________________
જવા માટે બીજા ૨૦ હજાર ઊંટ, (વીસ હજાર ઊંટ ઉપર લદાઈ શકે એટલી બધી ચીજ વસ્તુઓ લડાઈના મેદાનમાં પિતાના અંગત ઉપયોગ માટે લઈ જવી એ પણીથા જેવું નથી લાગતું ?) પ્રત્યેક ઊંટ સાથે એક ઊંટવાહક, તે ઉપરાંત હજારે ભિસ્તીઓ, રસોયા, મુલ્લાઓ, કવિઓ, લેખકે, અમીરે, હલકા ચાકર વગેરેની સંખ્યા દસ હજાર જેટલી હતી. આ બધાને હિસાબ કરતાં મહમૂદના લશ્કરમાં ૩૦ હજાર જોડેસવાર ૫૪ હજાર લૂંટની લાલચે આવેલા પાળાઓ બીજાઓ. મળી આશરે ૧ લાખ ૪ હજાર માણસો હતા. પણ લશ્કર તે માત્ર ૩૦ હજાર ઘોડેસવારનું જ હતું. - મહમદ નવમી નવેમ્બરે એટલે કે ૨૩ દિવસે ગીઝનીથી મુલતાન પહોંચ્યા, ત્યાં ૧૮ દિવસ આરામ કરી ૨૬મી નવેમ્બરે ફરીથી તે આગળ વધે. આ લાદરવાનો લેિ એક રાતમાં કેમ છતાય?
અલબરૂની અને બીજા મુસ્લિમ તવારીખકારે લખે છે કે રસ્તામાં બીજા હિંદુ રાજાઓ સાથેની અથડામણ ટાળવા અને સમય બચાવવા તેણે મારવાડના રણને માર્ગે જવાનું નક્કી કર્યું. દરેક ઊંટ ઉપર પાણીની મશકો ભણી લઈ રણમાં ઊતર્યો, અને છેક જેસલમીર પાસે આવેલા દરવાના કિલ્લાને ઘેરે ઘાલ્ય.
કિલા ઉપરથી રજપૂત રૌજો સતત તૌર વર્ષા શરૂ કરી. પણ રાતે મુસ્લિમ એચિંતે હુમલે કરી કિલ્લામાં પ્રવેશી ગયા. શહેરને લંટટ્ય, દુર્ગને ધરાશાયી કર્યો. ઘણા દેવ મદિરાને તેડવા અને લૂંટવાને સમય ન હોવાથી તે કામ પડતું મૂકી આગળ વધ્યા.”
અહીં સવાલ એ ઉપસ્થિત થાય છે કે ઘોડેસવાર લશ્કર અને પાયદળ રણ કેવી રીતે ઓળંગી ગયા? રણમાં ઘેડા ચાલી શકે નહિ, ઊંટ જ ચાલે. પાળાએ પણ ઝડપથી ચાલી શકે નહિ. અને ઝડપથી સાબે પંથ કાપવા જાય તે શ્રમથી તૂટી પડે. મધખતા તાપ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org