SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૪ થે ] શ્રી મહાવીર પ્રભુને બીજા છ વર્ષને વિહાર [ ૭૭ અકસ્માત અને વેગથી આવતી જોતાં જ કિલ્વેિષ દેવાતા સંતાઈ ગયા, આભિગિક દેવતાઓ ત્રાસ પામી ગયા, સૈન્ય સહિત સેનાપતિએ શિધ્ર પલાયન કરી ગયા, અને સોમ તથા કુબેર પ્રમુખ દિપાલે નાશી ગયા. આત્મરક્ષકથી અખલિત અને છડીદારથી પણ અવારિત એ અસુરને ત્રાયઅિંશ દેવોએ “આ શું?’ એમ સંભ્રાંત ચિત્તે જે. સમકાળે ઉત્પન્ન થયેલા કેપ અને વિસ્મય વડે સામાનિક દેવતાઓએ જોયેલા તે ચમરે એક પગ પદ્મવેદિકાની ઉપર અને બીજો પગ સુધમ સભામાં મૂક્યો. પછી પરિઘ આયુધવડે ઇંદ્રકલ ઉપર ત્રણ વાર તાડન કરી, ઉત્કટ ભ્રકુટી ચડાવીને તે અતિ દુર્મદ ચમર શકઇંદ્ર પ્રત્યે આ પ્રમાણે બે -“હે ઈંદ્ર! તું આવા ખુશામતીયા દેવતાઓના વૃદથી કે તેમના પરાક્રમથી અદ્યાપિ મારી ઉપર રહે છે પણ હવે હું તને મારાથી પણ નીચે પાડી દઉં છું. પર્વત ઉપર કાગડાની જેમ તું અહિં ચિરકાળથી ફેગટજ રહ્યો છું. અરે ચમચંચા નગરીના સ્વામી અને વિશ્વને પણ અસહ્ય પરાક્રમવાળા મને ચમરાસુરને શું તું નથી જાણતો?” શકારીની હાકને કેશરીસિંહ સાંભળે તેમ જેમણે આવું કઠોર વચન પૂર્વે કદી સાંભળ્યું નહતું તે સાંભળીને શકેંદ્ર કાંઈક હસ્યા અને વિસ્મય પામ્યા. પછી અવધિજ્ઞાનવડે તેને અમરેંદ્ર જાણુને “અરે ચમર! તું નાશી જા” એમ બેલી ભ્રકુટી ચડાવી શક્રઈંદ્ર વજ હાથમાં લીધું, અને પ્રલયકાળના અગ્નિને સાર હેય, વિદ્યુતને જાણે સંચય હોય અને એક મળેલો વડવાનળ હોય તેવા તે પ્રજવલિત વાને ઈંદ્ર તેના પર મૂક્યું. તતઃ શબ્દ કરતું અને દેવતાઓએ ત્રાસ પામતાં જોયેલું તે વજી ચમરેંદ્ર તરફ દેડયું. સૂર્યના તેજને ઘુવડની જેમ તે વજાને જેવાને પણ અસમર્થ એવો તે ચમરાસુર વજાને આવતું જોતાં જ વડવાનરીની જેમ ઉંચા પગ ને નીચું માથું એમ થઈ ગયો, અને તત્કાળ ચિત્રાથી ચમરીમૃગ ભાગે તેમ શ્રી મહાવીર ભગવંતને શરણે આવવાની ઈચ્છાએ ત્યાંથી ભાગ્યો. તે વખતે અરે સુરાધમ! જેમ મોટા સર્ષ સાથે દેડકે, હાથી સાથે ઘેટે, અષ્ટાપદ સાથે હાથી અને ગરૂડ સાથે સર્પ યુદ્ધ કરવા ઇરછે તેમ અનાત્મજ્ઞ એવો તું અમારા ઈંદ્રની સાથે યુદ્ધ કરવાને ઈચ્છતો હતો, પણ તારે ભૂંડે હાલે નાશી જવું પડયું. આ પ્રમાણે કહીને દેવતાઓ તેને હસવા લાગ્યા. જેવો મહા દેહ ધરીને તે આવ્યા હતા, તેજ લઘુ દેહી થઈને પવને ચલાવેલા મેઘની જેમ ત્વરાથી નાસવા લાગ્યો. રૂપને નાનું નાનું કરતા તે અસુરની પછવાડે ઘની જેમ ચાલ્યું આવતું વજ જવાળાની શ્રેણિવડે શોભવા લાગ્યું. અહિં વજા છેડયા પછી ઈંદ્રને વિચાર થયો કે, “કોઈ પણ અસુરની પિતાની અહિં સુધી આવવાની શક્તિ નથી, તે છતાં આ અસુર અહિં સુધી આવ્યો તેથી હું ધારું છું કે જરૂર તે કઈ અર્હત, અહંતનું ચૈત્ય કે કોઈ મહર્ષિને મનમાં સ્મરી તેના વડે શક્તિ પ્રાપ્ત કરીને આવ્યો હશે.” આ પ્રમાણે વિચારી શકે છે અવધિજ્ઞાનવકે જોયું, એટલે તે શ્રી વીરપ્રભુના પ્રભાવથી ત્યાં આવ્યો હતો અને પાછે શ્રી વિરપ્રભુને શરણેજ ગમે છે એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy