Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 17
________________ પ્રશ્ન: જો એમ જ છે તો જિનમાર્ગમાં બન્ને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું કારણ ઉત્તર :જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો સત્યાર્થ એમ જ છે” એમ જાણવું તથા કોઇ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી” પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું; અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે. પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી. પ્રશ્ન: જો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરુપણ કરવું હતું? ઉત્તર : એવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે ત્યાં ઉત્તર આપ્યો છે કે – જેમ કોઈ અનાર્ય - મલેચ્છને મલેચ્છ ભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઇ રામર્થ નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે તેથી વ્યવહારનો ઉપદેશ છે. વળી એ જ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ આપીએ છીએ પણ વ્યવહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી. પ્રશ્નઃ (૧) વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન થાય - એ કેવી રીતે? તથા (૨) વ્યવહારનયને અંગીકાર ન કરવો એ કેવી રીતે? ઉત્તરઃ (૧) નિશ્ચયનયથી તો આત્મા પરદ્રવ્યથી ભિન્ન, સ્વભાવોથી અભિન્ન - સ્વયંસિવ વસ્તુ છે. તેને જેઓ ન ઓળખે, તેમને એમ કહ્યા કરીએ તો તેઓ સમજે નહિ. તેથી તેમને સમજાવવા વ્યવહારનયથી શરીરાદિક પરદ્રવ્યોની સાપેક્ષતા વડે નર-નારક-પૃથ્વીકાયાદિરૂપ જીવના ભેદ કર્યા, ત્યારે મનુષ્ય જીવા છે', 'નારકી જીવ છે', ઇત્યાદિ પ્રકારથી તેમને જીવની ઓળખાણ થઈ; અથવા અલંદ વસ્તુમાં ભેદ ઉપજાવી જ્ઞાન-દર્શનાદિ ગુણ-પર્યાયરૂપ જીવના ભેદ કર્યા, ત્યારે જાણનારો જીવ છે', દેખનારો જીવ છે' ઇત્યાદિ પ્રકારથી તેમને જીવની ઓળખાણ થઈ. વળી નિશ્ચયથી તો વીતરાગભાવ મોક્ષમાર્ગ છે; પણ તેને જેઓ ન ઓળખે, તેમને એમ જ કહ્યા કરીએ તો એ સમજે નહિ; તેથી તેમને સમજાવવા વ્યવહારનયથી તત્ત્વાર્થ શ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક પારદ્રવ્યનું નિમિત્ત મટાડવાની સાપેક્ષતા વડે વ્રત-શીલસંયમાદિરૂપ વીતરાગભાવના વિશેષો દર્શાવ્યા, ત્યારે તેમને વીતરાગભાવની ઓળખાણ થઈ. આ જ પ્રમાણે અન્યત્ર પણ વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન થવાનું સમજવું. (૨) અહીં વ્યવહારથી નર-નારકાદિ પર્યાયને જીવ કહ્યો. તેથી કાંઇ તે પર્યાયને જ જીવ ન માની લેવો. પર્યાય તો જીવ-પુદ્ગલના સંયોગરૂપ છે. ત્યાં નિશ્ચયથી જીવ દ્રવ્ય જુદું છે; તેને જ જીવ માનવો. જીવના સંયોગથી શરીરાદિને પણ જીવ કહ્યા તે કહેવા માત્ર જ છે. પરમાર્થે શરીરાદિક જીવ થતાં નથી. આવું જ શ્રદ્ધાન કરવું. બીજું, અભેદ આત્મામાં જ્ઞાન-દર્શનાદિ ભેદ કર્યા તેથી કાંઈ તેમને ભેદરૂપ જ ન માની લેવા; ભેદ તો સમજાવવા માટે છે. નિશ્ચયથી આત્મા અભેદ જ છે; તેને જ જીવ વસ્તુ માનવી. સંજ્ઞા

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 550