SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬૧ વર્ગ ૮ મો] રાષભદર, જમાળિ, ગોશાળાદિ ચરિત્ર લોકો વિમલવાહન એવું તેનું ત્રીજું નામ પણ પાડશે. અન્યદા તેને પૂર્વ ભવના અભ્યાસથી મુનિ ઉપરના હૈષ્ય કર્મ વડે મુનિઓ પર અત્યંત દુષ્ટ બુદ્ધિ ઉત્પન્ન થશે. કોઈપણ મુનીને જોતાં કે સાંભળતાં જ તે નિંદા, તાડન, બંધન, હીલણ અને છેવટ હણવા વિગેરેથી તેમને પીડા કરવા લાગશે. પછી નગરના લોકો અને મંત્ર ઓ તેને વિજ્ઞપ્તિ કરશે કે, “રાજાઓએ તે દુષ્ટનો નિગ્રહ અને સાધુજનનું પાલન કરવું જોઈએ. માટે હે સ્વામી ! આ નિરપરાધી ભિક્ષુક અને તપસ્વી સાધુઓની તો આપ રક્ષા કરો, અને કદિ જે રક્ષા ન કરો તો ભલે પણ તેઓનો નિગ્રહ શા માટે કરે છે? કદાપિ કોઈ નિરપરાધી મુનિ તાડન કરવાથી કોપ કરશે તો તે પિતાના તેજથી તમને તેમજ તમારા દેશને પણ બાળી નાખશે.' આ પ્રમાણેનાં તેમનાં વચને તે માનશે નહીં. એક વખત તે રથમાં બેસી ઉદ્યાનમાં ક્રીડા કરવાને જશે, ત્યાં ત્રણ જ્ઞાનના ધારક અને જેને તેજલેશ્યા સિદ્ધ થયેલી છે એવા સુમંગળ નામે મુનિ કાયેત્સર્ગે રહીને આતાપના કરતા તેના જેવામાં આવશે. એટલે સાધુના દર્શન માત્રથી જ વિરૂદ્ધ થયેલો તે રાજા નિઃકારણ કોધ કરીને રથના અગ્ર ભાગથી તે મુનિને પાડી નાખશે, તે મુનિ પાછા ઉભા થઈને કાર્યોત્સર્ગ કરશે, પાછે તે રાજા તેને ફરીવાર પૃથ્વી પર પાડી નાંખશે, ફરીવાર પાછા મુનિ કાયોત્સર્ગ ધારણ કરશે, પછી અવધિજ્ઞાનવડે જોઈને તે રાજાને આ પ્રમાણે કહેશે-“અરે મૂઢ! તું દેવસેન નથી અને વિમળવાહન પણ નથી. પણ તું તે મખલિને પુત્ર ગોશાળ છું, તે સંભાર. તે ભવમાં તે તારા ધર્મગુરૂ છેલ્લા તીર્થકર વીરપ્રભુની અત્યંત આશાતના કરી હતી અને તેમના બે શિને મદેન્મત્ત થઈને બાળી નાંખ્યા હતા, પણ તેમણે તે બધું સહન કર્યું હતું, પરંતુ હું સહન કરીશ નહીં. જે હવે ફરીવાર કાંઈપણ કરીશ તો જરૂર હું તને ક્ષણવારમાં દહન કરી નાખીશ.” તેના આવા વચનથી ધીના સિંચનથી અગ્નિની જેમ અધિક પ્રદિપ્ત થયેલ મહાપદ્મ ત્રીજીવાર પણ તે સુમંગળ મુનિને પાડી નાખશે. એટલે તે મુનિ સાત આઠ પગલાં તેની સામા ભરીને તેજલેશ્યાવડે તે મહાપાને રથ, ઘોડા અને સારથી સહિત બાળ નાખશે. પછી તે કર્મની આચના કરી ચિરકાળ વ્રત પાળી અંતે એક માસનું અણુસણુ કરીને મુનિ સર્વાર્થસિદ્ધ વિમાને જશે. ત્યાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી યેવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ દીક્ષા લઈને મોક્ષ પ્રત્યે પામશે. મહાપર્વ દગ્ધ થઈને સાતમી નરકે જશે. પછી અનુક્રમે સાતે નરકમાં બેવાર ઉત્પન્ન થશે; પછી બધી તિર્યંચ જાતિઓમાં વારંવાર ઉત્પન્ન થશે અને દરેક ભવમાં શસ્ત્રથી અથવા દાહથી પીડિત થઈને મૃત્યુ પામશે. એવી રીતે અનંતકાળ પર્યત દુઃખદાયક ભવભ્રમણ કરીને તે રાજગૃહ નગરની બહાર વેશ્યા થશે; ત્યાં સુખે સુતેલી તે વેશ્યાને કોઈ તેના આભૂષણમાં લુબ્ધ થયેલ કામી પુરૂષ મારી નાખશે. ફરીવાર પણ તે નગરની અંદર વેશ્યાપણે ઉત્પન્ન થઈ મૃત્યુ પામશે. પછી વિધ્યગિરિના મૂળમાં આવેલા ચાળ નામના ગામમાં કોઈ બ્રાહ્મણની કન્યા થશે; તેને કોઈ બ્રાહ્મણ D - 21 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy