SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું રહેલા જોયા. દાસીઓ પાસેથી એ ખબર સાંભળી પ્રિયંગુ રાણી કપ પામી રીસાઈને બેસવાના ઘરમાં જઈને બેઠી. રાજાએ રાણીની ઈચ્છા પૂર્ણ કરવા માટે યાત્રાની ભેરી વગડાવી; અને કપટવડે સભામાં કહ્યું કે “આપણે પુરૂષસિંહ નામને સામંત ઉદ્ધત થઈ ગયો છે, માટે તેને વિજય કરવાને હું જઈશ.” તે ખબર સાંભળી સરલ સ્વભાવી વિશ્વભૂતિ વનમાંથી રાજસભામાં આવ્યો અને ભક્તિ વડે રાજાને નિવારી પોતે લશ્કર સાથે પ્રયાણ કર્યું. તે પુરૂષસિંહ સામંતની પાસે ગયા, ત્યાં તેને આજ્ઞાવંત જોઈ પોને પાછા વળે. માર્ગમાં પુપકરંડેક વન પાસે આવ્યા ત્યાં દ્વારપાળે જણાવ્યું કે, અંદર વિશાખનંદી કુમાર છે, તે સાંભળી તે ચિંતવવા લાગ્યું કે “મને કપટવડે પુષ્પકરંડક વનમાંથી કાઢો. પછી તેણે ક્રોધ પામી મુષ્ટિવડે એક કઠાના વૃક્ષ પર પ્રહાર કર્યો. જેથી તેના સર્વ ફળો તૂટી પડવાથી પૃથ્વી બધી આચ્છાદિત થઈ ગઈ તે બતાવીને વિશ્વભૂતિ દ્વારપાળ પ્રત્યે બે કે-જે વડિલ પિતાશ્રી ઉપર મારી ભક્તિ ન હોત તે હું આ કોઠાનાં ફળની જેમ તમારા સર્વના મસ્તકે ભૂમિપર પાડી નાંખત, પણ તેમના પરની ભક્તિથી હું એમ કરી શકતો નથી. પરંતુ આ વંચાયુક્ત ભેગની મારે જરૂર જ નથી. એમ બોલતે તે સંભૂતિ મુનિની પાસે ગયે. અને ચારિત્ર ગ્રહણ કર્યું. તેને દીક્ષિત થયેલે સાંભળી વિશ્વનંદી રાજા અનુજબંધુ સહિત ત્યાં આવ્યા, અને તેને નમી નમાવીને રાજ્ય લેવાને માટે પ્રાર્થના કરી, પરંતુ વિશ્વભૂતિને રાજ્યની ઈચ્છા વગરનો જાણી રાજા પિતાને ઘેર ગયા. અને વિશ્વભૂત મુનિએ ગુરૂની સાથે બીજે વિહાર કર્યો. તપસ્યાથી અતિ કૃશ થયેલા અને ગુરૂની આજ્ઞાવડે એકાકી વિહાર કરતા વિશ્વભૂતિ મુનિ અન્યદા મથુરાપુરીએ આવ્યા. તે વખતે ત્યાંના રાજાની પુત્રીને પરણવાને માટે વિશાખનંદી રાજપુત્ર પણ મથુરામાં આવ્યો હતો. વિશ્વભૂતિ મુનિ માસખમણને અંતે પારણું કરવા માટે નગરીમાં વહેરવા પિઠા. જ્યાં વિશાખનંદીની છાવણી હતી તેની નજીક આવ્યા એટલે તેના માણસોએ “આ વિશ્વભૂતિ કુમાર જાય” એમ કહી વિશાખનંદીને ઓળખાવ્યા. શત્રુની જેમ તેને જોતાં જ વિશાખનંદીને કેપ ચડ્યો. તેવામાં વિશ્વભૂતિ મુનિ કેઈક ગાયની સાથે અથડાવાથી પૃથ્વી પર પડી ગયા. તે જોઈને “કાઠાંના ફળોને પાડવાનું તારૂં બળ ક્યાં ગયું ?” એમ કહી વિશાખનંદી હસ્યો. તે સાંભળી વિશ્વભૂતિએ કોલવડે તે ગાયને શીંગડાવતી પકડીને આકાશમાં ભમાવી. પછી એવું નિયાણું કર્યું કે, “આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી હું ભવાંતરે ઘણું પરાક્રમવાળે થઈ આ વિશાખનંદીના મૃત્યુને માટે થાઉં.” પછી કેટી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પૂર્વ પાપની આલોચના કર્યા વગર મૃત્યુ પામીને તે વિશ્વભૂતિ મહાશુક દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવતા થયે. આ ભરતક્ષેત્રમાં પોતાનપુર નામના નગરમાં રિપુ પ્રતિશત્રુ નામે એક પરાક્રમી રાજા હતા. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. તેને ચાર સ્વપ્નોથી સૂચિત થયેલ અચલ નામે એક બલભદ્ર પુત્ર થયે, અને મૃગાવતી નામે મુગલોચના પુત્રી થઈ. એક વખતે યૌવનવતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy