________________
આપનો હું ભવભવ અણી રહીશ
આપના સંયમની, જ્ઞાન-ગરિમાની, ભૂરિ-ભૂરિ અનુમોદના સાથે અલ્પ–મતિ મારાથી કંઈ અજુગતું પત્રમાં લખાયું હોય કે અવિવેક થયે હેાય તો તે બદલ વારંવાર ક્ષમા માગું છું, અને સાથે. આપના દર્શનની તીવ્ર-અભિલાષા-ઝંખના ધરાવતે આપના પત્રની પ્રતીક્ષા સાથે વિરમું છું.”
સં. ૧૯૪૩ માગશર સુદ ૬ લી. હેમચંદ મગનલાલની ૧૦૦૮ વાર વંદના.
આ રીતે પૂ. ચરિત્રનાયકશ્રી ભાવિના અકળ- સંકેત પ્રમાણે. ભાવી–ગુરૂદેવના ચરણોમાં નિખાલસતાથી હૈયું ખેલી રહ્યા હતા.
પૂજ્યશ્રીને પણ અજ્ઞાત-હેતુથી અકળ પ્રેરણા થતી કે. આ બાજુ ઘણે સમય થયે ! હવે ગુજરાત બાજુ જઈ મગનભાઈ ભગતના ધર્મજિયાસા અને સર્વ વિરતિના પંથે ધવા માટેની ઉત્કટ કામના પત્ર તથા “બાપ તેવા બેટા”ની ઉક્તિ મુજબ તેમનો પુત્ર હેમચંદ પણ પ્રભુ-શાસનના પથે નાની વયે લગ્નના મોહક વાતાવરણને પણ કુદરતી રીતે અનિષ્ટ સમજતે થયો છે, અને સાર્વવિરતિના પંથે ધપવા. તલપાપડ થઈ રસ્તો છે.