SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૮ મ ] કષભદત્ત, જમાળિ ગોશાળાદિ ચરિત્ર [૧૪૧ કરે તે પણ યુક્ત નથી, કારણ કે તેમાં પિટા ભાગે કાર્યાતરનું સાધન રહેલું છે. વળી તમારા જેવા છદ્મસ્થને યુક્ત અયુક્તને પૂર્ણ વિવેક ક્યાંથી હોય? અને તેથી તમારું વચન યુક્તિવાળું કેમ માની શકાય કે જેથી તે ગ્રહણ કરાય? કેવળજ્ઞાનના આલોકથી રૈલોક્યની વસ્તુઓને જાણનારા એવા સર્વજ્ઞ શ્રી વીરપ્રભુનું કથન જ અમારે પ્રમાણ છે. તેની પાસે તમારી યુક્તિ બધી મિથ્યા છે. હે જમાળિ! તમે જે કહ્યું કે, “મહાન પુરૂષને પણ ખુલના થાય છે તે તમારું વચન મત્ત, પ્રમત્ત અને ઉન્મત્તના જેવું છે. “જે કરાતું હોય તેને કરેલું કહેવું છે એવું સર્વજ્ઞનું ભાષિત બરાબર જ છે, નહીં તે તેમના વચનથી તમે રાજ્ય છોડીને શા માટે દીક્ષા લીધી? એ મહાત્માના નિર્દોષ વચનને દૂષિત કરતાં તમે કેમ લાજતા નથી? અને આવા સ્વકૃત કર્મથી તમે શા માટે ભવસાગરમાં નિમગ્ન થાઓ છે ? તેથી તમે શ્રી વીર પ્રભુ પાસે જઈ આ બાબતનું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે, તમારું તપ અને જન્મ નિરર્થક કરો નહીં. જે પ્રાણ આરિહંતના એક અક્ષર ઉપર પણ શ્રદ્ધા રાખે નહીં, તે પ્રાણ મિથ્યાત્વને પામીને ભવપરંપરામાં રખડે છે.” આ પ્રમાણે સ્થવિર મુનિઓએ જમાળિને ઘણી રીતે સમજાવ્યું તથાપિ તેણે પિતાને કુમત છેડો નહીં, માત્ર મૌન ધરીને રહ્યો. એટલે તે કુમતધારી જમાળિને છોડીને કેટલાક સ્થવિર મુનિ તો તરત જ પ્રભુ પાસે ચાલ્યા ગયા અને કેટલાક તેની પાસે રહ્યા. પ્રિયદર્શનાએ પરિવાર સહિત સ્ત્રી જાતિને સુલભ એવા મેહ (અજ્ઞાન)થી અને પૂર્વના નેહથી જમાળિના પક્ષને સ્વીકાર્યો. અનુક્રમે જમાળિ ઉન્મત્ત થઈ બીજા માણસોને પણ પિતાને મત ગ્રહણ કરાવવા લાગે અને તે પછી તે કુમતને ફેલાવવા લાગ્યા. જિનેન્દ્રના વચનને હસી કાઢતો અને સર્વજ્ઞ છું ” એમ કહેતે જમાળિ પરિવાર સહિત વિહાર કરવા લાગ્યા. એકદા તે મન્મત્ત જમાળિમુનિ શ્રી વિરપ્રભુને ચંપાનગરીના પૂર્વભદ્ર નામના વનમાં સમવસરેલા જાણી ત્યાં ગયા અને બોલ્યો કે-“હે ભગવન્! તમારા ઘણું શિખ્યો છદ્મસ્થ. પણામાં જ કેવલજ્ઞાન ઉત્પન્ન થયા વગર મૃત્યુ પામી ગયા, પણ હું તે નથી. મને તે કેવળજ્ઞાન અને કેવળદર્શન અક્ષયપણે ઉત્પન્ન થયા છે, તેથી આ પૃથ્વી પર હું પણ સર્વજ્ઞ અને સર્વદશી* અહંત છું.” તેના આવા મિથ્યા વચને સાંભળીને ગૌતમસ્વામી બોલી ઉઠયા કે, “અરે જમાળિ! જે તું જ્ઞાનવાનું છે તો કહે કે, આ જીવ અને લેક શાશ્વત છે કે અશાશ્વત છે?” આ પ્રશ્નને પ્રત્યુત્તર આપવાને અસમર્થ એવો જમાળિ કાગડાના બચ્ચાંની જેમ મુખ પ્રસારી શૂન્ય થઈ ગયો. પછી ભગવંત શ્રી વિરપ્રભુ બોલ્યા કે-“જમાળિ ! આ લોક તત્ત્વથી શાશ્વત અને અશાશ્વત છે, તેની જેમ જીવ પણ શાશ્વત અને અશાશ્વત છે. આ લોક ૧ આ વિષયમાં ઉંડું તત્વજ્ઞાન સમાયેલું છે. બહુ વિચાર કર્યા વગર વિષય ગ્રાહ્ય થઈ શકશે નહિ. કોઈ ગીતાર્થ પાસે આ વિષય વિચાર ઉચિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy