Book Title: Vishvamangal Granthmala Part 03
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 283
________________ ૨૭૮ ૫૪૦ દિવસ સુધી મફત દાણ આપે છે અને ૫૪૦ દિવસની તે વાછડી થાય ત્યારે સરકારી અકુદરતી ગર્ભાધાન કેન્દ્ર તેને મફત ઈજે. ક્ષન દ્વારા ગર્ભાધાન કરાવી આપે છે અને ગર્ભાધાન પામેલી વાછડીને રૂ. ૧૫૦૦થી રૂ. ૨૦૦૦ સુધીની કિંમતે સરકાર ખરીદી લે છે. આમ મફતમાં ૨૦૦૦ રૂપિયા મળી જાય તે લાલચથી ખેત સંકર ગાય રાખે છે. પણ સંકર ગાયને વાછરડે આવે તે શું કરવું? તે વાછડો. કોઈ જ ખપને નથી કોને સરકાર અથવા તેના એજન્ટ તે સસ્તામાં ખરીદી લઈને કતલખાને એકલી આપે અથવા ખેડૂત તેને રઝળતે છેડી મૂકે. એટલે તે કતલખાનાના દલાલને મફતમાં નધણિયાતા પશુ તરીકે મળી જાય. આ જ કારણથી આજે જ્યાં ત્યાં સંકર વાછડીઓ જોવા મળે છે પણ સંકર વાછડાઓ ભાગ્યે જ જોવા મળે છે સંકર ગાયને પ્રચારને હેતુ સંકર ગાય દ્વારા બેકારી નાબૂદી, સંકર ગાય દ્વારા દૂધનું મબલખ ઉત્પાદન વગેરે સૂત્રો અને દાવાઓ નિરાધાર સાબિત થઈ ચૂક્યા છે. કારણ કે વીસ વરસની સંકર ગાય પાછળ ખરચાયેલાં અઢળક નાણાં પછી પણ દર વરસે બેકારી વધે છે અને દૂધના પાઉડરની આયાત, પણ વધે છે. સંકર ગાયના પ્રચાર પાછળ એક જ હેતુ હોઈ શકે કે ગામડે ગામડે ખેડૂતનાં ઘરમાં એ ઘુસાડી દઈને નકામા સંકર વાછડા અને સંકર વાછડીઓને બેજ ખેડૂતેનાં ગળામાં પહેરાવી દઈને પછી હિંદુ ખેડૂતને જ એક એ વર્ગ પેદા કરવે જે ગેહત્યાબંધીની માગણીને વિરોધ કરે અને બંધારણની કલમ ૪૮ના સુપ્રીમ કેટે આપેલા ચુકાદા મુજબ રાજે તેને અમલ કરે છે તે દૂર કરાવવા માગણી કરે. - સંકર ગાયના પ્રચાર પાછળ દૂધ ઉત્પાદન વધારવાને દાવે, નિષ્ફળ ગયા છે પણ માંસ ઉત્પાદનને વેગ આપવાની આ એજના છે. એ સદેહે જોર પકડતે જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302