SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ સું પાસે આવ્યા. પૂર્વના અભ્યાસથી પ્રભુએ તેને મળવાને માટે તેની સામે હાથ પસાર્યાં. કુલપતિએ ત્યાં રહેવાની પ્રાથના કરી, એટલે સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીર એકરાત્રિકી પ્રતિમાએ ત્યાં તે રાત્રિ રહ્યા. પ્રાતઃકાળે વિહાર કરવાની ઈચ્છા કરતા પ્રભુને કુલપતિએ વિજ્ઞપ્તિ કરી કે, આ એકાંત સ્થાનમાં તમે વર્ષાકાળ નિમન કરજો. ' જો કે પ્રભુ વીતરાગ હતા પણ તેના આગ્રહથી તેનુ... વચન સ્વીકારી શ ́ખની જેમ નિરંજનપણે ત્યાંથી ખીજે વિહાર કરવાને ચાલ્યા. વાયુની જેમ પ્રતિબંધ રહિત અને કમલપત્રની જેવા નિલે પ પ્રભુએ સત્ર વિહાર કરતાં ગ્રીષ્મકાળ નિગમન કર્યો. પછી પાતાના પિતાના મિત્ર પેલા કુળપતિને આપેલુ' વચન સંભારી ચાતુર્માસ્ય કરવાને માટે મારાક ગામે પાછા પધાર્યા. વર્ષારૂતુમાં મેઘગર્જના કરી ધારાગૃહની જેમ અખંડ ધારાએ વર્ષવા લાગ્યા, અને હુંસની જેમ મુસાફરી) પોતાતાને સ્થાને જવા લાગ્યા. એ સમયે પૂર્વોક્ત કુલપતિએ પ્રભુની સાથે ભત્રીજાપણાને સ્નેહ સબંધ હૃદયમાં ચિંતવીને તૃણુથી આચ્છાદિત કરેલુ. એક ઘર પ્રભુને રહેવા માટે અર્પણ કર્યું”. તેમાં વડવાઈવાળા વટવૃક્ષની જેમ જાનુપ′′ત લાંખી ભુજાવાળા પ્રભુ મનને નિયંત્રિત કરીને પ્રતિમાધારીપણે રહ્યા. તે વખતે ભયકર ગ્રીષ્મૠતુના માહાત્મ્યથી જેમાં બધા તૃણુ સુકાઈ ગયા છે એવા વનમાં નવીન વર્ષાઋતુથી હજુ નવા તૃણુ ઉગી નીકળ્યા નહાતા તેથી ગામની ગાયેા તાપસેાના ઝુંપડાના તૃણુને ખાવા માટે દોડવા લાગી, એટલે નિર્દય તાપસા યષ્ટિવર્ડ ગાયાને મારવા લાગ્યા. તેઓએ જ્યારે ગાયાને મારીને હાંકી કાઢી ત્યારે તે ગાયા જેમાં પ્રભુ રહેતા હતા, તે ઝુપડીને ખાવા લાગી, “ પ્રભુ સ્તલની જેમ સ્થિર રહેતા હતા તેથી ત્યાં તેમને કાના ભય લાગે?” તે જોઈ તાપસે પ્રભુની ઉપર ક્રોધે ભરાયા છતા અંદર અંદર ખેલવા લાગ્યા કે− જેમ અમે અમારી ઝુંપડીઓનુ રક્ષણ કરીએ છીએ તેમ આ મુનિ તા તેની ઝુ ંપડીનું રક્ષણ કરતા નથી. અહા ! આવા તે આ કુલપતિને અતિથિ કાણુ છે કે જેના જોતા છતાં આ ગાયા તેની ઝુંપડીને ખાઈ જાય છે. અહા! કેવુ' અસ્વાર્થ નિષ્ટપણું છે ? શું કરીએ ! આ અતિથિ કુલપતિને આત્માની જેવા પ્રિય છે, તેના ભયથી અમે કાંઈ પણ કઠોર વચન ખાલી શકતા નથી.' આવુ· ધારી એક વખતે તે તાપસેા પ્રભુની ઉપર મનમાં ઘણુા મત્સર લાવી કુલપતિની પાસે ગયા. અને ઉપાલંભ આપીને આ પ્રમાણે ખેલ્યા કે, ‘· હું કુલપતિ! તમે આપણા આશ્રમમાં આવા તે ક્રાણુ મમતા રહિત મુનિને અતિથિ તરીકે લાવ્યા છે કે જેના અંદર રહેવા છતાં આપણા તે ઝુંપડાના નાશ થઈ ગયા. તે અતિથિ એવા તા અકૃતજ્ઞ, ઉદાસી, દાક્ષિણ્યતા રહિત અને આલસુ છે કે, જે ગાયાથી ખવાઈ જતાં પોતાના આશ્રમનું રક્ષણ કરતા નથી. હું મુનિ ! કર્દિ પેાતાના આત્માને મુનિ માનનાર એ અતિથિ સમતા ધારણ કરીને ગાયાને ઢાંકતા નહી' હાચ તે શુ' ગુરૂદેવનુ અર્ચન કરનારા અમે મુનિએ નથી?” તાપસાના આવાં વચને સાંભળી કુલપતિ પ્રભુની પાસે આવ્યે, અને જોયુ તે પાંખા આવેલા પક્ષીની જેમ તે આશ્રમ આચ્છાદન રહિત જોવામાં આવ્યા. એટલે આ તાપસા ઇર્ષ્યા વગરના અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy