SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પ ૧૦ મું થયું હતું. રાજગૃહ નગરમાં બેલ નામના બ્રાહ્મણને અતિભદ્રા નામની જીથી પ્રભાસ નામે પુત્ર થયે હતો. તે અગ્યારે વિપ્રકુમાર ચાર વેદરૂપી સાગરના પારગામી થયા હતા અને ગૌતમાદિક ઉપાધ્યાય થઈને જુદા જુદા સેંકડો શિષ્યોથી પરવરેલા રહેતા હતા. અપાપા નગરીમાં સોમિલ નામના એક ધનાઢ્ય બ્રાહ્મણે યજ્ઞકર્મમાં વિચક્ષણ એવા તે અગ્યારે દ્વિજોને યજ્ઞ કરવાને બોલાવ્યા હતા. તે સમયે ત્યાં સમવસરેલા શ્રી વીરપ્રભુન વાંદવાની ઈચ્છાથી આવતા દેવતાઓને જોઈ ગૌતમે બીજા બ્રાહ્મણને કહ્યું, “આ યજ્ઞ પ્રભાવ તે જુઓ ! આપણે મંત્રથી બોલાવેલા આ દેવતાઓ પ્રત્યક્ષ થઈને અહિં યજ્ઞમાં આવે છે. તે વખતે ચંડાળના ગૃહની જેમ યજ્ઞને વાડો છેડીને દેવતાઓને સમવસરણમાં જતાં જોઈ લેકો કહેવા લાગ્યા-“હે નગરજનો! અતિશય સહિત સર્વજ્ઞા પ્રભુ ઉદ્યાનમાં સમવસર્યા છે, તેમને વાંદવાને માટે આ દેવતાઓ હર્ષથી જાય છે.' સર્વજ્ઞ” એવા અક્ષરે સાંભળતાં જ જાણે કોઈ એ આદેશ કર્યો હોય તેમ ઇંદ્રભૂતિ કેપ કરી પોતાના સ્વજન પ્રત્યે બે-“અરે! ધિક્કાર ! ધિક્કાર ! મરૂ દેશના માણસ જેમ આંબાને છેડી કેરડા પાસે જાય તેમ આ લોકો મને છોડીને એ પાખંડીની પાસે જાય છે. શું મારી આગળ કોઈ બીજે સર્વજ્ઞ છે? સિંહની આગળ બીજે કઈ પરાક્રમી હોયજ નહી. કદિ મનુષ્યો તો મૂર્ખ હોવાથી તેની પાસે જાય, તો ભલે જાઓ, પણ આ દેવતાઓ કેમ જાય છે ? તેથી તે પાખંડીને દંભ કોઈ મહાન લાગે છે, પરંતુ જે એ સર્વજ્ઞ હશે તેવાજ આ દેવતાઓ પણ જણાય છે, કેમકે જે યક્ષ હેય તેજ અલિ અપાય છે. હવે આ દેવે અને માનવોના દેખતાં હું તેના સર્વજ્ઞપણાનો ગર્વ હરી લઉં.' આ પ્રમાણે અહંકારથી બોલતે ગૌતમ પાંચસે શિષ્યાથી પરવાર્યો છે જ્યાં શ્રી વીરપ્રભુ સુરનરોથી વીંટાઈને બેઠા હતા ત્યાં સમવસરણમાં આવ્યો. પ્રભુની સમૃદ્ધિ અને તાદશ તેજ જઈ “આ શું?” એમ ઇન્દ્રભૂતિ આશ્ચર્ય પામી ગયો. એવામાં તો “હે ગૌતમ! ઇંદ્રભૂતિ ! તમને સ્વાગત છે. આ પ્રમાણે જગદ્ગુરૂએ અમૃત જેવી મધુર વાણીવડે કહ્યું. તે સાંભળી ગૌતમ વિચારમાં પડશે કે, “શું આ મારા ગોત્ર અને નામને પણ જાણે છે? અથવા મારા જેવા જગત્મસિદ્ધ માણસને કણ ન જાણે, પણ જે મારા હૃદયમાં રહેલા સંશયને તે જણાવે અને તેને પિતાની જ્ઞાનસંપત્તિવડે છેદી નાખે તો તે ખરા આશ્ચર્યકારી છે એમ હું માનું.” આ પ્રમાણે હૃદયમાં વિચાર કરતા એવા સંશયધારી ઇંદ્રભૂતિને પ્રભુએ કહ્યું કે, “હે વિપ્રજીવ છે કે નહી? એ તારા હદયમાં સંશય છે, પણ હે ગૌતમ! છવ છે, તે ચિત્ત, ચિતન્ય, વિજ્ઞાન અને સંજ્ઞા વિગેરે લક્ષણેથી જાણી શકાય છે. જે જીવ ન હોય તે પુણ્ય પાપનું પાત્ર કોણ? અને તારે આ યાગ, દાન વિગેરે કરવાનું નિમિત્ત પણ શું?’ આ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળી તેણે મિથ્યાત્વની સાથે સંદેહને છોડી દીધે અને પ્રભુના ચરણમાં નમસ્કાર કરીને બોલ્યો કે, “હે સ્વામી! ઉંચા વૃક્ષનું માપ લેવાને નીચા પુરૂષની જેમ હું દુબુદ્ધિ તમારી પરીક્ષા લેવાને માટે અહિં આવ્યું હતું. હે નાથ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy