________________
સ્થાનકવાસી-વર્ગમાંથી કેટલાય કુટુંબે પ્રથમની જેમ છૂટા થઈ જશે.” એમ ધારી કંઈ વધુ જાહેરમાં બેસવાનું જ બંધ કરી દીધું.
પ્રથમથી જ પૂજ્યશ્રીની વિદ્વત્તા, સચેટ તર્ક-શક્તિ આદિને અજબ પ્રભાવ પડી ગયે અને શ્રીસંઘમાં શાંતિ આખા ચેમાસા દરમ્યાન રહી. -
આ બાજુ આર્યસમાજીએ હરદ્વારથી વિદેહાનજી નામના ધુરંધર સંન્યાસી વિદ્વાનને શ્રાવણ-ભાદર બે મહિના માટે તેડી લાવ્યા.
તેમણે પણ શ્રાવણ વદમાં પિતાના પ્રવનમાં મૂર્તિપૂજા અંગે અને જૈન ધર્મ - અંગે આક્ષેપાત્મક રજુઆત કરી. - પૂજ્યશ્રીએ શ્રીસંઘના આગેવાને મારફત સનાતનીઓના આગેવાનો સંપર્ક સાધી આખા ઉદયપુરની સમસ્ત હિંદુ-પ્રજાનું બળ કેળવી બધાના મુખ્ય આગેવાનોને તે સચેટ તર્કો અને વેદ-મૃતિના પુરાવા ટાંકી આર્યસમાજી-સ્વામીજી પાસે મેકલ્યા.
શરૂમાં તે સ્વામીજીએ અસત્પ્રલાપોથી જૈનધર્મ અને સનાતન-વૈદિક ધર્મને ઉતારી પાડવા ચેષ્ટા કરી, એટલે