SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૪ થો] શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષનો વિહાર નગરીએ ગયા, ત્યાં પ્રભુએ દીક્ષા લીધા પછીનું અગ્યારમું ચોમાસું કર્યું. ત્યાં સમર નામના ઉદ્યાનમાં બળદેવના મંદિરની અંદર પ્રભુ ચાર માસક્ષપણુ અંગીકાર કરી પ્રતિમાએ રહ્યા. ત્યાં ભૂતાનંદ નામે નાગકુમારના ઇંદ્ર આવીને પ્રભુને વંદના કરી અને પ્રભુને કેવળજ્ઞાન નજીકમાં થવાનું જણાવી સ્વસ્થાને ગયે. વિશાળાપુરીમાં જિનદત્ત નામે એક પરમ શ્રાવક રહેતો હતો. તે દયાળુ હતો અને વૈભવના ક્ષયથી “જીર્ણશ્રેષ્ટિ એવા નામથી પ્રખ્યાત થયો હતો. અન્યદા તે ઉદ્યાનમાં ગયે હતો, ત્યાં બળદેવના મંદિરમાં તેણે પ્રતિમાએ રહેલા પ્રભુને જોયા. તે વખતે આ છઘસ્થપણે રહેલા ચરમ તીર્થકર છે” એવા નિશ્ચયથી તેણે ભક્તિ સાથે પ્રભુને વંદના કરી. પછી પોતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યો કે- આ પ્રભુ આજે ઉપવાસ કરી પ્રતિમા ધરી રહ્યા જણાય છે, તે જે આવતી કાલે મારે ઘેર પારણું કરે તો ઘણું સારું થાય.” આવી આશા ધરીને તેણે ચાર માસ સુધી હમેશાં પ્રભુની સેવા કરી, છેલ્લે દિવસે પ્રભુને આમંત્રણ કરીને તે પિતાને ઘેર ગયો, અને પિતાને નિમિત્તે શ્રેષ્ઠ મનવાળા તેણે પ્રથમથી મેળવેલા પ્રાસુક અને એષણય ભેજન તૈયાર કરી રાખ્યા. પછી તે જિનદત્ત શ્રેષ્ટિ પ્રભુના માર્ગ તરફ દષ્ટિ રાખી આંગણામાં ઊભા રહીને ચિંતવવા લાગ્યો કે, “આ ભેજન હું પ્રભુને પહેરાવીશ. હું કે ધન્ય કે જેને ઘેર અહંતપ્રભુ પિતાની મેળે આવશે અને સંસારસાગરથી તારનારું પારણું કરશે. જ્યારે પ્રભુ આવશે ત્યારે હું તેમની સન્મુખ જઈશ અને ત્રણ પ્રદક્ષિણા કરી તેમના ચરણકમળમાં વંદના કરીશ. અહો ! આ મારો જન્મ હવે પુનર્જન્મને માટે નહીં થાય; કેમકે પ્રભુનું દર્શન પણ મોક્ષને માટે થાય છે તો પારણની તો વાત જ શી કરવી ?” આ પ્રમાણે જીર્ણશ્રેષ્ટિ ચિંતવન કરતા હતા તેવામાં તો પ્રભુ ત્યાંના નવીન શેઠને ઘેર પધાર્યા. તે નવીન શેઠ મિયાદષ્ટિ હતો, તેથી લક્ષમીના મદથી ઉંચી ગ્રીવા રાખીને તેણે દાસીને આજ્ઞા કરી કે, “ભદ્રે ! આ ભિક્ષુકને ભિક્ષા આપીને સત્વર વિદાય કર.” તે હાથમાં કાષ્ટનું ભજન લઈ તેમાં કુમાષ ધાન્યને લઈને આવી, અને પ્રભુએ પ્રસારેલા કરપાત્રમાં તે વહરાવ્યા. તત્કાળ દેવતાઓએ આકાશમાં દુંદુભિને નાદ કર્યો, ચેલક્ષેપ કર્યો, વસુધારા કરી તથા પુષ્પની અને સુગંધી જળની વૃષ્ટિ કરી. લોકે ભેળા થઈને તે અભિનવ શ્રેષ્ટિને પૂછવા લાગ્યા, એટલે તેણે કહ્યું કે-“પિતે પ્રભુને પાયસન્નવડે પારણું કરાવ્યું.” “અહો દાન, અહે દાન, એ દેવતાનો વનિ સાંભળી લોકો અને રાજા તે નવીન એષ્ટિની વારંવાર સ્તુતિ કરવા લાગ્યા. અહિં જીર્ણશ્રેષ્ટિ તે પ્રભુના આગમન સંબંધી વિચાર કરતો તેમ જ ઊભો હતો, તેવામાં દેવતાઓના દુંદુભિને વનિ સાંભળીને તે આ પ્રમાણે ચિંતવવા ૧. અડદના બાકુળા. ૨. વસ્ત્રની વૃષ્ટિ. ૩. દ્રવ્યની વૃષ્ટિ. D - 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy