SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ] શ્રી ત્રિષ્પષ્ટ શલાકા પુરૂષ ચરિત્ર [પ ૧૦ સુ' અન્ય છે, અને તે દેહ, ધન, ધાન્ય તથા બંધુઓથી આ જીવ અન્ય (જુદા) છે, છતાં તેમાં મૂખ જન વૃથા માહ રાખે છે. ચરખી, રૂધિર, માંસ. અસ્થિ, ગ્રંથી, વિષ્ઠા અને મૂત્રથી પૂરાયેલા આ અશુયિના સ્થાનરૂપ શરીરમાં કયે બુદ્ધિમાન્ પુરૂષ મેહ રાખે? આ શરીર ભાડે રાખેલા ઘરની જેમ છેવટે અવસ્ય છેોડી દેવાનું છે. અર્થાત્ તેનું ગમે તેટલુ લાલન પાલન કર્યુ હાય તા પણ તે નાશવત છે. ધીર કે સયર સર્વ પ્રાણીએ અવશ્ય મરવાનુ તેા છેજ, પરંતુ બુદ્ધિમાન પુરૂષે એવી રીતે મરવુ કે જેથી પુન: મરવુ' પડે નહીં. મારે અહત પ્રભુનું શરણુ હો, સિદ્ધ ભગવંતનું શરણુ હો, સાધુઓનુ' શરણુ હજો અને કેવળી ભગવતે કહેલા ધનું શરણુ હો. મારે માતા શ્રી જિનધમ, પિતા ગુરૂ, સહેાદર સાધુઓ અને સાધમી મારા બંધુએ છે, તે શિવાય આ જગતમાં સર્વ જાળવત્ છે. શ્રી ઋષભદેવ વિગેરે આ ચાવીશીમાં થઈ ગયેલા તીર્થંકરાને અને બીજા ભરત, અરવત તથા મહાવિદેહ ક્ષેત્રના અ`તાને હું નમુ` છું. તીથ કરાને કરેલે! નમસ્કાર પ્રાણીઓને સંસારના છંદને અર્થ અને આધિના લાભને માટે થાય છે. હું સિદ્ધભગવાને નમસ્કાર કરૂ છુ, કે જેઓએ ધ્યાનરૂપ અગ્નિથી હજારા ભવના કરૂપ કાષ્ટોને બાળી નાખ્યા છે. પંચવિધ આચારને પાળનારા આચાર્યાને હું નમસ્કાર કરૂ છુ. જેએ સદા ભવચ્છેદમાં ઉદ્દત થઈ પ્રવચનને ધારણ કરે છે. જેએસ શ્રુતને ધારણ કરે છે અને શિષ્યાને ભણાવે છે, તે મહાત્મા ઉપાધ્યાયાને હું નમસ્કાર કરૂ' છું, જે લાખા ભવમાં બાંધેલા પાપને ક્ષણવારમાં નાશ કરે છે, એવા શીલવ્રતધારી સાધુને હું નમસ્કાર કરૂં છું, સાવદ્ય યાગ તથા બાહ્ય અને અભ્યંતર ઉપનેિર હુ" યાવજ્જીવ મન, વચન, કાયાથી વેાસરાવું છું, હું ચાવજીવ ચતુતિધ આહારને ત્યાગ કરૂ છું. અને ચરમ ઉચ્છ્વાસ સમયે દેહને પણ વાસરાવું છું.” દુષ્કર્મની ગણુા, પ્રાણીઓની ક્ષામા, શુભ ભાવના, ચતુઃશરણુ, નમસ્કાર સ્મરણુ, અને અનશન આ પ્રમાણે છ પ્રકારની આરાધના કરીને તે નંદન મુનિ પેાતાના ધર્માચાય ને, સાધુઓને અને સાધ્વીઓને ખમાવવા લાગ્યા. અનુક્રમે એ મહામુનિ સાઠ દિવસ સુધી અનશનવ્રત પાળી પચવીશ લાખ વર્ષનું' આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામીને પ્રાણુત નામના દશમા દેવલાકમાં પુષ્પાત્તર નામના વિસ્તારવાળા વિમાનમાં ઉપપાદ શય્યામાં ઉત્પન્ન થયા. એક અંતર્મુહૂત્તમાં તે મદ્ધિક દેવ થઈ ગયા. પછી પેાતાની ઉપર રહેલા દેવદૃષ્ય વજ્રને દુર કરી શય્યામાં બેસીને જેવું તે અકસ્માત પ્રાપ્ત થયેલ વિમાન, દેવસમૂહ અને મેટી સમૃદ્ધિ જોઈ તે વિસ્મય પામી ગયા. અને વિચારમાં પડચા કે, · આ બધુ કયા તપથી મને પ્રાપ્ત થયું છે?’પછી અવધિજ્ઞાનથી જોતાં તેમને પેાતાનો પૂર્વ ભવ અને વ્રત યાદ આવ્યા. તેથી તેમણે ચિત્તમાં ચિ'તથ્યુ કે, અહે!! અહમનો કેવા પ્રભાવ છે!” એ વખતે તેના સેવકભૂત સવ દેવતાએ એકઠા થઈ ને ત્યાં આવ્યા. અને અંજલિ જોડી હુ થી તેમને આ પ્રમાણે કહેવા લાગ્યા- હે સ્વામી! હું જગતને આનંદકારી! હું જગતનું ભદ્ર ૧ જૈનશાસન. ૨ બાહ્ય ઉપધિ વસ્ત્ર પાત્રાદિ ઉપકરણા અને અભ્યંતર ઉપષિ વિષય કષાયાદિ. 6 " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy