તેને વિચાર થયો કે, “હું વૈભવ વગરનો હોવાથી જ આ મુનિઓ મને પગથી સંઘટ્ટ કરતા જાય છે. કેમકે “સર્વ ઠેકાણે વૈભવ જ પૂજાય છે. માટે પ્રાતઃકાળે પ્રભુની આજ્ઞા લઈને વતને છોડી દઈશ.” આવો વિચાર કરતાં કરતાં તેણે માંડમાંડ રાત્રિ નિર્ગમન કરી. પ્રાતઃકાળે વ્રતને છોડવાની ઈચ્છાથી તે પ્રભુની પાસે ગયા. સર્વજ્ઞપ્રભુ કેવળજ્ઞાનવડે તેને ભાવ જાણીને બોલ્યા કે, “અરે મેઘકુમાર! સંયમના ભારથી ભગ્ન ચિત્તવાળો થઈ તું તારા પૂર્વાવને કેમ સંભાતે નથી? સાંભળ! આ ભવથી ત્રીજે ભવે તું વૈતાઢઋગિરિ ઉપર મેરૂપ્રભ નામે હાથી હતો. એક વખતે વનમાં દાવાનળ લાગવાથી તૃષાત્ત થઈને તું સરોવરમાં પાણી પીવાને ગયે, ત્યાં કાદવમાં ખેંચી ગયે; તેથી નિર્બળ થઈ ગયેલા તને તારા શત્રુ હસ્તીએ આવીને દંતાદિના બહુ પ્રહાર કર્યા. તેથી સાતમે દિવસે મૃત્યુ પામીને તેજ નામને તું વિધ્યાચળમાં હાથી થયો. એક વખતે વનમાં દાવાનળ લાગેલા જોઈ જાતિસ્મરણ થવાથી તૃણ આ દેવાધિષ્ઠિત દુકાન હતી અને ત્યાંથી ચીજ માગે તે મળતી હતી. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું વૃક્ષ વિગેરેનું ઉમૂલન કરીને ચૂથની રક્ષાને માટે તે નદીકીનારે ત્રણ થંડિલે કર્યા. અન્યદા પાછો દાવાનળ પ્રગટ થયેલો જોઈ તું પિલા સ્પંડિલ તરફ દેડક્યો, ત્યાં મૃગ વિગેરે જનાવરાએ આવીને પ્રથમથી બે સ્થડિલ તે પૂરી દીધા હતા, તેથી તું ત્રીજા સ્પંડિલમાં ગયો. ત્યાં રહ્યા છતા શરીરને ખુજલી કરવાને માટે તે એક પગ ઉંચે કર્યો, તેવામાં પરસ્પર પ્રાણીઓના સંમર્દથી સંકડાઈ ગયેલ એક સસલો તે પગવાળી જગાએ આવીને ઉભો રહ્યો. પગ પાછો મૂકતાં તેને જોઈ દયાપૂર્ણ હૃદયવાળો તું જેમ મદથી ઉભો રહે તેમ તે પગ ઉંચો રાખી ત્રણ પગે ઉભો રહ્યો. અઢી દિવસે દાવાનળ શાંત થાય તેથી તે સસલા વિગેરે પ્રાણીઓ પિતાપિતાને ઠેકાણે ચાલ્યા ગયા, એટલે, ક્ષુધા તૃષાથી પીડિત એવો તું પાણી માટે દેડવા ગયો, પરંતુ ઘણીવાર સુધી ત્રણ પગે રહેવાથી ચોથે પગ બંધાઈ જવાને લીધે તું ચાલી ન શકતાં પૃથ્વી પર પડી ગયા. સુધા અને તૃષાના દુઃખથી ત્રીજે દિવસે તું મૃત્યુ પામ્યો. પરંતુ સસલાપર કરેલી દયાના પુણ્યથી તું રાજપુત્ર થયો છું. તને માંડમાંડ મનુષ્યભવ પ્રાપ્ત થયો છે, તે તેને વૃથા શા માટે ગુમાવે છે? એક સસલાની રક્ષા કરવા માટે તે આટલું બધું કષ્ટ સહન કર્યું હતું તો અત્યારે સાધુઓના ચરણસંઘટ્ટના કષ્ટથી કેમ ખેદ પામે છે? એક જીવને અભય દાન આપવાથી તને આટલું ફળ પ્રાપ્ત થયું તે સર્વ જીવોને અભયદાન આપનાર મુનિપણને પ્રાપ્ત કરવાના ફળની તો વાત જ શી કરવી? માટે તે જે વ્રતને સ્વીકાર્યું છે તેનું સારી રીતે પાલન કર અને આ ભવસાગરને તરી જા, કારણ કે તેને ઉતારવાને સમર્થ એવું મનુષ્યપણું આ લેકમાં ફરીને પામવું દુર્લભ છે.” આવી પ્રભુની વાણીથી મેઘકુમારમુનિ વ્રતમાં સ્થિર થયા. તેણે રાત્રિએ થયેલા માઠા વિચારનું મિથ્યાદુકૃત કર્યું અને વિવિધ તપ આચરવા માંડયું. એ પ્રમાણે સારી રીતે વ્રત પાળી મૃત્યુ પામીને તે વિજયવિમાનમાં દેવતા થયા. ત્યાંથી ચવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈને મોક્ષને પામશે. એક દિવસ પ્રભુની દેશનાથી પ્રતિબધ પામેલા નંદીષેણે વ્રત લેવાની ઈચ્છાથી શ્રેણિક રાજાની રજા માગી. પિતાની સંમતિ મળવાથી તે વ્રત લેવાને ઘરથી બહાર નીકળે, ત્યાં કોઈ દેવતાએ અંતરિક્ષમાં રહીને કહ્યું કે, “વત્સ! તું વ્રત લેવાને ઉસુક કેમ થઈ જાય છે? હજુ તારે ચારિત્રને આવરણ કરનારૂં ભગફળ કર્મ બાકી છે. તે કર્મને ક્ષય થાય ત્યાં સુધી થોડોક કાળ ગૃહમાં રહે અને તે કર્મનો ક્ષય થાય એટલે દીક્ષા લેજે. મતલબ કે અકાળે કરેલી ક્રિયા ફળિભૂત થતી નથી.” તે સાંભળી નદીષેણે કહ્યું, “સાધુપણામાં નિમગ્ન થયેલા મને ચારિત્રમાં આવરણ કરનાર કર્મ શું કરી શકવાનું છે?” આ પ્રમાણે કહી તે પ્રભુની પાસે આવ્યો. પ્રભુએ પણ તેને વાર્યો, તથાપિ તેણે ઉતાવળ કરીને પ્રભુના ચરણકમળ પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપને આચરતા છતા નંદીષેણમુનિ પ્રભુની સાથે ગામ આકર અને પુર વિગેરેમાં વિહાર કરવા લાગ્યા. તે ગુરૂની Page #133 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ ઢો] શ્રેણિકને સમક્તિ, મઘકુમાર, નંદીને દીક્ષા [૧૧૯ પાસે બેસી સૂત્ર અને સૂત્રના અર્થને નિત્ય વિચારતા હતા અને પરિસહ સહન કરતા હતા. ભેગ્યકર્મના ઉદયથી બળાત્કારે થતી ભોગની ઈરછાને નિરોધ કરવા તે તપસ્યાથી પોતાના શરીરને અધિક કૃશ કરતા હતા. ઇન્દ્રિયોના વિકારને પરાભવ કરવાને માટે પ્રતિદિન સ્મશાન વિગેરે ભૂમિમાં જઈ ઘેર આતાપના લેતા હતા. જ્યારે વિકારો બળાત્કારે ઉઠતા ત્યારે વ્રતભંગથી કાયર થઈને ઇન્દ્રિયોને શોષણ કરવા સ્વયમેવ તેને બંધ કરવામાં પ્રવર્તતા હતા. વતને લેતાં વારનાર દેવતા તેના બંધને છેદી નાખતે ત્યારે શરવડે મૃત્યુ પામવાની તજવીજ કરતા હતા, પરંતુ દેવતા તેના શસ્ત્રને કુંઠિત કરી નાખતા હતા. વળી મારવાની ઈચ્છાથી ઝેર ખાતાં તે વિષના વયને દેવતા હરી લેતા અને જો અગ્નિમાં પેસતા તો અગ્નિને શીતલ કરી નાખતા હતા. કોઈવાર પર્વત ઉપરથી ઝંપાપાત કરતા તો દેવતા તેને ઝીલી લઈને કહેતા કે “હે નંદીષેણ! મારું વચન કેમ સંભારતા નથી? અરે દુરાગ્રહી! તીર્થંકર પણ ભોગ્યફળ કર્મને ભોગવ્યા વિના તેને ટાળવાને સમર્થ નથી, તો તમે પ્રતિદિન વૃથા પ્રયત્ન શા માટે કરો છો ?' આ પ્રમાણે દેવતાએ તેને વારંવાર કહ્યું, તો પણ તેણે માન્યું નહીં. અન્યદા એકાકી વિહાર કરનારા નંદણમુનિ છઠ્ઠનું પારણું કરવા ભિક્ષાને માટે નીકળ્યા. અનાભેગના દોષથી પ્રેરાઈને તે એક વેશ્યાના ઘરમાં પેઠા, ત્યાં જઈને તેમણે ધર્મલાભ દીધે. એટલે “મારે તો કેવળ અર્થને લાભ છે, ધર્મના લાભની મારે જરૂર નથી” એમ હાસ્ય કરતી છતી વિકારયુક્ત ચિત્તવાળી વેશ્યા બોલી. તે વખતે “આ વરાડી શું મને હસે છે ? એમ વિચારી મુનિએ એક તૃણ ખેંચીને લબ્ધિવડે રત્નનો ઢગલો કરી દીધું. પછી “આ લે અને લાભ” એમ કહી તેના ઘરમાંથી મુનિ બહાર નીકળ્યા. વેશ્યા સંઘમ સહિત તેમની પછવાડે દોડીને કહેવા લાગી કે, “હે પ્રાણનાથ ! આવું દુષ્કર વ્રત છોડી દ્યો, અને મારી સાથે ભોગ ભગ, અન્યથા હું મારા પ્રાણ છોડી દઈશ.” આ પ્રમાણે વારંવાર કરેલી વિનતિથી નંદીષણમુનિએ વ્રત તજવાના દેષને જાણતાં છતાં ભાગ્ય કમને વશ થઈને તેનું કથન સ્વીકાર્યું, પણ એવી પ્રતિજ્ઞા કરી કે “જે હું પ્રતિદિન દશ અથવા તેથી વધારે માણસોને બોધ ન કરૂં તે મારે ફરી દીક્ષા લેવી.” પછી મુનિલિંગને છોડી દઈને નદીણ વેશ્યાને ઘેર રહ્યા અને પેલા દેવતાની તથા વીરપ્રભુની દીક્ષા અટકાવનારી વાણી વારંવાર સંભારવા લાગ્યા. ત્યાં રહ્યા છતા નિરંતર વેશ્યા સાથે ભોગ ભેગવવા લાગ્યા અને પ્રતિદિન દશ ભવ્યજનોને પ્રતિબોધ કરીને દીક્ષાને માટે પ્રભુની પાસે મોકલવા લાગ્યા. એક વખતે ભગફળકર્મ ક્ષીણ થવાથી નંદીષેણે નવ માણસને બંધ કર્યો પણ દશમો એક સોની હતી તે કઈ રીતે પ્રતિબંધ પામે નહીં. તેને બોધ કરવામાં બહુ વખત રોકાવાથી વેશ્યા રસેઈ કરીને વારંવાર બોલાવવા માટે માણસને મોકલવા લાગી. પણ પિતાને અભિગ્રહ પૂર્ણ ન થવાથી તે ભજન કરવાને ઉઠવા નહીં અને આદરથી વિવિધ વાણીની યુક્તિવડે તે સોનીને બંધ કરવા લાગ્યા. છેવટે વેશ્યાએ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું પિતે આવીને કહ્યું કે, “હે સ્વામી! મેં જે પ્રથમ રસોઈ કરી હતી તે તે કરીને વિરસ થઈ ગઈ તેથી ફરીવાર રસોઈ તૈયાર કરી છે, માટે હવે શા માટે વિલંબ કરો છે?” નંદીષેણ બોલ્યા કે, “મારી પ્રતિજ્ઞા પ્રમાણે આજે આ દશમે માણસ પ્રતિબંધ પામ્યા નહિ' માટે પોતેજ દશમો થઈ દીક્ષા ગ્રહણ કરીશ.” આ પ્રમાણે કહી પોતે ભાગ્યકર્મ હતું તેટલું ભેગવી લીધું, એમ વેશ્યાને જણાવી ત્યાંથી નીકળી ગયા અને પ્રભુની પાસે આવી પુનઃ દીક્ષા ગ્રહણ કરી. એ મહાત્મા નંદીષેણુમુનિ પિતાના દુષ્કૃત્યની આલોચના કરી શ્રી વીરજિનંદ્રની સાથે વિહાર કરતા અને તીક્ષણ વ્રતને પાળતા છતા કાળ કરીને દેવતા થયા. इत्याचार्य श्री हेमचंद्रसरि विरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये दशमपर्वणि श्रेणिक सम्यक्त्वलाभ मेघकुमार नंदीषेण प्रव्रज्या aઈનો નામ Sષ્ટઃ સઃ | 9 સગ ૭ મે = 0 Sછે. ચલ્લણને વેગ્ય એકતંભ પ્રાસાદનું નિર્માણ, આમ્રફળનું હરણ, શ્રેણિકે કરેલું વિદ્યાગ્રહણ, દુર્ગધાની તથા આદ્રકુમારની કથા ચેક્ષણની સાથે જલક્રીડાદિકથી રમત શ્રેણિક જાણે પ્રેમસૂત્રથી તેનું મન પરોવાયેલું હોય તે દેખાતો હતો. તે પિતાના કરની કાંચકી કરી પ્રતિદિન એકાંતમાં ચલણદેવીના કેશપાશને ઓળતે હતો. પિતાને હાથે ગુંથેલી સુંદર પુષ્પમાળાઓથી વાળબંધક સેવકની જેમ તે તેના કેશપાશને બાંધતો હતો; પોતે જ ઘસેલા કસ્તુરી દ્રવ્યથી તેના ગાલ ઉપર ચિત્રકારની જેમ વિચિત્ર પત્રવલી આળેખતો હતો; અને હંમેશાં આસન પર બેસતાં, શયન કરતાં, ભજન કરતાં કે બીજા કોઈ પણ કાર્ય વખતે એક નાજરની જેમ તેનું પડખું છેડતો નહતે. અન્યદા (દીન દુઃખીને) ભયંકર શિશિરઋતુ આવી. હિમના ભારને વહન કરનાર વનદાહક ઉત્તરદિશાને પતન વાવા લાગે. શ્રીમંત લોકે સઘડીઓ પાસે રાખીને અને કેશરનું વિલેપન કરીને ગર્ભગૃહમાં રહી કાળ નિર્ગમન કરવા લાગ્યા. તે વખતે ગરીબ લોકોના બાળક વસ્ત્ર વગર હાથીના દાંત જેવા ખુલ્લા હાથ કરી ધ્રુજતા ધ્રુજતા ગૃહદ્વાર ઉપર દંતવિણા વગાડતા હતા. યુવાન પુરૂષે રાત્રે સ્વભાવે ઉષ્ણુ એવા પ્રિયાના સ્તન ઉપરથી પિતાના કરકમળને દૂર Page #135 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ મ] ચેલણને પ્રાસાદ, શ્રેણિકનું વિદ્યાગ્રહણ વિગેરે [ ૧૨૧ કરતા નહતા તે સમયે તે કર તુંબિકા પર રહેલા વિણાદંડ જે દેખાતો હતો. એવા સમયમાં સર્વ અતિશયે સંપૂર્ણ અને સુર અસુરેએ સેવાતા જ્ઞાતનંદન શ્રી વીરપ્રભુ ત્યાં સમવસર્યા. તે ખબર સાંભળી શ્રેણિક રાજા અપરાન્ડકાનેર ચેલ્લેણાદેવીની સાથે શ્રી વીરપ્રભુને વાંદવા આવ્યા. શ્રી વીરઅહંતને વાંદીને રાજદંપતી પાછા વળ્યા. માર્ગમાં કઈ જળાશયની પાસે એક પ્રતિભાધારી મુનિને જોયાં. ઉત્તરીયવસૂ૩ રહિત શીત પરિસહને સહન કરતા તે મુનિને તેઓએ તરત વાહન ઉપરથી નીચે ઉતરીને વાંદ્યા. પછી ધર્મ સંબંધી વાતો કરતો શ્રેણિકરાજા પત્ની સહિત તે મુનિને ભક્તિપૂર્વક વાંદીને પિતાના મહેલમાં આવ્યા. સાયંકાળને યોગ્ય બધી ક્રિયાઓ કરીને રાજા અગરૂ કપૂરના ધૂપથી અંધકારિત એવા વાસગૃહમાં ગયે. ચેલણદેવીએ જેની ભુજલતાનું ઓશીકું કર્યું છે એવો તે તેની છાતી પર હાથ મૂકીને સુઈ ગયો. ચેલણાએ સ્તનને નીચા કરીને ગાઢ આલિંગન દેવાથી રાજાને નિદ્રા આવી ગઈ, તેમ જ રાજાના આલિંગનથી રાણીને પણ નિદ્રા આવી ગઈ. ગાઢ નિદ્રા આવતાં ચેલણને કર પલ્લવ આચ્છાદનમાંથી બહાર નીકળી ગયો. “ઘણું કરીને નિદ્રા આલિંગનને છોડાવી દે છે.” વીંછીના કાંટાની જેમ દુસહ શીતને તેના કરને સ્પર્શ થયે, તેની વેદનાથી ચેલણ તરત જાગ્રત થઈ ગઈ. ટાઢની પીડાથી સીત્કાર કરતી તેણીએ રાજાના હૃદયમાં મનની જેમ પોતાના હાથને આચ્છાદનની અંદર સ્થાપન કર્યો. તે વખતે પેલા ઉત્તરીય વસ્ત્ર રહિત પ્રતિમાધારી મુનિનું તેને સ્મરણ થયું, તેથી તે બોલી કે “અહો ! આવી ઠંડીમાં તેનું શું થયું હશે?' આમ બોલ્યા પછી પાછી ફરીવાર એ સરલ હૃદયવાળી ચેલાને નિદ્રા આવી ગઈ. “મહાન હૃદયવાળા માણસોને પ્રાયઃ નિદ્રા દાસીની જેમ વશ્ય હોય છે.” ચેલણાના સીત્કારથી અલ્પ નિદ્રાવાળો રાજા જાગી ગયું હતું, તે તેણીનું પૂર્વોક્ત વચન સાંભળી ચિત્તમાં વિચાર કરવા લાગ્યો કે, “જરૂર આના મનમાં કઈ બીજે પુરૂષ રમવાને ઇચ્છાયેલે છે કે જેને માટે આવી શીતની પીડાની સંભાવનાથી અત્યારે તે શેચ કરે છે. આવા વિચારથી ઈષ્યવડે વ્યાકુળ થયેલા શ્રેણિક રાજાએ બાકીની બધી રાત્રિ જાગ્રતપણે જ નિર્ગમન કરી. “ી ઉપર પ્રીતિ રાખનાર કોઈ પણ સચેતન પુરૂષ કદિ પણ ઈર્ષ્યા વગરને હેતો નથી.” પ્રાત:કાળે ચેલણને અંતઃપુરમાં જવાની આજ્ઞા કરીને પ્રચંડ શાસનવાળા શ્રેણિકે અભયકુમારને બોલાવી આ પ્રમાણે કહ્યું કે, “હે વત્સ! મારૂં અંતઃપુર સઘળું દુરાચારથી કષિત થયેલું છે, માટે તું તે અંતઃપુરને બાળી નાખ. તેમાં તું જરા પણ માતાપરને મોહ રાખીશ નહીં.” આ પ્રમાણે અભયને આજ્ઞા આપી ને અદૂભૂત લક્ષમીવડે વિરાજમાન શ્રેણિક રાજા અહંત શ્રી વીરપ્રભુને વાંદવા ગયા. અભયકુમાર પિતાની આજ્ઞાથી ભય પામ્યો, ૧ જ્ઞાત એવું સિદ્ધાર્થ રાજાનું નામ છે તેમના પુત્ર તે જ્ઞાતનંદન. ૨ બપોરે. ૩ ઓઢવાનું વસ્ત્ર. D - 16 Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું પણ તે સ્વભાવે જ વિચારીને કામ કરનાર હતો, તેથી તે ધીમાન્ પિતાના મનની સાથે વિચાર કરવા લાગ્યો કે “મારી બધી માતાઓ સ્વભાવે જ મહા સતીઓ છે, અને હું તેઓની રક્ષા કરનારા છું, છતાં પિતાની આજ્ઞા પાવી થઈ તે પિતાને જે સંભવિત લાગ્યું, તે હું અસંભવિત શી રીતે કરૂં? વળી પિતાને કેપ નદીના પૂરની જેમ અસહ્ય છે, તથાપિ કાંઈ પણ વિચિત્ર બહાનું કાઢીને કાળક્ષેપ કરવાથી રાજાનો કોપ નિવૃત્ત થવાનો સંભવ છે. આ વિચાર કરીને ચતુર અભયકુમારે અંતઃપુર પાસેની હાથીખાનાની છણકુટીઓને સળગાવી દીધી અને અંતઃપુર દગ્ધ કર્યું’ એવી આઘેષણ બધે પ્રવર્તાવી. અહિં શ્રેણિકરાજાએ શ્રી વીરપ્રભુને અવસર પામીને પૂછયું કે, “હે પ્રભુ! ચેલણું એક પતિવાળી છે કે અનેક પતિવાળી છે?” પ્રભુ બેલ્યો-“હે રાજન ! તારી ધર્મપત્ની ચલણા મહાસતી છે અને શીલ અલંકારથી શોભિત છે, તેથી એ સ્ત્રી ઉપર કાંઈ પણ શંકા લાવીશ નહીં.” આ પ્રમાણેનાં પ્રભુનાં વચન સાંભળી પશ્ચાત્તાપ કરતા શ્રેણિક રાજા તત્કાળ પ્રભુને નમસ્કાર કરીને પિતાના નગર તરફ દેડતા ચાલ્યા. અહિં અગ્નિ સળગાવીને અભયકુમાર તેમની સામે આવતા હતા, તેને રાજાએ પૂછયું કે, “કેમ તેં મારી આજ્ઞા પ્રમાણે કર્યું?” અભય નિર્ભય થઈ પ્રણામ કરી અંજલિ જેડીને બોલ્યો કે, “હે સ્વામી! આપની આજ્ઞા બીજાને પણ પ્રમાણ છે, તે માટે કેમ ન હોય?” રાજા બોલ્ય-“અરે પાપી! પિતાની માતાઓને બાળીને તું અદ્યાપિ કેમ જીવે છે? તું અગ્નિમાં કેમ પડ્યો નહીં?” અભયકુમાર બોલ્યા- “તાત! અહંતનાં વચનને સાંભળનારા એવા મને પતંગની જેમ મરવું ચોગ્ય નથી, હું તો સમય આવશે ત્યારે વ્રત ગ્રહણ કરીશ, અને તે વખતે વીરપ્રભુની આજ્ઞા એવી થશે તે પતંગની જેમ મૃત્યુ પણ પામીશ, તેમાં જરા પણ સંશય રાખશે નહીં.” રાજાએ કહ્યું કે, “અરે! મારા વચનથી પણ તેં આવું અકાર્ય કેમ કર્યું?” એમ કહી જાણે વિષપાન કર્યું હોય તેમ રાજા મૂછ ખાઈને ભૂમિપર પડી ગયા. પછી અભયકુમાર શીતળ જળથી રાજાને સિંચન કરવા લાગ્યું. જ્યારે શ્રેણિક સ્વસ્થ થયા ત્યારે અભયે કહ્યું કે, “હે પ્રભુ! અંતઃપુરમાં તે કુશળતા છે. કેઈ દુર્ભાગ્યના યોગે તમે મારી માતાઓ ઉપર અવકૃપા કરીને તેને નિગ્રહ કરવાની મને આજ્ઞા કરી, પણ મેં તેમ કર્યું નથી, તે મારો અપરાધ થયે છે. પિતાજી! તેને બદલે અંતઃપુરની નજીક રહેલી હાથીઓની છણું પર્ણકુટીઓ મેં બાળી છે. તમારી આજ્ઞા પણ હું વિચાર્યા વગર કરૂં તેવો નથી.” રાજા તે વચન સાંભળી હર્ષથી બે કે “હે વત્સ! તું ખરેખર મારા પુત્ર છે અને પૂરે બુદ્ધિમાનું છે કે જેથી મારી પર આવી પડેલું કલંક તેં બુદ્ધિવડે દૂર કરી નાખ્યું છે.” પછી શ્રેણિકરાજા પારિતોષિકવડે અભયકુમારને સંતોષી ચેલ્લાદેવીના દર્શનમાં ઉત્સુક થઈને ઉતાવળો તેણીના ગૃહમાં ગયો અને નવનવા પ્રેમથી લક્ષમી સાથે કૃષ્ણની જેમ ચલ્લણની સાથે પ્રતિદિન ક્રીડા કરવા લાગે. એક વખતે શ્રેણિક રાજાએ વિચાર કર્યો કે, ચેલુણાદેવી મને સર્વ સ્ત્રીઓ કરતાં વધારે પ્રિય છે, તો બીજી રાણીઓથી તેણી ઉપર વિશેષ પ્રાસાદ ો કરવો? તેણીને માટે Page #137 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ મા] ચેલ્લણાના પ્રાસાદ, શ્રેણિકનું વિદ્યાગ્રહણ વિગેરે [૧૨૩ હુ એકસ્ત’ભવાળો પ્રાસાદ કરાવું કે જેમાં રહીને વિમાનમાં રહેલી ખેચરીની જેમ તે સ્વછાએ ક્રીડા કરે.' આવા નિશ્ચય કરીને શ્રેણિકે અભયકુમારને આજ્ઞા કરી કે, ‘હે વત્સ ! ચેલણાદેવીને માટે એકસ્ત ́ભના પ્રાસાદ કરાવ.' અભયકુમારે તરતજ તેવા સ્તંભને ચાગ્ય કાષ્ટ લાવવાને સૂત્રધારને આજ્ઞા કરી, એટલે વકિ (સુથાર) તેવા કાને માટે અરણ્યમાં ગયા. અટવીમાં પ્રત્યેક વૃક્ષો જોતાં જોતાં સર્વાં લક્ષણવાળું એક વૃક્ષ તેના જોવામાં આવ્યું. તેણે વિચાર્યું” કે, ‘ ઘાડી છાયાવાળું, આકાશ સુધી ઉંચું, ઘણા પુષ્પ ફળવાળુ, માટી શાખાવાળું અને મોટા થડવાળું આ વૃક્ષ સામાન્ય જણાતું નથી. જેવુ' તેવુ. પણ સ્થાન દેવતા વગરનુ` હાતું નથી, તા આ વૃક્ષરાજ તેા તેની ઘેાલાવડે પ્રગટ દેવતવાળુ' માલમ પડે છે. માટે પ્રથમ આ વૃક્ષના અધિષ્ઠાયક દેવતાને તપસ્યાથી આરાધુ કે જેથી તેને છેદતાં મને કે મારા સ્વામીને વિશ્ન ન થાય.' પછી વદ્ધકિએ ભક્તિપૂર્વક ઉપવાસ કરી, ગંધ, ધૂપ, માલ્ય વિગેરે વસ્તુઓથી તે વૃક્ષને અધિવાસિત કર્યું. તે સમયે તે વૃક્ષને આશ્રિત થઈને રહેલા વ્યંતરે પેાતાના આશ્રયની રક્ષાને માટે અને તેમના અર્થની સિદ્ધિને માટે અભયકુમારની પાસે આવીને કહ્યું કે, ‘તું મારા આશ્રયરૂપ વૃક્ષને છેદાવીશ નહી, આ વદ્ધ કિન તે કામ કરતાં નિવાર, હુ એકસ્ત’ભવાળો પ્રાસાદ કરી આપીશ. વળી તેની ક્રૂરતું સવ" ઋતુએથી મડિત તથા સવ વનસ્પતિઓથી શૈાભિત નંદનવનની જેવું એક ઉદ્યાન પણ કરી આપીશ.' આ પ્રમાણે તે વ્યંતરના કહેવાથી અભયકુમારે પેલા વૃદ્ધ કિને વનમાંથી તરત ખેલાવી લીધા અને પેાતાનું વાંછિત સિદ્ધ થયુ...' એમ કહ્યું. પછી વ્યંતરે પાતાની કબુલાત પ્રમાણે એકસ્ત’ભવાળો મહેલ અને ઉદ્યાન કરી આપ્યું. “ વાણીથી બધાયેલા દેવતાઓ સેવકાથી પણ અધિક છે.” સર્વ ઋતુઓના વનથી મઢિત તે એકસ્તભી પ્રાસાદ અભયકુમારે શ્રેણિક રાજાને મતાન્યા. રાજાએ પ્રસન્ન થઈ ને કહ્યુ કે− વત્સ! મને માત્ર એક સ્તનવાળા મહેલની ઈચ્છા હતી, તેમાં આ સર્વ ઋતુવાળું વન થયું, તે તે દુધનું પાન કરતાં તેમાં સાકર પડવા જેવું થયું'.' પછી મગધપતિએ ચેક્ષણાને તે પ્રાસાદમાં રાખી, જેથી લક્ષ્મીદેવીવર્ડ પદ્મદની જેમ તે પ્રાસાદ તેનાથી અલંકૃત થઈ ગયા. ત્યાં રહી સતી ચેલૢણા સર્વ ઋતુના પુષ્પાની માળાએ પાતાને હાથે ગુ'થીને સર્વજ્ઞ પ્રભુની પૂજા કરવા લાગી. વળી તે સુગધી પુષ્પાથી ગુંથેલી માળાઆવડે સૈરશ્રીની જેમ પેાતાના પતિના કેશપાશને પશુ પૂરવા લાગી. આવી રીતે હુંમેશાં શ્રી વીતરાગ પ્રભુને માટે અને પતિને માટે પુષ્પાને ચુટતી એ રમણી તે વનના પુષ્પાને ધમ તથા કામમાં સફળ કરતી હતી. સદા પુષ્પવાળા અને સદા ફળવાળા તે ઉપવનમાં મૂત્તિ માન્ વનદેવીની જેમ ચેક્ષણા સદા પતિની સાથે ક્રીડા કરતી હતી. તે નગરમાં એક વિદ્યાસિકૢ માત ંગપતિ રહેતા હતો. તેની પત્નીને એકદા આમ્રફળ ખાવાના દોહદ ઉત્પન્ન થયા; તેથી તેણીએ પતિને કહ્યું કે− હૈ નાથ ! મને આમ્રફળ લાવી આપીને મારા દોહદને પૂરા.' તે ખેલ્યા- અરે મૂઢ સ્ત્રી! આજે અકાળે આમ્રફળ કયાંથી Page #138 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૫ ૧૦ મું હોય?' સ્ત્રીએ કહ્યું, “નાથ! આજે ચેલ્લારાણુના ઉદ્યાનમાં આમ્રવૃક્ષ પ્રકુલિત છે.” તે સાંભળી માતંગપતિ ચેલણાના ઉદ્યાનની સમીપે આવ્યા. ત્યાં આમ્રવૃક્ષો સદા ફળિત પણ ઘણા ઉંચા જોવામાં આવ્યા. પછી રાત્રે આવી નક્ષત્રોને જોષી જુએ તેમ તે ભૂમિપર રહી પાકેલા આમ્રફળે જેવા લાગ્યો. ક્ષણમાત્રમાં તે વિદ્યાસિદ્ધ ચાંડાળે અવનામિની વિદ્યાથી આમ્રશાખાને નમાવી અને સ્વેચ્છાથી આમ્રફળો તેડીને ગ્રહણ કર્યા. પ્રાતઃકાળે રાણી ચેલ એ તોડેલાં આમ્રફળવાળી તે વાટિકા ભ્રષ્ટ ચિત્રોવાળી ચિત્રશાળાની જેમ અપ્રીતિ આપતી જોઈ. રાણીએ તે વાર્તા રાજાને કહી. રાજાએ અભયને બોલાવીને આજ્ઞા કરી કે, “જેના પગને સંચાર જોવામાં આવતો નથી એવા આ આમ્રફળના ચોરને શોધી લાવ. હે વત્સ! જે ચેરની આવી અતિશય અમાનુષી શક્તિ છે, તે કઈ વાર અંતઃપુરમાં પણ પ્રવેશ કરી શકે.” અભયકુમાર બો-“હે દેવ! હું ચેડા કાળમાં જેમ તેને બતાવવાનો જામીન હાઉં તેમ એ ચોરને પકડી લાવી તમને સેંપીશ.” આવી પ્રતિજ્ઞા કરીને અભયકુમાર તે દિવસથી તે ચોરને શોધવાની ઈચ્છાએ આખા નગરમાં રાત્રીદિવસ ભમવા લાગ્યો. એક વખતે બુદ્ધિમાન અભયકુમાર નગરમાં ફરતો ફરતો કઈ ઠેકાણે નગરજને સંગીત (નાટક) કરાવતા હતા ત્યાં ગયો. નગરજનોએ આસન આપ્યું, તે પર બેસી અભયકુમાર બે -“હે નગરજન! જ્યાં સુધી સંગીત કરનારા નટે આવ્યા નથી, ત્યાં સુધીમાં એક કથા હું કહુ તે સાંભળો–વસંતપુર નગરમાં જીર્ણશ્રેષ્ઠી નામે એક અતિ નિર્ધન શેઠ રહેતો હતો. તેને એક કન્યા હતી, તે વરને લાયક મોટી ઉંમરની થઈ હતી. ઉત્તમ વર પામવાને માટે કામદેવની પૂજા કરવા સારૂં એ બાળા કોઈ ઉધાનમાંથી પ્રતિદિન ચોરી કરીને પુષે ચુંટી લાવતી હતી. એક વખતે “હું આ પુષ્પના ચેરને પકડું' એવું ધારી તે ઉદ્યાનપાળક શિકારીની જેમ સ્થિરપણે ત્યાં સંતાઈ રહ્યો. તે બાળા પૂર્વની જેમ વિશ્વાસથી છાની રીતે પુષ્પ ચુંટવા લાગી. તેને અતિ રૂપવંતી જેઈ ઉદ્યાનપાળક કામાતુર થઈ ગયા. તેથી તત્કાળ પ્રગટ થઈ તેને ધૃજતા ધૃજતા પકડી લીધી. સદ્ય પુષ્પની ચોરીને કપ ભૂલી જઈ તે બે કે, “હે ઉત્તમ વર્ણવાળી ! હું તારી સાથે રતિક્રીડાની ઈરછા કરું છું, માટે મારી સાથે કીડા કર. તે સિવાય હું તને છોડીશ નહીં. મેં તને પુષ્પથી જ ખરીદ કરેલી છે. તે બેલી“અરે માળી! મને તું કરથી સ્પર્શ કરીશ નહીં, હું કુમારી છું, તેથી અદ્યાપિ પુરૂષના સ્પશને યોગ્ય નથી.” આરામિક બોલ્યો કે, “તેમ છે તે હે બાળા! તું કબુલ કર કે, તારે પરણ્યા પછી આ શરીરને પ્રથમ મારા સંગનું પાત્ર કરવું” તેણીએ તેમ કરવાનું કબુલ કર્યું, એટલે ઉદ્યાનપાળે તેને છોડી મૂકી. તે પણ પિતાનું કૌમાર વય અક્ષત રાખીને પોતાને ઘેર આવી. અન્યદા કોઈ ઉત્તમ પતિની સાથે પરણી. પછી જ્યારે રાત્રે વાસગૃહમાં ગઈ ત્યારે તેણે પતિને કહ્યું કે, “હે આર્યપુત્ર! મેં એક માળીની પાસે પ્રતિજ્ઞા કરી છે કે, પરણ્યા પછી મારે પ્રથમ તેની સાથે સંગ કરે. હું તેની સાથે વચનથી બંધાઈ ગઈ છું, માટે મને આજ્ઞા આપે તે હું તેની પાસે જઈ આવું. એકવાર તેની પાસે ગયા પછી તો Page #139 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૭ મ ] ચલણનો પ્રસાદ, શ્રેણિકનું વિદ્યાગ્રહણ વિગેરે [ ૧૨૫ હું કાયમને માટે તમારે આધીન જ રહીશ” તેનાં આવાં વચનો સાંભળીને “અહે! આ બાળા કેવી શુદ્ધ હૃદયવાળી અને પ્રતિજ્ઞા પાળનારી છે” એવા વિસ્મયથી તેના પતિએ તેને જવાની આજ્ઞા આપી; એટલે તે સદ્ય વાસગૃહમાંથી બહાર નીકળી. વિચિત્ર રત્નાભરણોને ધારણ કરતી તે સત્યવચની બાળા માર્ગે ચાલી જતી હતી, તેવામાં કેટલાએક ધનને ઈચ્છનારા પાપી ચોરોએ તેને રોકી. તેઓની પાસે તેણે પિલા માળીની કથા કહી બતાવી અને બોલી કે-“હે ભાઈઓ ! હું જ્યારે પાછી વાળું ત્યારે તમે ખુશીથી મારા આભૂષણે લઈ લેજે.” તેણેના સ્વભાવ ઉપરથી તેને સત્ય પ્રતિજ્ઞાવાળી જાણી આપણે પાછી વળતાં તેને લુંટીશું” એમ નિશ્ચય કરી તેઓએ છેડી મૂકી. આગળ જતાં સુધાથી કૃશ ઉદરવાળા અને મનુષ્ય રૂપ મૃગના વૈરી એવા એક રાક્ષસે તે મૃગાક્ષીને રૂંધી. તેણીએ પાછા વળતી વખત ભક્ષણ કરવા માગણી કરી. તેણુને સત્ય સ્વભાવ જાણું તે વિસ્મય પામી ગયે, અને “પાછી વળતાં તેનું ભક્ષણ કરીશ” એવી આશાથી તેને છેડી મૂકી. પછી તે યુવતિ પેલા ઉદ્યાનમાં આવી અને ઉદ્યાનપાળકને જગાડીને કહ્યું કે, “હું પેલી પુષ્પને ચારનારી કન્યા છું કે જે નવોઢા થઈને મારા વચન પ્રમાણે તમારી પાસે આવી છું.” તે સાંભળી “અહો ! આ ખરેખરી સત્ય પ્રતિજ્ઞાવાળી મહાસતી છે” એવું જાણી તેને માતાની જેમ નમીને માળીએ રજા આપી. ત્યાંથી પાછી ફરતાં જ્યાં રાક્ષસ હતો ત્યાં તે આવી અને માળી સાથે જે બન્યું હતું તે યથાર્થ રીતે રાક્ષસને કહી સંભળાવ્યું. તે સાંભળી “શું હું માળીથી પણું હીણું છું?” એમ વિચારી તેણે સ્વામિનીની જેમ પ્રણામ કરીને તેને છોડી દીધી. પછી પેલા ચોરની આગળ આવીને બોલી કે, “હે ભાઈઓ ! તમે મારું સર્વસ્વ લુંટી લે, હું હાજર થઈ છું.” પછી જેમ માળીએ અને રાક્ષસે તેને છેડી મૂકી તે બધું વૃત્તાંત કહ્યું, એટલે તેઓ બોલ્યા કે, “એ માળી અને રાક્ષસથી અમે કાંઈ હીણ નથી, માટે હે ભદ્રે ! તું ચાલી જા, તું તો અમારે વંદન કરવા યોગ્ય બહેન છું.' આ પ્રમાણે સૌએ છેડી મૂકવાથી તે નિર્વિદને ઘેર આવી. એ ઉત્તમ બાળાએ ચાર, રાક્ષસ અને માળીની કથા પોતાના પતિ આગળ યથાર્થ રીતે કહી આપી. તે સાંભળી હર્ષ પામેલા પતિએ તેની સાથે બધી રાત્રિ ભોગસુખમાં વ્યતિક્રમાવી અને પ્રાત:કાળે તેને પિતાના સર્વસ્વની સ્વામિની કરી. » અભયકુમાર આ પ્રમાણે કથા કહીને બોલ્યો કે-“હે લેકે! વિચાર કરીને બેલે કે, આ સર્વેમાં દુષ્કર કાર્ય કરનાર કેણ છે? તેણીનો પતિ, ચેર, રાક્ષસ કે માળી? તે જણાવો.” પછી તે લેકમાં જે સ્ત્રીના ઈર્ષ્યાળુ હતા, તેઓ બોલી ઉઠયા કે, “સર્વમાં તેનો પતિ દુષ્કર કરનાર છે, કે જેણે પિતાની અનંગલગ્ન નવેઢાને બીજા પુરૂષને માટે મોકલી દીધી.” ક્ષુધાતુર લોકે બેલી ઉઠયા કે “સર્વથી દુષ્કર કાર્ય કરનાર તે રાક્ષસ છે કે જેણે ક્ષુધાતુર છતાં પ્રાપ્ત થયેલી તે બાળાને છેડી દીધી.” જારપુરૂષો બોલ્યા કેસર્વમાં માળી દુષ્કર કાર્ય કરનાર છે કે જેણે રાત્રે સ્વયમેવ આવેલી એવી યુવાન રમણીને Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મુ ભગવી નહીં. છેવટે પિલ ચેર ત્યાં ઊભો હતો તે બોલ્યો કે- સર્વથી પિલા ચાર દુષ્કર કાર્ય કરનારા છે કે જેઓએ સુવર્ણથી ભરેલી તે બાળાને લુંટયા વગર છેડી દીધી.” પછી અભયકુમારે તેને ચાર જાણીને પકડી લીધું અને પૂછ્યું કે, “તેં આમ્રફળની ચોરી શી રીતે કરી ?” ચોરે કહ્યું કે “વિદ્યાના બળથી.” અભયકુમારે સર્વ વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યું અને ચોરને લાવીને સેં. શ્રેણિકે કહ્યું કે, “કોઈ બીજે ચાર હોય તે પણ તેની ઉપેક્ષા થતી નથી તે આ ચાર તો શક્તિમાન છે, માટે તેને તો નિઃસંદેહ નિગ્રહ કરવો.” અભયકુમારે નિષ્કપટપણે વિજ્ઞપ્તિ કરી કે “હે દેવ! આની પાસેથી વિદ્યા મેળવીને પછી જે યુક્ત હોય તે કરજો.” પછી મગધપતિ શ્રેણિક રાજાએ તે માતંગપતિને પિતાની સામે બેસાડી તેના મુખેથી વિદ્યા ભણવી શરૂ કરી, પરંતુ પોતે સિંહાસન પર બેસીને વિદ્યા ભણતા હોવાથી ગુરૂના અબહુમાનને લીધે ઉંચા સ્થળ પર જળની જેમ રાજાના હૃદયમાં વિદ્યા સ્થિર થઈ શકી નહીં. એટલે રાજગૃહપતિ શ્રેણિકે તે ચોરને તિરસ્કારપૂર્વક કહ્યું કે, તારામાં કાંઈ પણ કુડ છે કે જેથી તારી કહેલી વિદ્યા મારા હૃદયમાં સંક્રમિત થતી નથી.” તે સમયે અભયકુમારે કહ્યું કે “હે દેવ ! અત્યારે એ તમારો વિદ્યાગુરૂ છે અને જેઓ ગુરૂનો વિનય કરે તેઓને જ વિદ્યા સંકુરે છે, અન્યથા કુરતી નથી, તેથી આ માતંગપતિને તમારા સિંહાસન પર બેસાડે અને તમે અંજળિ જોડીને તેની સામે પૃથ્વી પર બેસે, એટલે વિદ્યા આવડશે.' વિદ્યાના અથી રાજાએ તે પ્રમાણે કર્યું. કારણ કે “નીચથી પણ ઉત્તમ વિદ્યા ગ્રહણ કરવી” એ પ્રખ્યાત નીતિ છે. પછી રાજાએ તેના મુખથી ઉન્નાભિની અને અનામિની બે વિદ્યા સાંભળી, એટલે દર્પણમાં પ્રતિબિંબની જેમ તે તરતજ રાજાના હૃદયમાં વસી ગઈ. પછી અભયે અંજલિ જેડવા પૂર્વક રાજાને વિનવીને વિદ્યાગુરૂપણને પામેલા તે ચોરને છોડાવી મૂક્યો. અન્યદા જ્ઞાતનંદન શ્રી વીરપ્રભુ રાજગૃહે સમવસર્યા. તે સાંભળી રાજા શ્રેણિક ભૂમિપર રહેલે ઈદ્ર હોય તેમ મોટા આડંબરથી વાંદવા ચાલ્યું. તે વખતે ગજેન્દ્રોના ઘટના ટંકારાથી તે દિશાઓને પૂરતો હતો, તેષા શબ્દથી પરસ્પર વાર્તા કરતા હોય તેવા અને વાહ્યાલી રૂપ રંગભૂમિમાં નટ જેવા અશ્વોથી ભૂમિળને રૂંધતો હતો. આકાશમાંથી ઉતરતા મેઘમંડળની શોભાને અનુસરતા મયુરરૂપી છેત્રેથી તેની સેના શોભતી હતી, વાહનના નૃત્ય કરતા અશ્વની સ્પર્ધાથી તેનું રત્નમય તાડંક નાચતું હતું તે જાણે તેના આસનની સાથેજ ઉપર્યું હોય તેમ દેખાતું હતું, માથે પૂર્ણિમાના ચંદ્ર જેવું વેત છત્ર ધર્યું હતું, ગંગા અને યમુના જેવા ચામરોને વારાંગનાઓ વીંજતી હતી અને સુવર્ણના અલંકારોને ધારણ કરનારા ભાટ ચારણે તેની સ્તુતિ કરી રહ્યા હતા. એ સમયે માર્ગે ચાલ્યા જતાં જમ્યા પછી તરત જ છોડી દીધેલી એક બાળકો સૈનિકોના જોવામાં આવી, પરંતુ જાણે નરકને અંશ આવ્યું હોય તેમ તેના શરીરમાંથી Page #141 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૭ મ ] ચહ્નણાને પ્રાસાદ, શ્રેણિકનું વિદ્યાગ્રહણ વિગેરે ( [ ૧૨૭ અત્યંત દુગધ છુટતો હતો. તે દુર્ગધને સહન નહિ કરી શકવાથી સાયંકાળે પ્રાણાયામ કરનારા ગાયત્રી મંત્રના જાપકોની જેમ સર્વેએ પોતપોતાની નાસિકાને બંધ કરી દીધી. શ્રેણિકે તેમ જોઈ પરિજનને પૂછ્યું કે, “શું છે?' એણે પરિજને જમ્યા પછી તરત જ છોડી દીધેલી તેં દુર્ગધાને જણાવી. રાજા શ્રેણિક હંમેશા અરિહંતના મુખથી બાર પ્રકારની ભાવનાને સાંભળનાર હતો, તેથી તેને કિંચિત્ પણ જુગુપ્સા આવી નહીં અને તરત જ તે બાળાને જોઈને પોતે આગળ ચાલ્યો. પછી સમવસરણમાં આવીને પ્રભુને વાંચીને યોગ્ય અવસરે તે દુર્ગધાની કથા પૂછી. પ્રભુ બોલ્યા કે, “તમારી આસપાસના પ્રદેશમાં શાલી નામે ગામમાં ધનમિત્ર નામે એક શ્રેષ્ટિ રહેતો હતો. તેને ધનશ્રી નામે એક પુત્રી થઈ હતી. અન્યદા શ્રેષ્ટિએ તે ધનશ્રીને વિવાહમહોત્સવ પ્રારંભે હતો, તેવામાં ગ્રીષ્મ ઋતુમાં વિહાર કરતા કેઈ સાધુઓ ત્યાં આવી ચડયા; તેથી શ્રેષ્ટિએ તે સાધુઓને વહોરાવવા ધનશ્રીને આજ્ઞા કરી. સારા આચરણવાળી તે બાળા પિતાની આજ્ઞાથી તત્કાળ મુનિઓને પ્રતિલાભિત કરવાને પ્રવતી. તે વખતે પસીનાથી જેઓના અંગ અને વસ્ત્ર મલીન થયેલા હતા, એવા તે મુનિઓને વહોરાવતાં તેના મળનો દુર્ગધ ધનશ્રીને આવ્યો; તેથી સુગંધી અને નિર્મળ વસ્ત્રવાળી, વિવિધ અલંકારને ધારણ કરનારી, અંગરાગથી લિપ્ત થયેલી અને શૃંગારમાં મોહિત એવી તે બાળા ચિંતવવા લાગી કે, “અહંત પ્રભુએ જે ધર્મ કહ્યો છે, તે બધી રીતે નિર્દોષ છે, પણ જો તેમાં પ્રાસુક જળથી પણ સ્નાન કરવાની મુનિને આજ્ઞા હતી તે તેમાં શો દેશ હતો?” આ પ્રમાણે મુનિઓના મળની દુર્ગંધથી કરેલી જુગુપ્સાવડે બાંધેલા દુષ્કર્મને આલેચ્યા કે પ્રતિક્રમ્યા વગર અન્યદા મૃત્યુ પામીને હે રાજન્ ! તે કર્મથી તે બાળા રાજગૃહનગરમાં રહેનારી એક વેશ્યાના ગર્ભમાં આવી. ગર્ભમાં રહી છતી પણ તેની માતાને તે ઘણી અરતિ આપવા લાગી. તેથી તે વેશ્યાએ ગર્ભપાતના અનેક ઔષધે પીધા, તથાપિ એ ગર્ભ પડવો નહીં. “કમના બળ આગળ ઔષધ કેણુ માત્ર છે?” અનુક્રમે તે વેશ્યાએ એક પુત્રીને જન્મ આપ્યું. તે પૂર્વના કર્મથી જન્મથી જ અતિ દુગધા હતી, તેથી વેશ્યાએ પિતાના ઉદરથી ઉત્પન્ન થયેલી છતાં તેને વિષ્ટાની જેમ ત્યજી દીધી. હે રાજન્ ! તે દુર્ગધા તમારા જેવામાં આવી છે.” શ્રેણિકે ફરીથી પૂછયું કે, “હે પ્રભુ! હવે પછી એ બાળા કેવા સુખ દુઃખનો અનુભવ કરશે?' પ્રભુ બોલ્યા કે, “ધનશ્રીએ સર્વ દુઃખ તે ભેળવી લીધું છે, હવે તે સુખી કેવી રીતે થશે તે સાંભળ. એ આઠ વર્ષની ઉમરમાં જ તારી પટ્ટરાણી થશે. તેની પ્રતીતિને માટે હું એક નિશાની આપું છું કે હે રાજન ! અંતઃપુરમાં ક્રીડા કરતાં તારા પૃષ્ટ ભાગ ઉપર ચડીને જે હંસની લીલા કરશે. તે આ દુગધા છે એમ તું જાણી લેજે.” પ્રભુની આવી વાણી સાંભળીને “અહો ! આ મોટું આશ્ચર્ય છે! એ બાળા મારી પત્ની શી રીતે થશે ?” આવી ચિંતા કરતો રાજા પ્રભુને નમીને પોતાને સ્થાનકે ગયે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું અહિં પૂર્વ કર્મની નિર્જરા થવાથી દુર્ગંધાને ગંધ ચાલ્યો ગયો. એવામાં કોઈ એક વંધ્યા આભિરીએ તેને જોઈ, એટલે પુત્રી તરીકે માનીને તેને લઈ લીધી. અનુક્રમે તે આભિરીએ પિતાની ઉદર જાત પુત્રીની જેમ તેનું પોષણ કર્યું, તેથી તે રૂ૫ લાવયવડે ઘણી શોભતી યૌવનવતી થઈ અન્યદા મનોહર કૌમુદી ઉત્સવ આબે, જે શૃંગાર રસના સર્વસ્વ નાટકના મુખ જેવો હતે, તે ઉત્સવ જેવાને માટે યુવાન પુરૂષોના લોચનરૂપ મૃગલાને પાશલારૂપ તે યુવતી પિતાની માતાની સાથે આવી. રાજા શ્રેણિક અને અભયકુમાર પણ પરણવા માટે જતા વરની જેમ સર્વ અંગ ઉપર વેત વસ્ત્ર પહેરીને તે ઉત્સવમાં આવ્યા. તે મેટા ઉત્સવના સંમર્દમાં શ્રેણિક રાજાને હાથ તે આમિરકુમારીની ઉંચા સ્તનવાળી છાતી ઉપર પડી ગયો. તેથી તત્કાળ તેના ઉપર રાગ ઉત્પન્ન થવાથી રાજાએ તેના વસ્ત્રના છેડા સાથે સંભોગની જામીનગીરી જેવી પોતાની મુદ્રિકા બાંધી દીધી. પછી શ્રેણિક અને અભયકુમારને કહ્યું કે, “મારૂં ચિત વ્યગ્ર થતાં મારી મુદ્રિકા કેઈએ હરી લીધી છે, માટે તેના ચોરને તું સત્વર શોધી કાઢ. તે સાંnળી બુદ્ધિમાન અભયકુમાર બધા રંગદ્વારો બંધ કરાવીને સોગઠાને ઘુતકારની જેમ એક એક માણસને બહાર કાઢવા લાગ્યો. બુદ્ધિના ભંડાર અભયે સર્વના વસ્ત્રો કેશપાશ અને મુખ શોધવા માંડયા. એમ કરતાં કરતાં પેલી અભિરકુમારી આવી, એટલે તેનાં વસ્ત્રો શોધતાં તેને છેડે બાંધેલી રાજાની નામાંકિત મુદ્રિકા જેવામાં આવી. અભયકુમારે તેને પૂછ્યું કે, “હે બાળે ! આ ઉમિકા તે શા માટે લીધી હતી ?' તે કાને હાથ મૂકીને બોલી કે “હું કાંઈ પણ જાણતી નથી.” તેને અતિ રૂપવતી જઈ ધીમાન અભયકુમારે વિચાર્યું કે, “જરૂર આ આમિરકુમારી ઉપર પિતા અનુરક્ત થયા હશે અને એને ગ્રહણ કરવા માટે રાગવશ થયેલા રાજાએ એંધાણી તરીકે પોતાની મુદ્રિકા તેના વસ્ત્રને છેડે બાંધી દીધી હશે.” આવું ચિંતવતો અભયકુમાર તેને રાજાની પાસે લઈ ગયો. રાજાએ પૂછયું કે, “કેમ મુદ્રિકાનો ચોર મળે? અભય બોલ્યા કે–દેવ! તે ચોરનારી આ બાળા છે. પણ હે પ્રભુ! તેણે મુદ્રિકા સાથે તમારા ચિત્તને પણ ચારી લીધું હોય તેમ લાગે છે.' રાજા હસીને બે -“એ કુમારીને હું પરણીશ. શું નથી સાંભળ્યું કે, દુષ્કુળમાંથી પણ સ્ત્રી રત્ન ગ્રહણ કરવું. પછી રાજા નિર્દોષ અંગવાળી તે આમિરકન્યાને પરણ્યા અને ઘણા રાગથી તેને પિતાની પટ્ટરાણ કરી. એક વખતે રાજા રાણીઓ સાથે પાસે રમતે હતો, તેમાં એવું પણ કહ્યું કે, જે જીતે તે હારેલાના પૃષ્ઠ ભાગ ઉપર ચડે. એ પ્રમાણે પણ કરીને રમતાં બીજી કુળવાન રાણીઓ જ્યારે રાજાને જીતતી ત્યારે તો તે પોતાનો જય જણાવવાને માટે માત્ર રાજાના પૂઠ ભાગ ઉપર પોતાનું વસ્ત્ર નાંખતી હતી પણ જ્યારે આ વેશ્યાપત્રીએ રાજાને જીત્યો ત્યારે તો તે કઠિન હૃદયની થઈ નિઃશંકપણે તેના પૃષ્ટ ઉપર ચડી ગઈ. રાજાને તે વખત પ્રભુનું ન Page #143 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ મ] ચલ્લણાનો પ્રાસાદ, શ્રેણિકનું વિદ્યાગ્રહણ વિગેરે [૧૨૯ સાંભરવાથી અકસ્માત્ હાસ્ય આવ્યું, એટલે તે રાણીએ નીચે ઊતરીને આદરથી રાજાને હાસ્યનું કારણ પૂછ્યું. રાજાએ જે પ્રમાણે પ્રભુએ કહ્યું હતું, તે પ્રમાણે તેના પૂર્વ ભવથી માંડીને પૃષ્ટ ઉપર ચડવા સુધીનું બધું વૃત્તાંત કહી આપ્યું. તે સાંભળી તે તત્કાળ વૈરાગ્ય પામી અને આદરથી પતિની આજ્ઞા લઈને તેણે શ્રી વીરપ્રભુની પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. સમુદ્રના મધ્યમાં પાતાળભુવન જેવો આર્તક નામે દેશ છે, તેમાં આદ્રક નામે મુખ્ય નગર છે. તે નગરમાં ચંદ્રની જેમ દષ્ટિઓને આનંદ આપનાર અને લક્ષમીથી વિરાજમાન આદ્રક નામે રાજા હતો. તેને આદ્રકા નામે રાણી હતી. તે બંનેને આદ્ર મનવાળો આદ્રકુમાર નામે પુત્ર થયે. તે યૌવન વયને પ્રાપ્ત કરી યથારૂચિ સાંસારિક બેગ ભેગવવા લાગ્યો. આદ્રક રાજાને અને શ્રેણિકરાજાને પરંપરાથી બેડીની જેમ પ્રીતિ બંધાયેલી હતી. એક વખતે શ્રેણિકે સ્નેહરૂપ લતાના દેહદરૂપ ઘણી ભેટ લઈને પિતાના મંત્રીને આદ્રક રાજાની પાસે મોકલે. મંત્રી ત્યાં પહોંચ્યું, એટલે આદ્રક રાજાએ જાણે શ્રેણિકનું મૂર્તિમાન મિત્રપણું હોય તેમ ગૌરવતાથી તેને જો. પછી તે મંત્રીઓ સાથે આણેલી સૌવયે, નિંખપત્ર અને કાંબળ વિગેરેની ભેટ આદ્રક રાજાએ હર્ષથી ગ્રહણ કરી. આદ્રક રાજાએ મોટા સત્કારથી તેની સંભાવના કરીને પૂછ્યું કે, “મારા બંધુ શ્રેણિક કુશળ છે?' તેના ઉત્તરમાં ચંદ્રના આતપની જેમ પોતાના સ્વામીનું કુશળ વૃત્તાંત કહેવાવડે તે મંત્રીરૂપ ચંદ્ર આદ્રક રાજાના મનરૂપ કુમુદને પૂર્ણ આનંદ આપે. પછી આદ્રકકુમારે પૂછ્યું કે, “હે પિતા! તે મગધેશ્વર કેણુ છે કે જેની સાથે તમારે વસંતઋતુ સાથે કામદેવની જેમ આટલી બધી પ્રીતિ છે?” આટૂંકરાજા બોલ્યો કે-“હે વત્સ! શ્રેણિક નામે મગધ દેશનો રાજા છે, તેના અને આપણુ કુળને પરંપરાથી પ્રીતિ ચાલી આવે છે. તે સાંભળી તરત જ આદ્રકકુમાર અમૃતની તરંગિણી જેવી દષ્ટિથી પ્રેમાકુરને પ્રગટ કરતો મંત્રી પ્રત્યે બોલ્યો કે, “તમારા સ્વામીને કોઈ પૂર્ણ ગુણવાળો પુત્ર છે? તેને હું પ્રીતિનું પાત્ર કરીને મિત્ર કરવા ઈચ્છું છું.” મંત્રી બે કે, “હે કુમાર! બુદ્ધિનું ધામ, પાંચસે મંત્રીનો સ્વામી, દાતાર, અસામાન્ય, કરૂણારસનો સાગર, દક્ષ, કૃતજ્ઞ અને કળારૂપ સાગરનો પારંગત અભયકુમાર નામે એક શ્રેણિક રાજાને પુત્ર છે. અરે કુમાર ! બુદ્ધિ અને પરાક્રમથી સંપન્ન, ધર્મજ્ઞ, ભયરહિત અને વિશ્વમાં વિખ્યાત એ અભયકુમારને શું તમે નથી જાણતા ? સ્વયંભૂરમણ નામના સમુદ્રમાં અનેક આકારવાળા મસ્યસમૂહની જેમ તે કુમારમાં વાસ કરીને રહ્યા ન હોય એવા કઈ પણ ગુણે આ જગતમાં નથી.” પિતાના પુત્રને અભયકુમાર સાથે મૈત્રી કરવાનો અથી થયેલ જાણીને રાજાએ કહ્યું કે-“હે વત્સ! તું ખરેખર કુલીન પુત્ર છું; કેમકે મારા ચાલેલા માર્ગે ચાલવાને ઇચ્છે છે. વળી સમાન ગુણવાળા અને સમાન કુળ તથા સંપત્તિવાળા તમારે બંનેને વિવાહસંબંધની જેમ પરસ્પર મિત્રપણું ઘટે છે. પિતાના મનોરથને મળતી પિતાની આજ્ઞા D - 17 Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું મળવાથી આદ્રકકુમારે તે મંત્રીને કહ્યું કે, “તમારે મને પૂછળ્યા વગર જવું નહીં; કારણ કે અહીંથી ચાલતી વખતે અભયકુમાર સાથેના નેહરૂ૫ વૃક્ષના બીજ જેવું મારું વચન તમારે સાંભળવાનું છે.” કુમારનાં વચનથી મંત્રીએ તેમ કરવાને સ્વીકાર્યું પછી રાજાની રજા લઈને છડીદારે બતાવેલા માર્ગે મંત્રી તેના ઉતારામાં ગયે. અન્યદા આટૂંકરાજાએ મેતી વિગેરેની ભેટ લઈને એક પિતાના પુરૂષ સાથે તે મંત્રીને વિદાયગીરી આપી. તે વખતે આદ્રકુમારે અભયકુમારને માટે તે મંત્રીના હાથમાં પરવાળા અને મુક્તાફળ વિગેરે આપ્યા. પછી મંત્રી આદ્રકરાજાના મનુષ્ય સહિત રાજગૃહપુરે આવ્યું અને તેમણે શ્રેણિકરાજાને અને અભયકુમારને ભેટ આપી. મંત્રીએ અભયકુમારને સંદેશે કહ્યો કે, “આકકુમાર તમારી સાથે મિત્રતા અને સૌશાત્ર કરવા ઈચ્છે છે. જિનશાસનમાં કુશળ અભયકુમારે ચિંતવ્યું કે, “જરૂર શ્રમણપણાની વિરાધના કરવાથી તે અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલ હશે; પણ તે મહાત્મા આદ્રકકુમાર આસનભવ્ય હોવો જોઈએ. કારણ કે અભવ્ય અને દુરભવ્યને મારી સાથે પ્રીતિ કરવાની ઈચ્છા થાય નહીં. “પ્રાયઃ સમાન પુણ્ય પાપવાળા પ્રાણીઓને જ પ્રીતિ થાય છે, તેઓનો સ્વભાવ એક સરખે હોય છે અને મૈત્રી એક સરખા સ્વભાવથીજ ઉત્પન્ન થાય છે.” હવે કઈ પણ ઉપાય કરીને તેને પાછે જેનધમી” કરી તેનો આપ્ત જન થાઉં, કેમકે જે ધર્મમાર્ગમાં અગ્રેસર થાય તે જ આ કહેવાય છે. તે આદ્રકકુમારને હું તીર્થકરનું બિંબ દર્શાવું, કે જેથી કદિ તેને ઉત્તમ જાતિસ્મરણ થાય. અહીંથી ભેટને વિષે મહાન આચાર્યે પ્રતિષ્ઠિત કરેલી એક રત્નમયી ઉત્તમ અહંન્દુ પ્રતિમા હું તેની ઉપર એકલાવું.' આ પ્રમાણે વિચારીને તેણે એક પેટીમાં શ્રી આદિનાથની અપ્રતિમ પ્રતિમા મૂકી, કે જે પ્રતિમા કલ્યાણ આપવામાં કામધેનુ જેવી હતી. પછી તે પ્રતિમાની આગળ ધૂપધાણું અને ઘંટા વિગેરે દેવપૂજાના બધા ઉપકરણો મૂક્યા. પછી તે પેટના દ્વારપર તાળું દઈ અભયકુમારે તેની ઉપર પોતાની મહોરછાપ કરી. મગધપતિ શ્રેણિકે પેલા આદ્નકરાજાના માણસને ઘણી ભેટ આપીને પ્રિય આલાપપૂર્વક વિદાય કર્યો. તે વખતે અભયકુમારે પણ તેના હાથમાં તે પેટી આપી અને અમૃત જેવી વાણીથી તેનો સત્કાર કરીને કહ્યું કે, “હે ભદ્ર! આ પિટી આદ્રકુમારને આપજે અને તે મારા બંને મારો આ સંદેશો કહે છે કે, આ પેટી એકાંતમાં જઈને તારે એકલાએજ ઉઘાડવી અને તેમાં જે વસ્તુ છે તે તારેજ જેવી, તે વસ્તુ કોઈ બીજાને બતાવવી નહીં.” આ પ્રમાણે તેનું કહેવું કબુલ કરી તે પુરૂષ પોતાને નગરે ગયે. સાથે લાવેલી ભેટ પિતાના સ્વામીને અને તેમના કુમારને આપી. તેમજ અભયકુમારનો સંદેશો આદ્રકકુમારને એકાંતમાં લઈ જઈને કહો. આદ્રકકુમારે એકાંતે તે પેટી ઉઘાડી, તે તેમાં અંધકારમાં પણ ઉદ્યોત કરતી જાણે તેજનીજ ઘડેલી હોય તેવી શ્રી આદિનાથની મનોહર પ્રતિમા તેના જેવામાં આવી. તે જોઈ આદ્રકકુમાર વિચારમાં પડયો કે, “આ શું હશે? આ કોઈ અંગનું ઉત્તમ આભૂષણ જણાય છે, પણ તે શું મસ્તકે, કઠે કે હૃદયે પહેરવાનું હશે ? પૂર્વે મેં કઈ Page #145 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ ] ચેલણને પ્રાસાદ, શ્રેણિકનું વિદ્યાગ્રહણ વિગેરે [૧૩૧ ઠેકાણે આવી વસ્તુ જયેલી છે, પણ મંદાભ્યાસીને શાસ્ત્રની જેમ તે મારા સ્મરણમાં આવતું નથી.” આવી રીતે ઘણી ચિંતવના કરતાં આદ્રકુમારને જાતિસ્મરણને ઉત્પન્ન કરનારી મેટી મૂછ આવી. તત્કાળ જાતિસ્મરણ ઉત્પન્ન થતાં ચેતનાને પ્રાપ્ત કરીને તે પોતાના પૂર્વ જન્મની કથાને ચિંતવવા લાગ્યો-“અરે! આ ભવથી ત્રીજે ભવે મગધદેશના વસંતપુર નગરમાં સામાયિક નામે હું એક કુટુંબી (કણબી) હતું. મારે બંધુમતી નામે સ્ત્રી હતી. તેની સાથે અન્યદા સુસ્થિત નામના આચાર્યની પાસેથી આર્યધર્મ અમે યથાર્થ રીતે સાંભળ્યો. તેથી ભાય સહિત પ્રતિબંધ પામી ગૃહવાસથી વિરક્ત થઈને તેમની પાસે દીક્ષા લીધી. ગુરૂની સાથે વિહાર કરતો હું અન્યદા એક શહેરમાં આવ્યો. ત્યાં મારી સ્ત્રી બંધુમતી પણ બીજી સાધ્વીઓ સાથે વિહાર કરતી કરતી આવી. એક દિવસે તેને જોવાથી મને પૂર્વની વિષયક્રિીડા યાદ આવી, તેથી હું તેણીમાં અનુરક્ત થયો અને બીજા સાધુને મેં તે વાર્તા જણાવી. તે સાધુએ પ્રવત્તિનીને કહ્યું, અને તેણીએ બંધુમતીને કહ્યું. તે સાંભળી ખેદ પામતી બંધુમતી આ પ્રમાણે બોલી કે-“હે સ્વામિની! એ ગીતાર્થ થયેલ સાધુ પણ જે મર્યાદાનું ઉલ્લંઘન કરશે તો પછી મારી શી ગતિ થશે? કારણ કે મર્યાદા પાળવાથી જ સમુદ્ર પૃથ્વીને ડુબાડતા નથી. હવે કદિ હું અહિંથી દેશાંતર જાઉં તે પણ એ મહાનુભાવ મને દેશાંતર ગયેલી સાંભળશે ત્યાં સુધી મારા વિષે રાગ છેડી દેશે નહીં; માટે છે ભગવતી હું પ્રાણુજ તજી દઈશ કે જેથી મારા અને તેમના શીલનું ખંડન નહીં થાય.” આ પ્રમાણે ધારી અનશન કરીને લીલા માત્રમાં તેણે થુંકની જેમ પોતાના પ્રાણને તજી દીધા અને દેવાણુને પ્રાપ્ત થઈ. તેને મૃત્યુ પામેલી સાંભળી મને વિચાર થયો કે, “એ મહાનુભાવો વ્રતભંગના ભયથી મૃત્યુ પામી, અને હું તે વ્રતને ભંગ થયા છતાં પણ જીવું છું, તે મારે હવે જીવવાની શી જરૂર છે?” એવું ધારીને હું પણ અનશન કરી મૃત્યુ પામીને દેવલોકમાં દેવતા થયો. ત્યાંથી ચવીને અહિં ધર્મવજિત એવા અનાર્ય દેશમાં ઉત્પન્ન થયે છું. જેણે મને પ્રતિબંધ પમાડયો તેજ મારે ખરેખર બંધુ અને ગુરૂ છે. મારા ભાગ્યના ઉદયથી અભયકુમાર મંત્રીએ મને પ્રતિબંધિત કર્યો છે, પણ અદ્યાપિ હું તેના દર્શન કરી શકું તેમ ન હોવાથી ખરેખર મંદભાગ્ય છું. તેથી હવે પિતાની આજ્ઞા મેળવીને હું આર્ય દેશમાં જઈશ કે જ્યાં મારા ગુરૂ અભયકુમાર છે.” આવા મનોરથ કરતો અને આદિનાથની પ્રતિમાને પૂજતો આદ્રકુમાર દિવસોને નિર્ગમન કરવા લાગે. એક દિવસે આકકુમારે પિતાના પિતાને વિજ્ઞપ્તિ કરી કે, “હું અભયકુમારના દર્શન કરવાને ઈચ્છું છું.” એટલે આદ્રકરાજાએ કહ્યું કે, “હે વત્સ! તારે ત્યાં જવું નહીં, કારણ કે આપણે શ્રેણિકરાજાની સાથે પણ અહિં સ્થાને રહ્યા છતાંજ મૈત્રી છે. ” પિતાની આવી આજ્ઞાથી બંધાયેલા અને અભયકુમારને મળવાને ઉત્કંઠિત થયેલ આદ્રકકુમાર ત્યાં જઈ શક્યો નહીં, તેમ અહિં રહી પણ શક્યો નહિ. તેથી ભાદરવાના મેઘની જેમ નેત્રમાંથી Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું અશાંત અશ્રુ વર્ષાવતો અને જેના નેત્રો સુજી ગયા છે એ તે આદ્રકકુમાર અભયકુમારને મળવા જવાને ઉત્કંઠિત થઈ રહ્યો. બેસતાં, સુતાં, ચાલતાં, ખાતાં અને બીજી બધી ક્રિયાઓ કરતાં તે અભયકુમારથી અલંકૃત એવી દિશાને જ પિતાની દષ્ટિ આગળ રાખતો હતો. અભયકુમારની પાસે પારેવાની જેમ ઉડીને પહોંચવાની ઈચ્છાવાળા તે આદ્રકકુમારને રોગપીડિત દીન જનની જેમ જરા પણ શાંતિ વળતી નહીં. તે હમેશાં મગધ દેશ કે છે? રાજગૃહ નગર કેવું છે? ત્યાં જવાનો કર્યો માર્ગ છે?” આ પ્રમાણે પોતાના પરિજનને પૂછયા કરતો હતો. આદ્રકકુમારની આવી સ્થિતિ સાંભળી આદ્રકરાજાને ચિંતા થઈ કે, “જરૂર આદ્રકકુમાર કોઈ વખતે મને કહ્યા વગર અભયકુમારની પાસે ચાલ્યા જશે, તેથી તેને બહેબસ્ત રાખો જોઈએ.” આવું ચિંતવી તેણે પોતાના પાંચસો સામંતોને આજ્ઞા કરી કે “તમારે આદ્રકકુમારને કોઈ પણ દેશાંતરે જવા ન દે.' રાજાની આવી આજ્ઞાથી તે સામંતે પણ છાયાની જેમ તેનું પડખું છોડતા નહોતા. નિરંતર સાથે રહેતા હતા; તેથી કુમાર પિતાના આત્માને બંદીવાનું સરખે માનવા લાગે છેવટ અભયકુમારની પાસે જવાનું મનમાં ધારીને તે બુદ્ધિમાન કુમારે પ્રતિદિન અશ્વ ફેરવવાની ક્રીડા કરવા માંડી. તે વખતે પણ તે સામંતે તેના અંગરક્ષક થઈને તેની સાથે રહેવા લાગ્યા. આદ્રકકુમાર ઉતાવળો અશ્વ દોડાવી તેનાથી થોડેક દૂર ચાલ્યો જઈને પાછો વળી આવતો હતો. એવી રીતે અનુક્રમે અશ્વને ખેલાવતાં અધિક અધિક દૂર જવા લાગ્યો અને પાછો વળી આવવા લાગ્યા. તેથી સર્વ સામે તેને તેના ગમનાગમન પર વિશ્વાસ ઉત્પન્ન થયો. એમ કરતાં કરતાં એક દિવસ આદ્રકકુમારે પિતાના વિશ્વાસુ માણસની પાસે સમુદ્રમાં એક વહાણ તૈયાર કરાવ્યું. તે વહાણને રત્નથી પૂરાવ્યું અને અભયકુમારે મોકલેલી શ્રી આદિનાથની પ્રતિમા પણ તેમાં મોકલાવી દીધી. પછી અશ્વને ખેલાવતાં અદશ્ય થઈને તે વહાણ ઉપર ચડી આદ્રકકુમાર આર્યદેશમાં આવતો રહ્યો. ત્યાં પહોંચ્યા પછી વહાણુમાંથી ઉતરીને અભયકુમારે મોકલેલી પ્રતિમાં તેની પાસે મોકલી, સાત ક્ષેત્રમાં ધન વાપરી પોતાની મેળે યતિલિંગ ગ્રહણ કર્યું. એ વખતે તેણે સામાયિક ઉરચરવા માંડયું, તે વખતે આકાશમાં રહેલા દેવતાઓએ ઉંચે સ્વરે કહ્યું કે, “હે મહાસત્ત! તું દીક્ષા ગ્રહણ કરીશ નહીં, કારણ કે અદ્યાપિ તારે ભોગ્યકર્મ અવશેષ છે, તે ભોગવી લે અને ભાગ્યકમ ભેગવ્યા પછી સમયે દીક્ષા ગ્રહણ કરજે; કેમકે ભેચ્યકમ તીર્થકરને પણ અવશ્ય જોગવવું પડે છે. હે મહાત્મા! તારે હાલ વ્રત લેવાની જરૂર નથી, હાલ વ્રત લેવાથી તારું ઉપહાસ્ય થશે. તેવું ભેજન કર્યું શા કામનું કે જેનું વમન થઈ જાય?” આવાં દેવતાનાં વચનને અનાદર કરીને આદ્રકકુમારે પરાક્રમવડે પિતાની મેળે દીક્ષા ગ્રહણ કરી. આ પ્રમાણે આદ્રકકુમાર મુનિ પ્રત્યેકબુદ્ધ થઈ તીવ્રપણે વ્રતને પાળતા વિહાર કરવા લાગ્યા. અનુક્રમે તે વસંતપુર નગરે આવ્યા. અને નગરની બહાર કોઈ દેવાલયમાં પ્રતિમા ધારણ કરીને રહ્યા, અર્થાત્ સર્વ આધિને દૂર કરી સમાધિસ્થ થયા. Page #147 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૭ મ] ચલણને પ્રાસાદ, શ્રેણિકનું વિદ્યાગ્રહણ વિગેરે [ ૧૩૩ એ નગરમાં મહાકુળવાન દેવદત્ત નામે એક માટે શેઠ રહેતું હતું. તેને ધનવતી નામે પત્ની હતી. પેલી બંધુમતીને જીવ દેવલેકમાંથી રવીને તે શેઠને ઘેર પુત્રીપણે અવતર્યો. તે બાળાનું શ્રીમતી નામ પાડ્યું. તે ઘણું સ્વરૂપવતી અને સર્વ વનિતાઓમાં શિરોમણિ થઈ. માલતીના પુષ્પની માળાની જેમ ધાત્રીઓએ પાલન કરેલી તે કન્યા અનુક્રમે ધૂલિકીડા એગ્ય અવસ્થાને પ્રાપ્ત થઈ એકદા શ્રીમતી નગરની બીજી બાળાઓની સાથે પતિજમણની ક્રીડા કરવા માટે પૂર્વોક્ત દેવાલયમાં જ આવી કે જ્યાં આદ્રક મુનિ કાયોત્સર્ગ રહેલા હતા. ત્યાં કીડા કરવાને માટે બધી બાળિકાઓ બોલી કે, “સખીઓ ! સર્વે પોતપોતાને ગમતા એવા વરને વરી લે.” એટલે સર્વે કન્યા પરસ્પર રૂચિ પ્રમાણે કઈ કઈને વર કરીને વરી ગઈ. એટલે શ્રીમતીએ કહ્યું કે, “સખીઓ ! હું તે આ ભટ્ટારક મુનિને વરી.” તે વખતે દેવતાએ આકાશમાં રહીને કહ્યું કે, “સાબાશ છે, તું ઠીક વરી છું !” આ પ્રમાણે કહી ગર્જના કરીને તે દેવે ત્યાં રત્નની વૃષ્ટિ કરી. તે ગજેનાથી ત્રાસ પામીને શ્રીમતી તે મુનિના ચરણને વળગી પડી. મુનિએ વિચાર્યું કે, “અહિં ક્ષણવાર રહેવાથી પણ વ્રતરૂપી વૃક્ષને મહાન પવન જેવો આ મને અનુકૂળ ઉપસર્ગ થયો, માટે અહીં વધારે વાર રહેવું યોગ્ય નથી.” આવા વિચારથી તે મુનિ તરત જ ત્યાંથી બીજે ચાલ્યા ગયા. “મહર્ષિઓને કઈ સ્થળે નિવાસ કરીને રહેવાની આસ્થા હોતી નથી, તો જ્યાં ઉપસર્ગ થાય ત્યાં રહેવાની તે શાની જ આસ્થા હોય?” પછી તે નગરનો રાજા તે રત્નવૃષ્ટિ લેવાને ત્યાં આવ્યો. કારણ કે “સ્વામી વગરના ધન ઉપર રાજાને જ હક છે” એ તેને નિશ્ચય હતે. રાજપુરૂષ રાજાની આજ્ઞાથી જ્યારે તે દ્રવ્ય લેવા દેવાલયમાં પેઠા ત્યારે નાગલોકના દ્વારની જેમ તે સ્થાન અનેક સર્ષોથી વ્યાપ્ત જોવામાં આવ્યું. તે વખતે તત્કાળ દેવતાએ આકાશમાં રહીને કહ્યું કે, “મેં આ દ્રવ્ય આ કન્યાના વરને નિમિત્તે આપેલું છે, માટે બીજા કેઈએ લેવું નહીં.' તે સાંભળી રાજા વિલો થઈને પાછો ગયો એટલે શ્રીમતીના પિતાએ તે દ્રવ્ય લઈને ઈલાયદું રાખ્યું. પછી સાયંકાળે પક્ષીઓની જેમ સવે પિતાપિતાને સ્થાનકે ગયા. - હવે શ્રીમતી વરવા યોગ્ય થવાથી તેને વરવાને ઘણા વર તૈયાર થઈને આવ્યા, એટલે તેના પિતાએ તેને કહ્યું કે, “આમાંથી યોગ્ય લાગે તેને અંગીકાર કર.' તે સાંભળી શ્રીમતી બેલી કે-“પિતાજી! હું તો તે વખતે જે મુનિને વરી છું તેજ મારો વર છે અને દેવતાએ તેને વરવા માટે જ દ્રવ્ય પણ આપેલું છે. તે મહર્ષિને હું મારી રૂચિથી વરી ચૂકી છું. અને તમે પણ દ્રવ્ય લેવાથી તેમાં સંમત થયા છે, માટે તે મુનિવર માટે કલ્પીને હવે મને બીજા વરને આપવી તે તમને યોગ્ય નથી. તાત! શું તમે નથી સાંભળ્યું કે જે બાળકો પણ જાણે છે કે, “રાજાઓ એકજ વાર બોલે, મુનિએ એકજ વાર વદે અને કન્યા પણ એકજ વાર અપાય-આ ત્રણે બાબત એકજવાર થાય છે.” શેઠે કહ્યું કે, “હે પુત્રી ! તે મુનિ શી રીતે મળી શકે, કેમકે તે એક સ્થાને તે રહેતા નથી. પુષ્પમાં ભ્રમરની જેમ તે નવનવા સ્થાનમાં ફરે છે. તે મુનિ પાછા અહીં આવશે કે નહીં? કદિ આવશે તો તે Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું શી રીતે ઓળખાશે? તેમનું નામ શું? તેનું અભિજ્ઞાન શું? તેવા ભિક્ષુકો તો કેટલાય આવે છે.” શ્રીમતી બેલી કે-“પિતાજી! તે દેવાલયમાં દેવતાની ગજેનાથી હું ભય પામી હતી, તેથી હું વાનરીની જેમ તેમના ચરણને પકડી રહી હતી, તે વખતે તેમના ચરણમાં એક ચિન્હ મારા જેવામાં આવ્યું છે. માટે હે પિતા! તમે એવી ગોઠવણ કરે કે જેથી હું પ્રતિદિન જતા આવતા સાધુઓને જોઈ શકું.” શેઠ બેલ્યા કે, “હે પુત્રી ! હવે જે કોઈ મુનિએ આ શહેરમાં આવે તે સર્વે મુનિઓને તારે સ્વયમેવ ભિક્ષા આપવી.” પિતાની આજ્ઞા થઈ ત્યારથી શ્રીમતી દરેક મુનિઓને ભિક્ષા આપતી, અને વંદના કરતી વખતે તેમના ચરણ પરના ચિન્હ જોતી હતી. તેમ કરતાં કરતાં બાર વર્ષે દિમૂઢ થયેલા આદ્રકમુનિ ત્યાં આવી ચડ્યા. શ્રીમતીએ વંદના કરતાં ચિન્હ જોઈને તરત ઓળખી લીધા, એટલે તે બેલી કે, “હે નાથ! તે દેવાલયમાં હું તમને વરી હતી. માટે તમે જ મારા પતિ છે. તે વખતે તો હું મુગ્ધા હતી તેથી મને પસીનાના બિંદુની જેમ ત્યજી દઈને તમે ચાલ્યા ગયા હતા, પણ આજે સપડાયા છે, હવે કરજદારની જેમ અહિંથી શી રીતે જશે? હે નાથ! જ્યારથી તમે દષ્ટનષ્ટ થયા હતા ત્યારથી પ્રાણ રહિતની જેમ મારા બધા કાળ નિગમન થયો છે, માટે હવે પ્રસન્ન થઈને મને અંગીકાર કરો. તે છતાં પણ કદિ જે ક્રૂરતાથી મારી અવજ્ઞા કરશો તો હું અગ્નિમાં પડીને તમને હત્યાનું પાપ આપીશ.” પછી રાજાએ અને મહાજને આવીને વિવાહ માટે તેમની પ્રાર્થના કરી. એટલે મુનિએ વ્રત લેવાને વખતે જે તેના નિષેધરૂપ દિવ્ય વાણી થઈ હતી તે યાદ કરી, અને તે દૈવી વાણી સંભારીને તેમજ સર્વનો વિશેષ આગ્રહ જોઈને મહાત્મા આદ્રકમુનિ તે શ્રીમતીને પરણ્યા. “કદિ પણ ભાવી અન્યથા થતું નથી.” શ્રીમતીની સાથે ચિરકાળ ભોગ ભેગવતા તે મુનિને ગૃહસ્થપણાની પ્રસિદ્ધિરૂપ એક પુત્ર ઉત્પન્ન થયો. અનુક્રમે વૃદ્ધિ પામતો તે પુત્ર ધાવણુ મૂકી દઈ રાજશુકની જેમ તરસ્તની છુટેલી જિહાવડે કાલુકાલું બોલવા લાગ્યા. પુત્ર મોટો થવાથી આકકુમારે શ્રીમતીને કહ્યું કે, “હવે આ પુત્ર તારી સહાય કરશે, માટે હું દીક્ષા લઈશ.” બુદ્ધિમાન શ્રીમતી તે વાત પુત્રને જણાવવાને માટે રૂની પૂણ સાથે ત્રાક લઈને રેંટીઓ કાંતવા બેઠી. જ્યારે તે રૂ કાંતવા લાગી ત્યારે પુત્રે તે જોઈને પૂછ્યું કે, “હે માતા! સાધારણ માણસને આવું કામ તમે કેમ કરે છે?” તે બોલી કે–“હે વત્સ! તારા પિતા દીક્ષા લેવા જવાના છે, એટલે તેના ગયા પછી પતિ રહિત એવી મારે આ ત્રાકનુંજ શરણ છે.” પુત્ર બાલ્યપણાને લીધે તોતડી પણ મધુર વાણુઓ બેલ્યો કે માતા ! હું મારા પિતાને બાંધીને પકડી રાખીશ, પછી તે શી રીતે જઈ શકશે?' આ પ્રમાણે કહી લાળથી કળીઆની જેમ તે મુશ્વમુખ બાળક ત્રાકના સૂત્રથી પિતાના ચરણને વીંટવા લાગ્યો, અને બોલ્યો કે-“અંબા ! હવે ભય રાખે નહીં, સ્વસ્થ થાઓ, જુ મારા પિતાના પગ મેં બાંધી લીધા છે, તેથી બંધાયેલા હાથીની જેમ હવે તે શી રીતે જઈ શકશે?” બાળકની આ પ્રમાણેની ચેષ્ટા જોઈ આદ્રકે Page #149 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૭ મિ] ચલણનો પ્રાસાદ, શ્રેણિકનું વિદ્યાગ્રહણ વિગેરે [૧૩૫ વિચાર્યું કે, “અહો ! આ બાળકનો સ્નેહાનુબંધ કેવું છે કે, જે મારા મનરૂપ પક્ષીને પાશલા રૂપ થઈ પડ્યો છે, જેથી હું હવે તરતમાં દીક્ષા લેવા માટે જવાને અશક્ત છું. માટે આ પ્રેમાળ બાળકે મારા પગ સાથે જેટલા સૂત્રના આંટા લીધા છે તેટલા વર્ષો સુધી આ પુત્રના પ્રેમથી હું ગૃહસ્થપણે રહીશ.” પછી તેણે પગના તંતુબંધ ગણ્યા એટલે બાર થયા, તેથી તેણે ગૃહસ્થપણામાં બીજા બાર વર્ષ નિર્ગમન કર્યા. જ્યારે પિતાની પ્રતિજ્ઞાનો અવધિ પૂર્ણ થયો ત્યારે તે બુદ્ધિમાન પુરૂષ વૈરાગ્ય પામી રાત્રિના પાછલા પહેરે આ પ્રમાણે ચિંતવવા લાગ્યો કે-અહો! આ સંસારરૂપ કુવામાંથી નીકળવાને મેં દેરીની જેમ વ્રતનું આલંબન કર્યું અને પાછું તેને છોડી દઈને હું તેમાં જ મગ્ન થયે. પૂર્વ જન્મમાં મેં માત્ર મનથીજ વ્રત ભાગ્યું હતું, તેથી મને અનાર્યપણું પ્રાપ્ત થયું હતું, તે હવે આ ભવમાં તો ત્રિકરણે વ્રત ભાંગ્યું છે, ત્યારે મારી શી ગતિ થશે ! ભવતુ! હજુ પણ દીક્ષા લઈ તપરૂપ અગ્નિથી અગ્નિશૌચ વસ્ત્રની જેમ હું મારા આત્માનું પ્રક્ષાલન કરીશ.” આ પ્રમાણે વિચાર કરી પ્રાતઃકાળે શ્રીમતીને સમજાવી યતિલિંગ ધારણ કરીને તે નિર્મમ મુનિ થઈ ઘરમાંથી ચાલી નીકળ્યા. વસંતપુરથી રાજગૃહ નગર તરફ જતાં માર્ગમાં પોતાના પાંચસો સામંતોને ચોરીનો ધંધો કરતા જોયા. તેમણે ઓળખીને ભક્તિથી આÁકમુનિને વંદના કરી. મુનિએ કહ્યું, તમે આવી પાપી આજીવિકા શા માટે આદરી છે?” તે બોલ્યા કે, “હે સ્વામી! જ્યારે તમે અમને ઠગીને પલાયન કરી ગયા ત્યારે અમે લજજાથી અમારૂં મુખ તમારા પિતાને બતાવી શક્યા નહીં; તેથી તમારીજ શેધમાં પૃથ્વી પર ભમવા લાગ્યા. અને ચોરીવડે આજીવિકા કરવા લાગ્યા. નિર્ધન શસ્ત્રધારીઓએ બીજું શું કરવું ?” મુનિ બોલ્યા-“હે ભદ્રો ! કદિ માથે કષ્ટ આવી પડે તો પણ જે ધર્માનુબંધી કાર્ય હોય તેજ કરવું કે જે બને લેકમાં સફળ થાય. કોઈ મહાપુણ્યના ભેગથી આ મનુષ્યજન્મ પ્રાપ્ત થાય છે, અને તે પ્રાપ્ત થયાનું ફળ સ્વર્ગ તથા મોક્ષને આપનાર ધર્મજ છે. સર્વ જીવોની અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહાચર્ય, અપરિગ્રહતા–એ ધમ તમારે માનવા ગ્ય છે. હે ભદ્રો! તમે સ્વામિભક્ત છે, હું રાજાની જેમ તમારે સ્વામી છું. તેથી મારું કહેવું માનીને મારા અંગીકાર કરેલા માગને સદ્બુદ્ધિવડે તમે પણ ગ્રહણ કરે. તેઓ બોલ્યા કે “તમે પ્રથમ સ્વામી હતા અને અત્યારે ગુરૂ છે, તમારા કહેલો ધર્મ અમને રૂ છે, તેથી દીક્ષા આપીને અમારી પર અનુગ્રહ કરે.’ આદ્રકુમાર તેઓને દીક્ષા આપી સાથે લઈને શ્રીવીરપ્રભુને વાંદવા રાજગૃહ તરફ ચાલ્યા. માર્ગમાં ગોશાળ સામો મળે. પુયરહિત શૈશાળે આદ્રકમુનિની સાથે વાદ કરવા માંડયો. તે કૌતુક જેવાને હજારો મનુષ્યો અને ખેચરે તટસ્થપણે ત્યાં એકઠા મળ્યા. શાળે બે -“અરે મુનિ! આ તપસ્યા કરવી તે વૃથા કષ્ટારૂપ છે, કારણ કે શુભ અશુભ ફળનું કારણ તો નિયતિ (ભવિતવ્યતા)જ છે. આદ્રકમુનિ બેલ્યા કે-“અરે ગશાળા! જે તેમજ હેય તે આ જગતમાં સુખ જ નથી એમ કહે, અને જે સુખ છે એમ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું કહેતે હોય તો પુરૂષાર્થને તેના કારણ તરીકે માની લે. જે સવ ઠેકાણે નિયતિજ કારણ માનતે હો, તો ઈષ્ટસિદ્ધિને માટે તારી પણ સર્વ ક્રિયાઓ વૃથા થશે. વળી જે તું નિયતિ ઉપર નિષ્ઠા રાખીને રહેતો હોય તો સ્થાન ઉપર કેમ બેસી રહેતો નથી? ભેજનના અવસરે ભોજન માટે શું કામ પ્રયત્ન કરે છે? તેથી નિયતિની જેમ સ્વાર્થસિદ્ધિને માટે પુરૂષાર્થ કરે તે પણ ગ્ય છે, કારણ કે અર્થસિદ્ધિમાં નિયતિથી પણ પુરૂષાર્થ ચઢે છે. જેમકે આકાશમાંથી પણ જળ પડે છે અને ભૂમિ ખણવાથી પણ મળી શકે છે, તેથી નિયતિ બળવાન છે અને તેથી પણ ઉધમ બળવાન છે.” આ પ્રમાણે તે મહામુનિએ ગોશાળાને નિરૂત્તર કરી દીધું. તે સાંભળી ખેચર વિગેરેએ જયજય શબ્દ કરીને તેમની સ્તુતિ કરી. પછી આદ્રકમુનિ હસ્તિતાપસીના આશ્રમમાં ગયા. ત્યાં પણ કુટીઓમાં હાથીઓનું માંસ તડકે સુકવવા નાંખેલું તેમના જેવામાં આવ્યું. ત્યાં રહેલા તાપસ એક મોટા હાથીને મારી તેનું માંસ ખાઈને ઘણા દિવસે નિર્ગમન કરતા હતા. તેઓનો એ મત હતો કે, “એક મોટા હાથીને મારી નાખવો તે સારે કે જેથી એક જીવના જ માંસથી આપણે ઘણે કાળ નિર્ગમન થાય. મૃગ, તિત્તિર, મત્સ્ય વિગેરે ઘણા ક્ષુદ્ર પ્રાણીઓનો અને ઘણું ધાન્યના કણનો આહાર શા માટે કરવો? કે જેમાં ઘણા જીવની હિંસા થવાથી ઘણું પાપ લાગે છે. આવાં તે દયાભાસ ધર્મને માનનારા તાપસોએ તે વખતે મારવાને માટે એક મોટી કાયાવાળા હાથીને ત્યાં બાંધ્યો હતો. ભારવાળી શૃંખલાવડે જ્યાં હાથીને બાંધ્યો હતો, તે માર્ગે થઈને એ કરૂણાબુ મહર્ષિ નીકળ્યા. પાંચસે મુનિઓએ પરવારેલા તે મહર્ષિને અનેક લેકે પૃથ્વી પર મસ્તક નમાવીને નમતા હતા, તે જોઈએ લઘુકમી ગજે વિચાર્યું કે, “હું પણ જે છુટો થઉં તો આ મુનિવરને વંદના કરૂં, પણ બંધનમાં છું તેથી શું કરું?” હાથી આ પ્રમાણે વિચારે છે તેવામાં ગરૂડના દર્શનથી નાગપાશની જેમ તે મહર્ષિના દર્શનથી તેના લેહમય બંધન તુટી ગયા, તેથી તે હાથી છુટે થઈ તે મહામુનિને વાંદવા તેમની સામે ચાલે. તે ઈલેકે કહેવા લાગ્યા કે, “આ મુનિને હાથી જરૂર હણી નાખશે.” એમ બોલતા હાથીના ભયથી દૂર નાશી ગયા; પરંતુ મુનિ તો ત્યાંજ ઉભા રહ્યા. ગજે તેમની પાસે આવી કુંભસ્થળ નમાવીને પ્રણામ કર્યો અને દાહથી પીડિત જેમ કદલીને સ્પર્શ કરે તેમ તે ગજે મુનિના ચરણને સુંઢ પ્રસારીને સ્પર્શ કર્યો, તેથી તે પરમ શાંતિને પામ્યો. પછી તે હાથી ઉભે થઈ ભક્તિથી ભરપૂર દષ્ટિવડે મુનિને જોતો તો અનાકુળપણે અરણ્યમાં ચાલ્યો ગયો. મુનિના આવા અદ્દભુત પ્રભાવથી અને હાથીના ભાગી જવાથી પેલા દયાભાસ ધમી હસ્તિતાપસો તેમના પર ઘણા ગુસ્સે થયા. પરંતુ આકકુમારે તેઓને પણ પ્રતિબંધ પમાડ્યો; અને સમતા સંવેગથી શોભતા તેઓને શ્રીવીરપ્રભુના સમવસરણમાં મોકલ્યા, ત્યાં જઈને તેઓએ હર્ષથી દીક્ષા લીધી. ૧ આભાસ માત્ર જેમાં દયા છે, વાસ્તવિક દયા નથી એવા. Page #151 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ મ] ચેલણાનો પ્રાસાદ, શ્રેણિકનું વિદ્યાગ્રહણ વિગેરે [૧૩૭ શ્રેણિકરાજા ગજેદ્રના મોક્ષની અને તાપસેના પ્રતિબોધની હકીકત સાંભળી અભયકુમાર સહિત આમુનિ પાસે આવ્યો. ભક્તિથી વંદના કરતા રાજાને મુનિએ સર્વકલ્યાણકારિણી ધર્મલાભરૂપ આશીષથી આનંદિત કર્યો. પછી મુનિને શુદ્ધ ભૂમિતળ ઉપર નિરાબાદપણે બેઠેલા જોઈ રાજાએ પૂછયું કે, “હે ભગવન ! તમે કરેલા ગજેંદ્રમોક્ષથી મને આશ્ચર્ય થાય છે, એટલે મહર્ષિ બોલ્યા કે-“હે રાજેદ્ર! ગજેદ્રને મોક્ષ કરે તે મને દુષ્કર લાગતે નથી, પણ મને તો ત્રાકસૂત્રના પાશમાંથી મોક્ષ થવો તે દુષ્કર જણાય છે. રાજાએ પૂછયું કે, “તે શી રીતે?” એટલે મુનિએ ત્રાસૂત્ર સંબંધી બધી કથા કહી સંભળાવી, જે સાંભળી રાજા અને સર્વ લેકે વિસ્મય પામી ગયા. પછી આદ્રકુમાર મુનિએ અભયકુમારને કહ્યું કે, “હે ભદ્ર! તમે મારા નિઃકરણ ઉપકારી ધર્મબંધુ છો. હે રાજપુત્ર! તમે મેકલેલી અહિતની પ્રતિમાના દર્શનથી મને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેથી જ હું આહત થયે. હે ભદ્ર! તમે મને શું શું નથી આપ્યું? અને શો શો ઉપકાર નથી કર્યો? કે જેણે મને ઉત્તમ ઉપાયની યોજના કરીને આહંત ધર્મમાં પ્રવર્તાવ્યો. હે મહોપકારી! તમે અનાર્ય પણ રૂપ મહા કાદવમાં નિમગ્ન થયેલા એવા મારો ઉદ્ધાર કર્યો, અને તમારી બુદ્ધિથી બોધ પામી હું આર્ય દેશમાં આવ્યા, તેમજ તમારાથીજ પ્રતિબોધ પામીને હું દીક્ષાને પ્રાપ્ત થયે છું. તેથી તે કુમાર! તમે ઘણા કલ્યાણવડે વૃદ્ધિ પામે છે.” રાજા શ્રેણિક, અભયકુમાર અને બીજા લેકે તે મુનિને વંદના કરીને પિતાપિતાને સ્થાનકે ગયા. આદ્રકમુનિએ રાજગૃહ નગરમાં સમવસરેલા શ્રી વીરભુને વંદના કરી અને તેમના ચરણકમળની સેવાથી કૃતાર્થ થઈ પ્રાંતે મોક્ષને પ્રાપ્ત થયા. इत्याचार्य श्री हेमचंद्रसूरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महकाव्ये दशमपर्वणि चेलणायोग्यएकस्तंभप्रासादनिर्मापण-आम्रफलापहारेण श्रेणिकविद्याग्रहण-दुर्गधाकथा-आर्द्रकुमारकथा વનો નામ સપ્તમઃ સ ા. ==Irride D - 18 Page #152 -------------------------------------------------------------------------- ________________ n આ સર્ગ ૮ મે ન્સ શ્રી ગષભદત્ત અને દેવાનંદાની દીક્ષા, જમાળિ અને ગોશાળાની વિપ્રતિપત્તિ તથા વિપત્તિ અને – શ્રી મહાવીર પ્રભુનું આરોગ્ય ભવિજનના અનુગ્રહને માટે ગામ, આકર અને નગર વિગેરેમાં વિહાર કરતા શ્રી વિરપ્રભુ અન્યદા બ્રાહ્મણકુંડ ગ્રામે આવ્યા. તેની બહાર બહુશાળ નામના ઉદ્યાનમાં દેવતાઓએ ત્રણ ગઢવાળું સમવસરણ રચ્યું. તેમાં પ્રભુ પૂર્વ સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બરાજ્યા અને ગૌતમ વિગેરે ગણધરે અને દેવતાઓ પોતપોતાને યોગ્ય સ્થાને બેઠા. સર્વજ્ઞને આવેલા સાંભળી ઘણા નગરજને ત્યાં આવ્યા તે સાથે દેવાનંદા અને ગષભદત્ત પણ આવ્યા. શ્રદ્ધાળુ અષભદત્ત પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી વાંદીને યોગ્ય સ્થાને બેઠા. દેવાનંદા પણ પ્રભુને નમી બાષભદત્તની પછવાડે આનંદ પ્રફુલ્લિત મુખવડે દેશના સાંભળવા બેઠી. તે વખતે પ્રભુને જોતાં જ દેવાનંદાના સ્તનમાંથી દુધ ઝરવા લાગ્યું અને શરીરે રોમાંચ પ્રગટ થયા. તેની એવી સ્થિતિ જોઈ ગૌતમસ્વામી સંશય અને વિસ્મય પામ્યા. તેથી તેમણે અંજલિ જોડીને પ્રભુને પૂછ્યું કે, “હે પ્રભુ! પુત્રની જેમ તમને જોઈને આ દેવાનંદાની દષ્ટિ દેવવધુની જેમ નિનિમેષ કેમ થઈ ગઈ?” ભગવાન્ શ્રીવીરપ્રભુ મેઘના જેવી ગંભીર વાણીએ બોલ્યા- “હે દેવાનુપ્રિય ગૌતમ! હું એ દેવાનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ છું. દેવલોકમાંથી ચ્યવીને હું એની કુક્ષિમાં બાશી દિવસ રહ્યો હતો, તેથી પરમાર્થને નહીં જાણતાં છતાં તે મારે વિષે વત્સલ ભાવ ધરે છે.” પ્રભુનાં આવા વચન જે પૂર્વ સાંભળવામાં આવ્યા નહોતા, તે સાંભળી દેવાનંદા, ત્રાષભદત્ત અને બધી પર્ષદા વિસ્મય પામી ગઈ. “આ ત્રણ જગતના સ્વામી પુત્ર કયાં! અને એક સામાન્ય ગૃહસ્થાશ્રમી આપણે કયાં!” એમ વિચારી તે દંપતીએ ઉઠીને ફરીવાર પ્રભુને વંદના કરી. “આ માતા પિતાને પ્રતિબંધ પમાડ દુષ્કર છે.' એવી બુદ્ધિથી ભગવંતે તેમને અન્ય લોકોને ઉદ્દેશીને આ પ્રમાણે દેશના આપી. અ ભવ્યજીવો! આ સંસારમાં સર્વ વસ્તુ ઇદ્રજાળ જેવી છે, તેથી વિવેકી પુરૂષ તેના સ્થિરપણા વિષે ક્ષણવાર પણ શ્રદ્ધા રાખતા નથી. જ્યાં સુધી જરાવસ્થા આવીને આ શરીરને જર્જરિત કરે નહિ, અને જ્યાં સુધી મૃત્યુ પ્રાણ લેવાને આવે નહીં, ત્યાં સુધીમાં અદ્વૈત સુખના નિધાનરૂપ નિર્વાણના એક સાધન જેવી દીક્ષાને આશ્રય કરી લેવું યોગ્ય છે, તેમાં જરા પણ પ્રમાદ કરે યુક્ત નથી.” આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી દેવાનંદા Page #153 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૮ મો ] ઋષભદત્ત, જમાળિ ગોશાળાદિ ચરિત્ર [૧૩૯ અને કષભદત્ત પ્રભુને નમીને બેલ્યા કે “હે સ્વામી ! અમે બંને આ અસાર સંસારવાસથી વિરક્ત થયા છીએ, માટે હે જંગમ કલ્પવૃક્ષ! અમોને સંસારતારણ દીક્ષા આપો. તમારા સિવાય તરવાને અને તારવાને બીજો કોણ સમર્થ છે?” પ્રભુએ તથાસ્તુ' એમ કહ્યું, એટલે આત્માને ધન્ય માનતા તે દંપતીએ ઈશાન દિશામાં જઈ આભૂષણો વિગેરે તજી દીધાં, અને સંવેગથી પાંચ મુષ્ટિવડે કેશ લેચ કરી પ્રભુને પ્રદક્ષિણ પૂર્વક વંદના કરીને બોલ્યા કે “હે સ્વામી! અમે જન્મ, જરા અને મૃત્યુથી ભય પામી તમારે શરણે આવ્યા છીએ, માટે તએ સ્વયમેવ અમને દીક્ષા આપવાને પ્રસન્ન થઈ અનુગ્રહ કરે.” પછી પ્રભુએ નિર્દોષ મનવાળા તે દંપતીને દીક્ષા આપી અને સમાચારી તથા આવશ્યકની વિધિ કહી સંભળાવી. “સર્વ સંપુરૂષે ઉપકારી હોય છે, તે પછી સર્વ કૃતજ્ઞ પુરૂમાં શિરોમણિ પ્રભુની તો વાત જ શી કરવી!” પછી પ્રભુએ ચંદના સાધ્વીને દેવાનંદા અને સ્થવિર સાધુઓને ઋષભદત્તને સેંપી દીધા. બંને પરમ આનંદથી વ્રતને પાળવા લાગ્યા. અનુક્રમે એકાદશાંગીનું અધ્યયન કરી, વિવિધ તપમાં તત્પર થઈ કેવળજ્ઞાન પામીને તેઓ મેક્ષને પ્રાપ્ત થયા. ભગવંત શ્રી વિદ્ધમાન સ્વામી જગતના આનંદમાં વૃદ્ધિ કરતા છતા ગામ, આકર અને નગરથી આકુળ એવી પૃથવીપર વિહાર કરવા લાગ્યા. અનુક્રમે પ્રભુ ક્ષત્રીયકુંડ ગામે પધાર્યા. ત્યાં સમવસરણમાં બેસી દેશના આપી. પ્રભુને સમવસરેલા જાણી રાજા નંદિવર્દન મોટી સમૃદ્ધિ અને ભક્તિથી પ્રભુને વાંદવા આવ્યા. ત્રણ પ્રદક્ષિણા કરી જગદ્ગુરૂને વાંદી ભક્તિથી અંજળિ જોડીને તે યોગ્ય સ્થાને બેઠા. તે વખતે જમાળિ નામે પ્રભુને ભાણેજ અને જામાતા, પ્રભુની પુત્રી પ્રિયદર્શના સહિત પ્રભુને વાંદવા આવ્યો. ભગવંતની દેશના સાંભળીને પ્રતિબોધ પામેલા જમાળિએ માતા પિતાની રજા લઈ પાંચસો ક્ષત્રીઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. જમાળિની સ્ત્રી અને ભગવંતની પુત્રી પ્રિયદર્શનાએ પણ એક હજાર સ્ત્રીઓ સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. પછી પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. જમાળિમુનિ પણ ક્ષત્રિય મુનિઓ સહિત પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા. અનુક્રમે જમાળિએ અગ્યાર અંગનું અધ્યયન કર્યું, એટલે પ્રભુએ તેને સહસ્ત્ર ક્ષત્રિયમુનિઓના આચાર્ય કર્યા. તેમણે ચતુર્થ, છઠ્ઠ અને અઠ્ઠમ વિગેરે તપ કરવા માંડશે, તેમ જ ચંદનાને અનુસરતી પ્રિયદર્શનાએ પણ તપ કરવા માંડ્યું. એક વખતે જમાળિએ પિતાના પરિવાર સહિત પ્રભુને નમીને કહ્યું, “સ્વામી! તમારી આજ્ઞા હોય તો અમે હવે અનિયત વિહાર કરીએ.” પ્રભુએ જ્ઞાનચક્ષુવડે તેમાં ભાવી અનર્થ જાર્યો હતો, તેથી જમાળિ મુનિએ વારંવાર પૂછયું તથાપિ કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં. એટલે “જેમાં નિષેધ ન હોય તેમાં આજ્ઞા સમજવી.” એવું વિચારી જમાળિમુનિ પરિવાર સહિત બીજે વિહાર કરવા પ્રભુ પાસેથી નીકળ્યા. અનુક્રમે વિહાર કરતાં કરતાં શ્રાવસ્તી નગરીએ ગયા. ત્યાં કેક નામના નગરની બહારના ઉદ્યાનમાં વિરસ, શીતળ, લુખા, તુચ્છ, Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ મું સમય વગરના અને ઠંડા અન્નપાન વાપરવાથી અન્યદા જમાળિમુનિને પિત્તવર ઉત્પન્ન થયો. એ વરની પીડાથી કાદવમાં પડેલા ખીલાની જેમ તે ઉભા રહી શકતા નહીં, તેથી એકદા પાસેના મુનિઓને તેમણે કહ્યું કે, “સંથારો કરો.” મુનિઓએ તરત જ સંથારે કરવા માંડયો. “ રાજાની આજ્ઞા સેવકો ઉઠાવે તેમ શિખ્ય ગુરૂની આજ્ઞા ઉઠાવે છે.” પિત્તની અત્યંત પીડાથી જમાળિમુનિએ વારંવાર પૂછવા માંડયું કે, “અરે સાધુઓ! સંથારો પાથર્યો કે કેમ?” સાધુઓ બોલ્યા કે-સંથારે કરેલે છે. એટલે વરાત્ત જમાળિમુનિ તરતજ ઉઠીને તેમની પાસે આવ્યા, ત્યાં સંથારે પથરાતે જોઈ શરીરની અશક્તિથી તે બેસી ગયા અને તત્કાળ મિથ્યાત્વને ઉદય થવાથી ક્રોધ કરીને તે સાધુઓ પ્રત્યે કહેવા લાગ્યા કે, અરે! સાધુઓ ! આપણે ઘણું કાળથી ભ્રાંત થઈ ગયા, હવે ચિર કાળે તત્વ જાણવામાં આવ્યું કે જે કાર્ય કરાતું હોય તેને “કર્યું” એમ કહેવાય નહીં, જે કાર્ય પૂર્ણ થઈ ગયું હોય તેજ “કર્યું” કહેવાય, સંથારો પથરાતો હતે, છતાં તમે “પાથર્યો” એમ જે કહ્યું તે અસત્ય છે, અને તેવું અસત્ય બોલવું અયુક્ત છે. ઉત્પન્ન થતું હોય તેને ઉત્પન્ન થયેલું કહેવું, અને કરાતું હોય તેને કરેલું કહેવું, તેવું અરિહંત પ્રભુ કહે છે તે ઘટતું નથી, કારણ કે તેમાં પ્રત્યક્ષ વિરોધ જણાય છે. વર્તમાન અને ભવિષ્ય ક્ષણેના બૂહના યોગથી નિષ્પન્ન થતાં કાર્યને વિષે “કર્યું' એમ આરંભમાંજ શી રીતે કહેવાય? જે અર્થ અને ક્રિયાનું વિધાન કરે છે, તેને વિષેજ વસ્તુતા રહેલી છે, તો તે પ્રથમ કાળે ઉત્પન્ન થયેલા પદાર્થમાં કદિ પણ સંભવે નહીં. જે કાર્ય આરંભમાં જ કર્યું કહેવાય તે પછી બાકીના ક્ષણે કરેલાને કરવામાં જરૂર અનવસ્થા દોષ આવે છે, તેથી યુક્તિવડે એમ સિદ્ધ થાય છે કે, જે કાર્ય પૂર્ણ કર્યું તેજ ફુટ રીતે કરેલું કહેવાય. “નહિં જન્મેલા પુત્રનું નામ કઈ પાડેજ નહીં.' માટે હે મુનિઓ! હું કહું છું તે પ્રત્યક્ષ નિર્દોષ છે, તેને અંગીકાર કરો. પ્રભુ જે કાંઈ કહે તે ગ્રહણ કરાય નહીં, જે યુક્તિયુક્ત હોય તેનું જ ગ્રહણ થાય છે. સર્વજ્ઞપણાથી વિખ્યાત એવા અહંત પ્રભુ મિથ્યા બોલે જ નહીં એવું ધારશો નહીં, તે પણ કઈ વાર મિથ્યા બાલે, કારણ કે-મહાન પુરૂષોને પણ ખલના થાય છે.” આ પ્રમાણે વિપરીત ભાષણ કરતા અને ક્રોધથી મર્યાદાને છેડી દેતા જમાળિ પ્રત્યે સ્થવિર મુનિઓ બોલ્યા કે “અરે જમાળિ! તમે આવું વિપરીત કેમ બોલો છે? રાગદ્વેષથી વજિત એવા અહત પ્રભુ કદિ પણ અન્યથા બોલતાજ નથી. તેમની વાણીમાં કદિ પણ પ્રત્યક્ષ પ્રમુખ દેષને એક અંશ પણ હોતું નથી. જે આદ્ય સમયમાં વસ્તુ નિષ્પન્ન થયેલી ન કહેવાય તે સમયના અવિશેષપણુથી બીજા સમયમાં પણ તેની ઉત્પત્તિ થયેલી કેમ કહેવાય? અર્થ અને ક્રિયાનું સાધકપણું એ વસ્તુનું જે લક્ષણ છે, તે નામના અન્ય ઉપયોગથી કાંઈ વ્યભિચાર (વિપરીત ભાવ) પામતું નથી. જેમ લેકમાં કઈ કાર્ય કરતાં પ્રથમથી જ કઈ પૂછે કે, “શું કરો છો?' ત્યારે કાર્ય પૂર્ણ થયેલું ન હોય તો પણ એમ કહેવાય છે કે, અમુક ઘટ વિગેરે કરીએ છીએ.” પૂર્વ કાળે કરેલી વસ્તુ કરવામાં અનવસ્થા દેષ લાગુ Page #155 -------------------------------------------------------------------------- ________________ સગ ૮ મ ] કષભદત્ત, જમાળિ ગોશાળાદિ ચરિત્ર [૧૪૧ કરે તે પણ યુક્ત નથી, કારણ કે તેમાં પિટા ભાગે કાર્યાતરનું સાધન રહેલું છે. વળી તમારા જેવા છદ્મસ્થને યુક્ત અયુક્તને પૂર્ણ વિવેક ક્યાંથી હોય? અને તેથી તમારું વચન યુક્તિવાળું કેમ માની શકાય કે જેથી તે ગ્રહણ કરાય? કેવળજ્ઞાનના આલોકથી રૈલોક્યની વસ્તુઓને જાણનારા એવા સર્વજ્ઞ શ્રી વીરપ્રભુનું કથન જ અમારે પ્રમાણ છે. તેની પાસે તમારી યુક્તિ બધી મિથ્યા છે. હે જમાળિ! તમે જે કહ્યું કે, “મહાન પુરૂષને પણ ખુલના થાય છે તે તમારું વચન મત્ત, પ્રમત્ત અને ઉન્મત્તના જેવું છે. “જે કરાતું હોય તેને કરેલું કહેવું છે એવું સર્વજ્ઞનું ભાષિત બરાબર જ છે, નહીં તે તેમના વચનથી તમે રાજ્ય છોડીને શા માટે દીક્ષા લીધી? એ મહાત્માના નિર્દોષ વચનને દૂષિત કરતાં તમે કેમ લાજતા નથી? અને આવા સ્વકૃત કર્મથી તમે શા માટે ભવસાગરમાં નિમગ્ન થાઓ છે ? તેથી તમે શ્રી વીર પ્રભુ પાસે જઈ આ બાબતનું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે, તમારું તપ અને જન્મ નિરર્થક કરો નહીં. જે પ્રાણ આરિહંતના એક અક્ષર ઉપર પણ શ્રદ્ધા રાખે નહીં, તે પ્રાણ મિથ્યાત્વને પામીને ભવપરંપરામાં રખડે છે.” આ પ્રમાણે સ્થવિર મુનિઓએ જમાળિને ઘણી રીતે સમજાવ્યું તથાપિ તેણે પિતાને કુમત છેડો નહીં, માત્ર મૌન ધરીને રહ્યો. એટલે તે કુમતધારી જમાળિને છોડીને કેટલાક સ્થવિર મુનિ તો તરત જ પ્રભુ પાસે ચાલ્યા ગયા અને કેટલાક તેની પાસે રહ્યા. પ્રિયદર્શનાએ પરિવાર સહિત સ્ત્રી જાતિને સુલભ એવા મેહ (અજ્ઞાન)થી અને પૂર્વના નેહથી જમાળિના પક્ષને સ્વીકાર્યો. અનુક્રમે જમાળિ ઉન્મત્ત થઈ બીજા માણસોને પણ પિતાને મત ગ્રહણ કરાવવા લાગે અને તે પછી તે કુમતને ફેલાવવા લાગ્યા. જિનેન્દ્રના વચનને હસી કાઢતો અને સર્વજ્ઞ છું ” એમ કહેતે જમાળિ પરિવાર સહિત વિહાર કરવા લાગ્યા. એકદા તે મન્મત્ત જમાળિમુનિ શ્રી વિરપ્રભુને ચંપાનગરીના પૂર્વભદ્ર નામના વનમાં સમવસરેલા જાણી ત્યાં ગયા અને બોલ્યો કે-“હે ભગવન્! તમારા ઘણું શિખ્યો છદ્મસ્થ. પણામાં જ કેવલજ્ઞાન ઉત્પન્ન થયા વગર મૃત્યુ પામી ગયા, પણ હું તે નથી. મને તે કેવળજ્ઞાન અને કેવળદર્શન અક્ષયપણે ઉત્પન્ન થયા છે, તેથી આ પૃથ્વી પર હું પણ સર્વજ્ઞ અને સર્વદશી* અહંત છું.” તેના આવા મિથ્યા વચને સાંભળીને ગૌતમસ્વામી બોલી ઉઠયા કે, “અરે જમાળિ! જે તું જ્ઞાનવાનું છે તો કહે કે, આ જીવ અને લેક શાશ્વત છે કે અશાશ્વત છે?” આ પ્રશ્નને પ્રત્યુત્તર આપવાને અસમર્થ એવો જમાળિ કાગડાના બચ્ચાંની જેમ મુખ પ્રસારી શૂન્ય થઈ ગયો. પછી ભગવંત શ્રી વિરપ્રભુ બોલ્યા કે-“જમાળિ ! આ લોક તત્ત્વથી શાશ્વત અને અશાશ્વત છે, તેની જેમ જીવ પણ શાશ્વત અને અશાશ્વત છે. આ લોક ૧ આ વિષયમાં ઉંડું તત્વજ્ઞાન સમાયેલું છે. બહુ વિચાર કર્યા વગર વિષય ગ્રાહ્ય થઈ શકશે નહિ. કોઈ ગીતાર્થ પાસે આ વિષય વિચાર ઉચિત છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું દ્રવ્યરૂપે શાશ્વત છે અને પ્રતિક્ષણે નાશ પામતા પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે, તેમજ જીવ પણ દ્રવ્યરૂપે શાશ્વત છે અને દેવ, મનુષ્ય, તિર્યંચ વિગેરે પર્યાયોના સંભવથી અશાશ્વત છે.” આ પ્રમાણે પ્રભુએ કહ્યું તે સાંભળ્યું તો પણ મિથ્યાત્વથી જેનું હૃદય મથિત થયેલું છે એ તે જમાળિ કાંઈ પણ બોલ્યા વિના પિતાના પરિવાર સહિત સમવસરણની બહાર નીકળે. આવા નિહનવપણુથી તે જમાળિને સંઘે સંઘબહાર કર્યો. તે સમયે પ્રભુને કેવળજ્ઞાન ઉપજ્યા ચૌદ વર્ષ થયા હતા. સર્વ ઠેકાણે પોતાના દર્શનના અભિપ્રાયને કહેતો અને સ્વચ્છેદથી ફરતો જમાળ પિતાના આત્માને સર્વજ્ઞ માનતો છતાં પૃથ્વી પર વિહાર કરવા લાગ્યો. પરંતુ “જમાળ અજ્ઞાનવડે શ્રી વિરપ્રભુથી વિપરીત થઈ મિથ્યાત્વને પામ્યો છે.” એવી લોકમાં સર્વત્ર પ્રસિદ્ધિ થઈ ગઈ. એકદા વિહાર કરતો કરતો જમાળિ શ્રાવસ્તી નગરીએ ગયો અને નગર બહાર ઉદ્યાનમાં પરિવાર સાથે ઉતર્યો. પ્રિયદર્શના પણ તેજ નગરીમાં એક હજાર આર્યા સહિત “કંક” નામના સમૃદ્ધિવાન્ કુંભારની શાળામાં ઉતરી હતી. તે ઢંકકુલાલ પરમ શ્રાવક હતો, તેણે પ્રિયદર્શનાને આવા કુમતમાં રહેલી જોઈને ચિંતવ્યું કે, “હું કોઈ પણ ઉપાયથી આને પ્રતિબોધ પમાડું.” આવા વિચારથી એકદા તેણે નીભાડામાંથી પાત્રને એકઠા કરતાં કરતાં બુદ્ધિપૂર્વક અગ્નિનો એક તણખો પ્રિયદર્શના ન જાણે તેમ તેના વસ્ત્ર ઉપર નાખે. વસ્ત્રને બળતું જોઈ પ્રિયદર્શના બોલી કે–અરે ઢંકજે ! તારા પ્રમાદથી આ મારૂં વસ્ત્ર બળી ગયું !' કંક બોલ્યો-“હે સાવી ! તમે મૃષા બોલે નહીં, તમારા મત પ્રમાણે તે જ્યારે બધું વસ્ત્ર બળી જાય ત્યારેજ બળ્યું એમ કહેવું ઘટિત છે. બળતું હોય તેને બળી ગયું કહેવું, એતો શ્રી અહંતનું વચન છે અને અનુભવથી તેમનું તે વચન સ્વીકારવાને યોગ્ય જણાય છે.” તે સાંભળી પ્રિયદર્શનાને શુદ્ધબુદ્ધિ ઉત્પન્ન થઈ તેથી તે બોલી કે “હે કંક! હું ચિરકાળથી વિમૂઢ થઈ ગઈ હતી, તેને તે સારો બોધ કર્યો. અરે ! મેં આટલા વખત સુધી શ્રીવીર પ્રભુના વચનને દૂષિત કર્યું, તેથી તે સંબંધી મને મિથ્યાદુષ્કત છે, હવેથી શ્રીવીરભગવંતની વાણુ મારે પ્રમાણ છે.” પછી ઢંક કુંભારે કહ્યું કે, “હે સાધ્વી ! તમે સારા હૃદયવાળા છે, તથાપિ હમણાં જ સર્વજ્ઞ પ્રભુની પાસે જાઓ અને પ્રાયશ્ચિત્ત લો.” ડંકના આવા વચનથી પ્રિયદર્શના “હું પ્રાયશ્ચિત્ત લેવાનું ઈચ્છું છું” એમ કહી જમાળિને છોડી દઈને પોતાના પરિવાર સહિત શ્રી વિરપ્રભુની પાસે આવી. પછી ઢંકે પ્રતિબોધ પમાડેલા એક જમાળિ સિવાય બીજા સર્વ મુનિ શ્રી વિરપ્રભુની પાસે ચાલ્યા ગયા. એક જમાળિ કુમતથી છેતરાઈ ઘણું વરસ સુધી પૃથ્વી પર વ્રતધારી પણ ભમ્યો. છેવટે, અર્ધા માસનું અનશન કરી પોતાના તે દુષ્કર્મની આલોચના કર્યા વગર મૃત્યુ પામીને છઠ્ઠા દેવલેકમાં કિલિવષ દેવતા થયો. - જમાળિને મૃત્યુ પામેલો જાણી ગૌતમે શ્રી વિરપ્રભુને વંદના કરીને પૂછ્યું કે, “હે સ્વામી ! તે મહા તપસ્વી જમાળિ કઈ ગતિને પામ્યો છે?' પ્રભુએ કહ્યું કે, તે તપાધન Page #157 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૮ મો ] ઋષભદત્ત, જમાળિ ગશાળાદિ ચરિત્ર [૧૪૩ જમાળિ લાંતક દેવકમાં તેર સાગરોપમના આયુષ્યવાળો કિલ્વિષિક દેવતા થયા છે.” ગૌતમે ફરીથી પૂછયું કે “તેણે મહા ઉગ્ર તપ કર્યું હતું, તથાપિ તે કિવિષિક દેવ કેમ થયો? અને ત્યાંથી આવીને કયાં જશે?' પ્રભુ બોલ્યા કે-“જે પ્રાણી ઉત્તમ આચારવાળા ધર્મગુરૂ, (આચાર્ય), ઉપાધ્યાય, કુળ, ગણ તથા સંઘને વિરોધી હોય, તે ગમે તેટલી તપસ્યા કરે તો પણ કિવિષિકાદિ હલકી જાતિનો દેવતા થાય છે. જમાળિ પણ તે દોષથી જ કિરિવષિક દેવ થયેલ છે. ત્યાંથી આવી પાંચ પાંચ ભવ તિર્યંચ, મનુષ્ય અને નારકીના ફરી ફરીને બેલિબીજ પ્રાપ્ત કરી છેવટે નિર્વાણને પામશે. તેથી કઈ પણ પ્રાણીએ ધર્માચાર્ય વિગેરેના વિરોધી થવું નહીં.” આ પ્રમાણે ઉપદેશ આપી ભગવંતે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. સાકેતપુર નામના નગરમાં સુરપ્રિય નામે એક યક્ષનું દેવાલય હતું. ત્યાં પ્રતિવર્ષ તેની પ્રતિમાને ચિત્રાવીને લોકો મહત્સવ કરતા હતા. પરંતુ તેને જે ચિત્રે તે ચિત્રકારને તે યક્ષ મારી નાખતો હતો અને જે કોઈ તેને ચિત્રે નહી તો તે આખા નગરમાં મહામારી વિમુવતો હતો. તેથી ભય પામીને બધા ચિત્રકારો તે નગરમાંથી પલાયન કરવા લાગ્યા. એટલે પિતાની પ્રજામાં મહામારી ઉત્પન્ન થવાના ભયથી રાજાએ તેમને જતા અટકાવ્યાં, અને તેમના જામીન લઈ ચિઠ્ઠીઓમાં તે સર્વેના નામ લખી યમરાજની ચપાટ જેવા એક ઘડામાં બધી ચિઠ્ઠીઓ નાખી. પછી પ્રતિવર્ષ તેમાંથી એક ચિઠ્ઠી કાઢતાં જેના નામની ચિઠ્ઠી આવે તે ચિત્રકારને બોલાવી તેની પાસે તે યક્ષની મૂર્તિ ચિત્રાવવા લાગ્યો. આ પ્રમાણે કેટલેક વખત ગયા પછી એકદી કોઈ ચિત્રકારને પુત્ર કૌશાંબી નગરીથી ચિત્રકળા શીખવાને માટે ત્યાં આવ્યો, અને કોઈ ચિત્રકારની વૃદ્ધ સ્ત્રીને ઘેર ઉતર્યો. તેને તે વૃદ્ધાના પુત્રની સાથે મૈત્રી થઈ. દૈવયોગે તે વર્ષે તે વૃદ્ધાના પુત્રના નામની જ ચિઠ્ઠી નીકળી, જે ચિઠ્ઠી યમરાજના ચોપડાના પાના જેવી હતી. તે ખબર સાંભળી વૃદ્ધાએ રૂદન કરવા માંડ્યું; તે જોઈ કૌશાંબીના યુવાન ચિત્રકારે રૂદન કરવાનું કારણ પૂછયું, ત્યારે વૃદ્ધાએ યક્ષનું વૃત્તાંત અને પિતાના પુત્રને આવી પડેલી વિપત્તિની વાર્તા જણાવી. તે બોલ્યો-“માતા! રૂદન કરો નહીં, તમારો પુત્ર ઘેર રહે, હું જઈને ચિત્રકારના ભક્ષક તે યક્ષને ચિતરીશ.” સ્થવિરા બોલી કે-વત્સ! તું પણ મારો પુત્ર જ છે.” તે બોલ્યો-“માતા ! હં છતાં મારે ભાઈ સ્વસ્થ રહે.' પછી તે યુવાન ચિત્રકાર છઠ્ઠને તપ કરી, હાઈ ચંદનથી શરીર પર વિલેપન કરી, મુખ ઉપર પવિત્ર વસ્ત્રને આઠ૫ડું કરી બાંધીને નવીન પીંછીઓ અને સુંદર રંગથી તેણે યક્ષની મૂર્તિ ચિત્રી. પછી તે બાળ ચિત્રકાર યક્ષને નમીને બોલ્યો કે-“હે સુરપ્રિય દેવશ્રેષ્ઠ! અતિ ચતુર ચિત્રકાર પણ તમારા ચિત્રને ચિતરવાને સમર્થ નથી તે હું ગરીબ મુગ્ધ બાળક તો કેણુ માત્ર છું. તથાપિ હે યક્ષરાજ! મેં મારી શક્તિથી જે કાંઈ કર્યું છે તે યુક્ત કે અયુક્ત જે હોય તે સ્વીકારજો અને કાંઈ ભૂલચૂક થઈ હોય તે તેને માટે ક્ષમા કરજે; કારણ કે તમે નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ છે.” આવી તે બાળકની વિનય ભરપૂર વાણીથી યક્ષ પ્રસન્ન થઈને બોલ્યો કે “હે ચિત્રકાર / વર માગ.' Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું બાળ ચિત્રકાર બોલ્યો કે-“હે દેવ! તમે જે હું ગરીબ ઉપર પ્રસન્ન થયા તે હું એવું વરદાન માગું છું કે, હવેથી કઈ ચિત્રકારને મારશો નહીં.” યક્ષ બે -“તને માર્યો નહીં ત્યારથી જ હવે તેમ કરવું તે સિદ્ધ થઈ ગયેલ છે. પણ હે ભદ્ર! તારા સ્વાર્થની સિદ્ધિને માટે કાંઈ બીજું વરદાન માગી લે.” યુવાન ચિત્રકાર બે-“હે દેવ! આપે આ નગરમાંથી મહામારીને નિવારી, તે એટલાથી જ હું કૃતાર્થ થયો છું.” યક્ષ વિસ્મય પામીને બે -“કુમાર! પરમાર્થને માટે તે વરદાન માગ્યું, તેથી હું તારી ઉપર પુનઃસંતુષ્ટ થયો છું, માટે સ્વાર્થને માટે કાંઈક વરદાન માગી લે.” ચિત્રકાર બેલ્યો-“હે દેવ! જે વિશેષ સંતુષ્ટ થયા હો તો મને એવું વરદાન આપે છે, જે કઈ મનુષ્ય, પશુ કે બીજાનો હું એક અંશ જોઉં તો તે અંશને અનુસારે તેના આખા સ્વરૂપને વાસ્તવિક આલેખવાની મને શક્તિ પ્રાપ્ત થાય.” યક્ષે “તથાસ્તુ' એમ કહ્યું. પછી નગરજનોએ પૂજા કરાતે તે ત્યાંથી પેલી વૃદ્ધા તથા પિતાના મિત્ર ચિત્રકારની રજા લઈને શતાનીક રાજાએ આશ્રિત કરેલી કૌશાંબી નગરીમાં આવ્યું. કૌશાંબીમાં એકદા શતાનીકરાના લક્ષ્મીથી ગર્વિત થયે છતે સભામાં બેઠો હતો, તે વખતે તેણે પરદેશ જતા આવતા દૂતને પૂછ્યું કે “હે દૂત! જે બીજા રાજાઓની પાસે છે ને મારે નથી એવું શું છે? તે કહે.' દૂત બોલ્યા- હે રાજન ! તમારે એક ચિત્રસભા નથી.” તે સાંભળી રાજાએ તત્કાલ ચિત્રકારને આજ્ઞા કરી કે, “મારે માટે એક ચિત્રસભા તૈયાર કરો. પછી ઘણા ચિત્રકારોએ એકઠા થઈને ચિતરવાને માટે સભાની ભૂમિ વહેંચી લીધી. તેમાં પેલા યુવાન ચિત્રકારને અંતઃપુરની નજિકનો પ્રદેશ ભાગમાં આવ્યું. ત્યાં ચિત્રકામ કરતાં જાળીઆની અંદરથી મૃગાવતીદેવીના પગને અંગુઠો અંગુઠી તેના જોવામાં આવ્યો. તે ઉપરથી “આ મૃગાવતીદેવી હશે” એવું અનુમાન કરીને તે ચિત્રકારે યક્ષરાજના પ્રસાદથી તેનું સ્વરૂપ યથાર્થ રીતે આલેખવા માંડયું, છેવટે તેના નેત્ર આલેખતા પછીમાંથી મલીનું બિંદુ તેણીના સાથળ ઉપર પડયું, એટલે તત્કાળ ચિત્રકારે તે લુંછી લીધું. પાછું ફરીવાર પડયું, તેને પણ લુંછી લીધું. પાછું ત્રીજીવાર પડ્યું. તે જોઈ ચિત્રકારે ચિંતવ્યું કે, “જરૂર આ સ્ત્રીના ઉરૂપ્રદેશમાં તેવું લાંછન હશે, તો તે લાંછન ભલે રહો, હવે હું તેને લુંછીશ નહીં.” પછી તે મૃગાવતીનું ચિત્ર પૂરેપૂરું આલેખી રહ્યો. તેવામાં ચિત્રકામ જેવાને રાજા ત્યાં આવ્યા. અનુક્રમે જોતાં જોતાં મૃગાવતીનું સ્વરૂપ તેના જેવામાં આવ્યું. તે વખતે સાથલ ઉપર પિલું લાંછન કરેલું જોઈ રાજાએ ક્રોધથી ચિંતવ્યું કે, “જરૂર આ પાપી ચિત્રકારે મારી પત્ની ભ્રષ્ટ કરી જણાય છે; નહિંત વસ્ત્રની અંદર રહેલા આ લાંછનને એ દુરાશય શી રીતે જાણી શકે !' આવા કે પછી તેને તે દેષ પ્રગટ કરીને રાજાએ નિગ્રહ કરવા માટે તેને રક્ષકોને સ્વાધીન કર્યો. તે વખતે બીજા ચિત્રકારોએ મળીને રાજાને કહ્યું કે, “હે સ્વામી ! એ ચિત્રકાર કઈ યક્ષ દેવના પ્રભાવથી એક અંશ જોઈને આખું સ્વરૂપ યથાવત આલેખી શકે છે, માટે આમાં તેને અપરાધ નથી. ” તેમના Page #159 -------------------------------------------------------------------------- ________________ સગ ૮ મા] ઋષભદત્ત, જમાળિ ગેાશાળાદ્ધિ ચરિત્ર [ ૧૪૫ આવા વચનથી ક્ષુદ્ર ચિત્તવાળા રાજાએ તે ઉત્તમ ચિત્રકારની પરીક્ષા કરવાને માટે એક કુખડી દાસીનું મુખ માત્ર તેને બતાવ્યું. તે ઉપરથી તે ચતુર ચિતારે તેનુ યથાર્થ સ્વરૂપ આલેખી ખતાવ્યું. તે જોઈને રાજાને ખાત્રી થયા છતાં ઈર્ષ્યા આવી તેથી ક્રોધ વડે તે ચિત્રકારના જમણા હાથના અંગુઠો તેણે કપાવી નાખ્યા. તે ચિત્રકારે પેલા યક્ષની પાસે જઈ ઉપવાસ કર્યાં. એટલે યક્ષે તેને કહ્યું કે, ‘તું વામ હસ્તથી પણ તેવા ચિત્રા કરી શકીશ.' યક્ષે આવુ વરદાન આપ્યું, તેથી તે ચિત્રકારે ક્રોધથી વિચાર્યું` કે, ‘તે દુષ્ટ રાજાએ મારી નિરપરાધીની આવી દશા કરી, માટે હું કાઈ ઉપાયથી તેના બદલા લઉ*.? “ બુદ્ધિમાન્ પુરૂષો જે પરાક્રમથી અસાધ્ય હોય તેને પણ બુદ્ધિથી સાધ્ય કરે છે.” આવા વિચાર કરીને તેણે એક પાટીઆ ઉપર વિશ્વમૂળુ મૃગાવતીદેવીને અનેક આભૂષણ્ણા સહિત આલેખી, અને પછી સ્ત્રીઓના લેાલુપી અને પ્રચંડ એવા ચડપ્રદ્યોત રાજાની પાસે જઈ ને તે મનેાહર ચિત્ર બતાવ્યું. તે જોઈ ચડપ્રદ્યોતે કહ્યું કે, “ હે ઉત્તમ ચિત્રકાર! તારૂં' ચિત્રકૌશલ્ય ખરેખર વિધાતા જેવુ જ છે એમ હું' ધારૂં છું.... આવું સ્વરૂપ આ માનવંલેાકમાં પૂર્વ કઢિપણુ જોવામા આવ્યું નથી. તેમજ સ્ત્રČમાં આવું રૂપ હોય તેમ સાંભળવામાં પણ આવ્યું નથી, તે છતાં મીજી નકલ સિવાય તે. આ શી રીતે આલેખ્યુ? હે ચિત્રકાર! આવી ી કયાં છે! તે ખરેખરૂં કહે તા તરતજ હું તેને પકડી લાવું, કેમકે એવી સ્ત્રી કાઈ પણ સ્થાને હોય તો તે મારેજ લાયક છે.” રાજાના આવાં વચન સાંભળી હવે મારા મનારથ પૂરા થશે' એવું ધારી ચિત્રકારે હી ત થઈ ને કહ્યું કે, હે રાજા ! કૌશાંબી નગરીમાં શતાનીક નામે રાજા છે. પૂર્ણમૃગાંક જેવા મુખવાળી મૃગાવતી નામે આ મૃગાક્ષી એ સિંહ જેવા પરાક્રમી રાજાની પટરાણી છે. તેનું યથાર્થ રૂપ આલેખવાને તો વિશ્વકર્મા પણ સમથ નથી, મે' તો આમાં તેનું જરા માત્ર રૂપજ આળેખેલુ છે, કેમકે તેનું વાસ્તવિક રૂપ તા વચનથી પણ દૂર છે.' ચંડપ્રદ્યોતે કહ્યુ` કે, ‘મૃગના દેખતાં સિંહ જેમ મૃગલીને ગ્રહણ કરે, તેમ હું શતાનીક રાજાના દેખતાં એ મૃગાવતીને ચતુણુ કરી લઈશ. તથાપિ રાજનીતિ પ્રમાણે પ્રથમ તેની માગણી કરવાને દૂત મેાકલવા યોગ્ય છે, કે જેથી મારી આજ્ઞા માન્ય કરે તે તેને કાંઈ પણ અનથ ન થાય.' એવા વિચાર કરીને ચ ડ પ્રદ્યોતે વજજ ઘ નામના દૂતને સમજાવીને શતાનીક રાજા પાસે માકલ્યા. તે ક્રૂતે શતાનીક રાજાની પાસે આવી આ પ્રમાણે કહ્યું “હું શતાનીક રાજા! ચડપ્રદ્યોતરાજા તમને આજ્ઞા કરે છે કે—તેં દૈવયેાગથી મૃગાવતી દેવીને પ્રાપ્ત કરી છે, પણ એ સ્ત્રીરત્ન મારે યાગ્ય છે, તું કાણુ માત્ર છે; માટે જો રાજ્ય અને પ્રાણ વહાલા હાય તા તેને સત્વર અહીં મોકલી ૐ” કૃતના આવાં વચન સાંભળી શતાનીકરાજા મલ્યે કે“ અરે અધમ ક્રૂત ! તારા મુખે તુ' આવા અનાચારની વાત ખેલે છે, પણ જા, કૃતપણાથી આજે તને મારતા નથી. જે સ્ત્રી D - 19 Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું મારે આધીન છે તેને માટે પણ તારા પાપી રાજાને આ આચાર છે, તે પિતાને સ્વાધીન પ્રજા ઉપર તે તેને કે જુલમ હશે ?” આ પ્રમાણે કહી શતાનીકે નિર્ભયપણે દૂતને તિરસ્કાર કરીને કાઢી મૂક્યો. તે અવંતીએ આવીને તે વાર્તા ચડપ્રદ્યોતને કહી. તે સાંભળી ચંડપ્રદ્યોતને ઘણે ક્રોધ ચડયા. તેથી સૈન્ય વડે દિશાઓને આછાદન કરતે મર્યાદા રહિત સમુદ્રની જેમ તે કૌશાંબી તરફ ચાલે. ગરૂડના આવવાથી સર્ષની જેમ ચંડપ્રદ્યોતને આવતે સાંભળી શતાનીકરાજા શૈભવડે અતિસાર થવાથી તત્કાળ મૃત્યુ પામી ગયે. દેવી મૃગાવતીએ વિચાર્યું કે, “મારા પતિ તે મૃત્યુ પામ્યા અને આ ઉદયનકુમાર હજુ અલ્પ બળવાબે બાળક છે. બળવાનને અનુસરવું' એવી નીતિ છે, પણ આ સ્ત્રીલંપટ રાજાના સંબંધમાં તો તેમ કરવાથી મને કલંક લાગે, માટે એની સાથે તે કપટ કરવું એજ યોગ્ય છે. તેથી હવે તો અહીંજ રહીને અનુકૂળ સંદેશાથી તેને લેભાવી યોગ્ય સમય આવે ત્યાં સુધી કાળ નિર્ગમન કરૂં.” આ વિચાર કરી મૃગાવતીએ એક દૂતને સમજાવીને ચંડપ્રદ્યોત પાસે મોકલ્યો. તે દૂત છાવણીમાં રહેલા પ્રદ્યોતરાજાની પાસે આવીને બે કે -“દેવી મૃગાવતીએ કહેવરાવ્યું છે કે, મારા પતિ શતાનીક રાજા સ્વર્ગે ગયા તેથી હવે મને તમારૂં જ શરણું છે, પરંતુ મારો પુત્ર હજુ બળરહિત બાળક છે, તેથી જે હું હમણા તેને છોડી દઉં તો પિતાની વિપત્તિથી થયેલા ઉગ્ર શોકાવેગની જેમ શત્રુરાજાઓ પણ તેને પરાભવ કરશે.” મૃગાવતીની આવી વિનંતિ સાંભળી પ્રદ્યોતરાજા ઘણે હર્ષ પામીને બે કે, “હું રક્ષક છતાં મૃગાવતીના પુત્રને પરાભવ કરવાને કણ સમર્થ છે?” દૂત બોલ્યા કે-“દેવીએ પણ એમ જ કહ્યું છે કે, પ્રદ્યોતરાજા સ્વામી છતાં મારા પુત્રને પરાભવ કરવાને કોણ સમર્થ છે. પણ આપ પૂજ્ય મહારાજા તો દૂર રહે છે અને શત્રુ રાજાઓ તો નજિના રહેનારા છે, તેથી “સર્પ ઓશીકે અને ઔષધિઓ હિમાલય ઉપર એ પ્રમાણે છે. તેથી જે તમે સારી સાથે નિવિદને એગ કરવાને ઈચ્છતા હો તો ઉજયિની નગરીથી ઈટો લાવી કૌશાંબી ફરતે મજબુત કિલ્લો કરાવી આપે.” પ્રદ્યોતે તેમ કરવાને સ્વીકાર્યું. પછી ઉજજયિની ને કૌશાંબીના માર્ગમાં પિતાની સાથેના ચૌદ રાજાઓને પરિવાર સાથે શ્રેણિબંધ સ્થાપિત કર્યા, અને પુરૂષોની પરંપરાવડે હાથે હાથ ઉજજયિનીથી ઈટો મંગાવીને થોડા સમયમાં કૌશાંબી ફરતે મજબુત કિલો કરાવી દીધા. પછી મૃગાવતીએ ફરીને હત મેકલી કહેવરાવ્યું કે, “હે પ્રદ્યોતરાજા! તમે ધન ધાન્ય અને ઈધનાદિકથી કૌશાંબી નગરીને ભરપૂર કદી છે. પ્રદ્યોતરાજાએ તે સર્વ પણ સત્વર કરાવી દીધું. “આશાપાશથી વશ થયેલે પુરૂષ શું શું નથી કરતે.” બુદ્ધિમતી મૃગાવતીએ જાણ્યું કે, “હવે નગરી રોધ કરવાને યોગ્ય છે. તેથી તેણીએ દરવાજા બંધ કર્યો અને કિલ્લા ઉપર સુભટને ચડાવ્યા. ચંડપ્રદ્યોત રાજા કાળથી ભ્રષ્ટ થયેલા કપિની જેમ અત્યંત વિલખો થઈ નગરીને વીંટીને પડ્યો રહ્યો. એકદા મૃગાવતીને વૈરાગ્ય આવ્યો કે, “જ્યાં સુધી શ્રી વીરપ્રભુ વિચરતા છે, ત્યાં સુધીમાં હું તેમની પાસે દીક્ષા લઉં.” તેણીને આ સંકલ્પ જ્ઞાનવડે જાણી શ્રી વિરપ્રભુ સુર Page #161 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૮ મો] ઋષભદસ, જમાળિ, ગશાળાદિ ચરિત્ર [ ૧૪૭ અસુરના પરિવાર સાથે તત્કાળ ત્યાં પધાર્યા. પ્રભુને બહાર સમવસર્યા સાંભળી મૃગાવતી પુરદ્વાર ઉઘાડી નિર્ભયપણે મોટી સમૃદ્ધિ સાથે પ્રભુ પાસે આવી અને પ્રભુને વંદના કરીને ગ્ય સ્થાને બેઠી. પ્રદ્યોતરાજા પણ પ્રભુને ભક્ત હેવાથી ત્યાં આવી વૈર છોડીને બેઠે. પછી એક જન સુધી પ્રસરતી અને સર્વ ભાષાને અનુસરતી વાણીવડે શ્રી વીરપ્રભુએ ધર્મદેશના આપી. અહીં સર્વજ્ઞ પધાર્યા છે એવું લોકો પાસેથી સાંભળી કોઈ એક ધનુષ્યધારી પુરૂષ પ્રભુની પાસે આવ્યો અને નજિક ઉભો રહીને પ્રભુને મનવડેજ પોતાને સંશય પૂછો. પ્રભુ બેલ્યા-અરે ભદ્ર! તારો સંશય વચન દ્વારા કહી બતાવ કે જેથી આ બીજા ભવ્ય પ્રાણીઓ પ્રતિબોધ પામે. પ્રભુએ આ પ્રમાણે કહ્યું, તે પણ તે લજજાવશ થઈ સ્પષ્ટ બોલવાને અસમર્થ થયો, તેથી તે ચેડા અક્ષરમાં બોલ્યો કે, “હે સ્વામી! યારા, સાસા. પ્રભુએ પણ ટુંકાજ અક્ષરમાં તેને “લમે' એ ઉત્તર આપ્યો. તે સાંભળી ગૌતમસ્વામીએ પૂછયું કે, “હે ભગવંત! “વાસા, કાના' એ વચનને શો અર્થ છે?” પ્રભુ બોલ્યા કે આ ભરતક્ષેત્રને વિષે ચંપાનગરીમાં પૂર્વે એક સ્ત્રીલંપટ સુવર્ણકાર હતા. તે પૃથ્વી પર ફરતો હતો અને જે જે રૂપવતી કન્યા જેતે તેને પાંચ પાંચસો સોનૈયા આપીને પરણતો હતે. એવી રીતે અનુક્રમે તે પાંચસો સ્ત્રીઓને પરણ્યો હતે. અને પ્રત્યેક સ્ત્રીને તેણે સર્વ અંગના આભૂષણો કરાવી આપ્યા હતા. પછી જ્યારે જે સ્ત્રીને વારે આવે ત્યારે તે સ્ત્રી સ્નાન અંગરાગ વિગેરે કરી સર્વ આભૂષણે પહેરી તેની સાથે ક્રીડા કરવાને સજજ થતી હતી. તેના સિવાય બીજી કઈ પણ સી જે પોતાના વેશમાં કાંઈપણ ફેરફાર કરે તે તે તેને તિરસ્કાર અને તાડન વિગેરે કરતો હતો. પિતાની સ્ત્રીઓ પરના અતિ ઈર્ષ્યાળુપણાથી તેમના રક્ષણમાં તત્પર એ તે સોની નાજરની જેમ કદાપિ પણ ગૃહદ્વારને છોડતે નહોતે, તે પિતાના સ્વજનોને પોતાને ઘેર કેઈ દિવસ જમાડતે નહોતે તેમજ સીઓના અવિશ્વાસથી પિતે પણ બીજાને ઘેર જમવા જઈ શકો નહોતો. એક વખતે તેનો કોઈ પ્રિય મિત્ર છે કે તે ઈછતો ન હતો પણ તેને અત્યાગ્રહથી પિતાને ઘેર જમવા લઈ ગયો. કેમકે એ મૈત્રીનું આદ્ય લક્ષણ છે. સોનીના જવાથી તેની સર્વ સીએએ ચિંતવ્યું કે, “ આપણું ઘરને, આપણુ યોવનને અને આપણા જીવિતને પણ ધિક્કાર છે કે જેથી આપણે અહિં કારાગૃહની જેમ બંદીવાન થઈને રહીએ છીએ. આપણે પાપી પતિ યમદૂતની જેમ કદિપણુ દ્વારને છડતો નથી, પરંતુ આજે તે કાંઈક ગમે છે એટલું સારું થયું છે, માટે ચાલે,. આજે તો આપણે ક્ષણવાર વેચ્છાએ વત્તિએ.” આવો વિચાર કરીને સર્વ સ્ત્રીઓએ સ્નાન કરી, અંગરાગ લગાવી ઉત્તમ પુષ્પમાળાદિ ધારણ કરી, સુશોભિત વેષ ધારણ કર્યો પછી છેવામાં તે સર્વે હાથમાં દર્પણ લઈ પોતપોતાનું રૂપ તેમાં જેતી હતી, તેવામાં તે સોની આવ્યો અને તે જોઈને અત્યંત ક્રોધ પામ્ય; તેથી તેમાંથી એક સ્ત્રીને પકડીને તેણે એવી મારી છે, જેથી હાથીના પગ નીચે ચંપાયેલી કમળનીની જેમ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું તે મૃત્યુ પામી ગઈ તે જોઈ બીજી સ્ત્રીઓએ વિચાર કર્યો કે, “આવી રીતે આપણને પણ આ દુષ્ટ મારી નાખશે, માટે આપણે એકઠી થઈને તેને જ મારી નાખીએ. આવા પાપી પતિને જીવતો રાખવાથી શું ફાયદો છે? આ વિચાર કરીને તે બધીએ નિઃશંક થઈને ચારસોને નવાણુ પણ ચક્રની જેમ તેની ઉપર ફેંક્યા, તેથી તત્કાળ તે સોની મૃત્યુ પામી ગયો. પછી સર્વ સ્ત્રીઓ પશ્ચાત્તાપ કરતી છતી ચિતાવ, ગૃહને બાળી દઈ તેની અંદર રહી પિતે પણ બળીને મૃત્યુ પામી. પશ્ચાત્તાપના યોગે અકામ નિર્જરા થવાથી તે ચારસોને નવાણુ સ્ત્રીઓ મરણ પામીને પુરૂષપણે ઉત્પન્ન થઈ. દુદેવયોગે તેઓ બધા એકઠા મળી કઈ અરણ્યમાં કીલો કરીને રહેતા છતાં ચોરી કરવાને ધંધો કરવા લાગ્યા. પેલો સોની મૃત્યુ પામીન તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થયા. તેની જે એક પત્ની પ્રથમ મરી ગઈ હતી, તે પણ તિર્યંચમાં ઉત્પન્ન થઈ. અને પછી બ્રાહ્મણના કુળમાં પુત્રરૂપે થઈ. તેની પાંચ વર્ષની વય થતાં પેલે સની તેજ બ્રાહ્મણને ઘેર તેની બેનપણે ઉત્પન્ન થયે. માતાપિતાએ તે પુત્રીને પાળક પેલા પુત્રને કરાવ્યો. તે પિતાની બેનનું સારી રીતે પાલન કરતો હતો, તથાપિ અતિ દુષ્ટતાથી તે રોયા કરતી હતી. એક વખતે તે દ્વિજપુત્ર તેના ઉદરને પંપાળતાં અચાનક તેના ગુહ્યસ્થાને અડક, એટલે તે રેતી બંધ થઈ. તે ઉપરથી તેણે રૂદનને બંધ કરવાને તે ઉપાય જાણ્યો. પછી જ્યારે તે રૂદન કરે ત્યારે તે તેના ગુહ્યસ્થાનને સ્પર્શ કરતો હતો, એટલે તે રોતી રહી જતી હતી. એક વખતે તેના માતાપિતાએ તેને તેમ કરતો જે એટલે ક્રોધથી તેને મારીને ઘરની બહાર કાઢી મૂક્યો. તે કોઈ ગિરિની ગુફામાં ચાલ્યો ગયો. અનુક્રમે જે પાળમાં પેલા ચારસો ને નવાણુ ચાર રહેતા હતા, ત્યાં તે જઈ પહોંચ્યો અને તે ચોરોની સાથે તેને સમાગમ થવાથી તેની ભેળો ભળી ગયો. અહિં તેની બેન યુવાવસ્થાને પામતાં કુલટા થઈ. તે સ્વેચ્છાથી ફરતી ફરતી એકાદ કઈ ગામમાં આવી. પેલા ચારેએ તેજ ગામને લુંટી લીધું અને તે કુલટાને પકડી જઈને એ બધાએ તેને સ્ત્રી તરીકે અંગીકાર કરી. એક વખતે બધા ચોરોએ વિચાર કર્યો કે, “આ બીચારી એકલી છે, તેથી આપણા બધાની સાથે ભેગવિલાસ કરવાથી જરૂર થોડા સમયમાં તે મૃત્યુ પામી જશે. માટે કઈ બીજી સ્ત્રી લાવીએ તો ઠીક.” આવા વિચારથી તેઓ બીજી સ્ત્રીને લાવ્યા, ત્યારે પેલી કુલટા સ્ત્રી ઈર્ષ્યાથી તેના છિદ્ર શોધવા લાગી અને પોતાના વિષયમાં ભાગ પડાવનારી માનવા લાગી. એક વખતે બધા ચોર કોઈ ઠેકાણે ચોરી કરવાને ગયા, તે વખતે છળ મેળવીને પૂર્વ સ્ત્રી કોઈ બાનું કાઢી તેને કઈ કુવાની પાસે લઈ ગઈ અને બોલી કે, “ભદ્ર! જે આ કુવામાં કાંઈક છે. તે સરલ સ્ત્રી જોવા ગઈ એટલે તેણુએ ધક્કો મારીને તેને અંદર નાખી દીધી. ચેરેએ આવીને પૂછયું કે, “પેલી સ્ત્રી ક્યાં છે? એટલે તે બેલી. “મને શી માલુમ, તમે તમારી પત્નીને કેમ જાળવતા નથી?’ ચેરએ જાણી લીધું કે, “જરૂર તે બીચારીને આણે ઈર્ષાથી મારી નાખી છે.” પેલા બ્રાહ્મણે વિચાર્યું કે, “શું આ મારી દુશીલા ભગિની હશે?’ તેવામાં તેણે લોકો પાસેથી સાંભળ્યું કે, “અહિં સર્વજ્ઞ ભગવાન આવેલા છેએટલે Page #163 -------------------------------------------------------------------------- ________________ સંગે ૮ ]. રષભદત્ત, જમાળ ગોશાળાદિ ચરિત્ર [૧૪ તે અહી આવ્યું, અને પિતાની બેનના દુશીલ વિષે પૂછવાની લજજા થવાથી તેણે પ્રથમ મનથી જ પૂછયું, પછી મેં કહ્યું કે “વાણીથી પૂછ.” એટલે તેણે “માસી, સાસ” એવા અક્ષરેથી તે સ્ત્રી શું મારી બહેન છે” એમ પૂછયું. તેને અમેએ gવે એટલેજ ઉત્તર આપીને “તે તેની બેન છે” એમ જણાવી દીધું. આ પ્રમાણે રાગ દ્વેષાદિકથી મૂઢ થયેલા પ્રાણીઓ આ સંસારમાં ભભ ભમે છે અને વિવિધ દુઃખના પાત્ર થયા કરે છે.' આ પ્રમાણે સર્વ હકીક્ત સાંભળી તે પુરૂષે પરમ સંવેગને પામીને પ્રભુ પાસે દીક્ષા લીધી અને પાછા પલ્લીમાં આવ્યું. ત્યાં જઈને તેણે ચારસો નવાણુ ચરને પ્રતિબોધ આપે, તેથી તે બધાઓએ પણ વત ગ્રહણ કર્યું. યોગ્ય સમયે મૃગાવતીએ ઉઠી પ્રભુને નમીને કહ્યું કે “ચંડપ્રદ્યોત રાજાની આજ્ઞા મેળવીને હું દીક્ષા લઈશ.” પછી ચંડપ્રદ્યોત પાસે આવીને કહ્યું કે જે તમારી સંમતિ હોય તે હું દીક્ષા લઉં, કારણ કે હું આ સંસારથી ઊઠેગ પામી છું, અને મારે પુત્ર તે તમને સપી જ દીધો છે.” તે સાંભળી પ્રભુના પ્રભાવથી પ્રદ્યોતરાજાનું વૈર શાંત થઈ ગયું એટલે તેણે મૃગાવતીના પુત્ર ઉદયનને કૌશાંબી નગરીને રાજા કર્યો અને મૃગાવતીને દીક્ષા લેવાની આજ્ઞા આપી. પછી મૃગાવતીએ પ્રભુની સમિપે દીક્ષા લીધી. તેની સાથે અંગારવતી વિગેરે પ્રદ્યોતરાજાની આઠ સ્ત્રીઓએ પણ દીક્ષા લીધી. પ્રભુએ કેટલીક શિક્ષા આપીને તેમને ચંદના સાધ્વીને સેંપી તેઓએ તે સાધ્વીની સેવા કરીને સર્વ સમાચારી જાણી લીધી. હવે પરમ સમૃદ્ધિ વડે નિરૂપમ એવું વણિજકગ્રામ નામે એક વિખ્યાત નગર હતું. તેમાં પિતાની જેમ પ્રજાને પાળનાર જિતશત્રુ નામે પ્રખ્યાત રાજા રાજ્ય કરતે હતો. તે નગરને વિષે પૃથ્વી પર ચંદ્ર આવ્યો હોય તેમ જેના દર્શનથી નેત્રને આનંદ થાય તે આનંદ” નામે એક ગૃહપતિ રહેતો હતો. ચંદ્રને રોહિણીની જેમ તેને “શિવાનંદા” નામે રૂપલાવણ્યવતી એક પત્ની હતી. તેને ચાર કરોડ સોનૈયા ભંડારમાં, ચાર કરોડ વ્યાજે અને ચાર કરોડ વ્યાપારમાં રોક્યા હતા, તથા ગાયના ચાર ગોકુળ હતા. તે નગરની ઈશાન દિશામાં આવેલ કલાક નામના પરામાં તે આનંદના ઘણા બંધુઓ અને સંબંધીઓ રહેતા હતા. અન્યદા સમયે પૃથ્વી પર વિહાર કરતા કરતા સિદ્ધાર્થનંદન શ્રી વીરપ્રભુ તે નગરના યુતિ પલાશ નામના ઉદ્યાનમાં સમવસર્યા. રાજા જિતશત્રુ પ્રભુને આવેલા સાંભળી સંજમથી પરિવાર સાથે તેમને વાંદવા ગયે. આનંદ પણ પગે ચાલી પ્રભુના ચરણ પાસે આવ્યો. અને કણને અમૃતના ગંતુષ જેવી પ્રભુની દેશના સાંભળ્યા પછી મહા મનવાળા આનંદ પ્રભુના ચરણને નમીને બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને અંગિકાર કર્યો. તેની અંદર શિવાનંદા સિવાય બીજી સ્ત્રીઓને અને નિધિમાં, વ્યાજમાં અને વ્યાપારમાં રહેલા બાર કેટી સોનૈયા ઉપરાંત બીજા દ્રવ્યને ત્યાગ કર્યો. ગાયોના ચાર પણ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૫ ૧૦ મું વિના બીજા ધણને અને પાંચસે હળ ઉપરાંત બીજા હળનો તેમજ ૧૦૦ ક્ષેત્ર ઉપરાંત ક્ષેત્રને પણ ત્યાગ કર્યો. પાંચસો ગાડાં ઉપરાંત બીજા ગાડાંઓને વ્યાપાર નિમિત્તે ત્યાગ કર્યો, અને દિશાઓમાં પ્રવાસ કરવા માટે ચાર વહાણ ઉપરાંત બીજા વહાણોનો ત્યાગ કર્યો. ગંધકાષાયી (રક્ત) વ વિના અંગ લુંછવાના અને ત્યાગ કર્યો, અને આદ્ર (લીલી) મધુયષ્ટિ (જેઠીમધ) સિવાય બીજા દંતધાવન (દાતણ)ને ત્યાગ કર્યો. ક્ષીરામલક વિના બીજાં ફળને તજી દીધાં અને સહસ્ત્રપાક તથા શતપાક તેલ વિના બીજા અભંગને ત્યાગ કર્યો. એક જાતના સુગંધી ગંધાઢય ઉદ્વર્તન સિવાય બીજા ઉદ્વર્તન તજી દીધાં અને આઠ ઔષ્ટ્રીકર પાણીના કુંભ કરતાં વધારે પાણીથી નહાવું ત્યજી દીધું. ક્ષોમયુગળઃ સિવાય બીજા વોને ત્યજી દીધાં અને શ્રીખંડ, અગર તથા કેશર વિના બીજાં વિલેપનેને છોડી દીધાં. માલતીની માળા સિવાય બીજી માળાને અને કમળ સિવાય બીજા પુને ત્યાગ કર્યો. કર્ણિકા તથા નામાંક્તિ મુદ્રિકા સિવાય બીજા આભૂષણોનો ત્યાગ કર્યો અને તરૂષ્કપ તથા અગરૂ સિવાય બીજા ધૂપનો ત્યાગ કર્યો. ઘેબર તથા ખાંડના ખાજાં સિવાય બીજી સુખડી ત્યજી દીધી અને કાપેયા વિના બીજા પેય ભજનો ત્યાગ કર્યો, કમળશાળી વિના બીજા ભાતને તજી દીધા અને અડદ, મગ તથા કલાય વિના બીજા કઠોળની દાળને સરાવી દીધી. શરદ્દ ઋતુના ગાયના ઘી વિના બીજુ ઘી તજી દીધું અને સ્વસ્તિક, મંડુકી તથા વાસુકીટ વિના બીજા શાક છોડી દીધાં. આંબલી વિના બીજા અસ્લ પદાર્થને અને આકાશના પાણી સિવાય બીજાં પાણીને વસરાવી દીધાં તેમ જ પંચસુગંધી તાંબુળ વિના બીજા મુખવાસને તજી દીધાં. આ પ્રમાણે નિયમ લઈ હર્ષ પામતે આનંદ ઘેર આવ્યા અને પિત ગ્રહણ કરેલા ગૃહસ્થ ધર્મની સવિસ્તર હકીક્ત શિવાનંદાને કહી. તે સાંભળી ગૃહિધર્મની અથી શિવાનંદા પિતાના કલ્યાણને માટે તત્કાળ વાહનમાં બેસી પ્રભુના ચરણ સમીપે આવી. પ્રભુને નમી શિવાનંદાએ પણ સમાહિત મને તેમની આગળ ગૃહિધર્મ અંગીકાર કર્યો. પછી ભગવંતની વાણુરૂપ સુધાના પાનથી હર્ષિત થઈ છતી શિવાનંદા પ્રકાશિત વિમાન જેવા વાહનપર બેસીને પિતાને ઘેર આવી. પછી ગૌતમસ્વામીએ પ્રણામ કરીને સર્વજ્ઞને પૂછ્યું કે, “હે સ્વામી! આ મહાત્મા આનંદ યતિધર્મને ગ્રહણ કરશે?” ત્રિકાલદશી" પ્રભુ બોલ્યા કે, “આનંદ શ્રાવક ચિરકાળ શ્રાવક ધમને પાળશે અને મરણ પામીને સૌધર્મ દેવલોકના અરૂણપ્રભ વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળે દેવતા થશે.” ૧ એ જાતના ક્ષીર જેવા મધુર આમળા, ૨ બહુ નાના કે બહુ મોટા નહીં-હચિત પ્રમાણુવાળા ધી તે ઓપ્ટીક કુંભ. ૩ ટીકાકાર બે સુતરૂ વસ્ત્ર કહે છે. ૪ કાનમાં પહેરવાનાં કુંડળ. ૫ સેકારસ. ૬ મગ વિગેર યુક્ત ઘીમાં તળેલી તંદુળની પયા. ૭ એક જાતનું ચણ જેવું ધાન્ય, વટાણા કે મસુર. ૮ આ ત્રણે જાતના શાકના ચોકસ નામ સમજાતા નથી, ટબામાં પથ્થો, અમથી ને ડેડી કહે છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૮ ] રષભદત્ત, જમાળિ, શાળાદિ ચરિત્ર [૧૫૧ ગંગાના કિનારા પર રહેતા હસની શ્રેણિ જેવા સુંદર ચિત્યષ્ય જેથી વિરાજમાન ચંપા નામે એક માટી નગરી છે, તેમાં સપના શરીર જેવી ભુજાવાળો અને લક્ષમીના કુલગ્રહરૂપ જિતશત્રુ નામે રાજા છે. તે નગરમાં કામદેવ નામે એક બુદ્ધિમાન કુલપતિ રહે છે. તે માગમાં આવેલા મહાન વૃક્ષની જેમ અનેક લોકોને આશ્રયભૂત છે. સ્થિર રહેલી લક્ષમી જેવી અને ભદ્ર આકૃતિવાળી ભદ્રા નામે તેને સધમિણી (પત્ની) છે. તેને છ કરોડ સોનૈયા ભંડારમાં, છ કરોડ વેપારમાં છે. દશ દશ હજાર ગાવાળા છ કુળો છે. અન્યતા પૃથ્વીપર વિહાર કરતાં કરતાં શ્રી વીરપ્રભુ પૃથ્વીના મુખમંડન જેવા તે નગરની બહાર રહેલા પુણ્યભદ્ર નામના ઉદ્યાનમાં આવીને સમવસર્યા. તે ખબર સાંભળી કામદેવ પગે ચાલતે ભગવંતની પાસે આવ્યા અને શ્રવણને અમૃતરૂપ ધર્મદેશના સાંભળી. પછી શુદ્ધ બુદ્ધિવાળા કામદેવે દેવ મનુષ્ય અને અસુરેની સમક્ષ ગુરૂ શ્રી વિરપ્રભુની પાસે બાર પ્રકારને ગૃહિધર્મ અંગીકાર કર્યો. તેણે ભદ્રા સિવાય બીજી સ્ત્રીને, ગાયના છ કુળ ઉપરાંત બીજી ગાયનો અને ભંડાર, વ્યાજ અને વ્યાપારમાં રહેલા છે છ કેટી દ્રવ્ય ઉપરાંત દ્રવ્યને ત્યાગ કર્યો. બાકીની બીજી વસ્તુઓને પણું આનંદ શ્રાવકની જેમ નિયમ ગ્રહણ કર્યો. પછી પ્રભુને નમીને તે પિતાને ઘેર ગયો, અને પિતે લીધેલા શ્રાવકત્રત સંબંધી ખબર ભદ્રાને કહ્યા, એટલે ભદ્રાએ પણ પ્રભુ પાસે જઈને શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા. ગંગાનદીને કાંઠે કાશી નામે એક ઉત્તમ નગરી છે, જે વિચિત્ર અને રમણિક રચનાથી પૃથ્વીના તિલકની શોભા હોય તેવી દેખાય છે. અમરાવતીમાં ઇંદ્રની જેમ તે નગરીમાં અખંડિત પરાક્રમવાળો જિતશત્રુ નામે ઉત્તમ રાજા છે, અને જાણે માનવધર્મ મનુષ્યપણાને પ્રાપ્ત થયેલ હોય તે ચુલની પિતા નામે એક ધનાઢય ગૃહસ્થ ત્યાં રહે છે. જગતને આનંદદાયક તે ગૃહસ્થને ચંદ્રને શ્યામાની જેમ શ્યામા નામે એક અનુકૂળ રૂપવતી રમણી છે. તે શ્રેષ્ઠીની પાસે આઠ કેડ ભંડારમાં, આઠ કેડ વ્યાજે અને આઠ કેડ વ્યાપારમાં મળી ચોવીશ કોડ સોનૈયાની સંપત્તિ છે. એક એક ગોકુળમાં દશ દશ હજાર ગાવાળા તેને આઠ ગેકુળ છે, કે જે લક્ષમીના કુળગહ જેવા શોભે છે. એકદા તે નગરીના કોષ્ટક નામના ઉદ્યાનમાં વિહાર કરતા શ્રીવીરપ્રભુ સમવસર્યા, એટલે ઇંદ્ર સહિત દેવતાઓ, અસુરે અને જિતશત્રુ રાજા પ્રભુને વાંદવા આવ્યા. તેમજ તે ખબર સાંભળીને ચુલની પિતા પણ જગત્પતિ વીરને વાંદવાની ઈચ્છાથી યોગ્ય આભૂષણે પહેરી પગે ચાલતો ત્યાં આવ્યું. ભગવંતને નમી યોગ્ય સ્થાને બેસી ચુલની પિતાએ પરમ ભક્તિથી અંજળી જેડીને ધમરદેશના સાંભળી. જ્યારે પર્ષદા ઊઠી ત્યારે ચુલની પિતાએ પ્રભુના ચરણમાં નમી વિનીત થઈને કહ્યું કે-“હે સ્વામી ! અમારા જેવાને બોધ આપવા માટે જ તમે પૃથ્વી પર વિચરો છે, કારણ કે સૂર્યનું સંક્રમણ જગતને પ્રકાશ આપવા સિવાય બીજા કોઈ પણ અ હેતું નથી. સર્વ જનની પાસે જઈને યાચના કરીએ તો તે કદિ આપે કે ન આપે પણ તમે તો યાચના વગર ધમ આપે છે, તેને હેતુ માત્ર તમારી કૃપાજ છે. હું જાણું છું કે આપની પાસે Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું યતિધર્મ ગ્રહણ કરૂં તો ઠીક, પણ મારા જેવા મંદભાગ્ય મનુષ્યમાં તેટલી ગ્યતા નથી. તેથી હે નાથ! હું શ્રાવકધમની યાચના કરું છું, તે મને પ્રસન્ન થઈને આપે, કારણ કે મેઘ પિતાની મેળે જળ વહન કરી યોગ્ય લાગે ત્યાં વસે છે.” પ્રભુએ કહ્યું કે “જેમ સુખ ઉપજે તેમ કર.એટલે પ્રભુની સંમતિ મળતાં તેણે બાર પ્રકારનો શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. ચોવીશ કેટી ધનથી વિશેષ ધનને અને ગાયના આઠ ગોકુળથી વધારે ગોકુળનો તેણે ત્યાગ કર્યો. તે સિવાય બીજી વસ્તુઓના પણ કામદેવ શ્રાવકની જેમ તેણે નિયમ લીધા. તેની પત્ની શ્યામાએ પણ પ્રભુની પાસે શ્રાવકના વ્રત અંગીકાર કર્યા એ સમયે ગૌતમ ગણધરે પ્રભુને નમીને પૂછ્યું કે, “હે સ્વામી! આ ચુલનીપિતા શ્રાવક મહાવ્રતધારી થશે કે નહીં ?” પ્રભુ બેલ્યા કે, “તે આ ભવમાં યતિધને પામશે નહીં, પણ ગૃહસ્થ ધર્મ પ્રીતિપૂર્વક પાળી મૃત્યુ પામીને સૌધર્મ દેવલેકમાં દેવ થશે. ત્યાં અરૂણાભ નામના વિમાનમાં ચાર પોપમનું આયુષ્ય ભોગવી ત્યાંથી વી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને નિર્વાણને પામશે.” તેજ નગરમાં સુરાદેવ નામે એક ગૃહસ્થ રહેતું હતું. તેને ધન્યા નામે પ્રિયા હતી. તેની પાસે પણ કામદેવની જેમ પુષ્કળ ધન હતું. તેણે પણ કામદેવની જેમ પ્રભુની પાસે જઈને શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા અને ધર્મવડે ધન્ય એવી તેની ધન્યા નામની તેની પત્નીએ પણ શ્રાવકપણું ગ્રહણ કર્યું. શ્રી વિરપ્રભુ ત્યાંથી વિહાર કરીને આલંભિકા નગરીએ પધાર્યા. ત્યાં શંખવન નામના ઉદ્યાનમાં પ્રભુ સમવસર્યા. તે નગરીમાં ચુલશતક નામે ગૃહસ્થ રહેતો હતો. તે પણ કામદેવના જેવો સમૃદ્ધિમાન હતું. તેને બહુલા નામે સ્ત્રી હતી. તે પણ કામદેવની જેમ શ્રી વીરપ્રભુના ચરણ પાસે ગયા અને પિતાની બહુલા સ્ત્રીની સાથે તેણે ગૃહીધમ અને બીજા નિયમ પણ ગ્રહણ કર્યા. વિહાર કરતાં કરતાં પ્રભુ અન્યદા કાંપીલ્યપુરે આવ્યા, અને સહસ્સામ્રવન નામના ઉધાનમાં સમવસર્યા. ત્યાં કામદેવના જેવો ધનવાન મુકેળિક નામે ગૃહસ્થ રહેતો હતો. તેને શીલવડે અલંકૃત પુષ્પા નામે સ્ત્રી હતી. તેણે પણ પુષ્પાની સાથે કામદેવની જેમ પ્રભુની પાસે જઈને શ્રાવક વ્રત અને બીજા નિયમે ગ્રહણ કર્યા. પલાશપુર નામના નગરમાં શબ્દાલપુત્ર નામે એક કુંભાર રહેતો હતો. તે ગોશાળાને ઉપાસક હતો. તેને અગ્નિમિત્રા નામે સ્ત્રી હતી. તેને એક કોટી સોનૈયા ભંડારમાં, એક કોટી વ્યાજે અને એક કેટી વ્યાપારમાં હતા, તેમજ એક ગાયોનું ગોકુળ હતું. પિલાશપુરની બહાર તે કુંભારની પાંચસો દુકાનો તેના માટીના વાસણે વેચવાની હતી. અન્યદા અશોક વનમાં કોઈ દેવતાએ આવીને તેને કહ્યું કે, “કાલે પ્રાતઃકાળે મહાબ્રા અને ત્રિપૂજિત સર્વજ્ઞ પ્રભુ અહિં આવશે. તેમને પીઠ, ફલક અને સંસ્મારક વિગેરે આપીને હું તેમની સેવા Page #167 -------------------------------------------------------------------------- ________________ સુગ ૮ મા] ઋષભદત્ત, જમાળિ ગૈાશાળાદ્દેિ ચરિત્ર [ ૧૫૩ " કરજે.' એવી રીતે એ ત્રણવાર કહીને તે દેવ અંતર્ધ્યાન થઈ ગયા. શબ્દાલપુત્ર કુંભારે ભક્તિથી વિચાયુ` કે, ‘ જરૂર મારા ધર્મગુરૂ સર્વજ્ઞ એવા ગોશાળાજ પ્રાતઃકાળે અહિં આવશે.’ આવે વિચાર કરીને તે તેમની રાહ જોઈ રહ્યો હતા, તેવામાં પ્રાતઃકાળે શ્રીવીરપ્રભુ સહુસામ્રવન નામના ઉદ્યાનમાં આવીને સમવસર્યાં. તે હકીકત સાંભળીને કુંભકારે ત્યાં જઈ ભગવતને વંદના કરી. પ્રભુ દેશના આપીને તે કુલાલ પ્રત્યે ખેલ્યા કે “ હે શબ્દાલપુત્ર! ગઈ કાલે કાઈ દેવતાએ અશાકવનમાં આવીને તને કહ્યું હતું કે, કાલે પ્રાતઃકાળે બ્રહ્મા અને સર્વજ્ઞ એવા અહુ "તપ્રભુ અહી આવશે, તેમની તા૨ે પીઠ, ફલક વિગેરે આપીને ઉપાસના કરવી. તે વખતે તેં પશુ વિચાર્યું" હતું કે, પ્રાતઃકાળે ગાશાળા અહીં આવશે. ” આવા પ્રભુનાં વચન સાંભળીને તેણે ચિંતવ્યુ` કે અહા ! આ સર્વજ્ઞ મહાભ્રાહ્મણુ અંત શ્રીમહાવીર પ્રભુજ અત્રે પધાર્યા, તે તે મારે નમસ્કાર કરવા ચેાગ્ય અને સર્વથા ઉપાસના કરવા યાગ્ય છે.’ આ પ્રમાણે વિચારી ઉભેા થઈ પ્રભુને નમી અંજલિ જોડીને તે એલ્યુ કે, “હે સ્વામી! આ નગરની બહાર જે મારી પાંચસેા કુંભકારપણાની દુકાને છે તેમાં રહેા અને પીઠ, ફૂલક વિગેરે જે જોઈ એ તે ગ્રહણ કરીને મારા પર અનુગ્રહ કરે. ” પ્રભુએ તેનું વચન સ્વીકાર્યું અને ગેાશાળાની શિક્ષાથી તેણે ગ્રહણ કરેલા નિયતિવાદથી યુક્તિપૂર્વક નિવૃત્ત કરી દીધા. પછી તેણે નિયતિવાદ છેાડી પુરૂતાને પ્રમાણ કરી આનંદ શ્રાવકની જેમ પ્રભુની પાસે શ્રાવકના વ્રત ગ્રહણ કર્યાં. તેના નિયમમાં એટલુ” વિશેષ કે, તેણે ભંડાર, વ્યાજ અને વ્યાપારમાં મળી ત્રણ કેાટી સુવણુ રાખ્યું, અને ગાયાનુ એક ગાકુળ રાખ્યું. તેને અગ્નિમિત્રા નામે પત્ની હતી, તેને તેણેજ પ્રતિમાધ પમાડ્યા, એટલે તેણે પણ પ્રભુની પાસે જઈ શ્રાવકનાં વ્રત સ્વીકાર્યો. પછી પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. ગાશાળે લેાકવાણીથી સાંભળ્યુ’ કે, ‘ શમ્હાલપુત્રે આજીવિકામતને છોડી દઈને નિગ્રંથ સાધુએના શાસનને સ્વીકાર્યુ છે. ' તેથી ‘ચાલ, હું ત્યાં જઈ તે શબ્દાલપુત્રને પાછે આજીવિકામતમાં પૂર્વની જેમ સ્થાપન કરૂં.' એમ ધારી ગાશાળા પેાતાના મતવાળાએથી પરવરેલા તેને ઘેર આવ્યા. શબ્દાલપુત્રે ગોશાળાને દૃષ્ટિથી પણ માન આપ્યું નહીં, તેથી શબ્દાલપુત્રને પેાતાના મતમાં સ્થાંપન કરવાને અને શ્રાવક વ્રતમાંથી ચલિત કરવાને અશક્ત થયા છતા ગાશાળા ત્યાંથી પાછે ચાલ્યા ગયા. અન્યદા વીરપ્રભુ રાજગૃહ નગરની બહાર આવેલા ગુણશીલ નામના ચૈત્યમાં સમવસર્યો, તે નગરમાં ચુલનીપિતાની જેટલી સમૃદ્ધિવાંળા મહાશતક નામે એક ગૃહસ્થ હતા. તેને રેવતી વિગેરે તેર પત્નીએ હતી. રેવતી આઠ કેાટી સુવર્ણ અને આઠ ગાયાના ગાકુળ પાતાના પિતાને ત્યાંથી લાવી હતી, અને ખીજી પ્રત્યેક સ્ત્રીએ એકેક કાટી સુવર્ણ અને એક એક ગાયાનું ગેાકુળ લાવી હતી. તેણે પણ ચુલનીપિતાની જેમ પ્રભુની પાસે શ્રાવકના વ્રત અને નિયમા ગ્રહણુ કર્યા તેમજ તેર સ્રીએ વિના ખીજી સ્ત્રીઓના ત્યાગ કર્યો. D - 20 Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પ ૧૦ મું એકદા પ્રભુ વિહાર કરતા કરતા શ્રાવસ્તીપુરીએ આવ્યા, ત્યાં કેક નામના ઉપવનમાં સમવસર્યા. તે નગરીમાં આનંદના જેવો કદ્ધિમાન નંદિની પિતા નામે ગૃહસ્થ રહેતો હતો. ચંદ્રને અશ્વિનીની જેમ અશ્વિની નામે તેને પ્રિયા હતી. શ્રી વીરપ્રભુના મુખથી ધર્મદેશના સાંભળી તેણે પણ આનંદની જેમ શ્રાવરપણું અને નિયમો ગ્રહણ કર્યા. તેજ નગરમાં આનંદના જેટલી સમૃદ્ધિવાળે લાંતકપિતા નામે એક બીજે ગૃહસ્થ રહે તે હતો. તેને મધુર ભાષણ કરનારી ફાગુની નામે પત્ની હતી. તેણે પણ વીરપ્રભુની પાસે આવી દેશના સાંભળીને આનંદની જેમ શ્રાવકપણું અને નિયમો ગ્રહણ કર્યા. આ પ્રમાણે દેવતાઓથી પણ અક્ષોભ્ય અને પર્વતની જેમ શ્રાવકપણામાં સ્થિર રહેનારા શ્રી વીરપ્રભુના મુખ્ય દશ શ્રાવકો થયા. એવી રીતે કમળને સૂર્યની જેમ ભવ્યજંનેને પ્રતિબધ કરતા શ્રી વીર ભગવંત કરીને કૌશાંબી નગરીએ પધાર્યા. દિવસને છેલ્લે પહેરે ચંદ્ર સૂર્ય સ્વાભાવિક (શાશ્વત) વિમાનમાં બેસી પ્રભુને વાંદવા આવ્યા. તેઓના વિમાનના તેજથી આકાશમાં ઉદ્યત થયેલ જોઈ લોકે કૌતુકથી ત્યાં જ બેસી રહ્યા. રાત્રિ પડવાથી પિતાને ઉઠવાને સમય જોઈ ચંદના સાધ્વી પિતાના પરિવાર સાથે વીરપ્રભુને નમીને પિતાને ઉપાશ્રયે ગયા, પરંતુ મૃગાવતીએ સૂર્યના ઉદ્યોતના તેજવડે દિવસના મથી રાત્રિ થયેલી જાણું નહીં, તેથી તે ત્યાંજ બેસી રહી. પછી જ્યારે સૂર્ય ચંદ્ર ચાલ્યા ગયા, ત્યારે મૃગાવતી રાત્રિ પડી ગઈ જાણ કાળાતિક્રમના ભયથી ચક્તિ થઈ ઉપાશ્રયે આવી. ચંદનાએ તેને કહ્યું કે, “અરે મૃગાવતી ! તારા જેવી કુલીન છીને રાત્રે એકલા બહાર રહેવું શું ઘટે છે?” આ વચન સાંભળી તે ચંદનાને વારંવાર ખમાવવા લાગી. તેમ કરતાં કરતાં શુભ ભાવવડે ઘાતકર્મના ક્ષયથી મૃગાવતીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે નિદ્રાવશ થયેલા ચંદનાની પડખેથી સર્પ જતું હતું, તેને કેવળજ્ઞાનની શક્તિધી જોઈને મૃગાવતીએ તેમને હાથ સંથારાપરથી ઊંચો લીધે. તેથી ચંદનાએ જાગીને પૂછયું કે “મારા હાથ કેમ ઊંચે કર્યો?' મૃગાવતી બોલી–અહીં મેટો સર્પ જતો હતે, ચંદનાએ ફરીને પૂછયું કે, “અરે મૃગાવતી ! આવા સમયે વીંધાય તેવા ગાઢ અંધકારમાં તે શી રીતે સર્પ જે ? એથી મને વિરમય થાય છે.” મૃગાવતી બેલી-“હે ભગવતી ! મેં મને ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન ચક્ષુથી તેને દીઠા.” તે સાંભળતાંજ “અરે ! કેવળીની આશાતના કરનારી એવી મને ધિક્કાર છે!” એવી રીતે પિતાના આત્માની નિંદા કરતાં ચંદનાને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ અરસામાં ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે, “સ્વામી ! જે સ્થિર પદાર્થો છે તે શું કદિ પિતાના સ્વભાવથી ચલિત થતા હશે કે જેથી સૂર્ય ચંદ્રના વિમાન ચલિત થઈને અહિં આવ્યા?' પ્રભુ બોલ્યા કે-“આ અવસર્પિણીમાં દશ આશ્ચર્યો થયા છે, તે આ પ્રમાણે-અરિહંતને કેવળજ્ઞાન થયા પછી ઉપસર્ગ, ગર્ભમાંથી હરણ, સૂર્ય ચંદ્રના વિમાનનું અવતરણ, ચમરેંદ્રનો ઉત્પાત, અભાવી પરિષદુ, એક સમયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસેને આઠ સિદ્ધ, ધાતકીખંડની અપરકંકામાં કૃષ્ણનું ગમન, અસંયમીની પૂજા, આ તીર્થકર, અને Page #169 -------------------------------------------------------------------------- ________________ સગ ૮ મો] 2ષભદત્ત, જમાળિ ગોશાળાદિ ચરિત્ર [૧૫૫ હરિવંશ કુળની ઉત્પત્તિ. આ દશ આશ્ચર્યની અંતગત સૂર્ય ચંદ્રના વિમાનનું અવતરણ પણ આશ્ચર્યભૂત થયેલું છે.” આ પ્રમાણે કહી ત્યાથી વિહાર કરીને પ્રભુ શ્રાવસ્તી નગરીએ પધાર્યા. ત્યાં નગરની બહાર કેષ્ટક નામના ઉદ્યાનમાં સમવસર્યા. ત્યાં તેજલેશ્યાનાં બળથી વિરોધને નાશ કરનાર, અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનથી લોકેના મનની વાર્તાને કહેનાર અને જિન નહિ છતાં જિન નામને ધારણ કરનાર ગેાશાળે પ્રથમથી આવેલે હતો. તે હાલાહલા નામની કેઈ કુંભકારીની દુકાનમાં ઉતર્યો હતો. તેની “અહંત” તરીકેની ખ્યાતિ સાંભળી મુગ્ધ લોકે પ્રતિદિન તેની પાસે આવી ઉપાસના કરતા હતા. એવા વખતમાં ગૌતમસ્વામી પ્રભુની આજ્ઞાથી છઠ્ઠનું પારણું કરવા માટે નગરમાં ભિક્ષા લેવા ગયા. ત્યાં તેમણે સાંભળ્યું કે, અહીં ગોશાળ અહત અને સર્વજ્ઞના નામથી વિખ્યાત થઈને આવે છે. તે સાંભળતાંજ ગૌતમસ્વામી ખેદ પામી ભિક્ષા લઈને પ્રભુની પાસે આવ્યા. પછી વિધિપૂર્વક પારણું કરી યોગ્ય અવસરે ગૌતમસ્વામીએ બધા લેકેની સમક્ષ સ્વરછ બુદ્ધિથી પ્રભુને પૂછયું કે, “હે સ્વામી ! આ નગરીમાં લોકે ગોશાળાને સર્વજ્ઞ કહીને બોલાવે છે, તે ઘટે છે કે નહીં?” પ્રભુ બેલ્યા કે, “એ મંખ અને મખળીને પુત્ર ગોશાળો છે. એ કપટી અજિન છતાં પિતાના આત્માને જિન માને છે. હે ગૌતમ! મેં જ તેને દીક્ષા આપી છે, શિક્ષા પણ મેં જ આપી છે, અને પછી તે મિથ્યાત્વને પામી ગયે છે તે સર્વજ્ઞ નથી.” પ્રભુનાં આવાં વચન સાંભળી નગરજને નગરીમાં ચારે તરફ ચૌટામાં અને શેરીઓમાં પરસ્પર કહેવા લાગ્યા કે, “અહે ભાઈ! શ્રી વીરપ્રભુ અહંત અહિં આવેલા છે તે કહે છે કે, આ ગશાળે તે મંખલીને પુત્ર છે, અને તે પોતે મિથ્યા સર્વજ્ઞ માને છે. આવા લોકો પાસેથી ખબર સાંભળી શાળાને કાળા સર્ષની જેમ અત્યંત કેપ ઉત્પન્ન થયે; તેથી પોતાના પરિવારથી પરવાર્યો છતા કાંઈક વિપરીત કરવાને તૈયાર થઈ ગયો. એ સમયે પ્રભુના શિષ્ય અને સ્થવિરાના અગ્રણી આનંદમુનિ છઠ્ઠનું પારણું કરવાને માટે નગરીમાં ભિક્ષા લેવાને આવ્યા. જે હાલાહલા કુંભકારીને ઘેર ગોશાળે રહેતા હતા ત્યાં થઈને આનંદમુનિ નીકળ્યા, એટલે તેને શાળે લાવ્યા, અને તિરસ્કાર પૂર્વક આ પ્રમાણે કહ્યું કે, “અરે આનંદ! તારે ધર્માચાર્યું કે માં પિતાને સત્કાર કરાવવાની ઈચ્છાથી સભા વચ્ચે મારે અત્યંત તિરસ્કાર કરે છે, અને કહે છે કે ગોશાળો તો મંખ પુત્ર છે, અહી તથા સર્વ નથી, પણ તે હજુ શત્રુને દહન કરવાને સમર્થ એવી મારી તેજલેશ્યાને જાણતા નથી, પરંતુ હું તેને પરિવાર સહિત ભસ્મ કરી દઈશ. માત્ર તનેજ એલે છેડી દઈશ. તે ઉપર એક દ્રષ્ટાંત સાંભળ પૂર્વે ક્ષેમિલાનગરીમાં અવસર, પ્રસર, સંવાદ, કારક અને ભલન નામના પાંચ વણિક રહેતા હતા. તેઓ અન્ય કેટલાક કરિયાણાના ગાડાં ભરીને વ્યાપાર કરવા નીકળ્યા. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ મું માર્ગે જતાં તેઓ કાઈ નિજળ અરણ્યમાં પેઠા. ત્યાં તે પાંચે જણ મરૂસ્થળમાં ગયા હોય તેમ તૃષાથી આક્રાંત થઈ ગયા, તેથી તે મહાટવીમાં અટન કરીને તેએ જળ શેાધવા લાગ્યા. તેએમાંથી ભમતા ભ્રમતા અવસરને પાંચ શિખરવાળા એક રાફડો જોવામાં આવ્યેા. તેણે તે ચારે મિત્રોને મતાન્યા. પછી તેઓએ મળીને તેમાંથી પૂર્વનું શિખર ફાડયું, તેમાંથી પુષ્કળ જળ નીકળ્યુ, તેનું પાન કરીને તેઓ સ્વસ્થ થયા. પછી પ્રસરે કહ્યુ... કે, ' આનું દક્ષિણ શિખર ફાડીએ તેમાંથી જરૂર આપણુને કાંઈક બીજી વસ્તુ મળશે. ' ત્યારે અવસરે કહ્યું કે, ‘આપણે તે ખાદવું યેાગ્ય નથી, કારણ કે તેમાંથી કદી સપ નીકળે તેા શું કરીએ, કેમકે રાડા સત્તુ જ સ્થાન હાય છે.' તે સાંભળી સવાદ એલ્યા કે, તમારા માલવામાં માટા ફેર પડવો છે, કેમકે પ્રથમ ફાડેલા શિખરમાંથી સપ નીકળ્યા નથી પણ જળ નીકળ્યું છે.' અવસરે ફરીવાર કહ્યું કે, એ તેા દૈવયેાગે જળ નીકળી ગયુ'.' એટલે કારક એલ્યા કે, તેજ પ્રમાણે કદિ દૈવયેાગે આમાંથી પણુ ખીજી વસ્તુ નીકળશે. ’ આ પ્રમાણે કહીને કારક તે ખેાઢવા લાગ્યા. એટલે આ કરવામાં મારા મત નથી' એમ કહી અવસર પેાતાના ગાડામાં બેસી આગળ ચાલ્યા ત્યારે ભલન ખેલ્યા કે, કદિ અવસર ચાર્લ્સે ગયા તે ભલે ગયા, એના વિના પણ આપણે આ શિખરને ખાદીશું,' આ પ્રમાણે વિચારી તેએ ખાદવા લાગ્યા. તે ખાદતા તેમાંથી ત્રાંબાનાણુ' પુષ્કળ નીકળ્યું; એટલે અવસર વિના બાકીના ચારે જણાએ તે વહે...ચી લીધું, પછી તેમણે લેાલથી ત્રીજું શિખર ખાદ્ય, તા તેમાંથી રૂપ” નીકળ્યું; એટલે તેઓએ પ્રથમનું ત્રાંબાનાણુ તજી દઈ રૂપું વડે'ચી લીધું'. પછી ચેાથું શિખર ખેાધુ, તે તેમાંથી સુવણુ નીકળ્યું, એટલે લેાભથી રૂપાને છે।ડી દઈને સુવણૅ વહેંચી લીધું. પછી તેમણે જાણ્યું કે ‘આ પાંચમાં શિખરમાં તા જરૂર રહ્નાજ હશે? એવા વિચારથી તે લેાભાંધ વિષ્ણુકાએ તેને પણ ખાદ્ય. કેમકે ‘ લાભથી લાભ વધે છે.' પરંતુ અત્યંત મથન કરેલા સમુદ્રમાંથી છેવટ કાલકૂટ નીકળ્યું હતું તેમ તે શિખર ખેાદતાં એક દૃષ્ટિવિષ સપ નીકળ્યા. તે સર્પ રાફડા ઉપર ચડી સૂર્ય સામે જોઈને વિષદૃષ્ટિથી જોયુ કે તત્કાળ વૃષભ સહિત ચાર ગાડાં અને ચારે વિષ્ણુકા દહન થઈ ગયા. પેલા અવસરને નિલેíભી જાણીને તેની અધિષ્ઠાતાદેવીએ બળદ અને ગાડા સહિત તેણે ધારેલા સ્થાનકે પહોંચાડી દીધા. ’ હું આનંદમુનિ! આ પ્રમાણે તે ચાર વણિકની જેમ હું તારા ગુરૂને બાળી નાંખીશ અને પેલા અવસરની જેમ તને છેાડી મુકીશ.” આ પ્રમાણે સાંભળી ભિક્ષા સમાપ્ત કરી આનંદમુનિ પ્રભુ પાસે આવ્યા અને ગૈાશાળે કહ્યું હતું તે બધું કહી સસ્તંભળાવ્યું. પછી તેણે શ ંકિત થઈને પૂછ્યું કે, “હે સ્વામી! ગાશાળે કહ્યું કે હું ભસ્મ કરી દઈશ.' તે તેનુ' ઉન્મત્ત ભાષણુ છે કે તેમ કરવાને તે સમર્થ છે?” પ્રભુ ખેલ્યા કે, · તે અહુ ત સિવાય બીજાની ઉપર તેમ કરવાને સમર્થ છે, અને તે અનાય બુદ્ધિથી અહ“તને સંતાપ માત્ર કરી શકે છે. માટે આનંદ! તું જઈને ગૌતમ વિગેરે સર્વી મુનિને આ ખબર કહે કે જેથી તેની સાથે કાઈ મેલે નહિ. તેવી પ્રેરણા કરવાથી તારૂં' પણ હિત થશે. કેમકે Page #171 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૮ મો] sષભદત્ત, જમાળિ, ગોશાળાદિ ચરિત્ર [૧૫૭ ધર્મના વિનો પણ આપણને પડે છે.” આનંદ તરત જ સર્વે મુનિ પાસે જઈને તે પ્રમાણે કહ્યું, તેવામાં ગશાળે પ્રભુ પાસે આવ્યો અને આ પ્રમાણે છે કે-“અરે કાશ્યપ! તું “આ શાળો મખલિપુત્ર છે અને મારો શિષ્ય છે” ઈત્યાદિ જે લોકે પાસે બેલે છે, તે તારું ભાષણ મિથ્યા છે કેમકે જે તારે શિષ્ય ગોશાળ હતો, તે શુકલકુળને હતો, તે તે ધર્મધ્યાનથી મૃત્યુ પામીને દેવગતિમાં ઉત્પન્ન થયેલ છે. તેનું શરીર ઉપસર્ગ અને પરિષહો સહન કરવામાં સમર્થ જાણે મારું શરીર છોડી દઈને હું તેમાં પેઠો છું, મારૂં નામ તો ઉદાય નામે મુનિ છે. તેથી મને જાણ્યા વગર “આ મંખલિને પુત્ર ગૌશાળા મારો શિષ્ય છે” એવું કેમ કહે છે? તું કાંઈ મારે ગુરૂ નથી.” પ્રભુ બેલ્યા કે-“ગશાળા ! જેમ કેઈ અ૫ બુદ્ધિવાળો ચાર પિોલીસથી પકડાય ત્યારે કઈ ખાડાનું કે દુર્ગ વનનું ઢાંકણું નહિં મળવાથી તે ઉન, શણ, રૂ કે ઘાસથી પોતાના શરીરને ઢાંકી પિતાની જાતને ગુપ્ત થયેલી માને, તેમ તું પણ “હું ગોશાળો નથી” એવું બોલી તારી જાતને ઢાંકવા માગે છે, પણ તું શા માટે અસત્ય બોલે છે? તું તેજ છે, બીજે નથી. ” પ્રભુનાં આવાં વચન સાંભળી ગોશાળ કેધ કરીને બોલ્યા કે-“અરે કાશ્યપ! આજે તું ભ્રષ્ટ થઈ જઈશ, નષ્ટ થઈ જઈશ, નાશ પામી જઈશ.” આવા તેનાં વચન સાંભળી પ્રભુના શિષ્ય સર્વાનુ ભુતિમુનિ પ્રભુ ઉપરના અત્યંત રાગથી તે સહન કરી શક્યા નહિ, તેથી તે ગોશાળા પ્રત્યે બોલી ઉઠ્યા કે, “અરે ગોશાળા ! આ ગુરૂએ તને દીક્ષા આપી છે અને તેમણે જ શિક્ષા પણ આપી છે, તે છતાં તું કેમ તેનો નિહનવ કરે છે? તું જ ગોશાળો છું.” તે સાંભળતાં જ કોપાયમાન થઈને ગોશાળે દૃષ્ટિવિષસર્ષ દૃષ્ટિરૂપ જ્વાળા મૂકે તેમ તે સર્વાનુભૂતિ મુનિ ઉપર તેલેશ્યા મૂકી. મહાશય સર્વાનુભુતિ ગોશાળાની તેજલેશ્યાથી દગ્ધ થઈ શુભ ધ્યાને મરણ પામીને સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયા. પોતાની વેશ્યાની શક્તિથી ગર્વ પામેલ ગોશાળ પછી વારંવાર ભગવંતની નિર્ભટ્સના કરવા લાગે એટલે બીજા સુનક્ષત્ર નામે ભક્તિમાન શિષ્ય પ્રભુની નિંદા કરનાર તે ગોશાળાને સર્વાનુભૂતિની જેમ ઘણા શિક્ષાનાં વચને કહ્યાં. તેથી ગોશાળે તેમની ઉપર પણ તેજલેશ્યા મૂકી, એટલે તેમનું શરીર પણ બળવા લાગ્યું. તત્કાળ તે મુનિએ પ્રભુને પ્રદક્ષિણા કરીને ફરીવાર વ્રત લઈ આલેચના-પ્રતિક્રમણ કરી, બધા મુનિઓને ખમાવ્યા, અને મૃત્યુ પામીને અશ્રુત કલ્પમાં દેવતા થયા. ગોશાળ પિતાને વિજયી માનત છતે પ્રભુને કઠોર વચનેવડે આક્રોશ કરવા લાગ્યો. તથાપિ એકાંત દયાળુ પ્રભુ બોલ્યા કે-“અરે ગોશાળ! મેં તને દીક્ષા અને શિક્ષા આપીને શ્રતનું ભાજન કર્યો, તથાપિ તું મારાજ અવર્ણવાદ બોલે છે તે તારી બુદ્ધિ કેમ ફરી ગઈ છે? પ્રભુના આવાં વચનથી અતિ કપ પામેલા શાળાએ કાંઈક નજીક આવીને પ્રભુની ઉપર પણ તેજલેશ્યા મૂકી, પરંતુ તે તેજલેસ્યા પર્વત ઉપર મહાવાયુની જેમ પ્રભુની ઉપર અસમર્થ થઈ અને તેણે ભક્તિથી પ્રભુને પ્રદક્ષિણા કરી. તે તે વેશ્યાથી કાંઠા ઉપરના ઘાસમાં ઉત્પન્ન થયેલા દાવાનળથી નદીનું જળ જેમ તપે તેમ માત્ર પ્રભુના અંગમાં સંતાપ ઉત્પન્ન Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ મું 9 થયા; પછી ‘આ દુષ્ટે મને અકાય કરવાને પ્રેરી એવા ક્રોધથી તે તેોલેશ્યાએ પાછી ફ્રીને છળથી ગાશાળાનાજ શરીરમાં પ્રવેશ કર્યો. તેનાથી અંદર દહન થતા છતાં પણ ગેાશાળે પીઠ થઈને ઉદ્ધૃતપણે પ્રભુને આ પ્રમાણે કહ્યું કે, “અરે કાશ્યપ! મારી તેોલેશ્યાથી અત્યારે તું મચી ગયા છે, તેા પણ તેનાથી થયેલા ચિત્તવરથી પીડિત થઈને આજથી છ માસને અંતે તુ છદ્મસ્થપણામાંજ મરણ પામીશ.” પ્રભુ મેલ્યા “ અરે ગોશાળા! તારા એ આગ્રહ વૃથા છે, કારણ કે હુંતા હજુ બીજા સેાળ વર્ષ સુધી કેનળીપણેજ વિહાર કરીશ, પશુ તુ' આજથી સાતમે દિવસે તારીજ તેોલેસ્યાથી થયેલા પિત્તજવરથી પીડિત થઈને મૃત્યુ પામીશ, તેમાં જરા પણ સંશય નથી.” પછી તોલેશ્યાથી જેનુ શરીર ગ્લાનિ પામી ગયું છે એવા ગાશાળા વિલાપ કરતા કરતા ત્યાંજ વાયુથી શાળવૃક્ષની જેમ પૃથ્વીપર પડી ગયા. તે વખતે ગુરૂની અવજ્ઞાથી કાપ પામેલા ગૌતમ વગેરે મુનિ મમવેધી વચનાથી ગાશાળાને ઉંચે સ્વરે કહેવા લાગ્યા કે—“ અરે મૂર્ખ ! જે કોઈ પાતાના ધર્માચાય થી પ્રતિકૂળ થાય છે, તેની આવી દશાજ થાય છે, અરે! તે' તારા ધર્માચાય ઉપર નાંખેલી તોલેશ્યા કયાં ગઈ? બહુ વખત સુધી જેમ તેમ ખેલનારા અને એ મહા મુનિઓની હત્યા કરનારા એવા તારી ઉપર પણ પ્રભુએ તે કૃપા કરી. પરંતુ હવે તુ' સ્વયમેવ મૃત્યુ પામીશ. પૂર્વે ને પ્રભુએ શીતલેશ્યાવડે તારી રક્ષા ન કરી હાત તા તુ` વેશકાયને મૂકેલી તેોલેશ્યાથી મરી ગયેા હાત, તે યાદ કર.” તેએનાં આવાં વચન સાંભળીને ખાડામાં પડેલા સિંહની જેમ અસમર્થ બનેલા ગાશાળેા તેમને કાંઈ પણ નહી કરી શકવા છતાં ક્રોધવડે ઉછાળા મારવા લાગ્યા. પછી દીઘ અને ઉષ્ણુ નિઃશ્વાસ નાંખતા, દાઢ અને કેશને ખેંચતા, પગથી પૃથ્વીપર તાડન કરતા અને ‘અરે હું મરાયે' એમ વારવાર ખેલતા તે પ્રભુની પાઁદામાંથી નીકળી ગયા; અને લેાકાથી ચારની જેમ તિરસ્કાર કરાતા છતા તે માંડ માંડ હાલાહલા કુંભકારીની દુકાને પહોંચ્યા. તેના ગયા પછી પ્રભુએ મુનિઓને કહ્યુ, “ગાશાળે જે તેનેલેશ્યા મારા વધ કરવાને મારાપર મૂકી હતી, તે પેાતાની ઉગ્ર શક્તિથી વત્સ, અચ્છ, કુત્સ, મગધ, મગ, વાલવ, કાશળ, પાડ, લાટ, ,િ માળિ. મલય, વાધક, અંગ, કાશી, અને સાગિરિના ઉત્તર પ્રદેશ-એ પ્રમાણેના સાળ દેશને ખાળવાને શક્તિવાન હતી. ગાથાળે તેોલેશ્યાને અત્ય'ત ઉગ્ર તપવડે સાધેલી હતી.” તે સાંભળી ગૌતમ વિગેરે મુનિએ પ૨મ વિસ્મય પામી ગયા કે, “ અા! સત્પુરૂષા શત્રુ ઉપર પશુ માત્સર્ય ભાવ રાખતા નથી.” અહી પેાતાની તેોલેશ્યાથી દહન થતા ગાશાળે હાથમાં મદ્યનુ પાત્ર લઈને મદ્ય પીવા માંડવું; પછી તેનાથી મોન્મત્ત બનીને ગેાશાળો ગાવા તેમજ નાચવા લાગ્યા; અને હાલાહલા કુંભકારીને વારંવાર અંજિલ જોડી જોડીને નમવા લાગ્યા. પાત્રને માટે ચાળેલી મૃત્તિકા લઈ લઈ ને શરીર ચાળવા લાગ્યા, અને ઘરની ખાળમાં આળોટી વારવાર ઘરની ખાળનું જળ પીવા લાગ્યા; તેમજ અસબદ્ધ વિરૂદ્ધ વચને જેમ તેમ ખેલવા લાગ્યા. શેક સહિત શિષ્યાએ સેવેલા ગાશાળો એવી રીતે દિવસ નિગમન કરવા લાગ્યા. Page #173 -------------------------------------------------------------------------- ________________ સગ ૮ મા] ઋષભદત્ત, જમાળિ, ગાશાળાદિ ચરિત્ર ( ૧૫૯ એ સમયે પુત્રાળ નામે ગાશાળાના એક ઉપાસક હતા, તે પૂ રાત્રિ અને અપરાત્રિમાં ધર્મ જાગરણ કરતા વિચારવા લાગ્યા કે, · તૃણુગાપાલિકાનું સંસ્થાન કેવું હશે! તે હું જાણુતા નથી માટે મારા સત્ત ગુરૂ ગોશાળાની પાસે જઈ પૂછી જોઉં.' આવા વિચાર કરી તે અમૂલ્ય આભૂષણા ધારણ કરી ગેાશાળાની પાસે આવ્યા. ત્યાં હાલાહલા કુભકારીની દુકાને ગાશાળાને તેવી રીતે પડેલા તેણે જોયા. જળ લેવાને જતા ગશાળાના સ્થવિર શિષ્યાએ તેને ઉતાવળો આવતા અવલાકયા એટલે તત્કાળ તેઓ ખેલ્યા કે- અરે પુત્રાલ ! આજે પાછલી શત્રે તને તૃણાપાલિકાના સસ્થાન સંબધી સશય થયેલા છે.' તે સાંભળતાંજ પુત્રાય વિસ્મય પામ્યા; અને તે વાતને તેણે સ્વીકાર કર્યો. પછી પેાતાના ગુરૂના ચેષ્ટિત ગેપવવાને તે મહિષ એ ફરીવાર ખેલ્યા જે, આ તમારા ગુરૂ જે ગાય છે, નાચે છે, કરપાત્રવર્ડ અંજલિ જોડે છે, તે બધા તેમના નિર્વાણુનાં ચિન્હા જણાવે છે. જે આ તેમનુ સૌથી છેલ્લું ગાયન, નૃત્ય, મજલિ જોડવાનું કમ, પાન, અને મૃત્તિકાના અંગરાગ વિગેરે છે, તે બધુ ચાવીશમા તીથ કરનું નિર્વાણુ ચિન્હ છે. હવે તેમની પાસે જઈ તારા સંદેહ પૂછી જો, કેમકે એ તારા સર્વજ્ઞ ગુરૂ છે.' આ પ્રમાણે તેમના કહેવાથી તે પુત્રાલ ગાશાળાની પાસે જવા તત્પર થયા. એટલે તે મહર્ષિ આએ તેની અગાઉ ગાશાળા પાસે જઈ તેનું આગમન અને તેને જે સંશય હતા તે જણાવી દીધા, તેમજ તેમણે ગાશાળાની પાસેથી મદ્યપાત્ર વિગેરે ખીજે મૂકાવ્યું અને એક આસન ઉપર બેસાયે!. એટલામાં પુત્રાલ પણ ત્યાં આવ્યા. તે આગળ બેઠા એટલે ગાશાળે તેને કહ્યું કે ‘તૃણુગોપાળિકાનુ` સંસ્થાન કેવું હોય ? એ તારા સંશય છે. તે સાંભળ–વાંસના મૂળ જેવી તૃણુ પાલિકાની આકૃતિ જાણવી.' આ પ્રમાણે ઉત્તર સાંભળી તે પુત્રાલ હર્ષ પામ્યા છતો પાતાને સ્થાનકે ગયા. * અન્યદા ગાશાળે સાવધાન થઈ પોતાના અવસાન સમયને જાણી પાતાના શિષ્યાને આદરપૂર્વક લાવી આ પ્રમાણે કહ્યુ કે−“હું શિષ્યા ! મારા મરણ પામ્યા પછી મારા મૃત શરીરને સુગંધી જળથી સ્નાન કરાવી, સુગંધી વિલેપન કરો. પછી તેની ઉપર ઉત્કૃષ્ટ વસ વીટાળજો. પછી દિવ્ય આભૂષણૈાથી શણગારી તેને સહસ્ર પુરૂષોએ વાઘ એવી શિબિકામાં એસારી ઉત્સવ સહિત બહાર કાઢો, અને તે વખતે આ ગેાશાળક ચાલતી અવસર્પિણીના ચાવીશમા તીર્થંકર માક્ષે ગયેલ છે” એવી ઉંચે સ્વરે આખા નગરમાં આધાષણા કરાવો.” તેઓએ તેમ કરવાને સ્વીકાર્યું. પછી સાતમે દિવસે ગોશાળાનું હૃદય ખરેખરૂ શુદ્ધ થયું, તેથી તેણે અત્યંત પશ્ચાત્તાપ કરવા માંડવો. “ અહો! હું કેવા પાપી! કેવા દુમતિ! મેં મારા ધર્મગુરૂ શ્રી વીર અદ્ભુત પ્રભુની મન વચન કાયાથી અત્યંત આશાતના કરી. મે સવ ઠેકાણે મારા આત્માને મિથ્યા સર્વજ્ઞ કહેવરાન્ચે અને સત્ય જેવા જણાતા મિથ્યા ઉપદેશ વધુ સવ લેાકેાને છેતર્યો; અરે મને ધિક્કાર છે, મે' ગુરૂના એ ઉત્તમ શિષ્યાને તેજલેશ્યાવર્ક બાળી નાખ્યા; વળી છેવટે મારા આત્માનું દહન કરવા માટે મે' પ્રભુની ઉપર પણ તેનેલેસ્યા મૂકી. મને ધિક્કાર છે! અરે! ચોડા દિવસને માટે ઘણા કાળ સુધી નકાવાસમાં નિવાસ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું થાય તેવું અકાય મેં આચર્યું. વળી કેવળ મેં મારા આત્માને જ નરકનો અતિથિ કર્યો નથી પણ અસત્ માર્ગના ઉપદેશથી આ બધા લોકોના આત્માને પણ નરકના અતિથિ કર્યા છે. ભવતુ! હવે આટલેથીજ સયું, હવે તો લોકે પાછા સન્માર્ગે ચાલો.” આ વિચાર કરી તેણે પોતાના સર્વ શિષ્યોને બોલાવીને કહ્યું કે, “હે શિષ્યોસાંભળો, હું અહંત નથી તેમ કેવળી પણ નથી, હું તો મંખલિને પુત્ર અને શ્રી વીરપ્રભુનો શિષ્ય ગોશાળો છું. આશ્રયને જ ભક્ષણ કરનાર અગ્નિની જેમ હું ગુરૂનો પ્રત્યેનીક થયો છું. મેં આટલા કાળ સુધી દંભથી મારા આત્માને અને લોકોને ઠગ્યા છે. મારી પિતાની તેજલેશ્યાથી જ દહન થયા છતા હું છઘસ્થપણે જ મૃત્યુ પામીશ. માટે મારા મરણ પામ્યા પછી મારા મૃત શરીરના ચરણને રજજુથી બાંધી મને આખા નગરમાં ઘસડજે. મરેલા શ્વાનની જેમ મને ખેંચતાં મારા મુખ ઉપર થુંકો અને આખી નગરીમાં ચૌટા, ત્રિક, ચેક અને શેરીએ શેરીએ એવી આષણા કરજો કે, લોકોને દંભથી ઠગનાર, મુનિને ઘાત કરનાર, જિન નહીં તે (છઘસ્થ), દેષનું જ નિધાન, ગુરૂનો દ્રોહી અને ગુરૂનેજ વિનાશ ઈચછનાર. મંખલિનો પુત્ર આ ગશાળે છે, તે જિન નથી, જિનેશ્વર તો ભગવાન, સર્વજ્ઞ, કરૂણાનિધિ, હિતોપદેખા શ્રી વીરપ્રભુ છે. આ ગોશાળો વૃથા માની છે. આ પ્રમાણે કરવાના સોગન આપી ગોશાળ અત્યંત વ્યથાથી પીડાતો છતો મૃત્યુ પામ્યો. એટલે તેના શિષ્યોએ લજજાથી તે કુલાલ (કુંભાર)ની શાળાના દ્વાર બંધ કરી સોગનથી મુક્ત થવાને માટે અંદર શ્રાવસ્તિ ચીત્રી ગશાળાના શબને તેમાંથી તેણે કહેલી આઘોષણા કરવા પૂર્વક ઘસડયું. પછી તે શિષ્યોએ ગશાળાના કલેવરને મકાનની બહાર કાઢયું એટલે તેના ઉપાસકોએ મોટી સમૃદ્ધિથી તેને અગ્નિસંસ્કાર મહોત્સવ કર્યો. શ્રી વીરપ્રભુ ત્યાંથી વિહાર કરી મેંઢક ગામે આવ્યા. ત્યાં કણક નામના ચૈત્યમાં સમેસર્યા. ત્યાં ગૌતમે પ્રભુને પૂછ્યું કે, “સ્વામી ! ગોશાળો કઈ ગતિને પામે? પ્રભુ બોલ્યા કે- અય્યત દેવલેકમાં ગયે. ગૌતમે ફરીવાર પૂછયું કે-“મહારાજ ! એ ઉન્માગી અને અકાર્ય કરનાર દુરાત્મા ગે શાળે દેવતા કેમ થયે? એમાં મને મોટું આશ્ચર્ય થાય છે. એટલે પ્રભુ બોલ્યા કે– હે ગૌતમ! જે અવસાન કાળે પણ પિતાના દુષ્ટ કૃત્યની નિંદા કરે છે, તેને દેવપણું દૂર નથી. ગોશાળે પણ તેવી રીતે કર્યું હતું. ગૌતમે ફરીથી પૂછયું, “હે સ્વામી! તે અશ્રુત દેવલોકમાંથી ચ્યવીને કયાં ઉત્પન્ન થશે અને જ્યારે સિદ્ધિને પામશે?” પ્રભુ બોલ્યા“આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પુદ્રદેશમાં શતદ્વાર નામે એક મહાન નગર છે, તેમાં સમુચિ નામના રાજાની ભદ્રા નામની રાણીથી ગોશાળાનો જીવ મહાપદ્ય નામે પુત્રપણે ઉત્પન્ન થશે. તે મોટે રાજા થશે. પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામે બે ઉત્તમ યક્ષે તેનું સેનાપતિ પણું કરશે. તેથી પ્રજા ભાગ્યના નિધિ સમાન એ રાજાનું દેવસેન એવું બીજુ ગુણ પ્રમાણે નામ પાડશે. તે અદ્દભુત તેજસ્વી ને ચક્રવતીની જેમ એક વેતવણી અને ચાર દાંતવાળે બીજા ઐરાવત જેવો હસ્તી પ્રાપ્ત થશે. તેની પર આરૂઢ થયેલા તે રાજાને જોઈને હર્ષ પામેલા Page #175 -------------------------------------------------------------------------- ________________ [૧૬૧ વર્ગ ૮ મો] રાષભદર, જમાળિ, ગોશાળાદિ ચરિત્ર લોકો વિમલવાહન એવું તેનું ત્રીજું નામ પણ પાડશે. અન્યદા તેને પૂર્વ ભવના અભ્યાસથી મુનિ ઉપરના હૈષ્ય કર્મ વડે મુનિઓ પર અત્યંત દુષ્ટ બુદ્ધિ ઉત્પન્ન થશે. કોઈપણ મુનીને જોતાં કે સાંભળતાં જ તે નિંદા, તાડન, બંધન, હીલણ અને છેવટ હણવા વિગેરેથી તેમને પીડા કરવા લાગશે. પછી નગરના લોકો અને મંત્ર ઓ તેને વિજ્ઞપ્તિ કરશે કે, “રાજાઓએ તે દુષ્ટનો નિગ્રહ અને સાધુજનનું પાલન કરવું જોઈએ. માટે હે સ્વામી ! આ નિરપરાધી ભિક્ષુક અને તપસ્વી સાધુઓની તો આપ રક્ષા કરો, અને કદિ જે રક્ષા ન કરો તો ભલે પણ તેઓનો નિગ્રહ શા માટે કરે છે? કદાપિ કોઈ નિરપરાધી મુનિ તાડન કરવાથી કોપ કરશે તો તે પિતાના તેજથી તમને તેમજ તમારા દેશને પણ બાળી નાખશે.' આ પ્રમાણેનાં તેમનાં વચને તે માનશે નહીં. એક વખત તે રથમાં બેસી ઉદ્યાનમાં ક્રીડા કરવાને જશે, ત્યાં ત્રણ જ્ઞાનના ધારક અને જેને તેજલેશ્યા સિદ્ધ થયેલી છે એવા સુમંગળ નામે મુનિ કાયેત્સર્ગે રહીને આતાપના કરતા તેના જેવામાં આવશે. એટલે સાધુના દર્શન માત્રથી જ વિરૂદ્ધ થયેલો તે રાજા નિઃકારણ કોધ કરીને રથના અગ્ર ભાગથી તે મુનિને પાડી નાખશે, તે મુનિ પાછા ઉભા થઈને કાર્યોત્સર્ગ કરશે, પાછે તે રાજા તેને ફરીવાર પૃથ્વી પર પાડી નાંખશે, ફરીવાર પાછા મુનિ કાયોત્સર્ગ ધારણ કરશે, પછી અવધિજ્ઞાનવડે જોઈને તે રાજાને આ પ્રમાણે કહેશે-“અરે મૂઢ! તું દેવસેન નથી અને વિમળવાહન પણ નથી. પણ તું તે મખલિને પુત્ર ગોશાળ છું, તે સંભાર. તે ભવમાં તે તારા ધર્મગુરૂ છેલ્લા તીર્થકર વીરપ્રભુની અત્યંત આશાતના કરી હતી અને તેમના બે શિને મદેન્મત્ત થઈને બાળી નાંખ્યા હતા, પણ તેમણે તે બધું સહન કર્યું હતું, પરંતુ હું સહન કરીશ નહીં. જે હવે ફરીવાર કાંઈપણ કરીશ તો જરૂર હું તને ક્ષણવારમાં દહન કરી નાખીશ.” તેના આવા વચનથી ધીના સિંચનથી અગ્નિની જેમ અધિક પ્રદિપ્ત થયેલ મહાપદ્મ ત્રીજીવાર પણ તે સુમંગળ મુનિને પાડી નાખશે. એટલે તે મુનિ સાત આઠ પગલાં તેની સામા ભરીને તેજલેશ્યાવડે તે મહાપાને રથ, ઘોડા અને સારથી સહિત બાળ નાખશે. પછી તે કર્મની આચના કરી ચિરકાળ વ્રત પાળી અંતે એક માસનું અણુસણુ કરીને મુનિ સર્વાર્થસિદ્ધ વિમાને જશે. ત્યાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી યેવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ દીક્ષા લઈને મોક્ષ પ્રત્યે પામશે. મહાપર્વ દગ્ધ થઈને સાતમી નરકે જશે. પછી અનુક્રમે સાતે નરકમાં બેવાર ઉત્પન્ન થશે; પછી બધી તિર્યંચ જાતિઓમાં વારંવાર ઉત્પન્ન થશે અને દરેક ભવમાં શસ્ત્રથી અથવા દાહથી પીડિત થઈને મૃત્યુ પામશે. એવી રીતે અનંતકાળ પર્યત દુઃખદાયક ભવભ્રમણ કરીને તે રાજગૃહ નગરની બહાર વેશ્યા થશે; ત્યાં સુખે સુતેલી તે વેશ્યાને કોઈ તેના આભૂષણમાં લુબ્ધ થયેલ કામી પુરૂષ મારી નાખશે. ફરીવાર પણ તે નગરની અંદર વેશ્યાપણે ઉત્પન્ન થઈ મૃત્યુ પામશે. પછી વિધ્યગિરિના મૂળમાં આવેલા ચાળ નામના ગામમાં કોઈ બ્રાહ્મણની કન્યા થશે; તેને કોઈ બ્રાહ્મણ D - 21 Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું પરણશે; ત્યાં ગર્ભિણી થતાં સાસરાના ઘરથી પિયર આવતાં માર્ગમાં દાવાનળથી દગ્ધ થઈ છતી તે અગ્નિકુમાર દેવતાઓમાં ઉત્પન્ન થશે. ત્યાંથી પાછો મનુષ્ય થશે તે ભવમાં દીક્ષા લેશે. પરંતુ સાધુપણાની વિરાધના કરીને પાછે અસુરકુમારમાં ઉત્પન્ન થશે, એ પ્રમાણે વારંવાર કેટલાક મનુષ્યભવ પામી દરેક ભવમાં મુનિ પણાને વિરાધી અસુરકુમાર વિગેરેમ ઉત્પન્ન થશે. ફરીવાર પાછો મનુષ્ય થઈ અતિચાર રહિત વ્રતને પાળવાથી સૌધર્મ દેવલોકમાં દેવતા થશે. એવી રીતે સાત ભવ સુધી મુનિપણું પાણી પ્રત્યેક કલ્પ ઉત્પન્ન થઈ છેવટે સર્વાર્થસિદ્ધ વિમાને જશે. ત્યાંથી ચવી વિદેહક્ષેત્રમાં કોઈ ધનાઢય ગૃહસ્થને દ્રઢપ્રતિજ્ઞ નામે બુદ્ધિમાન પુત્ર થશે; તે વિરક્ત થઈને દીક્ષા લેશે; તે ભવમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં તે ગોશાળાના ભાવથી માંડીને પિતાના સર્વ ભવને જાણી લેશે, કે જે ગુરૂની અવજ્ઞા અને મુનિવધથી દુષિત થયેલા હતા; પિતાના સર્વ ભવની હકીકત તે પોતાના શિખ્યાને જણાવશે અને પિતાને થયેલા અનુભવથી તે શિષ્યોને કહેશે કે, “સર્વથા ગુરૂની અવજ્ઞા વિગેરે કાંઈ કરવું નહીં, કેમકે તેમ કરવાથી તેનું માથું ફળ ઘણું ભવમાં ભોગવવું પડે છે. આ પ્રમાણે પિતાના શિષ્યોને બંધ કરી પૃથ્વી પર વિહાર કરી પ્રાંતે ગે શાળાનો જીવ કર્મને ક્ષય કરીને નિર્વાણપદને પામશે.” ગૌતમે ફરીથી પૂછયું કે, ભગવાન ! પૂર્વના કયા કર્મથી તે ગોશાળે તમને પ્રતિકૂળ થયો ?' પ્રભુ બેલ્યા- “આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં પાછલી વીશીમાં ઉદાય નામે એક તીર્થકર થયા હતા. તેનો મોક્ષમહિમા કરવા સુર અસુરો આવ્યા, તે વખતે નજીકમાં રહેનાર કોઈ મનુષ્યને તે જોઈને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તે મહાશયે પ્રત્યેકબુદ્ધ થઈને તત્કાળ દીક્ષા લીધી. એટલે શાસનદેવતાએ તેને વ્રતીનું લિંગ અર્પણ કર્યું. લેકેથી પૂજાતા તે મહામુનિ તીવ્ર તપસ્યા કરવા લાગ્યા. તેને જોઈ કેઈ ઈશ્વર નામના દુમતિએ તેમની પાસે આવી પૂછયું કે, “તને કોણે દીક્ષા આપી? તું કયાં ઉત્પન્ન થયે છું? તારું શું કુળ છે? અને સૂત્ર તથા તેનો અર્થ તે કોની પાસેથી મેળવ્યો છે”? તે પ્રત્યેકબુદ્ધ મહામુનિએ તેને બધા પ્રશ્નનો ઉત્તર આપ્યો. તે સાંભળી ઈશ્વરે વિચાર્યું કે, આ સાધુ દંભથી પ્રજાનું ભક્ષણ કરે છે. હું ધારું છું કે, જેવું આણે તેવું જિનેશ્વર પણ કહેશે, અથવા મેહ રહિત એવા પ્રભુ એવું નહીં કહે, માટે ચાલ તેની પાસે જાઉં અને સર્વ દુઃખનો નાશ કરનારી દીક્ષાનું અભિનંદન કરૂં. (લઉં)' આવું ચિંતવી તે પ્રભુ હતા ત્યાં ગયો, પણ પ્રભુ નિર્વાણ પામેલા હોવાથી જોવામાં આવ્યા નહીં, એટલે તેણે ગણધરની પાસે દીક્ષા લીધી. કપિની જેમ મંદ બુદ્ધિવાળા તેને મેહગર્ભિત વૈરાગ્ય ઉત્પન્ન થયેલ હતો. પ્રભુ મોક્ષ પામેલા હેવાથી ગણધર મહારાજે પર્ષદામાં બેસી જે સૂત્રાર્થ શ્રી જિનેશ્વર મહારાજે કહ્યો હતો તે કહી સંભળાવ્યું. તેમાં કહ્યું કે, “જે પૃથ્વીકાયના એક જીવને પણ હણે, તે જિનેંદ્રના મુનિશ. (ઓ મુહપત્તિ વિગેરે.) Page #177 -------------------------------------------------------------------------- ________________ સૂગ ૮ મા] ઋષભદત્ત, જમાળિ ગાશાળાદિ ચરિત્ર [ ૧૬૩ શાસનમાં અસયત કહેવાય છે.” તે સાંભળી ઈશ્વરે વિચાર્યું” કે, પૃથ્વીકાય જીવાનુ' તો સત્ર મન થાય છે, તેનું સČથા રક્ષણુ કરવા કે તેને જોવાને કાણુ સમય છે? આ વાકયજ શ્રદ્ધા કરવા યાગ્ય નથી, કેવભ મુનિની લઘુતાને માટેજ છે. જેમ ઉન્મત્ત આલે તેમ ખેલેલુ' આ વાકય સાંભળ્યા છતાં પણ તે પ્રમાણે કણ આચરે છે? જો આવુ' કહેવું છેડી દઈને એએ મધ્યમ પક્ષના સાધુપણાની વાત કહે તો તેની ઉપર જરૂર સ લેાક અનુરક્ત થાય.' આ પ્રમાણે વિચારીને વળી પાછા વિચારવા લાગ્યા કે અરેરે! હું માર્યા ગયા! જો હું' આ વાકય ન માનું અને તે પ્રમાણે ન આચરૂ તો મે' જિનેશ્વરને પણ માન્યા ન કહેવાય! કેમકે આ સજ્ઞનુ જ વચન છે. તેથી મે અહુતના આ એક વચનને અન્યથા ધાયું, તેથી તેનું પ્રાયશ્ચિત્ત મારે હમણાજ લેવુ' જોઇએ.' આવી રીતે પશ્ચાત્તાપ કરતો તે પેલા પ્રત્યેકમુદ્ધ મહામુનિની પાસે ગયા. ત્યાં પણ ધર્મના વ્યાખ્યાનમાં તેણે સાંભળ્યું કે, ‘ મુનિએ મન વચન કાયાથી પૃથિવીકાય વિગેરે જીવાના સમારભ ત્યજી દેવા.? તે સાંભળી વળી ઈશ્વરે ચિંતવ્યું કે, આવી રીતે તે કાનાથી પળી શકે? કાણુ પૃથ્વીકાયાક્રિકના ત્રિધા આરંભ કરતું નથી, આ મુનિ પણ પૃથ્વીપર બેસે છે, આહાર કરે છે અને અગ્નિપકવ જળે પીવે છે. આ કટુવાદી તો પેાતાની પણ ન પળી શકે તેવું આલે છે, માટે આથી તો પેલા ગણધર સારા, જો કે તેની પણ વાણી તો વિરૂદ્ધ છે; ત્યારે મારે એ બંનેની કાંઈ જરૂર નથી, હું પાતેજ એવા ધમ કહુ` કે, જેને લેાકેા અવિરક્ત પણે સુખે સુખે પાળી શકે.' આવું ચિંતવન કરતાં તેના મસ્તકપર વિજળી પડી, જેથી તે મૃત્યુ પામીને સાતમી નરકે નારકી થયા. શ્રુત, જૈનશાસન અને સમતિના પ્રત્યેનીકપણાથી બાંધેલા તીવ્ર પાપવડે ત્યાં ચિરકાળ દુ:ખ ભોગવીને તે અહી' સમુદ્રમાં મત્સ્ય થયા, ત્યાંથી ફરીવાર તે સાતમી નરકે ગયા, ત્યાંથી નીકળીને તે અહિં કાકપક્ષી થયા; ત્યાંથી પહેલી નરકે ગયા; ત્યાંથી નીકળી દુષ્ટ તિય"ચ થયા; પછી ફરીવાર પડેલી નરકમાં જઈ ને ગધેડા થયા. તેવા છ લવ કરીને મનુષ્ય થયા. ત્યાંથી મૃત્યુ પામી વનચર થયા. ત્યારપછી ખીલાડા થઈ ને નરકે ગયા. ત્યાંથી નીકળી કૃમિથી આકુળવ્યાકુળ કુષ્ટ વ્યાધિવાળા કુંભાર થયા. તે ભવમાં પચાસ વર્ષ સુધી કૃમિનુ ભક્ષ થઈ અંતે મૃત્યુ પામીને અકામનિજ રાના યાગથી દેવપણાન પ્રાપ્ત થયા. ત્યાંથી ચવીને રાજા થયા. તે ભવમાં મૃત્યુ પામીને પાછે સાતમી નરકે ગયા. એવી રીતે મનુષ્ય, તિય ચ અને નરક ગતિમાં ભમીને તે ગેાશાળા થયા. પૂર્વ ભવના અભ્યાસથી તથા દુષ્ટ વાસનાના આવેશથી તે તીર્થંકર, ધમ અને સાધુઓના અત્યંત દ્વેષી થયા હતા." આ પ્રમાણેના પ્રભુના વચન સાંભળી ઘણા લેાકેા પ્રતિભેધ પામ્યા. કેટલાકે સ'સારથી ઉદ્વેગ પામી દીક્ષા લીધી અને કેટલાકે શ્રાવકપણું અંગીકાર કર્યું". ગેાશાળે મૂકેલી તેોલેશ્યાથી શ્રી વીરપ્રભુને રક્ત અતિસાર તથા પિત્તજવર થવાથી શરીરે અતિ કૃશ થઈ ગયા, તથાપિ તેમણે તેનું કાંઇપણ ઔષધ કર્યું" નહીં. પ્રભુના શરીરમાં એવા ઉગ્ર વ્યાધિ જોઈને લેાકેામાં એવા પ્રવાદ ચાલ્યા કે, ‘ ગોશાળાની તે લેસ્યાથી શ્રી Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું વીરપ્રભુ છ માસમાં મૃત્યુ પામી જશે.” આવી વાત સાંભળીને સિંહ નામના એક પ્રભુના અનુરાગી શિષ્ય એકાતે જઈને ઉંચે સ્વરે રૂદન કરવા લાગ્યા. “તેવી વાણી સાંભળીને કોને ધીરજ રહે?? કેવળજ્ઞાન વડે તે વાત જાણીને વિરપ્રભુએ તેને બેલાવીને કહ્યું કે, “અરે ભદ્ર! લોકેની વાતો સાંભળીને તું શા માટે ભય રાખે છે? અને હદયમાં કેમ પરિતાપ પામે છે? તીર્થકરો કદિ પણ એવી આપત્તિથી મૃત્યુ પામતા નથી. સંગમક વિગેરેના પ્રાણાંત ઉપસર્ગો શું વૃથા નથી થયા?” સિંહ મુનિ બેલ્યા કે, “હે ભગવન! જે કે તમારૂં કહેવું સત્ય છે, તથાપિ તમને આવી આપત્તિ જાણુ બધા લોકો ઘણો પરિતાપ પામે છે, માટે તે સ્વામી! મારા જેવાના મનની શાંતિને માટે તમે ઔષધનું સેવન કરો; આપને પીડિત જેવાને હું ક્ષણવાર પણ સમર્થ નથી.” સિંહમુનિના આ પ્રમાણેના અતિ આગ્રહથી પ્રભુ બોલ્યા, “રેવતી નામે એક શ્રેષ્ટીની સ્ત્રીએ મારે માટે કોળાને કટાહ પકાવ્યો છે, તે તું લઈશ નહીં અને પોતાના ઘરને માટે તેણે બીજેરાને કટાહ પકાવે છે, તે લઈ આવ. તારા આગ્રહથી હું તે ઔષધ તરીકે ગ્રહણ કરીશ, કે જેથી તને વૈર્ય પ્રાપ્ત થાય.” પ્રભુની આવી આજ્ઞા થવાથી સિંહમુનિ રેવતી શ્રાવિકાને ઘેર ગયા, અને તેણીએ આપેલા કલ્પનીય ઔષધને સદ્ય ગ્રહણ કર્યું. તત્કાળ હર્ષ પામેલા દેવતાઓએ તેના ઘરમાં સુવર્ણની વૃષ્ટિ કરી. સિંહમુનિએ આણેલા ઉત્તમ પ્રાસુક ઔષધને સેવી સંઘરૂ૫ ચકર પક્ષીમાં પૂર્ણ ચંદ્ર જેવા શ્રીવીરપ્રભુએ સઘ શરીરની આરોગ્યતા પ્રાપ્ત કરી. इत्याचार्य श्री हेमचंद्रसूरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये दशमपर्वणि ऋषभदत- देवानंदा प्रव्रज्या, जमालि गोशालक विप्रतिपत्ते, विपत्ति, भगवदारोग्यवर्णनों नाम अष्टमः सर्गः ॥ ६ ॥ મે 09999999999999999 88888888866000000000 ણ Sિ હાલિક, પ્રસન્નચંદ્ર, દદ્રાંકદેવ, શ્રેણિકનું ભાવિ તીર્થ કરત્વ, સાળ-ત્મહાસાળ, ગૌતમનું અષ્ટાપદ ઉપર આરોહણ, |||||g અમ્બડ તથા સુલસાનું ચરિત્ર વિષે GિEવE8 છઘસ્થાવસ્થામાં પ્રભુ જ્યારે વહાણમાં બેસીને નદી ઉતરતા હતા, તે વખતે સુદંષ્ટ્ર નામના જે નાગકુમાર દેવે પ્રભુને ઉપસર્ગ કર્યા હતા, તે નાગકુમાર ત્યાંથી રચવીને ઈ Page #179 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૯ મે ] હાલિકા પ્રસન્નચંદ્ર વિગેરેનાં ચરિત્ર [૧૬૫ ગામમાં ખેડુત થયું હતું અને તે કૃષિકમથી આજીવિકા ચલાવતો હતો. એક વખતે તે હળથી પૃથ્વીને ખેડવાને પ્રવતેલો હતો, તેવામાં શ્રી વીરપ્રભુ તે ગામે પધાર્યા. પ્રભુએ તેને બંધ કરવાને માટે ગૌતમને મોકલ્યા. ગૌતમે તે ખેડુત પાસે આવીને કહ્યું કે, “આ શું કરે છે?” તે બોલ્યો-“મારા ભાગ્યની પ્રેરણાથી આ ખેતી કરું છું.' ગૌતમે ફરીથી કહ્યું કે, “આવી ક્ષુદ્ર આજીવિકાથી જીવતાં તને શું ચિરકાળ સુખ થવાનું છે ! અરે ભદ્ર! કેવળ આ કષ્ટ તને આ ભવમાં જ પ્રાપ્ત થયું છે તેમ નથી, પણ આ ખેતીમાં થતી પારાવાર જીવહિંસાથી આવું કઈ બીજા ભવમાં પણ તને પ્રાપ્ત થશે. આ મહા આકરા કર્મના કષ્ટથી એક લાખમા અંશનું કષ્ટ પણ જે ધર્મકાર્યમાં કરાય તો તત્કાળ સર્વ કષ્ટનો અંત આવે છે.” આવાં ગૌતમસ્વામીનાં વચનો સાંભળી તે બે કે-“હે સ્વામી! તમે મને સારો બોધ આપે. હવે હું સંસારથી ઉદ્વેગ પામ્યો છું, માટે મને દીક્ષા આપો.” પછી “આ પ્રતિબોધ પામે છે, એવું જાણું ગૌતમે તરત જ તેને દીક્ષા આપી અને શ્રી વિરપ્રભુના ચરણ પાસે જવા માટે તેને લઈને ચાલ્યા. હાલિક (કૃષી વળ) મુનિએ તેમને પૂછયું કે, ભગવન! આપણે કયાં જવું છે?' ગૌતમ બોલ્યા- “હે સાધુ! મારા ગુરૂની પાસે જવું છે.” હાલિક મુનિ બેલ્યા કે-“તમારા જેવા બીજા કેઈ જણાતા નથી, તે છતાં તમારા પણ કોઈ ગુરૂ છે, તે તે કેવા હશે?” ગૌતમ કહ્યું કે, ચોત્રીશ અતિશય સહિત વિશ્વગુરૂ, સર્વજ્ઞ, શ્રી ચરમ તીર્થકર મારા ગુરૂ છે.” તે સાંભળી હાલિક મુનિએ સર્વજ્ઞ પ્રભુપર પ્રીતિ થવાવડે ત્યાંજ બેધિબીજ ઉપાર્જન કર્યું અને ગૌતમસ્વામીની પાછળ પાછળ ચાલ્યા. પ્રભુ પાસે જઈને પ્રભુએ જોતાંજ સિંહ વિગેરે પૂર્વભવના પ્રભુ સાથેના વૈરથી તેને ક્રોધ ઉત્પન્ન થયે, તેથી તેણે ગૌતમસ્વામીને પૂછ્યું કે-“હે ગુરૂ મહારાજ ! આ સામા બેઠા છે તે કેણું છે?” ગૌતમ બેલ્યા કે-એ મારા ધર્માચાર્ય જિનેશ્વર છે.' હાલિકે કહ્યું કે, “જે એ તમારા ગુરૂ હોય તો મારે તમારી સાથે પણ કાંઈ કામ નથી અને તમારી દીક્ષા પણ મારે જોઈતી. નથી.” એમ કહી રજોહરણ વિગેરે છોડી દઈને તરત જ તે ચાલ્યો ગયો અને પિતાના ક્ષેત્રમાં આવી પાછા હળ વિગેરે ગ્રહણ કર્યા. ગૌતમે પ્રભુને નમીને પૂછયું કે, “ભગવન્! તમારા જેવા સમગ્ર લેકને આનંદ ઉત્પન્ન કરનારા પુરૂષ ઉપર પણ આને દ્વેષ ઉત્પન્ન થયે તે જોઈ મને આશ્ચર્ય થાય છે. હે નાથ! તમને જોતાં જ તેણે સ્વીકાર કરેલું ચારિત્ર પણ છેડી દીધું તેનું શું કારણ? વળી તે પ્રથમ તે મારી ઉપર પ્રીતિમાન હતું પણ “આ મારા ગુરૂ છે” એમ મેં જ્યારે કહ્યું ત્યારે તે મારે પણ ઠેષી થઈ ગયે તે શું?” પ્રભુ બેલ્યા-“ત્રિપૃષ્ટિના ભવમાં જે સિંહને માર્યો હતું, તેને જીવ એ ખેડુત થયેલ છે. તે વખતે ક્રોધથી ફડફડતા તે સિંહને, તું મારે સારથી હતો, તેથી તે સામવચને શાંત કર્યો હતો ત્યારથી તે મારી ઉપર દ્વેષી અને તારી ઉપર નેહી થયા હતા. તેથીજ એને બોધ કરવાને માટે મેં તને મોકલ્યો હતે.” આ પ્રમાણે કહી ભગવતે ત્યાંથી વિહાર કર્યો. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ મું પ્રભુ અનુક્રમે પાતનપુરે પધાર્યા. ત્યાં નગરની બહાર મનોરમ નામના ઉદ્યાનમાં સમવસર્યા. પેાતનપતિ પ્રસન્નચંદ્ર રાજા તત્કાળ પ્રભુને વાંઢવા આવ્યા; અને માહુને નાશ કરનારી પ્રભુની દેશના તેણે સાંભળી. પ્રભુની દેશનાથી પ્રસનચંદ્ર રાજા સ ́સારથી ઉદ્વેગ પામ્યા અને પેાતાના ખાળકુમારને રાજ્ય પર બેસાડીને તેણે તત્કાળ વ્રત ગ્રહણ કર્યુ.. પ્રભુની સાથે વિહાર કરતાં અને ઉગ્ર તપસ્યા કરતાં તે પ્રસન્નચંદ્ર રાજિષ અનુક્રમે સૂત્રાના પારગામી થયા. અન્યદા પ્રસન્નચંદ્ર અને બીજા મુનિએથી પરવરેલા પ્રભુ રાજગૃહ નગરે પધાર્યા. પ્રભુના દન કરવાને ઉત્કંઠિત એવા શ્રેણિકરાા પુત્રોથી પરિવારિત થઈ હાથી ઘેાડાની શ્રેણીવડે પૃથ્વીને મોંડિત કરતા છતો પ્રભુ પાસે આવવા નીકળ્યા. તેની સેનામાં આગળ ચાલનારા સુસુખ અને દુર્મુખ નામે એ મિથ્યાદૃષ્ટિ સેનાનીઓ હતા, તેઓ પરસ્પર વિવિધ વાર્તા કરતા ચાલ્યા આવતા હતા. માગે આવતાં પ્રસન્નચંદ્ર મુનિ એક પગે ઉભા રહી ઉંચા બાહુ કરીને આતાપના કરતા તેમના જોવામાં આવ્યા. તેને જોઈ તે સુમુખ ખેલ્યા કે,“અહા ! આવી આતાપના કરનાર આ મુનિને સ્વર્ગ કે મેક્ષ જરા પણ દુર્લભ નથી.” તે સાંભળી કથી અને નામથી પણ દુર્મુખ બેલ્વે કે- અરે! આ તેા પાતનનગરના રાજા પ્રસન્નચંદ્ર છે. મેાટા ગાડામાં જેમ નાના વાછડાને જોડે તેમ જેણે પેાતાના ખાળકુમારની ઉપર પેાતાના મોટા રાજ્યના બેજો મૂકયો છે, એ તે શેના ધમી ! આના મંત્રીએ ચંપાનગરીના રાજા દધિવાહનની સાથે મળી જઈને તેના રાજકુમારને રાજ્ય ઉપરથી ભ્રષ્ટ કરશે. આણે તે રાજ્ય ઉપર ઉલટા અધમ કર્યો છે, તેમજ તેની પત્નીએ પણ કાંઈક ચાલી ગઈ છે. તેથી આ પાખડી દર્શનને ધારણ કરનાર પ્રસન્નચંદ્ર આપણે જોવા ચેાગ્ય પશુ આ પ્રમાણે ધ્યાનરૂપી પવત ઉપર વજ્ર જેવુ. તેમનું વચન સાંભળીને રાષિ પ્રસન્નચંદ્ર તત્કાળ આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે− અહા ! મારા અકૃતજ્ઞ મંત્રીઓને ધિકાર છે. મેં તેના આજ સુધી નિરંતર સત્કાર કર્યો છે, તે છતાં તેમણે હમણા મારા પુત્ર સાથે ભેદ કર્યાં. જો આ વખતે હું ત્યાં હાત તો તેઓને બહુ આકરી શિક્ષા કરત. ’’ આવા સંકલ્પ વિકલ્પાથી અપ્રસન્ન થયેલા પ્રસન્નચન્દ્ર રાષિ પાતાના ગ્રહણ કરેલા તને પણ ભૂલી ગયા. પછી પેાતાને રાજા તરિકે માનતા પ્રસન્નચંદ્ર મનમાં તે મંત્રીઓની સાથે યુદ્ધ કરવા પ્રવર્ત્ય, તેવામાં શ્રેણિકરાજા તેમની પાસે આળ્યે, અને તેણે તેમને વિનયપૂર્વક વંદના કરી. પછી ‘ અહા! અત્યારે આ પ્રસન્નચંદ્ર મુનિ પૂર્ણ યાનાવસ્થામાં છે' એવું વિચારી શ્રેણિક રાજા મહાવીર પ્રભુ પાસે આવ્યા, અને પ્રભુને નમીને આ પ્રમાણે પૂછ્યું કે‘હે સ્વામી! મેં પ્રસન્નચંદ્ર મુનિને પૂર્ણ ધ્યાનાવસ્થામાં વાંધા છે. તે સ્થિતિમાં કદાપિ તે મૃત્યુ પામે તેા કઈ ગતિમાં જાય?' પ્રભુ મેલ્યા કે સાતમી નરકે જાય.” તે સાંભળી શ્રેણિક રાજા વિચારમાં પડવા કે, · સાધુને નરકગમન હાય નહીં, તેથી પ્રભુનું કહેવું મારાથી ખરાખર સંભળાયું નહી. હાય, ' ક્ષણવાર રહીને શ્રેણિકે ફરીથી પૂછ્યું કે, હૈ ભગવન્! પ્રસન્નચંદ્ર મુનિ જે આ સમયે કાળ કરે તા કયાં જાય ? ” ભગવંતે કહ્યું કે, નથી. ” Page #181 -------------------------------------------------------------------------- ________________ સગ ૯ ] હાલિકા પ્રસન્નચંદ્ર વિગેરેનાં ચરિત્ર [૧૬૭ સર્વાર્થસિદ્ધ વિમાને જાય.” શ્રેણિકે પૂછયું કે, “ભગવંત! આપે ક્ષણના અંતરમાં બે જુદી જુદી વાત કેમ જણાવી?' પ્રભુ બોલ્યા કે-ધ્યાનના ભેદથી તે મુનિની સ્થિતિ બે પ્રકારની થઈ છે, તેથી મેં તેમ કહેલું છે. પ્રથમ મુંબની વાણીથી પ્રસન્નચંદ્ર મુનિ કપ પામ્યા હતા, અને પિતાના સામંત મંત્રી વિગેરેની સાથે મનમાં કોંધવડે યુદ્ધ કરતા હતા, તે વખતે તમે તેમને વંદના કરી હતી, તેથી તે વખતે તે નરકને ચગ્ય હતા. ત્યાંથી તારા અહિં આવવા પછી તેણે મનમાં વિચાર્યું કે, “હવે મારા આયુધ તો બધા ખુટી ગયા, માટે હવે તે હું શિરાણુથી શત્રુને મારૂં.' એવું ધારી તેણે પોતાનો હાથ માથે મૂક્યો. ત્યાં તે માથે લોચ કરેલે જાણી તેમને પોતાના વ્રતનું મરણ થયું. તેથી તત્કાળ “મને ધિક્કાર છે, મેં આ શું અકાય ચિંતવ્યું?” એમ તે પિતાના આત્માને નિંદવા લાગ્યા, અને તેની આલોચના પ્રતિક્રમણ કરીને પાછા પ્રશસ્ત ધ્યાનમાં સ્થિત થયા. તેથી તમારા બીજા પ્રશ્ન વખતે તે સર્વાર્થસિદ્ધિને એગ્ય થઈ ગયા.” આ પ્રમાણે વાત ચાલે છે, તેવામાં પ્રસન્નચંદ્ર મુનિની સમીપે દેવદુંદુભિ વિગેરેનો માટે કલકલ શબ્દ થતે સંભળાય તે સાંભળી શ્રેણિકે પ્રભુને પૂછયું “સ્વામી! આ શું થયું?” પ્રભુ બોલ્યા કે-ધ્યાનમાં સ્થિર થયેલા પ્રસન્નચંદ્ર મુનિને હમણુ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે અને દેવતાઓ તેના કેવળજ્ઞાનનો મહિમા કરે છે, તેથી દુંદુભિના નાદ મિશ્રિત આ હર્ષનાદ થાય છે.' પછી શ્રેણિકે પૂછયું કે, “ભગવન! કેવળજ્ઞાન ક્યારે ઉછેદ પામશે એ વખતે મહા કાંતિવાળો વિદ્યુમ્ભાળી નામે બ્રહ્મલોકના ઇંદ્રનો સામાનિક દેવતા પિતાની ચાર દેવીઓની સાથે પ્રભુને નમવા આવ્યો. તેને બતાવીને પ્રભુ બોલ્યા કે, આ “પુરૂષથી કેવળજ્ઞાન ઉરછેદ પામશે, અર્થાત આ છેલ્લું કેવળજ્ઞાન પામશે. એટલે શ્રેણિકે પૂછયું કે, “શું દેવતાઓને પણ કેવળજ્ઞાન હોય છે?' પ્રભુ બોલ્યા-આ દેવ આજથી સાતમે દિવસે ચાવી તમારા નગરના નિવાસી ધનાઢય રાષભદત્તને પુત્ર થશે, અને પછી મારા શિષ્ય સુધર્માને જંબૂ નામે શિષ્ય થશે. તેને કેવળજ્ઞાન થયા પછી બીજું કઈ કેવળજ્ઞાન ઉપાર્જન કરશે નહીં.' શ્રેણિકે પૂછયું કે “હે નાથ! આ દેવને ચવવાને સમય નજીક છે, છતાં આ દેવાનું તેજ મંદ કેમ પડયું નથી? કારણે કે અંતકાળે દેવનું તેજ મંદ થાય છે.” પ્રભુ બોલ્યા- “હાલ તો આ દેવનું તેજ મંદ છે, પૂર્વના પુણ્યથી પ્રથમ આથી પણ ઉત્કૃષ્ટ તેજ હતું. આ પ્રમાણે પ્રશ્નોત્તર થયા પછી પ્રભુએ સર્વભાષાનુસારી વાણી વડે પાપને નાશ કરનારી ધર્મદેશના આપી. તેવામાં કુષ્ટ રેગથી જેની કાયા ગળી ગઈ છે એ કઈ પુરૂષ ત્યાં આવ્યો અને તે પ્રભુને પ્રણામ કરી હડકાયા શ્વાનની જેમ પ્રભુની પાસે જમીન ઉપર બેઠા. પછી ચંદનની જેમ પિતાના પરથી તેણે પ્રભુના ચરણને વારંવાર નિઃશંકપણે ચર્ચિત કરવા માંડયા. તે જેઈને શ્રેણિક રાજા ક્રોધાયમાન થયા છતા વિચારવા લાગ્યા કે-“આ મહા પાપી જગતુસ્વામીની આવી મહા આશાતના કરે છે, તેથી તે અહીંથી ઉઠે ત્યારે જરૂર વધ કરવા યોગ્ય છે. એવામાં પ્રભુને છીંક આવી, એટલે તે કુષ્ટી બોલે કે-“મૃત્યુ પામે.” પછી રાજા Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું શ્રેણિકને છીંક આવી એટલે તે બોલ્યો કે, “ઘણું જીવો. થોડીવારે અભયકુમારને છીંક આવી એટલે તે બોલ્યો કે “જીવો કે મરો. પછી કાળસૌકરીને છીંક આવી એટલે બે કે-“જીવ નહીં અને મર પણ નહીં.” પ્રભુને માટે “મૃત્યુ પામે” એમ કહ્યું એ વચન સાંભળીને ક્રોધ પામેલા શ્રેણિક રાજાએ પોતાના સુભટોને આજ્ઞા કરી કે-“જ્યારે આ કુષ્ટી અહિંથી ઉઠે ત્યારે તેને પકડી લેજે. દેશના સમાપ્ત થઈ એટલે તે કુટી પ્રભુને નમીને ઉઠયો, તે વખતે કિરાત લોકો જેમ ડુકરને ઘેરી લે તેમ શ્રેણિકના સુભટોએ તેને ઘેરી લીધે; પરંતુ તેઓના દેખાતાં તે ક્ષણવારમાં દિવ્ય રૂપને ધારણ કરી સૂર્યના બિંબને પણ નિસ્તેજ કરતો છતો આકાશમાં ઉડી ગયે. સુભટેએ તે વાત શ્રેણિક રાજાને કરી એટલે રાજાએ વિસ્મય પામીને પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે, “હે પ્રભુ! તે કુષ્ટી કોણ હતો. પ્રભુ બોલ્યા કે“તે દેવ હતો.” રાજાએ ફરીવાર સર્વજ્ઞને પૂછયું કે ત્યારે તે કુષ્ટી શા માટે થયો હતો?” પ્રભુએ કહ્યું કે, “તેની વાર્તા આ પ્રમાણે છે – આ વિશ્વમાં પ્રખ્યાત એવી કૌશાંબી નામની નગરીમાં શતાનીક નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરીમાં સેતુક નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે કાયમના દરિદ્રીપણાની સીમા અને મૂખપણને અવધિ હતો. અન્યદા તેની સ્ત્રી સગર્ભા થઈ, તેથી તે બ્રાહ્મણીએ સેતુકને કહ્યું કે, “ભટજી! મારી સુવાવડને માટે ઘી લઈ આવો, તે સિવાય મારાથી વ્યથા સહન થશે નહીં.” તે બોલ્ય-પ્રિયા ! મારામાં એવી કાંઈ પણ કુશળતા કે કળા નથી, કે જેથી મને કાંઈ પણ પ્રાપ્ત થાય; કેમકે ધનાઢય પુરૂષે કળાથીજ ગ્રાહ્ય થાય છે.” તે બોલી કે- જાઓ, કોઈ રાજાની પાસે યાચના કરે; પૃથ્વીમાં રાજા જેવું બીજું કલ્પવૃક્ષ નથી. તે વાત કબુલ કરીને સેક તે દિવસથી પુષ્ક ફળ વિગેરેથી રત્નચ્છ જેમ સાગરને સેવે તેમ રાજાને સેવવા લાગ્યા. અન્યદા ચંપાનગરીના રાજાએ વર્ષાઋતુ જેમ વાદળોથી આકાશને ઘેરે, તેમ અમિત સૈન્યથી કૌશાંબીને ઘેરી લીધી. શતાનીક રાજા રાફડામાં રહેલ સપની જેમ સૈન્ય સહિત કૌશાંબીની અંદર સમયની રાહ જોતો છતાં દરવાજા બંધ કરીને રહ્યો. કેટલેક કાળે ચંપાપતિ પિતાનું સૈન્ય બહુ સદાવાથી અને ઘણું મરણ પામી જવાથી વર્ષાઋતુમાં રાજહંસની જેમ પોતાના નગર તરફ જવા ચાલ્યો. તે સમયે પેલે સેતુક બ્રાહ્મણ પુષ્પાદિ લેવાને માટે ઉદ્યાનમાં જતો હતો તેના જોવામાં તે આવ્યો. સૈન્ય ક્ષીણ થઈ જવાથી પ્રભાતે નિસ્તેજ થયેલા નક્ષત્ર યુક્ત ચંદ્રની જેમ નિસ્તેજ થયેલે તેને જોઈને તે તત્કાળ શતાનીક રાજાની પાસે આવ્યો અને કહ્યું કે, “દાઢ ભંગ થયેલા સર્ષની જેમ તમારો શત્રુ ક્ષીણ બળવાળો થયો છતો પિતાના નગર તરફ જાય છે, તેથી જે હમણાજ તમે ઉઠી તેની પાછળ જશે તો તે સુખે ગ્રાહ્ય થઈ શકશે; કેમકે ભગ્ન થયેલે પુરૂષ બળવાન હોય તે પણ તેને પરાભવ કરી શકાય છે.” તેનાં વચનને યુક્ત માની શતાનીક રાજા તત્કાળ સર્વ બળવાન અને બાણની વૃષ્ટિ કરનાર પ્રધાન સૈન્યથી દારૂણ થઈને નગર બહાર નીકળે. તેને પાછળ આવતો જોઈ ચંપાપતિના સૈનિકે પાછું જોયા વગર નાસવા લાગ્યા. “અકસ્માતુ પડતી Page #183 -------------------------------------------------------------------------- ________________ સગ ૯ મ ] હાલિકા પ્રસન્નચંદ્ર વિગેરેનાં ચરિત્ર [૧૬૯ વીજળીની સામે કોણ જોઈ શકે?” ચંપાપતિ તે એકલો જ કઈ દિશામાં જવું ” એ ભય પામી પલાયન કરી ગયે. કૌશાંબીપતિએ તેના હાથી, ઘોડા અને ભંડાર વિગેરે લઈ લીધું. પછી મેટા મનવાળા શતાનીકરાજા હર્ષ પામતે છતે કૌશાંબીમાં પાછો આબે, અને પેલા સેકવિપ્રને બેલાવીને કહ્યું કે, “કહે, તને હું શું આપું?વિપ્ર બોલ્યો કે-“મારી ને પૂછીને પછી માગી લઈશ.” “ગૃહસ્થને ગૃહિણી વિના વિચાર કરવાનું બીજું સ્થાન નથી.” ભટજી ખુશી થતા થતા ઘેર આવ્યા અને બ્રાહાણને બધી વાર્તા કહી સંભળાવી. બુદ્ધિવાળી બ્રાહ્મણીએ મનમાં વિચાર્યું કે, “જે હું રાજા પાસેથી ગામ ગરાસ મગાવીશ તે વૈભવના મદથી આ બ્રાહ્મણ જરૂર બીજી સ્ત્રી પરણશે.” આ વિચાર કરીને તે બોલી કે-“હે નાથ! તમારે પ્રતિદિન જમવાને ભેજન અને દક્ષિણામાં એક સેનામહાર રાજા પાસેથી માગી લેવી. આ પ્રમાણે તેણે પિતાના પતિને સમજાવ્યું, એટલે તેણે જઈને તે પ્રમાણે રાજા પાસેથી માગી લીધું. રાજાએ તે આપ્યું “ગાગર સમુદ્રમાં જાય તે પણ પોતાને યોગ્ય હોય તેટલું જ જળ પામે છે.” હવે પ્રતિદિન તે સેતુક બ્રાહ્મણ તેટલો લાભ તેમજ સન્માન પામવા લાગે. “પુરૂષને રાજાને પ્રસાદ મહાઈ પણને વિસ્તારે છે.” “આ રાજાને માનીતે છે” એવું ધારી લોકે નિત્ય તેનું આમંત્રણ કરતા હતા. “જેની ઉપર રાજા પ્રસન્ન હોય, તેને સેવક કોણ ન થાય?” આ પ્રમાણે એકથી વધારે આમંત્રણ આવવાથી તે પ્રથમ જ હોય તે પણ દક્ષિણાના લોભથી પ્રતિદિન પહેલાં જામેલું વમી નાખીને પાછે અનેકવાર જમતે હતો. “બ્રાહ્મણના લોભને ધિક્કાર છે.” વિવિધ દક્ષિણાના દ્રવ્યથી તે બ્રાહ્મણ દ્રવ્યવડે વધી ગયે અને વડવાઈઓથી વડના વૃક્ષની જેમ પુત્રપૌત્રાદિકના પરિવારથી પણ વૃદ્ધિ પામ્યું. પરંતુ નિત્ય અજીર્ણ અન્નના વમનથી આમ (અપકવ) રસ ઉંચે જતાં તેની ત્વચા દૂષિત થઈ ગઈ, તેથી તે લાખવડે પીપળાના વૃક્ષ જેવો વ્યાધિગ્રસ્ત થઈ ગયે. અનુક્રમે તેના નાક, ચરણ અને હાથ સડી ગયા અને તે કુષ્ટી થઈ ગયે, તથાપિ અગ્નિની જેમ અતૃપ્ત થઈને તે રાજાની આગળ જઈ દરરોજ ભોજન કરતો હતો. એકદા મંત્રીઓએ રાજાને કહ્યું કે, હે દેવ! આ કુષ્ટીનો રોગ સંપર્કથી ફેલાશે, માટે હવે તેને ભેજન કરાવવું યોગ્ય નથી. તેને ઘણા પુત્રો નિરોગી છે, તેમાંથી કેઈ એકને તેની વતી જમાડે, કેમકે જ્યારે કોઈ પ્રતિમા ખંડિત થાય ત્યારે તેને ઠેકાણે બીજી પ્રતિમા સ્થપાય છે.” રાજાએ તેમ કરવું સ્વીકાર્યું, એટલે મંત્રીઓએ તે બ્રાહ્મણને તેમ કહ્યું, તેણે પણ પોતાને સ્થાને પોતાના પુત્રનું સ્થાપન કર્યું અને પોતે ઘેર રહ્યો. મધપુડાની જેમ મુદ્ર મક્ષિકાઓની જાળથી ભરપૂર એવા તે બ્રાહ્મણને તેના પુત્રોએ પણ ઘરની બહાર એક ઝુંપડી બાંધી દઈને તેમાં રાખે. તેની પુત્રવધૂઓ જુગુપ્સાપૂર્વક તેને ખવરાવવા જતી અને નાસિકા મરડી ગ્રીવા વાંકી કરી તે શુંકતી હતી. ઘરની બહાર રાખેલા તે બ્રાહાણની આજ્ઞા તેના પુત્ર પણ માનતા નહોતા. માત્ર શ્વાનની જેમ તેને એક કાષ્ટના પાત્રમાં ભેજન આપતા હતા. એક વખતે D - 22 Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું તે બ્રાહ્મણે વિચાર્યું કે, મેં આ પુત્રને શ્રીમંત કર્યા ત્યારે હવે સમુદ્ર તરીને વહાણને તજી દે તેમ તેઓએ મને છોડી દીધો છે. તેઓ વાણીથી મને બોલાવતા પણ નથી; ઉલટા મારી ઉપર રોષ કરે છે. આવી રીતે વિચારી અસંતોષી અભવ્યની જેમ તે કુષ્ટી રોષ પામ્યો, તેથી તેણે નિશ્ચય કર્યો કે, “જેમ આ પુત્રો મારી જુગુપ્સા કરે છે, તેમ તેઓ પણ જુગુપ્સા કરવાને યોગ્ય થાય તેવી રીતે હું કરીશ.” પછી તેણે પોતાના પુત્રોને કહ્યું કે, “હે પુત્રો! હું હવે જીવવાથી ઉદ્વેગ પામી ગયો છું, પરંતુ આપણા કુળનો એ આચાર છે કે જે મરવાને ઈરછે તેણે પોતાના કુટુંબને એક મંત્રેલ પશુ આપવો, માટે મને એક પશુ લાવી આપો.” આવું તેનું વચન સાંભળી પશુની જેવા મંદ બુદ્ધિવાળા પુત્રોએ હર્ષથી એક પશુ તેને લાવી આપ્યું. પછી તેણે પિતાના અંગ ઉપરથી પરૂ લઈ લઈને તેની સાથે અન્નને ચાળી તે પશુને ખવરાવ્યું, કે જેથી તે પશુ પણ કુષ્ટી થઈ ગયો. પછી તે વિષે તે પશુને મારીને પોતાના પુત્રોને ખાવા આપે. પેલા મુગ્ધ અજ્ઞાની પુત્રો તેનો આશય જાણ્યા વગર તેને ખાઈ ગયા. પછી “હવે હું તીર્થે જઈશ” એમ કહી પુત્રોની રજા માગીને તે બ્રાહ્મણ અરણ્યનું શરણું ધારી ત્યાંથી ચાલી નીકળે. માર્ગમાં અત્યંત તૃષાતુર થવાથી તે અટવીમાં જળ શોધતો ભમવા લાગ્યા. તેવામાં વિવિધ વૃક્ષવાળા કેઈ પ્રદેશમાં મિત્રની જે એક જળનો ધરે તેના જેવામાં આવ્યો. - તીર ઉપરના વૃક્ષો પરથી પડતા અનેક જાતિના પત્ર પુષ્પ અને ફળેથી વ્યાપ્ત અને દિવસના સૂર્યના કિરણોથી ઉકળેલું તેમાંનું જળ તેણે કવાથની જેમ પીવા માંડ્યું. તેણે જેમ જેમ તૃષાતુરપણે તેમાંનું જળ પીધું, તેમ તેમ કૃમિઓની સાથે તેને રેચ લાગવા માંડશે. તેવી રીતે તે ધરાનું જળ પીતાં કેટલેક દિવસે તે તદ્દન નિરોગી થયે અને વસંતત્રતુમાં વૃક્ષની જેમ તેના સર્વ અંગ પાછા પ્રફુલ્લિત થઈ ગયા. આરોગ્ય થવાથી હર્ષ પામી તે વિઝ પિતાના ઘર તરફ પાછા વળ્યો. “પુરૂષને શરીરની આરોગ્યતા પ્રાપ્ત થતાં જન્મભૂમિ શૃંગારરૂપ થાય છે. કાંચળીથી મુક્ત થયેલા સપરની જેમ દેદિપ્યમાન શરીરવાળા તેને નગરજનોએ વિસ્મય પામીને નગરીમાં પ્રવેશ કરતો જોયો. નગરજને તેને એવા આરોગ્યવાળ જોઈને પૂછતા કે “અરે ! તું જાણે ફરીને જન્મ્યા હોય તેમ આ સાજે શી રીતે થયો?” ત્યારે તે કહેતો કે, “દેવતાના આરાધનથી થયો. અનુક્રમે તે પિતાને ઘેર ગયો. ત્યાં તેણે પિતાના બધા પુત્રોને કુષ્ટી થયેલ જોયા. એટલે હર્ષ પામીને બેલ્યો, કે “તમને મારી અવજ્ઞાનું ફળ કેવું સારું મળ્યું છે?' તે સાંભળી પુત્રો બોલ્યા- “અરે નિદય પિતા! તમે ઢષીની જેમ અમારા જેવા વિશ્વાસી ઉપર આ શું કર્યું?” આ વાત સાંભળી લોકો પણ તેના પર બહુ અકેશ કરવા લાગ્યા. તેથી તે ત્યાંથી નાશીને હે રાજન ! તારા નગરમાં આવી નિરાશ્રયપણે આજીવિકાને માટે ભમતાં તારા દ્વારપાળને આશ્રયે આવીને રહ્યો. તેવામાં અમારૂં અહીં આવવું થયું એટલે દ્વારપાળ પિતાના કામ ઉપર તે બ્રાહ્મણને જોડી દઈને અમારી ધર્મદેશના સાંભળવા આવ્યા. પેલો વિપ્ર દરવાજા પાસે બેઠો. ત્યાં દુર્ગાદેવીની આગળ, Page #185 -------------------------------------------------------------------------- ________________ સગ ૯ મે ] હાલિકા પ્રસન્ન' વિગેરેનાં ચરિત્ર [ ૧૦૧ ખલિદાન મૂકવામાં આવેલું તે જોઈ અત્યંત ક્ષુધાથી કષ્ટ પામતાં તેણે જાણે જન્મમાં પણ દીઠું' ન હેાય તેમ પુષ્કળ ખાધું. પછી કંઠ સુધી અન્નને ભરવાના દોષથી તેમજ ગ્રીષ્મૠતુની ગરમીથી તેને ઘણી તૃષા લાગી, તેથી મરૂભૂમિના પાંથની જેમ તે આકુળવ્યાકુળ થઈ ગયા પણ પેલા દ્વારપાળના ભયથી તે દ્વારનું સ્થાન છેાડી કાંઈ પણ પરમ વિગેરમાં પાણી પીવા માટે જઈ શકયો નહી. તે વખતે તે જળચર જીવાને ખરેખરા ધન્ય માનવા લાગ્યા. છેવટે પાણી પાણી પાકારતો તે બ્રાહ્મણુ તૃષાત પણે મૃત્યુ પામી આ નગરના દ્વાર પાસેની વાવમાં દેડકા થયા. અમે વિહાર કરતાં કરતાં પાછા ફરીને આ નગરે આવ્યા, એટલે લોકે! સભ્રમથી અમને વાંદવાને માટે આવવા લાગ્યા. તે વખતે પેલી વાપિકામાંથી જળ ભરતી સ્ત્રીઓના મુખથી અમારા આગમનને વૃત્તાંત સાંભળી તે વાપિકામાં રહેલો પેલો દેડકા વિચારવા લાગ્યા કે, મેં આવું પૂર્વ સાંભળ્યુ. છે.' વારવાર તેના ઉહાપાહ કરતાં સ્વપ્નના સ્મરણની જેમ તેને તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલે તે દુર ચિંતવ્યું કે, “ પૂર્વે દ્વાર ઉપર મને રાખીને દ્વારપાળ જેને વાંદવાને ગયેા હતો, તે ભગવંત જરૂર અહિં આવ્યા હશે. તેમને વાંદવાને જેમ આ લેાકેા જાય છે તેમ હું. પશુ જાઉં, કેમકે ગંગા નદી સ॰ને સરખી છે, આવું ધારી તે દુર અમને વાંઢવાને વાપિકાની બહાર ઠેકીને નીકળ્યા. ત્યાંથી અહિં આવતાં મા’માં તારા ઘેાડાની ખરીથી ચગદાઈ ને મૃત્યુ પામી ગયા; પરંતુ અમારી તરફના ભક્તિભાવ સાથે મૃત્યુ પામવાથી તે રાંક નામે દેવતા થયે. t અનુષ્ટાન વિના પણ ભાવના ફળે છે. ’ કાઈના બાપની નથી. "" " * આજેજ ઇંદ્રે સભામાં કહ્યું કે, શ્રેણિક જેવા શ્રદ્ધાળુ કોઈ શ્રાવક નથી.' તે વચન ઉપર શ્રદ્ધા ન આવવાથી દદુ રાંક દેવ તમારી પરીક્ષા લેવાને માટે અહિં આવ્યેા હતો. તેણે એશીષ ચંદનવડે મારા ચરણને ચિર્યંત કર્યા હતા, પણ તમારી દૃષ્ટિના માહથી તમને અધુ ફેરફાર જોવામાં આવ્યું હતું. શ્રેણિકે પૂછ્યુ... કે‘હે નાથ ! આપે છીંક ખાધી તે વખતે તે અમાંગળિક ખેલ્યા, અને ખીજાની છી‘કૈા વખતે માંગળિક ખેલ્યો, તેનુ શું કારણ ?’ પ્રભુ ઓલ્યા કે,–“ તમે હજુ સુધી આ સંસારમાં કેમ રહ્યા છે, શીઘ્ર માક્ષે જાઓ, એવું ધારી તેણે મને કહ્યું કે, મૃત્યુ પામેા.' હું નરકેશરી રાજા! તને કહ્યું કે ‘ જીવા ’ તેના આશય એવા છે કે, તને જીવતાંજ સુખ છે, કારણ કે મૃત્યુ પછી તારી ગતિ નરકમાં થવાની છે. અને અભયકુમારને કહ્યું કે, ‘જીવા કે, મા' એથી કે, જો તે જીવતો હશે તો ધર્માં કરશે અને મૃત્યુ પછી અનુત્તર વિમાનમાં જશે. અને કાળસૌરિકને કહ્યું કે, ‘તું જીવ નહીં અને મર પણ નહીં.' કારણ કે તે જો જીવે તો પાપકમ કરશે અને મરે તો સાતમી નરકે જશે, તેથી એમ કહ્યું હતું.” આ પ્રમાણેના ખુલાસા સાંભળી શ્રેણિકે ભગવતને નમીને કહ્યું કે, હે પ્રભુ! તમારા જેવા જગત્પતિ મારા સ્વામી છતાં મારી ગતિ નરકમાં કેમ થાય ?” પ્રભુ માલ્યા, કે રાજન્! તે પૂર્વે નરકનું આયુષ્ય બાંધેલુ' છે, તેથી તું અવશ્ય નરકમાં જઈશ. કેમકે પૂર્વ શુભ કે અશુભ જેવાં કમ ખાંધ્યાં ડાય તેવુ ફળ અવશ્ય ભાગ ' Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨] શ્રી વિશ્વષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર tપર્વ ૧૦ મું વવું પડે છે. અમે પણ તેને અન્યથા કરવાને સમર્થ નથી. તથાપિ ભાવી ચોવીશીમાં તું પવનાભ નામે પ્રથમ તીર્થંકર થઈશ. તેથી હે રાજન ! તું જરા પણ વૃથા ખેદ કરીશ નહીં.” શ્રેણિક બોલ્યા કે- હે નાથ ! કોઈ એવો ઉપાય છે કે જેથી અંધકૃપમાંથી આંધળાની જેમ નરકમાંથી મારી રક્ષા થાય ?' પ્રભુ બોલ્યા- હે રાજન! કપિલા બ્રાહ્મણી પાસે જે સાધુઓને હર્ષથી ભિક્ષા અપાવ અને જે કાળસૌકરિકની પાસે કસાઈનું કામ મૂકાવ, તે નરકથી તારો મોક્ષ થાય; તે સિવાય થાય તેમ નથી. આ પ્રમાણે હારની જેમ પ્રભુને ઉપદેશ હૃદયમાં ધારણ કરી શ્રેણિકરાજા પ્રભુને નમીને પોતાના સ્થાન તરફ ચાલે. આ સમયે પેલા દરાંક દેવે શ્રેણિક રાજાની પરીક્ષા કરવા સારૂ ઢીમરની જેમ અકાર્ય કરતા એક સાધુને બતાવ્યા. તે જોઈ જેના પ્રવચનની મલિનતા ન થાઓ એવું ધારી તે સાધુને તેવા અકાર્યથી નિવારીને તે સ્વગૃહ તરફ ચાલે. આગળ ચાલતાં એક સાધ્વીને સગર્ભા બતાવી. શાસનભક્ત રાજાએ તેણીને પિતાના ઘરમાં ગુપ્ત રાખી. શ્રેણિકનું આવું શ્રદ્ધાયુક્ત કાર્ય જોઈ તે રાંક દેવ પ્રસન્ન થયો અને પ્રત્યક્ષ થઈને બે કે, “હે રાજન! સાબાશ છે, પોતાના સ્થાનથી પર્વતની જેમ તમને સમતિથી ચલિત કરી શકાય તેમ નથી. હે નરવર! છેકે પિતાની સભામાં જેવી તમારી પ્રશંસા કરી હતી, તેવાજ તમે જોવામાં આવ્યા . તેવા પુરૂષ મિથ્યાવચન બોલતા નથી.” આ પ્રમાણે કહીને તેણે દિવસે નક્ષત્રોની શ્રેણી રચી હોય તે એક સુંદર હાર તથા બે ગેળા શ્રેણિક રાજાને આપ્યા, અને કહ્યું કે “જે આ તુટી ગયેલા હારને સાંધી આપશે, તે મૃત્યુ પામી જશે. આ પ્રમાણે કહી તે દેવ સ્વપ્નદષ્ટની જેમ તત્કાળ અંતરધ્યાન થઈ ગયે.” શ્રેણિકે હર્ષથી તે દિવ્ય મનહર હાર ચેલણને આપ્યો અને બે ગોળા નંદાદેવીને આપ્યા. તે જોઈ “હું આવા તુરછ દાનને યોગ્ય થઈ” એવી ઈર્ષાવડે મનસ્વી નંદાએ તે બે ગળા સ્થંભ સાથે અફળાવીને ફાડી નાખ્યા; એટલે એક ગોળામાંથી ચંદ્રની જેવા નિર્મળ બે કુંડળ અને બીજામાંથી દેદીપ્યમાન બે રેશમી વસ્ત્રો નીકળ્યા. નંદાએ તે દિવ્ય વસ્તુઓ આનંદથી ગ્રહણ કરી. “મહાન જનેને વાદળાં વગર વૃષ્ટિની જેમ અચિંતિત લાભ થઈ આવે છે.” પછી રાજાએ પેલી કપિલા બ્રાહ્મણીને બોલાવીને તેની પાસે માગની કરી કે, “હે ભદ્ર! તું સાધુઓને શ્રદ્ધાથી ભિક્ષા આપ. હું તને ધનના રાશિ આપીને ન્યાલ કરી દઈશ.” કપિલા બેલી કે, “કદિ મને બધી સુવર્ણમય કરે અથવા મને મારી નાખે, તો પણ હું એ અકૃત્ય કદિ નહીં જ કરૂં.' પછી રાજાએ કાળસૌકારિકને બોલાવીને કહ્યું કે, “જે તું આ કસાઈપણું છેડી દે તો હું તને ઘણું દ્રવ્ય આપું, કેમકે તું પણ ધનના લાભથી કસાઈ થયો છું.” કાભસીરિક બોલ્યો કે- આ કસાઈના કામમાં શે દેશ છે? જેનાથી અનેક મનુષ્ય જીવે છે તેવા કસાઈના ધંધાને હું કદિ પણ છોડીશ નહીં.' પછી “તું કસાઈને વ્યાપાર શી રીતે કરીશ” એમ કહી રાજાએ તેને અંધકૃપમાં એક રાત્રિદિવસ પૂરી રાખે. પછી રાજા શ્રેણિકે ભગવંતની આગળ જઈને કહ્યું કે, “હે સવામી! મેં કાળસોકરિકને એક અહોરાત્ર સુધી Page #187 -------------------------------------------------------------------------- ________________ સ ૯ મા] હાલિકા પ્રસન્નચંદ્ર વિગેરેના ચરિત્ર [ ૧૭૩ કસાઇનુ કામ છેડાવ્યુ છે.' સજ્ઞ પ્રભુ મેલ્યા કે, ‘હે રાજન! તેણે અધકૃપમાં પણ મૃત્તિકાના પાંચસેા પાડા બનાવીને હણ્યા છે.' તત્કાળ શ્રેણિકે જઈને જોયું તો તે પ્રમાણે જોવામાં આવ્યું, એટલે તેને બહુ ઉદ્વેગ થયા કે, મારા પૂર્વ કમને ધિક્કાર છે, તેવા દુષ્કર્મના યાગથી ભગવતની વાણી અન્યથા થશે નહી.' * સુરાસુરાએ સેવાતા શ્રી વીરપ્રભુ ત્યાંથી વિહાર કરીને પરિવાર સાથે પૃષ્ટ પાનગરીએ પધાર્યા. ત્યાં સાલ નામે રાજા અને મહાસાલ નામે યુવરાજ તે મને બંધુ, ત્રિજગના બધુ શ્રી વીરપ્રભુને વાંઢવાને આવ્યા. પ્રભુની દેશના સાંભળીને તે બંને પ્રતિબાધ પામ્યા, એટલે યશામતી અને પિઠરને ગાગલી નામે પુત્ર કે જે તેમના ભાણેજ થતો હતો, તેનો રાજ્ય ઉપર અભિષેક કર્યાં; અને તે બંનેએ સ`સારવાસથી વિરક્ત . થઈ ને શ્રી વીરપ્રભુના ચરણકમળમાં જઈ દીક્ષા લીધી. ભગવંત શ્રી વીરપ્રભુ કાળાંતરે વિહાર કરતાં કરતાં પરિવાર સાથે ચેાત્રીશ અતિશય સહિત ચ‘પાપુરીએ :પધાર્યા. પ્રભુની આજ્ઞા લઈ ને ગૌતમસ્વામી સાલ અને મહાસાલ સાધુની સાથે પૃષ્ટચ'પાનગરીએ ગયા. ત્યાં ગાગલી રાજાએ ભક્તિથી ગૌતમ ગણધરને વંદના કરી, તેમજ તેના માતાપિતા અને બીજા મત્રી વિગેરે પૌરજનોએ પણ તેમને વંદના કરી. પછી દેવતાએ રચેલા સુવર્ણના કમળ ઉપર બેસીને ચતુર્રાની ઇંદ્રભૂતિએ ધ દેશના આપી. તે સાંભળી ગાગલી પ્રતિબેાધ પામ્યા; એટલે પાતાના પુત્રને રાજ્ય ઉપર બેસારી પાતાના માતાપિતા સહિત તેણે ગૌતમસ્વામીની પાસે દીક્ષા લીધી. તે મુનિએથી અને સાલ મહાસાલથી પરિવૃત્ત થયેલા ગૌતમસ્વામી ચંપાનગરીમાં પ્રભુને વાંદવા ચાલ્યા. ગૌતમસ્વામીની પાછળ ચાલ્યા આવતાં માર્ગોમાં શુભ ભાવનાથી તે પાંચેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સવ ચંપાપુરીમાં આવ્યા. તેઓએ પ્રભુને પ્રદક્ષિણા કરી, અને ગૌતમસ્વામીને પ્રણામ કર્યા. પછી તીને નમીને તે પાંચે કેળળીની પદામાં ચાલ્યા, ગૌતમે કહ્યું કે પ્રભુને વંદના કરી, ’ પ્રભુ ખેલ્યા કે ગૌતમ! કેવળીની આશાતના કરેા નહી, ' તત્કાળ ગૌતમે મિથ્યાદુષ્કૃત આપી તેમને ખમાવ્યા. પછી ગૌતમ ખેદ પામીને ચિતવવા લાગ્યા કે, શું મને કેવળજ્ઞાન ઉત્પન્ન નહિ થાય? શુ હું આ ભવમાં સિદ્ધ નહીં થાઉ... ? ' આવેા વિચાર કરે છે તેવામાં ‘ જે અષ્ટાપદ ઉપર પેાતાની લબ્ધિવડે જઈ ત્યાં રહેલા જિનેશ્વરને નમી એક રાત્રિ ત્યાં રહે, તે તેજ ભવમાં સિદ્ધિને પામે.’ આ પ્રમાણે અરિહંત ભગવતે દેશનામાં કહ્યું છે, એમ પેાતાને દેવતાઓએ કહેલું તે સભારી, દેવવાણીની પ્રતીતિ આવવાથી તત્કાળ ગૌતમસ્વામીએ અષ્ટાપદ ઉપર રહેલા જિનબિંબાના દર્શન માટે ત્યાં જવાની ઈચ્છા કરી. ત્યાં ભવિષ્યમાં તાપસાને પ્રતિબધ થવાના જાણી પ્રભુએ ગૌતમને અષ્ટાપદ તીથૅ તીથ કરાને વાંઢવા જવાની આજ્ઞા આપી. પેાતાની ઈચ્છા પ્રમાણે પ્રભુની આજ્ઞા મળવાથી ગૌતમ હર્ષ પામ્યા અને ચારણલબ્ધિથી વાયુ જેવા વેગવર્ડ ક્ષણમાં અષ્ટાપદ સમીપે આવી પહેાંચ્યા. એ અરસામાં, કૌડિન્ય, દત્ત અને સેવાલ વિગેરે પદરસા તપસ્વીએ અષ્ટાપદને મેાક્ષના હેતુ સાંભળી તે Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું ગિરિ ઉપર ચડવા આવ્યા હતા. તેમાં પાંચસે તપસ્વીઓ ચતુર્થ તપ કરી આ કંદાદિનું પારણું કરતાં છતા અષ્ટાપદની પહેલી મેખલા સુધી આવ્યા હતા. બીજા પાંચસો તાપસો છઠ્ઠ તપ કરી સુકા કંદાદિનું પારણું કરતા છતા બીજી મેખલા સુધી આવ્યા હતા, ત્રીજા પાંચસે તાપસૌ અઠ્ઠમ તપ કરી સુકી સેવાલનું પારણું કરતા છતા ત્રીજી મેખલા સુધી આવ્યા હતા. ત્યાંથી ઉંચે ચડવાને અશક્ત થવાથી તે ત્રણે સમૂહ પહેલી, બીજી ને ત્રીજી મેખળાએ અટકી રહ્યા હતા. તેવામાં સુવર્ણ જેવી કાંતિવાળા અને પુષ્ટ આકૃતિવાળા ગૌતમને તેમણે ત્યાં આવતા દીઠા. તેમને જોઈ તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે, “આપણે શરીરે કૃશ થઈ ગયા છીએ, તથાપિ અહિંથી આગળ ચડી શકતા નથી, તો આ સ્થલ શરીરવાળા મુનિ કેમ ચડી શકશે?' આ પ્રમાણે તેઓ વાતચિત કરે છે, તેવામાં તો ગૌતમ તે મહાગિરિપર ચડી ગયા અને ક્ષણમાં દેવની જેમ તેમનાથી અદશ્ય પણ થઈ ગયા. પછી તેઓ પરસ્પર બોલ્યા કે, “આ મહર્ષિની પાસે કઈ મહાશક્તિ છે, તેથી જે તે અહિં પાછા આવશે, તે આપણે તેના શિષ્ય થઈશું.’ આ નિશ્ચય કરી તે તાપસે એક ધ્યાને બંધુની જેમ આદરથી તેમના પાછા આવવાની રાહ જોઈને રહ્યા. અહિં ગૌતમસ્વામીએ ભરતેશ્વરે કરાવેલા નંદીશ્વર દ્વીપના ચૈત્ય જેવા ચૈત્યમાં પ્રવેશ કર્યો, અને તેમાં રહેલા ચોવીશ તીર્થંકરના અનુપમ બિંબને તેણે ભક્તિથી વંદના કરી. પછી ચૈત્યમાંથી નીકળીને ગૌતમ ગણધર એક મોટા અશોકવૃક્ષ નીચે બેઠા. ત્યાં અનેક સુર અસુર અને વિદ્યાધરાએ તેમને વંદના કરી. ગૌતમે તેમને યોગ્યતા પ્રમાણે ધર્મદેશના આપી અને તેમણે પૂછેલા સંદેહ તર્કશક્તિ વડે કેવળીની જેમ દૂર કર્યા. દેશના આપતાં પ્રસંગે પાત તેમણે જણાવ્યું કે, “સાધુઓ શરીરે શિથિલ થઈ ગયા હોય છે, અને તેઓ ગ્લાનિ પામી જવાથી માત્ર જીવસત્તાવડે ધ્રૂજતા ધૃજતા ચાલે એવા થઈ જાય છે.” ગૌતમસ્વામીનાં આવાં વચન સાંભળી વૈશ્રવણ (કુબેક) તેમના શરીરની સ્થલતા જોઈ તે વચન તેમનામાં જ અઘટિતા જાણી જરા હ. તે વખતે મન:પર્યાવજ્ઞાની ઈંદ્રભૂતિ તેના મનને ભાવ જાણી બોલ્યા કે મુનિપણામાં કાંઈ શરીરની કૃશતાનું પ્રમાણ નથી. પણ શુભ ધ્યાનવડે આત્માને નિગ્રહ કરો તે પ્રમાણ છે. તે ઉપર એક કથા છે તે આ પ્રમાણે – આ જંબુદ્વિીપમાં મહાવિદેહક્ષેત્રના આભૂષણરૂપ પુષ્કલાવતી નામના વિજયમાં પુંડરીકિણી નામે નગરી છે. ત્યાં મહાપદ્ધ નામે રાજા હતો, તેને પદ્માવતી નામે પ્રિયા હતી. તેને પુંડરીક અને કંડરીક નામે બે પુત્રો તેને થયા હતા. એક વખતે નલિનીન નામના ઉદ્યાનમાં કઈ સાધુઓ પધાર્યા. તેમની પાસે મહાપા રાજાએ ધર્મ સાંભળો, તેથી પ્રતિબોધ પામી પુંડરીકને રાજ્ય ઉપર બેસારી મહાપદ્ધરાજાએ વ્રત ગ્રહણ કર્યું. અનુક્રમે કેવળજ્ઞાન પામીને તે મોક્ષે ગયા. એક વખતે ફરીને કેટલાક મુનિએ પુંડરીકિણી નગરીએ આવ્યા, એટલે પુંડરીક અને કંડરીક તેમની પાસે ધર્મ સાંભળવા ગયા. તેમાં પુંડરીક ભાવયતિ થઈને ઘેર આવ્યો અને મંત્રીઓની સમક્ષ કંડરીકને બોલાવીને આ પ્રમાણે કહાં કે, “વત્સ! તું આ પિતાના રાજ્યને ગ્રહણ કર, હું Page #189 -------------------------------------------------------------------------- ________________ સગ ૯ ] હાલિકા પ્રસન્નચંદ્ર વિગેરેનાં ચરિત્ર. [ ૧૭૫ સંસારથી ભય પામ્યું છે, તેથી ભયમાંથી રક્ષણ કરનારી દીક્ષા હું ગ્રહણ કરીશ.' કંડરીક બે કે, “બંધુ! શું તું મને સંસારમાં પાડે છે માટે હું દીક્ષા લઈશ અને આ ભવસાગરને તરી જઈશ.” પુંડરીકે બે ત્રણવાર તેને રાજ્ય લેવા કહ્યું, પણ જ્યારે તેણે ન માન્યું, ત્યારે પુંડરીકે તેને કહ્યું કે, “હે બંધુ! ઇંદ્રિયે બહુજ દુર્ભય છે, મન સદા ચંચળ છે, તારૂણ્ય વય વિકારનું ધામ છે અને પ્રાણીને પ્રમાદ તે સ્વાભાવિક છે, વળી પરિસહ તથા ઉપસર્ગો સહન કરવા દુસહ છે, તેથી તારે દઢ પ્રતિજ્ઞાવાળા થવું પડશે, કેમકે દીક્ષા પાળવી ઘણું દુષ્કર છે. તેથી હમણું શ્રાવકધર્મ પાળી રાજ્ય કર અને યૌવન વય ગયા પછી દીક્ષા લેજે. એમ કરવું બધી રીતે યોગ્ય છે,” કંડરીક બે કે-“ભાઈ! તે સત્ય છે, પણ હું જે છે તે મારે પાળવું જ જોઈએ, માટે હું તો જરૂર દીક્ષા લઈશ.” આ પ્રમાણે કહીને કંડરીકે દીક્ષા લીધી, અને પુંડરીકને મંત્રીઓએ વ્રત લેવાને નિવાર્યો એટલે તે ભાવયતિ થઈ ઘેર રહ્યો. કંડરીક મુનિ વિવિધ પ્રકારના તપથી શરીરને કલેશ પમાડતા તેમજ સમાચારીને બરાબર પાળતા છતા સાધુઓને પ્રિય થઈ પડયા. એક વખતે વસંત સમય આવતાં ચારિત્રાવરણીય કર્મના ઉદયથી મહર્ષિ કંડરીકનું મન ચલિત થયું. તેણે ચિંતવ્યું કે, “મારે હવે આ દીક્ષાથી સયું, મારો ભાઈ જે પ્રથમ મને રાજ્ય આપતો હતો, તે હું ગ્રહણ કરીશ.” આવું વિચારી ભગ્નચિત્તે તત્કાળ તે પુંડરીકિશું નગરીએ આવ્યું અને તેના ઉદ્યાનમાં એક વૃક્ષ નીચે લીલા પત્ર વિગેરેના શીતળ સંથારા ઉપર આળોટવા લાગ્યો. પિતાની ઉપધિ ઝાડ સાથે લટકાવી દીધી. ઉઘાનપાળકની મારફત તેણે પિતાના આવવાના ખબર રાજાને આપ્યા, એટલે રાજા પ્રધાન સહિત ત્યાં આવ્યો અને તેમને વંદના કરી. પછી વૃક્ષ ઉપર ઉપકરણે લટકાવી લીલેતરીને સંથારે કરીને પડેલો તેને જોઈને “એ મુનિપણથી નિર્વેદ પામ્યા હશે” એવું વિચારી પુંડરીક રાજા પિતાના મંત્રીઓ પ્રત્યે બોલ્યો કે-“અરે ભાઈ! તમને યાદ છે કે, જ્યારે આણે બાલ્યાણને લીધે સાહસથી વ્રત ગ્રહણ કર્યું, ત્યારે મેં તેને વાર્યો હતો. આ પ્રમાણે કહી પુંડરીકે તેણે ઇરછેલા રાજ્ય ઉપર તેને બેસાયે, રાજ્યચિન્હ અર્પણ કર્યા, અને પિતે તેની પાસેનું યતિલિંગ શહણ કરી શુદ્ધ બુદ્ધિએ દીક્ષા લઈને ત્યાંથી વિહાર કર્યો. અહિં “આણે અન્ને માટે રાંકની જેમ વ્રત ભક્સ કર્યું એમ કહી કહીને સેવક લોકો કંડરીકનું ઉપહાસ્ય કરવા લાગ્યા, તેથી તે હૃદયમાં ઘણે કોપાયમાન થયો. પરંતુ તેણે ચિંતવ્યું કે, “પ્રથમ હું સારું સારું ભોજન કરું, પછી આ ઉપહાસ્ય કરનારાઓને વધુ વિગેરે શિક્ષા કરીશ.” આવું ચિંતવી તે રાજમહેલમાં ગયે. પછી પ્રાતઃકાળે યુવાન પારેવું ખાય તેમ તેણે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ-એમ ત્રણે પ્રકારને આહાર કંઠ સુધી ખાધું, અને રાત્રે વિષયભેગને માટે જાગરણ કર્યું. તે રાત્રી જાગરણથી અને અતિ આહારના દુરપણાથી તેને વિસૂચિકા થઈ તેથી મેટી અરતિ ઉત્પન્ન થઈ પવનથી પૂરાયલી ધમણની જેમ તેનું ઉદર પ્રફુલ્લિત થયું, પવનને રાધ થશે અને માટે તુષાને Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિત્ર [ પ ૧૦ સું " " દાહ થયા. તે વખતે આ પાપી પ્રતિજ્ઞાભ્રષ્ટ થયા' એવું ધારી તેના મંત્રી વિગેરેએ તેની ચિકિત્સા કરી નહીં, તેથી તે અતિ વ્યથાથી ચિતવવા લાગ્યા કે, જો હું આ સત્ર કોઈ પણ પ્રકારે નિમન કરૂ તો પ્રાતઃકાળે આ બધા અધિકારીઓને કુટુંબ સહિત મારી નંખાવું.’ આવી રીતે કૃષ્ણલેશ્યાથી અને મહા રૌદ્રધ્યાનથી તે મૃત્યુ પામીને સાતમી નારકે અપ્રતિષ્ઠાન નરકાવાસમાં ઉત્પન્ન થયા. અહિ' પુડરીક મુનિ ચિતવવા લાગ્યા કે “સારું ભાગ્યે ચિરકાળ થયા ઈચ્છેલા યતિષમ મને પ્રાપ્ત થયા છે, તો હવે તેને ગુરૂની સાક્ષીએ ગ્રહણ કરૂ.” આવું ધારી ગુરૂની પાસે જવા ચાલ્યા. ગુરૂની સમીપે જઈ ત્રત ગ્રહણ કરીને પુંડરીક મુનિએ અઠ્ઠમનુ પારણુ કર્યું; પર ંતુ નિરસ, ટાઢા અને લુખા આહાર લેવાથી તેમજ ગુરૂ પાસે આવવા માટે ઉતાવળા ચાલ્યા આવવાથી, કોમળ ચરણમાંથી નીકળતા રૂધિરથી બહુ પરિશ્રમ પામતાં ગામની અંદર જઈ ઉપાશ્રય માગી અતિ ખેદથી ઘાસના સથારાપર સુતા, દીક્ષા લીધા છતાં ‘હું ગુરૂની પાસે જઈ કયારે દીક્ષા લઉં... ? ' એવુ જ ચિંતવન કરતા છતા તેજ રાત્રિએ આરાધન કરી શુભ ધ્યાનપરાયણપણે પુષ્ટ અંગેજ મૃત્યુ પામી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં ઉત્પન્ન થયા. તેથી હું સભાનેા ! તપસ્વીઓને કૃશપણું હોય કે પુષ્ટપણું હાસ એવું કાંઈ પ્રમાણુ નથી. શુલ ધ્યાનજ પરમ પુરૂષાર્થનુ કારણભૂત છે.’ આ પ્રમાણે ગૌતમસ્વામીએ કહેલુ' પુ'ડરીકનુ' અધ્યયન પાસે બેઠેલા વૈશ્રવણના સામાનિક દેવે એક નિષ્ટાથી શ્રવણુ કર્યુ”. વૈશ્રમણે પણ સમકિત પ્રાપ્ત કર્યું" અને ગૌતમસ્વામીએ પાતાને અભિપ્રાય જાણી લીધો તેથી હર્ષ પામી તે પેાતાના સ્થાન પ્રત્યે ગયા. * આ પ્રમાણે દેશના આપી બાકીની રાત્રિ ત્યાંજ નિગમન કરી ગૌતમસ્વામી પ્રાતઃકાળે તે પર્વત ઉપરથી ઉતરવા લાગ્યા, એટલે રાહ જોઈ રહેલા પેલા તાપસાના જોવામાં આવ્યા. તાપસાએ તેમની પાસે આવી પ્રણામ કરીને કહ્યું કે, હું તપેાનિધિ મહાત્મા ! અમે તમારા શિષ્યા થઈએ અને તમે અમારા ગુરૂ થાઓ.' ગૌતમસ્વામી ખેલ્યા કે– સજ્ઞ પરમેશ્વર મહાવીર પ્રભુ છે તેજ તમારા ગુરૂ થાઓ.' પછી તેઓએ ઘણા આગ્રહ કર્યા, એટલે ગૌતમે ત્યાંજ તેને દીક્ષા આપી. દેવતાએ તરતજ તેને યતિલિંગ આપ્યુ’. પછી વિધ્યગિરિમાં યૂથપતિ સાથે જેમ બીજા હાથીએ ચાલે તેમ તેઓ ગૌતમસ્વામીની સાથે પ્રભુની પાસે જવા ચાલ્યા. માગમાં કોઈ ગામ આવતાં ભિક્ષાનો સમય થયેા એટલે ગૌતમ ગણધરે તાપસ મુનિઓને પૂછ્યું કે ‘તમારે માટે પારણું કરવા શું ઈષ્ટ વસ્તુ લાવું?” તેમણે કહ્યું કે, ‘ પાયસાન્ત લાવો. ’ એટલે ગૌતમસ્વામી લબ્ધિની સપત્તિથી પેાતાના ઉંદરનું પાષણ થાય તેટલી ક્ષીર એક પાત્રમાં લાવ્યા. પછી ઈંદ્રભૂતિ ગૌતમ ખેલ્યા-હે મહિષ એ ! સૌ એસી જાએ અને આ પાયસાન્નથી સર્વે પારણુ કરા.’ એટલે ‘આટલા પાયસાનથી શું થશે ?' એમ સના મનમાં આવ્યુ, તથાપિ ‘આપણા ગુરૂની આજ્ઞા આપણે માનવી જોઇએ? Page #191 -------------------------------------------------------------------------- ________________ મગ ૯ મ ]. હાલિક, પ્રસન્નચંદ્ર વિગેરેનાં ચારિત્ર : [ ૧૭૭ એવું વિચારી બધા એક સાથે બેસી ગયા. પછી ઇંદ્રભૂતિએ અક્ષીણ મહાનસ લબ્ધિવડે તે સર્વને જમાડી દીધા, અને તેમને વિસ્મય પમાડીને પછી પોતે આહાર કરવા બેઠા. જ્યારે તાપસો ભજન કરવા બેઠા હતા ત્યારે “આપણું પૂરા ભાગ્ય યોગથી શ્રી વીરપરમાત્મા જગદગુરૂ આપણને ધર્મગુરૂ તરિકે પ્રાપ્ત થયા છે, તેમજ પિતા જેવા આવા મુનિ બોધ કરનાર મળવા તે પણ બહુજ દુર્લભ છે, માટે આપણે સર્વથા પુણ્યવાન છીએ.” આ પ્રમાણે ભાવતાં શુષ્ક સેવાળભક્ષી પાંચસો તાપસને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દર વિગેરે પાંચસો તાપસોને દૂરથી પ્રભુના પ્રાતિહાર્ય જોતાં ઉજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તેમજ કૌડિન્ય વિગેરે પાંચસોને ભગવંતના દર્શન દૂરથી થતાં કેવળજ્ઞાન થયું. પછી તેઓ શ્રી વીરપ્રભુને પ્રદક્ષિણા કરી કેવળીની સભા તરફ ચાલ્યા, એટલે ગૌતમસ્વામી બોલ્યા કે આ વીરપ્રભુને વંદના કરે.” પ્રભુ બોલ્યા કે-ગૌતમ! કેવળીની આશાતના કરે નહીં. “ગૌતમે તરતજ મિથ્યા દુષ્કત આપી તેમને ખમાવ્યા. તે વખતે ગૌતમે ફરીથી ચિંતવ્યું કે, “જરૂર હું આ ભવમાં સિદ્ધિને પામીશ નહીં, કારણ કે હું ગુરૂકમી છું. આ મહાત્માઓને ધન્ય છે કે, જેઓ મારા દીક્ષિત છતાં જેમને ક્ષણમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આવી ચિંતા કરતા ગૌતમ પ્રતિ શ્રી વિરપ્રભુ બાલ્યા-”હે ગૌતમ! તીર્થકરાનું વચન સત્ય કે દેવતાનું ?' ગૌતમે કહ્યું, “તીર્થકરોનું.' ત્યારે પ્રભુ બોલ્યા “હવે અધર્ય રાખશે નહીં. ગુરૂને સ્નેહ શિષ્યની ઉપર શ્રીદળ ઉપરના તૃણની જેવો હોય છે તે તત્કાળ દૂર થઈ જાય છે, અને ગુરૂ ઉપર શિષ્યને હાય તેમ તમારો નેહ તો ઉનની કડાહ (ચટાઈ) જેવો દઢ છે. ચિરકાળના સંસર્ગથી અમારી ઉપર તમારો નેહ બહુ દૃઢ થયેલો છે, તેથી તમારું કેવળજ્ઞાન રૂંધાયું છે, તે નેહને જ્યારે અભાવ થશે ત્યારે પ્રગટ થશે.” પછી પ્રભુએ ગૌતમને અને બીજાને બંધ કરવાને માટે દ્રુમપત્રીય અધ્યયનની વ્યાખ્યા કરી. ત્યાર પછી પ્રભુના ચરણની ઉપાસના કરનાર અંબડ નામે પરિવ્રાજક છત્રી અને ત્રીદંડ હાથમાં રાખીને ત્યાં આવ્યો. તે ત્રણ પ્રદક્ષિણા કરી પ્રભુને નમ્યો અને ભક્તિથી રોમાંચિત થઈ અંજલિ જેડી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગે“હે નાથ! હું તમારા ચિત્તમાં વતું, એવી તે વાર્તા પણ દુર્લભ છે, પણ જો તમે મારા ચિત્તમાં વર્નો તે પછી મારે બીજા કોઈનું પ્રયોજન નથી. છેતરવામાં તત્પર એવા અન્ય જન મૃદુ બુદ્ધિવાળા પુરૂષોમાં કેઈને કોપથી, કોઈને તૃષ્ટિથી અને કોઈને અનુગ્રહવડે છેતરે છે. તેવાઓ કહે છે કે-જે પ્રસન્ન ન થાય તેની પાસેથી શી રીતે ફળ મેળવી શકાય પરંતુ ચિંતામણિ વિગેરે અચેતન છે, તે પણ શું ફળ નથી આપતા ! હે વીતરાગ ! તમારી સેવા કરવા કરતાં પણ તમારી આજ્ઞા પાળવી તે વિશેષ ઉત્તમ છે, કેમકે તમારી આજ્ઞા આરાધી હોય તે મોક્ષને માટે થાય છે અને વિરાધી હોય તો સંસારને માટે થાય છે. તમારી આજ્ઞા અનાદિ કાળથી હેય અને ઉપાદેય ગોચર છે, એટલે કે આશ્રવ સર્વથા હેય છે અને સંવર સર્વથા ઉપાદેય છે. D - 23 Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પ ૧૦ મુ’ એવી તમારી આજ્ઞા છે. ‘આશ્રવ સંસારના હેતુ છે અને સંવર મેાક્ષના હેતુ છે? આ પ્રમાણે આહુતી મુષ્ટિ છે, અર્થાત્ મૂળ જ્ઞાન એટલુ જ છે, બાકી બીજો બધા તેના વિસ્તાર છે. આ પ્રમાણેની આજ્ઞાના આરાધનમાં તત્પર એવા અનંતા જીવા મેાક્ષ પામ્યા, અનંતા પામે છે અને અનંતા પામશે. ચિત્તની પ્રસન્નતાવડે દીનતાને છેડી દઈને માત્ર તમારી આજ્ઞાનેજ માનનારા પ્રાણીએ સČથા કરૂપ ૫જરમાંથી મુક્ત થાય છે.’’ આ પ્રમાણે જગદ્ગુરૂ શ્રીવીરપ્રભુની સ્તુતિ કરીને તે સંન્યાસી ચેાગ્ય સ્થાને બેસી દેવની જેમ અનિમેષ દૃએિ પ્રભુની દેશના સાંભળવા લાગ્યા. દેશના પૂણુ થયા પછી તે અંખડ સંન્યાસી રાજગૃહ નગર તરફ જવા તૈયાર થયા, એટલે પ્રભુએ તેને કહ્યું કે, ‘તું રાજગૃહમાં જઈને નાગ નામના રથકારની સ્રી સુલસાને અમારી આજ્ઞાથી કામળ વાણીવડે કુશળતા પૂછો.' પ્રભુની આજ્ઞાના સ્વીકાર કરી અંખડ આકાશમાર્ગે ઉડીને તત્કાળ રાજગૃહીમાં આન્યા. પછી સુલસાના ગૃહદ્વાર પાસે આવી ચિતવવા લાગ્યા કે– સુર, અસુર, અને નરેશ્વરાની નજરે પ્રભુએ સુલસાનેા પક્ષપાત કર્યાં, તેનું શું કારણ? માટે હું તેની પરીક્ષા કરૂં.' આ પ્રમાણે વિચારી જેને વૈક્રિયલબ્ધિ પ્રાપ્ત થયેલી છે એવા અબડે રૂપ ફેરવીને તેના ઘરમાં પ્રવેશ કર્યાં, અને ભિક્ષા માગી, સુલસાએ એવા નિયમ કર્યાં હતા કે, 'મારા હાથથી જે સુપાત્ર હાય તેનેજ ભિક્ષા આપવી,' તેથી તેણીએ આ યાચના કરતા તાપસને ભિક્ષા ન આપી. (દાસીને આપવા આજ્ઞા કરી. ) પછી અબડ રાજગૃહી નગરીની બહાર જઈ પૂર્વ તરફને દરવાજે બ્રહ્માનું રૂપ વિષુવીને બેઠા. તેણે પદ્માસન વાળ્યુ, ચાર બાહુ અને ચાર મુખ કર્યાં, બ્રહ્માસ, ત્રણ અક્ષસૂત્ર અને જટા મુગટ ધારણ કર્યાં, સાવિત્રીને સાથે રાખ્યા, અને પાસે હુંસનું વાહન ઉભું રાખ્યું. પછી ધર્મ ઉપદેશ કરીને સાક્ષાત્ બ્રહ્મા આવ્યા છે એમ માનનારા નગરજનાનાં મનને હરી લીધા. આ ખબર સાંભળી સખીજાએ આવીને સુલસાને કહ્યું કે, · આપણા નગરની બહાર સાક્ષાત્ બ્રહ્માં આવ્યા છે, માટે ચાલેા, જોવા જઈએ.' આ પ્રમાણે ઘણી રીતે ખેલાવી તા પશુ મિથ્યાસૃષ્ટિના પરિચયથી ભય પામતી સુલસા ત્યાં ન ગઈ. બીજે દિવસે તે અબડે દક્ષિણ દિશાના દરવાજા બહાર ગરૂડપર બેસી, શંખ ચક્ર ગદા અને ખડ્ગને ધારણ કરી સાક્ષાત્ વિષ્ણુનુ રૂપ ધરીને બેઠા. લેાકેાને વ્યામેાહ કરનારા સાક્ષાત્ વિષ્ણુ પધાર્યાના ખબર સુલસાએ સાંભળ્યા તોપણ સમ્યગ્ દર્શનમાં નિશ્ચળ સુલસા ત્યાં ગઈ નહી.. ત્રીજે દિવસે અંખડ પશ્ચિમ દિશાને દરવાજે શકરનું રૂપ ધરીને બેઠા, તેમાં નીચે વૃષભનું વાહન રાખ્યુ, લલાટે ચંદ્રને ધારણ કર્યાં, પાવતીને સાથે રાખ્યા, ગજચમના વસ્ત્ર પહેર્યો, ત્રણ લેાચન કર્યા, શરીરે ભસ્મના અગરાગ કર્યાં, ભુજામાં ખટ્યાંગ, ત્રિશુલ અને પિનાક રાખ્યા, કપાળેાની રૂડમાળા ગળામાં ધારણ કરી અને ભૂતાના વિવિધ ગણા વિષુઓં. Page #193 -------------------------------------------------------------------------- ________________ સગ ૯ મા] હાલિક, પ્રસન્નચ'દ્ર વિગેરેનાં ચરિત્ર | ૧૭૯ તેને રૂપે ધર્મપદેશ કરીને તેણે નગરજતાના મનને હરી લીધા; પરંતુ તે ખબર સાંભળીને પરમ શ્રાવિકા સુલસા ત્યાં જોવા પણ ગઈ નહી. પછી ચેાથે દિવસે તેણે ઉત્તર દિશામાં ત્રણ ગઢથી શેાલતુ. અને દૈદિપ્યમાન તોરાવાળું દિવ્ય સમવસરણ વિષુછ્યુ, અને તેમાં પાતે જિનેશ્વર થઈને બેઠા. તે સાંભળી નગરજને વિશેષે મેટી સમૃદ્ધિ સહિત ત્યાં આવી ધમ સાંભળવા લાગ્યા. આ ખબર સાંભળીને પશુ સુલસા ત્યાં ગઈ નહીં, એટલે અબડે તેને ચળાવવા માટે કાઈ પુરૂષને તેની પાસે મેકક્લ્યા. તેણે આવીને આ પ્રમાણે કહ્યુ કે, હું સુલસા ! શ્રી વિશ્વસ્વામી જિનેશ્વર નગરની બહાર સમવસર્યાં છે, હે ભદ્રે! તેમને વાંદવા ચાલેા, શા માટે વિલંબ કરેા છે ? ” સુલસા ખેલી કે—“ ચાવીશમા તીથ કર જગદ્ગુરૂ શ્રીવીર પ્રભુ નથી. ’” તે ખેલ્યું કે, “ અરે સુગ્ધ! આ તા પચીશમા તીથ કર છે, માટે તેમને પ્રત્યક્ષ આવીને જુવા. ” સુલસા મેલી કે કદિ પણ પચીશ તીર્થંકર હોય જ નહી, માટે આ તો કાઈ ક્માઠી બુદ્ધિવાળે! મહાપાખ’ડી જણાય છે. તે બિચારા ભેળા લેાકાને ઠંગે છે. ’ તે એક્લ્યા- ભદ્રે! આવુ. એલેા નહીં, આથી જૈનશાસની પ્રભાવના થશે, તેથી તમારે શી હાનિ થવાની છે? માટે ત્યાં ચાલેા. ’ સુલસા ખાલી “આવા ખાટા પ્રપંચથી કાંઈ જૈનશાસનની પ્રભાવના થતી નથી, પણ તેથી તા અપ્રભાવનાજ થાય છે, '' આવી રીતે સુલસાને અચળિત મનવાળી જોઈ અંખડ હૃદયમાં પ્રતીતિ લાવીને ચિંતવવા લાગ્યા કે, જગદ્ગુરૂ શ્રી વીરપ્રભુએ ભરસભામાં આ સતીની સંભાવના કરી તે તિજ છે, મરણુ કે હું માટી માયાએ કરીને પણ તેણીને સમતિથી ચળિત કરી શકો નહિ, ' પછી તે બધા પ્રપંચ સહરી લઈ પોતાને મૂળરૂપે નૈષધિકી ખેલતો સુલસાના ઘરમાં પેઠા. સુલસા ઉભી થઈ ને સામી આવી અને એલી કે, ‘ હે ધમ બંધુ ! જગમ' વીરપ્રભુના ઉત્તમ શ્રાવક! તમને સ્વાગત છે?' આ પ્રમાણે કહીને પછી માતાની જેવી વત્સલ સુલસાએ તેના ચરણુ ધાયા અને પેાતાના ગૃહચૈત્યની વંદના કરાવી, તે ચૈત્યને વંદના કરીને પછી અંખડ શુદ્ધ બુદ્ધિએ એલ્યે કે ભદ્રે! મારા વચનથી તુ શાશ્વત ચૈત્યાને વંદના કર.' પછી પૃથ્વીપર મસ્તક નમાવી તેણીએ જાણે પ્રત્યક્ષ જોતી હાય તેમ મનમાં ભક્તિભાવ લાવીને વૠના કરી. અબડે ફરીવાર કહ્યુ કે ‘આ જગમાં તું એકજ ગુણવતી છે, કે જેના ખખર વીરપ્રભુએ મારા મુખથી પૂછ્યા છે.' તે સાંભળી સુલસાએ હ પામીને પ્રભુને વંદના કરી અને રામાંચિત શરીરે ઉત્તમ વાણીથી પ્રભુની સ્તુતિ કરી. ફરીવાર પરીક્ષા કરવાની ઈચ્છાએ તે ચતુર મેલ્યા કે ' હું ભદ્રે! હમણા બ્રહ્માદિક દેવા મા નગરની બહાર પ્રગટ થયા હતા અને ધર્મના વ્યાખ્યાના કરતા હતા; નગરજના તેમને વાંઢવા ગયા હતા અને તેની પાસે ધમ સાંભળ્યા હતા, પણ તમે કૌતુથી પણ ત્યાં કેમ ગયા નહતા ?” સુલસા મેલી, “ હૈ મહાશય ! તમે જાણેાછે, તે છતાં અજ્ઞાનીની જેમ કેમ પૂછેછે ?' તે બિચારા બ્રહ્માદિક તે કાણુ માત્ર છે? હિ...સા કરવાને શસ્ત્ર રાખનારા અને ભાગ કરવાને સ્ત્રીને પાસે રાખનારા પાતેજ અધમ માં તત્પર હાવાથી તેઓ ધર્મના વ્યાખ્યાના " Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧૦ મું] શું આપશે? જગતમાં અદ્વિતીય આપ્ત પુરૂષ શ્રી મહાવીર ભગવંતને જોયા પછી અને તેમના ધર્મ અંગીકાર કર્યા પછી જે તેવા દેવને જુએ છે તે ખરેખરા પિતાના સ્વાર્થના ઘાતક છે.” સુલસાનાં આવાં વચન સાંભળી ચિત્તમાં હર્ષ પામતે અને સુલસા પ્રત્યે “સાધુ સાધુ” (સાબાશ-સાબાશ) શબ્દ કહેતે અંબઇ પિતાને સ્થાનકે ગયો અને એ મહા સતી સુલસા અનિંદિત આહાધમને સર્વદા હૃદયમાં વહન કરવા લાગી. इत्याचार्य श्री हेमचंद्रसूरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये दशम पर्वणि हालिक-प्रसन्नचंद्र-दर्दुरांक देव-श्रेणिक भावितीर्थकरत्वशालमहाशाल-गौतमाष्टापदारोहण-अम्बड सुलसा चरित વન નામ નવમ: સઃ | ૨ || જ સગે ૧૦ મે હવે દશાર્ણભદ્ર અને ધનાશાળિભદ્રનું ચરિત્ર. સુર અસુરોથી પરવારેલા શ્રી વિરપ્રભુ ચંપાનગરીથી વિહાર કરી અનુક્રમે દશાણું દેશમાં આવ્યા. તે દેશમાં દશાર્ણ નામે નગર છે અને ત્યાં દશાર્ણભદ્ર નામે રાજા રાજ્ય કરે છે. એક વખતે તે રાજા સાયંકાળે પિતાની સભામાં બેઠા હતા, તેવામાં ચાર પુરૂએ આવીને કહ્યું કે, “પ્રાતઃકાળે આ તમારા નગરની બહાર શ્રી વિરપ્રભુ સમવસરશે. સેવકેની આવી વાણી સાંભળીને મેઘની ગજેનાથી જેમ વિગિરિમાં રત્નના અંકુર પ્રગટે તેમ રાજાના શરીરમાંથી અતિ હર્ષવડે રોમાંચ કંચુક ઉત્પન્ન થયા. તત્કાળ તેણે સભા સમક્ષ કહ્યું કે, “પ્રાતઃકાળે હું એવી સમૃદ્ધિથી પ્રભુને વંદના કરીશ કે જેવી સમૃદ્ધિથી પૂર્વે કઈ એ પણ તેમને વાંધો નહીં હોય.” આ પ્રમાણે મંત્રી વિગેરેને કહી તે પિતાના અંતાપુરમાં ગયે, અને “હું પ્રાતઃકાળે પ્રભુને આમ વાંદીશ અને આ પ્રમાણે સ્તુતિ કરીશ.” એવી ચિંતા કરતાં તેણે તે રાત્રિ માંડમાંડ નિર્ગમન કરી. હજુ સૂર્યોદય થયો નહોતે ત્યાં તે એ રાજસૂર્ય દાણુરાજાએ નગરના અધ્યક્ષ વિગેરેને બોલાવી આજ્ઞા કરી કે-“મારા મહેલથી પ્રભુના સમવસરણ સુધી મોટી સમૃદ્ધિથી મારે જવા લાયક માગને શણગારે.' અહિં વીરપ્રભુ નગરની બહાર પધાર્યા અને દેવતાઓએ સમવસરણ થયું. અરે નગરાધ્યક્ષ વિગેરેએ ક્ષણવારમાં રાજાની આજ્ઞા પ્રમાણે કરી દીધું. “દેવતાઓને જેમ માનવ Page #195 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૦ મા] દશા ભદ્ર અને ધનાશાળિભદ્રનું ચરિત્ર [ ૧૮૧ કાર્યસિદ્ધિ થાય છે, તેમ રાજાઓને વચનવર્ડ થાય છે.” રાજમાગની રજતે કુંકુમજળના છંટકાવવડે શાંત કરી, માગની ભૂમિ ઉપર સર્વત્ર પુષ્પા પાથરી દીધા, સ્થાને સ્થાને સુવર્ણના સ્તંભ સહિત તારણા બાંધી દીધા. સુવણુના પાત્રાની શ્રેણિથી શૈાભિત એવા માંચા ગાઠવી દીધા, ભાતભાતના ચિત્રવાળા ચિનાઈ વસ્ત્રોથી સુશૈાભિત, રત્નમય દ્રુપ©ાથી આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી અને સુગંધથી ભરપૂર એવી માળાએ માગની ચાતરફ સુંદરસ્ત લા સાથે લટકાવી દીધી. 'ચા દડવાળા અને મેાતીના ઉલેચવાળા મડયેા કે જેઓ મેઘાડંબરની શેાભાને ધરતા હતા, તેમનાથી બધે એક છાયા કરી દીધી. સ્થાને સ્થાને મૂકેલી અગ્નિ સહિત ધૂપઘટીએ અંદર અગરૂ કપૂરના ધૂમ્રથી મડપને અંકુરિત કરે તેવું કરી દીધું. આવી રીતે જાણે સ્વગ ના એક ખંડ હાય તેવા માર્ગને સુશોભિત કરીને મત્રીઓએ પ્રભુના દર્શનને ઉત્સાહ ધરી રહેલ રાજાને સવે હકીકત નિવેદન કરી. પછી રાજા સ્નાન કરી દિવ્ય અંગરાગ અને સવ અંગે આભૂષણા તથા શુદ્ધ વસ્રો ધરી પુષ્પની માળા પહેરી ઉત્તમ ગજેંદ્ર ઉપર આરૂઢ થયા. મસ્તકપર શ્વેત છત્ર અને અંને બાજુ એ ચામરથી વિરાજમાન મહારાજા ઇંદ્રના જેવા થઈને ચાલ્યા. મહામૂલ્યવાળા આભૂષણાને ધારણ કરનારા હજારા સામતા જાણે પોતાના વૈક્રિય સ્વરૂપ હાય તેવા તેની પછવાડે ચાલ્યા. ત્યાર પછી ચળિત ચામરાથી વિરાજિત અને ઇંદ્રાણીના રૂપને પણ પરાભવ કરતી અંતઃપુરની મૃગાક્ષીએ તેની પછવાડે ચાલી, માર્ગમાં અદિજના રાજાની સ્તુતિ કરતા હતા, ગાયકેા ગીત ગાતા હતા અને માને શણગારનારાઓ પાતાનું કૌશલ્ય બતાવતા હતા. એવી રીતે બીજા રાજાઓના ઘાટા છત્રોથી જેના મામાં નવીન મંડપ થઈ રહેલા છે એવા દશાણુ રાજા અનુક્રમે પ્રભુના સમવસરણમાં આયે. તેણે ત્રણ પ્રદક્ષિણા દઈને પ્રભુને વંદના કરી. પછી સમૃદ્ધિથી ગતિ થઈ પેાતાને ચેાગ્ય એવા સ્થાન ઉપર બેઠા. એ વખતે દશાણુ પતિને સમૃદ્ધિના ગવ થયેલા જાણી તને પ્રતિધ કરવાને માટે ઈંદ્રે એક જળમય વિમાન વિપુછ્યુ. તેમાં સ્ફાટિક મણિ જેવા નિળ જળના પ્રાંતભાગે સુંદર ક્રમળે! વિકસ્વર થયેલા હતા, હંસ તથા સારસ પક્ષીઓના મધુર શબ્દના પ્રતિનાદ થઈ રહ્યા હતા, દેવવૃક્ષા અને દેવલતાઓની શ્રેણિમાંથી ખરી પડતા પુષ્પાથી તે શાલિત હતુ', નીલકમલાની શાભાથી તે ઇંદ્રનીલ મણઅય હાય તેવું લાગતું હતુ, મરકત મણિમય નલીનીમાં સુવર્ણ મય વિકસ્વર કમળાના' પ્રકાશ પ્રવેશ થતાં તે અધિક ચળકતુ હતુ અને જળના ચપળ તરંગાની માળાએથી તે પતાકાની શાભાને ધારણ કરતુ હતું. આવા જળકાંત વિમાનમાં ઈંદ્ર રૈવતાની સાથે બેઠા. તે વખતે હજારા દેવાંગનાએ તેને ચામર વીજવા લાગી અને ગાંધર્વોએ આરસેલા સ'ગીતમાં તે જરા જરા કાન આપવા લાગ્યા. આ પ્રમાણે પ્રભુના ચરણથી પવિત્ર એવી નીચેની પૃથ્વી તરફ દૃષ્ટિ કરતા ઈંદ્ર મનુષ્યલાકમાં આન્યા. નીચે ઉતરતાં ઉતરતાં મરકત મણિના નાળથી વિરાજિત સુવર્ણના કમળ ઉપર જાણે ચરણ સહિત પવત હોય તેમ ચરણ મૂકતા મૂકતા, મણિમય આઠ દતુશળથી ચાલિત અને દેવદુષ્ય Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું વસ્ત્રોથી જેની પીઠ આચ્છાદિત કરેલી છે એવા રાવત હાથી પર ઇંદ્ર ચડ્યો. તે વખતે તે હસ્તીપર પ્રથમથી આરૂઢ થયેલી દેવાંગનાઓએ તેને હાથનો ટેકો આપ્યો. પછી જિનેંદ્રના ચરણમાં વંદન કરવાને ઈચછનાર ભક્તજનોમાં શિરોમણિ ઇદ્ર ભક્તિભાવિત ચિત્તે સમવસરણમાં પ્રવેશ કર્યો. તે વખતે તેના જળકાંત વિમાનમાં આવેલી ક્રિડાવાપીઓમાં રહેલા દરેક કમળની અંદર સંગીત થવા લાગ્યું. પ્રત્યેક સંગીતે ઈદ્રના જેવા વૈભવવાળો એકેક સામાનિક દેવ દિવ્યરૂપ તથા સુંદર વેષયુક્ત દેખાવા લાગ્યો. તે દરેક દેવને પરિવાર ઇંદ્રના પરિવારની જેમ મહદ્ધિક અને વિશ્વને વિસ્મયકારક હતે. આવી વિમાનની સમૃદ્ધિથી ઈંદ્ર પિતે વિસ્મય પામી ગયે, તે પછી તેથી ઉણુ ઉણુ સમૃદ્ધિવાળા બીજાની તે શી વાત કરવી? પછી સમવસરણમાં રહેલા સુરનરોએ વિસ્મયથી જોયેલા ઈંદ્ર કંઠમાં પહેરેલા હારને પૃથ્વી પર લટાવતા છતા પ્રભુને વારંવાર પ્રણામ કર્યા. ઈંદ્રની આવી પારાવાર સમૃદ્ધિ જોઈને દશાર્ણભદ્રરાજા શહેરની સમૃદ્ધિ જોઈને ગ્રામ્ય જન થઈ જાય તેમ ક્ષણવાર તે તંભિત થઈ ગયો. પછી વિસ્મયથી વિકસિત નેત્ર કરીને તેણે વિચાર્યું કે, “અહો ! આ ઇંદ્રના વિમાનની કેવી લોકોત્તર શોભા છે? અહો! આ ઐરાવત હાથીના ગાત્ર કેવા સુંદર છે? અહ! આ ઈંદ્રના વૈભવનો વિસ્તાર તો કોઈ અલૌકિક જણાય છે! મને ધિક્કાર છે કે, મેં મારી સંપત્તિનું અભિમાન કર્યું. મારી અને આ ઈદ્રની સમૃદ્ધિ વચ્ચે તે એક ખાબોચીયા ને સમુદ્રના જેટલું અંતર છે. મેં આ મારી સમૃદ્ધિના ગર્વથી મારા આત્માને તુચ્છ કર્યો. પૂર્વે આવી સમૃદ્ધિ નહીં જોયેલી હોવાથી હું એક કુવાના દેડકાની જે હતો” આવી ભાવના ભાવતાં ભાવતાં હળવે હળવે વૈરાગ્ય આવવાથી અલ્પ કર્મને લીધે તેના અત્યંત શુભ પરિણામ થયા. તેમણે વિચાર્યું કે, “કે આવી સમૃદ્ધિથી ઇંદ્ર મને છતી લીધે છે, તથાપિ હવે દીક્ષા લઈને હું તેને પરાજ્ય કરીશ. વળી દીક્ષા લઈને કેવળ તેને જ વિજ્ય કરીશ એમ નહીં પણ ભવભ્રમણ કરાવનારા જે કમંરૂપ શત્રુઓ છે, તેમને પણ જીતી લઈશ. આવી રીતે વિચારીને વિવેકી દશાર્ણપતિએ તત્કાળ ત્યાંજ મુગટ અને કડાં વિગેરે આભૂષણે કાઢી નાખ્યા, અને જાણે કમરૂપ વૃક્ષોના મૂળીઓ ખેંચી કાઢતે હેય તેમ પાંચ મુષ્ટિવડે મસ્તક ઉપરના કેશને ખેંચી કાઢયા. વિસ્મયથી વિકસિત નેત્રે ઇદ્રના જોતાં જોતાંમાં તેણે ગણધરની પાસે આવીને યતિલિંગ ગ્રહણ કર્યું. પછી અપૂર્વ ઉત્સાહ અને સાહસવાળા તે દશાર્ણભદ્ર મુનિએ પ્રભુને પ્રદક્ષિણા પૂર્વક વંદના કરી. તે વખતે ઇદ્દે તેમની પાસે આવીને કહ્યું કે “અહે મહાત્મન ! તમારૂં આ કોઈ મહાન પરાક્રમ છે કે જેથી તમે મને પણ જીતી લીધો છે, તો પછી બીજાની શી વાત કરવી?” આ પ્રમાણે કહી ઈંદ્ર તેમને નમસ્કાર કરી પિતાને સ્થાનકે ગયો. દશાર્ણભદ્ર મુનિ સારી રીતે વ્રતનું પ્રતિપાલન કરવા લાગ્યા, અને શ્રી વીરપ્રભુએ ભવ્યજનના ઉપકારને માટે ત્યાંથી બીજા નગર વિગેરે સ્થાનમાં વિહાર કર્યો. Page #197 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૦ મા] દશાણુ ભદ્ર અને ધનાશાલિભદ્ર ચરિત્ર [ ૧૮૩ રાજગૃહ નગરની નજિક શાળિ નામે ગ્રામમાં કાઈ ધન્યા નામની સ્ત્રી આવીને રહી હતી. તેને બધે વશ ઉચ્છેદ થઈ ગયા હતા. માત્ર સંગમક નામના એક પુત્ર રહ્યો હતા, તેને તે સાથે લાવી હતી. કેમકે “ ગમે તેવા દુઃખમાં પણુ પાતાના ઉદરથી થયેલું સ ંતાન છેડી દેવુ અશકત્ર છે.” તે સંગમક ત્યાં રહ્યો છતા નગરજનેાના વાછરડા ચારતા હતા. “ ગરીબ છે.કરાને આવી મૃદુ આજીવિકા ઘટિત છે.” એક વખતે કેાઈ પર્વોત્સવને દિવસ આવ્યા, તે સમયે ઘેર ઘેર પાયસાન્નના ભાજન થતાં સગમકના જોવામાં આવ્યાં, તેથી તે મુગ્ધ બાળકે ઘેર જઈ પેાતાની ટ્વીન માતા પાસે પાયસાનની માગણી કરી. તે મેલી ‘ પુત્ર! હું દરિદ્રી છું, મારી પાસે પાયસાન્ન કયાંથી હોય ?' જ્યારે અજ્ઞતાથી બાળકે વારંવાર તેવી માગણી કર્યો કરી ત્યારે ધન્યા પાતાના પૂર્વ વૈભવને સંભારતી તાર સ્વરે રૂદન કરવા લાગી. તેના રૂદન રૂ:ખથી જેમનું હૃદય વીધાયું છે એવી તેની પાાશણાએ તેની પાસે આવી તેના દુઃખનું કારણુ પૂછ્યું, એટલે ધન્યાએ ગદ્ગદ્ સ્વરે તેમને પેાતાના દુઃખનું કારણુ કહ્યું. પછી તે બધીએ મળીને તેને દુધ વિગેરે લાવી આપ્યું, એટલે તેણીએ ક્ષીર રાંધી, અને એક થાળમાં કાઢી પોતાના પુત્રને આપીને પોતે કોઈ ગૃહકાર્ય માં પડી. એ સમયે કાઈ માસક્ષપણધારી મુનિ પારણાને માટે અને સંગમકને ભવસાગરથી તારવાને માટે ત્યાં આવી ચડયા. તેમને જોતાંજ સગમક વિચાર કરવા લાગ્યા કે, આ સચેતન ચિંતામણુિ રત્ન, જ...ગમ કલ્પવૃક્ષ અને અપશુ કામધેનુ રૂપ મુનિમહારાજ મારા ભાગ્યથી આ વખતે આવી ચડયા તે બહુજ સારૂ થયુ, નહીં તો મારા જેવા ગરીબને આવા ઉત્તમ પાત્રને યાગ કયાંથી થાય ? મારા કોઈ ભાગ્યના યેાગે આજે ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રિવેણીને સ`ગમ થયા છે.' આ પ્રમાણે વિચાર કરી તેણે થાળમાં રહેલી બધી ક્ષીર મુનિને વહેારાવી દીધી. દયાળુ મુનિએ તેના અનુગ્રહને માટે ગ્રહણુ પણ કરી. મુનિ ઘરની બહાર નીકળ્યા એટલે ધન્યા ત્યાં આવી, અને થાળમાં ક્ષીર ન દેખવાથી પાતે આપેલી ક્ષીર પુત્ર ખાઈ ગયા હશે? એવું ધારી તેણે ફરીથી ખીજી આપી. તે ક્ષીર સંગમકે અતૃપ્તપણે કંઠ સુધી ખાધી, જેથી તેના અજીણુ વડે તેજ રાત્રે પેલા મુનિને સભારતો સ'ગમક મરણ પામ્યા. : મુનિદાનના પ્રભાવથી સંગમકના જીવ રાજગૃહી નગરીમાં ગાભદ્ર શેઠની ભદ્રા નામની સ્ત્રીના ઉદરમાં અવતર્યાં. ભદ્રાએ સ્વપ્નમાં પાકેલું. શાળીક્ષેત્ર જોયું. તેણીએ તે વાર્તા પતિને કહી, એટલે પતિએ ‘ પુત્ર થશે ’ એમ કહ્યું. પછી ‘હું દાનધમ વિગેરે સુકૃત્યા કરૂ” એવા ભદ્રાને દોહદ થયા. ભદ્ર બુદ્ધિવાળા ગાભદ્ર શેઠે તે હદ પૂર્ણ કર્યાં. સમય પૂર્ણ થતાં વિદુરગિરિની ભૂમિ જેમ રત્નને જન્મ આપે તેમ ભદ્રાએ ક્રિશાએના મુખને ઉદ્યોત કરનારા પુત્રરત્નને જન્મ આપ્યા. જોયેલા સ્વપ્નને અનુસારે માતાપિતાએ શુભ દિવસે તેનું શાળિભદ્ર એવું નામ પાડ્યું. પાંચ ધાત્રીઓએ પહેરેલા હારને પૃથ્વીપર લેાટાવતા છતા પ્રભુને વારવાર પ્રણામ કર્યાં. પાલન કરાતા તે પુત્ર અનુક્રમે મોટા થયા. કાંઈક ઉણા આઠ વર્ષને Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૪ મું થયે ત્યારે તેના પિતાએ નિશાળે મૂકીને તેને બધી કળાઓ ભણાવી. અનુક્રમે યુવતિજનને વલ્લભ એવો શાલિભદ્ર યૌવન વયને પ્રાપ્ત થતાં નવીન પ્રદ્યુમ્નની જેમ સમાન વયના મિત્રોની સાથે રમવા લાગ્યો. તે નગરના શ્રેષ્ઠીઓએ પિતાની બત્રીશ કન્યાઓ શાલિભદ્રને આપવાને માટે ગંભદ્ર શેઠને વિજ્ઞપ્તિ કરી. ગભશેઠે હર્ષ પામી તેનો સ્વીકાર કર્યો અને સર્વ લક્ષણસંપૂર્ણ બત્રીશ કન્યાઓ શાળિભદ્રને પરણાવી. પછી વિમાનની જેવા રમણિક પિતાના મંદિરમાં સ્ત્રીઓની સાથે શાળિભદ્ર વિલાસ કરવા લાગ્યું. તે એવા આનંદમાં મગ્ન થત હતું કે રાત્રિ કે દિવસને પણ જાણતો નહોતે. માતાપિતા તેને ભોગસામગ્રી પૂરી પાડતા હતા. અન્યદા ગોભદ્ર શેઠ શ્રી વીરપ્રભુની પાસે દીક્ષા લીધી, અને વિધિપૂર્વક અનશન કરીને તે દેવલેકે ગયા. ત્યાંથી અવધિજ્ઞાનવડે પિતાના પુત્ર શાલિભદ્રને જોઈ તેના પુણ્યથી વશ થઈને તે પુત્રવાત્સલ્યમાં તત્પર થયા અને કલ્પવૃક્ષની જેમ રી સહિત તેને પ્રતિદિન દિવ્ય વસ્ત્ર અને નેપથ્ય વિગેરે પૂરવા લાગ્યા. અહીંપુરૂષને લાયક જે જે કાર્ય હોય તે ભદ્રા કરતી હતી અને શાલિભદ્ર તો પૂર્વદાનના પ્રભાવથી કેવળ ભેગેનેજ ભગવતો હતો. અન્યદા કોઈ પરદેશી વ્યાપારી રત્નકંબળ લઈને શ્રેણિક રાજાની પાસે વેચવા આવ્યા, પરંતુ તેની કિંમત બહુ વિશેષ હોવાથી શ્રેણિકે તે ખરીદ્યા નહીં, એટલે તેઓ ફરતા ફરતા શાળિભદ્રને ઘેર ગયા. ત્યાં ભદ્રાએ મેં માગ્યું મૂલ્ય આપીને તે સર્વે ખરીદી લીધા. એવામાં ચેસણુએ તેજ દિવસે શ્રેણિકને કહ્યું કે, “મારે યોગ્ય એક રત્નકંબળ લાવી આપે.” એટલે શ્રેણિકે એક રનર્કમળ ખરીદવાને માટે તે વ્યાપારીને બોલાવ્યા. તેઓએ કહ્યું કે, “રત્નકંબળો તો ભદ્રાએ ખરીદી લીધા છે.” પછી શ્રેણિક રાજાએ એક ચતુર પુરૂષને મૂલ્ય આપીને રત્નકંબલ લેવા સારૂ ભદ્રાની પાસે મોકલ્યો. તેણે આવીને રત્નકંબળ માગ્યું, એટલે ભદ્રા બોલી કે, “શાલિભદ્રની સ્ત્રીઓને પગ લુવાને માટે તે રત્નકંબળના કડકા કરીને મેં આપી દીધા છે, તેથી જે જીર્ણરત્નકંબલેથી કાર્ય હોય તો રાજા શ્રેણિકને પૂછીને આવો અને લઈ જાઓ.” ચતુર પુરૂષે એ વૃત્તાંત રાજાને કહ્યો. તે સાંભળીને ચેલ્લણ રાણી બેલી કે “જુઓ! તમારામાં ને એ વણિકમાં પીતળ અને સુવર્ણના જેટલું અંતર છે.' પછી રાજાએ કૌતુકથી તેજ પુરૂષને મોકલી શાળિભદ્રને પોતાની પાસે બોલાવ્યો. ત્યારે ભદ્રાએ રાજા પાસે આવીને કહ્યું કે મારો પુત્ર કદિ પણ ઘરની બહાર નીકળતો નથી, માટે આપ મારે ઘેર પધારવાની કૃપા કરો.” શ્રેણિકે કૌતુકની તેમ કરવાને કબુલ કર્યું. એટલે ક્ષણવાર પછી આવવાનું કહી ભદ્રા ઘેર ગઈ અને તેટલા વખતમાં વિચિત્ર વસ્ત્ર અને માણિક્યાદિવડે રાજમાર્ગની શોભા રાજમહેલથી તે પોતાના ઘર સુધી અતિ સુંદર કરાવી. પછી તેણીએ કહેવરાવવાથી દેવતાની જેમ ક્ષણમાં તૈયાર કરેલી માર્ગની શોભાને જોતો જતો શ્રેણિક રાજા શાલિભદ્રને ઘેર આવ્યા. જ્યાં સુવર્ણના સ્તંભ ઉપર ઇંદ્રનીલમણિના તોરણે ઝુલતા હતા, દ્વારની ભૂમિ ઉપર મોતીના સાથીઆની શ્રેણીઓ કરેલી હતી, સ્થાને સ્થાને દિવ્ય વસ્ત્રના ચંદરવા બાંધ્યા હતા અને આખું ઘર સુગંધી દ્રવ્યથી ધૂપિત થયેલું હતું. તે સર્વ Page #199 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૦ મ ] દશાર્ણભદ્ર અને શાલિભદ્રનું ચરિત્ર [૧૮૫ જેવાથી થયેલા વિસ્મયવડે વિકસિત નેત્ર કરતા રાજાએ ગૃહમાં પ્રવેશ કર્યો; અને ચેથામાળ સુધી ચડી સુશોભિત સિંહાસનને અલંકૃત કર્યું. પછી ભદ્રાએ સાતમી ભૂમિકા (માળ) ઉપર રહેલા શાલિભદ્ર પાસે જઈને કહ્યું કે, “પુત્ર! શ્રેણિક અહિં આવેલ છે, તો તું તેને જેવાને ચાલ.” શાળિભદ્ર બોલ્યો-“માતા! તે બાબતમાં તમે સર્વ જાણે છે, માટે જે મૂલ્ય આપવા યોગ્ય હોય તે તમે આપ. મારે ત્યાં આવીને શું કરવું છે?” ભદ્રા બેલી–“પુત્ર! શ્રેણિક એ કાંઈ ખરીદવાનો પદાર્થ નથી, પણ તે તો બધા લોકોનો અને તારો પણ સ્વામી છે.” તે સાંભળી શાળિભદ્દે ખેદ પામ્યા છતા ચિંતવ્યું કે, “મારા આ સાંસારિક ઐશ્વર્યને ધિક્કાર છે કે જેમાં મારે પણ બીજે સ્વામી છે; માટે મારે સપની ફણ જેવા આ ભેગથી હવે સયું. હવે તો હું શ્રીવીરપ્રભુના ચરણમાં જઈ સત્વર ત્રત ‘ગ્રહણ કરીશ.” આ પ્રમાણે તેને ઉત્કટ સંવેગ પ્રાપ્ત થયે, તથાપિ માતાના આગ્રહથી તે સ્ત્રીઓ સહિત શ્રેણિક રાજા પાસે આવ્યો અને વિનયથી રાજાને પ્રણામ કર્યા. રાજા શ્રેણિકે તેને આલિંગન કરી સ્વપુત્રવત પિતાના ખોળામાં બેસાર્યો. અને સ્નેહથી મસ્તક સુધી ક્ષણવાર હર્ષાશ્રુ મૂકયા. પછી ભદ્રા બોલી કે-“હે દેવ ! હવે એને છોડી દ્યો. એ મનુષ્ય છે છતાં મનુષ્યના ગંધથી બાધા પામે છે. તેના પિતા દેવતા થયા છે, તે સ્ત્રીઓ સહિત પિતાના પુત્રને દિવ્ય વેષ, વસ્ત્ર તથા અંગરાગ વિગેરે પ્રતિદિન આપે છે. તે સાંભળી રાજાએ શાલિભદ્રને રજા આપી એટલે તે સાતમી ભૂમિકાએ ગયો. પછી ભદ્રાએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે, આજે તે અહિંજ ભેજન લેવા કૃપા કરો.” ભદ્રાના આગ્રહથી રાજાએ તે વાત સ્વીકારી, એટલે તત્કાળ ભદ્રાએ સર્વ રસોઈ તૈયાર કરાવી. “શ્રીમાનને શું સિદ્ધ ન થાય?” પછી રાજાએ સ્નાનને યોગ્ય તેલ જલ અને ચૂર્ણ વડે સ્નાન કર્યું. સ્નાન કરતાં તેની આંગળીમાંથી એક મુદ્રિકા ગૃહવાપિકામાં પડી ગઈ. રાજા આમ તેમ તેને શોધવા લાગ્યો, એટલે ભદ્રાએ દાસીને આજ્ઞા આપી કે, “વાપિનું જળ બીજી તરફ કાઢી નાખ.” તેમ કરતાં તે વાપિકામાં દિવ્ય આભરની મધ્યમાં પોતાની ફીકી દેખાતી મુદ્રિકા જોઈને રાજા વિસ્મય પામી ગયો. રાજાએ પૂછયું કે-આ બધું શું છે?' દાસી બોલી કે-“દરરોજ શાલિભદ્રના અને તેની સ્ત્રીઓના નિર્માલ્ય આભરણે કાઢી નાખવામાં આવે છે તે આ છે.” તે સાંભળી રાજાએ વિચાર્યું કે “સર્વથા આ શાલિભદ્રાને ધન્ય છે તેમજ મને પણ ધન્ય છે કે, જેના રાજ્યમાં આવા ધનાઢ્ય પુરૂષ પણ વસે છે, પછી રાજાઓના અગ્રેસર શ્રેણિક રાજાએ પરિવાર સહિત ભેજન કર્યું. જમ્યા પછી વિચિત્ર અલંકારો અને વસ્ત્રોથી અચિંત થઈને રાજા પિતાના રાજમહેલમાં ગયા. હવે શાલિભદ્ર સંસારથી મુક્ત થવાના વિચાર કરતે હતો, તેવામાં તેના ધમમિત્રે આવીને વિજ્ઞપ્તિ કરી કે-“ચતુર્ણાનધારી અને સુર અસુરે નમસ્કાર કરેલા જાણે મૂર્તિમાન ધર્મ હોય તેવા ધર્મઘોષ નામના મુનિ ઉદ્યાનમાં પધાર્યા છે. તે સાંભળી શાળિભદ્ર હર્ષથી D - 24, Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું રથમાં બેસી ત્યાં આવ્યો. આચાર્યને તથા બીજા સાધુઓને વાંદીને આગળ બેઠો. સૂરિ દેશના આપી રહ્યા પછી તેણે પૂછ્યું કે, “હે ભગવન! કેવા કર્મથી રાજા સ્વામી ન થાય?” મુનિ બેલ્યા-જેઓ દીક્ષા ગ્રહણ કરે તેઓ આ બધા જગતના પણ સ્વામી થાય છે.” શાલિભદ્રે કહ્યું કે, “જે એમ છે તે તો હું ઘેર જઈ મારી માતાની રજા લઈને દીક્ષા લઈશ.” સૂરિ બોલ્યા કે–“ધર્મકાર્યમાં પ્રમાદ ન કરે.” પછી શાલિભદ્ર ઘેર ગયો અને માતાને નમસ્કાર કરીને કહ્યું કે, “હે માતા! આજે શ્રી ધર્મઘોષ સૂરિના મુખકમળથી મેં ધર્મ સાંભળ્યું છે કે, જે ધર્મ આ સંસારના સર્વ દુઃખથી મૂકાવાના ઉપાય રૂપ છે.” ભદ્રા બોલી કે-“વત્સ! તે ઘણું સારું કર્યું, કેમકે તું તેવા ધમી પિતાનોજ પુત્ર છું.” આ પ્રમાણે હર્ષથી શાલિભદ્રની પ્રશંસા કરી. પછી શાલિભદ્રે કહ્યું કે– માતા! જો એમ હોય તે મારી ઉપર પ્રસન્ન થઈને મને રજા આપે; હું વ્રત ગ્રહણ કરીશ. કારણ કે હું તેવા પિતાનો પુત્ર છું.” ભદ્રા બોલી-વત્સતારો વ્રત લેવાનો ઉદ્યમ યુક્ત છે, પણ તેમાં તે નિરંતર લેઢાના ચણા ચાવવાના છે. તું પ્રકૃતિમાં સુકોમળ છે અને દિવ્ય ભેગથી લાલિત થયેલ છે, તેથી મોટા રથને નાના વાછડાઓની જેમ તું શી રીતે વ્રતના ભારને વહી શકીશ?” શાલિભદ્ર બેલ્યો-“હે માતા ભેગલાલિત થયેલા જે પુરૂષે વ્રતના કષ્ટને સહન કરે નહીં તેને કાયર સમજવા, માટે બધા કાંઈ તેવા હેતા નથી.” ભદ્રા બોલી-“હે વત્સ! જે તારો એજ વિચાર હોય તો ધીમે ધીમે-છેડે થોડે ભેગનો ત્યાગ કરી મનુષ્યના મલિનતા ગંધને સહન કર કે જેથી તે અભ્યાસ પડે, પછી વ્રત ગ્રહણ કરજે.” શાળિભદ્દે તે વચન સત્વર માન્ય કર્યું, અને તે દિવસથી દરરોજ એક એક સ્ત્રીને અને એક એક શય્યાને તજવા લાગ્યો. તેજ નગરમાં ધન્ય નામે એક મટે ધનવાનું શેઠ રહેતો હતો કે જે શાલિભદ્રની કનિષ્ટ ભગિનીનો પતિ થતો હતો. પિતાના બંધુના આ ખબર સાંભળવાથી પોતાના પતિને હવરાવતાં શાળિભદ્રની બેનની આંખમાં આંસુ આવ્યા. તે જોઈ ધન્ય પૂછ્યું કે, “શા માટે રૂએ છે?” ત્યારે તે ગદ્ ગદુ અક્ષરે બોલી કે-“હે સ્વામી! મારા ભાઈ શાળિભદ્ર વ્રત લેવાને માટે પ્રતિદિન એક એક સ્ત્રી અને એક એક શમ્યા તજી દે છે, તેથી હું રૂદન કરૂં છું.” તે સાંભળી ધન્ય મશ્કરીમાં કહ્યું કે, “જે એવું કરે તે તો શિયાળના જે બીકણું ગણાય, તેથી તારો ભાઈ પણ હીનસત્વ લાગે છે.” તે સાંભળી તેની બીજી સ્ત્રીઓ હાસ્યમાં બેલી ઉઠી કે-“હે નાથ! જે વ્રત લેવું સહેલું છે તે તમે કેમ નથી લેતા?” ધન્ય બેલ્યો કે મને વ્રત લેવામાં તમે વિનરૂપ હતી, તે આજે પુણ્ય યોગે અનુકૂળ થઈ તો હવે હું સત્વર વ્રત લઈશ.” તે બોલી કે–પ્રાણેશ! પ્રસન્ન થાઓ, અમે તે મશ્કરીમાં કહેતી હતી.” સ્ત્રીઓનાં આવાં વચનના ઉત્તરમાં “આ સ્ત્રી અને દ્રવ્ય વિગેરે સર્વ અનિત્ય છે, નિરંતર ત્યાગ કરવાને યોગ્ય છે, માટે હું તો અવશ્ય દીક્ષા લઈશ.” આ પ્રમાણે બોલતો ધન્ય તરતજ ઉભે થયે; એટલે અમે પણ તમારી પાછળ દીક્ષા લઈશું.” એમ સર્વ સ્ત્રીઓ બેલી. પિતાના આત્માને ધન્ય માનનારા મહા મનસ્વી ધન્ય તેમાં સંમતિ આપી. Page #201 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૦ મે] દશાર્ણભદ્ર અને શાલિભદ્રનું ચરિત્ર [૧૮૭ આ અરસામાં શ્રી વીરપ્રભુ વૈભારગિરિ ઉપર સમવસર્યા. ધન્ય ધમમિત્રના કહેવાથી તે ખબર જાણ્યા, એટલે તરતજ દિનજનોને પુષ્કળ દાન આપી સ્ત્રીઓ સહિત શિબિકામાં બેસી ભવભ્રમણથી ભય પામેલો ધન્ય મહાવીર ભગવંતના ચરણને શરણે આવ્યો અને પ્રભુની પાસે સ્ત્રીઓ સહિત દીક્ષા લીધી. તે ખબર સાંભળી શાલિભદ્ર પિતાને વિજિત માની ત્વરા કરવા લાગ્યો. પછી શ્રેણિકરાજાએ અનુસરેલા શાળિભદ્દે પણ તરતજ શ્રી વીરપ્રભુની પાસે આવીને વ્રત ગ્રહણ કર્યું. શ્રી વીરપ્રભુએ યૂથ સહિત ગજેન્દ્રની જેમ ત્યાંથી બીજે વિહાર કર્યો. ધન્ય અને શાળિભદ્ર બંને અનુક્રમે બહુશ્રત થયા અને ખગની ધારા જેવું મહાતપ કરવા લાગ્યા. શરીરની કિંચિત્ પણ અપેક્ષા વગરના તેઓ પક્ષ, માસ, બે માસ, ત્રણ માસ અને ચાર માસની તપસ્યા કરીને પારણું કરતા હતા. તેવી ઉગ્ર તપસ્યાથી માંસ અને રૂધિર વગરના શરીરવાળા થયેલા ધન્ય અને શાલિભદ્ર ચામડાની ધમણ જેવા દેખાવા લાગ્યા. અન્યદા શ્રી વીરસ્વામીની સાથે તે બંને મહામુનિ પોતાની જન્મભૂમિ રાજગૃહી નગરીમાં આવ્યા. પ્રભુને સમવસરેલા જાણી તેમને નમવાને માટે અતિશય શ્રદ્ધાથી કે સત્વર નગરમાંથી બહાર આવ્યા. તે અવસરે ધન્યને શાલિભદ્ર બંને મુનિ માસખમણના પારણાને માટે ભિક્ષા લેવા જવાની આજ્ઞા લેવા સારૂ પ્રભુ પાસે આવ્યા અને નમસ્કાર કરીને ઉભા રહ્યા. પછી શાલિભદ્ર પ્રત્યે પ્રભુએ કહ્યું કે, “આજે તમારી માતા પાસેથી મળેલા આહારથી તમારે પારણું થશે.” એટલે “હું ઈચ્છું છું.' એમ કહી શાલિભદ્ર મુનિ ધન્યની સાથે નગરમાં ગયા. બંને મુનિ ભદ્રાના ગૃહદ્વાર પાસે આવીને ઉભા રહ્યા, પણ તપસ્યાથી થયેલી અત્યંત કૃશતાને લીધે તેઓ કોઈના ઓળખવામાં આવ્યા નહીં. વળી શ્રી વીરપ્રભુ, શાળિભદ્ર અને ધન્ય મુનિ આજે અહિં પધાર્યા છે, તેથી હું તેમને વાંદવા જાઉં.” એવી ઇચ્છાથી આકુળવ્યાકુળ થયેલી રોમાંચિત શરીરવાળી ભદ્રા પણ તે વ્યવસાયમાં રોકાઈ રહી, તેથી તેનું પણ તે તરફ ધ્યાન ગયું નહીં. અહિં બંને મુનિ ક્ષણવાર ઉભા રહીને તરત જ પાછા વળ્યા. તેઓ નગરના દરવાજામાંથી બહાર નીકળતા હતા તેવામાં શાલિભદ્રની પૂર્વ ભવની માતા ધન્ય નગરમાં દહીં ઘી વેચવાને આવતી સામી મળી. શાળિભદ્રને જોતાં તેના સ્તનમાંથી પય ઝરવા લાગ્યું. પછી બંને મુનિના ચરણમાં વંદના કરીને તેણીએ ભક્તિપૂર્વક દહીં વહરાવ્યું. ત્યાંથી શાલિભદ્ર મુનિ વીરપ્રભુની પાસે આવ્યા અને ગોચરી આવી અંજલિ જેડીને પૂછયું કે–“હે પ્રભુ! આપના કહેવા પ્રમાણે મને મારી માતા પાસેથી પારણુ માટે આહાર કેમ ન મળ્યો?” સર્વજ્ઞ પ્રભુ બોલ્યા કે, “હે શાળિભદ્ર મહામુનિ ! એ દહિં વહોરાવનારી તમારી પૂર્વ જન્મની માતા ધન્યા હતી.” પછી દધિવડે પારણું કરી, પ્રભુની આજ્ઞા લઈને શાળિભદ્ર મુનિ ધન્યની સાથે અનશન કરવા માટે વૈભારગિરિ પર ગયા. ત્યાં ધન્ય સહિત શાલિભદ્ર મુનિએ શિલાતળ ઉપર પ્રતિલેખના કરીને પાદપપગમ નામે અનશન અંગીકાર કર્યું. અહીં શાળિભદ્રની માતા ભદ્રા અને શ્રેણિક રાજા તેજ વખતે Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું ભક્તિયુક્ત ચિત્તે શ્રી વીરપ્રભુની પાસે આવ્યા. પ્રભુને નમસ્કાર કરીને ભદ્રાએ પૂછ્યું કે “હે જગપતિ! ધન્ય અને શાલિભદ્ર મુનિ કયાં ગયા? તેઓ અમારે ઘેર ભિક્ષાને માટે કેમ ન આવ્યા?” સર્વજ્ઞ બોલ્યા કે-“તે મુનિઓ તમારે ઘેર વહેરવા માટે આવ્યા હતા, પણ તમે અહિં આવવાની વ્યગ્રતામાં હતા, તેથી તમારા જાણવામાં આવ્યા નહીં. પછી તમારા પુત્રની પૂર્વ જન્મની માતા ધન્યા નગર તરફ આવતી હતી, તેણીએ તેમને દધિ વહરાવ્યું, તેનાવડે પારણું કરીને મહાસત્ત્વધારી તે બંને મુનિઓએ સત્વર સંસારથી છુટવાને માટે હમણાજ વૈભારગિરિપર જઈ અનશન ગ્રહણ કર્યું છે. તે સાંભળી ભદ્રા શ્રેણિકરાજાની સાથે તત્કાળ વૈભારગિરિ પર આવી, ત્યાં તે બંને મુનિઓ જાણે પાષાણુવડે ઘડેલા હોય તેમ સ્થિર રહેલા તેના જેવામાં આવ્યા. તેમના કષ્ટને જેતી અને પૂર્વના સુખને સંભારતી ભદ્રા પ્રતિધ્વનિથી વૈભારગિરિને પણ રોવરાવતી હોય તેમ રોવા લાગી. તે બોલી કે-“હે વત્સ! તમે ઘેર આવ્યા તેપણ અભાગિણીએ પ્રમાદથી તમને જાણ્યા નહીં, તેથી મારી ઉપર અપ્રસન્ન થાઓ નહીં. જો કે તમે તે અમારો ત્યાગ કર્યો છે, પણ કઈવાર તમે મારી દ્રષ્ટિને તે આનંદ આપશે એવો પ્રથમ મારો મને રથ હતો. પણ હે પુત્ર! આ શરીરત્યાગના હેતુરૂપ આરંભથી તમે હવે મારે એ મનોરથ પણ ભાંગવાને ઉઘુક્ત થયા જણાઓ છે. હે મુનિઓ! તમે જે આ ઉગ્ર તપ આરંવ્યું છે, તેમાં હું વિહ્મરૂપ થતી નથી, પણ મારું મન આ શિલાતળની જેમ અતિશે કઠોર થયેલું છે.” પછી શ્રેણિક રાજા બેલ્યા કે-“હે ભદ્ર! આ હર્ષને સ્થાને રૂદન કેમ કરે છે? તમારા પુત્ર આ મહાસત્ત્વવાનું હોવાથી તમે એકજ સર્વ સ્ત્રીઓમાં ખરા પુત્રવતી છે. આ તત્વજ્ઞ મહાસત્તાધારી પુરૂષે તૃણની જેમ લકમીને છેડીને સાક્ષાત્ મોક્ષપદ જેવા પ્રભુના ચરણને અંગીકાર કર્યા છે. હે મુગ્ધ! આ મહાશય જગતસ્વામીના શિષ્યને ઘટે એવું તપ આચરે છે, તેમાં તમે સ્વભાવથી વૃથા પરિતાપ શા માટે કરે છે?” રાજાએ આ પ્રમાણે પ્રતિબોધ કર્યો તેથી ભદ્રા તે મુનિઓને વાંધી ખેદયુક્ત ચિત્ત પોતાને ઘરે ગઈ અને શ્રેણિકરાજા પણ પોતાને સ્થાને ગયા. તે બંને ધન્ય અને શાલિભદ્ર કાળ કરી સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં હર્ષરૂપ સાગરમાં મગ્ન થયા હતા તેત્રીશ સાગરોપમને આયુષ્ય દેવપણે ઉત્પન્ન થયા. इत्याचार्य श्री हेमचंद्रसूरिविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये दशम पर्वणि दशार्णभद्र शालिभद्र-धन्य चरित વિનો નામ રામ: સઃ + ૧૦ || 9099999999999999999999999999999 800080000000000000000000000006666666 9 999999999999999999999999999999 6 6666666666666666666666666666666640 Page #203 -------------------------------------------------------------------------- ________________ wwwwxxxxxxxwww સી જી એ. એ ************* ૌહિણયનું ચરિત્ર, અભયકુમારનું હરણ, ઉદાયનનું વૃત્તાંત, પ્રધાંતનું બંધન અને ઉદાયનની દીક્ષા. શ્રી વીરભગવાન લોકોનો અનુગ્રહ કરવાની ઈચ્છાથી નગર, ગામ, ખીણ અને દ્રોણમુખ (ખેડુત લેકેના ગામડા) વિગેરેમાં વિહાર કરતા હતા. તે સમયે રાજગૃહી નગરીની પાસેના વૈભારગિરિની ગુફામાં જાણે મૂર્તિમાન રૌદ્રરસ હોય તે લેહખુર નામે એક ચાર રહેતા હતા. જ્યારે રાજગૃહી નગરીમાં લોકો ઉત્સવાદિમાં રોકાયેલા હોય ત્યારે તે ચાર છિદ્ર મેળવીને પિશાચની જેમ ઉપદ્રવ કરતા હતા. તે દ્રવ્ય લઈ આવતો હતો અને પરસ્ત્રીઓને ભોગવતો હતો. તે નગરના બધા ભંડારો અને મહેલે તે પિતાનાજ માનતે હતો. તેને ચારી કરવાની વૃત્તિમાં જ પ્રીતિ હતી, બીજામાં નહતી. રાક્ષસે માંસ વિના બીજા ભયથી તૃપ્ત થતા નથી. તેને રોહિણી નામની સ્ત્રીથી આકૃતિ અને ચેષ્ટામાં તેનીજ જે રૌહિણેય નામે પુત્ર થયો. જ્યારે લેહખુર ચોરને મૃત્યુ સમય પ્રાપ્ત થયું ત્યારે તેણે રોહિણેયને બોલાવીને કહ્યું કે, “હે પુત્ર! જે તું મારા કહ્યા પ્રમાણે અવશ્ય કરે તે હું તને કાંઈક જરૂરનો ઉપદેશ આપું.” તે બોલ્યો કે-“તમારું વચન મારે અવશ્ય કરવું જ જોઈએ. પૃથ્વીમાં પિતાની આજ્ઞાને કણ ન ઉઠાવે? પુત્રનું આવું વચન સાંભળી લેહખુરા હર્ષ પામે અને પુત્રના પૃષ્ટ ઉપર હાથ ફેરવતે આ પ્રમાણે નિષ્ફર વચન બે -“જે આ દેવતાના રચેલા સમવસરણમાં બેસીને મહાવીર નામના યેગી દેશના આપે છે, તેના ભાષણને તું કોઈવાર સાંભળીશ નહીં, બાકી બીજે ઠેકાણે ભલે સ્વેચ્છાએ વજે.” આ ઉપદેશ આપીને લેહખુરો પંચત્વને પામી ગયો. પિતાની મૃતક્રિયા કર્યા પછી રોહિણીઓ પણ જાણે બીજે લેહખુરો હોય તેમ નિરંતર ચોરી કરવા લાગ્યો. પોતાના જીવિતવ્યની જેમ પિતાની આજ્ઞાને પાળતે તે પિતાની સ્ત્રીની જેમ બધી રાજગૃહી નગરીને લુંટવા લાગ્યો. આ સમયે નગર ગામ અને ખાણ વિગેરેમાં વિહાર કરતા ચૌદ હજાર મુનિએથી પરવારેલા, ચરમ તીર્થંકર શ્રી વીરપ્રભુ રાજગૃહી નગરીએ પધાર્યા. દેવતાઓએ સંચાર કરેલા સુંદર સુવર્ણ કમળ ઉપર પગલા મૂકતા મૂકતા પ્રભુ નજીકમાં આવ્યા, એટલે વૈમાનિક, તિષિ, ભુવનપતિ અને વ્યંતર દેવતાઓએ મળીને પ્રભુનું સમવસરણ રચ્યું. તેમાં બેસીને શ્રી વિરપ્રભુએ જન સુધી પ્રસરતી સર્વ ભાષાનુસારી વાણી વડે ધર્મદેશના આપવા માંડી. તે વખતે પિલે રૌહિણેય ચાર રાજગૃહી નગરી તરફ જતું હતું, ત્યાં માર્ગમાં આ સમવસરણ આવ્યું. તે જોઈને તેણે વિચાર્યું કે, “જે Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [સગ ૧૧ માં હું આ માર્ગે ચાલીશ તે મહાવીરનાં વચન સાંભળી લઈશ, તેથી પિતાની આજ્ઞાનો ભંગ થશે અને આ સિવાય રાજગૃહીમાં જવાને બીજે માર્ગ પણ નથી. ત્યારે શું કરવું?' આવો વિચાર કરી બે કાન આડા હાથ રાખી તેજ માગે રાજગૃહી નગરીમાં ગયો. એવી રીતે પ્રતિદિન ગમનાગમન કરતાં એક વખતે સમવસરણની પાસે જ તેના પગમાં કાંટે ભાંગ્યા. ઉતાવળે ચાલતાં તે કાંટો ગાઢ રીતે પગમાં ખુંચી ગયો. તેથી તેને કાઢ્યા સિવાય તે એક પગલું ભરવાને પણ શક્તિવાન રહ્યો નહીં. જ્યારે બીજો કોઈ ઉપાય સુઝ નહીં ત્યારે તેણે કાન ઉપરથી હાથ લઈ લઈને કાંટે કાઢવા માંડ્યો. તે વખતે પ્રભુના મુખની વાણી આ પ્રમાણે તેના સાંભળવામાં આવી. “જેમના ચરણ પૃથ્વીને અડતા નથી, નેત્ર નિમેષ રહિત હોય છે, પુષ્પમાળા ગ્લાનિ પામતી નથી અને શરીર પ્રસ્વેદથી તથા રંજથી રહિત હોય છે તે દેવતા કહેવાય છે.” આટલાં વચન સાંભળવાથી “મેં ઘણું સાંભળી લીધું, તેથી મને ધિક્કાર છે” એમ વિચારતે, ઉતાવળે પગમાંથી કાંટે કાઢી અને પાછા કાન પર હાથ મૂકી રૌહિણેય ત્યાંથી પિતાને કામે ગયો. - હવે તે ચોર પ્રતિદિન શહેરમાં ચોરી કરતા, તેથી કંટાળીને ગામના શેઠીઆએ શ્રેણિક રાજાની પાસે આવીને કહેવા લાગ્યા કે, “હે દેવ! તમે રાજ્ય કરતા છતા અમને બીજે કંઈ પણ ભય નથી પણ અદશ્ય ચેટકની જેમ કોઈ ચોર અદશ્ય રહીને અમને લુંટે છે.” બંધુની જેમ તેમની આ પીડા સાંભળીને શ્રેણિક રાજાએ કોપ કરી કોટવાળને બોલાવીને કહ્યું કે-“અરે કોટવાળ! શું તમે ચેર થઈને કે ચેરના ભાગીદાર દઈને મારો પગાર ખાઓ છો? કે જેથી તમારી ઉપેક્ષાવડે આ પ્રજાજનને ચારે લુંટે છે. કેટવાળ બોલ્યો કે-“મહારાજ! કઈ રૌહિણેય નામનો ચોર નગરજનોને એવી રીતે લુંટે છે કે, તેને અમે જોઈએ છીએ, તો પણ તે પકડી શકાતો નથી. વિજળીના ઉછળતા કીરની જેમ તે ઉછળી, વાનરની જેમ ઠેકી, એક હલામાત્રમાં તે એક ઘેરથી બીજે ઘેર પહોંચી જાય છે, અને નગરનો કિલ્લે પણ ઓળંગી જાય છે. અમે તેના જવાને માગે પાછળ પાછળ જઈએ છીએ તો ત્યાં તે જોવામાં આવતો નથી. અને જે એક પગલા માત્ર તેને છોડડ્યો તે તે સો પગલાં અમારાથી દૂર જતો રહે છે. હું તે તેને પકડવાને કે હણવાને શક્તિમાન નથી, માટે આ તમારો કોટવાળપણનો અધિકાર ખુશીથી પાછો લઈ લ્યો.” પછી રાજાએ ભ્રકુટીની સંજ્ઞાથી સૂચવ્યું, એટલે અભયકુમારે કોટવાળને કહ્યું કે, “તમે ચતુરંગ સેનાને સજજ કરીને નગરની બહાર રાખે; પછી જ્યારે ચેર અંદર પેસે ત્યારે લશ્કરે ફરતું ફરી વળવું અને અંદરથી તે ચોરને ત્રાસ પમાડવો, એટલે પાશલામાં હરણ આવીને પડે તેમ તે વિજળીના ઝબકારાની જેમ ઉછળીને સ્વયમેવ સૈન્યમાં આવી પડશે, પછી જાણે તેના જામીન હોય તેમ એ મહારને પ્રમાદ રહિત સાવધાન રહેલા સુભટોએ પકડી લે.” આ પ્રમાણેની અભયકુમારની આજ્ઞાનું પ્રમાણ કરી કેટવાળ ત્યાંથી નીકળ્યો અને ગુપ્ત રીતે સેનાને સજજ કરી. રાજાએ આજ્ઞા કરી તે દિવસે રોહિણેય બીજે ગામ ગયેલ હતું તેથી આ વાતની Page #205 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૧ મે ] રૌહિણેય વિગેરેનાં વૃત્તાંત [ ૧૯૧ તેને ખબર પડી નહીં. એટલે તે બીજે દિવસે પાણીમાં હાથી પેસે તેમ નગરમાં પડે અને ત્યાંથી નગર ફરતા ફરી વળેલા સૈન્યની જાળમાં મીનની જેમ સપડાઈ ગયો. તેને બાંધીને કોટવાળે રાજાની પાસે રજુ કર્યો. “રાજનીતિ પ્રમાણે પુરૂષની રક્ષા અને દુર્જનોનો નિગ્રહ રાજાએ કરવો જોઈએ, તેથી આનો નિગ્રહ કરે.” એમ કહીને રાજાએ તેને અભયકુમારને સેં. અભયકુમારે કહ્યું કે-છળવડે પકડાયેલ હોવાથી ચારીના મુદ્દા અથવા તેની કબુલાત સિવાય આ ચાર નિગ્રહ કરવાને યોગ્ય થતું નથી, માટે તેનો નિગ્રહ વિચારીને કરવો જોઈએ. એટલે રાજાએ રોહિણેયને પૂછયું કે તું કયાંનો રહેવાસી છું? તારી આજીવિકા કેવા પ્રકારે ચાલે છે? તું આ નગરમાં શા માટે આવ્યો હતો? અને તારું નામ રૌહિણેય કહેવાય છે તે ખરૂં છે?' પિતાના નામથી શક્તિ થઈ તેણે રાજાને કહ્યું કે, “હું શાલિગ્રામમાં રહેનારો દર્ગદંડ નામે કુટુંબી (કણબી) છું. કઈ પ્રજને કૌતુક થતાં આજે અહીં આવ્યો હતો અને કઈ દેવાલયમાં રાત્રિ રહ્યો હતો. રાત્રિ ઘણી ગયા પછી ત્યાંથી પાછા ઘેર જવા નીકળતાં રાક્ષસ જેવા કેટવાળ અને તેના સીપાઈઓએ મને સપડા, એટલે તેનાથી ભય પામીને હું કિલ્લો ઓળંગી ભાગવા ગયો આપ જાણે છે કે, “પ્રાણીને સર્વથી મોટામાં મોટો ભય પ્રાણુનો છે, મધ્યના રક્ષકોના હાથમાંથી જેમ તેમ હું છુટી ગયો, પણ પાછે બાહ્ય રક્ષકોના હાથમાં, માછીના હાથમાંથી છુટેલું માછલું જેમ જાળમાં આવી પડે તેમ આવી પડ્યો. એટલે તેઓ મને નિરપરાધીને ચેરની જેમ બાંધીને અહિં લાવ્યા. માટે હે નીતિમાન રાજા! હવે ન્યાયપૂર્વક વિચારીને જે કરવું હોય તે કરો.” પછી રાજાએ તેની પ્રવૃત્તિના ખબર જાણવાને માટે તેણે કહેલા ગામમાં ગુપ્ત રીતે પુરૂષો મોકલ્યા. પરંતુ તે ચારે અગાઉથી તે ગામના લોકોની સાથે સંકેત કરી રાખ્યો હતો કેમકે કેટલાક ચરલેકેના મનમાં પણ વિચિત્ર ચિંતવન થયા કરે છે. રાજપુરૂષે તે ગામમાં જઈને પૂછ્યું. એટલે લોકોએ કહ્યું કે “હા, અહિં એક દુર્ગાચંડ નામે કુટુંબી રહે છે, પણ તે હમણું અહીંથી બીજે ગામ ગયેલ છે. રાજપુરૂષોએ રાજાને તેવા ખબર આપ્યા, એટલે અભયકુમાર વિચારમાં પડ્યો કે, “અહ! સારી રીતે રચેલા દંભના અંતને બ્રહ્મા પણ પામતા નથી.” પછી અભયકુમારે દેવતાના વિમાન જે મહા મૂલ્યવાળા રત્નોથી જડિત સાત માળનો એક મહેલ તેને રહેવા આપે. તે મહેલ જાણે સ્વર્ગમાંથી પડેલ અમરાવતીનો એક ખંડ હાય તે જણાતે હતો. તેમાં ગંધર્વે સંગીતનો મહોત્સવ કરતા હતા, તેથી તે અકસમાત ઉત્પન્ન થયેલા ગંધવનગરની શોભાને સૂચવતો હતો. અભયકુમારે તે ચરને મદ્યપાન કરાવીને બેશુદ્ધ કર્યો અને પછી દેવદૂષ્ય વસ્ત્રો પહેરાવી તે મહેલમાં શય્યા ઉપર સુવાર્યો. જ્યારે તેનો ની ઉતરી ગયો ત્યારે તે ચારે બાજુ જેવા લાગે, તો અકસ્માત વિસ્મયકારી અપૂર્વ દિવ્ય સંપત્તિ તેના જેવામાં આવી. એ સમયે અભયકુમારની આજ્ઞાથી નર નારીઓના સમૂહે “જય પામે, જગતમાં આનંદ કરો” એવા મંગળ ધ્વનિપૂર્વક તેના પ્રત્યે કહ્યું કે, “હે ભદ્ર! તમે આ મોટા વિમાનમાં દેવતા થયા છે, તમે અમારા સ્વામી છે Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિત્ર [ પ 6 ૧૦ મુ’ અને અમે તમારા કિકરા છીએ, તેથી આ અપ્સરાઓની સાથે ઇંદ્રની જેમ ક્રીડા કરો. ’ આવી રીતે ઘણા ખુશામતનાં વચનો ચતુરાઈ યુક્ત તેઓ કહેવા લાગ્યા. તે સાંભળી ‘શું હું દેવતા થયા ?' એમ રેાહિણીએ વિચારવા લાગ્યા. તેવામાં ગંધર્વાએ સંગીતનું કામ શરૂ કર્યું. એટલામાં સુવહુની છડી લઈ કાઈ પુરૂષ આવ્યા, તેણે ગંધર્વાને કહ્યુ` કે, ‘અરે! એકદમ આ શુ. આર શ્યુ ? ' ગધવેર્વાએ ઉત્તમ આપ્યા કે- અરે પ્રતિહાર! અમે અમારા સ્વામી પાસે અમારૂં વિજ્ઞાનકૌશલ ખતાવવાનો આરંભ કર્યાં છે.' પ્રતિહાર ખેલ્યા કે ‘બહુ સારૂં, તમે તમારૂ કૌશલ્ય સ્વામીને બતાવે.' પણ ત્યાર અગાઉ પ્રથમ દેવલાકના આચાર તેમની પાસે કરાવેા.' ગંધવ ખેલ્યા કે, ‘શું શું. આચાર કરાવવાના છે? ' પ્રતિહાર આક્ષેપપૂર્વક એલ્યેા કે, ‘અરે! શું એ પણ નવા સ્વામીના લાભમાં ભૂલી ગયા કે ? સાંભળેા, પ્રથમ તો અહી' જે નવા દેવ તરીકે ઉત્પન્ન થાય, તે પેાતાના પૂર્વભવના સુકૃત્ય અને દુષ્કૃત્ય જણાવે, પછી તે સ્વના સુખભેાગનો અનુભવ કરે.' ગ‘ધર્વાએ કહ્યું કે હું દેવ ! અમે તેા નવા સ્વામીના લાભથી તે બધું ભૂલી ગયા છીએ, માટે તમે બધી દેવલેાકની સ્થિતિ કરાવેા.” આ પ્રમાણે તેએએ કહ્યું, એટલે તે પુરૂષે રીહિણેય ચારને કહ્યું, ‘હે ભદ્ર! તમે તમારા પૂર્વના સુકૃત્ય દુષ્કૃત્ય યથાર્થ અમને કહેા, પછી સ્વર્ગના ભાગ ભાગવા.’ તે સાંભળી રાહિણીએ વિચારમાં પડડ્યો કે, ‘ શુ આ સત્ય હશે ? અથવા શુ' મને મારી કમુલતવર્ડ પકડવાને અભયકુમારે આ પ્રપંચ રચેલેા હશે ? પણ હવે તેની ખાત્રી શી રીતે કરવી ? ’ આ પ્રમાણે વિચારતાં તેને પગમાંથી કાંટા કાઢતી વખતે સાંભળેલુ વીરપ્રભુનું વચન યાદ આવ્યું, એટલે વિચારવા લાગ્યા, શ્રી વીરપ્રભુની પાસેથી મેં જે વચન સાંભળ્યુ છે, તે પ્રમાણે દેવતાનાં ચિન્હ જો મળતાં આવશે તે તા હું આનો સત્ય ઉત્તર આપીશ, અન્યથા તેનો જેમ ઠીક લાગશે તેવા ઉત્તર આપીશ.' આવે! વિચાર કરી તેણે પ્રતિહારી, ગધવે!, અપ્સરાઓ વિગેરેની તરફ જોયું તે તે બધાને પૃથ્વીપર સ્પર્શ કરતા, પ્રસ્વેદથી મલીન થયેલા, પુષ્પની માળા કરમાયેલા અને નેત્રમાં નિમેષવાળા (મટકું મારતા ) દીઠા. પ્રભુનાં વચનને આધારે તે બધુ' કપટ જાણીને રાહિણીએ ઉત્તર આપવાનો વિચાર કરી લીધા. ફરીને પેલા પુરૂષ ખેલ્યા કે,− કહા, તમારા ઉત્તર સાંભળવાને આ સવ” દેવ દેવીએ ઉત્સુક થયેલા છે.? પછી રૌહ્રિણેય બેલ્યા કે− મે પૂજન્મમાં સુપાત્રને દાન આપ્યાં છે, જિનચૈત્ય કરાવ્યાં છે, જિનષિખ રચાવ્યાં છે, અષ્ટપ્રકારની પૂજાવર્ડ તેમને પૂછ્યા છે, તી યાત્રા કરી છે અને સદ્ગુરૂની સેવા કરી છે. આ પ્રમાણે મેં પૂર્વ જન્મમાં સુકૃત્યા કરેલાં છે.' પછી પેલા દંડધારી મેલ્યા કે, ‘હવે જે દુષ્કૃત્ય કર્યાં... હાય તે પણ કહેા.' રૌઢિણેય મેલ્યા ૩ " સાધુના સંસર્ગથી મેં કાંઈ પણ દુષ્કૃત્ય તે કયુજ નથી.' પ્રતિહાર ફરીથી એલ્યા કે- એક સરખા સ્વભાવથી આખા જન્મ વ્યતિત થતા નથી, તેથી જે કાંઈ ચારી, જારી વિગેરે દુષ્કૃત્ય કર્યાં. હાય તે પણ કહેા.' રૌહિણેય ખેલ્યા કે− જો આવાં દુષ્કૃત્ય કર્યાં હાય તે તે શું સ્વલાકને પામે? શું આંધળા માણસ પર્વત ઉપર ચઢી શકે ?” Page #207 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૧ મો] રોહિણેય વિગેરેનાં વૃત્તાંતે પછી છડીદારે આ બધું અભયકુમારને કહ્યું અને અભયકુમારે શ્રેણિક રાજાને જણાવ્યું. શ્રેણિક બોલ્યા કે “આટલા ઉપાયોથી પણ જે ચેર તરીકે પકડી ન શકાય તેવા ચેરને છોડી મૂકો જોઈએ. કારણ નીતિનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી.” રાજાનાં આ પ્રમાણેનાં વચનથી અભયકુમારે રોહિણેય ચારને છોડી મૂક્યો. “કેઈવાર વંચના કરવામાં ચતુર એવા પુરૂષથી ડાહ્યા પુરૂષ પણ ઠગાય છે.” ત્યાંથી છુટી ગયા પછી રૌહિણે વિચાર્યું કે, મારા પિતાની આજ્ઞાને ધિક્કાર છે કે જેથી હું ભગવંતના વચનામૃતથી આજ દિન સુધી નિર્ભાગી રહ્યો. આટલું એક પણ પ્રભુનું વચન જે મારે કાને ન આવ્યું હોત તો અત્યારે હું વિવિધ પ્રકારની વ્યથા ભેગવી યમરાજના દ્વારે પહોંચી ગયા હતા. તે વખતે મેં અનિચ્છાથી ભગવંતનું વચન ગ્રહણ કર્યું હતું, છતાં પણ તે રોગીને ઔષધની જેમ મને જીવનરૂપ થઈ પડ્યું. અહંતનાં વચનને ત્યાગ કરીને આજ સુધી મેં ચોરની વાણીમાં પ્રીતિ કરી ! આ તો કાગડાની જેમ આમ્રફળને છોડી દઈને લીંબડાના ફળમાં પ્રીતિ કર્યા જેવું મેં કર્યું. મને ધિક્કાર છે! જેના ઉપદેશના એક લેશે આટલું ફળ આપ્યું, તો જે તેમનો સર્વ ઉપદેશ સાંભળ્યો હોય તો શું ફળ ન આપે?” મનમાં આ પ્રમાણે વિચાર કરીને તે તરતજ ભગવંતની પાસે ગયે. પ્રભુના ચરણમાં પ્રણામ કરીને તેણે આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી “ હે નાથ! ઘોર વિપત્તિરૂપી અનેક મગરમચ્છથી આકુળવ્યાકુળ એવા આ સંસારસાગરમાં લોકોમાં પ્રસરતી તમારી દેશનાની વાણું નૌકાની પેઠે આચરણ કરે છે. હું ત્રણ જગતના ગુરૂ ! આપ્ત છતાં અનાપ્તપણને માનતા એવા મારા પિતાએ તમારાં વચન સાંભળવાનો નિષેધ કરીને મને આટલે વખત સુધી ઠગે છે. હે ત્રિલેકપતિ! જેઓ કણુજલિરૂપ સંપુટથી તમારા વચનામૃતને શ્રદ્ધાપૂર્વક પીવે છે તેઓને ધન્ય છે. હું એ પાપી હતી કે જે તમારાં વચનને નહિ સાંભળવાની ઈચ્છાએ કાને હાથ દઈને આ સ્થાનને ઓળંગી જતો હતો. તેવામાં એકવાર ઈચ્છા વગર મેં તમારું વચન સાંભળ્યું હતું, પરંતુ મંત્રાક્ષર જેવા તે વચનવડે રાજારૂપ રાક્ષસથી મારી રક્ષા થઈ છે. હે જગત્પતિ! જેવી રીતે મને મરણથી બચાવ્યો છે તેવી જ રીતે આ સંસારસાગરમાં ડુબી જવાથી પણ મને બચાવો.” પછી પ્રભુએ તેની ઉપર કૃપા કરીને નિર્વાણપદને આપનારી શુદ્ધ ધર્મદેશના આપી. તે સાંભળી પ્રતિબંધ પામીને રોહિણેય બે કે, “હે સ્વામિન્ ! હું યતિધર્મને યેચુ છું કે નહી?” પ્રભુએ કહ્યું કે, “ગ્ય છું. એટલે તે બે કે-“હે વિભુ! એમ છે તે હું વ્રતને ગ્રહણ કરીશ, પણ ત્યારે અગાઉ મારે રાજા શ્રેણિકને કાંઈક કહેવાનું છે.” શ્રેણિક રાજા સભામાં જ બેઠેલા હતા, તેમણે કહ્યું કે, “તારે જે કહેવાનું હોય તે વિકલ્પ કે શંકા રહિત થઈને કહે, એટલે રૌહિણેય બે કે-“હે રાજન ! તમે જેને લેકવાર્તાથી સાંભળ્યો D - 25 - Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું હત, તેજ હું તમારા નગરને લુંટનાર રોહિણેય ચોર છું. પરંતુ આ પ્રભુનું એક વચન સાંભળવાથી તેના આધારવડે વહાણવડે નદીની જેમ હું અભયકુમારની દુલથી બુદ્ધિનું પણ ઉલંધન કરી ગયું છું. હે રાજ રવિ! તમારા બધા નગરને મેંજ લુંટેલું છે, તેથી તમારે હવે કઈ બીજે ચાર શે નહીં. અત્યારે મારી સાથે કોઈને મેકલે કે જેથી તેને હું ચારીનો માલ બતાવું અને પછી દીક્ષા લઈને મારા જન્મને સફળ કરૂં.” પછી શ્રેણિકરાજાની આજ્ઞાથી અભયકુમાર અને બીજા લોકો કૌતુકથી તે ચારની સાથે ચાલ્યા. રોહિણીએ પર્વત, નદી, કુંજ અને સ્મશાન વિગેરેમાં દાટેલું રીનું ધન અભયકુમારને બતાવ્યું. અભયકુમારે જે જેનું હતું, તે તેને સોંપી દીધું. “નીતિ અને નિર્લોભી મંત્રીઓની બીજી મર્યાદા હોય નહીં.” પછી પોતાના માણસોને જે વાત હતી તે બધી સમજાવીને શ્રદ્ધાળુ રૌહિણેય પ્રભુની પાસે આવ્યા. અને શ્રેણિકરાજાએ જેનો નિક્રમણ મહોત્સવ કરે છે, એવા તે રૌહિણેયે શ્રી વીરપ્રભુની પાસે દીક્ષા લીધી. પછી તેણે અનુક્રમે કમનું ઉન્મેલન કરવાને માટે ચતુર્થ (એક ઉપવાસ)થી માંડીને છમાસી ઉપવાસ સુધીનું ઉજવળ તપ આચર્યું. પ્રાંતે તપસ્યાથી કૃશ થઈ ભાવસંલેખના કરી, શ્રી વિરપ્રભુની રજા લઈને તેણે વૈભારપર્વત ઉપર પાદપપગમ અનશન કર્યું. શુભ ધ્યાનપૂર્વક પંચ પરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરતાં રોહિણેય મહામુનિ મનુષ્ય દેહને ત્યજી દઈને સ્વર્ગે ગયા. ભગવંત શ્રી વિરપ્રભુ જઘન્યથી પણ કેટી દેવતાઓથી પરવરેલા તીર્થકૃત નામકમની નિજર કરવાને માટે વિહાર કરવા લાગ્યા. ધર્મદેશના વડે કેટલાક રાજા મંત્રી વિગેરેને શ્રાવક કર્યા અને કેટલાકને યતિ કર્યા. અહીં શ્રેણિકરાજા રાજગૃહ નગરમાં સમકિતને ધારણ કરતો નીતિથી રાજ્યનું પાલન કરતો હતો, તેવામાં એક વખતે ચડપ્રદ્યોત રાજ ઉજજયિની નગરીથી સર્વ સામગ્રી સહિત રાજગૃહી નગરીને રૂંધવા માટે ચાલ્યા. ચંડપ્રદ્યોત રાજા અને તેની સાથેના બીજા મુગટધારી ચૌદ રાજાઓને જાણે પંદર પરમાધાર્મિક હોય તેવી નજરે જોકે એ જોયા. સુંદર ગતિવડે ચાલતા અથી જાણે પૃથ્વીને ફડતો હોય તેવી રીતે આવતા ચંડપ્રોત રાજાના ખબર બાતમીદારે એ શ્રેણિકરાજાને આપ્યા. એટલે શ્રેણિકરાજાને ચિંતા થઈ કે, “ક્રૂર ગ્રહની જેમ ક્રોધ કરીને અહીં આવતા પ્રદ્યોત રાજાને મારે કેવી રીતે હઠાડ?” ઔત્પાતિકી વિગેરે બુદ્ધિના ભંડાર રૂપ અભયકુમારના મુખ સામું શ્રેણિકરાજાએ અમૃત જેવી દૃષ્ટિથી જોયું. એટલે યથાર્થ નામવાળા અભયકુમારે કહ્યું કે, ઉજજયિની નગરીનો પ્રદ્યોત ભલે મારા યુદ્ધનો અતિથિ થાય, તેમાં શી ચિંતા છે? વળી જે કદિ તેને પરાસ્ત કરવાનું કામ બુદ્ધિસાધ્ય લાગશે તો હું શસ્ત્રશસ્ત્રની કથા સાથે તેમાં મારી બુદ્ધિને પણ યોજીશ, કારણ કે “બુદ્ધિ શત્રુને વિજય કરવામાં કામધેનુ જેવી છે.” પછી અભયકુમારે શત્રુના સૈન્યને નિવાસ કરવા યોગ્ય ભૂમિમાં લોઢાના સંપુટમાં સોનૈયા ભરી ભરીને દાટયા. એટલામાં તે સમુદ્રના જળથી ભૂગોળની જેમ પ્રદ્યોતરાજાના સૈનિકે એ Page #209 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ સર્ગ ૧૧ મો]. રૌહિણેય વિગેરેનાં વૃત્તાંતે રાજગૃહીપુરીને ઘેરી લીધું. પછી અભયકુમારે દેવ જેવી મધુર વાણી બોલનારા ગુપ્ત પુરૂષદ્વારા પ્રદ્યોતરાજાની ઉપર એક ખાનગી લેખ મોકલ્યો. તેમાં લખ્યું કે, શિવાદેવી અને ચિલણુની વચ્ચે હું જરા પણ ભેદ જેતે નથી, તેથી તમે પણ શિવદેવીના સંબંધથી મારે માનવા રોગ્ય છે. હે ઉજજયિનીના રાજા! તેજ કારણથી તમારું એકાંત હિત કરવાની ઈચ્છાથી હું તમને જણાવું છું કે, તમારી સાથેના બધા રાજાઓને શ્રેણિકરાજાએ ખુટવી દીધા છે. તેઓને સ્વાધીન કરવા માટે તેમણે પુષ્કળ સેનૈયા મોકલ્યા છે. જેથી તેઓ લાગ જોઈ તમને બાંધીને મારા પિતાને સેંપી દેશે. તેની ખાત્રીને માટે તેઓના વાસગૃહમાં તેઓએ સોનૈયા દાટવા હશે તે ખેદાવીને જોઈ લેજે. કેમકે દીપક છતાં અગ્નિને કોણ જુવે.” આ પ્રમાણેનો પત્ર વાંચી તેણે એક રાજાના આવાસ નીચે ખેદાયું, તે ત્યાંથી સેનયા નીકળ્યા, એટલે પ્રદ્યોતરાજાએ એકદમ ત્યાંથી પડાવ ઉઠાવી ઉજજયિની તરફ ભાગવા માંડયું. તેના નાસી જવાથી સર્વ સૈન્ય સાગરની જેમ ક્ષોભ પામી ગયું, એટલે મગધપતિએ તેમાંથી હાથી ઘોડા વિગેરે જેટલું લેવાય તેટલું લઈ લીધું. જીવ નાસિકાએ ચડાવીને પ્રદ્યોત રાજા તે વાયુવેગી અશ્વ વડે ઉતાવળો પિતાની નગરીમાં પિસી ગયે. તેની સાથે જે મુગટબદ્ધ રાજાઓ અને બીજા મહારથી હતા તેઓ પણ કાગડાની જેમ નાસી ગયા. કારણકે “નાયક વગરનું સૈન્ય હણાયેલુંજ છે.” કેશ બાંધવાનો પણ અવકાશ ન મળવાથી છુટા કેશ તેમજ છત્ર વગરના મસ્તકવડે નાસતા તેઓ પ્રદ્યોતરાજાની પછવાડે ઉજજયિનીમાં આવી પહોંચ્યા. પછી પરસ્પર વાતચિત થતાં “આ બધી અભયકુમારની માયા છે, અમે ખુટયા નથી.” એમ કહી તેઓએ સોગન ખાઈને પ્રદ્યોતરાજાની ખાત્રી કરી આપી. એકદા ઉજજયિનીના રાજા પ્રદ્યોતે ક્રોધપૂર્વક સભા વચ્ચે કહ્યું કે, “જે કોઈ અભયકુમારને બાંધી લાવીને મને સેંપશે તેને હું ખુશી કરીશ.' તે વખતે કઈ એક ગણિકા હાથ ઉંચે કરીને બોલી કે “એ કામ કરવામાં હું સમર્થ છું.” તે સાંભળી પ્રદ્યોતરાજાએ તેને આજ્ઞા કરી કે, “તે કામ તું કર, તારે જેટલી જેશે તેટલી દ્રવ્ય વિગેરેની સહાય હું આપીશ.” તેણીએ વિચાર્યું કે, “અભયકુમાર બીજા કેઈ ઉપાયોથી પકડાશે નહીં, તેથી ધર્મનું છળ કરીને મારું કાર્ય સાધ્ય કરૂં? આમ વિચારી તેણીએ બીજી બે યુવાન સ્ત્રીઓની માગણી કરી. રાજાએ તે આપી અને પુષ્કળ દ્રવ્ય આપ્યું. પછી તે ત્રણે સ્ત્રીઓ કઈ સાધ્વીની આદરપૂર્વક ઉપાસના કરીને ઘણી ઉગ્ર બુદ્ધિવાળી હોવાથી થોડા વખતમાં બહુશ્રુત થઈ, ત્રણ જગતને છેતરવાને માયાની ત્રણ મૂત્તિ હોય તેવી તે ત્રણે શ્રેણિકના નગરમાં આવી. તે વારાંગનાઓએ નગરની બહાર ઉદ્યાનમાં નિવાસ કર્યો, અને પછી ચૈત્યોના દર્શન કરવાની ઇચ્છાએ તેણીઓ શહેરમાં આવી. અતિશય વિભૂતિવડે નૈધિક વિગેરે ક્રિયા કરીને અને પ્રભુની પૂજા કરીને તેમણે માલકેશ વિગેરે રાગરાગણીમાં પ્રભુની સ્તુતિ કરવા માંડી. તે વખતે દેવ વાંદવાની ઈચ્છાએ અભયકુમાર ત્યાં આવેલ હતા, તેણે પિતાની આગળ પ્રભુની સ્તવના કરતી તે ત્રણે સ્ત્રીઓને દીઠી. તેથી “મારા પ્રવેશથી આ શ્રાવિકાઓને દેવભક્તિમાં Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પ ૧૦ મું વિઘ્ન ન થાઓ.” એમ ધારી તે દ્વારની પાસેજ ઉભે રહ્યો. રંગમંડપમાં પિઠો નહીં. પછી મુક્તાશુક્તિ મુદ્રાવડે પ્રણિધાન સ્તુતિ કરીને તે ઉભી થઈ એટલે અભયકુમાર અંદર આવ્યું, અને તેની સુંદર ભાવના, સુંદર વેષ અને ઉપશમ ભાવ જોઈ, તેની પ્રશંસા કરી આનંદપૂર્વક બોલ્યા કે, “ભદ્ર! સારે ભાગ્યે મને તમારા જેવા સાધમિકનો સમાગમ થયો છે. આ સંસારમાં વિવેકીઓને સાધમી જેવો કોઈ બંધુ નથી. તમે કેણું છે! અહિં કેમ આવ્યા છે? નિવાસ કયાં કર્યો છે? આ બીજી બે સ્ત્રીઓ કોણ છે? કે જેમનાથી સ્વાતિ અને અનુરાધા નક્ષત્રવડે ચંદ્રલેખાની જેમ તમે શોભે છે.” તે કપટશ્રાવિકા બેલી-“ઉજજયિનીનગરીના એક ધનાઢ્ય વ્યાપારીની હું વિવાહિત થયેલી વિધવા સ્ત્રી છું. આ બે મારી પુત્રવધૂ છે, તે પણ કાળધર્મથી ભગ્ન વૃક્ષવાળી લતાની જેમ વિધવા થવાથી નિસ્તેજ થયેલી છે. તેઆએ વિધવા થતાંજ વ્રતને માટે મારી રજા માગી હતી, કારણ કે “વિધવા થયેલી સતીઓનું શરણું વ્રતજ છે. ત્યારે મેં કહ્યું છે કે, વૃદ્ધ નહીં થયેલી એવી હું પણું વ્રતને જ ગ્રહણ કરીશ. પરંતુ હાલ તો તીર્થયાત્રાવડે ગૃહસ્થપણાનું ફળ ગ્રહણ કરીએ, કારણ કે વ્રત લીધા પછી તો ભાવપૂજા થાય છે, દ્રવ્યપૂજા થતી નથી. એવું ધારીને હું મારી બંને પુત્રવધૂને સાથે લઈને તીર્થયાત્રાને માટે નીકળી છું.” અભયકુમાર બાલ્યા કે, “તમે આજે મારા અતિથિ થાઓ, સાધમીઓનું આતિથ્ય તીર્થથી પણ અતિ પવિત્ર છે. તે સાંભળીને તેણે અભયકુમાર પ્રત્યે બોલી કે, “તમે યુક્ત કહે છે, પણ આજે તો અમે તીર્થોપવાસર કર્યો છે, તેથી તમારા અતિથિ શી રીતે થઈએ?' આવી તેમની વૃત્તિ જોઈ વિશેષ ખુશી થયેલા અભયે કહ્યું કે, “ ત્યારે કાલે પ્રાતઃકાળે અવશ્ય મારે ઘેર આવજે.” તે બોલી કે એક ક્ષણમાં પણ પ્રાણું પિતાને જન્મ પૂર્ણ કરે છે, તો “હું કાલે પ્રાત:કાળે આમ કરીશ” એમ સદ્દબુદ્ધિવાળો મનુષ્ય કેમ બોલે ?” “વારૂ, ત્યારે આજે તે ભલે તેમ થાઓ, કાલે પ્રાતઃકાળે કરીને હું આમંત્રણ કરીશ.” એમ ચિંતવી અભયકુમાર તેમને વિદાય કરી ચૈત્યવંદન કરી પિતાને ઘેર ગયો. બીજે દિવસે પ્રાતઃકાળે અભયકુમારે તેમને નિમંત્રણ કર્યું અને ગૃહચૈત્યની વંદના કરાવી ભોજન કરાવીને પુષ્કળ વસ્ત્ર વિગેરે આપ્યું. અન્યદા તે કપટશ્રાવિકાએ અભયકુમારને નિમંત્રણ કર્યું. તેથી તે નગ્ન થઈને તેણીને ઉતારે ગયો. તેવા સજજનો સાધર્મિક બંધુના આગ્રહથી શું ન કરે.” તેણે વિવિધ પ્રકારના ભેજનવડે અભયકુમારને જમાડયા. અને ચંદ્રહાસસુરાએ મિશ્રિત જળનું પાન કરાવ્યું; તેથી અભયકુમાર જમીને તત્કાળ સુઈ ગયા. મદ્યપાનની પ્રથમ સહચરી નિદ્રાજ છે. પછી સ્થાને સ્થાને સંકેત કરી રાખેલા રવિડે તે દુર્લભ કપટવાળી વેશ્યાએ અભયકુમારને ઉજજયિની નગરીમાં પહોંચાડી દીધા. અહીં પાછળ શ્રેણિકરાજાએ તરતજ અભયની શોધ કરવાને માટે સ્થાને સ્થાને માણસે મોકલ્યા. તેઓએ ૧ વૃદ્ધ થયા અગાઉ. ૨ કઈ પણ નવા તીથે જવું ત્યારે પ્રથમ દિવસે ઉપવાસ કરવાની પ્રવૃત્તિ (વિધિ) છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૧ મ ]. રોહિણેય વિગેરેનાં વૃત્તાંતે [૧૭ શોધતાં શોધતાં તે કપટીશ્રાવિકા પાસે જઈને પૂછયું કે, “અહી અભયકુમાર આવ્યા હતા ?' તે બોલી કે “હા, અહીં આવ્યા હતા ખરા, પણ તે તે તત્કાળ પાછા ચાલ્યા ગયા છે.” તેણીનાં વચનની પ્રતીતિથી તે શોધ કરનારા બીજે શેધવા ગયા. પછી તે કપટીશ્રાવિકા સ્થાને સ્થાને રાખેલા અવડે અવંતીમાં આવી પહોંચી. તે પ્રચંડ રમણીએ ચડપ્રદ્યોતને અભયકુમાર સેંપી દીધા. પછી અભયકુમારને જે ઉપાયવડે તે લાવી હતી તે ઉપાયનું સ્વરૂપ કહી બતાવ્યું. એટલે પ્રદ્યોતે કહ્યું કે, “તું આ ધમના વિશ્વાસી અભયકુમારને ધર્મના કપટથી પકડી લાવી તે કાંઈ ઠીક કર્યું નહીં. પછી રાજાએ અભયકુમારને કહ્યું કે–સીત્તેર વાતેના કહેનારા તારા જેવા નીતિજ્ઞ પુરૂષને પણ શુક પક્ષીને મારી પકડી લાવે તેમ આ સ્ત્રી પકડી લાવી.” અભયકુમારે કહ્યું કે, “તમેજ એક આ જગતમાં બુદ્ધિમાન છે કે જેની આવી બુદ્ધિથી રાજધર્મ વૃદ્ધિ પામે છે. તે સાંભળી ચંડપ્રોત શરમાયો, તેમજ કોપાયમાન થયે, તેથી તેણે અભયકુમારને રાજહંસની જેમ કાષ્ટના પાંજરામાં નાખ્યો. પ્રદ્યોતરાજાના રાજ્યમાં અગ્નિભીરૂ રથ, શિવાદેવી રાણુ, અનલગિરિ હાથી અને લેહજંઘ નામે લેખ લઈ જનાર દૂત એ ચાર રત્નો હતા. રાજા વારંવાર લેહજંઘને બ્રગુકરછ નગરે મોકલતું હતું. તેના વારંવાર જવા આવવાથી કલેશ પામેલા ત્યાંના લોકોએ વિચાર્યું કે, “આ એક દિવસે પચવીશ પેજન આવે છે અને વારંવાર આપણી ઉપર નવા નવા હુકમે લાવ્યા કરે છે માટે તેને આપણે મારી નાખીએ. આ વિચાર કરી તેઓએ એક દિવસ તેના ભાતામાં વિષમિશ્રિત લાડુ મૂક્યા ને સારા હતા તે લઈ લીધા. તે ભાતું લઈને લેહજંઘ અવંતી તરફ ચાલ્યો. કેટલાક માગ ઉલ્લંઘન કરી કઈ નદીના તટ ઉપર તે ભાતું ખાવા બેઠા. ત્યાં તેને અપશુકનેએ નિવાર્યો. વળી તે દૂર ગયે, ત્યાં પણ અપશુકનોએ નિવાર્યો. એટલે ભાતું ખાધા વિના અવંતીએ આવીને એ વૃત્તાંત તેણે પ્રદ્યોત રાજાને કહ્યો. રાજાએ અભયકુમારને બોલાવીને પૂછયું, એટલે તે બુદ્ધિમાને ભાતાની કોથળી મંગાવી સુંઘીને કહ્યું કે, “આમાં તેવા પ્રકારના દ્રવ્ય સંયોગથી દષ્ટિવિષ સર્પ ઉત્પન્ન થયો છે. તેથી જે આ કથળી લેહજ છેડી હતી તે તે દગ્ધ થઈ જાત. માટે હવે આને અરણ્યમાં પરાQમુખ રહીને મૂકી ઘો.” રાજાએ તે પ્રમાણે મૂકાવ્યું, એટલે તેની દષ્ટિથી ત્યાંના વૃક્ષો દગ્ધ થઈ ગયા અને તે મૃત્યુ પામી ગયે. આ સઘળું જઈ ચંડધોતે અભયકુમારને કહ્યું કે “અભય! તે લેહજઘને બચાવ્યો છે, તેથી છુટા થવાની માગણુ વગર બીજું વરદાન માગ. અભયકુમાર બેલ્યો કે, “હું એ વરદાન થાપણરૂપે જ તમારી પાસે રાખું છું.” સમુદ્રમાંથી લક્ષ્મીની જેમ ચંડપ્રોત રાજાને અંગારવતી રાણીથી વાસવદત્તા નામે એક પુત્રી હતી. ધાત્રીજને લાલન કરેલી તે પુત્રી અનુક્રમે સાક્ષાત્ રાજ્યલકમીની જેમ રાજગૃહના આંગણામાં રમતી હતી. સર્વ લક્ષણવડે સંપૂર્ણ અને વિનયાદિ ગુણોથી યુક્ત એવી તે બાળાને અતિ વાત્સલ્યને લીધે પ્રતરાજા પુત્રથી પણ અધિક માનતે હતે. તે બાળા ગુરૂની પાસેથી સર્વ કળા શીખી, માત્ર કેઈ યોગ્ય ગુરૂ વગર ગંધર્વવેદ શીખો Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું બાકી રહ્યો. એક વખતે રાજાએ પિતાના બદષ્ટ અને બહુશ્રત મંત્રીને પૂછયું કે, “આ દુહિતાને ગંધર્વની શિક્ષામાં કેણ ગુરૂ થશે?” મંત્રી બોલ્યો કે “જાણે તુંબરૂ ગંધર્વની બીજી મૂર્તિ હોય તે ઉદયન નામે રાજા છે, તેની પાસે ગાંધર્વકળા બહુ અતિશયવાળી સંભળાય છે. તે વનમાં ગીતવડે મોહ પમાડીને મોટા ગજેન્દ્રોને પણ બાંધી લે છે. જ્યારે તે વનમાં જઈને ગીત ગાય છે ત્યારે તેથી મોહ પામેલા ગજેકો જાણે સ્વાદિષ્ટ રસ પીતા હોય તેમ બંધનને પણ ગણતા નથી. ગીતના ઉપાયથી જેમ તે વનમાં હાથીઓને બાંધી લે છે તેમ તેને બાંધીને અહિં લાવવાનો પણ ઉપાય છે. તે કાર્ય માટે આપ જાણે સાચો હોય તે કાષ્ટનો એક હસ્તી કરાવે, તેમાં એવો યંત્રપ્રયોગ કરા કે જેથી તે ગતિ અને આસન વિગેરે ક્રિયાઓ કરે. તે કાગજની મધ્યમાં શસ્ત્રધારી પુરૂ રહે અને તેને યંત્રથી ચલાવે, પછી તે હાથીને જોઈને વત્સરાજ પકડવા આવે, એટલે તેને બાંધીને અંદરના પુરૂષે અહીં લઈ આવે. આ પ્રમાણે થવાથી કબજામાં આવેલ ઉદયનરાજા તમારી દુહિતા વાસવદત્તાને ગાંધર્વ વિદ્યા શીખવશે.” રાજા સાબાશી આપવા સાથે તેના વિચારમાં સંમત થયો. એટલે મંત્રીએ સાચા હાથીથી પણ ગુણમાં અધિક એવો કાષ્ટનો હાથી કરાવ્યું. દંતઘાત, કર (મું)નો ઉલ્લેપ, ગર્જના અને ગતિ વિગેરેથી વનચરોએ તેને કૃત્રિમ હાથી જાશે નહીં. એટલે તેઓએ જઈને તે ગજેદ્રના ખબર ઉદયન રાજાને આપ્યા. પછી ઉદયનરાજા તેને બાંધી લેવાને વનમાં આવ્યું. પરિવારને દૂર રાખી પિતે જાણે શકુન શોધતું હોય તેમ હળવે હળવે વનમાં પેઠે. તે માયાવી હાથીની પાસે આવીને કિનરને પરાભવ કરે તેમ ઉંચે સ્વરે ગાવા લાગ્યા. જેમ જેમ ઉદયન અમૃત જેવું સ્વાદિષ્ટ ગાયન ગાવા લાગ્યો તેમ તેમ હાથીની અંદર રહેલા પુરૂષ તે કૃત્રિમ હસ્તીના અંગને સ્તબ્ધ કરવા લાગ્યા. કૌશાંબીપતિ ઉદયન તે ગજેને પિતાના ગીતવડે માહિત થયેલ જાણી અંધકારમાં ચાલતા હોય તેમ હળવે હળવે તેની પાસે આવ્યું. પછી “આ હાથી મારા ગીતથી સ્તબ્ધ બની ગયો છે, એમ ધારી તે રાજા વૃક્ષ પર પક્ષીની જેમ છલંગ મારીને તેની ઉપર ચડી બેઠા. એટલે તત્કાળ પ્રદ્યોતરાજાના સુભટેએ હાથીના ઉદરમાંથી બહાર નિકળી વત્સરાજ (ઉદયન)ને હાથીના સ્કંધ ઉપરથી પાડીને બાંધી લીધે. એકલા, શસ્ત્ર વગરના એક વિશ્વાસી એવા ઉદયનને ડુક્કરને શ્વાન ઘેરી લે તેમ સુભટોએ ઘેરી લીધે, તેથી તેણે કાંઈ પણ પરાક્રમ બતાવ્યું નહીં. સુભટોએ ઉદયનને અવંતી લાવી ચંડપ્રદ્યોતને સોંપ્યો, એટલે રાજાએ તેને કહ્યું કે, “મારે એક આંખવાળી પુત્રી છે, તેને તમે તમારી ગંધર્વકળા શીખવે. મારી દુહિતાને અભ્યાસ કરાવવાથી તમે મારા ઘરમાં સુખે રહી શકશે, નહિં તે બંધનમાં આવવાથી તમારું જીવિતવ્ય મારે આધિન છે.” ઉદયને વિચાર કર્યો કે, “હાલ તે આ કન્યાને અભ્યાસ કરાવીને હું કાળ નિર્ગમન કરૂં. કેમકે જીવતે નર ભદ્ર જુવે છે.” આ પ્રમાણે ચિત્તમાં Page #213 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૧ મે] રૌહિણેય વિગેરેનાં વૃત્તાંત [૧૯૯ નિશ્ચય કરીને વત્સરાજે ચંડપ્રદ્યોતની આજ્ઞાને કબુલ કરી. “જે સમયને જાણે તેજ પુરૂષ છે.” પછી ચંડપ્રદ્યોતે કહ્યું, “મારી દુહિતા કાણી છે, માટે તું તેને કદિ પણ જોઈશ નહીં, જોઈશ તે તે લજજા પામશે.” આ પ્રમાણે ઉદયનને કહીને તે અંતઃપુરમાં ગયા અને રાજકુમારીને કહ્યું કે, “તારે માટે ગાંધર્વવિદ્યા શીખવનાર ગુરૂ આવેલ છે, પણ તે કુષ્ટી છે, માટે તારે તેને પ્રત્યક્ષ કે નહીં.” કન્યાએ તે વાત સ્વીકારી. પછી વત્સરાજે તેણીને ગાંધર્વવિદ્યા શીખવવા માંડી. પરંતુ પ્રદ્યોતરાજાએ બંનેને ઠગેલા હોવાથી તેઓ એક બીજાની સામું જોતા નહીં. એક વખતે “હું આને જોઉં તો ઠીક” એમ વાસવદત્તાના મનમાં આવ્યું; તેથી તે ભણવામાં શૂન્ય મનવાળી થઈ ગઈ કેમકે “મનને આધીન ચેષ્ટા થાય છે.” વત્સરાજે તે વખતે અભ્યાસમાં શૂન્યતા જોઈને અવંતીપતિની કુમારીને તરછોડીને કહ્યું કે, “અરે કાણું શીખવામાં ધ્યાન નહીં આપીને તું ગાંધર્વશાસને કેમ વિનાશ કરે છે? શું તું દુશિક્ષિતા છું? આવા તિરસ્કારથી કાપ પામીને તેણીએ વત્સરાજને કહ્યું કે, “શું તું જાતે કુષ્ટી છું તે તો નથી કે મને મિથ્યા કાણી કહે છે. વત્સરાજે વિચાર્યું કે “જેવો હું કુષ્ટી છું, તેવી જ આ કાણી હશે, અર્થાત તે બંને વાત ખોટી જણાય છે. માટે અવશ્ય તેને જોઉં. આ વિચાર કરી ચતુર ઉદયને તરતજ મધ્યમાં રહેલ વસ્ત્રનો પડદે દૂર કર્યો, એટલે વાદળાંમાંથી મુક્ત થયેલ ચંદ્રલેખા જેવી વાસવદત્તા તેના જેવામાં આવી. વાસવદત્તાએ પણ લોચન વિસ્તારીને સાક્ષાત્ કામદેવ જેવા સર્વાગ સુંદર ઉદયનકુમારને જોયો. વાસવદત્તાએ અને વત્સરાજે પરસ્પર જોઈને અનુરાગની સમૃદ્ધિને સૂચવનારૂં હાસ્ય કર્યું. પ્રદ્યોતકુમારી બોલી કે-“હે સુંદર! મને ધિક્કાર છે કે મારા પિતાએ છેતરવાથી અમાવાસ્યા તરીકે ગણાયેલા ચંદ્રની જેમ મેં તમને આજ સુધી જોયા નહીં. તે કલાચાર્ય! તમે તમારી કળા જે મારામાં સંક્રમિત કરી છે તે તમારા ઉપયોગમાંજ આવે. અર્થાત તમે જ મારા પતિ થાઓ.” વત્સરાજે કહ્યું કે, “ભદ્ર! તું કાણું છું એમ કહીને તારા પિતાએ મને પણ તેને જેવાથી નિવાર્યો અને આજ દિન સુધી છેતર્યો. હે કાંતે! હાલ તો અહિં રહેતાં આપણે ગ થાઓ. પછી જ્યારે સમય આવશે ત્યારે અમને ગરૂડ લઈ ગયે તેમ હું તને હરી જઈશ.” આ પ્રમાણે સ્વયંtતીપણું કરી ચાતુર્યયુક્ત આલાપસંલાપ કરતાં તેમને મનના સંયોગની સ્પર્ધા કરતો હોય તેમ શરીરસંગ પણ થઈ ગયો. વાસવદત્તાની વિશ્વાસપાત્ર કાંચનમાળા નામે એક ધાત્રી દાસી હતી, તે એકજ આ બંનેનું ચરિત્ર જાણતી હતી. તે એકજ દાસીથી સેવાતા હોવાથી તે બંનેનું દાંપત્ય કોઈએ પણ જાણ્યું નહીં, એટલે તેઓ સુખે સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યા. એક વખતે અનલગિરિ હાથી બંધનસ્થાન તેડી મહાવતોને પાડી નાખીને સ્વેચ્છાએ છૂટો થઈ ગયો અને જ્યાં ત્યાં ભમતો છતો નગરજનોને ક્ષોભ કરવા લાગ્યો. તેથી આ અવશ થયેલા હાથીને શી રીતે વશ કરે?' એમ રાજાએ અભયકુમારને પૂછ્યું, એટલે તેણે કહ્યું કે, “ઉદયનની પાસે ગાયન કરાવે, તેથી તે વશ થશે. પ્રદ્યોતે ઉદયનને કહ્યું કે, Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦] ' શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મો અનલગિરિ હાથીની પાસે જઈ ગાયન કરો.” ઉદયને વાસવદત્તાની સાથે હાથી પાસે જઈને ગાયન કર્યું. તે ગાયન સાંભળી હાથી સ્તબ્ધ થઈ ગયો, એટલે તેને બાંધી લીધે. રાજા પ્રદ્યોતે અભયકુમારને બીજી વાર વરદાન આપ્યું. અભયકુમારે તેને પણ પૂર્વની જેમ થાપણ તરીકે જ રહેવા દીધું. એક વખતે ઉજાણીને નિમિત્તે ચંડપ્રધાતાજા અંતઃપુર પરિવાર સહિત મહદ્ધિક નગરજનોની સાથે ઉદ્યાનમાં ગયો હતો. તે સમયે ગંધરાયણ નામે ઉદયન રાજાનો મંત્રી તેમને છોડાવી લઈ જવાનો ઉપાય ચિંતવતે માર્ગમાં ફરતો હતો. તેને આજ ઉપાય મળી જવાથી તે પિતાની બુદ્ધિના વૈભવની ગરમીને અંતરમાં જીરવી શક્યો નહીં, તેથી બલી ઉઠયો. “પ્રાયઃ જે મનમાં હોય તેજ વચનમાં આવે છે.” તે બોલ્યો કે, “તે વિશાળ લેનવાળી સ્ત્રીને મારા રાજાને માટે જે હું ન હરી જાઉં તો મારું નામ ગંધરાયણ નહીં.” માર્ગે જતાં ચંડપ્રદ્યોતરાજાએ તેની આ ગર્વિષ્ટ વાણી સાંભળી તેથી દુષ્ટ કટાક્ષ ભરેલા ને તેની સામે જોયું. ચેષ્ટાઓથી હૃદયભાવને જાણનારા ગંધરાયણે તરતજ પ્રદ્યોતરાજા કે પાયમાન થયાનું જાણી લીધું. તેથી તાત્કાલિક બુદ્ધિવાળાઓમાં અગ્રેસર એવા તેણે પોતે કૌશાંબીપતિના કબજામાં આવી ગયો હતો તેમાંથી છૂટા થવા માટે આ પ્રમાણે ઉપાય કર્યા. તત્કાળ પહેરવાનું વસ કાઢી નાખી માથા પર મૂક્યું અને પ્રેત જેવી વિકૃત આકૃતિ કરી મૂત્રોત્સર્ગ કરતો તે પોતાને ભૂત વળગ્યું છે” એમ જણાવવા લાગ્યો. તે જોઈ “આ કેઈ પિશાચક છે” એવું ધારીને રાજાએ તરતજ કેપને નિગ્રહ કર્યો, એટલે મહાવતે પણ હાથીને આગળ ચલાવ્યો. ચંડપ્રદ્યોત રાજાએ સુંદર ઉદ્યાનમાં જઈ કામદેવરૂપ ઉન્મત્ત હસ્તીને ઉત્તેજિત કરવાના મહા ઔષધરૂપ ગાંધવગેષ્ટી શરૂ કરી. કૌતુકી એવા પ્રદ્યોતરાજાએ ગાંધર્વ વિદ્યાની નવીન કુશળતા જેવાને માટે વાસવદત્તાને અને વત્સરાજને પણ ત્યાં બોલાવ્યા. તે વખતે વત્સરાજે વાસવદત્તાને કહ્યું કે, “હે શુભમુખી બાલા! આજે વેગવતી હાથિણી ઉપર બેસીને નાસી જવાને આપણને વખત મળે છે. તે સાંભળી ઉજજયિનીપતિની દુહિતાએ ઉદયન રાજાની આજ્ઞાથી તત્કાળ વેગવતી હાણિણી સજજ કરીને મંગાવી. જ્યારે હાથિણીને તંગ બાંધવા માંડવ્યો ત્યારે તે હાથિણુંએ ગર્જના કરી. તે સાંભળી કોઈ અંધ જોષીએ કહ્યું કે, “તંગ બાંધતાં જે હાથિણીએ ગર્જના કરી છે, તે સે જન જઈને પોતાના પ્રાણ ત્યાગ કરશે.' પછી ઉદયનની આજ્ઞાથી વસંત મહાવતે હાથિણીને બંને પડખે ચાર તેના મૂત્રના ઘડાઓ બાંધ્યા. પછી વત્સરાજ, ષવતીર, વાસવદત્તા, કાંચનમાળા ધાત્રી અને વસંત મહાવત એ પાંચ જણ વેગવતી હાથિણી ઉપર આરૂઢ થયા. એટલામાં ગંધરાયણે આવીને ઉદય૧ પિશાચ વળગેલ હેય તે મનુષ્ય. ૨ જોષવતી વીણા જેના હાથમાં છે તે. Page #215 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૧ મે ] ૌહિણેય વિગેરેનાં વૃત્તાંતે [૨૦૧ નને હાથવતી સંજ્ઞા કરીને કહ્યું કે, “ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ.” પછી તે ચાલતાં ચાલતાં બે કે-“આ વાસવદત્તા, કાંચનમાળા, વસંતક, ઘોષવતી અને વત્સરાજ વેગવતી હાથિણી ઉપર બેસીને જાય છે.” ઘણા વેગથી હાથિણીને ચલાવતાં વત્સરાજ પણ સર્વેને જાણતો થયે. ગુપ્તપણે નાસી જઈને તેણે ક્ષત્રિયવતને લેપ્યું નહીં. આ પ્રમાણે પાંચ જણની સાથે ઉદયન જતા રહ્યાની ખબર જાણી જાણે પાશક્રિીડા કરતો હોય તેમ પ્રદ્યોત હાથ ઘસવા લાગ્યો. પછી મહા પરાક્રમી ઉજજયનીપતિએ તરતજ અનલગિરિ હાથીને તૈયાર કરાવી, તેના પર મહા યુદ્ધાઓને બેસાડીને તેના પછવાડે પકડી લાવવા રવાને કર્યો. એકદમ પચવીશ યોજન પૃથ્વીનું ઉલ્લંઘન કરી તે હાથી વેગવતી હાથિણની નજીક આવી પહોંચ્યો. એટલે ઉદયને ભયંકર હાથીને દીઠે. તરત જ ચાર ઘડામાંથી એક મૂત્રને ઘડો પૃથ્વી પર પછાડી ફોડી નાખે. અને હાથિણીને હંકારી મૂકી. હાથિણીનું મૂત્ર સુંઘવા માટે અનલગિરિ હાથી ક્ષણવાર ઉભે રહ્યો. પછી જ્યારે ઘણા કષ્ટ હાંક્યો, ત્યારે પાછે ઉદયનની પાછળ ચાલ્યું. બીજીવાર નજીક આવતાં બીજે મૂત્રને ઘડે ફોડ્યો. એટલે વળી હાથી ક્ષણવાર અટક્યો. એવી રીતે ચારે ઘડા ફેડી વત્સરાજે અનલગિરિ હાથીની ગતિને અટકાવી; અને ચાર કકડે સો યોજન પૃથ્વીને એળંગીને તે કૌશાંબી નગરીમાં પેસી ગયે. શ્રાંત થઈ ગયેલી હાથિણી તરતજ મૃત્યુ પામી ગઈ. પછી જેવામાં મૂત્રને સુંઘતો હાથી આવી પહએ, તેવામાં તો કૌશાંબીપતિની સેના યુદ્ધ કરવાને તૈયાર થઈ સામી આવી. એટલે હાથી પર બેઠેલા મહાવતો અનલગિરિને પાછો વાળી જેમ આવ્યા હતા તેમજ પાછા ઉજજયિનીએ ચાલ્યા ગયા. પછી કપમાં યમરાજ જેવા રાજા પ્રદ્યોતે સૈન્યની તૈયારી કરવા માંડી, પણ ભક્ત એવા કુળમંત્રીઓએ તેને યુક્તિપૂર્વક સમજાવીને નિવાર્યો અને કહ્યું કે, “હે રાજન્ ! તમારે કઈ રોગ્ય વરને કન્યા તે આપવીજ હતી, ત્યારે વત્સરાજથી અધિક એ બીજે કયો જામાતા મેળવશે? વાસવદત્તા સ્વયંવરા થઈને તેને વરી તે હે સ્વામિન્ ! તેને પુણ્યથી તેને ચગ્ય વરની પ્રાપ્તિ થઈ એમ સમજે. માટે યુદ્ધની તૈયારી કરે નહીં, તેનેજ જામાતા માને, કારણ કે તે વાસવદત્તાના કૌમારપણાને હરનાર થયો છે.” આ પ્રમાણે મંત્રીઓએ સમજાવ્યું, એટલે તેણે હર્ષથી વત્સરાજ ઉપર જામાતૃપણને ચગ્ય એવી કેટલીક વસ્તુઓ મેકલી. એક વખતે ઉજેણી નગરીમાં મોટી અગ્નિની લ્હાય લાગી. પ્રદ્યોતે તેની શાંતિને ઉપાય અભયકુમારને પૂછયો, એટલે અભય બે કે-જેમ વિષનો ઉપાય વિષ છે, તેમ અગ્નિનો ઉપાય અગ્નિ છે, માટે બીજે કંઈ ઠેકાણે અગ્નિ પ્રજાળે કે જેથી તે અગ્નિ શાંત થશે.” રાજાએ તેમ કર્યું એટલે તે હાય શાંત થઈ ગઈ. રાજાએ પ્રસન્ન થઈ ત્રીજું વરદાન આપ્યું, તે પણ અભયકુમારે થાપણ તરીકે રાખ્યું. D - 26 Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ ૫૧ ૧૦ મુ એક વખતે ઉજેણી નગરીમાં મહા મરકી ચાલી, તેની શાંતિને માટે રાજાએ અક્ષયકુમારને પૂછ્યું, એટલે અભયકુમાર ખેલ્યેા કે– તમે તમારા અ’તઃપુરમાં આવે ત્યારે વિભૂષિત થયેલી તમારી સ` રાણીએમાંથી જે રાણી તમને દૃષ્ટિથી જીતી લે તેનુ નામ મને આપો.’ રાજાએ તેમ કર્યું, તે વખતે શિવાદેવીએ રાજાને દૃષ્ટિએ જીતી લીધા, રાજાએ તે વાત અભયકુમારને જણાવી. અભયકુમાર ખેલ્યા કે એ મહારાણી શિવાદેવી પેાતાને હાથે કૂરનુ` ખલિદાન આપી ભૂતાની પૂજા કરે, જે ભૂત શિયાળને રૂપે સામે આવે અથવા આવીને બેસે તેના મુખમાં દેવીએ પેાતાને હાથે કૂરખલિ ક્ષેપવવા.' શિવાદેવીએ તે પ્રમાણે કર્યું, એટલે તરતજ ઉત્પન્ન થયેલ અશિવ ( મહામારી )ની શાંતિ થઈ ગઈ. તેથી પ્રસન્ન થઈને રાજાએ ચેાથુ` વરદાન આપ્યું. તે વખતે અભયકુમારે ચારે વસ્તાન ભેગાં માગ્યાં કે, ‘ તમે અનલગિરિ હાથી ઉપર મહાવત થઈને એસે। અને હું શિવાદેવીના ઉત્સંગમાં પાછળ બેસું. પછી અગ્નિભીરૂ રથને ભાંગી તેના કાષ્ટની ચિતા કરાવી તેમાં પ્રવેશ કરીએ.’ આવા અભયકુમારે માગેલા વરદાનને આપવાને અસમ એવા પ્રદ્યોતરાજાએ ખેદ પામી અજિલ જોડીને અભયકુમારને છેડી મૂકી રાજગૃહી તરફ વિદાય કર્યાં. ચાલતી વખતે અભયકુમારે પ્રતિજ્ઞા કરીને કહ્યું કે- તમે તે। મને છળથી પકડી મગાન્યા હતા પણ હું તે તમને ધેાળે દિવસે નગરની વચમાંથી ‘હું રાજા છું' એવા પાકાર કરતાં હરી જઈશ. પછી અક્ષયકુમાર અનુક્રમે રાજગૃહી નગરીએ માન્યે, અને એ મહામતિએ કેટલેક કાળ નિમન કર્યાં. અન્યદા અભયકુમાર વણિકનો વેષ લઈ એ ગણિકાની રૂપવતી પુત્રીઓને સાથે રાખી અવતી નગરીએ આળ્યે, અને રાજમાર્ગ ઉપર એક ઘર ભાડે લઈને રહ્યો. કેાઈ સમયે માગે જતાં પ્રદ્યોતે તે એ રમણીઓને જોઇ અને તેમણે પણ વિલાસપૂર્વક પ્રદ્યોતરાજાને નિરખ્યું, ખીજે દિવસે તે રાગી રાજાએ તેમની પાસે એક હતી મેાકલી. કૃતીએ આવીને ઘણી રીતે વિન'તી કરી પણ તેમણે રાષથી તેના તિરસ્કાર કર્યાં. ખીજે દિવસે પણ તેણીએ આવીને પાછી રાજાને માટે પ્રાર્થના કરી, તે વખતે તેમણે કાંઈક ધીમેથી પણ રાષપૂર્વક અવજ્ઞા કરીને કાઢી મૂકી. ત્રીજે દિવસે તેણીએ ખેદ સાથે આવીને તેની માગણી કરી. ત્યારે તે ખેલી કે—આ અમારા સદાચારી બ્રાતા અમારી રક્ષા કરે છે, પરંતુ તે આજથી સાતમે દિવસે બહાર ગામ જનાર છે તે વખતે રાજાએ અહિ ગુપ્ત રીતે આવવું, જેથી અમારે સ'ગ થશે.' અહિ અભયકુમારે પ્રથોતરાજાની જેવાજ એક પેાતાના માણસને કૃત્રિમ ગાંડા કરી રાખ્યા અને તેનું નામ પણ પ્રદ્યોત પાડ્યુ. અલયકુમાર લેાકેામાં તેને માટે વારવાર કહેતા કે, મારા ભાઈ ગાંડા થઈ ગયા છે, તે જેમ તેમ ભમે છે. મારે તેને મહા મુશ્કેલીએ જાળવવા પડે છે, શું કરવું તે કાંઈ સુઝતું નથી.” અભયકુમાર પ્રતિદિન વૈદ્યને ઘેર લઈ જવાને બહાને તેને આન્તની જેમ માંચા ઉપર સુવાડી માંધીને રસ્તા વચ્ચેથી લઈ જતા હતા. તે વખતે પાકાર કરતા તે ગાંડા ઉન્મત્ત થઇને "ચે સ્વરે આંખમાં અશ્રુ લાવી કહેતા હતા કે, હું પ્રદ્યોત છું, મને આ હરી જાય છે.' * આ : Page #217 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૧ મો] રૌહિણેય વિગેરેનાં વૃત્તાતે ૨૦૩ હવે સાતમો દિવસ આવ્યો, એટલે પ્રોતાજા ગુપ્તપણે અભયકુમારને ઉતારે આવે. તત્કાળ અભયકુમારના સુભટેએ હાથીની જેમ તે કામાંધને બાંધી લીધે. પછી અભયે “આને વઘને ઘેર લઈ જઈએ છીએ' એમ કહી તે પિકારતે રહ્યો અને ધોળે દિવસે શહેરની વચ્ચે થઈ ને ઉપાડો. પ્રથમથી એક એક કેશ ઉપર સારા અશ્વવાળા રથ તૈયાર રાખેલા હતા, તેનાવડ નિભય અભયકુમારે તેને રાજગૃહી નગરીએ એકદમ પહોંચાડી દીધા. પછી અભયકુમાર તેને શ્રેણિકરાજાની પાસે લઈ ગયે, એટલે તત્કાળ શ્રેણિક રાજા પગ ખેંચીને મારવા દેડક્યો. અભયકુમારે તેમને સમજાવ્યા એટલે તે શાંત થયા અને વસ્ત્રાભરણથી સન્માન કરીને તેમણે પ્રદ્યોતરાજાને હર્ષપૂર્વક વિદાય કર્યો. એક વખતે કોઈ કડી આરાએ વિરક્ત થઈને ગણધર શ્રીસુધર્મા સ્વામી પાસે રાજગૃહીમાં દીક્ષા લીધી. પછી શહેરમાં ગોચરી વિગેરે કારણસર ફરતાં તેની પૂર્વાવસ્થાને જાણનારા નગરીના લોકો સ્થાને સ્થાને તેનો તિરસકાર, મશ્કરી અને નિંદા કરવા લાગ્યા. એવી અવજ્ઞાને સહન નહીં કરી શકવાથી તેણે ત્યાંથી વિહાર કરવા શ્રી સુધર્માસ્વામીને જણાવ્યું. સુધર્માસ્વામીએ વિહાર કરવાનો વિચાર અભયકુમારને જણાવ્યું. અભયકુમારે તેનું કારણ પૂછ્યું. તેના જવાબમાં સુધર્માસ્વામીએ પૂર્વોક્ત કારણ જણાવ્યું. પછી અભયકુમારે એક દિવસ રહેવાની માગણી કરી, એટલે સુધર્માસ્વામી કઠીઆર મુનિ સાથે ત્યાં રોકાયા. બીજે દિવસે અભયકુમારે રાજ્ય ભંડારમાંથી ત્રણ કેટી ને કઢાવી, રસ્તા વચ્ચે તેને ઢગલે કરાવી પડહ વગડાવીને એવી આઘોષણા કરાવી કે, “હે લેક! અહિં આવે, હું તમને આ ત્રણ કેટી રત્ન આપું.” તે સાંભળી બેસુમાર લોકો ત્યાં એકઠા થયા. પછી તેણે કહ્યું કે, “જે પુરૂષ સચિત્ત જળ, અગ્નિ અને સ્ત્રીનો સર્વથા ત્યાગ કરે, તેને આ રત્નરાશિ છે. ત્યારે તેઓ બેલ્યા કે-“સ્વામિન! એવું કેત્તર કાર્ય કરવાને કોણ સમર્થ છે?” અભયકુમાર બેલ્યો કે- જે તમારામાં કેઈ તે ન હોય તે જળ, અગ્નિ અને સ્ત્રીને સર્વથા વર્જનાર આ કાહારી (કઠીઆરા) મુનિનો આ રત્નરાશિ થાઓ.” તેઓ બેલ્યા-અરે! શું આ સાધુ એવા ત્યાગી અને દાનપાત્ર છે? અમેએ તેનું વૃથા ઉપહાસ્ય કર્યું. પછી અભયકુમારે આજ્ઞા કરી કે હવે પછી એ મુનિનો કેઈએ તિરસ્કાર કે હાસ્ય કરવું નહિ” લેકો તે વાત સ્વીકારીને પિતપિતાને સ્થાનકે ગયા. આ પ્રમાણે બુદ્ધિનો મહાસાગર અને પિતૃભક્તિમાં તત્પર એ અભયકુમાર નિસ્પૃહ અને ધર્માસક્તપણે પિતાનું રાજ્ય ચલાવતે હતે. પિત ધર્મમાં પ્રવતતે હતું તેથી પ્રજા પણ ધર્મમાં પ્રવર્તતી હતી. કારણ કે “પ્રજા અને પશુઓની પ્રવૃત્તિ ગેપ (પક્ષે રાજા)ને આધીન હોય છે.” અભયકુમાર જેવી રીતે બાર પ્રકારના રાજચક્રમાં જાગૃત રહેતું હતું, તેવી જ રીતે અપ્રમાદીપ બાર પ્રકારના શ્રાવકધર્મમાં પણ જાગૃત રહેતું હતું. બંને લેકને સાધનારા તેણે જેમ દુજય એવા બહિર્ શત્રુઓને જીત્યા હતા, તેમજ અંતરના શત્રુઓને પણ જીત્યા હતા. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર એક વખતે શ્રેણિકરાજાએ અભયકુમારને કહ્યું કે, “વત્સ! હવે તું રાજ્યને આશ્રય કર, એટલે હું પ્રતિદિન શ્રી વીરપ્રભુની સેવાના સુખને આશ્રય કરૂં.” પિતાની આજ્ઞાના ભંગથી અને સંસારથી ભીરૂ એવો અભયકુમાર બે કે-આપ જે આજ્ઞા કરે છે તે ઘટિત છે, પણ તેને માટે હજુ થોડીક રાહ જુએ.” આવી વાત ચાલે છે તેવામાં શ્રી વીરપ્રભુ ઉદાયના રાજાને દીક્ષા આપી મરૂમંડળમાંથી ત્યાં આવીને સમવસર્યા. તે ખબર સાંભળી “આજે મારે સારે નશીબે ભગવંત અહિં પધાર્યા” એમ વિચારી હર્ષ પામીને અભયકુમાર પ્રભુની પાસે આવ્યા અને ભગવંતને ભક્તિથી નમીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા–“હે સ્વામિના! જે જીવનું એકાંત નિત્યપણું માનીએ તે કૃતનાશ અને અકૃતાગમ દેષ આવે છે અને એકાંત અનિત્યપણું માનીએ તે પણ કૃતનાશ અને અકૃતાગમ દોષ આવે છે. વળી જે આત્માનું એકાન્ત નિત્યપણું લઈએ તે સુખદુઃખને ભેગ રહેતું નથી, અને એકાંત અનિત્યપણું લઈએ તે પણ સુખ દુઃખને ભેગ રહેતું નથી, પુણ્ય અને પાપ તથા બંધ અને મોક્ષ જીવને એકાંત નિત્ય માનનારા દર્શનમાં સંભવતા નથી, તેમજ એકાંત અનિત્ય માનનારા દર્શનમાં પણ સંભવતા નથી. ક્રમ અને અનનુક્રમવડે જે જીવને નિત્ય માનીએ તે તેને અર્થકિયા ઘટતી નથી તેમજ જે એકાંત ક્ષણિકપણું માનીએ તેપણ અર્થ ક્રિયા ઘટતી નથી. તેથી હે ભગવન ! જે તમારા કહેવા પ્રમાણે વસ્તુનું નિત્યાનિત્ય સ્વરૂપ હેય તે તે યથાર્થ હેઈને તેમાં કોઈ પણ દેષ આવતું નથી. ગેળ કફને ઉત્પન્ન કરે છે અને સુંઠ પિત્તને ઉત્પન્ન કરે છે, પણ જે તે બંને ઓષધમાં હોય તે કાંઈ પણ દેષ ઉત્પન્ન થતો નથી. વળી અસત્ પ્રમાણની પ્રસિદ્ધિવડે બે વિરૂદ્ધ ભાવ એક ઠેકાણે ન હોય એમ કહેવું પણ મિથ્યા છે, કારણ કે કાબરચીત્રી વસ્તુમાં વિરુદ્ધ વર્ણને ચેગ નજરે દેખાય છે. વિજ્ઞાનને એક આકાર તે વિવિધ આકારના સમુદાયથી થયેલો છે તે પ્રમાણે માનતાં પ્રાણ એવો બૌદ્ધ અનેકાંત મતને તેડી શક્ત નથી. “એક અને અનેકરૂપ પ્રમાણુ વિચિત્ર રીતે છે” એમ કહેવાથી વૈશેષિક મતવાળો એકાંત મતને તેડી શકતું નથી. વળી સત્તાદિક વિરૂદ્ધ ગુણેથી ગુંથાયેલ આત્માને માનતાં સાંખ્ય મતવાળો પણ અનેકાંત મતને તેડી શકતું નથી, અને ચાર્વાકની વિમતિ કે સંમતિ મેળવવાની તે જરૂરજ નથી, કારણ કે તેની બુદ્ધિ તે પરલેક, આત્મા અને મોક્ષના સંબંધમાં મૂઢ થઈ ગયેલી છે. તેથી હે સ્વામિન્ ! તમારા કથન પ્રમાણે ઉત્પાદ, વ્યય અને પ્રવપણે ગોરસ વિગેરેની જેમ સિદ્ધ કરેલ વસ્તુ વસ્તુપણે રહેલ છે અને તે સર્વ રીતે માન્ય છે.” આ પ્રમાણે સ્તુતિ કરી પુનઃ પ્રભુને નમીને અભયકુમારે પૂછ્યું કે, “હે સ્વામિનું ! છેલ્લા રાજર્ષિ કોણ થશે ?' પ્રભુ બોલ્યા કે, “ઉદાયન રાજા' અભયકુમારે ફરીથી પૂછયું, “હું પ્રભુ! તે ઉદાયન રાજા કોણ?' એટલે પ્રભુએ ઉદાયનરાજાનું ચરિત્ર આ પ્રમાણે કહી સંભળાવ્યું. સિંધુસીવીરદેશમાં વીતભય નામે નગર છે, તે નગરમાં ઉદાયન નામે પરાક્રમી રાજા હતે. તે વિતભય વિગેરે ત્રણસને ત્રેસઠ નગરને અને સિંધુસીવીર વિગેરે સોળ દેશનો સ્વામી હતો. મહાસેન વિગેરે દશ મુગટબદ્ધ રાજાઓને નાયક હતું, અને બીજા પણ ઘણા સામાન્ય Page #219 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૧ મા ] રોહિણેય વિગેરેનાં વૃત્તાંત [૨૦૧ રાજાનો નેતા તેમજ વિજેતા હતા. સમ્યક્ દ’નથી પવિત્ર અને તીથ'ની પ્રભાવના કરનારી પ્રભાવતી નામે તેને એક પ્રભાવાળી પત્ની હતી. તે પ્રભાવતીના ઉદરથી યુવરાજની કુરાને ધારણ કરનાર અભીચિ નામે એક શ્રેષ્ઠ પુત્ર થયા હતા અને કેશી નામે તે રાજાને એક ભાણેજ હતા. ચંપાનગરીમાં જન્મથીજ શ્રીલ'પટ કુમારનદી નામે એક ધનાઢ્ય સેાની રહેતા હતા. તે જે જે રૂપવતી કન્યાને જોતા કે સાંભળતા તેને તત્કાળ પાંચસેા સેાનૈયા આપી પરણતા હતા. એમ કરતાં અનુક્રમે તેને પાંચસે સ્ત્રીઓ થઈ હતી. તે ઈર્ષ્યાળુ સેાની એક સ્તંભવાળા મહેલમાં તેની સાથે ક્રીડા કરતા હતા. તે સેાનીને નાગિલ નામે એક અતિ વધુલ મિત્ર હતા. તે મુનિનો ઉપાસક અને શુદ્ધ પોંચ અણુવ્રતનો ધારક હતા. એક વખતે પંચશૈલદ્વીપમાં રહેનારી એ વ્યંતર દેવીએ શકઇંદ્રની આજ્ઞાથી તેમની સાથે નીશ્વર દ્વીપની યાત્રા કરવા ચાલી. તેમનો પતિ વિઘુન્માળી જે પચશૈલ દ્વીપનો સ્વામી હતા, તે માગે જતાં ચ્યવી ગયે, તેથી તે દેવીએએ વિચાયું કે, ‘ આપણે કેાઈ મનુષ્ય એવા શેાધી કાઢીએ કે જે મરણુ પામીને આપણા પતિ થાય.' આમ વિચારતી તેએ ચ'પાપુરી પાસે નીકળી, ત્યાં પાંચસો સીએની સાથે ક્રીડા કરતા કુમારન'ઢી સોની તેમના જોવામાં આવ્યેા. એટલે તેને પેાતાનો પતિ કરવાની ઈચ્છાથી તે અને તેની પાસે આવી, અને પેાતાનું રૂપ દેખાડ્યુ. તે જોઈ કુમારન`દી એલ્યે કે-‘તમે કેાણુ છે ?’ તેએ ખેલી કે, ‘હે માનવ! અમે હાસા અને મહાસા નામે દેવીએ છીએ.' તેમને જોઈ ને તે સુવણ કાર તેનાપર મેાહ પામી મૂર્છા પામ્યા. જ્યારે સંજ્ઞા આવી ત્યારે તેણે ક્રીડા કરવાની ઈચ્છાથી તેમની પ્રાથના કરી. તેઓ ખેલી કે, તારે અમારી ઇચ્છા હોય તે તું પચશૈલ દ્વીપમાં આવજે.’ આ પ્રમાણે કહીને તે આકાશમાં ઉડી ગઈ. પછી તે સેાનીએ રાજાને દ્રવ્ય આપીને શહેરમાં આવી રીતે પહો વગડાવી આઘેાષણા કરાવી કે, “જે મને પંચ લગિરિ ઉપર લઈ જશે તેને હું કાટી દ્રવ્ય આપીશ.” કેાઈ એક વૃદ્ધે પડહ છબીને તે ધન ગ્રહણ કર્યું, અને એક વહાણુ તૈયાર કરાવી તેમાં પુષ્કળ ભાતુ વિગેરે ભર્યું. લીધેલુ દ્રવ્ય પેાતાના પુત્રોને વહેંચી આપ્યું. પછી તે વૃદ્ધ કુમારનદી સાથે નાવમાં એસી સમુદ્રમાળે ચાલ્યા ઘણે દૂર ગયા પછી તે વૃદ્ધે કુમારનંદીને કહ્યુ કે આ સમુદ્રના કીનારા ઉપર રહેલા પર્વતના પ્રત્યંત ભાગે જે આ વડનુ વૃક્ષ દેખાય છે, તેની નીચે થઈને જ્યારે આ નાવ નીકળે ત્યારે તુ તે વૃક્ષની ડાળીને વળગી જજે. પંચશૈલ દ્વીપમાંથી ત્રણ પગવાળા ભાર'ડપક્ષીએ તે ઝાડ પર આવીને બેસશે. તેએ સુઈ જાય એટલે તેમાંના એકના પગની સાથે તું વળગી પડજે. તારા શરીરને વસ્ત્રથી તેની સાથે ગાઢ રીતે બાંધી દેઢ સુષ્ટિ ભીડજે. એટલે પ્રાતઃકાળે તે ભારપક્ષીની સાથે ઉડીને તુ' ૫'ચશૈલદ્વીપે પહેાંચી જઈશ. આ યાનપાત્ર મેટા વમળમાં પડી અથડાઈને ભાંગી જશે. તેથી જો તુ વડ સાથે વળગીશ નહી. તે। અહી જ મૃત્યુ પામી જઈશ.'' 6 ૧ સ્વામી. ૨ જીતનાર. ૩ કાંતિવાળી—રૂપવતી. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું સુવર્ણકારે તેના કહેવા પ્રમાણે કર્યું, એટલે ભારંડપક્ષી તેને ઉપાડી ગયું. અને તે પંચશેલદ્વીપે પહોંચે. પંચશૈલમાં આવેલા તે સુવર્ણકારને જોઈ અને દેવીએ ખુશી થઈ. તેનાપર અનુરક્ત થઈને બોલી કે-“હે અનઘ! તારા આ મનુષ્ય શરીરથી અમે ભાગ્ય થઈશું નહીં, માટે અગ્નિમાં પ્રવેશ કરવા વિગેરેથી તું પંચશૈલગિરિનો અધિપતિ થા.” તે સાંભળી “હવે મારે શું કરવું અને કયાં જવું?” એમ સોનીએ કહ્યું, એટલે તેમણે હાથનો સંપુટ કરી તેને ચંપાનગરીના ઉધાનમાં મૂક્યો. લેકએ તેને ઓળખીને તેનો વૃત્તાંત પૂછો, એટલે તેણે પિતાની કથા કહી સંભળાવી. પછી હાસા પ્રહાસાનું સ્મરણ કરીને તે અગ્નિમાં બળી મરવા તૈયાર થયે, એટલે તેના નાગિલ મિત્રે આવી પ્રતિબંધ આપે કે, “તને કાપુરૂષને ગ્ય એવા મરણે મરવું ઉચિત નથી. આ મનુષ્ય જન્મ દુપ્રાપ્ય છે, તેને તુચ્છ ભેગફળ મેળવવાને માટે વૃથા હારી ન જા. “રત્નને બદલે કોડી કેણ મૂખ લે?” સુખભેગને અર્થે પણ તું અહંન્દુ ધર્મને આશ્રય કર, કેમકે સ્વર્ગ અને મોક્ષને આપનારે તે ધર્મ અર્થ અને કામમાં પણ કામધેનુ સમાન છે.” આવી રીતે કહી નાગિલમિત્રે ઘણે વાર્યો, તો પણ તે અગ્નિપ્રવેશવડે મૃત્યુ પામી પંચશૈલન અધિપતિ થશે, પિતાના મિત્રનું આવું અપંડિત મૃત્યુ જોઈ નાગિલે નિર્વેદ પામી સદ્ય દીક્ષા ગ્રહણ કરી. નિરતિચાર ચારિત્ર પાળી કાળ કરીને તે અશ્રુત દેવલોકમાં દેવતા થયે. તેણે અવધિજ્ઞાનવડે પિતાના મિત્રને પંચશૈલમાં ઉત્પન્ન થયેલા છે. એકદા શ્રી નંદીશ્વરની યાત્રા કરવા દેવતાઓ જતા હતા, તેમની આજ્ઞાથી તે હાસા અને પ્રવાસા ગાયન કરવાને માટે સાથે ચાલી. તે વખતે ઢોલ વગાડવા માટે વિદ્યુમ્ભાળીને કહ્યું. તે બે કે “શું મારી ઉપર સ્વામીને હુકમ ચાલે છે?” આવા અહંકારથી મુખે હુંકારા કરતા તે વિદ્ય—ાળીના ગળામાં જાણે મૂત્તિમાન અભિવ્ય કર્મ હોય તેમ તે ઢેલ વળગી પડ્યો. હાથ પગની જેમ જાણે શરીર સાથે ઉત્પન્ન થયેલ અવયવ હોય તેમ તે ઢેલને લીધે તે ઘણે લજજા પામતું હતું, છતાં કઈ રીતે ઉતરી શક્ય નહીં. તે વખતે હાસા પ્રહાસા બેલી કે-“અરે! અહીં જન્મ લેનારા પ્રાણીઓનું આ કર્મ જ છે, માટે લજજા પામે નહીં, તમારે આ ઢોલ અવશ્ય વગાડવોજ પડશે.” પછી હાસા પ્રહાસાએ ગાયન કરવા માંડ્યું અને તે ઢેલને વગાડતે દેવતાઓની પાસે આગળ ચાલે. આ સમયે પેલે નાગિલ દેવ પણ યાત્રા કરવા જતું હતું, તેણે હાસા અને પ્રહાસાની સાથે તે દેવને ઢેલ વગાડતો જોયે; એટલે અવધિજ્ઞાનવડે તેને પિતાને પૂર્વભવને મિત્ર જાણું તેને કાંઈક કહેવા માટે તે તેની પાસે આવ્યું. પરંતુ સૂર્યની પ્રભાથી ઘુવડની જેમ તેના અંગની પ્રજાને સહન કરવાને અશક્ત એ વિદ્યુમ્ભળી દેવ ત્યાંથી પલાયન કરવા લાગ્યું. તે જઈ અગ્રુતદેવે સાયંકાળનાં સૂર્યની જેમ પિતાનું તેજ સંહારી વિન્માળીને ઉભે રાખીને કહ્યું કે, મારી સામે જે, તું મને નથી ઓળખતે 'પટહધારી દેવતાએ કહ્યું, “હું એ કહું છું જે તમારી જેવા મેટી અદ્ધિવાળા દેવાને તથા ઇંદ્રાદિકને પણ ન જાણું?” પછી અમ્રુતદેવે પૂર્વભવના શ્રાવકનું રૂપ લઈ હાસા પ્રહાંસા માટે મરણ પામતી વખતે તેને જે Page #221 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૧ ] રોહિણેય વિગેરેનાં વૃત્તાંત [ ૨૦૭ પ્રતિબંધ કર્યો હતો, તે યાદ આપીને કહ્યું કે, “હે મિત્ર! તે વખતે મારા ઉપદેશથી તે આહત ધમને આશ્રય કર્યો નહીં અને મૂઢ બુદ્ધિવડે પતંગની જેમ અગ્નિમાં પડીને મૃત્યુ પામે અને તે જિનધર્મને જાણી-દીક્ષા પાળીને મૃત્યુ પામે. એથી આપણે બંનેને પોતપોતાના પૂર્વકનું આવું જુદું જુદું પરિણામ આવ્યું.” તે સાંભળી પંચશૈલપતિ દેવને ઘણે નિર્વેદ ઉત્પન્ન થયે, તેથી તે બે કે-“હે મિત્ર! હવે હું શું કરૂ?” ત્યારે નાગિલદેવે કહ્યું કે-“મિત્ર! તારા ગૃહસ્થપણાની ચિત્રશાળામાં કાચોત્સર્ગ મુદ્રામાં રહેલા ભાવયતિ શ્રી મહાવીર પ્રભુની મૂતિ કરાવ. હે બંધુ! એ આહતી પ્રતિમા કરાવ્યાથી તને આગામી ભવમાં બોધિબીજરૂપ મહા ફળની પ્રાપ્તિ થશે, કારણ કે રાગદ્વેષ અને મહિને જીતનારા એવા શ્રી અરિહંતની પ્રતિમા જે કરાવે તેને સ્વર્ગ તથા મેક્ષ આપનાર ધર્મની પ્રાપ્તિ થાય છે. જિનપ્રતિમા કરાવનારને કુત્સિત જન્મ, કુગતિ, દારિદ્ર, દર્ભાગ્ય અને બીજું કઈ પ્રકારનું કુત્સિતપણું પ્રાપ્ત થતું નથી.” વિધ·ાળી દેવ આ પ્રમાણેની તેની આજ્ઞાને સ્વીકારી સત્વર ક્ષત્રિયકુંડ ગામે આવ્યું. ત્યાં તેણે કાત્સ રહેલા અમને જોયા. પછી મહા હિમવાનગિરિ ઉપર જઈ ગોશીષ ચંદન છેદીને તે કાષ્ટની જેવી અમારી મૂર્તિ તેણે જોઈ હતી તેવી સર્વ અલંકારયુક્ત પ્રતિમા તેણે બનાવી. પછી જાતિવંત ચંદન કાષ્ટના પિતે ઘડેલા સંપુટમાં ધનાઢય જેમ ભંડારને ગોપવી રાખે તેમ તેણે તે પ્રતિમા સ્થાપિત રાખી. અન્યદા કેઈ એક વહાણ ઉત્પાત વેગથી છ માસ થયા સમુદ્રમાં ભમતું તે વિન્માળીના જોવામાં આવ્યું. તેથી તત્કાળ તેને ઉત્પાત સંહારીને તે વહાણવટીને પેલે પ્રતિભાવળે સંપુટ આ પ્રમાણે કહીને અર્પણ કર્યો કે, “હે ભદ્ર! તારું કલ્યાણ થાઓ, તું ઉપદ્રવ રહિત સમુદ્રને પાર પામી સિંધુસૌવીર દેશમાં આવેલા વીતભય નગરમાં જજે અને તે નગરના ચૌટામાં ઉભે રહી એવી આષણા કરજે. કે, “આ દેવાધિદેવની પ્રતિમા કઈ ગ્રહણ કરે, ગ્રહણ કરો.” વહાણવટીએ તે પ્રમાણે કબુલ કર્યું. પછી તે વહાણવટી તે પ્રતિમાના પ્રભાવથી તત્કાળ નદીની જેમ સમુદ્રને ઉતરી કાંઠે આવી પહોંચે. ત્યાંથી સિંધુસીવીર દેશમાં વિતભય નગરે આવી ચૌટામાં ઊભા રહીને તેણે પેલા દેવે કહ્યા પ્રમાણે આઘોષણા કરી. તે વખતે તાપને પરમભક્ત ઉદાયન રાજા, કેટલાક ત્રિદંડીએ, બ્રાહ્મણે તથા તાપસે ત્યાં આવ્યા. તેઓ વિષ્ણુ, બ્રહ્મા, શંકર કે બીજા પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરી કુહાડાવતી તે કાષ્ટના સંપુટને તેડવા લાગ્યા. લેકે એ પણ પિતાની રૂચિ પ્રમાણે તેની સ્તુતિ કરી કરીને ઘણા પ્રહાર કર્યા પણ એ લેઢાના કુહાડા પણ જાણે કથિરના હોય તેમ ઉલટા ભાંગી ગયા. આવા આશ્ચર્યમાં પ્રસિદ્ધ થયેલા રાજાને ત્યાં ઉભા રહેતાં લલાટ તપે તે મધ્યાહુન સમય થયો. પણ સંપુટ ઉઘડ્યો નહીં. એવામાં રાજાના ભેજનકાળને અતિક્રમ થવાથી તેની રાણી પ્રભાવતીએ રાજાને બોલાવવા એક દાસીને મોકલી-પતિભક્તા સ્ત્રીને તેમજ ઘટે છે.” રાજાએ તે આશ્રર્ય જોવા માટે આવવાની પ્રભાવતીને આજ્ઞા કરી. એટલે રાણી ત્યાં આવી, તેણીએ હકીકત પૂછી એટલે રાજાએ કહી બતાવી. તે સાંભળી પ્રભાવતી Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ મું ખેલી કે− હૈ સ્વામિન્! બ્રહ્માદિક દેવે કાંઈ દેવાધિદેવ નથી, દેવાધિદેવ તે એક ભગવાન્ અરિહંત પરમાત્માજ છે. તેથી આ સંપુટમાં તે પ્રભુનીજ પ્રતિમા હશે તેમાં જરા પણ સંશય નથી. બ્રહ્માદિકના નામસ્મરણથી તે પ્રતિમા દર્શન આપતી નથી, પણ હું તે દેવાધિદેવના નામસ્મરણથી અરિહંત પ્રભુની પ્રતિમાને આમાંથી કાઢીને સ લેાકાને કૌતુક બતાવીશ. પછી પ્રભાવતી યક્ષક મવડે સ'પુટને સીંચી પુષ્પાંજલિ ક્ષેપન કરવાપૂર્વક પ્રણામ કરીને ઉંચે સ્વરે ખાલી કે રાગ દ્વેષ અને મેહથી રહિત, તેમજ અષ્ટ પ્રાતિહાર્યાંથી આવૃત્ત એવા દેવાધિદેવ સજ્ઞ અંત મને દર્શન આપે।.' આ પ્રમાણે ખેલતાંજ તે પ્રતિમાવાળા સંપુટ પ્રાતઃકાળે કમળકાશ ઉઘડે તેમ સ્વયમેવ ઉઘડી ગયા. અને તેની અંદર રહેલી,ગાશી'ચંદનમયી, દેવનિમિત, અમ્લાન માલ્યને ધારણ કરતી, સવ અંગેસ'પૂર્ણ' અરિહંત પ્રભુની પ્રતિમા સના જોવામાં આવી. તે સમયે અંતે શાસનની અત્યંત પ્રભાવના થઈ. પ્રભાવતી તેને નમીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી કે સૌમ્ય દર્શોનવાળા, સર્વજ્ઞ, અપુનભવ, જગતના ગુરૂ, ભવ્ય જનને આનંદદાયક, અને વિશ્વને ચિંતામણિરૂપ હે અર્હત્! તમે જય પામે, ’ પછી પ્રભાવતી તે વહાણવટીના ખંધુની જેમ સત્કાર કરીને તે પ્રતિમાને ઉત્સવપૂર્વક પેાતાના અંતઃપુરમાં લઈ ગઈ. અને એક સુંદર ચૈત્ય કરાવીને તેમાં તે પ્રતિમાને પધરાવી. પછી ત્રિકાળ ગાનતાન પૂર્ણાંક તે તેની પૂજા કરવા લાગી, એક વખતે પ્રભાવતીએ પતિની સાથે તે પ્રતિમાની હર્ષોંથી પૂજા કરીને નિર્દોષ સંગીતના આરંભ કર્યાં. તે વખતે રાજા યંજન, ધાતુ, સ્વર અને રાગ સ્પષ્ટ કરતા શ્રવણુ કરવા ચેાગ્ય વીણાને વગાડવા લાગ્યા અને પ્રભાવતી અંગહારને સ્પષ્ટ કરતી તેમજ સવ અંગના અભિનયને દેખાડતી તાંડવપૂર્ણાંક પ્રીતિથી નૃત્ય કરવા લાગી. આ પ્રમાણે પ્રવતતાં એક સમયે રાજાએ ક્ષણવાર પ્રભાવતીના મસ્તકને જોયુ' નહી. અને રણભૂમિમાં હોય તેમ માત્ર તેના ઘડને જ નાચતું જોયું. આ અનિષ્ટ જોવાથી રાજા તા ક્ષેાભ પામી ગયેા. તેથી જાણે નિદ્રા આવી ગઈ હાય તેમ તેના કરમાંથી વીણા વગાડવાની કાંખી પડી ગઈ. અકસ્માત્ તાંડવ નૃત્યના છેદ થવાથી રાણી ક્રોધ પામીને ખેલી કે–‘અરે સ્વામિન્! તમે વાદ્ય વગાડતાં અંધ કેમ થયા? શું હું તાળમાંથી ભ્રષ્ટ થઈ?' આ પ્રમાણે તેણીએ વારંવાર કાંખી પડી જવાનું કારણ પૂછ્યું, ત્યારે છેવટે રાજાએ જે જોયું હતુ. તે જણાવી દીધુ.. “ સ્ત્રીના આગ્રહ ખળવાન છે. ” તે સાંભળી રાણી એટલી− હૈ પ્રિય! આવા દુનિમિત્તથી મારૂં આયુષ્ય અલ્પ છે, એમ નિશ્ચય થાય છે. પણુ જન્મથી અર્હત્ ધર્મને પાળનારી એવી મને મૃત્યુના કિચિત પણ ભય નથી; ઉલટુ' તે દુનિમિત્તનું દર્શન મને તે આનંદના હેતુ છે. કેમકે તે મને સ`વિરતિ અંગીકાર કરવાના સમય સૂચવે છે.’ આ પ્રમાણે કહી હૃદય સાથે વિચાર કરતી પ્રભાવતી અંતઃપુરમાં ગઈ, પરંતુ અહુ હુ'ના વચનથી જેના કાન અવિદ્ધ છે એવા રાજા તા કાંઈક મનમાં કચવાયે. દ એક વખતે પ્રભાવતીએ સ્નાન શૌચ કરી દેવાચનને માટે ચેાગ્ય એવાં વસ્ત્રો દાસી પાસે મંગાવ્યાં, દાસી વસ્ત્ર લાવી. ભાવી અનિષ્ટને લીધે રાણીએ તે વસ્તુને રક્ત જોયા, આ "" Page #223 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૧ મે ]. રૌહિણેય વિગેરેનાં વૃત્તાંત [૨૦૯ વસ્ત્ર પૂજાના સમયે અનુચિત છે” એમ ધારી રાણી દાસીપર ક્રોધ પામી, તેથી તેણે તત્કાળ દાસી પર ઘા કર્યો, તેટલા પ્રહારમાત્રથી જ તે મૃત્યુ પામી ગઈ. “મૃત્યુની ગતિ વિષમ છે.” પછી તરતજ પ્રભાવતીએ તે વઅને ઉજજવળ જેયા, તેથી ચિંતવવા લાગી કે, “મને ધિક્કાર છે! મેં મારા પ્રથમ વ્રતને ખંડિત કર્યું. બીજા પંચંદ્રિયનો વિઘાત કર્યો હોય તે તે પણ નરકનું કારણ છે, તે આ સ્ત્રી હત્યાની તો વાત જ શી કરવી? માટે હવે તો મારે ચારિત્ર અંગીકાર કરવું તેજ શ્રેયકારી છે. પછી રાજ્ઞીએ તે દુનિમિત્તે રાજાને જણાવી પિતે કરેલું સ્ત્રી હત્યાનું મહાપાપ અને પિતાને થયેલ વૈરાગ્ય પણ અંજળિ જોડીને જણાવ્યા. પછી પ્રાર્થના કરી કે, “હે સ્વામિન્ ! હું ખરેખર અલ્પાયુ છું, તેથી સર્વવિરતિને માટે મને હમણાજ આજ્ઞા આપો. પ્રથમ તમે મને મસ્તક વગરની જેઈ હતી અને હમણા મેં વસ્ત્રના રંગને ફારફેર જે, આ બે દુનિમિત્ત થયા. આ બે દુનિમિત્તથી મને અલ્પાયુષ્યનો નિશ્ચય થાય છે, તેથી હવે અહિં સમયને ચગ્ય દીક્ષા ગ્રહણ કરવામાં મને વિદન કરશે નહીં.” આવી રીતે જ્યારે તેણીએ ઘણું આગ્રહથી કહ્યું, ત્યારે રાજા બે કે-“મહાદેવી! જે તમને રૂચે તે કરે. પણ હે દેવી! જે તમે દેવપણને પામે તો જરૂર મને પ્રતિબંધ કરવા આવજે. મારે માટે ક્ષણવાર સ્વર્ગના સુખને અંતરાય સહન કરજે.” તે વાત કબુલ કરીને પ્રભાવતી સર્વવિરતિપણું અંગીકાર કરી અનશન આરાધીને મૃત્યુ પામી અને પ્રથમ દેવલોકમાં મહદ્ધિક દેવતા થઈ દેવાધિદેવની પ્રતિમા જે અંતઃપુરના ચૈત્યમાં રાખી હતી તેને દેવદત્તા નામની પ્રભાવતીની કુજા દાસી તેજ પ્રમાણે પૂજતી હતી. દેવતાં થયેલ પ્રભાવતીએ ઉદાયનરાજાને ઘણી રીતે પ્રતિબોધ પમાડવા માંડે પણ તે પ્રતિબંધ પામ્યું નહીં; તેથી અવધિજ્ઞાનવડે તેને ઉપાય ચિંતવીને આ પ્રમાણે પ્રયોગ કર્યો. એક વખતે તે પ્રભાવતી દેવ તાપસને રૂપે હાથમાં દિવ્ય અમૃતફળ ભરેલું પૂરું પાત્ર લઈ ઉદાયનરાજા પાસે આવ્યા. એક તો તાપસ ને વળી તે આવી ઉત્તમ ભેટ લઈને આવ્યું, તેથી સોનું અને સુગંધ જેવું થયું, એમ ધારી તાપસના ભક્ત રાજાએ તે તાપસને ઘણું માન આપ્યું. પછી જાણે પરમાનંદના બીજ હોય તેમ પાકાં અને કપૂરની ખુશબવાળાં તે ઈષ્ટ ફળ રાજાએ ભક્ષણ કર્યા. તેથી પ્રસન્ન થઈને રાજાએ તે તાપસને પૂછયું કે, “હે મહાશય! આવાં અપૂર્વ ફળ તમે કયાંથી મેળવ્યાં? તે સ્થાન મને બતાવો.” તાપસ બે–આ નગરની નજીકમાંજ દષ્ટિવિશ્રામ નામે એક આશ્રમ છે, તેમાં આવાં ફળો થાય છે.” રાજાએ કહ્યું કે, “ચાલે, મને તે આશ્રમ બતાવો.” પછી દેવતા રાજાને જાણે વિદ્યા આપવી હોય તેમ ત્યાંથી એકલેજ સાથે લઈ ચાલ્યા. થોડેક દૂર જઈને તેણે પિતાની દિવ્ય શક્તિથી તેવાંજ ફળેથી મનરમ અને અનેક તાપસોથી વ્યાપ્ત એવું નંદનવન જેવું ૧ દષ્ટિને આનંદ આપે તેવો-સુંદર, D - 27, - Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું એક ઉદ્યાન બતાવ્યું. “આ તાપસનું વન છે, અને તેના પર મારી ભક્તિ છે, તેથી હવે અહીં મારી ફળની ઈચ્છા પૂર્ણ થશે.” એવું ધારી રાજા વાનરની પેઠે ફળો લેવા દો . એટલે તત્કાળ તે માયાવી તાપસે ક્રોધથી તેની સામે દેડી આવ્યા અને રાજાને મારવા માંડયો, તેથી ક્રોધ પામીને નષ્ટ બુદ્ધિવાળો રાજા ચેરની જેમ નાચવા લાગે. નાસતાં નાસતાં તેણે આગળના ભાગમાં સાધુઓને ઉભેલા જોયા, તેમણે રાજાને “ભય પામે નહિ” એમ કહ્યું, એટલે રાજા તેમને શરણે ગયે. તેમણે કરેલી આશ્વાસનાથી સ્વસ્થ થઈને રાજાએ ચિંતવ્યું કે, “ધિકાર છે. આ ક્રૂર કર્મવાળા તાપસેને કે જેઓએ મને જન્મથીજ છેતર્યો છે.” પછી સાધુઓએ તેને શિક્ષા આપી કે, “આ સંસારમાં એક ધર્મજ શરણ કરવા ગ્ય છે. તેથી ધર્માથી બુદ્ધિવાળા પુરૂષ દેવ, ધર્મ અને ગુરૂની પરીક્ષા કરવી. અઢાર દેથી મુક્ત હોય તેજ દેવ, જેમાં દયા મુખ્ય હેય તેજ ધર્મ અને બ્રહ્મચારી તથા આરંભ પરિગ્રહ રહિત હોય તેજ ગુરૂ કહેવાય છે.' ઈત્યાદિક ઉપદેશવડે તે સાધુઓએ રાજાને પ્રતિબંધિત કર્યો. તેથી હૃદયમાં કોતર્યો હોય તેમ જિનધર્મ તેના ચિત્તમાં સ્થિર થયા. પછી તે દેવા પ્રત્યક્ષ થઈ રાજાને અહંત ધર્મમાં સ્થાપન કરીને અંતર્ધાન થઈ ગયો એટલે રાજાએ પોતાને સભાસ્થાનમાં જ બેઠેલે છે. તે દિવસથી ઉદાયનરાજા દેવતત્વ, ગુરૂતત્વથી સમ્યફ પ્રકારે અધિવાસિત થયે. આ સમયમાં ગાંધાર દેશને ગાંધાર નામે કઈ પુરૂષ શાશ્વત પ્રતિમાને વાંદવાની ઈચ્છાએ વૈતાઢયગિરિ પાસે આવ્યું, અને વૈતાવ્યગિરિના મૂળમાં ઉપવાસ કરીને બેઠે. એટલે શાસનદેવીએ સંતુષ્ટ થઈ તેના મને રથને પૂર્ણ કર્યો. પછી કૃતાર્થ થયેલા તે પુરૂષને દેવીએ વૈતાઢયગિરિની તળેટીમાં મૂક્યો અને ધારેલા મરથને આપનારી એને આઠ ગોળીઓ તેને આપી. તેમાંથી એક ગોળી મુખમાં રાખી તેણે ચિંતવ્યું કે “શ્રી વીતભય નગરમાં શ્રી દેવાધિદેવની પ્રતિમાની મારે વંદના કરવી છે. એવું કહેજતાં તે વીતભય નગરે પહેંચે. ત્યાં પિલી કુછજા દાસીએ તેને દેવાધિદેવની પ્રતિમાની વંદના કરાવી. ત્યાં રહેતાં એક દિવસે તે ગાંધારના શરીરમાં કઈ વ્યાધિ ઉત્પન્ન થયે, તેથી અહંધર્મમાં વત્સળ એવી કુજાએ તેની સેવા કરી. સદ્દબુદ્ધિવાળા ગાંધારે પિતાનું અવસાન કાળ નજીક આવેલે જાણે કુજાને પેલી ગળીઓ આપી દીધી અને પોતે દીક્ષા ગ્રહણ કરી. કુરૂપા કુન્નાએ રૂપની ઈચ્છાએ એક ગળી સુખમાં રાખી, તેથી તે ઉપવાદ શય્યામાં ઉત્પન્ન થયેલી દિવ્ય રૂપને ધારણ કરનારી દેવી જેવી તત્કાળ થઈ ગઈ. તેના સર્વ અંગને વર્ણ સુવર્ણના જે થઈ ગયે. તેથી લેકે તેને “સુવર્ણગુલિકા” એવા નામથી બેલાવવા લાગ્યા. પછી તેણીએ બીજી ગોળી મુખમાં રાખી ચિંતવ્યું કે, “જે ચોગ્ય પતિ ન હોય તો મારું આ રૂપ વૃથા છે, અહીંના ઉદાયનરાજા તો મારે પિતા સમાન છે અને બીજાઓ તો તેના પાળા જેવા છે, તેથી પ્રચંડ શાસનવાળે ચંડપ્રદ્યોત રાજા મારા પતિ થાઓ” પછી દેવતાએ પ્રદ્યોતરાજાની પાસે જઈને તેણીના રૂપનું વર્ણન કર્યું. તે સાંભળી પ્રદ્યોતે કુજાની પ્રાર્થનાને માટે દૂત મોકલ્યો. તે ત્યાં જઈને પ્રાર્થના કરી એટલે તેણીએ દૂતને કહ્યું “મને પ્રદ્યોતરાજા બતાવ.” તે આવી તે પ્રમાણે પ્રોતને Page #225 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૧ મા] રીહિણેય વિગેરેના વૃત્તાંત [ ૨૧૧ કહ્યુ', એટલે તત્કાળ ઐરાવત ઉપર બેઠેલા ઇંદ્રની શેાભાને ધારણ કરતો પ્રદ્યોતરાજા અનિલવેગ હાથી ઉપર બેસીને રાત્રે ત્યાં આવ્યે. તે કુબ્જા જેમ તેને રૂચતી હતી તેમ તે પણ કુબ્જાને રૂચ્ચા. પછી પ્રદ્યોતે કુખ્તને કહ્યું કે, ‘હું કમલાક્ષિ! મારી નગરીએ ચાલ.’ કુબ્જા મેલી ‘સ્વામિન્! જેના વિના હું એક ક્ષણ માત્ર પણ જીવી શકું' એમ નથી, એવી આ દેવાધિદેવની પ્રતિમાને મૂકીને હું કાંઈ પણ જઈ શકું એમ નથી, તેથી હું રાજન્ ! આ પ્રતિમાની જેવી ખીજી પ્રતિમા તમે કરાવી લાવા કે જેથી તે પ્રતિમા અહીં રાખીને આ પ્રતિમા લઈ જવાય.’ પછી રાજાએ તે પ્રતિમાને ખરાખર નીરખી લીધી, અને તે રાત્રિ તેની સાથે ક્રીડા કરી પ્રાતઃકાળે પાછા ઉજ્જયિનીએ આન્ચે. ઉજ્જયિની આવીને જેવી પ્રતિમા નઈ હતી તેવીજ જાતિવત શ્રીખંડ કાષ્ટની એક પ્રતિમા કરાવી, 6 પછી તેણે પેાતાના મંત્રીઓને પૂછ્યું કે, મે..... આ દેવાધિદેવની નવી પ્રતિમા કરાવી છે, તેની પ્રતિષ્ઠા કેણુ કરશે ?' મંત્રીએ ખેલ્યા કે, – “ સ્વામિન્ ! કૌશાં નામે એક નગરી છે, તેમાં સાર્થક નામવાળા જિતશત્રુ નામે રાજા હતા. સ` વિદ્યારૂપ સાગરના પારંગત કાશ્યપ નામે એક બ્રાહ્મણુ તેને પુરાહિત હતેા. તેને યશા નામે સ્ત્રી હતી. તે વિપ્રદ પતિને કૅપિલ નામે પુત્ર થયા. કપિલની શિશુવયમાંજ કાશ્યપ મૃત્યુ પામ્યા, તેથી કપિલ અનાથ થઈ ગયા. જિતશત્રુરાજાએ તે બાળક કપિલના અનાદર કરીને કાશ્યપના પુરેાહિતપદે બીજા બ્રાહ્મણને સ્થાપન કર્યું. · ચાગ્યતા વિના આમ્નાય કયાંથી રહે ?' છત્રની સ'પ્રાપ્તિથી સૂર્યંના ક્રિરણા જેના શરીરને સ્પર્શ કરતા નથી એવા તે બ્રાહ્મણ નાચતા તુરંગ ઉપર આરૂઢ થઈને નગરમાં ફરવા લાગ્યું, તેને જોઈને કપિલની માતા પેાતાના પતિની સમૃદ્ધિ યાદ કરી રૂદન કરવા લાગી.‘મંદભાગ્યવાળાને દુઃખમાં રૂદન કરવું, તે મિત્ર સમાન છે. માતાને રૂદન કરતી જોઈ કપિલ પણ ઊંચે સ્વરે રૂદન કરવા લાગ્યા. કારણ કે,− ણુમાં પ્રતિષિ`બની જેમ આપ્તજનમાં શેક સંક્રમિત થાય છે.' અને નેત્રાથી અશ્રુની બે ધારાવાળું માતાનું મુખ ઊંચું કરીને કપિલ એલ્ચા કે, હું માતા ! તમે શા માટે રૂએ છે ? ” માતાએ પેલા પુરેાહિતને ખતાવીને કહ્યુ` કે− વત્સ ! આ બ્રાહ્મણની જેમ તારા પિતા પશુ એક વખત તેવીજ સ`પત્તિવાળા હતા, તેને સંભારીને હું. રૂદન કરૂ છું. જ્યારે તેં તારા પિતાની જેવા ગુણુ ઉપાન કર્યાં નહી. ત્યારે તારા પિતાની સમૃદ્ધિ આ બ્રાહ્મણુને પ્રાપ્ત થઈ. નિર્ગુણી પુત્રો પિતાની સમૃદ્ધિને રાખી શકતા નથી.' તે સાંભળી કપિલ એલ્યુ—‘ માતા ! હું ગુણુને અથી થઈને હવે અભ્યાસ કરૂં.' માતાએ કહ્યું, કે, ‘અહિં તે સર્વે તારા ઇર્ષ્યાળુ લેાકેા છે, તેથી અહીં તને કેાણુ ભણાવશે? તેથી જો તારી એવી વૃત્તિ હાય તા શ્રાવસ્તી નગરીએ જા. ત્યાં ઇંદ્રદત્ત નામે તારા પિતાના મિત્ર રહે છે. હું વહાલા પુત્ર! એ સર્વ શાસ્ત્રવેત્તા બ્રાહ્મણ વિદ્યાને અર્થે આવેલા તને પુત્રસમાન જાણી પિતાવત પ્રસન્ન થઈને કળાપૂર્ણ કરશે.’ પછી કપિલ ઇંદ્રદત્તની પાસે ગયે અને વિજ્ઞપ્તિ કરી કે, ‘મને શાઆધ્યયન કરાવેા, તમાશ વિના મારે, બીજુ કાઈ શરણુ નથી. ’ ઉપાધ્યાય લ્યેા−‘ વત્સ ! તુ મારા ભાઈ ના પુત્ર છું. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ મું ’ આવે વિદ્યાને મનેરથ કરીને તેં તારા પિતાને લજ્જિત નથી કર્યાં. પણ હું તને શું કહું? નિનપણાને લીધે તારૂ આતિથ્ય કરવા હું... અશક્ત છુ. તુ અભ્યાસ તે કર, પણ નિત્ય ભેાજન કયાં કરીશ ? ભાજન વગર ભણવાના મનેાથ ન્ય થશે; કેમકે લેાજન વિના તે મૃત્તુંગ પણ વાગતું નથી. ’કપિલ એલ્યું-‘પિતા ! ભિક્ષાર્ડ મારૂ' ભેાજન થઈ રહેશે. સુજની ટિમેખલા અથવા જનાઈને ધારણ કરનાના વિપ્રખટુકાને ‘મિક્ષાં વેહિ' એટલા શબ્દોથી ભેાજન મળવું. સિદ્ધજ છે. બ્રાહ્મણ કદી હાથી ઉપર ચડયો હાય તેા પણ ભિક્ષા માગવાથી શરમાતા નથી. ભિક્ષુક બ્રાહ્મણુ રાજાની જેમ કયારે પણ કાઈ ને આપ્શન નથી. ' ઇંદ્રદત્ત એલ્ચા-વત્સ ! તપસ્વીએને તેા ભિક્ષા શ્રેષ્ઠ છે, પણ તને તે કદિ એકવાર ભિક્ષા ન મળી તે અભ્યાસ શી રીતે કરી શકીશ ?' આ પ્રમાણે કહી તે બાળકને પેાતાની આંગળીએ વળગાડી ઇંદ્રદત્ત કાઈ ધનાઢય શાળિભદ્ર નામના શેઠને ઘેર ગયેા અને ઘરની બહાર ઊભે. અહીં ૐ ભૂર્ભુવઃ સ્ત્ર: 'ઈત્યાદિક ગાયત્રીમંત્રને ઉ ંચે સ્વરે ભણી પેાતાના આત્માને બ્રાહ્મણુ તરીકે એળખાવ્યે. શ્રેષ્ઠીએ તેને ખેલાવી પૂછ્યું કે, ‘તું શું માગે છે?' તે ખેલ્યા કે, ‘આ વિપ્રબટુકને પ્રતિદિન ભોજન આપે।. ’ શ્રેષ્ટીએ તે આપવાને કબુલ કર્યું. પછી કપિલ શેઠને ઘેર ભેાજન કરી આવી ઇંદ્રદત્તની પાસે પ્રતિદિન અધ્યયન કરવા લાગ્યેા. શાળિભદ્ર શેઠને ઘેર ભેાજન કરવા જતા ત્યારે દરરાજ કેાઈ એક યુવાન દાસી તેને પીરસતી હતી. આ યુવાન વિદ્યાથી ઉપહાસ્ય કરતાં તેણીની ઉપર રાગી થયેા. યુવાન પુરૂષોને સ્ત્રીનુ સાનિધ્યપણુ કામદેવરૂપ વૃક્ષને દોહદ તુલ્ય છે. ' તે દાસી પણ તેનાપર રક્ત થઈ, અનુક્રમે તેએ પરસ્પર કામક્રીડા કરવા લાગ્યા. ' " એક વખતે બીજા પુરૂષને ન ઇચ્છતી એવી તે દાસીએ એકાન્તે આવી કપિલને કહ્યું, ‘તમેજ મારા પ્રાણનાથ છે, છતાં તમે નિધન છે, તેથી હું માત્ર પ્રાણયાત્રાને માટે ખીજા પુરૂષને ભજુ છું.' કપિલે તે કબુલ કર્યુ. એક વખતે તે નગરમાં દાસીએને ઉત્સવના દિવસ આન્યા. તે સમયે આ દાસી પુષ્પ પત્ર વિગેરેની ચિ'તાથી ખેદ પામી. તેને ખેદ કરતી જોઈ કપિલ એક્ષ્ચા“ હે સુંદરી ! ઝાકળથી કરમાયેલી કમળિનીની જેમ તું કેમ નિસ્તેજ જાય છે ? ’ તે ખેલી-‘કાલે દાસીઓને! મહાત્સવ છે, તેમાં મારી પાસે પુષ્પ પત્રાદિ કાંઈ નથી, તેથી હુ' દાસીઓની વચ્ચે વગેાવાઈશ. હવે મારી શી ગતિ થશે ?' તેણીએ કહેલા દુ:ખરૂપ વ્યંતરના આવેશથી કપિલ વિવશ થઈ ગયા અને અધીરજપણાને લીધે મૌનપણુ ધરીને બેઠે. એટલે દાસી ખેલી કે–‘હે પ્રિય ! તમે ખેદ કરેા નહી. આ નગરમાં ધન નામે એક શ્રેષ્ઠી છે, પ્રાતઃકાળ પહેલાં તેને જે જગાડે તેને તે બે માત્રા સુત્રણ આપે છે. માટે રાત્રિ વ્યતિક્રમ્યા અગાઉ તમે તેને ઘેર જો અને ત્યાં મૃદુ સ્વરે કલ્યાણ રાગ ગાજો.' કપિલે તેમ કરવા કબૂલ કર્યું. પછી તેજ રાત્રે ઘણું અધારૂ' હતુ. તેવે વખતે તેણીએ ધન શ્રેષ્ઠીને ઘેર કપિલને માકલ્યા. માણસેાની હીલચાલ વિનાના માર્ગે કપિલ ઉતાવળે! ચાલ્યે જતેા હતેા, તેને ચાર જાણીને પુરરક્ષકાએ પકડીને ખાંષી લીધા. • ચારની પ્રવૃત્તિ એવી હોય છે. ’ પ્રાતઃકાળે તેને પ્રસેનજિત રાજાની પાસે લઈ Page #227 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૧ મે ] રોહિણેય વિગેરેનાં વૃત્તાંત [ ૨૧૩ ગયા. રાજાએ તેને પૂછ્યું, એટલે તેણે બે ભાષા સુવર્ણ માટે વહેલા જવાની કથા જેવી હતી તેવી કહી આપી. રાજાને તે વાત સાંભળીને તેના પર બહુ દયા આવી. તેથી બેલ્યા કે, “અરે દ્વિજ! તારી જે ઈચ્છા હોય તે માગી લે, હું આપીશ.” તે સાંભળી હું વિચારીને માગીશ.” એમ કહી કપિલ અશક વનમાં જઈ યોગીની જેમ એકાન્ત એક ચિત્તે ચિંતવન કરવા લાગ્ય જે બે ભાષા સુવર્ણ માગું તે તેનાથી માત્ર અન્નવસ્ત્રાદિક મળે, માટે રાજા પાસેથી સો સોનૈયા માગી લઉં. લેભમાં પડ્યા પછી થોડી યાચના શા માટે હોય?” વળી વિચાર્યું કે, સો સોનૈયાથી કાંઈ વાહન વિગેરેની સમૃદ્ધિ ન થાય, માટે ઈષ્ટ અર્થની સિદ્ધિને માટે એક હજાર નૈયા માગી લઉં.” વળી વિચાર્યું કે, “એક હજાર સોનૈયાથી મારાં છોકરાઓના વિવાહાદિક ઉત્સવ શી રીતે થાય, માટે એક લાખ સોનૈયા માગી લઉં; કેમકે હું યાચના કરવામાં ચતુર છું.' વળી ચિંતવ્યું કે, “એક લાખ સેનયાથી મારા મિત્રો અને સગાં સંબંધીઓને તેમજ દીન જનને ઉદ્ધાર શી રીતે થાય, માટે એક ક્રોડ અથવા હજાર ક્રોડ નૈયા માગી લઉં.” આવું ચિંતવન કરતાં કોઈ શુભ કર્મના ઉદયથી તેને શુભ પરિણામવાળી બુદ્ધિ ઉત્પન્ન થઈ. “બુદ્ધિઃ કર્માનુસારિણી છે.” તે પાછો વિચારવા લાગે કે-“અહો ! બે ભાષા સુવર્ણથી મને જે સંતોષ હતું, તે સંતેણે અત્યારે કેટી સોમૈયાની પ્રાપ્તિના વિચારમાં પડી જવાથી જાણે ભય પામ્ય હેય તેમ મને છોડી દીધો જણાય છે. હું અહિં વિદ્યા મેળવવાને માટે આવ્યું, તેમાં મને આવું દુર્વ્યસન થયું, તે સાગર પ્રત્યે જવાની ઈચ્છાવાળે હિમાલય જાય તેના જેવું થયું છે. મારા જેવા અધમમાં જે ગુરૂનું જ્ઞાનદાન, તે સ્થળમાં કમળ પવા જેવું છે, કેમકે મેં અકુલીનને ગ્ય એવું એક નીચ દાસીનું પણ દાસપણું કર્યું છે. પણ હવે આવા મહા માઠા વિષયોથી સર્યું. આ પ્રમાણે વિચાર કરતાં તે પરમ સંવેગ પામ્યો અને તત્કાળ જાતિસ્મરણ ઉત્પન્ન થતાં તે સ્વયં બુદ્ધ થયે. તરતજ પિતાની મેળે તેણે કેશને લેચ કર્યો અને દેવતાએ આપેલાં રજોહરણ તથા મુખવસ્ત્રિકા વિગેરે તેણે ગ્રહણ કર્યા. પછી તે રાજાની પાસે આવ્યા એટલે રાજાએ પૂછ્યું કે, “કહે, શું વિચાર્યું?” પછી તેમણે પિતાના મને રથને વિસ્તાર સંભળાવીને કહ્યું કે यथा लाभस्तथा लोभो, लाभे लोभ : प्रबर्द्धते । द्विमाष्या चिंतितं कार्य, कोट्यापि हि न निप्टितं ॥' જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લેભ થાય છે, અર્થાત્ લાભવડે લેભ વૃદ્ધિ પામે છે, જુઓ બે ભાષા સુવર્ણથી ચિંતવેલું કાર્ય કેટી સોનૈયાથી પણ પૂરું થયું નહીં.” રાજા વિસ્મય પામીને બે કે, “હું તમને કોટી સોનૈયા આપીશ, માટે વ્રતને છોડી દે અને ભેગ ભેગવે, કેમકે વ્રતના ફળને માટે કે જામીન નથી.” કપિલ મુનિ બોલ્યા કે, “હે રાજન! અનર્થનેજ આપનારા એવા દ્રવ્યની મારે હવે કાંઈ પણ જરૂર નથી. હું તો હવે નિગ્રંથ થયો છું, માટે હે ભદ્ર! તમને ધર્મલાભ થાઓ.” આ પ્રમાણે કહીને કપિલ મુનિ ત્યાંથી નીકળ્યા અને નિર્મમ, નિસ્પૃહ તેમજ નિરહંકારી થઈને પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ સુ એવી રીતે દૃઢપણે વ્રત પાળતાં તે મહામુનિ કપિલને છ માસને દીક્ષાપર્યાય થયે છતે ઉજ્જ્વળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. રાજગૃહી નગરીના અંતરાળમાં અઢાર ચેાજનના પ્રમાણવાળી એક ભયંકર અટવો છે. તેમાં કડદાસના નામથી પ્રસિદ્ધ ખલભદ્ર વિગેરે પાંચસો ચાર રહેતા હતા. તે પ્રતિખાધને ચાગ્ય છે. એમ કપિલમુનિના જાણવામાં આવ્યુ'. તેથી તે ચાર લેાકેાના ઉપકારને માટે સ` પ્રાણીઓને શરણુ કરવા ચેાગ્ય કપિલ કેવળી તે દારૂણ અટવીમાં ચાલ્યા. તે ચારમાંથી એક ચાર વાનરની જેમ વૃક્ષ ઉપર ચડેલા હતા, તેણે કપિલમુનિને દૂરથી આવતા જોયા, એટલે તે ચારે ચિ’તન્યુ’ કે, ‘ આપણે પરાલય કરવા માટે આ કેઈક આવે છે.' તેણે તે વાત સેનાપતિને જણાવી. ‘આજે આ એક રમકડું આવ્યુ'. ' એમ ખેલતેા સેનાપતિ મુનિની પાસે આવ્યેા. એ અજ્ઞ સેનાપતિએ મુનિને આજ્ઞા કરી કે, હું શ્રમણ ! નૃત્ય કરા.’ કપિલમુનિ ખેલ્યા કે–‘કેાઈ વાદ્ય વગાડનાર વાદક નથી, તેા વાઘ વિના નૃત્ય શી રીતે થાય ? કારણ વિના કાર્ય હેતુ નથી. ’ પછી પાંચસો ચાર હાથવડે તાળીઓ પાડવા લાગ્યા એટલે કપિલમુનિ નાચવા લાગ્યા, અને શ્રવણુને સુખ થાય તેવી રીતે ઉંચે સ્વરે આ પ્રમાણે ગાવા લાગ્યા. આ નાશવંત સંસારમાં પૃથ્વીપર અનેક પ્રકારના દુઃખા રહેલા છે, તેથી તેવુ` કા` કરૂ કે જેથી હુ' કદિ પણ દુર્ગંતિને પામું' નહિ. આવી મતલબના પાંચસે ધ્રુવપદ કપિલમુનિએ ગાઈ ખતાવ્યા કે જે બધા પ્રાકૃત ભાષામાં અને શ્રવણુ કરવા ચૈાગ્ય રાગમાં અનાવેલા હતા. મહિષ કપિલે ગાયેલા આ ધ્રુવપદોમાંથી જુદા જુદા પદોથી જુદા જુદા ચારા પ્રતિબેધ પામતાં છેવટે પાંચસે ચારે પ્રતિબેાધ પામી ગયા, પછી કપિલ મહામુનિએ તે પાંચસે ચારાને દીક્ષા આપી. આ સવ તેમણે જ્ઞાનચક્ષુથી જોયેલુ જ હતું. એ બ્રહ્મર્ષિ કપિલ રાજગૃહી નગરીએ જઈ, દેવાધિદેવ શ્રી મહાવીરની આજ્ઞા લઈને હાલમાં તમારી નગરીને પવિત્ર કરે છે. એ સ્વયં બુદ્ધ કેવળી શ્વેતાંખીઓમાં શિરામણું છે, તે જો તમારા પુણ્યના ઉદયથી આ પ્રતિમાની પ્રતિષ્ટા કરે તો બહું ઉત્તમ થાય.” 'દ પછી ઉજ્જયિનીના રાજાએ કપિલ કેવળી પાસે જઈ તેમની પ્રાÖના કરી, એટલે તેમણે મત્રથી પવિત્ર વાસક્ષેપ કરવાવડે તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. પછી રાજાએ બે હાથે તે પ્રતિમાનું અન તથા પૂજન કરી લુખ્ત નર જેમ ધનને રાખે તેમ તેને પેાતાના હૃદય પાસે રાખી. પછી અનિલવેગ હાથીના સ્કંધ ઉપર તે પ્રતિમા મૂકીને પેાતે એક સૈનિકની જેમ તેની પાછળ એસી તેને ધારણ કરી, દિવ્ય વિમાનથી પણ અતિ વેગવાળા ગજે દ્રવર્ડ વીતભય નગરમાં આવી તે પ્રતિમા પેલી દાસીને અણુ કરી. દાસી તે પ્રતિમાને ચૈત્યમાં મૂકી પુરાણી પ્રતિમા લઈને આવી, એટલે રાજાએ દાસી સહિત પ્રતિમાને ગજેંદ્ર ઉપર બેસારી. રાજા પણ હાથી ઉપર ચડી સત્થર ઉજ્જયિનીમાં આન્યા. તે વખતે જાણે સન્મુખ આવતી હાય તેમ તેનગરી દેખાવા લાગી. અન્યદા વિદિશાપુરીના રહેનારા ભ્રાજિલસ્વામી નામના વણિકને વિદ્યુન્ગાળી દેવે પ્રકાશિત કરેલી ગેાશીષ ચંદનની દેવાધિદેવની તે પ્રતિમા રાજાએ અને કુબ્જાએ પૂજવા માટે Page #229 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૧ ] શિહિણેય વિગેરેનાં વૃત્તાંત [૨૧૫ સેંપી. “તે વિષયાસક્ત દંપતી (ચંડપ્રદ્યોત ને કુજા)ને આટલું (બીજાને સપવું તે) પણ ઘણું છે.” એક વખતે જાણે શરીરધારી તેજના રાશિ હોય તેવા હાથમાં પૂજાની સામગ્રી લઈને ઉભા રહેલા બે પુરૂષ બ્રાજિલના જોવામાં આવ્યા. નેત્રને સુખ આપનારા અને જાણે જન્મથીજ મિત્ર હોય તેવા તે બંનેને જોઈને બ્રાજિલે પૂછયું કે, “તમે કોણ છે ?” તેઓ બેલ્યા- “અમે કંબલ અને સંબલ નામે પાતાળભવનવાસી નાગકુમાર દે છીએ. ધરણેની આજ્ઞાથી વિદ્યુમ્ભાળી દેવની કરેલી આ દેવાધિદેવની પ્રતિમાને પૂજાની સામગ્રી લઈને પૂજવા આવ્યા છીએ. આ નગરી પાસેની વિદિશા નદીના કહને માર્ગે અમે નિત્યે હંસની જેમ મજજન અને ઉન્મજજન કરી છીએ. અર્થાત્ આવીએ જઈએ છીએ.” બ્રાજિલ બેલ્યો-“હે દેવતાઓ! મારા મનુષ્યના ભવમાં કલ્યાણરૂપ તમારા પાતાળના ભવને આજે મને બતાવે. કેમકે ત્યાં રહેલી શાશ્વતી પ્રતિમાના દર્શન કરવાને મને મારથ છે, તે કૃપા કરીને પૂર્ણ કરે. દેવનું દર્શન વૃથા થતું નથી.” દેવેએ હા પાડી, એટલે બ્રાજિલ જવાના ઉત્સાહમાં દેવાધિદેવની અધી પૂજા કરી, અધીર બાકી રાખીને નદીના કહેને માગે ત્યાં જવા ચાલ્યો. ત્યાં જઈને તેણે શાશ્વતી પ્રતિમાને વંદના કરી. ધરણે સંતુષ્ટ થઈને તેને કહ્યું કે “કાંઈક પ્રસાદ માગી લે.” બ્રાજિલ બે-“જેવી રીતે મારું નામ બધે વિખ્યાત થાય તેમ કરે. પિતાના નામને અવિચળ કરવું, તેજ પુરૂષોને પુરૂષાર્થ છે. ધરણંદ્ર બેલ્યા કે-“ચંડપ્રદ્યોત રાજા તારા નામથી જાણે દેવનગર હેય તેવું દેવાધિદેવ સંબંધી એક નગર વસાવશે. પરંતુ તે અહિં આવવાના ઉત્સાહમાં અર્ધ પૂજા કરી છે, તેથી એ પ્રતિમા કેટલેક કાળે ગુપ્ત રીતે મિથ્યાદષ્ટિથી પૂજાશે. તેઓ તેની નકલ કરીને બહાર રાખશે, અને આ બ્રાજિલસ્વામી નામે આદિત્ય છે એમ બોલશે. સર્વજને “બ્રાંજિલ સ્વામી સૂર્ય' એવા નામથી તે કૃત્રિમ પ્રતિમાની પૂજા કરશે. સારી રીતે જે દંભ પણ નિષ્ફળ થતો નથી.” આ પ્રમાણે સાંભળી બ્રાજિલ બેઅરે! મારી જેવા પાપીને ધિક્કાર છે! આ તો બહુ ખરાબ થયું ! મેં ઘણું અશિવકારી કામ કર્યું ! કેમકે મારા નિમિત્તે દેવાધિદેવની પ્રતિમાને ગેરવી દઈને તે દુરાશય મિથ્યાત્વીએ મારા નામથી સૂર્ય તરીકે મારી પૂજા કરશે. ધરણેન્દ્ર બેલ્યા–“હે નિષ્પાપી! તમે શા માટે શેક કરે છે? આ દુઃષમ કાળની લીલાજ એવી છે. પછી નાગકુમારેએ સ્વપ્નદશની જેમ ક્ષણમાત્રમાં જે માર્ગે લાવ્યા હતા તેજ માગે પાછે બ્રાજિલને તેના સ્થાનક ઉપર મૂકી દીધા. અહીં વીતભય નગરમાં દાસી પ્રતિમા બદલીને ગઈ તેને બીજે દિવસે ઉદાયન રાજા નિત્ય કર્મમાં તત્પર થઈ પ્રાતઃકાળે દેવાલયમાં આવ્યા. પ્રતિમાની સામું જોતાંજ કંઠમાં રહેલી પુષ્પમાળાને ગ્લાનિ પામેલી જોઈ તત્કાળ તેણે ચિંતવ્યું કે, “જરૂર આ પ્રતિમા બીજી છે, અસલ નથી, કારણ કે તેની ઉપર ચડાવેલાં પુષે બીજે દિવસે પણ જાણે તત્કાળના ચુટેલા હોય તેવા જણાતા હતા. તેથી આ શું થયું! વળી જાણે થંભ પર રહેલી પુતળી હોય તેમ જે અહિં સદા સ્થિર રહેતી હતી, તે દાસી દેવદત્તા પણ અહિં જણાતી નથી, તેનું શું કારણ? વિચાર કરતાં જણાય છે કે ગ્રીષ્મઋતુમાં મરૂવાસી પંથીઓની જેમ મારા સર્વ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું હાથીઓનો મદ નાશ પામી ગયે છે તેથી જરૂર અહિં અનિલગ ગંધહસ્તી આવી ગયે લાગે છે. એ અનિલગ હાથી પર બેસી અહીં આવીને ચંડપ્રદ્યોત રાજા ગઈ રાત્રે ચારની જેમ તે પ્રતિમા અને દેવદત્તા દાસીનું હરણ કરી ગયો જણાય છે. આ પ્રમાણે વિચાર કરીને તરત જ ઉદાયન રાજાએ તેની ઉપર ચડાઈની તૈયારી કરી. જાણે બીજી જયભંભા હોય તેમ અશ્વોની ખરીઓથી તે પૃથ્વીને વગાડવા લાગ્યા. દશ મુગટબદ્ધ રાજાઓ પણ તેની પાછળ ચડ્યા. તેઓ બધા મળીને અગ્યાર રૂદ્રની જેમ મહા પરાક્રમીપણે ભવા લાગ્યા. જાંગળ ભૂમિમાં ચાલતાં ઉદાયન રાજાના સૈન્યની ઉપર સૂર્યના તીક્ષણ કરણે કુરવા લાગ્યા. પરસ્પર અફળતા અને પૃથ્વી પર પડતા સિનિકે એ દિવસે પણ ઘુવડની જેમ તૃષાક્રાંત થવાથી કાંઈ પણ જોયું નહીં. તત્કાળ ઉદાયને પ્રભાવતી દેવનું સ્મરણ કર્યું. “વ્યસન પ્રાપ્ત થતાં ઈષ્ટ દેવને કણ ન સંભારે?” સ્મરણ કરતાં જ તે દેવ પ્રગટ થયો. અને તત્કાળ નિર્મળ જળવડે ત્રણ સરોવર ભરી દીધા, તે સાથે હર્ષથી સૈનિકોને પણ ભરી દીધા. પછી તેમાંથી જળપાન કરીને બધું કટક સ્વસ્થ થયું. “જળ વિના જીવી શકાય નહીં.” પછી પ્રભાવતી દેવ પિતાને સ્થાને ગયે. અને ઉદાયન ઉજજયિની નગરીની સમિપે આવ્યું. થોડા વખતમાં ઉદાયનરાજા અને અવંતીના પતિ ચંડવોને પરસ્પર દૂતમુખે રથસંગ્રામ કરવાની પ્રતિજ્ઞા થઈ ધનુષ્યધારી ઉદાયન રાજા સંગ્રામના રથમાં બેઠે અને બીજા રણવાદ્યની સાથે ધનુષ્યની પણછને પણ નાદ કર્યો. પ્રદ્યોતને લાગ્યું કે “ઉદાયન રાજા રથવડે અજેય છે” એટલે તે અનિલવેગ હાથી ઉપર બેઠે. “બળવાનની સામે શી રીતે પ્રતિજ્ઞા રહે?” ઉદાયન રાજા તેને ગજારૂઢ થયેલ જોઈ બે કે-“અરે પાપી! તું સત્યપ્રતિજ્ઞ રહ્યો નહીં તથાપિ જીવતા રહેવાને નથી.” આ પ્રમાણે કહીને પિતાના રથને વેગવડે કુંડાળામાં ગોળાકૃતિએ ફેરવતે મહા પરાક્રમી ઉદાયન રાજા હસતે હસતો યુદ્ધ કરવાને તેની નજીક ગયે અને ધનુર્ધારીઓમાં ધુરંધર એવા તેણે સોયની અણી જેવા તીણ બાવડે ચારે બાજુથી અનિલગ હાથીનાં પગનાં તળીયાં વીંધી નાખ્યા. તેથી ફરતી શલાકાથી પૂરાયેલા પાત્રના મુખ જેવા ચરણવડે તે હાથી ચાલી શક્યો નહીં અને તત્કાળ પૃથ્વી પર પડી ગયે; એટલે ઉદાયને પ્રદ્યોતને હાથી ઉપરથી નીચે પડી પિતાના યશરાશિની જેમ તેને હાથવડે પકડીને બાંધી લીધે. પછી તે ઉજયિનીપતિના લલાટ ઉપર “દાસીપતિ’ એટલા અક્ષરો પિતાની નવીન પ્રશસ્તિની જેમ ઉદાયન રાજાએ લખાવ્યા. એ પ્રમાણે દાસની જેમ તેને અંકિત કરીને વીતભય નગરને સ્વામી પોતાની દિવ્યપ્રતિમા લેવાને માટે વિદિશામાં જ્યાં રાખેલ હતી ત્યાં ગયા. ત્યાં જઈ તે દિવ્ય પ્રતિમાની પૂજા કરી નમસ્કાર કરીને તેને ઉપાડવા લાગ્યું, પણ પર્વતની જેમ તે કિંચિત્ ચળાયમાન થઈ નહીં. એટલે ઉદાયન તે દેવાધિદેવને વિશેષ પૂજીને બે કે, “હે પ્રભુ! શું મારૂં અભાગ્ય છે કે તમે આવતા નથી?' તેના જવાબમાં તે પ્રતિમાને અધિષ્ઠાયિક દેવ પ્રતિમામાં પ્રવેશ ૧. જેના ગંધવડે બીજા સામાન્ય હાથીઓના મદ ગળી જાય તે “ગંધહસ્તી' કહેવાય છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૧ મે]. રિૌહિણેય વિગેરેનાં વૃત્તાંતે [૨૧૭, કરીને બોલ્યો કે-“હે મહાશય તું શેક કર નહીં. તારું વિતભય નગર રજોવૃષ્ટિથી સ્થળ જેવું થઈ જવાનું છે, તેથી હું ત્યાં આવતા નથી.આ પ્રમાણેના તેમના ઉત્તરથી ઉદાયન રાજા પાછો ફર્યો. પિતાના નગરે જતાં અંતરાળ પ્રયાણને ધનારી વર્ષારૂતુ આવી, એટલે માર્ગમાં ઉદાયન રાજાએ નગરના જેવી છાવણી નાખી. “જ્યાં રાજાઓ રહે છે, ત્યાં શહેર વસી જાય છે.” દશ મુગટબદ્ધ રાજાએ તેની રક્ષાને માટે તેની ફરતે ધૂળિને કિલ્લે કરીને રહ્યા, તેથી તે છાવણી દશપુર એવા નામથી પ્રસિદ્ધ થઈ ઉદાયન રાજા સંગ્રામમાં કેદ કરેલા પ્રદ્યોત રાજાની ભેજન વિગેરેથી પિતાની પ્રમાણેજ સંભાળ રાખવા લાગ્યું. “ક્ષત્રિયને ધર્મજ એ છે.” અનુક્રમે પર્યુષણ પર્વ આવ્યું, એટલે ઉદાયન રાજાએ ઉપવાસ કર્યો, કેમકે તે શ્રાવક હતો. તેની આજ્ઞાથી રઈઆએ પ્રદ્યોત રાજાને પૂછ્યું કે, “આજે શું જમશે?” તે સાંભળી ઉજજયિનીપતિ ક્ષેભ પામીને ચિંતવવા લાગ્યું કે, “આ પ્રશ્ન આજ સુધી કઈ વાર થયેલ નથી; આજેજ થાય છે, તેથી તે મારા કુશળને માટે જણાતું નથી. આ ઉપહાસ્યનું વચન જરૂર મારે વધ કે બંધન સૂચવે છે. આ પ્રમાણે વિચારીને તેણે રસેઈઓને પૂછયું કે, “આજે આ પ્રશ્ન કરવાનું શું કારણ છે? કેમકે વિવાથી આકર્ષાઈને આવતી હોય તેમ રસવતી હમેશાં સમય પ્રમાણે આવ્યા કરે છે.” રાઈએ બે કે, “રાજન્ ! આજે પર્યુષણ પર્વ છે, તેથી અમારા સ્વામી અંતઃપુર પરિવાર સાથે ઉપષિત થયા છે, અર્થાત્ સૌએ ઉપવાસ કરેલ છે. હમેશાં તે જે અમારા રાજાને માટે રસેઈ થતી હતી, તેમાંથી તમને જમાડતા હતા, પણ આજે તે તમારા એકને માટે જ રઈ કરવાની છે, તેથી તમને પૂછું છું.' પ્રદ્યોતરાજા બે કે, “હે પાચક! આજે મારે પણ ઉપવાસ છે, કારણકે આ પર્વ મહા ઉત્તમ કહેવાય છે, અને મારા માતપિતા શ્રાવક હતા, તેથી મારે પણ અંગીકાર કરવા ગ્ય છે.” રાઈઓએ પ્રોતના તે વચન ઉદાયન રાજાને કહી સંભળાવ્યા. તે સાંભળી ઉદાયન બે કે-“એ ધૂર્તજન છે, તું શું નથી જાણતે? પરંતુ તે ગમે તે હોય તે પણ કારાગૃહમાં રહીને પર્યુષણ પર્વને શુભ નામ આપીને આચર્યું તેથી તે મારે ધર્મબંધુ થયો, એટલે હવે તેને કારાગૃહમાં રાખ નથી. આવું વિચારી તરતજ ઉદાયને પ્રદ્યોતને છુટો કર્યો. પર્વની રીતિ પ્રમાણે તેને ખમાવી તેના લલાટમાં જે “દાસીપતિ’ એવા અક્ષરે લખેલા હતા તેને ઢાંકવા સારૂ તેની ઉપર પટ્ટબંધ કર્યો. ત્યારથી રાજાઓમાં વૈભવસૂચક પટ્ટબંધને રીવાજ ચાલ્યું છે. પ્રથમ તે તેઓ માથે માત્ર મુગટને બંધ જ કરતા હતા. ઉદાયન રાજાએ પ્રોતને અવંતિદેશ પાછા આપે અને વર્ષાઋતુ વીતી એટલે પિતે વીતભય નગરમાં આવ્યું. તેની છાવણીમાં વણિકોએ એ સ્થિરવાસ કર્યો કે જેથી તેઓથી વસેલું તે નગર દશપુર નામથી પ્રખ્યાત થયું. શુદ્ધ બુદ્ધિવાળા થયેલા પ્રદ્યોતરાજાએ વીતભય નગરની પ્રતિમાના ખર્ચને માટે દશપુર નગર આપ્યું અને પિતે ઉજજયિનીમાં આવ્યો. એક વખતે વિદિશામાં જઈને પ્રદ્યોતે બ્રાજિલસ્વામીના નામથી ત્યાં દેવકીય નગર વસાવ્યું. [D - 28 Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું “ધરણેનું વચન અન્યથા થતું નથી.” પછી તેણે વિઘન્માળી વાળી દેવાધિદેવની પ્રતિમાના શાસનમાં બાર હજાર ગામ આપ્યા. અન્યદા વીતભય નગરમાં રહેલા ઉદાયન રાજાની પાસે આવીને પ્રભાવતી દેવે સનેહપૂર્વક કહ્યું કે-“હે રાજન ! અહીં જે પ્રઘોતરાજાએ મૂકેલી જીવિતસ્વામીની પ્રતિમા છે, તે પણ સામાન્ય નથી, તે મહા પ્રભાવિક ઉત્તમ તીર્થરૂપ છે. એ પ્રતિમાં બ્રહ્મર્ષિ મહાત્મા શ્વેતાંબરી કપિલ કેવળીએ પ્રતિષ્ઠિત કરેલી છે. તેથી એ પ્રતિમાને પ્રાચીન પ્રતિમાની જેમજ તમારે પૂજવી અને ગ્ય સમયે મહા ફળવાળી સર્વવિરતિ ગ્રહણ કરવી.” ઉદાયને તે વાણી સ્વીકારી, એટલે તેના મનરૂપી અંકુરમાં મેઘ સમાન તે દેવ અંતર્ધાન થઈ ગયે. અન્યદા ઉદાયને ધર્મકાર્યમાં ઉઘુક્ત થઈ પૈષધશાળામાં પાક્ષિક પર્વણીએ પૌષધવત ગ્રહણ કર્યું. રાત્રિ જાગરણમાં શુભ ધ્યાન ધરતા તે રાજાને વિવેકના સહેદર જે આ પ્રમાણે અધ્યવસાય ઉત્પન્ન થયે. તે ગામ અને તે નગરને ધન્ય છે કે જે શ્રી વિરપ્રભુએ પવિત્ર કરેલ છે, તે રાજાદિકને પણ ધન્ય છે કે જેઓએ તેમના મુખથી ધર્મ સાંભળ્યો છે, અને જેઓએ તે વીરપ્રભુના ચરણકમળની સાંનિધ્યે પ્રતિબંધ પામી બાર પ્રકારના ગૃહીધર્મ અંગીકાર કર્યો છે, તેઓ કૃતાર્થ થયેલા છે. તે પ્રભુના પ્રસાદથી જેઓ સર્વવિરતિને પામ્યા છે, તેઓ સ્લાધ્ય અને વંદનીય છે, તેમને મારો નિત્ય નમસ્કાર છે. હવે જે સ્વામી આ વીતભયનગરને પોતાના વિહારવડે પવિત્ર કરે, તે હું તેમના ચરણમાં દીક્ષા લઈને કૃતાર્થ થાઉં.” (પ્રભુ કહે છે, “હે અભયકુમાર! આવે તેને અધ્યવસાય જાણી તેને અનુગ્રહ કરવાની ઈચ્છાએ અમે ચંપાપુરીથી વિહાર કરી તેના નગરમાં સમવસર્યા. તે રાજા અમારી પાસે આવી અમને વાંદી દેશના સાંભળીને ઘેર ગયે. પછી પોતાના વિવેકગુણની યોગ્યતા પ્રમાણે તેણે આ પ્રમાણે વિચાર્યું–‘વ્રતની ઈચ્છાવાળો થઈ જે પુત્રને રાજ્ય આપું, તે મેં તેને આ સંસારરૂપ નાટકને એક નટ કર્યો કહેવાય. નીતિવેત્તાઓ પણ રાજ્યને નરકાંત કહે છે, અર્થાત રાજ્યને અંતે નરક કહે છે, તેથી હું પુત્રને રાજ્ય આપીશ નહિ, કેમકે જે આપીશ તે તેને હિતકારી કહેવાઈશ નહિ.' આવે વિચાર કરી સૂર્ય જેમ અગ્નિને તેજ અર્પણ કરે તેમ ઉદાયને કેશી નામના પિતાના ભાણેજને રાજ્યશ્રી અર્પણ કરી, અને જીવિતસ્વામીની પૂજાને માટે ઘણું ગામ, ખાણ અને નગર વિગેરે આપ્યા. પછી કેશરાજાએ જેને નિષ્ક્રમણ ઉત્સવ કરે છે એવા ઉદાયન રાજાએ અમારી પાસે દીક્ષા લીધી. વ્રતના દિવસથી માંડીને છઠ્ઠ, અઠ્ઠમ, દશમ અને દ્વાદશ વિગેરે તપ કરવાવડે તેણે પોતાના કર્મોની જેમ પોતાના દેહને પણ શેષિત કરી નાખ્યો છે.” રમા પ્રમાણે વૃત્તાંત કહીને છેવટે વીરપ્રભુ બોલ્યા કે-“હે અભયકુમાર! તુણની જેમ રાજ્યલક્ષમીને છોડી શુદ્ધ સાધુપણાને ગ્રહણ કરનાર ઉદાયન રાજા છેલ્લા રાજર્ષિ થયા છે.' इत्याचार्य श्री. हेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये दशमपर्वणि रोहिणेयचरित-अभयकुमारापरिहार-उदायन चरित-प्रद्योतबंधन-उदायनप्रव्रज्यावर्णनो नाम gછાઃ સઃ | ૨૨ છે Page #233 -------------------------------------------------------------------------- ________________ – સર્ગ ૧ – વિતભયપત્તનમાં દેવતાએ કરેલી રેણુની વૃષ્ટિ, તેથી પ્રદ્યોતરાજાએ kx સ્થાપેલી જીવિતસ્વામીની પ્રતિમા સહિત વીતભયનગરનું દટાઈ જવું, અભયકુમારે લીધેલી દીક્ષા, કુણિચરિત્ર, ચેટકરાજ ચરિત, ઉદાયિરાજા-મહાવીર * સ્વામીના પરિવારનું વર્ણન અભયકુમારે શ્રી મહાવીર પ્રભુને પ્રણામ કરીને ફરીથી પૂછ્યું કે, “હે સ્વામી ! રાજર્ષિ ઉદાયનનું પરિણામે શું થશે?” ઉત્કૃષ્ટ તીર્થંકર નામકર્મની નિર્જરા કરવામાં તત્પર એવા શ્રી જ્ઞાતનંદન પ્રભુ તેના ઉત્તરમાં બોલ્યા કે–“હે અભયકુમાર! પૃથ્વી પર વિહાર કરતાં એ ઉદાયન રાજર્ષિને અન્યદા અકાળે અપથ્ય ભોજન કરવાથી મહા વ્યાધિ ઉત્પન્ન થશે. તેમની ચિકિત્સા કરતાં નિષ્પાપ આશયવાળ વધે તેમને કહેશે કે, “હે ગુણરત્નના સાગર ! તમે સ્વદેહમાં નિઃસ્પૃહ છે, તથાપિ આ રોગની શાંતિને માટે દહીં ખાઓ.” પછી રાજર્ષિ ત્યાંથી વિહાર કરી કઈ ગાયેના સ્થાનમાં આવશે, કારણ કે ત્યાં નિર્દોષ દધિની ભિક્ષા સુલભ હોય છે. ત્યાંથી વિહાર કરીને જ્યાં પોતાના ભાણેજ કેશીને રાજા કરે છે, તે વિતભય નગરમાં આવશે. ઉદાયનને આવેલા જાણે કેશીરાજાના મંત્રીઓ તેને કહેશે કે “હે રાજન ! તમારા માતુલ ઉદાયન જરૂર તપથી કંટાળી જઈને આવ્યા જણાય છે, ઇંદ્રપદ જેવા રાજ્યને છેડી દેવાથી જરૂર તે પસ્તાયા છે, તેથી તે પાછા રાજ્ય લેવા ઈચ્છતા હોય એમ લાગે છે, માટે તમે તેને વિશ્વાસ કરશે નહીં.” તે સાંભળી કેશી બોલશે કે, “તે પોતાનું રાજ્ય પાછું ગ્રહણ કરે તો તેમાં મને શી ચિંતા છે? જે ધનવાનું પિતાનું ધન લઈ લે તો તેમાં ગોપાળને શા માટે કેપ થાય?” પછી મંત્રીઓ કહેશે કે, “હે રાજન ! તમને તમારા પુણ્યથી આ રાજ્ય પ્રાપ્ત થયું છે, કાંઈકેઈએ આપ્યું નથી, અને વળી રાજધર્મ પણ તેજ છે. ક્ષત્રિયો તો પિતા, ભાઈ, મામા, મિત્ર કે બીજાની પાસેથી બળાત્કારે પણ રાજ્ય લઈ લે છે, તો જે આપ્યું હોય તેને તો કેણ છોડી દે?” મંત્રીઓના આવા અતિ આગ્રહવાળા વચનથી કેશી ઉદાયન ઉપરની ભક્તિને તજી દેશે અને કહેશે કે, “હવે મારે શું કરવું?” એટલે તેઓ ઉદાયન મુનિને વિષ અપાવવાની સલાહ આપશે. તે ઉપરથી કેશી કઈ પશુપાલિકાની પાસે ઝેરમિશ્રિત દહીં અપાવશે. “જે બીજાની પ્રેરણાને વશ થઈ જાય તેનામાં શી બુદ્ધિ હોય?' ઉદાયનપર ભક્તિવાળા દેવતા તે વિષને હરી લઈ મુનિને કહેશે કે, “તમને અહીં Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું વિષમિશ્રિત દહીંની પ્રાપ્તિ થાય તેમ છે, માટે હવે દધિની સ્પૃહા કરશે નહીં.” તે ઉપરથી ઉદાયન મુનિ દહીંને છેડી દેશે, એટલે તેમના શરીરમાં રોગ વૃદ્ધિ પામશે. “રોગ પણ ભૂતની જેમ કાંઈ પણ છળ પામીને વધે છે. રોગ વૃદ્ધિ પામવાથી તેને નિગ્રહ કરવાને માટે ઉદાયન મુનિ પાછા દધિ ગ્રહણ કરશે, પણ દેવતા ત્રણવાર તેમાંથી વિષને દૂર કરી નાખશે. એકવાર તે દેવ પ્રમાદથી વિષને હરી શકશે નહીં, એટલે ઉદાયન મુનિ વિષસહિત દધિને આહાર કરશે. જ્યારે ચૈતન્યને ચારનારા વિષવડે મુનિ પિતાનું અવસાન સમય જાણશે ત્યારે તત્કાળ અનશન ગ્રહણ કરશે. એક માસ પર્યત સમાધિપૂર્વક અનશન પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મૃત્યુ પામીને તે મોક્ષે જશે. ઉદાયન ક્ષે ગયા પછી પેલે દેવ ત્યાં આવશે, તે અવધિજ્ઞાનથી બધું વૃત્તાંત જાણી કાળરાત્રિની જેમ કે પાયમાન થશે, અને તેવા કેપથી તે વીતભયનગરને રજવડે પૂરી દેશે ત્યારપછી પણ નિરંતર ધુળિની વૃષ્ટિ કર્યા કરશે. હે મહાભાગ અભય! તે વખતે કપિલ મુનિએ પ્રતિષ્ઠિત કરેલી પેલી પ્રતિમા નિધિની જેમ પૃથ્વીમાં દટાઈ જશે. ઉદાયન મહામુનિને શય્યાતર કુંભકાર કે જે નિરપરાધી હતો, તેને ધુળી વર્ષાવનાર દેવ ત્યાંથી હરી જઈ સિનપલ્લીમાં લાવી તેના નામથી “કુંભકારકૃત' નામનું એક સ્થાન વસાવી દઈ ત્યાં રાખશે.” આ પ્રમાણે હકીકત સાંભળીને અભયકુમારે પ્રભુને નમીને પૂછયું કે, “હે સ્વામિન ! ઉદાયન મુનિના કુમાર અભીચિની શી ગતિ થશે?' પ્રભુ બોલ્યા-જ્યારે ઉદાયન પિતાના ભાણેજ કેશીને રાજ્ય આપશે ત્યારે પ્રભાવતીને પુત્ર અભીચિ ચિંતવશે કે, “મારા જે રાજ્યાધિકારી અને ભક્તિવાન પુત્ર છતાં પિતાએ કરજ દેવાની જેમ કેશીને રાજ્ય આપ્યું, આ તે મારા પિતાને શે વિવેક? કેમકે કેશી તો બહેનને પુત્ર હોવાથી માત્ર હા હા કહેવાનેજ અધિકારી છે. પણ મારા પિતા સ્વતંત્ર છે, તેથી તે જે કરવાને ઈછે તે ભલે કરે. પણ હું કેશીની સેવા શા માટે કરૂં? કેમકે હું તો રાજપુત્ર છું.” આ પ્રમાણે ચિંતવી પિતાથી પરાભવ પામેલે અભીચિ કૃણિકની પાસે જશે. “અભિમાની પુરૂને પરાભવ થવાથી વિદેશ જવું તેજ સારૂં છે.” કૂણિક અભીચિની માશીને પુત્ર થતો હતો, તેથી અભીચિને આવે જઈ તે સન્માન આપશે, એટલે ત્યાં સુખે રહેશે. સાધુઓને ઉપાસક અને જીવ અજીવ વિગેરે તને જાણનાર અભીચિ ત્યાં રહ્યો છતો શ્રાવકધર્મને યથાર્થ રીતે પાળશે. ઘણા વર્ષ સુધી અખંડિતપણે ગૃહીધર્મને પાળતાં છતાં અભીચિ ઉદાયને કરેલા પરાભવને સંભારી તે વૈરને સમાવી શકશે નહીં. પ્રાતે સારી રીતે સંલેખના કરી પાક્ષિક અનશન આરાધી પિતાના વૈરની આચના કર્યા વગર મૃત્યુ પામીને તે ઉત્તમ દેવતા થશે. ત્યાં એક પલ્યોપમનું આયુષ્ય નિર્ગમી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ અભચિને જીવ મોક્ષે જશે.” અભયકુમારે પુનઃ પૂછયું, “હે પ્રભુ! તમે કહ્યું કે કપિલ મુનિએ પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમા પૃથ્વીમાં દટાઈ જશે, તે પાછી કયારે પ્રગટ થશે? પ્રભુ બોલ્યા કે-' સૈારાષ્ટ્ર, લાટ અને ગુર્જર દેશના સીમાડામાં અણહિલપુર પાટણ નામે એક નગર વસશે, તે નગર Page #235 -------------------------------------------------------------------------- ________________ [૨૨૧ સગ ૧૨ મ ]. વિતભય નગરનું વર્ણન વિગેરે આર્યભૂમિનું શિરમણિ, કલ્યાણનું સ્થાન અને અહત ધર્મનું એક છત્રરૂપ તીર્થ થશે. ત્યાં ને વિષે રહેલી રત્નમયી નિર્મળ અહત પ્રતિમા નંદીશ્વર વિગેરે સ્થાનોની પ્રતિમાની સત્યતા બતાવી આપશે. પ્રકાશમાન સુવર્ણકળશોની શ્રેણિથી જેમના શિખર અલંકૃત છે એવા તે ચિત્યથી જાણે સૂર્ય ત્યાં આવીને વિશ્રાંત થયે હોય તેવી શોભાને ધારણ કરશે. ત્યાં પ્રાયઃ સર્વ જન શ્રાવક થશે, અને તેઓ અતિથિસંવિભાગ કરીને જ ભજન કરશે. બીજાની સંપત્તિમાં ઈર્ષ્યા રહિત, સ્વસંપત્તિથી સંતુષ્ટ અને પાત્રમાં દાન આપનાર એવી ત્યાંની પ્રજા થશે. અલકાપુરીમાં યક્ષની જેમ ત્યાં ઘણું ધનાઢ્ય શ્રાવક થશે, તેઓ અત્યંત આહંત બની સાતક્ષેત્રોમાં દ્રવ્યને વાપરશે. સુષમા કાળની જેમ ત્યાંના સર્વે લેકે પરધન અને પરથી વિમુખ થશે. હે અભયકુમાર ! અમારા નિર્વાણ પછી સોળસો ને એગણેતેર વર્ષ જશે, ત્યારે એ નગરમાં ચૌલુક્ય કુળમાં ચંદ્રમાન, પચંડ પરાક્રમી અને અખંડ શાસનવાળે કુમારપાળ નામે ધર્મવીર, દાનવીર અને યુદ્ધવીર રાજા થશે. તે મહાત્મા પિતાની પ્રજાને પિતાની જેમ પાલન કરીને મોટી સમૃદ્ધિમાન કરશે, સરલ છતાં અતિ ચતુર, શાન્ત છતાં આજ્ઞામાં ઇંદ્ર જેવો અને ક્ષમાવાન છતાં અધષ્ય એ તે ચિરકાળ આ પૃથ્વી પર રાજ્ય કરશે. ઉપાધ્યાય જેમ પોતાના શિખેને વિદ્યાપૂર્ણ કરે તેમ તે પિતાની પ્રજાને પિતાના જેવી ધર્મનિષ્ટ કરશે. શરણેષુઓને શરણ કરવા લાયક અને પરનારી સહેદર તે રાજા પ્રાણથી અને ધનથી પણ ધર્મને બહુ માનશે. પરાક્રમ, ધર્મ, દયા, આજ્ઞા અને બીજા પુરૂષગુણેથી તે અદ્વિતીય થશે. તે રાજા ઉત્તર દિશામાં તુરૂષ્ક (તુર્કસ્થાન) સુધી, પૂર્વમાં ગંગા નદી સુધી, દક્ષિણમાં વિધ્યગિરિ સુધી અને પશ્ચિમમાં સમુદ્ર સુધી પૃથ્વીને સાધશે. એક વખતે વજશાખા અને ચાંદ્રકુળમાં થયેલા આચાર્ય હેમચંદ્ર તે રાજાના જોવામાં આવશે. તે ભકિરાજા મેઘના દર્શનથી મયૂરની જેમ તે આચાર્યના દર્શનથી હર્ષિત થઈ તેમને વંદના કરવાની ત્વરા કરશે. સૂરિ જિનચૈત્યમાં ધર્મદેશના દેતા હતા, ત્યાં તેમને વંદના કરવાને માટે તે રાજા પિતાના શ્રાવક મંત્રીઓની સાથે આવશે. ત્યાં પ્રથમ દેવને નમસ્કાર કરીને પછી તત્વને નહીં જાણતાં છતાં પણ તે રાજા શુદ્ધ ભાવથી આચાર્યને વાંદશે. પછી તેમના મુખથી શુદ્ધ ધર્મદેશના પ્રીતિપૂર્વક સાંભળીને તે રાજા સમક્તિપૂર્વક અણુવ્રત (શ્રાવકનાં વ્રત) સ્વીકારશે. પછી સારી રીતે બેધને પ્રાપ્ત કરીને તે રાજા શ્રાવકના આચારને પારગામી થશે, અને રાજસભામાં બેઠે છતાં પણ તે ધર્મગષ્ટીથી પિતાના આત્માને રમાડશે, અર્થાત્ ધર્મચર્ચા કરશે. પ્રાય: નિરંતર બ્રહ્મચર્યને પાળનાર તે રાજા અન્ન, શાક અને ફળાદિ સંબંધી અનેક નિયમો વિશેષ પ્રકારે ગ્રહણ કરશે. સદ્દબુદ્ધિવાનું તે રાજા અન્ય સાધારણ સ્ત્રીઓને તજી દેશે એટલું જ નહિ પણ પિતાની ધર્મપત્નીઓને પણ બ્રહ્મચર્ય પાળવાને પ્રતિબંધ કરશે. સૂરિના ઉપદેશથી જીવ અજીવ વિગેરે તને જાણનાર તે રાજા આચાર્યની જેમ બીજાઓને પણ બેધિ (સમ્યક્ત્વ) પ્રાપ્ત કરાવશે. અહત ધર્મના દ્વેષી એવા પાંડુરાગી બ્રાહ્યણે પણ તેની આજ્ઞાથી ગર્ભશ્રાવક' જેવા થઈ જશે પરમ શ્રાવક ૧ જન્મયી થયેલ બાવા. Page #236 -------------------------------------------------------------------------- ________________ રરર] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું પણને પ્રાપ્ત કરનાર અને ધર્મ જાણનાર તે રાજા દેવપૂજા અને ગુરૂવંદન કર્યા વગર ભજન કરશે નહીં. તે રાજા અપુત્ર મૃત્યુ પામેલાઓનું દ્રવ્ય લેશે નહીં. “વિવેકનું ફળ એજ છે અને વિવેકીએ સદા તૃપ્ત જ હોય છે. પાંડુ જેવા રાજાઓએ પણ જે મૃગયા (શિકાર) છોડેલ નહીં તેને એ રાજા છેડી દેશે અને તેની આજ્ઞાથી બીજા સર્વ પણ છોડી દેશે. હિંસાનો નિષેધ કરનાર એ રાજા રાજ્ય કરતે છતે મૃગયાની વાત તો દૂર રહી, પણ માંકણ કે જુ જેવા શુદ્ધ પ્રાણીઓને અંત્યજ પણ મારી શકશે નહીં. પાપદ્ધિ (મૃગયા)ને નિષેધ કરનારા એ મહાન રાજાના રાજ્યમાં અરણ્યમાં રહેતી સર્વ મૃગજાતિઓ ગષ્ટની ગાયોની જેમ સદા નિવિદોને વાગોળશે. શાસનમાં પાકશાસન (ઇદ્ર) જે તે રાજા સર્વ જળચર, સ્થળચર અને ખેચર પ્રાણીઓની રક્ષા કરવાને માટે કાયમની અમારીષણ કરાવશે. જેઓ જન્મથીજ માંસના ખાનારા હતા તેઓ પણ તેની આજ્ઞાથી દુઃસ્વપ્નની જેમ માંસની વાર્તા પણ ભૂલી જશે. પૂર્વે દેશની રીતિથી શ્રાવકે એ જેને પૂરેપૂરું છોડ્યું નહોતું તેવા મદને આ નિર્દોષ રાજા સર્વત્ર છોડાવી દેશે. તે રાજા આ પૃથ્વી પર મને એવું રૂંધી દેશે કે જેથી કુંભકાર પણ મધના પાત્રને ઘડવા છેડી દેશે. મદ્યપાનના વ્યસનથી જેમની સંપત્તિ ક્ષીણ થઈ ગઈ છે એવા પુરૂષો એ મહારાજાની આજ્ઞાથી મને છોડી દેવાવડે સંપત્તિવાનું થશે. પૂર્વે નળ વિગેરે રાજાઓએ પણ જે ઘૂતકીડાને છોડી નથી, તે ઘતનું નામ પણ શત્રુના નામની જેમ તે ઉમૂલન કરી દેશે. તેનું ઉદયવાળું શાસન ચાલતાં આ પૃથ્વી પર પારેવાની પણ ક્રીડા અને કુકડાના યુદ્ધ પણ થશે નહિ. નિસીમ વૈભવવાળે તે રાજા પ્રાયઃ પ્રત્યેક ગ્રામે જિનમંદિર કરાવવાથી બધી પૃથ્વીને જિનમંદિરથી મંડિત કરશે, અને સમુદ્ર પર્યત પ્રત્યેક માર્ગ તથા પ્રત્યેક નગરે અહિત પ્રતિમાની રથયાત્રાને મહત્સવ કરાવશે. દ્રવ્યના પુષ્કળ દાનવડે જગતને ત્રણમુક્ત કરીને તે રાજા આ પૃથ્વી ઉપર પોતાનો સંવત્સર ચલાવશે. આ મહાન પ્રતાપી કુમારપાળ રાજા એક વખતે કથાપ્રસંગમાં ગુરૂમુખથી કપિલમુનિએ પ્રતિષ્ઠિત કરેલી અને રજમાં ગુપ્ત થયેલી તે પ્રતિમાની વાત સાંભળશે, જેથી તત્કાળ તે ધુળિનું સ્થાન મેદાવી એ વિશ્વપાવની પ્રતિમાને બહાર કાઢી લઈ આવવાને મનોરથ કરશે. તે વખતે મનને ઉત્સાહ અને બીજા શુભ નિમિત્તાવડે એ રાજા પ્રતિમાને હસ્તગામી થવાને સંભવ માનશે. પછી ગુરૂની આજ્ઞા લઈ ગ્ય પુરૂષની ભેજના કરીને વીતભય નગરના તે સ્થળને ખેદાવવાનો આરંભ કરશે. તે વખતે પરમ આહંતુ એવા તે રાજાના સવથી શાસનદેવતો ત્યાં આવીને સાનિધ્ય કરશે. કુમારપાળ રાજાના ઘણુ પુણ્યથી ખેદાવવા માંડેલા સ્થળમાંજ તત્કાળ તે પ્રગટ થશે. તે સાથે તે પ્રતિમાની પૂજાને માટે ઉદાયન રાજાએ આપેલા ગામને આઝાલેખ પણ પ્રગટ થશે. રાજાએ નીમેલા પુરૂષે પ્રાપ્ત થયેલી તે પ્રતિમાને નવીન હોય તેમ યથાવિધિ પૂજા કરીને રથમાં બેસારશે. માર્ગમાં તેની અનેક પ્રકારે પૂજાઓ થશે, તેની પાસે અહેરાત્રી સંગીત થયા કરશે, તેની સમીપે ગામડાની સ્ત્રીએ તાળીએ દઈને રાસડા ૧ ઢા, ચમાર વિગેરે નીચ વણું. ૨ પણ-હોડ કરીને પરસ્પર લાવવા તે. ૩ વિશ્વને પવિત્ર કરનારી. Page #237 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૨ મો] વીતભય નગરનું વર્ણન વિગેરે [૨૨૩ લેશે, પંચશબ્દ વાત્રો હર્ષપૂર્વક વાગશે, અને તેની બંને બાજુ ચામરો વીંજાતા જશે. એવી રીતે મોટી ધામધુમ સાથે એ પ્રતિમાને રક્ષકજને પાટણના સીમાડામાં લાવશે. તે હકીકત સાંભળીને અંતઃપુર પરિવાર સહિત ચતુરંગ એનાથી પરવારેલે કુમારપાળરાજા સર્વ સંઘની સાથે તે પ્રતિમાની સામે જશે. ત્યાં જઈ તે પ્રતિમાને પિતાને હાથે રથમાંથી ઉતારી હાથી ઉપર બેસારીને મોટા ઉત્સવ સાથે પિતાના નગરમાં પ્રવેશ કરાવશે. અને પિતાના રાજભવનની પાસેના ક્રિડાભવનમાં રાખીને તેની વિધિપૂર્વક ત્રિકાળ પૂજા કરશે. પછી તે પ્રતિમાને અર્થે ઉદાયનરાજાએ જે આજ્ઞાલેખ લખી આપે હતો, તે વાંચીને કુમારપાળ તેને પ્રમાણ કરશે. નિષ્કપટી કુમારપાળરાજા તે પ્રતિમાને સ્થાપન કરવા માટે એક સફટિકમય પ્રાસાદ કરાવશે. જાણે અષ્ટાપદ પર રહેલા પ્રાસાદને યુવરાજ હોય તે તે પ્રાસાદ જેવાથી જગતને વિસ્મય પમાડશે. પછી તે પ્રાસાદમાં તે પ્રતિમાનું સ્થાપન કરશે. એ પ્રમાણે સ્થાપિત કરેલી તે પ્રતિમાના પ્રભાવથી કુમારપાળરાજા પ્રતિદિન પ્રતાપ, સમૃદ્ધિ અને આત્મકલ્યાણમાં વૃદ્ધિ પામ્યા કરશે. હે અભયકુમાર ! દેવ અને ગુરૂની ભક્તિવડે એ કુમારપાળ રાજા આ ભારતવર્ષમાં તારા પિતાની જે થશે.” આ પ્રમાણે શ્રી વીરપ્રભુની પાસેથી સાંભળીને અભયકુમાર પ્રભુને નમી શ્રેણિકરાજા પાસે આવીને આ પ્રમાણે કહેવા લાગે કે-“હે પિતાજી! જે હું રાજા થઈશ તો પછી મારાથી મુનિ થવાશે નહીં, કારણ કે શ્રી વિરપ્રભુએ ઉદાયન રાજાને છેલ્લા રાજર્ષિ કહ્યા છે. શ્રી વીરપ્રભુ જેવા સ્વામીને પામીને અને તમારા પુત્રપણાને પામીને જે હું આ ભવદુઃખને છેદ ન કરૂં તો મારા જે બીજે કયે પુરૂષ અધમ કહેવાય? હે તાત! હું નામથી અભય છું, પણ ભવભયથી સભય છું, માટે જે આજ્ઞા આજ્ઞા આપે તો હું ત્રણ ભુવનને અભય આપનારા શ્રી વીરપ્રભુને આશ્રય કરૂં. અભિમાનરૂપ સુખના હેતુભૂત એવા રાજ્યથી મારે સયું. કારણ કે મહર્ષિઓ સંતોષનેજ શ્રેષ્ઠ સુખ કહે છે.” આ પ્રમાણેનાં અભયકુમારનાં વચન સાંભળીને શ્રેણિકે રાજ્ય લેવા માટે તેને આગ્રહથી કહ્યું, તો પણ જ્યારે તેણે રાજ્ય ગ્રહણ કર્યું નહીં, ત્યારે છેવટે રાજાએ હર્ષથી અભયકુમારને વ્રત લેવાની આજ્ઞા આપી. પછી સંતોષસુખના શત્રુ જેવા રાજ્યને તૃણની જેમ છોડી દઈને અભયકુમારે શ્રી વિરપ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. જ્યારે અભયકુમારે વ્રત ગ્રહણ કર્યું ત્યારે તેની માતા નંદાએ પણ શ્રેણિક રાજાની આજ્ઞા લઈને શ્રી વિરપ્રભુના ચરણમાં આવી દીક્ષા લીધી. અભય અને નંદાએ દીક્ષા લેતી વખતે દિવ્ય બે કુંડળો અને દિવ્ય વસ્ત્રયુગ્મ જે પ્રથમ શ્રેણિકે આપેલા હતા તે હલ્લ વિહલ્લને આપ્યા. ભગવંત શ્રી વીર પ્રભુએ સુર અસુરોથી સેવાતા છતા ભવ્યજનને પ્રતિબંધ કરવાને માટે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. અભયકુમાર વિવિધ પ્રકારના અભિગ્રહ પૂર્વક ચિરકાળ ચારિત્ર પાળી મૃત્યુ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્તમ દેવપણે ઉત્પન્ન થયા. જ્યારે અભયકુમારે શ્રી વિરપ્રભુની પાસે દીક્ષા લીધી ત્યારે શુદ્ધ બુદ્ધિવાળા મગધપતિ અણિક રાજાએ આ પ્રમાણે વિચાર્યું કે, “અભયકુમાર મારા સર્વ કુમારેમાં ગુણની ભૂમિરૂપ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિત્ર [ પ ૧૦ મું હતા, તે સુકૃતિએ તેા વ્રત લઈને પેાતાના સ્વાથ સાધી લીધે; તે હવે પરાક્રમી અને આયુષ્યમાન્ એવા કાઈ કુમારની ઉપર આ રાજ્યના ભાર મૂકવા જોઈએ; કારણ કે ‘રાજાઓનેા એ ક્રમ ચાલ્યેાજ આવે છે.' સગુણુ હોય કે નિર્ગુણ હોય પણ પુત્રજ પિતાની સપત્તિના અધિકારી છે; પરતુ ને પુત્ર ગુણી હાય તો પિતાનું પુણ્ય ઉજવળ ગણાય છે. અલયકુમાર વિના હવે મારા વિશ્રામનુ ધામ માત્ર મારા ગુણી પુત્ર કૂણિક છે, એજ રાજ્યને ચેાગ્ય છૅ, તે સિવાય ખીને કેાઈ રાજ્યને ચેગ્ય નથી.” આવે। નિશ્ચય કરીને મુણિકને રાજ્ય આપવાના નિરધારથી શ્રેણિકે હક્ષવિહલને અઢાર ચક્રનેા હાર અને સેચનક નામે હાથી આપ્યા. તે જોઈ કૃણિકકુમારે પેાતાના કાળ વિગેરે દશ બંધુઓને એકઠા કરીને કહ્યું કે, - પિતા વૃદ્ધ થાય તોપણ હજી રાજ્યથી તૃપ્તિ પામતા નથી. પુત્ર જ્યારે કવચધારી થાય ત્યારે રાજાએ તો વ્રત ગ્રહણુ કરે છે, આપણા જ્યેષ્ટ અભયકુમાર અંધુને ધન્ય છે કે, જેણે યુવાન છતાં રાજ્યલક્ષ્મીને છોડી દ્વીધી; પરંતુ આપણા વિષયાંધ પિતા તો હજુ રાજ્ય ભાગવતાં કાંઈ પણ જોતાજ નથી; માટે આજે એ પિતાને બાંધી લઇને આપણે સમયને ચેાગ્ય રાજ્ય ગ્રહણ કરીએ, તેમાં આપણને કાંઈ પણ અપવાદ લાગશે નહીં, કારણ કે તે વિવેક વિકળ થયેલા છે. પછી આપણે રાજ્યને અગ્યાર ભાગે વહેંચી લઈને ભાગવીશું. ત્યારખાદ આપણા અંધીખાને પડેલા પિતા સેંકડો વર્ષ સુધી ભલે જીવેા.” આવે વિચાર કરીને તેઓએ પેાતાના વિશ્વાસી પિતાને એકદમ ખાંધી લીધેા. “દૃષ્ટ પુત્ર ઘરમાં ઉત્પન્ન થયા છતાં પણ વિષવૃક્ષ જેવાજ છે.” કૃણિકે શ્રેણિકને શુકપક્ષીની જેમ પાંજરામાં પૂરી દીધા, વિશેષમાં તેને ખાનપાન પણ આપતો નહીં; એટલુંજ નહીં પણ તે પાપી કૂર્થિક પૂર્વભવના વૈરથી પ્રતિદિન સવારે અને સાંજે તેમને સે સે ચાબુક મારતો હતો. દેવે માથે નાખેલી આ દુર્દશાને શ્રેણિક ભાગવતો હતો. કેમકે “ ગજેંદ્ર સમથ' હાય તોપણ સાંકળે બંધાયેલા શું કરી શકે? ” કૂણિક શ્રેણિકની પાસે કેાઈને પણ જવા દેતો નહીં, ફક્ત માતાપણાના દાક્ષિણ્યથી ચેલ્રણાને જવામાં વારી શકતો નહી. ચેલૈંણા પ્રતિદિન સે। વાર ધેાયેલી સુરાવડે સ્નાન કરીને જવાની ઉતાવળ જણાવી આર્દ્ર કેશેજ શ્રેણિકની પાસે વારંવાર જતી હતી, અને પેાતાના કેશપાશમાં પુષ્પના ગુચ્છાની જેમ કુમાષ ( અડદ )ના એક પિંડ ગેાપવી રાખી એ પતિભક્તા રમણી શ્રેણિકને ગુપ્ત રીતે આપી દેતી હતી. દુઃપ્રાપ્ય એવા તે કુમાષના પિડ મળવાથી રાજા તેને દિવ્ય ભાજન સમાન માનતો હતો, અને તે પિંડથી પેાતાની પ્રાણયાત્રા કરતો હતો. કેમકે “ ક્ષુધા નામના રોગ અન્નરૂપ ઔષધ વિના મૃત્યુને માટે થાય છે.” પછી ચેક્ષણા સે। વાર ધેાયેલી સુરાના બિંદુએ કેશપાશમાંથી નેત્રના અશ્રુમિંદુ સાથે પાડતી હતી, અને તે સુરાના બિંદુઓનું મેઘબિંદુનુ ચાતક પાન કરે તેમ શ્રેણિક તૃષિત થઈને પાન કરતો હતો. એ બિંદુમાત્ર સુરાનું... પાન કરવાથી રાજા ચાબુકના ધાને બહુ વેદતો નહીં, તેમજ તૃષાથી પણ પીડિત થતો નહી. ૧ અસર સેરને. (( Page #239 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૨ મા] ઉદાયીને જન્મ [ ૨૨૫ આવી રીતે શ્રેણિકરાજાને બાંધી ઉગ્રપણે રાજ્ય કરતાં કૃણિકને પદ્માવતી નામની રાણીથી એક પુત્ર થયેા. તે વધામણી લઈને આવેલા દાસદાસીઓને કૃણિકે વઆભરણુથી આચ્છાદિત કરી કલ્પલતા જેવા કરી દીધા. પછી પેાતે અંતઃપુરમાં જઈને પુત્રને હાથમાં લીધેા. તેના કરકમળમાં રહેલા તે બાળક હુંસના બાળકની જેવા શેાલવા લાગ્યા. નયનરૂપ કમળને સૂય સમાન તે પુત્રને જોતો કૂણિક પરમ આનંદમાં મગ્ન થઈ એક લેાક ખેલ્યા, જેના ભાવાથ એવે। હતો કે – હૈ વત્સ! તું મારા અંગથી ઉત્પન્ન થયા છે અને મારા હૃદયથી ખનેલા છે, તેથી મારા આત્મા સમાન છે, માટે તું સે। વર્ષ સુધી જીવ!' આ પ્રમાણે વારંવાર ખેલતો કૃણિક વિશ્રાંત થયેા નહીં; અર્થાત્ તે શ્લાકના મિષથી હૃદયમાં નહી' સમાતા હર્ષોંનું તે વમન કરવા લાગ્યા. પછી કુમારના રક્ષણમાં ચતુર એવી વૃદ્ધ સ્ત્રીએ રાજાના હાથમાંથી પુત્રને સૂતિકાગૃહની શય્યામાં લઈ ગઈ. રાજાએ પુત્રના જાતકમાઁ મહત્સવ કર્યાં; અને શ્રાવક એવા બ્રાહ્મણુ વિગેરેને યથારૂચિ દાન આપ્યું.પછી શુભ દિવસે કૃણિકે મેાટા ઉત્સવથી તે પુત્રનુ ઉદાયી એવુ નામ પાડ્યુ. સુવણુ સરખી કાંતિવાળા કુમાર દિવસે દિવસે રક્ષકાથી રક્ષણ થતા ઉદ્યાનના વૃક્ષેાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. તે કુમારને કટી ઉપર બેસાડીને નિરંતર ફરતો કૃણિક પુતળીવાળા સ્તંભની જેવે! લાગતો હતો. કાલાકાલા શબ્દોથી કુમારને ખેલાવતો કૃણિક ખેલવામાં અજ્ઞાન એવા શિશુની શૈાભાને ધારણ કરતો હતા. બેસતાં, સુતાં, ચાલતાં, અને ભાજન કરતાં અંગુળીમાંથી મુદ્રિકાની જેમ રાજા તેને હાથમાંથી મુકતો નહાતો. એક વખતે પુત્રવત્સલ કૂણિકરાજા ડાખા સાથળ ઉપર પુત્રને બેસાડીને જમવા બેઠા હતો; તેણે અધુ` ભેાજન કર્યું, તેવામાં તે અભ'કે મૂત્રોત્સગ' કર્યાં, એટલે ઘીની ધારાની જેમ તેના મૂત્રથી ધારા ભેાજન ઉપર પડી. ‘ પુત્રના પેશાખના વેગના ભંગ ન થાઓ' એવું ધારી કૃણિકે પેાતાના સાથળ હલાવ્યે પણ નહી”. “ પુત્રવાત્સલ્ય એવુ હાય છે.” પણ મૂત્રથી આદ્ર થયેલુ અન્ન પેાતાને હાથે દૂર કરી ખાકીનું અન્ન તેજ થાળમાં તે ખાવા લાગ્યા. પુત્રના પ્રેમથી તે ભાજન પણ તેને સુખદાયક લાગ્યું. આ સમયે તેની માતા ચક્ષણા પાસે બેઠી હતી, તેને કૂણિકે પૂછ્યું કે, “ હું માતા ! કોઇને પેાતાના પુત્ર આવે પ્રિય હતો કે અત્યારે હશે ?” ચેક્ષણા ખેલી—અરે પાપી ! અરે રાજકુળાધમ ! તું તારા પિતાને આના કરતાં પશુ અત્ય'ત વહાલા હતો, તે શું નથી જાણતો ? મને દુષ્ટ દાહદ થવાવડે તુ જન્મ્યા છું, અને તેથીજ તુ' તારા પિતાના બૈરી થયે। છું; · સગર્ભા સ્ત્રીઓને ગર્ભ પ્રમાણેજ દહદ થાય છે.' ગર્ભમાં રહેલા તુ તારા પિતાના બૈરી છુ', એવું જાણી મે' પતિના કલ્યાણુની ઇચ્છાથી ગર્ભપાત કરવા માટે અનેક પ્રયત્ન કર્યાં હતા, તથાપિ તું તે તે ઔષધેાથી નાશ ન પામતાં ઉલટા પુષ્ટ થયેા હતો. · બળવાન્ પુરૂષને સવ વસ્તુ પથ્ય થાય છે.' તારા પિતાએ ‘હું પુત્રનું... મુખ કયારે એ?' એવી આશાથી મારા નઠારા દહલાને પણ પૂર્ણ કર્યાં હતા. પછી જ્યારે તું ધારી મેં તજી દીધા હતો, પણ તારા પિતા પેાતાના જન્મ્યા ત્યારે તને તારા પિતાના બૈરી D - 29 Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિરત્ર [ પ ૧૦ મુ' જીવિતવ્યની જેમ તને પાછે લઈ આવ્યા હતા. તને તજી દીધે। તે વખતે કુકડીના પિંછાથી તારી એક આંગળી વીધાઈ ગઈ હતી. તે પાકી જવાથી અને અંદર જીવ પડવાથી તને અત્યંત પીડા થતી હતી, તે વખતે તારી વચલી આંગળીને પણ તારા પિતા સુખમાં રાખતા હતા અને તે જ્યાંસુધી મુખમાં રાખતા ત્યાંસુધી તને સુખ થતું હતુ. અરે માઠા ચારિત્રવાળા ! આવી રીતે જે પિતાએ તને મહા કષ્ટ ભાગવી લાયિતપાલિત કર્યાં હતો, તેના ખદલામાં અત્યારે તેવા ઉપકારી પિતાને તે કારાગૃહમાં નાંખેલા છે.” કૂણિક એલ્સે –“ માતા ! મારા પિતાએ મને ગેાળના મેદક મેકલ્યા અને ધ્રુવિલને ખાંડના મેકલ્યા તેનુ' શુ' કારણુ ? ” ચિલ્લણા બેલી-હૈ મૂઢ! તું તારા પિતાને દ્વેષી છુ. એવુ' જાણી મને અનિષ્ટ થયેા હતો, તેથી ગેાળના મેાદક તો મે' મેાકલ્યા હતા.” આ પ્રમાણે ખુલાસે થવાથી કૂણિક એલ્યેા કે– “ અવિચારિત કાર્યો કરનારા એવા મને ધિક્કાર છે! પરંતુ હવે જેમ થાપણુ રાખેલી પાછી સાંપે તેમ હું મારા પિતાને રાજ્ય પાછુ' આપી દઉ છુ.” આ પ્રમાણે કહી અ" ભેાજન કર્યુ હતુ. તેવી સ્થિતિમાંજ પૂરૂ ભાજન કરવા ન રાકાતાં આચમન લઈ ધાત્રીને પુત્ર સેાંપી કૃણિક પિતાની સમીપે જવાને ઉત્સુક થઈ ઉભા થયે, અને ત્યાં જઈને ‘મારે હાથેજ પિતાના ચરણની ખેડી ભાંગી નાંખુ’’ એમ વિચારી એક લેહદ'ડ ઉપાડીને તે શ્રેણિકની પાસે જવા દોડયો. કૂણિકે શ્રેણિક પાસે રાખેલ પહેરગીર પૂર્વના પરિચયથી શ્રેણિકની પાસે આવ્યા અને કૃણિકને ઉતાવળે આવતો જોઈ આકુળવ્યાકુળ થઈને આ પ્રમાણે મેલ્યા “અરે રાજેન્દ્ર ! સાક્ષાત્ યમરાજની જેમ લેહદ ડને ધારણ કરી તમારા પુત્ર ઉતાવળા આવે છે, તે શુ' કરશે ? તે કાંઈ અમે જાણી શકતા નથી,” તે સાંભળી શ્રેણિકે વિચાયુ કે, “ આજે તો જરૂર મારા પ્રાણજ લેશે, કારણ કે આજ સુધી તો તે હાથમાં ચાબુક લઈને આવતા હતો અને આજે તો લેાહદ'ડ લઈને આવે છે. વળી હું જાણી શકતો નથી કે તે મને કેવા કુત્સિત મારથી મારી નાખશે ! માટે તે આળ્યેા નથી ત્યાં સુધીમાં મારેજ મરણનુ શરણુ કરવું ચેગ્ય છે. ” આવું વિચારી તેણે તત્કાળ તાળપુટ વિષ જિવાના અગ્ર ભાગે મૂકયું, જેથી આગળથીજ જાણે પ્રસ્થાન કરવા તૈયાર થયેલા હાય તેમ તેના પ્રાણ તત્કાળ ચાલ્યા ગયા. કૃણિક નજીક આવ્યા ત્યાં તો તેણે પિતાને મૃત્યુ પામેલા જોયા. તેથી તત્કાળ તેનું છાતી કુટીને પેાકાર કર્યાં અને વિલાપ કરવા લાગ્યા કે હું પિતા ! હું આવા પાપકર્માંથી આ પૃથ્વીમાં અદ્વિતીય પાપી થયેા. વળી ‘હું જઈ પિતાને ખમાવુ'' આવે! મારે। મનેરથ પણ અત્યારે પૂર્ણ થયે નહી, તેથી હમણા તો હું અતિ પાપી છું. પિતાજી! તમારા પ્રાસાદનુ વચન તો દૂર રહ્યું પણ મેં તમારૂં તિરસ્કાર ભરેલું વચન પણ સાંભળ્યુ' નહીં, મને માઢુ દેવ વચમાં આવીને નડયું. હવે ભૃગુપાત, શસ્ત્ર, અગ્નિ કે જળથી મારે મરવું તેજ યુક્ત છે” આ પ્રમાણે અતિ શાકમાં ગ્રસ્ત થયેલા કૃણિક મરત્રાને તૈયાર થા; તથાપિ મ’ત્રીઓએ તેને સમજાવ્યે, એટલે તેણે શ્રેણિકના દેહને અગ્નિસંસ્કાર કર્યાં. Page #241 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૨ મે ] શ્રેણિક રાજાનું મરણ [ ર૨૭ રાજ્યફમા (ક્ષય) ના વ્યાધિની જેમ દિવસે દિવસે ઘણા શેકથી લોણું થતા રાજાને જોઈ મંત્રીઓ ચિંતવન કરવા લાગ્યા કે-“જરૂર આપણે રાજા આવા અત્યંત શેકથી મૃત્યુ પામશે અને બધું રાજ્ય વિનાશ પમાશે, તેથી કાંઈ પિતૃભક્તિના મિષને લઈને તેનો ઉપાય રચો જોઈએ.” આવું વિચારી તેમણે કઈ જીણું તામ્રપત્રમાં એવા અક્ષરો લખ્યા કે, પુત્રે આપેલા પિંડાદિક મૃત પિતા પણ મેળવી શકે છે.” પછી તે તામ્રપત્ર તેમણે રાજાની પાસે વાંચી સંભળાવ્યું; તેથી ઠગાયેલા રાજાએ પિતાને પિંડાદિ આપ્યા. ત્યારથી પિંડદાનને પ્રચાર પ્રત્યે. મારા આપેલા પિંડાદિકને મારા મૃત પિતા ભગવે છે” આવી મૂઢ બુદ્ધિથી રસવિક્રિયાને વરવાળાની જેમ રાજાએ શનૈઃ શનૈઃ શેકને છોડી દીધો હતો પણ કોઈ કઈવાર પિતાની શય્યા અને આસન વિગેરે જોવામાં આવતા સિંહાલકન ન્યાયથી પાછો તેના હૃદયમાં શેક ઉત્પન્ન થતો હતો. ગળાના ભોથાંની જેમ વારંવાર તેને શેક ઉત્પન્ન થવા લાગે, તેથી તે રાજગૃહમાં રહેવાને અશક્ત થયે; એટલે “હું અહિંથી બીજે સ્થાને શહેર વસાવું” એ વિચાર કરીને તેણે ઉત્તમ ભૂમિ શેધવાને માટે વાસ્તુવિદ્યામાં ચતુર એવા પુરૂષોને આજ્ઞા આપી. તે ઉત્તમ વાસ્તુવેત્તાઓએ ભૂમિ શોધવા માટે ફરતાં ફરતાં એક ઠેકાણે ચંપકનું મોટું વૃક્ષ દીઠું. તે જોઈને તેઓ વિચારવા લાગ્યા કે, “આ વૃક્ષ કઈ ઉદ્યાનમાં નથી, અહિં કાંઈ પાણીની નીક જેવામાં આવતી નથી, તેમજ એની નીચે કયારામાં જળ પણ નથી, તે છતાં આવું અદ્ભુત આ શી રીતે થયું હશે : અહો ! આની શાખાઓ કેવી વિશાળ છે! પત્રલતા કેવી અદ્ભુત છે! નવા પલ્લવ કેવાં ખીલ્યાં છે? પુષ્પોની સુગંધ કેવી આવે છે! છત્રને પણ પરાભવ કરે તેવી કેવી સરસ શીતળ છાયા છે? અહે! આની નીચે વિશ્રામ કરવાની કેવી યોગ્યતા છે? અરે આનું સર્વ કેવું સુંદર છે ! શેભાના સ્થાનરૂપ આ ચંપક વૃક્ષ જેવું સ્વભાવથી જ રમણિક છે, તેવું અહિં નગર વસાવશું તો તે પણ રમણિક થશે.” આ પ્રમાણે વિચારી તેઓએ રાજા પાસે આવીને કહ્યું કે, “જેવું એ ચંપક વૃક્ષ શેભી રહ્યું છે, તેવું જ ત્યાં નગર શેલાને પામશે એ જાણે કેલ મળવાથી આવે તેમ અમને વિશ્વાસ આવે છે, માટે એ સ્થાન નગર વસાવવાને એગ્ય છે.” પછી રાજાએ ચંપક વૃક્ષના નામથી ચંપા નામે નગરી વેગથી ત્યાં વસાવી. “ રાજાઓને વચનથી જ કાર્યસિદ્ધિ થાય છે.” પછી કૃણિક પિતાના બ્રાતાઓની સાથે બળ' વાહન વિગેરે લઈ ચંપાપુરીમાં આવીને પૃથ્વીનું રાજ્ય કરવા લાગ્યા. એક વખતે હ અને વિહલ્લ નામના બે દીયરને સેચનક હાથી ઉપર આરૂઢ થયેલા, દિવ્ય કુંડળોથી મંડિત તથા દિવ્ય હાર અને દિવ્ય વસ્ત્ર ધારણ કરવાથી અદ્દભુત શોના વડે જાણે પૃથ્વી પર દેવ અવેલા હોય તેવા જઈ કૃણિકની સ્ત્રી પદ્માવતી સ્ત્રીપણાને ચોગ્ય વિચાર કરવા લાગી કે, “આવા દિવ્ય વસ્ત્ર, હાર, કુંડળ અને સેચનક હસ્તી વિના મારા પતિનું રાજ્ય ૧ ચારે પ્રકારનું લશ્કર. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું નેત્ર વિનાના મુખ જેવું છે. પછી તેણીએ હલ્લવિહલ્લ પાસેથી તે દિવ્ય હાર વિગેરે લઈ લેવાને પોતાના પતિને આગ્રહ કર્યો, એટલે કૂણિકે તેને કહ્યું કે, “હલ્લવિહલ્લને જે પિતાએ આપ્યું છે, તે પાછું લેવું યોગ્ય નથી, વળી પિતા સ્વર્ગમાં ગયા પછી તો એ બંને માટે વિશે પ્રાસાદ કરવાને યોગ્ય છે.” તથાપિ રાણીએ ઘણે આગ્રહ કર્યો. ત્યારે છેવટે રાજાએ તે હાર માગી લેવાને કબુલ કર્યું. “સ્ત્રીઓને આગ્રહ મકોડાના આગ્રહથી પણ વિશેષ છેઅન્યદા કણિકે હલ્લવિલની પાસે સૌભ્રાતૃપણું છેડી દઈને તે હાર વિગેરે ચારે વસ્તુ માગી. એટલે જેવી આપની આજ્ઞા” એમ કહીને તે બંને પોતાને ઘેર ગયા. પછી બુદ્ધિમાન એવા તે બંને વિચારવા લાગ્યા કે-“કૃણિકને આ અભિપ્રાય સારો નથી, પણ એનું આપણે શું પ્રયોજન છે, આપણે તો અહિંથી કઈ બીજે ઠેકાણે ચાલ્યા જઈએ.” “પરાક્રમીઓને સવ ઠેકાણે શ્રેય થાય છે.” આવો નિશ્ચય કરીને તે હલવિહલ્લ પોતાનું અંતઃપુર અને તે દિવ્ય હાર વિગેરે લઈ તેજ રાત્રે ત્યાંથી નીકળીને વૈશાળી નગરી તરફ ચાલ્યા, ત્યાં તેમને ચેટક નામને માતામહ હતો, તેણે નેહથી આલિંગન કરવાપૂર્વક તેને સત્કાર કર્યો અને યુવરાજની જેમ પોતાની પાસે રાખ્યા. પ્રાતઃકાળે કૃણિકને ખબર પડવા કે, હલ્લવિહલ્લ તો ધૂની જેમ છેતરીને વૈશાળી નગરીએ ચાલ્યા ગયા છે. એટલે દાઢી ઉપર હાથ મૂકીને તે ચિંતવવા લાગ્યું કે, “અહો ! મારે તો હસ્તી વિગેરે રત્ન પણ ન રહ્યા અને તે બે ભ્રાતા પણ ન રહ્યા, સ્ત્રીની પ્રધાનતાથી અર્થાત્ તેના કાા પ્રમાણે વર્તવાથી હું ઉભય ભ્રષ્ટ થયે. તો બન્યું તે ખરું, પણ હવે આવું કષ્ટ પ્રાપ્ત થતાં જ હું તેમને પાછા ન લાવું, તો એવા પરાભવને સહન કરનાર મારામાં અને વણિકમાં અંતર શું?” આ પ્રમાણે વિચારીને તેણે કઈ દ્વતને સમજાવી વૈશાળી નગરીમાં ચેટકરાજાની પાસે રને લઈને આવેલા પિતાના ભાઈઓની માગણી કરવાને માટે મક. તે દૂત વૈશાળી નગરીએ પહોંચી ચેટકરાજાની સભામાં ગયે અને ચેટકરાજાને પ્રણામ કરી આસને બેસી સભ્યતાથી આ પ્રમાણે છે-“હે રાજન ! અહિં હલવિહલ કુમાર ગજાદિક લઈને નાશી આવ્યા છે, તેમને અમારા સ્વામી કણિકને સેંપી દે. જે નહીં સેપે તો તમે રાજ્યભ્રષ્ટ થશે, તેથી એક ખીલીને માટે આખું દેવાલય તોડવા જેવું કરવું તમને યોગ્ય નથી.” ચેટકરાજા બેલ્યા કે,–“બીજુ કઈ શરણે આવેલ હોય તો તેને પણ સેંપાતું નથી, તો પછી આ તો મારા ભાણેજ છે કે જે મારા પર વિશ્વાસી છે, અને મને પુત્રવત્ પ્રિય છે, તેને મારાથી શી રીતે સંપી દેવાય ?” દૂત બે કે “તમે શરણે આવેલા તેમને કદિ ન સેપે તો ખેર, તેમની પાસેથી રને લઈને મારા સ્વામીને અર્પણ કરો.” ચેટકરાજા બે કે “અરે દૂત! રાજા અને રંકન એ સમાન ધર્મ છે કે બીજાના વિત્તને આપી દેવાને બીજે માણસ કદિ પણ સત્તા ધરાવતો નથી. વળી બળાત્કાર કે સમજાવીને પણ હું તેમની ૧ ઉત્તમ બંધુપણું. Page #243 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૨ મ ] હલવિહલનું વૈશાળી નાશી જવું [ ૨૨૯ પાસેથી કાંઈ લઈ શકું તેમ નથી, કારણ કે તે મારા યમપાત્ર ભાણેજ હેવાથી દાન આપવાને રોગ્ય છે.” આ ઉત્તર સાંભળી ત્યાંથી પાછા ફરીને દૂત ચંપાનગરીએ આવ્યો અને ચેટકરાજાએ કહેલે ઉત્તર પિતાના સ્વામી કૃણિકને કહી સંભળાવ્યો, કે જે તેના ક્રોધરૂપી અગ્નિમાં વંટળીઆ જે થઈ પડ્યો. કૃણિકે તત્કાળ ચેટકરાજા૫ર ચડાઈ કરવાને જયભંભા વગડાવી. “મહા પરાક્રમી વીર સિંહની જેમ બીજાના આક્ષેપને સહન કરી શકતા નથી.” ભંભાનાદ સાંભળી અસામાન્ય તેજવાળા કુણિકરાજાના સૈનિકે સર્વ પ્રકારે સજજ થઈ ગયા. કાળ વિગેરે દશ બળવાન કુમારે (ણિકના ભાઈઓ) સર્વ રીતે સજજ થઈને સૈન્યની આગળ થયા. તે પ્રત્યેક કુમારની સાથે ત્રણ ત્રણ હજાર હાથીએ, તેટલાજ અ, તેટલાજ રથ અને ત્રણ કેટી પાયદળનું સૈન્ય તૈયાર થયું. આવું કૃણિકનું પ્રભુપણું હતું. આવા મોટા સૈન્યની સાથે ચંપાપતિ ચેટકરાજાની સન્મુખ ચાલ્ય; તેના સૈન્યના પ્રયાણથી પૃથવી અને સૂર્ય બંને ઢંકાઈ ગયા; રાજા ચેટકે પણ અપરિમિત સિન્યથી કણિકના સામી તૈયારી કરી. અઢાર મુગટબદ્ધ રાજાઓ તેની ફરતા વીંટાઈ વળ્યા હતા. પ્રત્યેક રાજાઓની સાથે ત્રણ હજાર ગજેદ્રો, તેટલા ઘોડા, તેટલા રથ અને ત્રણ કેટી પેદળની સેના હતી. તેથી ચેટકનું સૈન્ય પણ કૃણિકના જેટલું જ હતું. ચેટકરાજા વિશાળાથી ચાલીને પિતાના દેશની સીમા ઉપર જઈ ઉભે રહ્યો. સામું સૈન્ય આવી મળતાં પિતાના સિન્થમાં દુર્ભેદ્ય સાગરબ્યુહની રચના કરી. ચંપાપતિ કૂણિકે પણ પૂર્વે કહ્યા પ્રમાણેની પોતાની સેનાવડે શત્રુસેનાથી અભેદ્ય એવા ગરૂડધૂહની રચના કરી. બંને સેનામાં દવનિથી આકાશ અને અંતરીક્ષને પૂરતા હજારો ઘર સૈન્ય વાછત્રો વાગવા લાગ્યા, અને બંને સેનામાં કીર્તિના સ્તંભ હોય તેવા સ્તબ્ધ અને સેવકોએ પ્રચલિત કરેલા ખરવડે શંખવાદકે ફરવા લાગ્યા. પ્રથમ કૃણિકના સિન્યના નાયક કાળકુમારે ચેટકરાજાની સેના સાથે યુદ્ધ કરવાની શરૂઆત કરી. એટલે બંને સૈન્યમાં ગજારૂઢે ગજરૂઢ, સ્વારે સ્વાર, રથીએ રથી અને પત્તિએ પત્તિ યુદ્ધ કરવા લાગ્યા. ભાલાઓના ઘાતથી પડતા હાથીઓ અને ઘડાવડે બધી પૃથ્વી, પર્વત અને શિલાઓવાળી હોય તેવી દેખાવા લાગી. ભાંગેલા રથો અને હણાયેલા વીરવડે રૂધિરની નદીઓ જળમાનુષ અને બેટવાળી હોય તેવી દેખાવા લાગી. તે વખતે રણાંગણમાં વીરકુંજરના કુરણાયમાન થતા ખોથી જાણે અસિપત્રનું વન પ્રગટ થયું હોય તેમ દેખાતું હતું. ખગેથી કપાઈને ઉછળતા શુરવીરાના કરકમળે લઈને માંસભક્ષી રાક્ષસે કર્ણના આભૂષણનું કૌતુક પૂરું કરતા હતા અને સુભટના મસ્તકે ખધારાવડે જુદા પડતાં હુંકાર કરવાવડે જાણે પિતાના ધડને લડવાની આજ્ઞા કરતા હોય તેમ જણાતું હતું. આ પ્રમાણે સમુદ્રનું વહાણવડે અવગાહન કરે તેમ કાળકુમાર સાગરબ્યુહનું અવગાહન કરીને તેને પાર પામ્યાની જેમ ચેટકરાજાની પાસે આવ્યો. જ્યારે કાળ જે કાળકુમાર અકાળે પિતાની પાસે આવ્યું ત્યારે ચેટકરાજાએ વિચાર્યું કે, “વજીની જેમ આ કુમારને કઈ પણ ખલિત કરી Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું શકયું નહીં, તેથી આ સન્મુખ આવતો કાળકુમાર કે જે રણરૂપ સાગરમાં મંદરગિરિ જે છે, તેને હું આ દિવ્ય બાણથી ક્ષણમાં નિગ્રહ કરૂંઆ વિચાર કરીને પ્રાણરૂપ ધનને ચરનારૂં એક બાણ છોડી ચેટકે કાળકુમારને તત્કાળ પંચત્વ પમાડી દીધો. તે સમયે કાળકુમારની જેમ સૂર્ય પણ અસ્ત પામ્ય અને ચંપાપતિનું સૈન્ય જેમ શેકગ્રસ્ત થયું તેમ આખું જગત પણ અંધકારથી ગ્રસ્ત થયું. તે રાત્રીએ ચંપા પતિનું સિન્ય યુદ્ધ છેડી દીધા છતાં જાગ્રતજ રહ્યું. કેમકે અભક્ત શ્રીવાળા પુરૂષની જેમ માથે વૈરવાળા પુરૂષને નિદ્રા કયાંથી આવે ? વેકરાજાના સૈન્યમાં તેના સુભટોએ વીરજયંતી કરીને વાજીંત્રોના નાદવડે આનંદમાં ના નિર્ગમન . બીજે દિવસે ચંપાપતિ કૂણિકે સેનાપતિના પદ ઉપર કાળના નાના ભાઈ મહાકાળને અભિષેક કર્યો, તેને પણ ચટક રાજાએ કાળની જેમ મારી નાંખે. એવી રીતે સેનાપતિના પદ ઉપર આવેલા શ્રેણિક રાજાના બીજા આઠ કુમારને પણ ચેટકે એક એક દિવસે મારી નાંખ્યા. એ પ્રમાણે જ્યારે પિતાની જેવા કાળ વિગેરે દશ કુમારે માર્યા ગયા ત્યારે કૃણિકે વિચાર કર્યો કે “દેવતાના પ્રસાદથી એક બાવડે ચેટકરાજા સૌને જીતી લે છે, તેથી હવે તે કોટી મનુષ્યોથી પણ જીતી શકાશે નહીં. મને ધિકાર છે કે, ચેકને આ પ્રભાવ જાણ્યા વગર દેવ જેવા મારા દશ ભાઈઓને મેં હણાવી નાખ્યા. હવે જે યુદ્ધ કરીશ તો જે ગતિ તેમની થઈ તે ગતિ મારી પણ થશે, તેથી યુદ્ધ કરવું યોગ્ય નથી, તેમ હવે ભ્રાતૃવધ જોઈને મારે અહિંથી પાછા વળવું તે પણ ઘટિત નથી, માટે હું પણ દેવતાનું આરાધન કરીને તેના પ્રભાવથી શત્રુને જીતી લઉં. “દિવ્ય પ્રભાવ દિવ્ય પ્રભાવવડેજ બાધિત થાય છે.” ઉપર પ્રમાણે ઉપાય ચિંતવી હૃદયમાં કે ઈદેવનું ધ્યાન ધરીને શ્રેણિકકુમાર કૃણિક અઠ્ઠમ ભક્ત કરી સ્થિત છે. પૂર્વ જન્મના તપથી અને તેમ. આ જન્મનું તપ મળવાથી શકેંદ્ર અને ચમહેંક તત્કાળ ત્યાં આવ્યા. તેમણે કણિકને કહ્યું કે, “હે ભદ્ર! શી ઈચ્છા છે?” તે બે-બજે તમે પ્રાન થયા છે તો ચેટકરાજાને હણી નાંખે.” શકેદ્ર ફરીથી કહ્યું કે-તે સિવાય બીજુ કાંઈ માગે, કારણ કે ચેટકરાજા શ્રાવક હોવાથી મારો સાધર્મિક છે, તેથી તેને હું કદિ પણ હણીશ નહીં. તથાપિ હું તારા દેહની રક્ષા કરીશ કે જેથી તેનાથી તું છતાઈશ નહીં.' કૃણિકે “gવમસ્તુ' કહી તે વાત સ્વીકારી. પછી અમરેંદ્ર મહાશિલા કંટક અને રથમૂશળ નામે બે વિજયદાયક સંગ્રામ કરવાનું કહ્યું. પહેલા મહાશિલા કંટક સંગ્રામમાં દુશમન તરફથી મહાશિલા આવે તો તે કાંકરા જેવી થઈ જાય છે અને દુશ્મન તરફ એક કાંટે નાંખ્યો હોય તો તે મટા શસ્ત્રથી અધિક થઈ પડે છે. બીજા રથમૂશળ સંગ્રામમાં ચારે તરફ ભમવાપણું થાય છે અને તેથી સર્વત્ર સંગ્રામ કરવા ઉઠેલું શત્રુઓનું સૈન્ય જોવામાં આવી જાય છે. પછી સુરેંદ્ર, અસુરેંદ્ર, અને નરેંદ્ર (ક્ષણિકે) મળીને ચેટકરાજાની સેના સાથે યુદ્ધ કરવા માંડયું. તે વખતે નાગરથીને પૌત્ર વરૂણ કે જે શ્રાવકના દ્વાદશ વ્રતને પાળનાર, સમ્યગુદષ્ટિ, છઠું છ ભજન કરનાર, સંસારથી વિરક્ત, અને રાજાભિયેગી છઠ્ઠને અંતે પણ અઠ્ઠમ કરનાર Page #245 -------------------------------------------------------------------------- ________________ સ ૧૨ મે] કૃણિક અને ચેટક રાજાનુ' યુદ્ધ | ૨૩૧ હતો, તેની ચેટકરાજાએ ઘણી પ્રાર્થીના કરી એટલે તે રથમૂશળ નાનના દુઃસહુ સ`ગ્રામમાં સત્ય પ્રતિજ્ઞા લઈ સેનાપતિ થઈને યુદ્ધ કરવા પેઠો. તે યુદ્ધ કરવા માટે આક્ષેપ કરતો છતો અસહ્ન વેગવાળા રથવડે કૃણિકના સેનાપતિ ઉપર ધસી આવ્યા. રથને સામસામા કરી તે બંને યુદ્ધની ઈચ્છાથી જાણે પૃથ્વીપર સૂર્ય અને રાહુ આવ્યા હોય તેમ એક બીજાની નજીક આવ્યા. કૃણિકના સેનાપતિ યુદ્ધની માગણી કરતો છતો વરૂણની સામે ઉભેા રહીને તેને ‘ઘા કર, ઘા કર' એમ કહેવા લાગ્યા. તેના ઉત્તરમાં વરૂણ ખેલ્યેા કે-‘હું મહાભુજ ! હું શ્રાવક છું, તેથી મારે એવું વ્રત છે કે, કાઈની ઉપર પ્રથમ પ્રહાર કરવા નહીં.' તે સાંભળી ‘હે મહાસત્વ ! સામાશ છે' એમ કહી કૃણિકના સેનાપતિએ તેની ઉપર એવુ` ખાણ છેડયુ કે જેથી વરૂણનુ મમ સ્થાન વિધાઈ ગયું. પછી વરૂણે રાતાનેત્ર કરી એક પ્રહારવડેજ કૃણિકના સેનાપતિને યમદ્વારમાં પહાંચાડી દીધે; અને તત્કાળ ગાઢ પ્રહારથી વિધુર થયેલે તે રણમાંથી નીકળી ગયેા. બહાર નીકળી એક ઠેકાણે તૃણુને સથારે કરી તે પર બેસીને તે આ પ્રમાણે ચિતવવા લાગ્યા 66 આ શરીવડે સર્વ રીતે સ્વામીનુ કાર્ય કર્યું છે, હવે અંતકાળ સમીપ આવેલા હાવાથી સાધવાના અવસર છે, તેથી હવે મહાપૂજ્ય એવા અરિહંત, સ` સિદ્ધ, સાધુએ અને કેવળી ભગવંતે કહેલા ધનુ' મારે શરણુ હે; હું સર્વ જીવેાને ખમાવું છું; તેએ ખધા મારા અપરાધને ખમેા, મારે હવે સ જીવે। સાથે મૈત્રી છે; કેાઈની સાથે વૈર નથી. ત્રણ જગમાં મારૂં કઈ નથી અને હું કાઈ ના નથી. મારામાં જે જગા પદાર્થ પર મમતા હતી, તેને હું છેાડી દઉં છું. મેં મૂઢ થઇને કયા કયા પાપસ્થાનકે સેવ્યા નથી ? હવે અત્યારે નિરાગી થયેલા એવા જે હું તેના સર્વાં દુષ્કૃત્ય મિથ્યા થાઓ. દેવ, મનુષ્ય, તિય ચ અને નારકીપણામાં મે' જે જે દુષ્કૃત્ય કર્યા. હાય તે સર્વાને હું નિંદુ છું, શ્રી વીરપ્રભુ એકજ મારી ગતિ હા.” આ પ્રમાણે આરાધના કરીને તેણે ચતુર્વિધ આહારના પચ્ચખ્ખાણ કર્યા અને પછી સમાહિત મને નવકાર મંત્રનું ધ્યાન કર્યું. એ સમયે વરૂણના એક મિત્ર મિથ્યાત્વી હતો, તે રણમાંથી એકાએક બહાર નીકળી વરૂણની પાસે આવ્યે અને આ પ્રમાણે ખેલ્યા કે - હે મિત્ર! હું તમારા સ્નેહથી વેચાણ થયેલા છું, તેથી અન્ન છતાં પણ તમારા અંગીકાર કરેલા માર્ગને સ્વીકારૂં છુ. એમ કહીને તે પણ તેની જેમ યાનપરાયણ થયેા. વરૂણ નવકાર મંત્રને જપતો છતો ધર્મ ધ્યાનમાં પરાયણ થઈ સમાધિવડે મરણ પામીને સૌધમ દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયે, ત્યાં અરૂણા નામના વિમાનમાં ચાર પળ્યે પમનુ આયુષ્ય પૂ કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે. તેને મિથ્યાત્વી મિત્ર પણુ વરૂણના માર્ગે જ મૃત્યુ પામી તેના મિત્ર દેવતા થઈ કેાઈ ઉત્તમ કુળમાં મનુષ્ય થશે, અને ફરીને વિદેહક્ષેત્રમાં પુનઃ ઉત્તમ કુળમાં મનુષ્યપણુ. પ્રાપ્ત કરી મુક્તિમાર્ગને આરાધીને મેાક્ષપદને પામશે. વરૂણૢ મરણુ પામવાના ખબર મળવાથી ચેટકરાજાના સુભટે લાકડીને સ્પર્શ થવાથી Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું વરાહની જેમ યુદ્ધ કરવાનો દ્વિગુણ ઉત્સાહ ધરાવવા લાગ્યા. તે ઉપરથી ગણરાજવડે સનાથ થયેલા ચેટકની સેનાના સુભટોએ ક્રોધવડે હેઠ ડરીને કૃણિકની સેનાને ઘણી કુટી. પિતાના સન્યને એ પ્રમાણે કુટાતું જોઈને કૃણિક રાજા પથ્થરથી હણાયેલા સિંહની જેમ ક્રોધવડે ઉદ્ધત થઈને પિતે દેડી આવ્યો. વીરકુંજર કૂણિકે સરોવરની જેમ રણભૂમિમાં કીડા કરીને શત્રુના સૈન્યને કમળ ખંડની જેમ દશે દિશાએ વિખેરી નાંખ્યું; તેથી કૃણિકને દુજે ય જાણી અતિ ક્રોધ પામેલે ચેટક કે જે શૌર્યરૂપ ધનવાળા હતા તેણે ધનુષ્ય ઉપર પેલું દિવ્ય બાણ ચઢાવ્યું તે સમયે શકેંદ્ર કણિકની આગળ વા કવચ રાખ્યું અને અમરેદ્ર તેની પછવાડે લેહકવચ રાખ્યું. પછી વૈશાળીમગરીના પતિ ચેટકે ધનુષ્યને કાન સુધી ખેંચી દિવ્ય બાણને છેડયું. પણ તે વજા કવચથી ખલિત થઈ ગયું. તે અમેઘ બાણને નિષ્ફળ થયેલું જોઈને ચેટકરાજાના સુભટે તેના પુણ્યને ક્ષય માનવા લાગ્યા. સત્ય પ્રતિજ્ઞાવાળા ચેટકે બીજું બાણ છયું, તે તે પણ નિષ્ફળ થયું એટલે તે પાછો ફર્યો. બીજે દિવસે પણ તેજ પ્રમાણે યુદ્ધ થયું, અને ચેટકે તેજ પ્રમાણે બાણ મૂકયા પણ તે સફળ થયા નહીં એવી રીતે તેમનું દિવસે દિવસે અતિ ઘેર યુદ્ધ થયું અને બંને પક્ષના મળીને એક કેટી ને એંશી લાખ સુભટે મૃત્યુ પામ્યા. તેઓ તિર્યંચમાં અને નારકીમાં ઉત્પન્ન થયા. પછી ગણરાજાઓ નાશીને પિતપોતાના નગરમાં ચાલ્યા ગયા, એટલે ચેટરજા પણ પલાયન કરીને પિતાના નગરીમાં પિશી ગયે; એટલે કૃણિકે આવીને વિશાળા નગરીને રૂંધી લીધી. પછી દરરોજ રાત્રીએ સેચનક હાથી ઉપર ચડીને હાવિહર કૃણિકના સિન્યમાં આવવા લાગ્યા અને ઘણા સૈન્યને વિનાશ કરવા લાગ્યા. કારણ કે એ સેચનક હાથી સ્વપ્ન હસ્તીની જેમ કેઈથી મારી કે પકડી શકતો નહતો, તેથી રાત્રે બધા સુઈ ગયા હોય ત્યારે આવી ઘણું સૈન્યને વિનાશ કરીને હલ્લવિહલ કુશળક્ષેમ પાછા ચાલ્યા જતા હતા. એક દિવસ મંત્રીઓ પ્રત્યે ક્રેણિકે કહ્યું કે, “આ હલ્લવિહલે તો પ્રાયે આપણા આખા સૈન્યને વિલુપ્ત કરી નાંખ્યું છે, તેથી તેઓને જીતવાને કાંઈ ઉપાય છે?” મંત્રીઓ બેલ્યા કે જ્યાં સુધી એ નરહસ્તી હલવિહલ સેચનક હાથી ઉપર બેસીને આવે છે, ત્યાં સુધી તેઓ કેઈનાથી પણ જીતી શકાશે નહીં માટે આપણે તે હસ્તીને વધ કરવાની જરૂર છે, તેથી તેના આવવાના માર્ગમાં એક ખાઈ કરી તેમાં ખેરના અંગારા સંપૂર્ણ રીતે ભરો અને તેની ઉપર આચ્છાદન કરી લઈ તેને પુલની જેમ ખબર ન પડે તેવું કરે. પછી સેચનક વેગથી દેડતો આવશે, એટલે તેમાં પડી જશે અને મરણ પામશે. કૃણિકે તરતજ ખેરના અંગારાથી પૂર્ણ એવી એક ખાઈ તેના આવવાના માર્ગમાં કરાવી અને તેની ઉપર આચ્છાદન કરી લીધું. હવે હલવિહલ પિતાના વિયથી ગવત થઈ સેચનક હાથી ઉપર બેસીને તે રાત્રે પણ કૃણિકના સૈન્યપર ધસારો કરવાને વિશાળામાંથી નીકળ્યાં. માર્ગમા પેલી અંગરાવાળી ખાઈ આવી, એટલે તરતજ સેચનક તેની રચનાને વિર્ભાગજ્ઞાનવડે જાણી ગયે, તેથી તે તેના કાંઠા ઉપર ઉભો રહ્યો. ચલાવવાને ઘણે પ્રયાસ કર્યા છતાં જરા પણ ચાલે નહીં, એટલે હલ્લવિહલે તે હાથીને Page #247 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૨ મ]. હલવિહલ્લે લીધેલી દીક્ષા [૨૩૩ તિરસ્કાર કરીને કહ્યું કે, “અરે સેચનક! તું અત્યારે ખરેખર પશુ થયે, તેથી જ આ વખતે રણમાં જવાને કાયર થઈને ઉભે રહ્યો છું. તારે માટે અમે વિદેશગમન અને બંધુને ત્યાગ કર્યો, તેમ તારેજ માટે અમે આર્ય ચેટકને આવા દુર્વ્યસનમાં નાંખે. જે પિતાના સ્વામી ઉપર સદા ભત રહે તેવા પ્રાણીને પિષ તે શ્રેષ્ઠ છે, પણ તારા જેવાને પિષ ચગ્ય નથી, કે જે પોતાના પ્રાણને વહાલા કરીને સ્વામીના કાર્યની ઉપેક્ષા કરે છે.” આવા તિરસ્કારનાં વચને સાંભળી પિતાના આત્માને શ્રેષ્ઠ માનતા સેચનક હસ્તીએ બળાત્કારે હલવિહલને પિતાના પૃષ્ટ ઉપરથી નીચે ઉતારી નાખ્યા અને પિતે તે અંગારાની ખાઈમાં પડીને ચંપાપાત કર્યો. તત્કાળ મૃત્યુ પામીને તે ગજે પહેલી નારકીમાં ઉત્પન્ન થયો. તે જોઈ બંને કુમારોએ ચિંતવ્યું કે, “આપણને ધિક્કાર છે! આપણે આ શું કર્યું ! આમાં તે આપણેજ ખરેખર પશુ ઠર્યા. સેચનક પશુ નહીં; કારણ કે પૂજ્ય માતામહ ચેટકને આવા મહા સંકટમાં નાખી માટે વિનાશ પમાડી હજુ પણ આપણે દુષ્ટ બુદ્ધિવાળા જીવીએ છીએ. વળી આપણે આર્ય. બંધુના મોટા સૈન્યને વિનાશ કરવામાં જામીનરૂપ થયા અને તેને વૃથા નાશ કરાવ્યું તેમજ બંધને અબંધુપણામાં લાવ્યા, માટે હવે આપણે જીવવું યુક્ત નથી, તેમ છતાં કદિ જે જીવવું તે અત્યારથી શ્રી વીરપ્રભુના શિષ્ય થઈને જીવવું, અન્યથા નહિ.” એ સમયે શાસનદેવી ભાવયતિ થયેલા તે બંનેને ટીવીરપ્રભુની પાસે લઈ ગઈ. એટલે તત્કાળ તેમણે પ્રભુની પાસે દીક્ષા લીધી. હલ્લવિહલે આ પ્રમાણે દીક્ષા લીધી, તે પણ કૂણિક વિશાળ નગરી લઈ શકે નહીં; તેથી તે ચંપાપતિ કુષિકે વિશાળા કબજે કરવા સંબંધી પ્રતિજ્ઞા લીધી. પરાક્રમી પુરૂષને પ્રતિજ્ઞા કરવાથી પુરૂષાર્થ વૃદ્ધિ પામે છે.” તે પ્રતિજ્ઞા આ પ્રમાણે હતી કે “જે હું આ નગરીને ગધેડા જોડેલા હળવડે ન ખેદું તે મારે ભૂગુપાત કે અગ્નિપ્રવેશ કરી મરવું.” આવી પ્રતિજ્ઞા કરી તે પણ તે વિશાળાપુરીને ભાંગી શકે નહીં; તેથી તેને ઘણે ખેદ થયે. એવામાં કામગથી કુળવાળુકની ઉપર રૂટમાન થયેલી દેવીએ આકાશમાં રહીને કહ્યું કે, “હે કૃષિક! જે માગધિકા વેશ્યા કુળવાળુક મુનિને મેહિત કરી વશ કરે તો તું વિશાળાનગરી ગ્રહણ કરી શકીશ.” આવી આકાશવાણી સાંભળી તત્કાળ જેને જયની પ્રત્યાશા ઉત્પન્ન થઈ છે એ કૃણિક સજજ થઈને બા“બાળકની ભાષા, જીએાની ભાષા અને ઉત્પાતિકી ભાષા પ્રાયે અન્યથા થતી નથી, તે એ કુળવાળુક મુનિ કયાં છે? અને તે શી રીતે મળી શકે? અને માગધિકા વેશ્યા પણ ક્યાં હશે?” તે સાંભળી મંત્રીઓ બાલ્યા કે, “હે રાજન! માગથિક વેશ્યા તે તમારાજ નગરમાં છે, બાકી કુરીવાળુક મુનિને અમે જાણતા નથી.” પછી કૃષિક વિશાળાના નિરાકને માટે અર્ધ સૈન્ય મૂકી બાકીનું અર્ધ સૈન્ય લઈને પોતે ચંપાનગરીએ આવે; અને તરતજ ચરમંત્રીની જેમ તેણે માગધિકા વેશ્યાને બોલાવી તે પણ તરત હાજર થઈ એટલે કૃણિકે તેને કહ્યું કે, “હે ભદ્ર! તું બુદ્ધિમતી અને કળાવતી છું, તું જન્મથી માંડીને અનેક પુરૂષને વશ કરીને ૦૫વિત થઈ D - 30 Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર [ પર્વ ૧૦ મું છું. તો હવે હમણું મારું એક કાર્ય સફળ કર. એટલે કે તારી સર્વ કળા ચલાવીને કુળવાળુક નામના મુનિને તારા પતિપણે કરી લાવ.” એ મનસ્વીની વેશ્યાએ “હું તે કાર્ય કરીશ” એમ સ્વીકાર્યું, એટલે ચંપાપતિએ વસ્ત્રાલંકારાદિવડે તેને સત્કાર કર્યો અને તેને વિદાય કરી. પછી તે ધીમતી રમણે ઘેર જઈ વિચાર કરીને તે મુનિને ઠગવાને મૂર્તિમતી માયા હોય તેવી કપટશ્રાવિકા થઈ. પછી જાણે ગર્ભશ્રાવિકા હેય તેમ તે દ્વાદશ પ્રકારના ગૃહીમને લકોમાં યથાર્થ અને સત્ય રીતે બતાવવા લાગી, તે ઉપરથી તે યુવતિને સરલાશયવાળા આચાર્ય અત્યપૂજામાં અને ધર્મશ્રવણમાં તત્પર એવી યથાર્થ શ્રાવિકા જાણવા લાગ્યા. એક વખતે તે કપટશ્રાવિકાએ આવી આચાર્યને પૂછયું કે, “ગુરૂવર્ય! કુળવાળુક સાધુ કયા?” કપટશ્રાવિકાના હૃદયને નહિ જાણનારા આચાર્યો આ પ્રમાણે તેના ઉત્તરમાં કહ્યું કે, ધર્મજ્ઞ અને પંચવિધ આચારમાં તત્પર એવા એક ઉત્તમ મુનિ હતા. તેમને કપિના જેવો ચપળ એક ક્ષુલ્લક શિષ્ય હતું. તે સમાચારીથી ભ્રષ્ટ છતાં તેને વારણા તથા સમારણદિવડે ગુરૂએ ઘણી પ્રેરણા કરી, તે પણ તે અતિ દુર્વિનિત (ક્ષુલ્લક કિંચિત્ પણ સુધર્યો નહિ. ગુરૂ દુખે સંભળાય તેવી અને શાસ્ત્રમાં કહેલી આચારશિક્ષા તેને આદરથી આપતા હતા. આગમમાં કહ્યું છે કે-“બીજા રોષ પામે કે તેને વિષના જેવી લાગે પણ જે વાત તેને ગુણ કરનારી હેય તે તેને કહી જણાવવી.” પેલે ક્ષુલ્લક ગુરૂની કાર કે મધુર કોઈ પણ પ્રકારની શિક્ષા માનતો નહીં, કારણ કે “ગુરૂની ગિરાઓ પણ લઘુકમી શિષ્ય ઉપર અસર કરે છે. એક વખતે આચાર્ય વિહાર કરતા કરતા ગિરિનગરે આવ્યા, અને તે સુકલક શિષ્યને સાથે લઈને ઉજજયંતગિરિ ઉપર ચડયા. ત્યાં દર્શનાદિ કરીને ગુરૂ નીચે ઉતરતા હતા, તે વખતે તે અધમ શિષ્ય ગુરૂને પીષી નાખવા માટે ઉપરથી એક માટે પાષાણ દે છે. તેને ખડખડાટ શબ્દ સાંભળી ગુરૂએ નેત્ર સંકેચીને જોયું, તો વજીનાળ ગળાની જેમ તે પાષાણુને પડતો દીઠે, એટલે તત્કાળ ગુરૂએ જંઘા વિસ્તારી એટલે તે પાષાણ તેના અંતરમાંથી નીકળી ગયે. બુદ્ધિમાન ઉપર પ્રાયઃ આપત્તિ દુખ આપવા સમર્થ થઈ શકતી નથી.” આવા તેના કર્મથી ક્રોધ પામેલા ગુરૂએ તે ક્ષુલ્લકને શાપ આપ્યો કે, “હે પાપી! જા તું કેઈ સ્ત્રીના સંગે વ્રતના ભંગને પામીશ.” ક્ષુલ્લક બેલ્યો-“હે ગુરૂ ! તમારા શાપને વૃથા કરીશ એટલે કે જ્યાં કેઈ સ્ત્રી જોવામાં જ ન આવે એવા અરણ્યમાં જઈને રહીશ.” આ પ્રમાણે કહીને તે દુર્મતિ જેમ લજજાને ત્યાગ કરે તેમ ગુરૂને ત્યાગ કરી સિંહની જેમ નિજન અરણ્યમાં ચાલ્ય ગ. ત્યાં કોઈ પર્વતમાંથી નીકળતી નદીના મૂળ પાસે કાત્સગે રહો. તે માસે કે અર્ધ માસે કઈ પથિક આવે ત્યારે કાર્યોત્સર્ગને પાળતો હતો અને પારણું કરતો હતો. એવી રીતે નદીના મૂળ પાસે રહીને તે મુનિ તપ કરે છે તેવામાં આકાશ ઉપર વાદળારૂપ ચંદરવા બાંધતી વર્ષાઋતુ આવી, તેમાં અધિક જળ આવવાથી રોકવડે. કુલટા સ્ત્રીઓની જેમ નદીઓ બંને ૧ વિષયરસની વૃદ્ધિવડે. Page #249 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૨ મે ]. કુળવાળુકનું વૃત્તાંત [૨૩૫ કુળ' (કાંઠા)ને લેપવા લાગી અને ઉન્માર્ગગામી થવા લાગી. જે નદીના તટ ઉપર એ મુનિ રહેલા છે ત્યાં જળનું પૂર આવતાં શ્રી અહંતના શાસનની ભક્ત કે દેવીએ ચિંતવ્યું કે જે હું આ વખતે ઉપેક્ષા કરીશ તો આ જળનું પૂર તેને તીરે રહેલા મુનિને તટના વૃક્ષની જેણુ ઘસડી જશે.” આ પ્રમાણે વિચારીને તે દેવીએ તે ગિરિનદીના પૂરને બીજી દિશામાં પ્રવર્તાવ્યું. “તપસ્વીઓને ગમે ત્યાં પણ કુશળતા થાય છે.” ત્યારથી તે મુનિનું “કુળવાળુક” એવું નામ પડયું. હાલમાં એ મહાતપસ્વી મુનિ અહીં નજીકના પ્રદેશમાં જ રહેલા છે.” આ પ્રમાણે કુળવાળક મુનિ સંબંધી ખબર મળવાથી જેનું કપટરૂપ વૃક્ષ સફળ થયેલું છે એવી તે વેશ્યા સઘ કૃતાર્થ થઈ હોય તેમ નેત્ર વિકસિત કરતી આચાર્ય પાસેથી ઉઠી; અને ત્યાંથી પ્રયાણ કરી તીર્થયાત્રાના મિષથી માર્ગમાં ચૈત્યવંદના કરતી કરતી જે પ્રદેશમાં કુળવાળુકમુનિ હતા, ત્યાં આવી. તેમને વંદના કરીને તે માયાવી શ્રાવિકા બેલી-“હે મુનિ ! જે તમે સાથે પધારો તો હું ઉજજયંત્યાદિ તીર્થોની વંદના કરૂં.' મુનિએ કાત્સર્ગ છોડી ધર્મલાભ, આશીષ આપી, અને પૂછયું કે, “ભદ્રે ! તીર્થ વંદના કરતા કરતા તમે કયાંથી આથે છે?” તે બેલી–“મહર્ષિ ! હું ચંપાનગરીથી તીર્થ વાંદવાને માટે નીકળી છું અને મેં સર્વ તીર્થોથી ઉત્કૃષ્ટ તીર્થરૂપ એવા તમને અહીં વાંધા છે. હવે ભિક્ષાદેવથી રહિત એવું મારૂં પાથેય લઈ તેનાવડે પારણું કરીને મારા ઉપર અનુગ્રહ કરો.” તેની ભક્તિભાવના દેખીને તે મુનિનું હૃદય આદ્ધ થઈ ગયું, તેથી તત્કાળ તેની સાથે ભિક્ષા લેવાને માટે ગયા. હર્ષ પામતી એવી તે માયાવી રમણીએ પ્રથમથી તૈયાર કરી રાખેલા મેદક તે મુનિને વહેરાવ્યા. જે માદકનું પ્રાશન કરતાં જ મુનિને અતિસાર (ઝાડા) થઈ આવ્યું. “દ્રવ્યને રસવીર્યવિપાક કદિ પણ અન્યથા થતો નથી.” તે અતિસારથી મુનિ એવા પ્લાન થઈ ગયા છે, જેથી અત્યંત બળ ક્ષીણ થઈ જવાને લીધે તે પિતાના અંગને પણ ઢાંકી શકતા નહીં. તે વખતે પેલી કપટી માગધિકા યોગ્ય સમયને જાણીને બોલી કે, “મહારાજ ! મારાપર અનુગ્રહ કરવાને માટે તમે પારણું કર્યું, તેમાં મારા પાથેયનું ભજન કરતાં જ તમે આવી દુર્દશાને પ્રાપ્ત થયા, તેથી પાપસરિતારૂપ મને ધિક્કાર છે. હવે આવી દશાને પ્રાપ્ત થયેલા તમને મૂકીને મારા ચરણ બંધન પામ્યા હોય તેમ અહિંથી આગળ ચાલવાને જરા પણ ઉત્સાહિત થતા નથી.” આ પ્રમાણે કહી તે યુવતી ત્યાં રહી અને ક્ષણે ક્ષણે તે મુનિની સેવા કરવા લાગી. તેમજ તેમના અંગને ચાળવા અને ઔષધ આપવા લાગી. તે માગધિક મુનિના અંગને એવી રીતે મર્દન કરતી હતી કે જેથી તે મુનિને તેના સર્વ અંગને સ્પર્શ થતો હતો. પ્રતિદિન એવી રીતે સેવા કરીને તેણીએ તે મુનિને હળવે હળવે સાજા કર્યા; એટલે ચંપકના સુગંધથી વરની જેમ તેની ભક્તિથી તે મુનિનું હૃદય પણ વાસિત થયું, તે સાથે તેના કટાક્ષ બાણથી, અંગના સ્પર્શથી અને મૃદુ ઉક્તિથી તેમનું ચિત્ત ચળાયમાન થઈ ગયું. “સ્ત્રીના સંગે તપ ક્યાં સુધી ટકે?” ૧ અપક્ષે પિતાનું અને સાસરાનું બને કુળ. ૨ ઝીપણે દુરાચારી. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું દિવસે દિવસે પરસ્પર એક શમ્યા અને આસનને પ્રસંગ થતાં કુળવાળુક મુનિ અને માગધિકા વેશ્યાને સ્પષ્ટ રીતે દંપતીવ્યવહાર થવા લાગે. પછી માગધિકા કુળવાળુક મુનિને ચંપાનગરીમાં લાવી. “કામાંધ પુરૂષ નારીને કિંકર થઈને શું શું નથી કરતો?” પછી તે વેશ્યાએ ચંપાપતિ પાસે જઈને રહ્યું કે, “દેવ! આ કુળવાળુક મુનિ છે અને તેને હું મારા પતિ કરીને લાવી છું. માટે હવે શું કરવું છે તે વિષે આશા આપે.” રાજાએ આદરપૂર્વક તે મુનિને કહ્યું કે, “જેમ વૈશાળીનગરી શીધ્ર ભાંગી જાય તેમ કરે.” રાજાની આજ્ઞા સ્વીકારીને બુદ્ધિના નિધિ કુળવાળુક મુનિ સાધુના વેશે જઅખલિતપણે વૈશાળીનગરીમાં ગયા. તે સમયે ચંપાપતિએ પ્રથમથી જ જયની પ્રત્યાશાથી ઉત્સુક થઈને પિતાના બધા સૈન્ય વડે વૈશાળીને રૂધી દીધી. માગધિકાપતિ કુળવાળુક મુનિ નગરીમાં બધા દ્રવ્યોને જોવા લાગ્યા કે “શા કારણથી આ નગરી લેવાતી નથી.” ફરતાં ફરતાં મુનિસુવ્રતસ્વામીને એક પ તેના જેવામાં આવ્યો. તેને જોઈ તેની પ્રતિષ્ઠાના લગ્ન વિષે ચિંતવતાં તેમાં બહુ ઉત્તમ યોગ પડેલા હેવાથી તે કારણજ પ્રબળપણે વિશાળીના રક્ષણનું તેના સમજવામાં આવ્યું. તેથી કંઈ પણ પ્રકારે તેને ભંગ કરાવવાની ધારણા કરીને તે વૈશાળી નગરીમાં ફરવા લાગ્યા. નગરીના રાધથી કદર્શિત થયેલા લેકો તેમને પૂછતા કે, “હે ભદંત! અમે આ શત્રુએ કરેલા નગરીના રોધથી બહુજ દુખી થઈ ગયા છીએ, તે હવે આમાંથી અમારે છુટકારે કયારે થશે? તે જે આપ જાણતા હે તે બતાવો.” મુનિ બેલ્યા કે- “હે લેકે! હું તે સારી રીતે જાણું છું. સાંભળે, જ્યાં સુધી આ નગરીમાં પેલે સ્તૂપ છે, ત્યાં સુધી નગરીને રે મટશે નહીં, અને જ્યારે એ પ ભાંગી જશે ત્યારે સમુદ્રની વેલાની જેમ શત્રુનું સન્ય અકસ્માત પાછું ખસી જશે. એટલે તે વાતની તમને ખાત્રી પણ થશે. હું ધારું છું કે-એ સૂપ ઉખેડવાથી તમારી કુશળતા થાઓ; કારણ કે એ સ્તૂપની પ્રતિષ્ઠા મહા નઠારા લગ્નમાં થઈ છે, તે જ તમને મુંઝવે છે.” આ પ્રમાણે તે ધુત્ત મુનિએ આપેલી બુદ્ધિથી ઠગાયેલા લેકેએ એ સ્તૂપને ભાંગવા માંડયો. “સર્વ જન દુઃખથી પીડિત થતાં પ્રાયઃ અકૃત્ય હેય તે પણ કરે છે.” જ્યારે લેકોએ તે સ્તૂપ ભાંગવા માંડયો ત્યારે માગધિકપતિ મુનિએ કૃણિક પાસે જઈને તેને બે કેશ સુધી પાછો હઠાડયો. તેથી લેકોએ કુળવાળકે કહેલી વાતની પ્રતીતિ આવતાં કે પાયમાન થયેલાની જેમ કઠેરપણે તે સ્તૂપને કુર્મશિલા સુધાં ઉમૂલન કરી દીધા. પછી કૂણિકે બાર વર્ષને અંતે વૈશાલીપુરીને ભગ્ન કરી નાખી; કારણ કે એ સ્તૂપના પ્રભાવથીજ તે નગરીને ભંગ થઈ શકતો નહોતો. વૈશાળીને ભંગ થવાથી ચંપા અને વૈશાળીના પતિ વચ્ચે થતું યુદ્ધ વિરામ પામ્યું. આ અવસર્પિણીમાં આવું મહાયુદ્ધ કયારે પણ થયું નથી. પછી ચંપાપતિએ વૈશાળી પતિને કહેવરાવ્યું કે- આર્ય ચેટક! તમે મારે પૂજ્ય છે, તેથી કહે. હું તમારું શું પ્રિય કરૂં?” ચેટકે ખેદ પામી તેના ઉત્તરમાં કહેવરાવ્યું કે-“હે રાજન ! તુ વિજયના ઉત્સવમાં ઉત્સુક છું, તથાપિ જરા વિલંબથી નગરીમાં પ્રવેશ કરજે.' તે આવીને ચેટકનું વચન કહ્યું, એટલે બુદ્ધિ ક્ષીણ થયેલા ચેટકરાજાએ આમાં શું માગ્યું.' એમ કહી કૃણિકે તે વચન સ્વીકાર્યું Page #251 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૨ મા] કૂણિકરાજાનું મૃત્યુ [ ૨૩૭ સત્યકિ નામે એક ખેચર જે સુજ્યેષ્ટાના પુત્ર અને ચેટકરાજાને ભાણેજ થતો હતો, તે તેવે સમયે ત્યાં આવ્યે. તેણે ચિત્તમાં વિચાર્યું કે, · મારા માતામહની પ્રજાને શત્રુએ લુંટી લે છે, તે મારાથી શી રીતે એઈ શકાય, માટે હું તેને કેાઈ બીજે ઠેકાણે લઈ જઉં. ' આવે। વિચાર કરીને તે આખી નગરીના લેાકેાને વિદ્યાના પ્રભાવે ઉપાડી પુષ્પમાળાની જેમ જાળવતો છતો નીલવાન પર્વત ઉપર લઈ ગયા. પછી ચેટકરાજાએ મૃત્યુની લક્ષ્મી હાય તેવી લેાઢાની પુતળીને ગળે ખાંધી અનશન કરીને ઉંડા જળમાં પડતુ' મૂકયું. તેમને ડુબી જતા એઈ ધરણેન્દ્ર તેને સાધમી જાણીને પેાતાના ભુવનમાં લઈ ચે, “ 'આયુષ્ય પૂરૂ થયા વગર મૃત્યુ થતું નથી.” ધરણેન્દ્રે પ્રશસા કરાતા અને ધર્માંધ્યાનમાં તત્પર એવા મેાટા મનવાળા ચેટકરાજા પૂર્વ રણમાં રહેલા હતા તેમ મૃત્યુથી નિર્ભય થઈને ત્યાં રહ્યા. તે ચતુરે અહન, સિદ્ધ, સાધુ અને ધમ કે જે ચારે મંગળરૂપ અને લેાકાત્તમ છે તેમનું સ્મરણ કર્યું. તે આ પ્રમાણે—“ જીવ અજીવ વિગેરે તત્ત્વાના ઉપદેશક, પરમેશ્વર, એધિદાયક અને સ્વયં બુદ્ધ એવા અહંતનું મારે શરણુ હા. ધ્યાનરૂપ અગ્નિથી કર્મોને ઇગ્ધ કરનાર, તેજ રૂપ, અનશ્વર અને અનંત કેવળજ્ઞાનવાળા ભગવંતનું મારે શરણ હા, નિરીહ, નિરહંકાર, નિČમ, સમાન ચિત્તવાળા, મહાવ્રતને ધરનારા અને ધીર સાધુએનું મારે શરણુ હૈ!. અહિંસા સત્ય, અસ્તેય, બ્રહ્મચા અને અપરિગ્રહ એ પાંચ યમવાળા કેવળીપ્રરૂપિત ઉત્કૃષ્ટ ધનુ` મારે શરણ હા, મે સે’કડા જન્મમાં પ્રાણીઓના જે કાંઈ મન વચન કાયાએ અપરાધ કર્યાં હોય તેને હું' મન વચન કાયાથી નિદુ છું, દ્વાદશ પ્રકારના ગૃહીધમ પાળતાં મને જે કાંઈ અતિચાર લાગ્યા હોય તે સને હું વાસિરાવું છું. ક્રોધ, માન, માયા અને લેાભથી પરાભવ પામેલા મેં જે કાંઈ અહિંસાદિ પાપકમ કર્યુ” હાય તેને ધિક્કાર હૈ, અર્થાત્ તેના હું. મિચ્છામિદુક્કડં દઉ છું.” આવી રીતે આરાધના કરી નમસ્કાર મંત્રના સ્મરણમાં પરાયણ એવેા ચેટકરાજા મૃત્યુ પામીને સ્વર્ગના સુખનું ભાજન થયે, અહી' અરોકચન્દ્રે (કૂજ઼િકે) ગધેડા સાથે હળને જોડી ક્ષેત્રની જેમ તે નગરીને ખેડાવીને પેાતાની પ્રતિજ્ઞા પૂરી કરી. એવી રીતે દુસ્તર નદી જેવી તે પ્રતિજ્ઞાને તરી જઈને ચંપાપતિ માટા ઉત્સવ સાથે નગરીમાં આવ્યે. અન્યદા વિહારથી પૃથ્વીને પવિત્ર કરતા જગદ્ગુરૂ શ્રી વીરપ્રભુ ચ'પાનગરીએ આવીને સમવસર્યાં. તે વખતે કેટલીએક શ્રેણિકરાજાની સીએએ પેાતાના પુત્રાના મરણ વિગેરે કારાથી વિરક્ત થઈને પ્રભુની પાસે દીક્ષા લીધી. ત્રણ લેાકના સ ́શયને છંદનાર શ્રી વીરપ્રભુને વાંદવા માટે કૃણૂિક પણ સમવસરણમાં આવ્યેા. પ્રભુને નમી ચેાગ્ય સ્થાને બેઠા પછી અવસર આવતાં મસ્તકે અંજળિ જોડીને તેણે પ્રભુને પૂછ્યું કે ‘જેએ જન્મથી મૃત્યુ પર્યંત લેગને છેડી દેતા નથી એવા ચક્રવતી આ અંતે કઈ ગતિમાં જાય છે ?' પ્રભુ ખેલ્યા− તે સાતમી નારકીએ જાય છે.' કૂણિકે ફરીથી પૂછ્યું', ‘હે પ્રભુ ! મારી શી ગતિ થશે ? પ્રભુ ખેલ્યા−‘તું મૃત્યુ પામીને ઠ્ઠી નરકે જઈશ.' કૃણિક એક્ષ્ચા-‘સ્વામી ! સાતમી નરકે કેમ નહીં જાઉ* ? પ્રભુ મેલ્યા−‘તું ચક્રવતી નથી.' “પાતે ધર્મને ચેાગ્ય અને ઉપદેશક પ્રભુ મહાવીર છતાં " Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું શ્રેણિકના પુત્રની આવી સ્થિતિ ચિંતવવા ગ્ય છે.” કણિકે પૂછયું, “ભગવન્! હું ચક્રવર્તી કેમ નહીં? મારે પણ ચક્રવર્તીના જેવી ચતુરંગ સેના છે.” પ્રભુ બેલ્યા–“તારી પાસે ચક્રાદિ ર નથી. એક પણ રન ઓછું હોય ત્યાં સુધી ચક્રવતી એવું નામ પડવું દુર્ઘટ છે.” પ્રભુની પાસેથી ઉપર પ્રમાણે સાંભળી અહંકારના પર્વતરૂપ ચંપાપતિ ત્યાંથી ઉભે થે. અને પોતાની નગરીમાં આવીને તત્કાળ લેઢાના એકેદ્રિય સાત મહારત્નો કરાવ્યા. તેમજ વૃથા મને રથવડે કદર્શિત થયેલા તેણે પદ્માવતીને સ્ત્રીરત્ન માની હસ્તી વિગેરે બીજા છ પંચેન્દ્રિય રત્નો પણ ક૯પી લીધા. પછી આખા ભરતક્ષેત્રને સાધવાને માટે મેટા પરાક્રમવાળે કૂણિક ઘણું દેશ સાધતે સાધતો વૈતાઢયગિરિની તમિસ્રા ગુહા પાસે સિન્ય સહિત આ. દુર્દેવથી દૂષિત થયેલા અને પિતાના આત્માને નહીં જાણનારા તેણે ગુહાદ્વારના કપાટ ઉપર દંડવડે ત્રણવાર તાડન કર્યું, એટલે તે ગુહાદ્વારને રક્ષક કૃતમાળદેવ બે કે આ મરવાને કેણ તૈયાર થયેલ છે કે જે પિતાના આત્માને નહીં ઓળખતે છતે ગુહાદ્વારને દંડથી તાડન કરે છે?' કૃણિક બે-“અરે! હું વિજ્યની ઈચ્છાએ આવ્યો છું. મને શું તું નથી ઓળખતે? હું અશકચંદ્ર નામે ચક્રવર્તી ઉત્પન્ન થયે છું” કૃતમાળદેવ બોલ્યોચક્રવતી તે બાર થઈ ગયા છે, તે હવે અપ્રાર્થિત (મૃત્યુ) ની પ્રાર્થના કરનાર તું કેણ છું? તારી બુદ્ધિને સ્વસ્તિ છે. કૃણિક બે -“ઘણું પુણ્ય કરવાથી હું તેરમે ચક્રવર્તી ઉત્પન્ન થયે છું. પુણ્યથી શું દુર્લભ છે? અરે કૃતમાળદેવ! તું મારું પરાક્રમ જાણતું નથી, નહીં તે આ ગુહાના દ્વાર ઉઘાડ્યા વિના રહેજ નહિ.” આ પ્રમાણે દૈવદેષથી ગ્રહણ થયેલાની જેમ અસંબદ્ધ ભાષણ કરનાર તે કૂણિકને કૃતમાળ દેવે રોષથી તત્કાળ બાળીને ભસ્મ કરી દીધે. એવી રીતે અશકચંદ્ર (કૃણિક) રાજા મૃત્યુ પામીને છઠ્ઠી નરકે ગયે. “અરિહતેનું વચન કદિ પણ અન્યથા થતું નથી.” કૂણિરાજા મૃત્યુ પામે, એટલે તેના પ્રધાન પુરૂએ તેના પુત્ર ઉદાયનને રાજય ઉપર બેસા. ઉદાયીરાજાએ પ્રજાનું ન્યાયમાર્ગે પ્રતિપાલન કર્યું અને પૃથ્વી પર અખંડપણે જૈનશાસન પ્રવર્તાવ્યું. પિતાના સ્થાનેજ રહેલા એવા તે પ્રતાપી રાજાના પ્રતાપરૂપ સૂર્યને નહીં સહન કરી શકનારા શત્રુઓ ઘુવડ પક્ષીની જેમ ગિરિગુહામાં પશી ગયા. તેને સવચક્ર કે પરચકનું ભય કદિ પણ ઉત્પન્ન થયું નહીં, પણ તે હમેશા શ્રાવકવ્રતના ખંડનથી ભય પામતે રહ્યો. ચાર પર્વમાં ચતુર્થાદિ તપવડે શુદ્ધિને વહન કરીને તે પૌષધગૃહમાં સામાયિક લઈ સ્વસ્થપણે રહેતે. “અરિહંત દેવ અને સાધુ ગુરૂ” એટલા શબ્દનું ધ્યાન મંત્રાક્ષરની જેમ રાત્રીદિવસ તેના હૃદયમાંથી કદી પણ ખસતું નહીં. તે ઉદયવાન ઉદાયીરાજા દયાળુ છતાં અખંડિત આજ્ઞાએ સર્વદા ત્રિખંડ પૃથ્વી પર રાજ્ય કરતું હતું, અને એ સદ્દબુદ્ધિ વીર શ્રીવીરપ્રભુની અમૃત જેવી ધર્મદેશનાનું વારંવાર આચમન કરીને પિતાના આત્માને પવિત્ર કરતે હતો. ૧ અષ્ટમી, ચતુદશી, પૂર્ણિમા અને અમાવાસ્યા. ૨ ઉપવાસ વિગેરે. Page #253 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૩ મ ] ભગવંતની સ્તુતિ [૨૩૯ કેવળજ્ઞાનની ઉત્પત્તિથી માંડીને વિહાર કરતાં ચરમ તીર્થકર શ્રી વીરપ્રભુને ચૌદ હજાર મુનિએ, છત્રીસ હજાર શાંત હૃદયવાળી સાધ્વીઓ, ત્રણ ચૌદપૂર્વધારી શ્રમણે, તેરસે અવધિજ્ઞાની, સાતસો વૈક્રિય લબ્ધિવાળા, તેટલાજ કેવળી અને તેટલાજ અનુત્તર વિમાને જનારા, પાંચસે મન ૫ર્યવજ્ઞાની, ચૌદસ વાદી, એક લાખ ને ઓગણસાઠ હજાર શ્રાવકે, અને વણલાખ ને અઢાર હજાર શ્રાવિકાઓ એટલે પરિવાર થશે. ગૌતમ અને સુધર્મા ગણધર સિવાય બીજા નવ ગણધર મોક્ષે ગયા પછી સુર અસુર અને નરેશ્વરએ જેમના ચરણકમળ સેવેલા છે એવા શ્રી વીર ભગવંત પ્રાંતે અપાપાનગરીએ પધાર્યા. इत्याचार्य श्री हेमचंद्रसूरिविरत्तिते श्री त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये दशमपर्वणि देवताकृतरेणुवृष्टि-प्रद्योतस्थापितजीवितस्वामिप्रतिमासहितवित्तभयपुरस्थगमन-अमय प्रव्रज्याकृणिक चरित्र-चेटक चरित्र-उदायिराज्य श्री महावीरपरिवार वर्णनो नाम વિવાદ સર્જઃ |૧૨ ||. 88888888ટ્ટ 0 45, 's , છે સ / સગ ૧૩ 5000006666666666666 ૧૩ મે. જa. ભગવંતની છેલ્લી દેશના, પાંચમા છઠ્ઠા આરાના ભાવ, ઉત્સર્પિણની સ્થિતિ, ભગવંતનું નિર્વાણ વિગેરે. અપાપાનગરીમાં દેવતાઓએ ત્રણ વખેથી વિભૂષિત એવું રમણિક સમવસરણ પ્રભુને દેશના દેવા માટે રચ્યું. સુર અસુરેએ સેવેલા પ્રભુ પિતાના આયુષ્યને અંત જાણી તેમાં છેલ્લી દેશના આપવાને બેઠા. પ્રભુને સમવસર્યા જાણી અપાપાપુરીને રાજા હસ્તિપાળ ત્યાં આવ્યું, અને પ્રભુને નમી દેશના સાંભળવા માટે બેઠે. દેવતાઓ પણ સાંભળવાની ઈચ્છાએ ત્યાં આવ્યા. તે સમયે ઇઢે આવી નમસ્કાર કરીને આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી, “હે પ્રભુ! ધર્માધર્મ એટલે પુય પાપ વિના શરીરની પ્રાપ્તિ હોતી નથી, શરીર વિના મુખ્ય હેતું નથી, અને મુખવિન વાચક હેતું નથી, તેથી અન્ય ઈશ્વરાદિક દેવ બીજાને શિક્ષા આપનારા શી રીતે થઈ શકશે? વળી દેહ વિનાના ઈશ્વરની આ જગત્ રચવામાં પ્રવૃત્તિ જ ઘટતી નથી. તેમજ સ્વતંત્રપણાથી કે બીજાની આજ્ઞાથી તેમને જગત રચવાની પ્રવૃત્તિમાં Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ મુ’ કાંઈ પણ પ્રત્યેાજન નથી. હવે જો તે ઈશ્વર ક્રીડાને માટે આ જગત સજવા પ્રવતે તો તે બાળકની જેમ રાગવાન ઠરે, અને જે કૃપાવડે સજે તો સૌને સુખી સજવા જોઈએ. હે નાથ! દુઃખ, દરિદ્રતા અને દુષ્ટ ચેાનિમાં જન્મ ઇત્યાદિ લેશે કરીને વ્યાકુળ એવા લેાકેાને સ્રજવાથી તે કૃપાળુ ઈશ્વરની કૃપાળુતા કયાં ઠરી ? અર્થાત્ ન ઠરી. હવે જો તે ઈશ્વર ક્રમની અપેક્ષા ધરાવીને પ્રાણીને સુખી કે દુઃખી કરે છે એમ હાય તા તે તે પણ અમારી સરખા સ્વતંત્ર નથી એમ ઠરશે, અને જો આ જગતમાં કથી થયેલીજ વિચિત્રતા છે તે પછી એવા વિશ્વકર્તી નામ ધરાવનારા નપુ ́સક ઈશ્વરવડે શુ કર્ત્તવ્ય છે? અથવા મહેશ્વરની આ જગત રચવામાં સ્વભાવેજ પ્રવૃત્તિ થાય છે, તેથી તેને વિચારજ ન કરવા એમ કહેશે તે તે પરીક્ષકેાને પરીક્ષાના આક્ષેપ માટે ડંકા સમજવા. અર્થાત્ આ ખાખતની કેાઈએ પરીક્ષાજ કરવી નહીં એવું કથન ઠરશે. હવે જો સ` ભાવને વિષે જ્ઞાતૃત્વ રૂપ કર્તૃત્વ કહેતા હોય તે તે અમારે માન્ય છે, કારણ કે સર્વજ્ઞ એ પ્રકારના હાય છે. એક મુક્ત અને ખીજા દેહધારી, હે નાથ ! તમે જેના ઉપર પ્રસન્ન થાઓ છે. તે ઉપર જણાવ્યા પ્રમાણેના અપ્રમાણિક એવા સૃષ્ટિના કર્તૃત્વવાદને તજી દઈને તમારા શાસનને વિષે રમે છે. "" આ પ્રમાણે સ્તુતિ કરીને ઇંદ્ર વિરામ પામ્યા એટલે અપાપાપુરીના રાજા હસ્તિપાળે નીચે પ્રમાણે સ્તુતિ કરી— “હે સ્વામિન્! વિશેષજ્ઞ એવા આપની કેામળ વિજ્ઞાપનાજ કરવી એમ કાંઈ નથી, તેથી 'તઃકરણની વિશુદ્ધિને અર્થે કાંઈક કઠેર વિજ્ઞાપના કરૂ છું. હે નાથ ! તમે પક્ષી, પશુ કે સિંહાદિ વાહન ઉપર જેમના દેહ બેઠેલા હેાય એવા નથી, તેમજ તમારા નેત્ર, સુખ અને ગાત્રની વિકારવડે વિકૃત આકૃતિ પણ નથી. વળી તમે ત્રિશૂળ, ધનુષ્ય અને ચક્રાદિ શોવર્ડ યુક્ત કરપલવવાળા નથી, તેમજ સ્ત્રીના મનેહર અંગનુ` માલિ`ગન દેવામાં તત્પર એવા પણ તમે નથી. વળી નિનિક આચરણેાવર્ડ કરીને શિષ્ટ જનાને જેમણે કપાયમાન કરી દીધા છે તેવા પણ તમે નથી, તેમજ કાપ અને પ્રાસાદવડે કરીને જેણે નર અમરને વિખીત કરેલા છે તેવા પણ તમે નથી. વળી આ જગતની ઉત્પત્તિ, પાલન અને નાશ–એ કરવામાં આદરવાળા તમે નથી, તેમજ નૃત્ય, હાસ્ય ને ગાયનાદિ ઉપદ્રવેાવડૅ ઉપદ્રવિત તમારી સ્થિતિ નથી. આ પ્રમાણે હાવાથી પરીક્ષકાએ તમારી દેવપણે પ્રતિષ્ટા શી રીતે કરવી? કારણકે તમે તે સ દૈવ કરતાં સવથા વિલક્ષણ છે. હું નાથ! જળના પ્રવાહની સાથે પાંદડા, તૃણુ ને કાષ્ટાદિ તણાય તેા તે યુક્તિવાળું છે, પણ સામે પૂરે તણાય એમ કહેવુ તે કઈ યુક્તિએ માની શકાય ? પણ હુ સ્વામિત્! એવા મંદ બુદ્ધિવાળા પરીક્ષકેાના પરીક્ષણથી સહ્યું; અને મારા પશુ તેવા પ્રયાસથી સયુ. કારણ કે સ સંસારી જીવેાના રૂપથી વિલક્ષણ એવુ જ તમારૂ લક્ષણ છે તેની બુદ્ધિમાન પ્રાણીએ પરીક્ષા કરેા. આ જગત મધુ ક્રોધ, લેાલ અને ભયવડે આક્રાંત છે અને તમે તેથી વિલક્ષણુ છે. પરંતુ હું પ્રભા! વીતરાગ એવા જે તમે તે કેામળ બુદ્ધિવાળાએને શ્રાદ્ઘ થઈ શકતા નથી, અર્થાત્ તીક્ષ્ણ બુદ્ધિવાળાએજ આપને દેવપણે આળખી શકે છે.” Page #255 -------------------------------------------------------------------------- ________________ સુગ ૧૩ મા] ભગવંતની સ્તુતિ [ ૨૪૧ આ પ્રમાણે સ્તુતિ કરીને હસ્તિપાળ રાજા વિરામ પામ્યા, એટલે ચરમ તીથ કરે નીચે પ્રમાણે ચરમ ( છેલ્લી) દેશના આપી. “આ જગતમાં ધમ, અથ, કામ અને મેક્ષ–એ ચાર પુરૂષા છે, તેમાં કામ ને અથ તે પ્રાણીઓને નામથીજ અÖરૂપ છે, પરમાથે અન રૂપ છે. ચાર પુરૂષામાં ખરી રીતે અરૂપ તે એક મેક્ષ છે, અને તેનું કારણ ધર્મ છે, તે ધમ સયમ વિગેરે દશ પ્રકારના છે અને સ‘સારસાગરથી તારનારા છે. અનંત દુઃખરૂપ સંસાર છે અને અનંત સુખરૂપ મેાક્ષ છે, તેથી સંસારના ત્યાગને અને મેક્ષની પ્રાપ્તિના હેતુ ધર્મ વિના ખીજે કાઈ નથી. પાંગળા માણુસ પણ વાહનના આશ્રયથી દૂર જઈ શકે છે, તેમ ધનકમી હોય છતાં પણુ ધના આશ્રય કરવાથી તે મેક્ષે જાય છે.” આ પ્રમાણે દેશના આપીને પ્રભુ વિરામ પામ્યા, એટલે હસ્તિપાળ રાજાએ પ્રભુને નમીને કહ્યું કે− હૈ સ્વામિન્! મે આજે સ્વપ્નમાં અનુક્રમે હાથી, કપ, ક્ષીરવાળુ વૃક્ષ, કાકપક્ષી, સિંહ, કમળ, ખીજ, અને કુલ એ આઠ વાનાં જોયાં છે તે તેનુ ફળ શુ થશે તે કહે.' ભગવન્! એવું સ્વપ્ન જોવાથી મને ભય લાગે છે.' આ પ્રમાણે હસ્તિપાળે પૂછ્યું, એટલે પ્રભુ માલ્યા હે રાજન! સાંભળ : ૧ હવેથી ક્ષણિક સમૃદ્ધિના સુખમાં લુબ્ધ થયેલા શ્રાવકે વિવેક વિનાની જડતાથી હાથી જેવા છતાં ઘરમાં પડચા રહેશે, મહા દુઃખી સ્થિતિ અથવા પરચક્રના ભય ઉત્પન્ન થશે તેપણ તે દીક્ષા લેશે નહીં. કદિ દીક્ષા ગ્રહણ કરી હશે તે તેને પણ કુસ`ગ થવાથી છેડી દેશે. કુસંગ થવાથી લીધેલા વ્રતને પાળનારા વિરલા થશે. આ પ્રમાણે પહેલા હાથીના સ્વપ્નનુ ફળ છે. ૨ બીજા કપિના સ્વપ્નનુ ફળ એવુ` છે કે ઘણું કરીને ગચ્છના સ્વામીભૂત આચાર્યાં પિની જેવા ચપળ પરિણામી, અલ્પ સત્ત્વવાળા અને વ્રતમાં પ્રમાદી થશે. એટલુ જ નહી. પણ ધર્માંમાં રહેલા ખીજાઓના પણ વિપર્યાસ ભાવ કરાવશે, ધર્મના ઉદ્યોગમાં તત્પર તે કેાઈ વિરલા નીકળશે. જેએ પેાતે પ્રમાદી છતાં ધર્મોમાં શિથિળ એવા ખીજાઓને શિક્ષા આપશે, તેઓની ગામડામાં રહેલા શહેરીની જેમ ગ્રામ્ય જના હાંસી કરે તેમ ખીજાએ હાંસી કરશે. હે રાજન! આવી રીતે આગામી કાળે. પ્રવચનના અજ્ઞાત પુરૂષા થશે. તે કિના સ્વપ્નનું ફળ તમારે જાવું. ૩ જે ક્ષીરવૃક્ષનુ સ્વપ્ન જોયુ', તેથી સાતે ક્ષેત્રમાં દ્રવ્ય વાપરનારા દાતાર અને શાસનપૂજક ક્ષીરવૃક્ષ તૂલ્ય શ્રાવકા હશે તેઓને ઠગારા એવા લિંગધારીએ રૂષી દેશે. એવા ૧ આ સ્વપ્નામાં હાથી, કપિ વિગેરે માત્ર સ્પષ્ટ દીઠા નથી પણ તે જુદી જુદી સ્થિતિમાં દીા છે. તેનુ તે તેના મૂળનું વિશેષ વણુન દિવાળીકલ્પમાંથી જાણી લેવું. D - 31. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ મુ' પાસથ્થાએની સંગતથી સિંહ જેવા સત્ત્વવાળા મહિષ એ પણ તેમને શ્વાનની જેવા સાર વગરના લાગશે. સુવિહિત મુનિએની વિહારભૂમિમાં એવા લિંગધારીએ શૂળી જેવા થઈ ઉપદ્રવ કરશે. ક્ષીરવૃક્ષ જેવા શ્રાવકાને એવા મુનિએની સ ́ગત કરવા દેશે નહી. આ પ્રમાણે ક્ષીરવૃક્ષના સ્વપ્નનું ફળ છે. ૪ હવે ચેાથા સ્વપ્નનુ ફળ આ પ્રમાણે-ધૃષ્ટ સ્વભાવી મુનિએ ધર્માંથી છતાં કાકપક્ષી જેમ વિહારવાપિકામાં રમતા નથી તેમ પ્રાયઃ પેાતાના ગચ્છમાં રહેશે નહી'. તેથી બીજા ગચ્છના સૂરિએ કે જેઓ વંચના કરતા તત્પર અને મૃગતૃષ્ણુિકા જેવા મિથ્યાભાવ દેખાડનારા હશે તેની સાથે જડાશયથી ચાલશે. ‘ એમની સાથે ગમન કરવું યુક્ત નથી.' એમ ઉપદેશ કરનારાને તેઓ સામા થઈને ઉલટા ખાધા કરશે. આ પ્રમાણે કાકપક્ષીના સ્વપ્નનુ ફળ છે, ૫ શ્રી જિનમત કે જે સિંહ જેવા છે તે જાતિસ્મરણ વિગેરેથી રહિત એવા ધર્માંગ રહિત એવા આ ભરતક્ષેત્રરૂપી વનમાં જોવામાં આવશે. તેને પરતીથી રૂપી તિય ચા તા પરાભવ કરી શકશે નહી, પરંતુ સિંહના કલેવરમાં જેમ કીડા પડે અને તે ઉપદ્રવ કરે તેમ લિગીએ કે જે કૃમિની જેમ પેાતામાંથીજ ઉત્પન્ન થાય છે તેઓ ઉપદ્રવ કરશે અને શાસનની હીલણા કરાવશે. કેટલાક લિંગધારીએ તે। જૈનશાસનના પૂર્વના પ્રભાવને લીધે શ્વાપદાની જેવા અન્ય દશ નીએથી કઢિ પણ પરાભવ પામશે નહીં. આ પ્રમાણે સિંહના સ્વપ્નનુ' ફળ છે. ૬ કમળાકરમાં જેમ કમળે! સુગંધી થાય તેમ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા સર્વાં પ્રાણીએ ધાર્મિક થવા જોઈ એ, પણ હવે પછી તેમ નહી' થાય. ધર્મ`પરાયણ થઈને પણ પાછા તેએ કુસંગથી ભ્રષ્ટ થશે; અને ઉકરડામાં કમળ ઉગવાની જેમ કુદેશ અને કુકુળમાં ઉત્પન્ન થયેલા કાઈ કાઈ પ્રાણીઓ ધમી' થશે, તથાપિ તેઓ હીન જાતિના હાવાથી અનુપાદેય થશે. આ પ્રમાણે કમળના સ્વપ્નનુ ફળ છે. ૭ જેમ ફળપ્રાપ્તિને માટે ખીજ ઉષર ભૂમિમાં વાવે, તેમ કુપાત્રમાં સુપાત્ર બુદ્ધિથી અકલ્પ્ય વસ્તુએ વાવશે. અથવા જેમ કેાઈ નિરાશય ખેડુત ઘુણાક્ષર ન્યાયથી ઉત્તમ ક્ષેત્રમાં અખીજની અંતગ ત ખીજ વાવે તેમ કેાઈ શ્રાવક અકલ્પ્યની અંતગત કમ્પ્યરૂપ પાત્રદાન કરશે. આ ખીજ સ્વપ્નનું ફળ છે. ૮ ક્ષમાદિ ગુણુરૂપ ક્રમળેાથી અ'કિત અને સુચારિત્રરૂપ જળથી પૂરિત એવા એકાંતે રાખેલા કુંભની જેવા મહિષ આ કેાઈકજ સ્થાનકે અને તે પણ બહુ થાડા દેખાશે; અને મલીન કળશની જેવા શિથિળ આચાર અને ચારિત્રવાળા લિંગીએ જ્યાં ત્યાં ઘણા લેવામાં આવશે. તેઓ મત્સરભાવથી મહર્ષિ એની સાથે કળહે કરશે અને તેઓ મને, લેાકેામાં સરખા ગણાશે. ગીતાથ અને લિંગીએ નગરલેાક ઘેલા થવાથી જેમ રાજા પણ ઘેલેા થયા હતા તેમ વ્યવહારમાં ગીતા લીગીઓની સાથે રહેશે જેમ. Page #257 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૩ મ ] રાજા ને મંત્રીનું કૃત્રિમ ઘેલા થવું . [૨૪૩ પૃથિવીપુરીમાં પૂર્ણ નામે રાજા હતું, તેને સુબુત્તિ નામે બુદ્ધિસંપત્તિવાળે મંત્રી હતે. સુખમાં કાળ નિગમન કરતાં એક વખતે સુબુદ્ધિ મંત્રીએ દેવલેક નામના નિમિનિયાને ભવિષ્યકાળ સંબંધી પૂછયું, એટલે તે નિમિતિ બે કે-“એક માસ પછી મેઘવૃષ્ટિ થશે, તેના જળનું જે પાન કરશે, તે સર્વે ગ્રહિલ (ઘેલા) થઈ જશે. પછી કેટલેક કાળે પાછી બીજીવાર મેઘવૃષ્ટિ થશે, તેના જળનું પાન કરવાથી લોકો પાછા સારા થઈ જશે. મંત્રીએ આ વૃત્તાંત રાજાને કહ્યું, એટલે રાજાએ પડતું વગડાવીને લેકોને જળને સંગ્રહ કરવાની આજ્ઞા કરી. સર્વ લેકેએ તેમ કર્યું. પછી નિમિત્તિયાએ કહેલા દિવસે મેઘ વળે. લેકેએ તરતમાં તે તે પાણી પીધું નહીં, પણ કેટલેક કાળ જતાં લોકેએ સંગ્રહ કરેલું જળ ખુટી ગયું. માત્ર રાજા અને મંત્રીને ત્યાં જળ ખૂટ્યું નહીં, એટલે તે સિવાય બીજા સામંત વિગેરે લોકોએ નવા વરસેલા જળનું પાન કર્યું. તેનું પાન કરતાં જ તેઓ બધા ઘેલા થઈને નાચવા લાગ્યા, હસવા લાગ્યા, જેમ તેમ બોલવા લાગ્યા, ગાવા લાગ્યા અને સ્વેચ્છાએ અનેક પ્રકારની ચેષ્ટાઓ કરવા લાગ્યા. માત્ર રાજા અને મંત્રી બેજ સારા રહ્યા. પછી બીજા સામંત વિગેરેએ રાજા અને મંત્રીને પિતાનાથી વિપરીત પ્રવૃત્તિવાળા જેઈ નિશ્ચય કર્યો કે, “જરૂર આ રાજા અને મંત્રી બંને ઘેલા થઈ ગયા જણાય છે, કારણકે તેઓ આપણુથી વિલક્ષણ આચારવાળા છે, તેથી તેમને તેમના સ્થાનથી દૂર કરી બીજા રાજા અને મંત્રીને આપણે સ્થાપિત કરીએ.” તેમનો આ વિચાર મંત્રીના જાણવામાં આવ્યું, તેણે રાજાને જણાવ્યું એટલે રાજાએ મંત્રીને પૂછ્યું કે- આપણે હવે તેમનાથી આત્મરક્ષા શી રીતે કરવી? કેમકે જનવૃંદ રાજા સમાન છે. મંત્રી બે કે-, હે દેવ! આપણે પણ તેમની સાથે ઘેલા થઈને તેમની જેમ વર્તવું. તે સિવાય બીજો કોઈ ઉપાય આ સમયે યોગ્ય નથી. પછી રાજા અને મંત્રી કૃત્રિમ ઘેલા થઈ તેઓની મધ્યમાં રહેવા લાગ્યા અને પિતાની સંપત્તિ ભેગવવા લાગ્યા. જ્યારે પાછો શુભ સમય આવ્યો અને શુભ વૃષ્ટિ થઈ ત્યારે તે નવીન વૃષ્ટિના જળનું પાન કરવાથી સર્વે મૂળ પ્રકૃતિવાળા (સ્વસ્થ) થયા. આ પ્રમાણે દુષમા કાળમાં ગીતાર્થ મુનિઓ પણ વેશધારીએની સાથે તેમની જેવા થઈને રહેશે, પરંતુ ભવિષ્યમાં પોતાના સમયની ઈચ્છા રાખ્યા કરશે.” આ પ્રમાણે પિતાના સ્વપ્નનું ફળ સાંભળીને મહાશય હસ્તિપાળ રાજા પ્રતિબંધ પામી દીક્ષા લઈને અનુક્રમે મોક્ષે ગયા. આ સમયે ગૌતમ ગણધરે ભગવંતને પ્રણામ કરીને કહ્યું કે, “હે સ્વામિન! ત્રીજા આરાને અંતે ભગવાન વૃષભસ્વામી થયા, અને ચોથા આરામાં શ્રી અજિતનાથ પિગેરે વેવીશ તીર્થકરો થયા, જેમાં છેવટે તમે ઉત્પન થયા. એ પ્રમાણે આ અવસર્પિણીમાં જે બન્યું. તે જોયું. હવે દુષમા નામના પાંચમા આરામાં જે થવાનું હોય તે પ્રસન્ન થઈને કહે.” વીરપ્રભુ બેલ્યા, “હે ગૌતમ. અમારા નિર્વાણ પછી ત્રણ વર્ષ અને સાડાઆઠ માસે પાંચમે આરે પ્રવેશ કરશે. અમારા નિર્વાણ પછી એગણીસે ને ચૌદ વર્ષે ગયા પછી પાટલીપુત્ર નગરમાં મ્લેચ્છ કુળમાં ચૈત્ર માસની અષ્ટમીને દિવસે વિષ્ટિમાં કલકી, રૂદ્ર અને ચતુર્મુખ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ સું એવા ત્રણ નામથી વિખ્યાત રાજા થશે. તે સમયે મયુરાપુરીમાં પત્રને હણાયેલા જીણુ વૃક્ષની જેમ રામકૃષ્ણનુ મંદિર અકસ્માત પડી જશે. અતિ ક્રૂર આશયવાળા કલ્કીમાં ક્રોધ, માન, માયા, અને લાભ, કાષ્ટમાં ઘુણુા જાતના કીડાની જેમ સ્વભાવથીજ ઉત્પન્ન થશે. તે કાળે ચારણે કેાના અને રાજાના વિરાધના ભય રહ્યા કરશે. તેમજ ઉત્તમ ગંધ રસના ક્ષય, દુભિક્ષ અને અતિવૃષ્ટિ થયા કરશે. તે કલ્કી અઢાર વર્ષના થશે ત્યાંસુધી મહામારી પ્રવશે. પછી તે પ્રચંડાત્મા કલ્કી રાજા થશે. એક વખતે કલ્કીરાજા નગરમાં ફરવા નીકળતાં માગમાં પાંચ સ્તૂપને જોઈ પાશ્વસ્થ જનને પૂછશે કે ‘આ સ્તૂપ કેણે કરાવ્યા છે!’ તેએ જણાવશે કે, ‘ પૂર્વ” ધનથી કુબેરભંડારી જેવા નંદ નામે વિશ્વવિખ્યાત રાજા થઈ ગયા છે, તેણે આ સ્તૂપાની નીચે ઘણું સુવણુ" નાખ્યું છે, પણ તે લેવાને કાઈ રાજા અદ્યાપિ સમ” થયેા નથી.’ તે સાંભળી સ્વભાવથીજ અતિ લુબ્ધ એવા કલ્કીરાજા તે તૂઇને ખાદાવશે અને તેની નીચેથી સુવણુ લઈ લેશે. પછી તે દ્રવ્યના અથી થઈ આપુ' શહેર ખાદાવશે અને બધા રાજાને તૃણુની જેવા ગણશે. કલ્કીએ ખાદેલી તે નગરીની ભૂમિમાંથી લવણુદેવી નામે એક શિલામયી ગાય નીકળશે. તેને ચૌટામાં ઊભી રાખવામાં આવશે. તે પેાતાના પ્રભાવ બતાવવા માટે ભિક્ષા સારૂ ફરતા મુનિએને પેાતાના શુ`ગના અગ્રભાગથી સંઘટ્ટ કરશે. તે ઉપરથી સ્થવિરા કહેશે કે, ‘આ ભવિષ્યમાં જળનેા મહા ઉપદ્રવ થવાનુ સૂચવે છે, તેથી આ નગરી છેડીને ચાલ્યા જવુ' ચેાગ્ય છે.’ તે સાંભળી કેટલાએક મહિષ એ ત્યાંથી વિહાર કરીને ચાલ્યા જશે; અને કેટલાએક તેા લેાજન વસ્ર વિગેરેના લાલુપી ત્યાંજ રહેશે અને મેલશે કે. ‘કમને શ એવા કાળચેાગે જે કાંઇ શુભ કે અશુભ થાય તેને અટકાવવાને જિનેશ્વર પણ સમથ નથી.' પછી દુષ્ટ કલ્કી સપાખ`ડીએની પાસેથી કર લેશે; તેએ તેને આપશે, કારણ કે તેઓ તા સાર ભપરિગ્રહી હેાય છે. પછી લુબ્ધ કલ્કી ‘બીજા પાખડીએએ કર આપ્યા અને તમે કેમ આપતા નથી ?' આ પ્રમાણે કહીને સાધુઓને પણ રૂંધશે. સાધુએ તેને કહેશે કે, “ રાજન્! અમે તે નિષ્કિંચન છીએ અને ભિક્ષા માગીને ખાનારા છીએ. તો ધ લાભ સિવાય તમને ખીજુ શું આપીએ? પુરાણમાં કહ્યું છે કે, બ્રહ્મનિષ્ટ તપસ્વીએનું રક્ષણ કરનાર રાજાને તેમના પુણ્યને છઠ્ઠો ભાગ મળે છે, તેથી હે રાજનૢ! આ દુષ્કૃત્યથી વિરામ પામે, કેમકે તમારા આ વ્યવસાય શહેર અને દેશના અશુભને માટે છે. ” આવાં મુનિનાં વચન સાંભળી તત્કાળ કલ્કી કાપ કરશે અને ભ્રકુટી ચઢાવી વિકરાળ મુખ કરી યમરાજના જેવા ભય કર દેખાશે. તે વખતે નગરદેવતા તેને કહેશે કે, ‘અરે કલ્કી! શું તારી મરવાની ઈચ્છા છે કે જેથી આવા મુનિએની પાસેથી પશુ દ્રવ્યની યાચના કરે છે ?' દેવતાનાં આ પ્રમાણેનાં વચનથી સિંહના નાદથી હસ્તીની જેમ ભય પામેલા કલ્કી નમસ્કારપૂર્વક તે સાધુઓને ખમાવશે. ત્યારપછી કલ્કીરાજાના નગરના ભય સૂચવનારા માટા ભયકર ઉત્ત્પાતો પ્રતિનિ થવા માંડશે. સત્તર દિવસ સુધી અહોરાત્ર મેઘ વર્ષશે; તેથી ગંગાને પ્રવાહ વૃદ્ધિ પામીને કીના નગરને ડુબાડી દેશે. તે વખતે માત્ર પ્રાતિ નામે આચાય, કેટલાક સંધના લેાકેા, ' Page #259 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૩ મે ] પાંચમા આરાના ભાવ f૨૪૫ કેઈક નગરજને અને કલ્કી રાજા ઉંચે સ્થળે ચડી જવાથી બચશે. બાકી ગંગાના પ્રસરતા પ્રવાહમાં ઘણું નગરવાસીએ તત્કાળ ડુબીને મૃત્યુ પામી જશે. પછી જ્યારે જળને ઉપસર્ગ વિરામ પામશે ત્યારે કલ્કી નંદના દ્રવ્યથી ફરીવાર નવું નગર વસાવશે. તેમાં સારાં સારાં મકાને બંધાવશે, સાધુઓ વિહાર કરશે, સમય પ્રમાણે ધાન્યની ઉત્પત્તિના કારણભૂત મેઘ વરસશે, એક દમડામાં કુંભ ભરીને ધાન્ય મળશે, તો પણ લેકે ધાન્ય ખરીદશે નહીં. એવી રીતે કટકના રાજ્યમાં પચાસ વર્ષ સુધી સુભિક્ષ રહેશે. એમ કરતાં કરતાં જ્યારે કલ્કીનું મૃત્યુ નજીક આવશે ત્યારે તે પાછો બધા પાખંડીઓના વેષ છેડાવી દેશે અને ઘણે ઉપદ્રવ કરશે. સંઘ સહિત પ્રતિપદ આચાર્યને ગાયના વાડામાં પૂરીને તેમની પાસેથી એ દુરાશય કલ્કી ભિક્ષાને છઠ્ઠો ભાગ માગશે. એટલે સંઘ શકેંદની આરાધના કરવાને માટે કાર્યોત્સર્ગ કરશે. તે વખતે શાસનદેવી આવીને કહેશે કે “હે કલ્કી ! આ તારું કામ તારી કુશળતાને માટે નહીં થાય.” સંઘે કરેલાં કાર્યોત્સર્ગના પ્રભાવથી ઇંદ્રનું આસન ચળિત થતાં તે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં આવશે. પછી સભા વચ્ચે મોટા સિંહાસન પર બેઠેલા કકીને શકેદ્ર કહેશે કે, “હે રાજન! તેં આ સાધુઓને કેમ પૂર્યા છે” કલકી કહેશે કે, “હે વૃદ્ધ! આ બધા મારા નગરમાં રહે છે, છતાં મને ભિક્ષામાંથી છઠ્ઠો ભાગ પણ કર તરીકે આપતા નથી. બીજા સર્વ પાખંડીએ મને કર આપે છે અને આ સાધુઓ આપતા નથી, તેથી મેં તેમને કિલ્લાની જેવા આ ગાયોના વાડામાં પૂર્યા છે.” પછી શકેંદ્ર કહેશે કે, “તેઓની પાસે કાંઈ નથી, તેઓ કોઈને ભિક્ષાનો અંશ કદિ પણ આપતા નથી. આવા ભિક્ષુકેની પાસેથી ભિક્ષાને અંશ માગતાં તું કેમ શરમાતો નથી? માટે હવે તેમને છોડી દે, નહિ તે તેને માટે અનર્થ પ્રાપ્ત થશે.” ઇંદ્રનાં આવાં વચનથી કટકી કે પાયમાન થઈને કહેશે કે, “અરે સુભટે! આ બ્રાહ્મણને ગળે પકડીને કાઢી મૂકે.” આ પ્રમાણે તેના બોલતાંજ ઈન્દ્ર પાપના પર્વત જેવા કલ્કીને લપડાક મારીને ભસ્મ કરી નાખશે; એટલે છાશી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને કલકી દુરંત એવી નરકભૂમિમાં નારકીપણે ઉત્પન્ન થશે. પછી શકેંદ્ર કલ્કીના દત્ત નામના કુમારને જૈનધર્મ સંબંધી શિક્ષા આપી, રાજ્ય ઉપર બેસારી, સંઘને નમીને પિતાને સ્થાનકે જશે. દત્તરાજા પિતાના પિતાને પ્રાપ્ત થયેલું તેના પાપનું ઘર ફળ અને ઈન્ડે આપેલી શિક્ષાને વારંવાર સંભારીને બધી પૃથ્વીને અરિહંતના ચૈત્યોથી વિભૂષિત કરી દેશે. પછી પાંચમા આરાના પર્યત સુધી જૈનધર્મની પ્રવૃત્તિ નિરંતર રહ્યા કરશે. તીર્થકરના સમયમાં આ ભરતક્ષેત્ર ગ્રામ, ખાણ અને નગરેથી આકુળ અને ધન ધાન્ય વિગેરે સમૃદ્ધિથી ભરેલ સ્વર્ગપુરી જેવું હોય છે, અને ગામે શહેર જેવા શહેરો સ્વર્ગપુરી જેવા, કુટુંબીઓ રાજા જેવા, રાજાએ કુબેર ભંડારી જેવા, આચાર્યો ચન્દ્ર જેવા, પિતાઓ દેવ જેવા, સાસુએ માતા જેવી અને સાસરા પિતા જવા હોય છે. લેકે સત્ય તથા શૌચમાં તત્પર, ધર્માધમના જાણ, વિનીત, ગુરૂદેવના પૂજક અને પિતાની સ્ત્રીમાં સંતુષ્ટ હોય છે. વળી તેવા લોકેમાં વિજ્ઞાન, વિદ્યા, અને કુળવાનપણું હોય છે. પરચક્ર, ઈતિ અને ચેર Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું લેકીને ભય હેતું નથી, તેમજ ન કર નખાતે નથી, તેવા સમયમાં પણ અહંતની ભક્તિને નહીં જાણનારા તેમજ વિપરીત વૃત્તિવાળા કુતીથી એથી મુક્તિ આદિકને ઉપસર્ગ વિગેરે થાય છે અને દશ આશ્ચર્યો પણ થયા છે. ત્યારપછી દુષમા કાળમાં એટલે પાંચમાં આરામાં સર્વ લોકે કષાયથી લેપ પામેલી ધર્મબુદ્ધિવાળા, અને વાડ વિનાની ક્ષેત્રભૂમિની જેમ મર્યાદા રહિત થશે. જેમ જેમ આગળ કાળ જશે તેમ લેકે. વિશેષે કુતીર્થીઓએ મોહિત કરેલી બુદ્ધિવાળા અને અહિંસાદિકથી વર્જિત થશે. તેમજ ગામડા સ્મશાન જેવા, શહેર પ્રેતલેક જેવા, કુટુંબીઓ દાસ જેવા અને રાજાઓ યમદંડ જેવા થશે. રાજાએ લુબ્ધ થઈને પિતાના સેવકને નિગ્રહ કરશે અને સેવકે પોતાના સ્વજનેને લુંટશે. એમ માસ્ય ન્યાય પ્રવર્તશે. જે અંત્યે હશે તે મધ્યમાં આવશે અને જે મધ્યમાં હશે તે અંયે આવશે એમ ત વાવટાવાળા વહાણોની જેમ બધા દેશ ચલાયમાન થઈ જશે. ચેર ચેરીથી, રાજાએ કરથી, અને ભૂત ભરાયેલાની જેવા અધિકારીઓ લાંચ લઈને સર્વ પ્રજાને પીડા કરશે. જોકે સ્વાર્થમાં જ તત્પર, પરાર્થવિમુખ અને સત્ય, લજજા તથા દાક્ષિણ્યતાથી રહિત તેમજ સ્વજનેના વિરોધી થશે. શિષ્ય ગુરૂની આરાધના કરશે નહીં, ગુરૂઓ પણ શિષ્યભાવ રાખશે નહીં અને તેમને ઉપદેશાદિવડે શ્રુતજ્ઞાન આપશે નહીં. અનુક્રમે ગુરૂકુળમાં વાસ કર બંધ પડશે, ધર્મમાં મંદ બુદ્ધિ થશે અને પૃથવી ઘણા પ્રાણીએથી આકુળવ્યાકુળ થશે. દેવતાઓ પ્રત્યક્ષ થશે નહીં, પુત્રો પિતાની અવજ્ઞા કરશે, વહુએ સર્પિણી જેવી થશે અને સાસુએ કાળરાત્રિ જેવી જણાશે. કુલીન સ્ત્રીઓ પણ લજા છોડીને દષ્ટિના વિકારથી, હાસ્યથી, આલાપથી અથવા બીજા પ્રકારના વિલાસેથી વેશ્યાને અનુસરશે. શ્રાવક અને શ્રાવિકા૫ણાની હાનિ થશે, ચતુર્વિધ ધર્મને ક્ષય થશે અને સાધુ સાવીને પર્વ દિવસે કે સ્વપ્ન પણ નિમંત્રણ નહીં થાય. બેટા તલ તથા બેટાં માન ચાલશે, ધર્મમાં પણ શઠતા થશે અને પુરૂષ દુઃખી ને દુર્જનો સુખી થશે. મણિ, મંત્ર, ઔષધી, તંત્ર વિજ્ઞાન, ધન, આયુષ્ય, ફળ, પુષ્પ, રસ, રૂપ, શરીરની ઉંચાઈ, ધર્મ અને બીજા શુભ ભાવની પાંચમા આરામાં પ્રતિદિન હાનિ થશે, અને તે પછી છઠ્ઠા આરામાં તે અધિક હાનિ થશે. એ પ્રમાણે પુણયના ક્ષયવાળે કાળ પ્રસરતાં જેની બુદ્ધિ ધર્મમાં રહેશે તેનું જીવિત સફળ ગણાશે. આ ભરતક્ષેત્રમાં દુષમકાળમાં છેલ્લા દુપ્રસહ નામે આચાર્ય, ફલ્ગશ્રી નામે સાધ્વી, નાગિલ નામે શ્રાવક, સત્યશ્રી નામે શ્રાવિકા, વિમળવાહન નામે રાજા અને સંમુખ નામે મંત્રી થશે. બે હાથ પ્રમાણુ શરીર થશે, વીશ વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય થશે અને પ્રસાદિ ચારેથી ઉત્કૃષ્ટ છઠ્ઠને તપ બની શકશે. દશવૈકાળિકના વેત્તા તે ચૌદ પૂર્વ ધારી જેવા ગણાશે અને એવા મુનિએ દુપ્રસહસૂરિ પર્યત સંઘરૂપ તીર્થને પ્રતિબંધ કરશે. તે કારણ માટે ત્યાં સુધી જે કે ધર્મ નથી એવું બેલે તેને સંઘ બહાર મૂકવો. દુપ્રસહાચાર્ય બાર વર્ષ ગ્રહવાસમાં અને આઠ વર્ષ દક્ષામાં નિર્ગમન કરી છેવટે અઠ્ઠમ તપ કરી મૃત્યુ પામીને સૌધર્મ કલ્પમાં જશે. ૧ નાની માછલાને મેટા માંછલાં ખાય, તેમને તેમનાથી મેટા ખાઈ જાય એ માસ્ય ન્યાય કહેવાય છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૩ મો ] પાંચમા-છઠ્ઠા આરાના ભાવ [૨૪૭ તે દિવસે પૂર્ણાહુને ચારિત્રને, મધ્યાહુને રાજધર્મ અને અપરાહુને અગ્નિને ઉચ્છેદ થઈ જશે. એવી રીતે એકવીશ હજાર વર્ષના પ્રમાણવાળે દુષમકાળ વ્યતીત થયા પછી તેટલાજ પ્રમાણુવાળે એકાંત દુષમ દુષમાકાળ પ્રવર્તાશે. તેમાં ધર્મ તત્ત્વ નષ્ટ થતાં હાહાકાર થઈ રહેશે. પશુની જેમ માતા પુત્રની વ્યવસ્થા મનુષ્યમાં પણ રહેશે નહીં. રાત્રીદિવસ કઠોર અને ઘણી રજવાળા અનિષ્ટ પવને વાયા કરશે, તેમજ દિશાઓ ધૂમ્રવણી થવાથી ભયંકર લાગશે. ચંદ્ર અત્યંત શીતળતા મૂકશે અને સૂર્ય અતિ ઉષ્ણતાથી તપશે, તેવી અતિ શીત અને અતિ ઉષ્ણતાથી પરાભવ પામેલા લેકો અત્યંત કલેશ પામશે. તે સમયે વિરસ થયેલા મેઘ ક્ષાર, આમ્લ, વિષ, અગ્નિ અને વામય થઈ તે તે રૂપે વૃષ્ટિ કરશે. જેથી લેકેમાં કાસ, શ્વાસ, શૂળ, કષ્ટ, કૂષ્ટ, જળોદર, જવર, શિરોવ્યથા અને બીજા પણ કેટલાક રોગો ઉત્પન્ન થશે. જળચર, સ્થળચર અને ખેચર તિય ચે મહા દુઃખે રહેશે, ક્ષેત્ર, વન, આરામ, લતા, વૃક્ષ અને ઘાસને ક્ષય થઈ જશે. વૈતાઢયગિરિ, ઋષભકૂટ અને ગંગા તથા સિંધુ નદી સિવાય બીજા બધા ગિરિઓ, ખાડાઓ, અને સરિતાએ સપાટ થઈ જશે. ભૂમિ અંગારાના ભાઠા જેવી ભમરૂપ થશે; તેમજ કેઈ સ્થાને અતિ ધૂળવાળી અને કેઈ સ્થાને ઘાટા કીચડવાળી થશે. મનુષ્યના શરીર એક હાથના પ્રમાણુવાળા અને માઠા વર્ણવાળા થશે, તેમજ પુરૂષને સ્ત્રીઓ નિબ્બર વાણી બોલનાર, રેગાd, ક્રોધી, લાંબા દેખાવના, ચપટી નાસિકાવાળા, નિર્લજજ અને વસ રહિત થશે. પુરૂષનું આયુષ્ય ઉત્કૃષ્ટ વીશ વર્ષનું અને સ્ત્રીઓનું સેળ વર્ષનું થશે. તે સમયમાં સ્ત્રી છ વર્ષની વયમાં ગર્ભ ધારણ કરી દુઃખે પ્રસવ કરશે. સેળ વર્ષે તે ઘણા પુત્ર પિત્રવાળી થશે અને વૃદ્ધા ગણાશે. વૈતાગિરિની નીચે તેને લગતા બીલેમાં નિવાસ થશે. ગંગા ને સિંધુ બંને નદીઓના તટ ઉપર વૈતાઢયની બંને તરફ નવ નવ બીલ છે. કુલ બહેતર બીલ છે તેમાં તેઓ રહેશે. તિર્યંચ જાતિ બધી માત્ર બીજરૂપે રહેશે. તે વિષમકાળે સર્વ મનુષ્ય તથા પશુઓ માંસાહારી, ક્રૂર અને નિવિવેકી થશે, ગંગા અને સિંધુનદીને પ્રવાહ ઘણું મસ્ય કચ્છપવાળો અને માત્ર રથના પિડાં જેટલું રહેશે. તેમાંથી લેકે રાત્રે માછલાને કાઢીને સ્થળ ઉપર મૂકી રાખશે. તે દિવસે સૂર્યના તાપથી પાકી જશે, એટલે રાત્રે તેમનું ભક્ષણ કરશે. એવી રીતે તેને નિર્વાહ ચાલશે. કેમકે તે સમયે દુધ દહી વિગેરે રસવાળા પદાર્થો, પુષ્પ, ફળ કે આગ્ર કાંઈ પણ મળશે નહીં. તેમજ શમ્યા આસનાદિ પણ રહેશે નહીં. ભરત, ઐરાવત નામના દશે ક્ષેત્રમાં એવીજ રીતે પહેલે દુષમા અને પછી અતિ દુષમકાળ બંને એકવીશ હજાર વર્ષ સુધી પ્રવર્તાશે. અવસર્પિણીમાં જેમ અંત્ય (છો) અને ઉપાંત્ય (પાંચમ) બે આરા હોય છે, તે જ પ્રમાણે ઉત્સર્પિણમાં પેલે અને બીજે આરે હોય છે. ઉત્સપિણમાં દુષમદુષમા કાળ (અવસર્પિણીના છઠ્ઠા જેવા પહેલા આરા)ને અંત સમયે જુદા જુદા પાંચ જાતિના મેઘ સાત સાત દિવસ સુધી વર્ષશે. તેમાં પહેલે પુષ્કર નામે મેઘ વષી પૃથ્વીને તૃપ્ત કરી દેશે. બીજે ક્ષીરમેઘ ધાન્ય ઉત્પન્ન કરશે. ત્રીજે ઘૂમેઘ સ્નેહ (ચીકાસ) પેદા કરશે. ચેાથે અમૃતમેઘ ઔષધિઓને ઉત્પન્ન કરશે. પાંચ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પ ૧૦ મું રસમેઘ પૃથ્વી વિગેરેને રસમય કરશે. એવી રીતે પાંત્રીસ દિવસ સુધી શાંતપણે દુદિન વૃષ્ટિ થશે. પછી વૃક્ષ, ઔષધી, લતા, વલ્લી વિગેરે લીલેરી જોઈ બીલમાં રહેનારા મનુષ્ય હર્ષ પામીને બહાર નીકળશે ત્યારથી ભારતવર્ષની ભૂમિ પુષ્પ ફલવતી થશે, એટલે પછી મનુષ્ય માંસનું ભક્ષણ કરશે નહીં, માંસને તજી દેશે. પછી જેમ જેમ કાળ વૃદ્ધિ પામશે તેમ તેમ મનુષ્યના રૂપમાં, શરીરના બાંધામાં, આયુષ્યમાં અને ધાન્ય વિગેરેમાં વધારે થતે જશે. અનુક્રમે સુખકારી પવન વાશે, અનુકુળ હતુઓ થશે, નદીઓમાં જળ વૃદ્ધિ પામશે, એટલે તિર્યો અને મનુષ્ય નિરોગી થવા માંડશે. દુઃષમાકાળને (ઉત્સર્પિણીના બીજા આરાને) અંતે આ ભારતવર્ષની ભૂમિ ઉપર સાત કુલકરે થશે. પેલે વિમલવાહન, બીજે સુદામ, ત્રીજો સંગમ, ચેાથે સુપાર્શ્વ, પાંચમે દત્ત, છઠો સમખ અને સાતમે સંમચિ. તેમાં પહેલે વિમલવાહન જાતિસ્મરણ જ્ઞાનવડે રાજ્યને માટે ગામ અને શહેર વસાવશે; ગાય, હાથી અને અને સંગ્રહ કરશે અને શિલ્પ, વ્યાપાર, લિપિ અને ગણિતાદિ વ્યવહાર ફેંકોમાં ચલાવશે. પછી જ્યારે દૂધ, દહિં, ધાન્ય અને અગ્નિ ઉત્પન્ન થશે ત્યારે તે પ્રજાહિતેચ્છુ રાજા લેકને અન્ન રાંધીને ખાવાને ઉપદેશ કરશે. - જ્યારે આવી રીતે દુષમકાળ યતીત થશે ત્યારે શતદ્વાર નામના નગરમાં સંકુચિ નામના સાતમા કુળકર રાજાની રાણી ભદ્રા દેવીની કુક્ષિમાં શ્રેણિકને જીવ પુત્રપણે ઉત્પન્ન થશે. આયુષ્ય અને શરીરે વિગેરેથી મારા સરખા તે પદ્મનાભ નામે પહેલા તીર્થકર થશે. ત્યારપછી પૂર્વની જેમ પ્રતિમપણે ત્રેવીસ તીર્થકરે શરીર, આયુ, અંતર વિગેરેથી પૂર્વ સમાન--અનુક્રમે ઉત્પન્ન થશે. શ્રેણિકને જીવ પદ્મનાભ નામે પહેલા તીર્થકર થશે. સુપાર્શ્વને જીવ શુરદેવ નામે બીજા તીર્થંકર થશે. પિદિલને જીવ સુપાર્શ્વ નામે ત્રીજા તીર્થંકર થશે. કઢાયુને જીવ સ્વયંપ્રભ નામે ચોથા તીર્થકર થશે. કાર્તિક શેઠને જીવ સર્વાનુભૂતિ નામે પાંચમા તીર્થંકર થશે. શંખ શ્રાવકને જીવ દેવશ્રત નામે છઠ્ઠા તીર્થકર થશે. નંદને જીવ ઉદય નામે સાતમા તીર્થંકર થશે. સુનંદને જીવ પેઢાળ નામે આઠમા તીર્થંકર થશે. કૈકસીને જીવ પિટિલ નામે નવમા તીર્થંકર થશે. રેલીને જીવ શતકીર્તિ નામે દશમા તીર્થંકર થશે. સત્યકિ જીવ સુવ્રત નામે અગ્યારમા તીર્થંકર થશે. કૃષ્ણ વાસુદેવને જીવ અમમ નામે બારમા તીર્થંકર થશે. બલદેવને જીવ અકષાય નામે તેરમા તીર્થંકર થશે. રોહિણીને જીવ નિપુલાક નામે ચૌદમા તીર્થંકર થશે. સુલસાને જીવ નિર્મમ નામે પંદરમા તીર્થંકર થશે. રેવતીને જીવ ચિત્રગુપ્ત નામે સોળમા તીર્થંકર થશે. ગવાળીને જીવ સમાધિ નામે સત્તરમાં તીર્થકર થશે. ગાગલને જીવ સંવર નામે અઢારમા તીર્થંકર થશે દ્વીપાયનને જીવ યશોધરા નામે ઓગણીશમાં તીર્થકર થશે. કર્ણને જીવ વિજય નામે વીસમા તીર્થંકર થશે. નારદને જીવ મલ્લ નામે એકવીસમા તીર્થંકર થશે. અબડને જીવ દેવ નામે બાવીસમા તીર્થંકર થશે. બારમા ચક્રવતી બ્રાદત્તને જીવ અનંતવીર્ય નામે ત્રેવીસમા તીર્થંકર થશે. અને સ્વાતિને જીવ ભદ્રકૃત નામે ચોવીસમા તીર્થંકર થશે. ૧ આ વીશીમાં પૂર્વભવી જીવ વિગેરેમાં પાઠાંતરે છે, તેને નિર્ણય અહીં થઈ શકે તેમ નથી. Page #263 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧૩ મે ] પાંચમા છઠ્ઠ-આરાના ભાવ [૨૪૯ તેટલા સમયમાં દીર્ઘદંત, ગુઢદંત, શુદ્ધદંત, શ્રીચંદ્ર, શ્રીભૂતિ, શ્રીમ, પવ, મહાપર્વ, દશમ, વિમળ, વિમળવાહન અને અરિષ્ટ-એ બાર ચક્રવર્તી થશે. નંદી, નંદિમિત્ર, સુંદરબાહુ, મહાબાહુ, અતિ બળ, મહાબળ, બળ, દ્વિપૃષ્ટ અને ત્રિપૃષ્ટ-એ નવ અર્ધચક્રી (વાસુદેવ) થશે. જયંત, અજિત, ધર્મ, સુભ, સુદર્શન, આનંદ, નંદન, પદ્મ અને સંકર્ષણ એ નવા બળરામ થશે. અને તિલક, લેહજંઘ, વાજંઘ, કેશરી, બલિ, પ્રહાદ, અપરાજિત, ભીમ અને સુગ્રીવ-એ નવ પ્રતિવાસુદેવ થશે. આ પ્રમાણે ઉત્સર્પિણી કાળમાં ત્રિષિષ્ટ શલાકા પુરૂ થશે.” આ પ્રમાણે કહી રહ્યા પછી શ્રી વીરપ્રભુને સુધર્મા ગણધરે પૂછયું કે, “હે સ્વામિન ! કેવળજ્ઞાન રૂપી સૂર્ય કયારે અને કેના પછી ઉચછેદ પામશે ?” પ્રભુ બેલ્યા–“મારા મેક્ષગમન પછી કેટલેક કાળે જંબૂ નામના તમારા શિષ્ય છેલ્લા કેવળી થશે, તેના પછી કેવળજ્ઞાન ઉચછેદ પામશે. કેવળજ્ઞાન ઉદ પામતાં કેઈને મને પર્યાય જ્ઞાન પણ નહીં થાય. પુલાક લબ્ધિ કે પરમાવધિજ્ઞાન પણ નહિ થાય, ક્ષપક શ્રેણી અને ઉપશમ શ્રેણી બંને વિનાશ પામશે, તેમજ આહારક શરીર, જિનકલ્પ અને ત્રિવિધ સંયમ પણ નહિ રહે. તેમના શિષ્ય પ્રભવ ચૌદપૂર્વધારી થશે. અને તેના શિષ્ય શર્યાભવ પણ દ્વાદશાંગીના પારગામી થશે. તે પૂર્વમાંથી ઉદ્ધારીને દશવૈકાલિક સૂત્ર રચશે. તેના શિષ્ય યશોભદ્ર સને પૂર્વ ધારી થશે. અને તેના શિષ્ય સંભૂતિવિજય ને ભદ્રબાહુ પણ ચૌદપૂવ થશે. સંભૂતિવિજયના શિષ્ય ધૂળભદ્ર ચૌદપૂવ થશે. ત્યારપછી છેલ્લાં ચાર પૂર્વ ઉચ્છદ પામી જશે. ત્યારપછી મહાગિરિ અને સુહસ્તિથી તે વજસ્વામી સુધી આ તીર્થના પ્રવત્ત કે દશ પૂર્વધર થશે.” આ પ્રમાણે ભવિષ્યની હકીકત કહીને શ્રી વીરપ્રભુ સમવસરણમાંથી બહાર નીકળ્યા, અને હસ્તિપાળ રાજાની શુલ્ક (દાણ લેવાની) શાળામાં ગયા. તે દિવસની રાત્રે જ પિતાને મોક્ષ જાણીને પ્રભુએ વિચાર્યું કે, “અહ! ગૌતમનો અને મારા ઉપર અત્યંત છે અને તે જ તેમને કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં અંતરાય કરે છે, તેથી તે નેહને મારે છેદી નાખ જેઈએ. આવું વિચારી તેમણે ગૌતમને કહ્યું-“ગૌતમ! અહિંથી નજીકના બીજા ગામમાં દેવશમાં નામે બ્રાહાણ છે, તે તમારાથી પ્રતિબંધ પામશે, માટે તમે ત્યાં જાઓ. તે સાંભળી “જેવી આપની આજ્ઞા” એમ કહી ગૌતમ વીરપ્રભુને નમીને તરતજ ત્યાં ગયા અને પ્રભુનું વચન સત્ય કર્યું અર્થાત્ તેને પ્રતિબંધ પમાડયો. અહીં કાર્તિક માસની અમાવાસ્યાની પાછલી રાત્રે ચંદ્ર સ્વાતિ નક્ષત્રમાં આવતાં છઠ્ઠને તપ કરેલે છે એવા શ્રી વિરપ્રભુએ પંચાવન અધ્યયન પુણ્યફળવિપાક સંબંધી અને પંચાવન અધ્યયન પાપફળવિપાક સંબંધી કહ્યા. પછી છત્રીશ અધ્યયન અપ્રશ્નવ્યાકરણ એટલે કોઈના પૂછયા વિના કહી, છેલ્લું પ્રધાન નામે અધ્યયન કહેવા લાગ્યા. તે સમયે આસનકંપથી પ્રભુને મેક્ષસમય ૧ પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરામ ને યથાખ્યાત એ ત્રણ ચારિત્ર. ૨ આ દેશના રીવાજ પ્રમાણે આ વદિ અમાવાસ્યાઓ, |D - 32 Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું જાણ સર્વ સુર ને અસુરના ઇદ્રો પરિવાર સહિત ત્યાં આવ્યા. પછી જેના નેત્રમાં અગ્ર આવેલા છે એવા શકે પ્રભુને પ્રણામ કરી અંજળિ જોડીને સંજમવડે આ પ્રમાણે કહ્યું કે –“નાથ! તમારા ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનમાં હત્તરા નક્ષત્ર હતું, આ વખતે તેમાં ભસ્મક ગ્રહ સંક્રાંત થવાનું છે. તમારા જન્મનક્ષત્રમાં સંક્રમેલે તે ગ્રહ બેહજાર વર્ષ સુધી તમારા સંતાન (સાધુ સાધ્વી)ને બાધા ઉત્પન્ન કરશે. માટે તે ભસ્મકગ્રહ આપના જન્મનક્ષત્રે સંક્રમે ત્યાં સુધી આપ રાહ જુએ કે જેથી તમારી દૃષ્ટિએ સંક્રમણ થાય તે તમારા પ્રભાવથી તે નિષ્ફળ થઈ જાય. જે બીજાએ પણ તમને હૃદયમાં ધારણ કરે છે તેઓના કુસ્વપ્ન, અપશુકન અને કુગ્રહ પણ શ્રેષ્ટપણાને પામી જાય છે, તે હે સ્વામિન! જ્યાં તમે સાક્ષાત્ રહ્યા છે ત્યાં તે વાત જ શી કરવી. માટે પ્રસન્ન થઈને ક્ષણવાર ટકે કે જેથી તે દુગ્રહને ઉપશમ થઈ જાય.” પ્રભુ બેલ્યા–“હે શકેંદ્ર! આયુષ્યને વધારવાને કોઈ પણ સમર્થ નથી. તે તું જાણે છે તે છતાં તીર્થના પ્રેમથી મોહિત થઈને આમ કેમ બેલે છે? આગામી દુષમકાળની પ્રવૃત્તિથીજ તીર્થને બાધા થવાની છે. તેમાં ભવિતવ્યતાને અનુસરીને આ ભમક ગ્રહને પણ ઉદય થયે છે.” એવી રીતે ઇંદ્રને સમજાવીને સાડા છ માસે ઉણા ત્રીશ વર્ષ પર્યત કેવળજ્ઞાન પર્યાય પાળી, પર્યકાસને બેઠેલા પ્રભુએ બાદ કાયાગમાં રહી, આદર મનગ ને વચનોગને રૂંધ્યા. પછી સૂક્ષમ કાયવેગમાં સ્થિત થઈ ચગવિચક્ષણ પ્રભુએ બાદર કાગને પણ રૂંધી લીધે. પછી વાણી તથા મનના સૂક્ષમ ભેગને પણ કયા. એવી રીતે સુમ ક્રિયાવાળું ત્રીજુ શુકલધ્યાન પ્રાપ્ત કર્યું. પછી સુક્ષમ તનગને પણ રૂધી જેમાં સર્વ ક્રિયાનો ઉચ્છેદ થાય છે એવા સમુછિન્નક્રિય નામના ચોથા શુકલધ્યાનને ધારણ કર્યું. પછી પાંચ હQાક્ષરનો ઉચ્ચાર કરીએ તેટલા કાળમાનવાળા અવ્યભિચારી એવા શુકલધ્યાનના ચોથા પાયાવડે એરંડના બીજની જેમ કર્મબંધ રહિત થયેલા પ્રભુ યથાસ્વભાવ અજુ ગતિવડે ઉર્વગમન કરી મેક્ષને પ્રાપ્ત થયા. તે વખતે જેઓને એક લવમાત્ર સુખે કદી પણ પ્રાપ્ત થતું નથી તેવા નારકીને પણ ક્ષણમાત્ર સુખ થયું. તે કાળે ચંદ્ર નામે સંવત્સર. પ્રીતિવાદ્ધન નામે માસ, નંદિવર્ધ્વન નામે પક્ષ અને અગ્નિવેશ નામે દિવસ હતો. તેનું બીજું નામ ઉપશમ હતું. તે રાત્રિનું નામ દેવાનંદા હતું, તેનું બીજું નામ નિરતિ પણ હતું. તે વખતે અચ નામે લવ, શુક નામે પ્રાણ, સિદ્ધ નામે સ્તક અને સર્વાર્થસિદ્ધ નામે મુહૂર્ત તેમજ નાગ નામે કારણ હતું. તે સમયે ન ઉદ્ધારી શકાય તેવા અતિ સૂક્ષમ કુંથુઓ ઉત્પન્ન થયા, તે સ્થિર હોય ત્યારે દષ્ટિગ્રાહા પણ થતા નહતા જ્યારે હાલતા ચાલતા ત્યારે જ દષ્ટિએ પડતા હતા. તે જોઈને “હવે સંયમ પાળવું મુશ્કેલ છે એમ વિચારીને ઘણા સાધુ અને સાધવીઓએ અનશન કર્યું, પ્રભુના નિર્વાણુને જાણીને તે સમયે ભાવદીપકને ઉછેદ થવાથી સર્વ રાજાઓએ દ્રવ્ય દીપક કર્યા. ત્યારથી લેકમાં દીપોત્સવીનું પર્વ પ્રત્યુ, અદ્યાપિ તે રાત્રે લેકમાં દીવા કરવામાં આવે છે. ૧ શુકલ ખાનને ત્રીજો પા. ૨ શુક્લધ્યાનના ચોથા પાયાને. Page #265 -------------------------------------------------------------------------- ________________ સગ ૧૩ મે]. મહાવીર સ્વામીનું મોક્ષગમન [૨૫ તે સમયે જગદ્ગુરૂના શરીરને દેવતાઓએ નેત્રમાં અશુ લાવીને પ્રણામ કર્યા અને પિતે અનાથ થઈ ગયા તેને શેક કરતા છતા પાસે ઉભા રહ્યા. પછી શકે પૈર્ય ધારણ કરીને નંદનવન વિગેરે સ્થાનકેથી દેવતાઓ પાસે ગોશીષચંદનના કાષ્ટ મંગાવ્યાં અને તેના વડે એક ચિતા રચી. પછી ક્ષીરસાગરના જળથી પ્રભુના શરીરને સ્નાન કરાવ્યું, અને ઈન્દ્ર પિતાને હાથે દિવ્ય અંગરાગવડે વિલેપન કર્યું. પછી દિવ્ય વસ્ત્ર ઓઢાડી જાણે નયનાશ્રુથી ફરી હવરાવતા હોય તેમ અશ્નપૂર નેત્રે શકે પ્રભુના શરીરને ઉપાડયું અને સુરાસુરેએ સાથુનયને જતાં તેને શ્રેષ્ઠ વિમાન જેવી શિબિકામાં પધરાવ્યું. પછી મહાપ્રયાસે શોકને રોકીને પ્રભુના શાસનને ધારણ કરે તેમ ઈકોએ તે શિબિકા ઉપાડી. તે સમયે દેવતાઓ બંદિજનની જેમ જય જય ઇવનિ કરતા તેની ઉપર દિવ્ય પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા; તેમજ પોતાના નેત્રકમળના જળની જેમ સુગંધી જળની વૃષ્ટિથી ચારે બાજુ ભૂમિતળ ઉપર સિંચન કરવા લાગ્યા. ગંધર્વ દેવો પ્રભુના ગુણને વારંવાર સંભારીને ગંધર્વોની જેમ તારસ્વરથી ગાવા લાગ્યા. સેંકડો દેવતાઓ મૃદંગ અને ૫ણવ વિગેરે વાદ્યોને શેકથી પિતાના ઉરસ્થળની જેમ તાડન કરવા લાગ્યા. પ્રભુની શિબિકા આગળ શેકથી ખલિત થતી દેવાંગનાઓ અભિનવ નર્તકીઓની જેમ નૃત્ય કરતી ચાલવા લાગી. ચતુર્વિધ દેવતાઓ દિવ્ય રેશમી વસ્ત્રોથી, હારાદિ આભૂષણેથી અને પુષ્પમાળાઓથી પ્રભુની શિબિકાનું પૂજન કરવા લાગ્યા અને શ્રાવકો તથા શ્રાવિકાઓ ભક્તિ અને શેકથી આકુળવ્યાકુળ થઈ રાસડાના ગીત અને રૂદન કરવા લાગ્યા. તે સમયે સાધુ અને સાધ્વીના હૃદયમાં શેકે મોટું સ્થાન કર્યું. “સૂર્યને અસ્ત થતાં કમળને ગાઢ નિદ્રા પ્રાપ્ત થાયજ છે.” પછી શેકરૂપ શંકુથી વિદીર્ણ થતા હદયવાળા ઇ પ્રભુના શરીરને ચિતા ઉપર મૂકયું. અગ્નિકુમાર દેવેએ તેમાં અગ્નિ પ્રજવલિત કર્યો અને તેને વિશેષ પ્રદિપ્ત કરવાને વાયુમારોએ વાયુ વિકુળે. અન્ય દેવતાઓએ સુગંધી પદાર્થો અને વૃત તથા મધુના સેંકડો ઘડા અગ્નિમાં ક્ષેપક કર્યા. પછી જ્યારે પ્રભુના શરીરમાંથી માંસાદિક દગ્ધ થઈ ગયા ત્યારે મેઘકુમાર દેએ ક્ષીરસાગરના જળવડે ચિતાને બુઝાવી દીધી. એટલે શક અને ઈશાન ઈન્દ્ર પ્રભુની ઉપરની દક્ષિણ અને વામ દાઢાઓ લીધી અને ચમરેંદ્ર તથા બલિઈન્ટે નીચેની બે દાઢાએ ગ્રહણ કરી. બીજા ઇદ્રો અને દેવતાઓ બીજા દાંત અને અસ્થિ લઈ ગયા. મનુષ્ય કલ્યાણને અથે તેમની ચિતાની ભસ્મ લઈ ગયા. પછી દેવતાઓએ તે ચિતાને સ્થાને કલ્યાણસંપત્તિના સ્થાનરૂપ એક રત્નમય સૂપ ર. આ પ્રમાણે શ્રી વીરમભુને નિર્વાણુમહિમા કરીને સર્વે ઈન્દ્રો તથા દેવતાએ નંદીશ્વર દ્વીપે ગયા, અને ત્યાં શાશ્વત પ્રતિમાઓને અષ્ટાકિ ઉત્સવ કર્યો. પછી પિતાપિતાને સ્થાનકે જઈને પોતપોતાના વિમાનમાં મણિમય (માણવક) સ્તંભની ઉપર રહેલા વજીમય ગળ દાબડામાં પ્રભુની દાઢાએ તથા અસ્થિને સ્થાપન કર્યા. ગૃહસ્થપણામાં ત્રીસ વર્ષ અને વ્રતમાં બેંતાળીસ વર્ષ એમ તેર વર્ષનું આયુષ્ય શ્રી વિરપ્રભુએ પૂર્ણ કર્યું. શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી અઢીસો વર્ષ વ્યતીત થયે છતે શ્રી વીરપ્રભુનું નિર્વાણ થયું. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું અહિં શ્રી ગૌતમ ગણધર દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ પમાડીને પાછા ફર્યા, એટલે માર્ગમાં દેવતાઓની વાર્તાથી પ્રભુના નિર્વાણુના ખબર સાંભળ્યા. તે ઉપરથી તે ચિત્તમાં વિચારવા લાગ્યા કે, “એક દિવસમાં નિર્વાણ હતું તે છતાં અરે પ્રભમને શા માટે દૂર મોકલ્યો? અરે જગત્પતિ! મેં આટલા કાળ સુધી તમારી સેવા કરી પણ અંતકાળે મને તમારા દર્શન થયા નહીં તેથી હું સર્વથા અધન્ય છું; જે તે વખતે આપની સેવામાં હાજર હતા તેમને ધન્ય છે. અરે ગૌતમ! તું ખરેખર વજમય છું, વા વાથી પણ અધિક કઠીન છું કે જેથી પ્રભુનું નિર્વાણ સાંભળીને પણ તારા હૃદયના સેંકડો કકડા થઈ જતા નથી ! અથવા હે પ્રભે! હું અત્યાર સુધી ભ્રાંત થઈ ગયે કે જેથી આ નિરાગી અને નિર્મમ એવા પ્રભુમાં મેં રાગ અને મમતા રાખી. તે રાગ-દ્વેષ વિગેરે સંસારના હેતુ છે, તેને ત્યાગ કરાવવા માટે જ એ પરમેષ્ટીએ મારે ત્યાગ કર્યો હશે, માટે એવા મમતા રહિત પ્રભુમાં મમતા રાખવાથી મારે સયું; કેમકે મુનિઓને તે મમતાળુમાં પણ મમત્વ રાખવું યુક્ત નથી.” આ પ્રમાણે શુભ ધ્યાન પરાયણ થતાં ગૌતમ મુનિ ક્ષપકશ્રેણને પ્રાપ્ત થયા. તેથી તત્કાળ ઘાતિ કર્મને ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પછી બાર વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કરી, અને ભવ્ય પ્રાણીઓને પ્રતિબંધ આપી કેવળજ્ઞાનરૂપ અચળ સમૃદ્ધિથી પ્રભુની જેમ દેવતાઓ વડે પૂજાતા ગૌતમ મુનિ પ્રાંતે રાજગૃહી નગરીએ આવ્યા. ત્યાં એક માસનું અનશન કરી, ભપગ્રહી કર્મો ખપાવી, અક્ષય સુખવાળા મેક્ષપદને પ્રાપ્ત થયા. ગૌતમસ્વામી મેક્ષે ગયા પછી પાંચમા ગણધર સુધર્માસ્વામીએ પંચમ જ્ઞાનને પ્રાપ્ત કરી ઘણુ કાળ પર્યત પૃથ્વી ઉપર વિચારીને લેકેને ધર્મ દેશના આપી. પ્રાંતે તેઓ પણ રાજગૃહી નગરીએ પધાર્યા અને પોતાના નિર્દોષ સંઘને જંબુસ્વાસીને સ્વાધીન કરી દીધું. પછી સુધર્મા ગણધર પણ તેજ નગરમાં અશેષ (અષ્ટ) કમેને ખપાવી ચેાથું ધ્યાન ધ્યાતા છતા અદ્વૈત સુખવાળા સ્થાનને પ્રાપ્ત થયા. ત્યારપછી ચરમ કેવળી શ્રી જંબુસ્વામીએ પણ શ્રી વીર ભગવંતના શાસનમાં અગ્રણી થઈને ઘણુ વર્ષો સુધી ભવ્ય જનેને ધર્મ સંબંધી ઉપદેશ કર્યો અને પ્રાંતે મોક્ષે ગયા. કર્તા કહે છે કે “શૈલેયમાં પણ સાત્વિક પુરૂષોમાં પરમ શ્રેષ્ઠ એવા અને જેમણે સર્વ પાપને નાશ કર્યો છે એવા શ્રી મહાવીર જિનેશ્વરનું પૂર્વ જન્મથી માંડીને મોક્ષપ્રાપ્તિ પર્યંત સમસ્ત ચરિત્ર કહેવાને કોણ સમર્થ થાય? તથાપિ પ્રવચનરૂપ સમુદ્રમાંથી લવ માત્ર ગ્રહણ કરીને મેં વપર ઉપકારની ઈચ્છાવડે અહીં કિંચિત કીર્તના કરી છે.” इत्याचार्य में हेमचंद्र वरचिते त्रिषष्टिशलाकापुरूषचरिते महाकाव्ये दशमपर्वणि श्री महावीर निर्वाण-गौतम. सुधर्माजबूमोक्षगमनवर्णना नाम કવિરાટ સ છે. समाप्तमिदं दशम पर्व. ૧ ® @ @ @ @ @ @ @ @ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ Page #267 -------------------------------------------------------------------------- ________________ ग्रंथकर्त्तानी प्रशस्ति મહામુનિ જ અસ્વામીના પ્રભવ નામે શિષ્ય થયા, તેમના શિષ્ય શ્રી શય્યંભવ નામે થયા, તેમના શિષ્ય યશાભદ્ર નામે થયા, તેમના સભૂતિ અને ભદ્રબાહુ નામે એ ઉત્તમ શિષ્ય થયા. તેમાં જે સભૂતિમુનિ હતા, તેમના ચરણકમળમાં ભ્રમરરૂપ શ્રી સ્થૂલભદ્ર નામે શિષ્ય થયા. વંશપરંપરાથી આવેલા ચૌદ પૂરૂપી રત્નના ભડાર જેવા તે સ્થૂલભદ્રના મહિષ મહાગિરિ નામે સર્વોમાં મેાટા શિષ્ય થયા; જેએ સ્થિરતામાં મેરૂ સમાન અને વિશિષ્ટ લબ્ધિએથી યુક્ત હતા. બીજા શિષ્ય દેશ પૂર્વધારી, મુનિએમાં શ્રેષ્ટ સુહસ્તી નામે થયા; જેઓના ચરણકમળની સેવાથી પ્રમેાધરૂપ ઘણી સમૃદ્ધિ પ્રાપ્ત કરીને સપ્રતિ નામના રાજાએ આ ભરતામાં પ્રત્યેક નગરે, પ્રત્યેક ગ્રામે એક પ્રત્યેક આકરમાં ચેતરફ એમ બધા પૃથ્વીમ`ડળને જિનચૈત્યથી મંડિત કરી દીધું. તે " સુહસ્તી મહામુનિને સુસ્થિત સુપ્રતિબુદ્ધ નામે શિષ્ય થયા કે જે સમતારૂપ ધનવાળા, દશ પૂર્વધારી અને સંસારરૂપ મહાવૃક્ષને ભગ કરવામાં હસ્તી સમાન હતા. હિમાલય પર્વતમાંથી નીકળેલા ગંગાના પ્રવાહની જેમ મહિષ એએ જેમના ચરણને સેવ્યા છે એવા તે મુનિથી કેાટિક નામે એક મહાન્ ગણુ લવણુસમુદ્ર સુધી પ્રસાર પામ્યા. તે ક્રેટિક ગણુમાં કેટલાએક ઉત્તમ સાધુએ થયા, પછી છેલ્રા દશ પૂર્વધારી લબ્ધિ સંબધી ઋદ્ધિએ કરીને સહિત, તુબવનપત્તનમાં જન્મેલા વાસમાન વસૂરિ થયા, તેમના સમયમાં જ્યારે પ્રલયકાળની જેવા ભયંકર (ખાર વર્ષના) દુષ્કાળ પ્રાપ્ત થયા ત્યારે નિઃસીમતળવાળા નિધિરૂપ તે વજ્રસૂરિ ચાતરતૢ ભય પામેલા સંઘને વિદ્યાથી અભિમંત્રીત એવા વસ્ત્રપર બેસાડી પેાતાના કરકમળથી ઉપાડીને આકાશમાગે સુભિક્ષના ધામરૂપ મહાપુરીમાં લઈ ગયા હતા. તે વસૂરિથી કેાટિક ગણુરૂપ વૃક્ષની અંદરથી ઉચ્ચ નાગરિકા પ્રમુખ ત્રણ શાખાની જેવી વજી નામે એક ચેાથી શાખા નીકળી. તે નજીશાખામાંથી મુનિરૂપ ભ્રમરા જેમાં લીન થયેલા છે એવા ચદ્ર' નામે એક પુષ્પના ગુચ્છ જેવા ગચ્છ પ્રવન્ત્યાઁ. તે ગુચ્છમાં ધર્માંધ્યાનરૂપ આકાશમાં ચંદ્ર સમાન, નિર્મળ ગ્રંથાના રત્નાકર, ભવ્યપ્રાણી રૂપ કમળમાં સૂર્ય' સમાન, કામદેવરૂપ હસ્તીને મથન કરવામાં કેશરીસિ ંહરૂપ, સંયમરૂપ ધનવાળા અને કરૂણાના રાશિરૂપ શ્રીયશોભદ્ર નામે સૂરિવર થયા કે જેઓએ પેાતાના ઉજ્વલ યશથી આ જગતને પૂરી દીધું હતું. તે સૂરિવરે, શ્રી નેમિપ્રભુએ જેનુ શિખર પવિત્ર કરેલુ છે એવા રૈવતગિર ઉપર સંલેખના કરીને અનશન ગ્રહણ કર્યું. તેમાં તેમણે શુભધ્યાનપૂર્વક તેર દિવસ સુધી શાંત મને રહેવાવડે સર્વાંને આશ્ચય ઉત્પન્ન કરી પૂર્વ મહષિની સંયમ કથાએને સત્ય ૧ ચંદ્રગચ્છ એ નામ ચંદ્રસૂરિથી પડેલુ છે એમ પ્રતિરમાં છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ : કરી બતાવી હતી. તેમના શિષ્ય પ્રદ્યુમ્રસૂરિ થયા. અનેક જીને પ્રતિબોધ કરનારા અને સર્વ વિશ્વમાં પિતાના ગુણગણને પ્રખ્યાત કરનારા જે સૂરિવરે શ્રવણ વિષયમાં અમૃત સમાન એ વીશ સ્થાનકને તપ કરી, પ્રવચનરૂપ સમુદ્રમાંથી કાઢેલા અર્થરૂપ નીરવડે વર્ષાકાળના મેઘની જેમ સમગ્ર પૃથ્વીને પ્રસન્ન કરી હતી. તે પ્રસૂરિના શિષ્ય ગુણસેનસૂરિ થયા. તેઓ સર્વ ગ્રંથના રહસ્યમાં રત્નમય દર્પણરૂપ, કલ્યાણરૂપ વલ્લીના વૃક્ષ જેવા, કરૂણામૃતના સાગર, પ્રવચનરૂપ આકાશમાં સૂર્ય સમાન. ચારિત્રાદિ રત્નના રેહશુગિરિ, પૃથ્વીને પવિત્ર કરનાર અને ધર્મરાજાના સેનાપતિ હતા. તે ગુણસેનસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ થયા કે જેઓ આ પૃથ્વીને પવિત્ર કરનાર જંગમતીર્થરૂપ હતા, અને સ્યાદ્વાદ વાણીરૂપ ગંગાનદીને માટે હિમાલયરૂપ હતા. ઘણુ તપના પ્રભાવના સ્થાનરૂપ અને વિશ્વને પ્રબંધ કરવામાં સૂર્યરૂપ એવા તે સૂરિ શ્રી શાંતિચરિત્ર તથા ઠાણું પ્રકરણની વૃત્તિ કરીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે. તે દેવચંદ્રસૂરિના ચરણકમળમાં ભ્રમરરૂપ હેમચંદ્ર નામે આચાર્ય થયા, કે જેઓએ તે ગુરૂના પ્રસાદથી જ્ઞાનસંપત્તિને મહદય પ્રાપ્ત કર્યો. ચેદી, દશાર્ણ, માલવ, મહારાષ્ટ્ર, કુરૂ, સિંધુ અને બીજા દુર્ગમ દેશોને પોતાના ભુજવીર્યની શક્તિથી હરિની જેમ જિતનાર, પરમ આહંત, વિનયવાન અને ચૌલુક્ય કુળના શ્રી મૂલરાજના વંશમાં થયેલા શ્રી કુમારપાલ રાજાએ એક વખતે તે શ્રી હેમચંદ્ર સૂરિને નમીને આ પ્રમાણે કહ્યું કે “હે સ્વામી! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા જે તમે તેમની આજ્ઞાને પ્રાપ્ત કરીને નર્કગતિ સંબંધી આયુષ્યના નિમિત્તરૂપ મૃગયા, ધુત અને મદિરા વિગેરે દુર્ગને મારી. પૃથ્વીમાંથી મેં નિષિદ્ધ કર્યા છે, તથા પુત્ર રહિત મૃત્યુ પામેલાનું ધન લેવું પણ મેં છેડી દીધેલું છે અને બધી પૃથ્વી અરિહંતના ચૈત્યવડે સુશોભિત કરી દીધી છે, તે હવે હું સાંપ્રતકાળમાં સંપ્રતિરાજા જે થયે છું. પૂર્વે મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી આપે વૃત્તિ (વિવરણ)થી યુક્ત એવું સાંગ વ્યાકરણ (સિદ્ધ હેમચંદ્ર) રચેલું છે, તેમજ મારે માટે નિર્મળ ગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે દ્વાશ્રયકાવ્ય, દાનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ ( અભિયાન ચિંતામણિ વિગેરે કોષ) પ્રમુખ બીજા શાસ્ત્રો પણ રચેલા છે. તે સ્વામી! જે કે તમે સ્વયમેવ લેકોપર ઉપકાર કરવાને અર્થે સજ થયા છે, તથાપિ મારી પ્રાર્થના છે કે, મારા જેવા મનુષ્યને પ્રતિબોધ થવાને માટે આપ ત્રિષષ્ટિ શલાકા પુરૂષોના ચરિત્ર પ્રકાશ કરે.” આ પ્રમાણેના શ્રી કુમારપાળ રાજાના આગ્રહથી શ્રી હેમાચાયે ધર્મોપદેશ જેનું એક પ્રધાન ફળ છે એવું આ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર વાણીના વિસ્તારમાં સ્થાપિત કર્યું અર્થાત રચ્યું. જ્યાં સુધી સુર્વણગિરિ (મેરૂ) આ જંબુદ્વીપરૂપ કમળમાં કર્ણિકાનું રૂપ ધારણ કરે, ત્યાં સુધી સમુદ્ર પૃથ્વીની ફરતે ફરી વળેલું રહે અને જ્યાં સુધી સૂર્ય ચંદ્ર આકાશમાર્ગમાં Page #269 -------------------------------------------------------------------------- ________________ ૫૫ પાંચ થઈને ભમ્યા કરે ત્યાં સુધી આ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર મહાકાવ્ય જૈનશાસનરૂપ પૃથ્વી ઉપર જયવતુ વત્તો. ॥ ઇતિ પ્રાપ્તિ સમાપ્ત ॥ આંખને ગામ તેનું ♦ હૃદયનેં અચેતવું . આત્માત સાથે તેનું ઠેલ પ્રકાશન મંદિરનું એક પ્રાણવાન પ્રકાશન સાધનાના તમામ રંગનો ભાતીગળ સંગમ એટલે કે જૈન સમાજનું નવીન પુસ્તક શ્રી જિોદ દર્શન ચોવીશી તથા અનુપૂર્વી આસુંદર પુસ્તિકામાં આપ જાણ ચીંટીણ તીર્થંકર ભડાવાનોની ચમકદાર રંગીન છબીઓ સ્તુતિ સાથે. ૦ શ્રી શત્રુંજય,શિષ્ટતાય,અષ્ટાપદ,નંદીશ્વર,તળાજા,કદંબગિરિ,તારંગા,સાત શિખર, હોળીઘર, પાવાપુરી અને આબુની રંગીન આકૃતિઓ. ૭ શ્રી સિઘ્ધ ચઇ, ડ્રીંકાર, ગૌતમ સ્વામી, વીશ સ્થાઇ યંત્ર, ઘંટાકર્ણ મવીર, માણિભદ્રવીર,પાવતીદેવી,ચક્રેશ્વરીદે,અંબીકા દેંદી,સરસ્વતી દેવી,અને નાકોડા ભૈરવજીના મોહર રંગીન ચિત્ર. ♦ સિધ્ધચક સહાયંત્ર,ઋષિમંડલ યંત્ર, સહસ્ત્ર ફણા પાર્શ્વનાથ, મુનિ સુવ્રત સ્વામી અદ્ભુ કસરિયાન્નાથની ઍક રંગી છબીઓ. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર સમાપ્ત. 31313181213 ♦ અનાનું પૂર્વીના પાંચ પદના અને નવ પદના કોઠાઓ પ્લાસ્ટિક કાર સાથે સન્નાર અલૈંક દંગી ટાઇલ થા થતા ૧૦ હપિયા અપા ખો - જૈન પ્રકાશન મંદિર ૩૦૯/૪,ડોશીવાડાની પોળ,અમદાવાદ-૩૮૦૦૦૧-૦ફીઃ૩૮૩૬૦૬ ALAALLE............ ............................................................... ----------- Page #270 -------------------------------------------------------------------------- ________________ -: અમારા પ્રકાશનો : નામ નામ સામાયિક સૂત્ર સાદી સામાયિક સૂત્ર રંગીન ચિત્ર દેવસીરાઇ સૂત્ર મૂલ પંચ પ્રતિ સૂત્ર મૂલ દેવસીરાઇ સૂત્ર રંગીન સચિત્ર પંચ પ્રતિ સૂત્ર રંગીન સચિત્ર બે પ્રતિ સરળ વિધિ સહિત પંચ પ્રતિ સરળ વિધિ સહિત દેવવંદનમાલા (કથાઓ સહિત) શ્રી જૈન સાયમાલા પંચ પ્રતિ વિધિ સહિત હિન્દી બે પ્રતિ વિધિ સહિત હિન્દી બે પ્રતિ સૂત્ર મૂલ હિન્દી પંચ પ્રતિ સૂત્ર મૂલ હિન્દી નાત્ર પૂજા સ્નાત્રપૂજા રંગીન અનાનુપૂર્વી રંગીન અનાનુપૂર્વી સાદી ભકતામ સૂત્ર લોકેટ ભક્તામ્ર સૂત્ર મોટી કિંમત શ. ૧-૫૦ ૪-૦૦ 4-00 90-00 ૮-૦૦ ૧૭-૨૦ ૮-૦૦ 24-00 ૧૭-૦૦ 24-00 20-00 6-00 ૬-૦૦ ૧૦-૦૦ ૧-૫૦ ૭-૫૦ 10-00 ૫-૦૦ 3-00 ૪-૦૦ લઘુપૂજા સંગ્રહ પૂજા સંગ્રહ ભા. ૧ થી ૭ પૂજા સંગ્રહ ભા. ૧ થી ૧ નવસ્મરણ ૧૪ પેજ નવસ્મરણ કર પેજી નવસ્મરણ ૩ર પેજી(પાકી) સુધારસ સ્તવનાવિલ આપકી પસં(સ્તવનાલિ) ભક્તિ પ્રેરણાસ્તવનાવિલ) પૂજા સંગ્રહ હિન્દી ૧ થી ૭ રત્નાકર પચ્ચીસી બૃહત સંગ્રહણી સાર્થ નિત્ય સ્વાધ્યાય સ્તોત્ર શ્રીપાલ રાજાનો રાસ રંગીન સચિત્ર પર્યુષણ સ્તવનાલિ કલ્પસૂત્ર ખીમશાહી શ્રી જૈન પ્રકાશન મંદિર ૭-૦૦ 30-00 ૪૦-૦૦ 6-00 ૪-૦ ૧૦-૦૦ Y-2 ૫-૦૦ ૧૦-૦૦ 30-00 ૧-૫૦ 20-00 ૧૫-૦૦ જિન ગુણ મંજરી(સ્તવનસંગ્રહ) ૫૦-૦૦ વર્ષ પ્રબોધ 30-00 ચંદ રાજાનો રાસ જીવવિચાર નવતત્ત્વ દંડક સાથે ૩૦૯/૪ ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, અમદાવાદ ૨૦૧ ફોન : (ઓ) ૩૮૩૦૬ (રે.) ૩૩૫૩૩૩ કિંમત અન્ય પ્રાપ્તિ સ્થાન : મુંબઇ, પાલિતાણા, સુરત, મદ્રાસતથા બેંગલોર અને શંખેશ્વરના જૈન સાહિત્યના વિક્રેતાને ત્યાંથી ઉપરના પ્રકાશનો મળશે. 40-00 ૨૦-૦૦ ૫૦-૦૦ 12-00 ૪૦-૦૦ Page #271 -------------------------------------------------------------------------- ________________ T * * f{T * ચક્રવતીનું ચક્ર વાસુદેવનો શખ અને ગદા બળ દેવનું હળ અને મુશન .onal Use Only