SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું વિષમિશ્રિત દહીંની પ્રાપ્તિ થાય તેમ છે, માટે હવે દધિની સ્પૃહા કરશે નહીં.” તે ઉપરથી ઉદાયન મુનિ દહીંને છેડી દેશે, એટલે તેમના શરીરમાં રોગ વૃદ્ધિ પામશે. “રોગ પણ ભૂતની જેમ કાંઈ પણ છળ પામીને વધે છે. રોગ વૃદ્ધિ પામવાથી તેને નિગ્રહ કરવાને માટે ઉદાયન મુનિ પાછા દધિ ગ્રહણ કરશે, પણ દેવતા ત્રણવાર તેમાંથી વિષને દૂર કરી નાખશે. એકવાર તે દેવ પ્રમાદથી વિષને હરી શકશે નહીં, એટલે ઉદાયન મુનિ વિષસહિત દધિને આહાર કરશે. જ્યારે ચૈતન્યને ચારનારા વિષવડે મુનિ પિતાનું અવસાન સમય જાણશે ત્યારે તત્કાળ અનશન ગ્રહણ કરશે. એક માસ પર્યત સમાધિપૂર્વક અનશન પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મૃત્યુ પામીને તે મોક્ષે જશે. ઉદાયન ક્ષે ગયા પછી પેલે દેવ ત્યાં આવશે, તે અવધિજ્ઞાનથી બધું વૃત્તાંત જાણી કાળરાત્રિની જેમ કે પાયમાન થશે, અને તેવા કેપથી તે વીતભયનગરને રજવડે પૂરી દેશે ત્યારપછી પણ નિરંતર ધુળિની વૃષ્ટિ કર્યા કરશે. હે મહાભાગ અભય! તે વખતે કપિલ મુનિએ પ્રતિષ્ઠિત કરેલી પેલી પ્રતિમા નિધિની જેમ પૃથ્વીમાં દટાઈ જશે. ઉદાયન મહામુનિને શય્યાતર કુંભકાર કે જે નિરપરાધી હતો, તેને ધુળી વર્ષાવનાર દેવ ત્યાંથી હરી જઈ સિનપલ્લીમાં લાવી તેના નામથી “કુંભકારકૃત' નામનું એક સ્થાન વસાવી દઈ ત્યાં રાખશે.” આ પ્રમાણે હકીકત સાંભળીને અભયકુમારે પ્રભુને નમીને પૂછયું કે, “હે સ્વામિન ! ઉદાયન મુનિના કુમાર અભીચિની શી ગતિ થશે?' પ્રભુ બોલ્યા-જ્યારે ઉદાયન પિતાના ભાણેજ કેશીને રાજ્ય આપશે ત્યારે પ્રભાવતીને પુત્ર અભીચિ ચિંતવશે કે, “મારા જે રાજ્યાધિકારી અને ભક્તિવાન પુત્ર છતાં પિતાએ કરજ દેવાની જેમ કેશીને રાજ્ય આપ્યું, આ તે મારા પિતાને શે વિવેક? કેમકે કેશી તો બહેનને પુત્ર હોવાથી માત્ર હા હા કહેવાનેજ અધિકારી છે. પણ મારા પિતા સ્વતંત્ર છે, તેથી તે જે કરવાને ઈછે તે ભલે કરે. પણ હું કેશીની સેવા શા માટે કરૂં? કેમકે હું તો રાજપુત્ર છું.” આ પ્રમાણે ચિંતવી પિતાથી પરાભવ પામેલે અભીચિ કૃણિકની પાસે જશે. “અભિમાની પુરૂને પરાભવ થવાથી વિદેશ જવું તેજ સારૂં છે.” કૂણિક અભીચિની માશીને પુત્ર થતો હતો, તેથી અભીચિને આવે જઈ તે સન્માન આપશે, એટલે ત્યાં સુખે રહેશે. સાધુઓને ઉપાસક અને જીવ અજીવ વિગેરે તને જાણનાર અભીચિ ત્યાં રહ્યો છતો શ્રાવકધર્મને યથાર્થ રીતે પાળશે. ઘણા વર્ષ સુધી અખંડિતપણે ગૃહીધર્મને પાળતાં છતાં અભીચિ ઉદાયને કરેલા પરાભવને સંભારી તે વૈરને સમાવી શકશે નહીં. પ્રાતે સારી રીતે સંલેખના કરી પાક્ષિક અનશન આરાધી પિતાના વૈરની આચના કર્યા વગર મૃત્યુ પામીને તે ઉત્તમ દેવતા થશે. ત્યાં એક પલ્યોપમનું આયુષ્ય નિર્ગમી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ અભચિને જીવ મોક્ષે જશે.” અભયકુમારે પુનઃ પૂછયું, “હે પ્રભુ! તમે કહ્યું કે કપિલ મુનિએ પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમા પૃથ્વીમાં દટાઈ જશે, તે પાછી કયારે પ્રગટ થશે? પ્રભુ બોલ્યા કે-' સૈારાષ્ટ્ર, લાટ અને ગુર્જર દેશના સીમાડામાં અણહિલપુર પાટણ નામે એક નગર વસશે, તે નગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy