SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ] શ્રી ત્રિષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર ઈ પ` ૧૦ સુ તે હાંડીને નાંશની ખપાટાથી બાંધી લીધી; પરંતુ તેમાં ચાખા પ્રમાણથી વધારે નાખેલા હાવાથી તે ફુલ્યા એટલે હાંડી ફ્રુટી ગઈ. પછી ગોવાળીઆએ ઠીઓમાં રહેલ ક્ષીરને ખુશી થતા થતા ખાઈ ગયા. ગોશાળાને તેમાંથી કાંઈ પણ મળી નહીં, તેથી તેણે વિશેષે નિયતિવાદ ગ્રહણ કર્યાં. ત્યાંથી વિહાર કરી પ્રભુ બ્રાહ્મણગ્રામમાં ગયા. ગામમાં મુખ્ય બે પાડા હતા. તેના નૐ અને ઉપનંદ નામે એ ભાઈ એ માલિક હતા. છઠ્ઠને પારણે પ્રભુ ન'દના પાડામાં ગોચરી કરવા ગયા. નદે પ્રભુને દહીં` સહિત ક્રૂર (કરા) વહેારાવ્યા. ગાશાળા ઉપનંદના પાડામાં તેનું ઘર માટુ' જોઈ આદરથી ભિક્ષા માટે ગયા. ઉપનંદની આજ્ઞાથી એક દાસીએ તેને વાસી ચેાખા આપ્યા. તે નહિ ગમવાથી દુષ્ટ બુદ્ધિવાળા તેણે ઉપન ંદને તિરસ્કાર કર્યાં. ઉપનંદ દાસી પ્રત્યે ખેલ્યા કે ‘જો તે અન્ન ન લેતા હૈાય તે તેના માથાપર નાખી હૈ.' દાસીએ પણુ તેમજ કર્યું; એટલે ગાશાળે કાપ કરીને કહ્યું કે જે મારા ગુરૂનુ તપતેજ હાય તા આ ઉપનંદનું ઘર ખળી ભસ્મ થાઓ.' પ્રભુનું નામ લઈને આપેલા શાપ પણ નિષ્ફળ ન થવા જોઈએ' એમ વિચારી નજીકમાં રહેલા તરાએ ઉપન’દનુ ઘર ઘાસના પુજની જેમ બાળી નાંખ્યું. ત્યાંથી વિહાર કરીને પ્રભુ ચંપાનગરીએ પધાર્યા. ત્યાં બે બે માસક્ષપણુ કરવાની પ્રતિજ્ઞા લઈને ત્રીજું ચામાસુ` રહ્યા. સમ્યક સમાધિને ધારણ કરતા પ્રભુ ઉત્કટિક વિગેરે આસનાવડે કાયાત્સગ કરતા મુક્તની જેમ ત્યાં રહ્યા. નગરીની બહાર ખીજા એ માસક્ષપણનું પારણું કરી ગોશાળા સહિત પ્રભુ કલ્લાક નામના ગામે આવ્યા. ત્યાં રાત્રે એક શૂન્યગૃહમાં પ્રતિમ ધારણ કરીને રહ્યા. ગોશાળા વાનરની જેમ ચપળતા કરતા કરતા તેના દ્વાર આગળ બેઠા. * તે ગામના સ્વામીને સિહ નામે એક પુત્ર હતો. તે અભિનવ યૌવનવાળા હાવાર્થી વિદ્યુતિ નામની તેની દાસીની સાથે રતિક્રીડા કરવાની ઇચ્છાએ તે શૂન્યગૃહમાં પેઠા. તેણે ઉંચે સ્વરે કહ્યું કે, આ ગૃહમાં જે કાઈ સાધુ, બ્રાહ્મણુ કે મુસાફર હોય તે ખેલો કે જેથી અમે અહિંથી ખીજે સ્થાને જઈએ.’ પ્રભુ તો કાયાત્સગ માં રહેલા હતા, તેથી તે તે મૌન રહ્યા; પરંતુ ગેાશાળા આ વચન સાંભળ્યા છતાં પણ કપટથી એલ્યા નહીં. જ્યારે કાઈના પ્રત્યુત્તર મળ્યા નહી. ત્યારે તે સિંહૈ દાસીની સાથે ઘણીવાર સુધી ત્યાં ક્રીડા કરી. પછી તે ઘરમાંથી નીકળવા ગયા એટલે પ્રકૃતિથી ચપળ અને દુમતિ એવા ગાશાળા જે દ્વાર પાસે બેઠા હતો તેણે ત્યાંથી નીકળતી વિદ્યુન્મતિ દાસીને કરવડે સ્પર્શી કર્યાં; એટલે તેણીએ રાડ પાડીને કહ્યું કે, સ્વામી! કાઈ પુરૂષે મને સ્પર્શ કર્યો.' તત્કાળ સિંહ પાછા વળી શૈાશાળાને પકડીને મેલ્યું. કે- અરે કપટી! તે છાના રહીને અમારી અનાચાર જોયા. તે વખતે મે' ખેલાયે। તો પણ ઉત્તર આપ્યા નહીં.' આ પ્રમાણે કહીને તેને ઘણું કુટીને સિંહ પેાતાને સ્થાનકે ગયા. પછી ગાથાળે પ્રભુને કહ્યું કે, હે સ્વામી! તમારા ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy