SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિષ િશલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ મું રીતે થાય? આ તારા હદયમાં જે સંશય છે, તે વૃથા છે. કારણ કે અતિશય જ્ઞાની પુરૂષોને કર્મ પ્રત્યક્ષ જ જણાય છે અને તારા જેવા છઘસ્થ પુરૂષોને જીવની વિચિત્રતા જેવાથી અનુમાન વડે કમ જણાય છે. કર્મની વિચિત્રતાથી જ પ્રાણીઓને સુખ દુઃખ વિગેરે વિચિત્ર ભાવ પ્રાપ્ત થયા કરે છે, તેથી કમ છે. એ તું નિશ્ચય રાખ. કેટલાક જીવ રાજા થાય છે અને કેટલાક હાથી, અશ્વ અને રથના વાહનપણાને પામે છે. તેમ જ કેટલાક તેની પાસે ઉપાનહ વગર પગે ચાલનારા થાય છે. કોઈક હજારો પ્રાણીના ઉદર ભરનારા મહદ્ધિક પુરૂષો થાય છે અને કેઈ ભિક્ષા માગીને પણ પોતાનું ઉદર ભરી શકતા નથી. દેશ કાળ એક સરખા છતાં એક વ્યાપારીને ઘણો લાભ થાય છે અને બીજાની મૂળ મુંડીને પણ નાશ થાય છે. આવા કાર્યોનું કારણ તે કર્મ છે, કેમકે કારણ વિના કાર્યની વિચિત્રતા થતી નથી. મૂર્તિમાન કર્મને અમૂર્તિમાન જીવની સાથે જે સંગમ છે તે પણ આકાશ અને ઘડાની જેમ બરાબર મળતે છે. વળી વિવિધ જાતિના માંથી અને ઔષધોથી અભૂત્ત એવા જીવને પણ ઉપઘાત અને અનુગ્રહ થાય છે, તે પ્રમાણે કર્મોવડે જીવને ઉપઘાત અને અનુગ્રહ થાય છે તે પણ નિર્દોષ છે. આ પ્રમાણે પ્રભુએ તેના સંશય છેદી નાખે, એટલે અગ્નિભૂતિએ ઈર્ષા છોડી દઈને પાંચસો શિષ્યોની સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. અગ્નિભૂતિએ પણ દીક્ષા લીધી, તે વાત સાંભળી વાયુભૂતિએ વિચાર્યું કે, “જેણે મારા બંને ભાઈઓને જીતી લીધા તે ખરેખરા સર્વજ્ઞ જ હોવા જોઈએ, માટે તે ભગવંતની પાસે જઈ તેમને વંદના કરીને મારું પાપ ધોઈ નાંખું, તેમ જ હું પણ મારો સંશય છેદાવી નાંખું.આ પ્રમાણે વિચાર કરી વાયુભૂતિ પ્રભુની પાસે આવ્યા અને પ્રણામ કરી બેઠે. તેને જોઈને પ્રભુ બોલ્યા કે,–“હે વાયુભૂતિ! તને જીવ અને શરીર વિષે મોટે ભ્રમ છે. પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે ગ્રહણ થતો ન હોવાથી જીવ શરીરથી જુદે લાગતો નથી, તેથી જળમાં પરપોટાની જેમ જીવ શરીરમાંથી જ ઉત્પન્ન થઈને શરીરમાં જ મૂછ પામે છે. આવો તારો આશય છે, પણ તે મિથ્યા છે. કારણ કે સર્વ પ્રાણીઓને એ જીવ દેશથી તો પ્રત્યક્ષ છે, કારણ કે તેના ઇરછા વિગેરે ગુણે પ્રત્યક્ષ હોવાથી જીવ સ્વસંવિદ્ છે; એટલે કે તેને પોતાને જ અનુભવ થાય છે. તે જીવ દેહ અને ઇન્દ્રિયોથી જદે છે અને ઇંદ્રિ જ્યારે નાશ પામે છે ત્યારે પણ તે ઇંદ્રિયોએ પ્રથમ ભોગવેલા અને સંભારે છે.” આવી પ્રભુની વાણીથી પિતાને સંશય દાતાં વાયુભૂતિએ સંસારથી વિમુખ થઈ પાંચ શિષ્યોની સાથે દીક્ષા લીધી. પછી વ્યક્ત સ્પષ્ટતાથી વિચાર્યું કે, “ખરેખર એ સર્વજ્ઞ ભગવાન જ છે કે જેણે ત્રણ વેદની જેમ ઇંદ્રભૂતિ વિગેરે ત્રણેને જીતી લીધા છે. એ ભગવંત મારે સંશય પણ જરૂર છેદી નાખશે, અને પછી હું પણ તેમને શિષ્ય થઈશ.” આ વિચાર કરી વ્યક્ત પ્રભુ પાસે આવ્યો. તેને જોઈ પ્રભુ બોલ્યા- “હે વ્યક્ત ! તારા ચિત્તમાં એવો સંશય છે કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy