SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૨] . શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પ ૧૦ મુ’ અટવીમાં ફરી શકે તેમ નથી.' તેઓ ખેલ્યા- અમે પૂર્વે અમારા સ્થાનથી સાથેની સાથે ચાલ્યા હતા પણ માર્ગમાં કાઈ ગામમાં ભિક્ષા લેવાને પેઠા, તેવામાં સાથ ચાલ્યા ગયા; અમને શિક્ષા કઈ મળી નહીં, તેથી અમે તે સાથેની પછવાડે પછવાડે ચાલ્યા પણ તે સાથે તા મળ્યા નહી અને આ અટવીમાં આવી ચડયા.’ નયસાર માલ્યા− અહા ! એ સાથ કવા નિર્દય ! કેવા પાપથી પણુ અભીરૂ ! કેવા વિશ્વાસઘાતી! કે તેની આશાએ સાધુએ સાથે ચાલેલા તેમને લીધા વગર તે પેાતાના સ્વામાંજ નિષ્ઠુર બનીને ચાલ્યેા ગયા; પરંતુ આ વનમાં મારા પુણ્યથી તમે અતિથિરૂપે પધાર્યાં તે બહુ ઠીક થયું.' આ પ્રમાણે કહીને નયસાર તે મહામુનિઓને જ્યાં પેાતાનું લેાજનસ્થાન હતું ત્યાં લઈ ગયા. પછી પેાતાને માટે તૈયાર કરી લાવેલા અન્નપાનથી તેણે તે મુનિઓને પ્રતિલાભિત કર્યો. એટલે મુનિએએ ત્યાંથી ખીચે જઈને વિધિવડે તેના આહાર કર્યાં. ભાજન કરીને નયસાર મુનિએની પાસે આવ્યા. પ્રણામ કરી કહ્યું કે, ‘હે ભગવંત ! ચાલા હું તમને નગરના માર્ગ ખતાવું. ’ પછી તેઓ તેની સાથે ચાલ્યા અને નગરીને માગે આવ્યા; એટલે એક વૃક્ષની નીચે બેસીને તેઓએ નયસારને ધમ સભળાવ્યા. તે સાંભળીને આત્માને ધન્ય માનતા નયસારે તેજ વખતે સમકિત પ્રાપ્ત કર્યું, પછી તેમને વાંદીને તે પાછા વળ્યા અને બધા કાટા રાજાને માકલાવીને પાતે પાતાના ગામમાં આવ્યેા. * પછી મેાટા મનવાળે! નયસાર સદા ધર્મના અભ્યાસ કરતા, સાત તત્ત્વને ચિતવતા અને સમિતને પાળતા કાળ નિગમન કરવા લાગ્યા. એ પ્રમાણે આરાધના કરતા નયસાર અંત સમયે પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મૃત્યુ પામી સૌધર્મ દેવલાકમાં પલ્યાપમના આયુષ્યવાળા દેવતા થયા. આ ભરતક્ષેત્રમાં વિનીતા નામે શ્રેષ્ઠ નગરી છે. જે નગરીને યુગાદિ પ્રભુને માટે દેવતાઓએ પૂર્વે વસાવેલી હતી. તેમાં શ્રી ઋષભસ્વામીના પુત્ર ભરત, નવ નિધિ અને ચોઢ રત્નના સ્વામી ચક્રવતી થયા હતા. તેને ઘેર આ ગ્રામચિતક નયસારના જીવ પુત્રપણે અવતર્યાં. તે આસપાસ મરિચિ (કિરણા )ને ફેલાવતા હતા તેથી તેનુ* મિરિચ એવું નામ પાડયું હતું. એક વખતે શ્રી ઋષભસ્વામીના પ્રથમ સમવસરણમાં પિતા અને ભ્રાતાની સાથે તે રિચિ પણ ગયા. ત્યાં દેવતાઓએ કરેલે પ્રભુના મહિમા ોઈ ને અને ધમ સાંભળીને સમકિત પ્રાપ્ત થતાં તેણે તત્કાળ ચારિત્ર ગ્રહણ કર્યું. સારી રીતે યતિધમ ને જાણીને પેાતાના શરીરમાં પણ નિઃસ્પૃહ થયેલા ત્રિશુપ્તિ તથા પંચ સમિતિને ધરતા અને કથાયને વજ્રતા એ મહાત્રતી રિચિ મુનિ સ્થવિર સાધુએની પાસે એકાદશ અંગને ભણુતા શ્રી ઋષભપ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા. એ પ્રમાણે ઘણા કાળ અતિ દારૂણ સૂર્યના કિરા Jain Education International પર્યંત વ્હાર કરતાં અન્યદા ગ્રીષ્મૠતુ આવી. તે સમયે પડવાથી તપેલી પૃથ્વીની રજ વટેમાર્ગુના ચરણુના નખને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy