________________
ources
“શેઠઆવક–ની પેઢીએ નગરશેઠ હેમાભાઈ વગેરે અગ્રગણ્ય શેઠીયાઓની સહીથી પાલીતાણ સ્ટેટ સાથે ઘણી વાતો કરવા છતાં કંઈ સફળતા ન મળવાથી તે વખતના ઉપરી સત્તાધીશ તરીકે કાઠીયાવાડના પોલિટિકલ એજંટ હેવા છતાં તે કદાચ ઉપરીની દેરવણના અભાવે પુરતો સહન ન આપે તેથી સીધા મુંબઈ ગવર્નર પાસે અપીલ કરી છે, તેને યેગ્ય નિર્ણય જરૂર ટૂંક સમયમાં આવશે.
હાલ તુર્ત પાલીતાણા સ્ટે યાત્રાળુવેરો બંધ રાખેલ છે.”
આ સમાચાર મળવાથી શ્રીસંઘમાં જરા શાંતિ થઈ, પણ શ્રીસંઘે જાગૃત રહેવાની જરૂરિયાત પર પૂજ્યશ્રીએ ખૂબ ભાર મુક્યો, પૂજ્યશ્રી શેઠ આક. ની પેઢી સાથે પત્રવ્યવહારથી સંપર્ક બરાબર જાળવી રાખી પાલીતાણુ-સ્ટેટ સામે પડેલ વાંધા અંગે મુંબઈ ગવર્નર પાસે કરેલ અપીલની કાર્યવાહીથી પૂરા માહીતગાર બની રહ્યા.
એટલામાં કા. સુ. ૭ લગભગ ભીલવાડાના શેઠ કિસનજી મુણેત ભીલવાડા જૈન–શ્રીસંઘના આગેવાને સાથે પૂજ્યશ્રી પાસે આવ્યા. - પૂજ્યશ્રીને વંદના કરી નમ્રભાવે કિસનજી શકે ભીલવાડાથી કેશરીયાજી તીર્થને છરી પાળ સંધ કાઢવાની ભાવનાને પૂર્ણ કરવા પૂજ્યશ્રીને ભીલવાડા પધારવાની વિનંતિ કરી.
૧૦૩