________________
જ
ચાલનાર
શકતી ન
[ ૧૮ ]
શ્રી કરવિજયજી अस्थिरे हृदये चित्रा, वाझ्नेत्राकारगोपना। . पुंश्चल्या इव कल्याणकारिणी न प्रकीर्तिता ॥३॥
જ્યાં સુધી મનની અસ્થિરતા તજતો નથી ત્યાં સુધી વ્યભિચારિણી (કચાલની ) સ્ત્રોની ઠાવકી વાણ, ઠાવકી દષ્ટિ અને ઠાવકી ચાલની જેવી વિવિધ ક્રિયા કલ્યાણ કરનારી થઈ શકતી નથી. સ્થિરતા યેગે જ સતી સ્ત્રીની નિષ્કપટ-સરલ ક્રિયાની જેમ સઘળી શુભ કિયા કલ્યાણ સાધનારી થઈ શકે છે, માટે અસ્થિરતાને તજી દે. ૩.
ચિત્ત અસ્થિર–સર્વત્ર ફરતું હોય તો વિચિત્ર વાણી, નેત્ર અને આકાર-આકૃતિ વેષાદિકનું સંગેપન કરવારૂપ (ક્રિયા) અસતી-કુલટા સ્ત્રીની પેઠે કલ્યાણ કરનારી કહી નથી.
હદય સ્થિર કર્યા સિવાય અનેક ક્રિયા કપટરૂપ કરે તેથી કોઈ પણ પ્રકારે અર્થની સિદ્ધિ ન થાય એ ભાવાર્થ છે.
अन्तर्गतं महाशल्यमस्थैर्य यदि नोद्धतम् । क्रियौषधस्य को दोषस्तदा गुणमयच्छतः ॥ ४॥
જ્યાં સુધી અંતરનું અસ્થિરતારૂપી મહાશય કાઢયું નથી ત્યાં સુધી ક્રિયારૂપી ઔષધ ગુણકારી ન થાય, એમાં એ ક્રિયાઔષધનો કશો દોષ નથી. ૪.
જે હૃદયમાં રહેલ મહાશલ્યરૂપ અસ્થિરપણું દૂર કર્યું નથી, તે પછી ગુણ નહિ કરનાર ક્રિયારૂપ ઔષધને શે દોષ છે ? શલ્ય અન્તર્ગત હાય તો ઓષધ ગુણકારક ન થાય, તે ઔષધને દોષ નથી પણ શલ્યને દોષ છે, માટે શલ્ય કાઢવું જોઈએ.