SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ મું પ્રભુ અનુક્રમે પાતનપુરે પધાર્યા. ત્યાં નગરની બહાર મનોરમ નામના ઉદ્યાનમાં સમવસર્યા. પેાતનપતિ પ્રસન્નચંદ્ર રાજા તત્કાળ પ્રભુને વાંઢવા આવ્યા; અને માહુને નાશ કરનારી પ્રભુની દેશના તેણે સાંભળી. પ્રભુની દેશનાથી પ્રસનચંદ્ર રાજા સ ́સારથી ઉદ્વેગ પામ્યા અને પેાતાના ખાળકુમારને રાજ્ય પર બેસાડીને તેણે તત્કાળ વ્રત ગ્રહણ કર્યુ.. પ્રભુની સાથે વિહાર કરતાં અને ઉગ્ર તપસ્યા કરતાં તે પ્રસન્નચંદ્ર રાજિષ અનુક્રમે સૂત્રાના પારગામી થયા. અન્યદા પ્રસન્નચંદ્ર અને બીજા મુનિએથી પરવરેલા પ્રભુ રાજગૃહ નગરે પધાર્યા. પ્રભુના દન કરવાને ઉત્કંઠિત એવા શ્રેણિકરાા પુત્રોથી પરિવારિત થઈ હાથી ઘેાડાની શ્રેણીવડે પૃથ્વીને મોંડિત કરતા છતો પ્રભુ પાસે આવવા નીકળ્યા. તેની સેનામાં આગળ ચાલનારા સુસુખ અને દુર્મુખ નામે એ મિથ્યાદૃષ્ટિ સેનાનીઓ હતા, તેઓ પરસ્પર વિવિધ વાર્તા કરતા ચાલ્યા આવતા હતા. માગે આવતાં પ્રસન્નચંદ્ર મુનિ એક પગે ઉભા રહી ઉંચા બાહુ કરીને આતાપના કરતા તેમના જોવામાં આવ્યા. તેને જોઈ તે સુમુખ ખેલ્યા કે,“અહા ! આવી આતાપના કરનાર આ મુનિને સ્વર્ગ કે મેક્ષ જરા પણ દુર્લભ નથી.” તે સાંભળી કથી અને નામથી પણ દુર્મુખ બેલ્વે કે- અરે! આ તેા પાતનનગરના રાજા પ્રસન્નચંદ્ર છે. મેાટા ગાડામાં જેમ નાના વાછડાને જોડે તેમ જેણે પેાતાના ખાળકુમારની ઉપર પેાતાના મોટા રાજ્યના બેજો મૂકયો છે, એ તે શેના ધમી ! આના મંત્રીએ ચંપાનગરીના રાજા દધિવાહનની સાથે મળી જઈને તેના રાજકુમારને રાજ્ય ઉપરથી ભ્રષ્ટ કરશે. આણે તે રાજ્ય ઉપર ઉલટા અધમ કર્યો છે, તેમજ તેની પત્નીએ પણ કાંઈક ચાલી ગઈ છે. તેથી આ પાખડી દર્શનને ધારણ કરનાર પ્રસન્નચંદ્ર આપણે જોવા ચેાગ્ય પશુ આ પ્રમાણે ધ્યાનરૂપી પવત ઉપર વજ્ર જેવુ. તેમનું વચન સાંભળીને રાષિ પ્રસન્નચંદ્ર તત્કાળ આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે− અહા ! મારા અકૃતજ્ઞ મંત્રીઓને ધિકાર છે. મેં તેના આજ સુધી નિરંતર સત્કાર કર્યો છે, તે છતાં તેમણે હમણા મારા પુત્ર સાથે ભેદ કર્યાં. જો આ વખતે હું ત્યાં હાત તો તેઓને બહુ આકરી શિક્ષા કરત. ’’ આવા સંકલ્પ વિકલ્પાથી અપ્રસન્ન થયેલા પ્રસન્નચન્દ્ર રાષિ પાતાના ગ્રહણ કરેલા તને પણ ભૂલી ગયા. પછી પેાતાને રાજા તરિકે માનતા પ્રસન્નચંદ્ર મનમાં તે મંત્રીઓની સાથે યુદ્ધ કરવા પ્રવર્ત્ય, તેવામાં શ્રેણિકરાજા તેમની પાસે આળ્યે, અને તેણે તેમને વિનયપૂર્વક વંદના કરી. પછી ‘ અહા! અત્યારે આ પ્રસન્નચંદ્ર મુનિ પૂર્ણ યાનાવસ્થામાં છે' એવું વિચારી શ્રેણિક રાજા મહાવીર પ્રભુ પાસે આવ્યા, અને પ્રભુને નમીને આ પ્રમાણે પૂછ્યું કે‘હે સ્વામી! મેં પ્રસન્નચંદ્ર મુનિને પૂર્ણ ધ્યાનાવસ્થામાં વાંધા છે. તે સ્થિતિમાં કદાપિ તે મૃત્યુ પામે તેા કઈ ગતિમાં જાય?' પ્રભુ મેલ્યા કે સાતમી નરકે જાય.” તે સાંભળી શ્રેણિક રાજા વિચારમાં પડવા કે, · સાધુને નરકગમન હાય નહીં, તેથી પ્રભુનું કહેવું મારાથી ખરાખર સંભળાયું નહી. હાય, ' ક્ષણવાર રહીને શ્રેણિકે ફરીથી પૂછ્યું કે, હૈ ભગવન્! પ્રસન્નચંદ્ર મુનિ જે આ સમયે કાળ કરે તા કયાં જાય ? ” ભગવંતે કહ્યું કે, નથી. ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy