________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા વૈજ્ઞાનિક પદ્ધતિએ ગેઠવાએલે છે. આ વિશિષ્ટતા બીજી કોઈ લિપિમાં નથી.
આ જ પ્રમાણે પ્રાચીન કાળમાં સમગ્ર સંસારની અંકવિદ્યા પણ પ્રારંભિક દશામાં હતી. ક્યાંક તે અક્ષરોને જ ભિન્નભિન્ન અંકો માટે કામમાં લેતા તે ક્યાંક એકમ, દશક, સો, હજાર ઈત્યાદિ માટે ૧ થી ૯ સુધીના અંક માટે જુદાં જુદાં ચિહ્નો કરવામાં આવતાં; એટલું જ નહિ પણ એ ચિહ્નો દ્વારા ફક્ત લાખ નીચેની જ સંખ્યા જણાવી શકાતી. પ્રાચીન ભારતમાં પણ અંક માટે આ જ જાતનો ક્રમ હતો, પરંતુ આ ગૂંચવણભર્યા અંકોથી ગણિતવિદ્યામાં વિશેષ વિકાસ થવાનો સંભવ ન લાગવાથી ભારતવાસીઓએ વર્તમાન અંકક્રમ શોધી કાઢ્યો, જેમાં ૧ થી ૯ સુધીના નવ અંકે અને ખાલી સ્થાનસૂચક શૂન્ય (૦) આ દશ ચિહ્નોથી અંકવિદ્યાનો સંપૂર્ણ વ્યવહાર ચાલી શકે છે. આ અંકોનો ક્રમ જગતે ભારતવર્ષ પાસેથી જ જાય છે અને વર્તમાન સમયમાં ગણિત તથા એનાથી સંબંધ ધરાવનાર બીજાં શાસ્ત્રોમાં પ્રગતિ થઈ છે એ આ અંકની શોધને આભારી છે.
આ બે બાબતો ઉપરથી પ્રાચીન ભારતીય આર્ય પ્રજાની બુદ્ધિ અને વિદ્યા સંબંવીની ઉન્નત દશાનું અનુમાન થાય છે. ભારતીય સભ્યતા અને લેખનકળા
ભારતવર્ષના આદ્ય લેખકો અને સાહિત્યકારો સામે જે જે વસ્તુઓ હતી તેમાં વૃક્ષો મુખ્ય હતાં. તેઓએ લખવાની પ્રેરણા થતાં વૃક્ષોનાં પાંદડાંનો ઉપયોગ કર્યો હતો. જેના ઉપર લખાતું તે સાધનના અર્થમાં “પર્ણ કે “પત્ર શબ્દનો ઉપયોગ કરાતો હતો, જે આજસુધી “પા” કે “પતું” શબ્દમાં જળવાએલો છે. એ પણ કે પત્ર શબ્દ જ સૂચવે છે કે આપણે ત્યાં પ્રાચીન સમયમાં એના વાગ્યાથે જ લખવાના વાહન તરીકે ઉપયોગ થતો હતે. તદુપરાંત લેખ્ય અંશોના જુદાજુદા વિભાગે જણાવવા માટે તે તે અંશેને સ્કંધ, કાંડ, શાખા, વલ્લી, સૂત્ર વગેરે નામો આપ્યાં, જે વૃક્ષના અંશવિશેષોને ઓળખાવવા માટે પહેલેથી પ્રસિદ્ધ હતાં. આ રીતે એક યુગમાં ભારતીય વનનિવાસસભ્યતા અને લેખનકળા વચ્ચે ગાઢ સગાઈ જામી હતી’ એ વાત ભૂલી શકાય તેમ નથી. ભારતીય લેખનસામગ્રી પ્રાચીન સમયમાં ભારતવર્ષના જેટલી લેખનસામગ્રી કોઈપણ દેશમાં ન હતી. કુદરતે અહીં તાડપત્ર અને ભેજપત્ર વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન કર્યો છે. મિસરના પિપાયરસની જેમ તેમને ઉગાડવા
૯ પપાયરસ એક જાતના છોડનું નામ છે. તેને પાક ‘મિસરમાં ઘણા પ્રાચીન કાળથી થતું હતું. આ છોડ ચાર હાથ ઊંચે અને એના થડીઆની સરખડીને ભાગ ત્રિણ આકૃતિને થતો હતો, જેમાંથી ૪ ઈંચથી લઈ ઈચ સુધીની લંબાઈના ટુકડાઓ કાપવામાં આવતા હતા. એની છાલની બહુ જ સાંકડી ચીપ નીકળતી હતી, જેને ચોખાની લાહી આદિથી એકબીજી સાથે ચાંટાડીને પાનાં બનાવવામાં આવતાં હતાં. આ પાનાંઓને દબાવીને સૂકવતા હતા, જ્યારે એ તન સુકાઈ જતાં ત્યારે તેમને હાથાદાત અથવા શખ આદિથી ઘૂંટીને સુવાળાં અને સરખાં બનાવતા હતા તે પછી એ લખવા લાયક બનતાં હતાં. આ રીતે તૈયાર કરેલા પાનાંઓને યુરોપવાસીઓ પિપાયરસ' કહે છે. આના ઉપર જ તેઓ પુસ્તક, ચિડી વગેરે લખતા હતા, કેમકે તે જમાનામાં કાગળ તરીકે આ જ કામ આવતાં હતાં. આ રીતે તૈયાર થએલાં પેપાયર અત્યંત ટૂંકાં થતાં હોઈ તેનાં કેટલાંયે પાનાંને એકબીજા સાથે ચટાડીને લાંબાં લાંબાં પિવાયરસો પણ બનાવતા હતા, જે મિસરની પ્રાચીન કબરોમાં મળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org