SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [સગ ૧૧ માં હું આ માર્ગે ચાલીશ તે મહાવીરનાં વચન સાંભળી લઈશ, તેથી પિતાની આજ્ઞાનો ભંગ થશે અને આ સિવાય રાજગૃહીમાં જવાને બીજે માર્ગ પણ નથી. ત્યારે શું કરવું?' આવો વિચાર કરી બે કાન આડા હાથ રાખી તેજ માગે રાજગૃહી નગરીમાં ગયો. એવી રીતે પ્રતિદિન ગમનાગમન કરતાં એક વખતે સમવસરણની પાસે જ તેના પગમાં કાંટે ભાંગ્યા. ઉતાવળે ચાલતાં તે કાંટો ગાઢ રીતે પગમાં ખુંચી ગયો. તેથી તેને કાઢ્યા સિવાય તે એક પગલું ભરવાને પણ શક્તિવાન રહ્યો નહીં. જ્યારે બીજો કોઈ ઉપાય સુઝ નહીં ત્યારે તેણે કાન ઉપરથી હાથ લઈ લઈને કાંટે કાઢવા માંડ્યો. તે વખતે પ્રભુના મુખની વાણી આ પ્રમાણે તેના સાંભળવામાં આવી. “જેમના ચરણ પૃથ્વીને અડતા નથી, નેત્ર નિમેષ રહિત હોય છે, પુષ્પમાળા ગ્લાનિ પામતી નથી અને શરીર પ્રસ્વેદથી તથા રંજથી રહિત હોય છે તે દેવતા કહેવાય છે.” આટલાં વચન સાંભળવાથી “મેં ઘણું સાંભળી લીધું, તેથી મને ધિક્કાર છે” એમ વિચારતે, ઉતાવળે પગમાંથી કાંટે કાઢી અને પાછા કાન પર હાથ મૂકી રૌહિણેય ત્યાંથી પિતાને કામે ગયો. - હવે તે ચોર પ્રતિદિન શહેરમાં ચોરી કરતા, તેથી કંટાળીને ગામના શેઠીઆએ શ્રેણિક રાજાની પાસે આવીને કહેવા લાગ્યા કે, “હે દેવ! તમે રાજ્ય કરતા છતા અમને બીજે કંઈ પણ ભય નથી પણ અદશ્ય ચેટકની જેમ કોઈ ચોર અદશ્ય રહીને અમને લુંટે છે.” બંધુની જેમ તેમની આ પીડા સાંભળીને શ્રેણિક રાજાએ કોપ કરી કોટવાળને બોલાવીને કહ્યું કે-“અરે કોટવાળ! શું તમે ચેર થઈને કે ચેરના ભાગીદાર દઈને મારો પગાર ખાઓ છો? કે જેથી તમારી ઉપેક્ષાવડે આ પ્રજાજનને ચારે લુંટે છે. કેટવાળ બોલ્યો કે-“મહારાજ! કઈ રૌહિણેય નામનો ચોર નગરજનોને એવી રીતે લુંટે છે કે, તેને અમે જોઈએ છીએ, તો પણ તે પકડી શકાતો નથી. વિજળીના ઉછળતા કીરની જેમ તે ઉછળી, વાનરની જેમ ઠેકી, એક હલામાત્રમાં તે એક ઘેરથી બીજે ઘેર પહોંચી જાય છે, અને નગરનો કિલ્લે પણ ઓળંગી જાય છે. અમે તેના જવાને માગે પાછળ પાછળ જઈએ છીએ તો ત્યાં તે જોવામાં આવતો નથી. અને જે એક પગલા માત્ર તેને છોડડ્યો તે તે સો પગલાં અમારાથી દૂર જતો રહે છે. હું તે તેને પકડવાને કે હણવાને શક્તિમાન નથી, માટે આ તમારો કોટવાળપણનો અધિકાર ખુશીથી પાછો લઈ લ્યો.” પછી રાજાએ ભ્રકુટીની સંજ્ઞાથી સૂચવ્યું, એટલે અભયકુમારે કોટવાળને કહ્યું કે, “તમે ચતુરંગ સેનાને સજજ કરીને નગરની બહાર રાખે; પછી જ્યારે ચેર અંદર પેસે ત્યારે લશ્કરે ફરતું ફરી વળવું અને અંદરથી તે ચોરને ત્રાસ પમાડવો, એટલે પાશલામાં હરણ આવીને પડે તેમ તે વિજળીના ઝબકારાની જેમ ઉછળીને સ્વયમેવ સૈન્યમાં આવી પડશે, પછી જાણે તેના જામીન હોય તેમ એ મહારને પ્રમાદ રહિત સાવધાન રહેલા સુભટોએ પકડી લે.” આ પ્રમાણેની અભયકુમારની આજ્ઞાનું પ્રમાણ કરી કેટવાળ ત્યાંથી નીકળ્યો અને ગુપ્ત રીતે સેનાને સજજ કરી. રાજાએ આજ્ઞા કરી તે દિવસે રોહિણેય બીજે ગામ ગયેલ હતું તેથી આ વાતની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy