SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨] શ્રી વિશ્વષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર tપર્વ ૧૦ મું વવું પડે છે. અમે પણ તેને અન્યથા કરવાને સમર્થ નથી. તથાપિ ભાવી ચોવીશીમાં તું પવનાભ નામે પ્રથમ તીર્થંકર થઈશ. તેથી હે રાજન ! તું જરા પણ વૃથા ખેદ કરીશ નહીં.” શ્રેણિક બોલ્યા કે- હે નાથ ! કોઈ એવો ઉપાય છે કે જેથી અંધકૃપમાંથી આંધળાની જેમ નરકમાંથી મારી રક્ષા થાય ?' પ્રભુ બોલ્યા- હે રાજન! કપિલા બ્રાહ્મણી પાસે જે સાધુઓને હર્ષથી ભિક્ષા અપાવ અને જે કાળસૌકરિકની પાસે કસાઈનું કામ મૂકાવ, તે નરકથી તારો મોક્ષ થાય; તે સિવાય થાય તેમ નથી. આ પ્રમાણે હારની જેમ પ્રભુને ઉપદેશ હૃદયમાં ધારણ કરી શ્રેણિકરાજા પ્રભુને નમીને પોતાના સ્થાન તરફ ચાલે. આ સમયે પેલા દરાંક દેવે શ્રેણિક રાજાની પરીક્ષા કરવા સારૂ ઢીમરની જેમ અકાર્ય કરતા એક સાધુને બતાવ્યા. તે જોઈ જેના પ્રવચનની મલિનતા ન થાઓ એવું ધારી તે સાધુને તેવા અકાર્યથી નિવારીને તે સ્વગૃહ તરફ ચાલે. આગળ ચાલતાં એક સાધ્વીને સગર્ભા બતાવી. શાસનભક્ત રાજાએ તેણીને પિતાના ઘરમાં ગુપ્ત રાખી. શ્રેણિકનું આવું શ્રદ્ધાયુક્ત કાર્ય જોઈ તે રાંક દેવ પ્રસન્ન થયો અને પ્રત્યક્ષ થઈને બે કે, “હે રાજન! સાબાશ છે, પોતાના સ્થાનથી પર્વતની જેમ તમને સમતિથી ચલિત કરી શકાય તેમ નથી. હે નરવર! છેકે પિતાની સભામાં જેવી તમારી પ્રશંસા કરી હતી, તેવાજ તમે જોવામાં આવ્યા . તેવા પુરૂષ મિથ્યાવચન બોલતા નથી.” આ પ્રમાણે કહીને તેણે દિવસે નક્ષત્રોની શ્રેણી રચી હોય તે એક સુંદર હાર તથા બે ગેળા શ્રેણિક રાજાને આપ્યા, અને કહ્યું કે “જે આ તુટી ગયેલા હારને સાંધી આપશે, તે મૃત્યુ પામી જશે. આ પ્રમાણે કહી તે દેવ સ્વપ્નદષ્ટની જેમ તત્કાળ અંતરધ્યાન થઈ ગયે.” શ્રેણિકે હર્ષથી તે દિવ્ય મનહર હાર ચેલણને આપ્યો અને બે ગોળા નંદાદેવીને આપ્યા. તે જોઈ “હું આવા તુરછ દાનને યોગ્ય થઈ” એવી ઈર્ષાવડે મનસ્વી નંદાએ તે બે ગળા સ્થંભ સાથે અફળાવીને ફાડી નાખ્યા; એટલે એક ગોળામાંથી ચંદ્રની જેવા નિર્મળ બે કુંડળ અને બીજામાંથી દેદીપ્યમાન બે રેશમી વસ્ત્રો નીકળ્યા. નંદાએ તે દિવ્ય વસ્તુઓ આનંદથી ગ્રહણ કરી. “મહાન જનેને વાદળાં વગર વૃષ્ટિની જેમ અચિંતિત લાભ થઈ આવે છે.” પછી રાજાએ પેલી કપિલા બ્રાહ્મણીને બોલાવીને તેની પાસે માગની કરી કે, “હે ભદ્ર! તું સાધુઓને શ્રદ્ધાથી ભિક્ષા આપ. હું તને ધનના રાશિ આપીને ન્યાલ કરી દઈશ.” કપિલા બેલી કે, “કદિ મને બધી સુવર્ણમય કરે અથવા મને મારી નાખે, તો પણ હું એ અકૃત્ય કદિ નહીં જ કરૂં.' પછી રાજાએ કાળસૌકારિકને બોલાવીને કહ્યું કે, “જે તું આ કસાઈપણું છેડી દે તો હું તને ઘણું દ્રવ્ય આપું, કેમકે તું પણ ધનના લાભથી કસાઈ થયો છું.” કાભસીરિક બોલ્યો કે- આ કસાઈના કામમાં શે દેશ છે? જેનાથી અનેક મનુષ્ય જીવે છે તેવા કસાઈના ધંધાને હું કદિ પણ છોડીશ નહીં.' પછી “તું કસાઈને વ્યાપાર શી રીતે કરીશ” એમ કહી રાજાએ તેને અંધકૃપમાં એક રાત્રિદિવસ પૂરી રાખે. પછી રાજા શ્રેણિકે ભગવંતની આગળ જઈને કહ્યું કે, “હે સવામી! મેં કાળસોકરિકને એક અહોરાત્ર સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy