SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૩ ] શ્રી મહાવીર પ્રભુને પ્રથમના છ વર્ષને વિહાર [ ૨૯ સત્ય બોલનારા છે, એમ ચિંતવી તેણે પ્રભુને કહ્યું “હે તાત! તમે આ ઝૂંપડાની રક્ષા કેમ ન કરી? તમારા પિતાએ માવજીવ સર્વ આશ્રમોની રક્ષા કરી છે. દુટોને શિક્ષા કરવી, એ તમારું યોગ્ય વ્રત છે. વળી પક્ષીઓ પણ પોતાના માળાનું આત્માની જેમ રક્ષણ કરે છે તો તમે વિવેકી થઈને આશ્રમની કેમ ઉપેક્ષા કરી?” આ પ્રમાણે પિતાના વિવેકને રોગ્ય એવી શિક્ષા આપી એ વૃદ્ધ તાપસ સિદ્ધાર્થની મિત્રતા સંભારતો પુનઃ પોતાના આશ્રમમાં ગયે. પ્રભુએ વિચાર્યું કે, “મારે નિમિત્તે આ સર્વને અપ્રીતિ થશે, તેથી સર્વનું હિતનું ઇરછનારા એવા માટે અહિં રહેવું ગ્ય નથી.” આ પ્રમાણે ચિંતવતા અને અધિક વૈરાગ્યને ધારણ કરતા દયાનિધિ પ્રભુએ તે વખતે આ પ્રમાણે પાંચ અભિગ્રહ ધારણ કર્યા. ૧ કદિ પણ જ્યાં અપ્રીતિ થાય તેને ઘરે વસવું નહીં. ૨ જ્યાં રહેવું ત્યાં સદા કાર્યોત્સર્ગ કરીને જ રહેવું. ૩ પ્રાયઃ મૌનજ ધારણ કરવું. ૪ કરપાત્રવડે ભેજન કરવું અને ૫ ગૃહસ્થને વિનય કર નહીં, આ પ્રમાણે પાંચ અભિગ્રહ લઈને વર્ષાઋતુને અર્ધમાસ વ્યતિત થયા છતાં પણ ત્યાંથી વિહાર કરીને પ્રભુ અસ્થિ નામના ગામમાં આવ્યા. પ્રભુએ ત્યાં વસવાને માટે ગામના લોકોને વિજ્ઞપ્તિ કરી, એટલે ગામના લોકો બોલ્યા કે, “અહીં એક યક્ષ છે, તે કેઈને વસવા દેતો નથી, તે યક્ષની મોટી કથા છે, તે સાંભળેઅહીંઆ પૂર્વે વદ્ધમાન નામે શહેર હતું. અહીં બંને તટમાં કાદવવાળી વેગવતી નામે નદી છે. એક વખતે ધનદેવ નામે કઈ વણિક કરીયાણાના પાંચસો ગાડાં ભરીને અહીં આવ્યો હતો. તેની પાસે એક મટે વૃષભ હતો. તે મોટા વૃષભને આગળ કરીને તેણે બધા ગાડાંઓ એ વિષમ નદી ઉતારી દીધા. અતિ ભાર ખેંચવાથી એ વૃષભ મુખમાંથી રૂધિર વમતો જીર્ણ થયેલા સાત્વિક અશ્વની જેમ પૃથ્વી પર પડી ગયો. પછી તે વણિકે તે ગામના બધા લોકોને એકઠા કરીને તે વૃષભની સાક્ષીએ કહ્યું કે મારા જીવિત જેવા આ વૃષભને અહિં થાપણની જેમ મૂકી જાઉં છું, તેનું તમારે સારી રીતે પાલન પોષણ કરવું. આ પ્રમાણે કહીને તે વૃષભના ઘાસચારાને માટે તે ગ્રામ્યલકોને ઘણું ધન આપ્યું. સ્વામીને એ ધર્મ જ છે.” આ પ્રમાણે એ વણિક ઘાસચારા માટે દ્રવ્ય આપવાવડે તથા તેની પાસે પુષ્કળ ઘાસ પાણી મૂકવાવડે એ વૃષભનું પ્રિય કરી નેત્રમાં અશ્રુ લાવીને અન્યત્ર ચાલ્યો ગયે. તે પાપી ગ્રામ્યલોકોએ ઘાસચારાને માટે ધન લીધું પણ કુવૈદ્ય જેમ દ્રવ્ય લીધાં છતાં રોગીની સંભાળ ન લે તેમ તેઓએ તે વૃષભની ઘાસચારા વિગેરેની સંભાળજ લીધી નહીં. જેનું હૃદય તુટી ગયેલ છે એવા અને ક્ષુધા તૃષાથી પીડિત થયેલા તે વૃષભનાં અંગમાં માત્ર અસ્થિ અને ચર્મ રહ્યા. તેણે વિચાર્યું કે, “અહો! આ ગ્રામજ બધું નિર્દય, પાપીષ્ટ, નિષ્ફર આશયવાળું, બરાબર ચાંડાલ જેવું અને ઘણું ઠગારું છે. તેઓએ કરુણ લાવીને મારી જેવા દીનનું પાલન કરવું તે દૂર રહ્યું પણ મારા સ્વામીએ જે મારા ઘાસચારા માટે ધન આપ્યું હતું, તે પણ આ ગામના લોકો ખાઈ ગયા.” આ પ્રમાણે આ ગામના રહેનારા ઉપર કેધવાળ વૃષભ અકામ નિજર કરી મૃત્યુ પામીને શૂલપાણિ નામે વ્યંતર થયેલ છે. તેણે વિસંગે જ્ઞાનથી પિતાના પૂર્વ જન્મની કથા જાણી અને પોતાનું વૃષભરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy