SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧૨ મ]. હલવિહલ્લે લીધેલી દીક્ષા [૨૩૩ તિરસ્કાર કરીને કહ્યું કે, “અરે સેચનક! તું અત્યારે ખરેખર પશુ થયે, તેથી જ આ વખતે રણમાં જવાને કાયર થઈને ઉભે રહ્યો છું. તારે માટે અમે વિદેશગમન અને બંધુને ત્યાગ કર્યો, તેમ તારેજ માટે અમે આર્ય ચેટકને આવા દુર્વ્યસનમાં નાંખે. જે પિતાના સ્વામી ઉપર સદા ભત રહે તેવા પ્રાણીને પિષ તે શ્રેષ્ઠ છે, પણ તારા જેવાને પિષ ચગ્ય નથી, કે જે પોતાના પ્રાણને વહાલા કરીને સ્વામીના કાર્યની ઉપેક્ષા કરે છે.” આવા તિરસ્કારનાં વચને સાંભળી પિતાના આત્માને શ્રેષ્ઠ માનતા સેચનક હસ્તીએ બળાત્કારે હલવિહલને પિતાના પૃષ્ટ ઉપરથી નીચે ઉતારી નાખ્યા અને પિતે તે અંગારાની ખાઈમાં પડીને ચંપાપાત કર્યો. તત્કાળ મૃત્યુ પામીને તે ગજે પહેલી નારકીમાં ઉત્પન્ન થયો. તે જોઈ બંને કુમારોએ ચિંતવ્યું કે, “આપણને ધિક્કાર છે! આપણે આ શું કર્યું ! આમાં તે આપણેજ ખરેખર પશુ ઠર્યા. સેચનક પશુ નહીં; કારણ કે પૂજ્ય માતામહ ચેટકને આવા મહા સંકટમાં નાખી માટે વિનાશ પમાડી હજુ પણ આપણે દુષ્ટ બુદ્ધિવાળા જીવીએ છીએ. વળી આપણે આર્ય. બંધુના મોટા સૈન્યને વિનાશ કરવામાં જામીનરૂપ થયા અને તેને વૃથા નાશ કરાવ્યું તેમજ બંધને અબંધુપણામાં લાવ્યા, માટે હવે આપણે જીવવું યુક્ત નથી, તેમ છતાં કદિ જે જીવવું તે અત્યારથી શ્રી વીરપ્રભુના શિષ્ય થઈને જીવવું, અન્યથા નહિ.” એ સમયે શાસનદેવી ભાવયતિ થયેલા તે બંનેને ટીવીરપ્રભુની પાસે લઈ ગઈ. એટલે તત્કાળ તેમણે પ્રભુની પાસે દીક્ષા લીધી. હલ્લવિહલે આ પ્રમાણે દીક્ષા લીધી, તે પણ કૂણિક વિશાળ નગરી લઈ શકે નહીં; તેથી તે ચંપાપતિ કુષિકે વિશાળા કબજે કરવા સંબંધી પ્રતિજ્ઞા લીધી. પરાક્રમી પુરૂષને પ્રતિજ્ઞા કરવાથી પુરૂષાર્થ વૃદ્ધિ પામે છે.” તે પ્રતિજ્ઞા આ પ્રમાણે હતી કે “જે હું આ નગરીને ગધેડા જોડેલા હળવડે ન ખેદું તે મારે ભૂગુપાત કે અગ્નિપ્રવેશ કરી મરવું.” આવી પ્રતિજ્ઞા કરી તે પણ તે વિશાળાપુરીને ભાંગી શકે નહીં; તેથી તેને ઘણે ખેદ થયે. એવામાં કામગથી કુળવાળુકની ઉપર રૂટમાન થયેલી દેવીએ આકાશમાં રહીને કહ્યું કે, “હે કૃષિક! જે માગધિકા વેશ્યા કુળવાળુક મુનિને મેહિત કરી વશ કરે તો તું વિશાળાનગરી ગ્રહણ કરી શકીશ.” આવી આકાશવાણી સાંભળી તત્કાળ જેને જયની પ્રત્યાશા ઉત્પન્ન થઈ છે એ કૃણિક સજજ થઈને બા“બાળકની ભાષા, જીએાની ભાષા અને ઉત્પાતિકી ભાષા પ્રાયે અન્યથા થતી નથી, તે એ કુળવાળુક મુનિ કયાં છે? અને તે શી રીતે મળી શકે? અને માગધિકા વેશ્યા પણ ક્યાં હશે?” તે સાંભળી મંત્રીઓ બાલ્યા કે, “હે રાજન! માગથિક વેશ્યા તે તમારાજ નગરમાં છે, બાકી કુરીવાળુક મુનિને અમે જાણતા નથી.” પછી કૃષિક વિશાળાના નિરાકને માટે અર્ધ સૈન્ય મૂકી બાકીનું અર્ધ સૈન્ય લઈને પોતે ચંપાનગરીએ આવે; અને તરતજ ચરમંત્રીની જેમ તેણે માગધિકા વેશ્યાને બોલાવી તે પણ તરત હાજર થઈ એટલે કૃણિકે તેને કહ્યું કે, “હે ભદ્ર! તું બુદ્ધિમતી અને કળાવતી છું, તું જન્મથી માંડીને અનેક પુરૂષને વશ કરીને ૦૫વિત થઈ D - 30 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy