SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સગ પ મ ] મહાવીર સ્વામીને કેવલજ્ઞાન અને સંઘની સ્થાપના . (૩ હું દેષયુક્ત છું, તે છતાં તમે આજે મને સારી રીતે પ્રતિબધ આપે છે તે હવે સંસારથી વિરક્ત થયેલા એવા મને દીક્ષા આપીને અનુગ્રહિત કરે.' જગદ્ગુરૂ વિરપ્રભુએ તેને પિતાના પહેલા ગણધર થશે, એવું જાણીને પાંચસો શિષ્યો સાથે પોતેજ દીક્ષા આપી. તે સમયે કુબેરે ચારિત્રયમના ઉપકરણે લાવી આપ્યા. નિઃસંગ છતાં તેને ગ્રહણ કરતાં ગૌતમે વિચાર્યું કે, “નિરવ વ્રતની રક્ષા કરવામાં આ વાપાત્રાદિક ઉપયોગમાં આવે છે તેથી તે ગ્રહણ કરવા એગ્ય છે, કારણ કે તે ધર્મના ઉપકરણો છે. તે વગર છ પ્રકારના જવનિકાયની યતના કરવામાં તત્પર એવા છઘસ્થ મુનિએથી સારી રીતે જીવદયા શી રીતે પાળી શકાય? તેથી ઉદ્ગમ ઉત્પાદાદિક એષણવડે ગુણવાનું અને શુદ્ધ ઉપગરણે વિવેકી પુરૂષેએ અહિંસાને માટે ગ્રહણ કરવા જોઈએ. જ્ઞાન, દર્શન અને ચારિત્રને આચરવાની શક્તિવાળા પુરૂષ આદિ અંત અને મધ્યમાં મૂઢપણે સમયમાં કહેલા અથવા અવસર ઉચિત અર્થને સાધી લેવો. જ્ઞાન દર્શનથી રહિત એ જ અભિમાની પુરૂષ, આવા ઉપકરણમાં પરિગ્રહની શંકા કરે તેનેજ હિંસક જાણ. જે ધર્મના ઉપકરણમાં પરિગ્રહની બુદ્ધિ ધારણ કરે, તે તત્વને નહિ જાણનાર મૂર્ખને જ રાજી કરવાને ઈરછે છે. પૃથ્વીકાય, અપૂકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય વિગેરે ઘણું જીવોની ધર્મના ઉપકરણ વિના શી રીતે રક્ષા થાય? ઉપકરણે ગ્રહણ કર્યા છતાં પણ જે તે પોતાના આત્માને મન વચન કાયાથી દૂષિત અને અસંતોષી રાખે તો તે કેવળ પોતાના આત્માને છેતરે છે.” આ પ્રમાણે વિચાર કરીને ઇંદ્રભૂતિએ પાંચસો શિષ્યની સાથે દેવતાઓએ અર્પણ કરેલા ધર્મના ઉપકરણે ગ્રહણ કર્યા. - ઇન્દ્રભૂતિને દીક્ષિત થયેલા સાંભળીને અગ્નિભૂતિએ વિચાર્યું કે, “તે ઇંદ્રજાળિકે જરૂર ઈંદ્રભૂતિને છેતરી લીધા જણાય છે, માટે હું ત્યાં જઈ સર્વજ્ઞ નહિ છતાં પિતાને સર્વજ્ઞ માનનારા તે ધુતારાને જીતી લઉં અને માયાથી પરાજય કરેલા મારા ભાઈને પાછા લઈ આવું. સર્વ શાસના રહસ્યને જાણનાર અને મોટી બુદ્ધિવાળા ઈંદ્રભૂતિને માયા વગર છતવાને કોણ સમર્થ છે? કારણ કે માયા રહિત પુરૂષમાં માયા વિજય મેળવે છે, પરંતુ જે એ માયાવી મારા હૃદયને સંશય જાણીને તેને છેદી નાખે તે હું પણ ઈંદ્રભૂતિની જેમ શિષ્યો સહિત તેને શિષ્ય થાઉં.” આવું વિચારી અગ્નિભૂતિ પાંચસો શિષ્યો સહિત સમવસરણમાં ગયો અને જિનેશ્વરની પાસે બેઠો. તેને જોતાંજ પ્રભુ બેલ્યા કે –“હે ગૌતમ ગોત્રી અમિભૂતિ ! તારા હદયમાં એ સંશય છે કે, કમ છે કે નહિ? અને જે કમ હોય તે તે પ્રત્યક્ષાદિ પ્રમાણને અગમ્ય છતાં મૂર્તિમાન છે, એવા કર્મને અમૂત્તિમાન જીવ શી રીતે બાંધી શકે? અમૂત્તિમાન જીવને મૂત્તિવાળા કમથી ઉપઘાત અને અનુગ્રહ શી ૧ આહારાદિ કંઈ પણ વસ્તુ ગ્રહણ કરવા માટે મુનિરાજને ૪૨ દેષ રહિત લેવાનું કહેલું છે. તેના ઉદ્દગમ ઉપાદાદિ જુદા જુદા ભેદે છે. ૨ સમય-સિહાંત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy