SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૪ ] શ્રી મહાવીર પ્રભુનો બીજા છ વર્ષને વિહાર [૭૧ ભિક્ષા માટે ખુશીથી પ્રવેશ કરે અને અદ્દષિત આહાર ગ્રહણ કરે. પૂર્વે જે દૂષિત ભિક્ષા મળતી હતી તે દોષ પણ મારાજ ઉત્પન્ન કરેલા હતા. પ્રભુ બોલ્યા-“હે સંગમદેવ! તું અમારી ચિંતા કરવી છોડી દે, અમે કોઈને આધિન નથી, અમે તે સ્વેચ્છાએ વિહાર કરીએ છીએ.” આ પ્રમાણે કહેતા વીર પ્રભુને પ્રણામ કરી તે અધમ દેવ પશ્ચાત્તાપ કરતે કરતે ઇંદ્રપુરી તરફ ચાલ્યા. આટલે વખત અહિં સૌધર્મ દેવલોકમાં બધા દેવતાઓ આનંદ અને ઉત્સાહ રહિત થઈ ઉઠેગ ધરીને રહ્યા હતા. શક્રઇદ્ર પણ સુંદર વેષ અને અંગરાગ છોડી તથા સંગીતાદિકથી વિમુખ થઈ અતિ દુઃખી બની જઈને મનમાં ચિંતવવા લાગ્યા કે-“અહો ! પ્રભુને થયેલા આ બધા ઉપસર્ગનું નિમિત્ત હું થયો છું; કારણ મેં જ્યારે પ્રભુની પ્રશંસા કરી ત્યારે જ તે દેવ કોપાયમાન થા.” આ પ્રમાણે ચિંતા કરતાં છ માસ વીતી ગયા, એટલે પાપરૂપ પંકથી મલીન, જળ સ્પર્શવાળા દર્પણની જેમ કાંતિના પ્રશ્નાર રહિત, પ્રતિજ્ઞા ભ્રષ્ટ, મંદ ઇદ્રિયોવાળો અને લજજાથી નેત્રકમળને પણ વાંચતો વીંચતો તે સંગમ ઇંદ્રથી અધિષ્ઠિત એવી સુધર્મા સભામાં આવ્યું. સંગમકને જેઈ ઇંદ્ર તેનાથી પરાફમુખ થયા અને ઉંચે સ્વરે બોલ્યા કે, “અહો સર્વ દેવતાઓ ! મારું વચન સાંભળે-આ સંગમક મહા પાપી અને કર્મચંડાળ છે. જે તેનું મુખ જોવામાં આવે તો પણ પાપ લાગે; તેથી એ જેવા ગ્ય પણ નથી. એણે આપણુ સ્વામીને બહુ કદર્થના કરીને મારો માટે અપરાધ કર્યો છે. પણ જે આ સંસારથી ભય પામે નહીં, તે મારાથી કેમ ભય પામે ? હું જાણું છું કે, અહંત પ્રભુ બીજાની સહાયથી તપ કરતા નથી, તેથી એ પાપીને મેં આટલા વખત સુધી શિક્ષા કરી નથી. પણ હવે જે એ અધમ દેવ અહિં રહેશે તો આપણને પણ પાપ લાગશે, તેથી તે દુષ્ટને આ દેવલોકમાંથી કાઢી મૂક યોગ્ય છે.” આ પ્રમાણે કહીને ક્રોધ પામેલા ઇંદ્ર વજીવડે પર્વતની જેમ તે અધમ દેવને ડાબા પગવડે પ્રહાર કર્યો, એટલે વિવિધ આયુધને ધારણ કરનારા ઈદ્રના સુભટો તેને ધક્કો મારીને ત્યાંથી કાઢવા લાગ્યા, દેવતાની સ્ત્રીએ હાથના કરકડી મરડી તેના પર આક્રોશ કરવા લાગી, તેમજ સામાનિક દેવતાઓ તેનું હાસ્ય કરવા લાગ્યા. આ પ્રમાણે તિરસ્કાર પામતે તે અધમ દેવ યાનક નામના વિમાનમાં બેસી બાકી રહેલું એક સાગરોપમનું આયુષ્ય ભેગવવા માટે મેરૂગિરિની ચૂલિકા ઉપર ગયો. પછી તે સંગમકની સ્ત્રીઓએ આવીને ઇંદ્રને વિજ્ઞપ્તિ કરી કે, “હે સ્વામી! જે તમારી આજ્ઞા હોય તો અમે અમારા પતિની પાછળ જઈએ.” દીન વદનવાળી તે સ્ત્રીઓને સંગમકની પાછળ જવાની ઈ આજ્ઞા આપી અને બીજા સર્વ પરિવારને તેની પાછળ જતા અટકાવે. અહિં શ્રી વીર ભગવંત બીજે દિવસે પારણું કરવાને માટે ગોકુળ ગામમાં ગોચરી કરવા નીકળ્યા, ત્યાં એક વૃદ્ધ વલ્સપાલિકા નામની ગોપીએ ભક્તિપૂર્વક પ્રભુને કલ્પે તેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy