________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા આધારે તેને કાપી લેવામાં આવતા હતા. એ કાગળ ખસી ન જાય એ માટે વાંસની ચીપના કે લોઢાના ચીપિયા તેમાં ભરાવવામાં આવતા હતા. બીજી દરેક જાતના કાગળો માટે અત્યારનાં પેપરકટર મશીનો કામ આવી શકે છે, પણ કાશ્મીરી કાગળે અત્યંત સુંવાળા હોઈ અણધારી રીતે સહજમાં ખસી જાય છે અને તેથી ગમે તેવો હોંશિયાર મશીન ચલાવનાર હોય તે પણ તે એ કાગળને મોટે ભાગે આપણે ઇચ્છીએ તેમ વ્યવસ્થિત રીતે કાપી શકતા નથી, એટલે એ કાગળોને વ્યવસ્થિત કાપવા માટે ઉપરોક્ત રીત જ વધારે અનુકૂળ છે.
પુસ્તક લખવા માટેના બધા દેશી કાગળે, તેના ઉપર કલમ ઠીક ચાલે તેમજ શાહી એકસરખી રીતે ઊતરે એ માટે, કાગળ બનાવનાર કે વેચનારને ત્યાંથી ચૂંટાઈને જ આવે છે. તેમ છતાં એ કાગળે ઘણે સમય સુધી પડી રહેતાં અથવા ચોમાસાની શરદી વગેરે લાગતાં તેને લૂંટ આછો થઈ જાય છે...ઊતરી જાય છે. ઘંટ આછો થઈ ગયા પછી અક્ષરો ફૂટી જાય છે અથવા શાહી બરાબર ન ઊતરતાં એક ઠેકાણે ઢગલો થઈ જાય છે, એટલે તેને ફરી ઘંટ ચડાવવો પડે છે. એ ઘેટે ચડાવવા માટે કાગળને કે પાનને ફટકડીના પાણીમાં બોળી સૂકવ્યા પછી કાંઈક લીલા-સુકા જેવા થાય ત્યારે તેને અકીકના, કસોટીના અગર કોઈ પણ જાતના ચૂંટાથી કે કેડાથી ઘૂંટી લેવામાં આવે છે, જેથી અક્ષરે ફૂટી જવા આદિ થવું અટકી જાય છે. (જુઓ ચિત્ર . ૩માં આકૃતિ ને. ૧.
અત્યારના વિલાયતી તેમજ આપણું દેશમાં બનતા કેટલાક કાગળોને ભાવ તેજાબ, સ્પિરિટ અગર તેવા કોઈ પણ જાતના ઉગ્ર પદાર્થમાં સાફ કરાતો હોવાથી તેનું સત્વ પહેલેથી જ નષ્ટ થઈ જાય છે, એટલે એ બધા કાગળો આપણા દેશી કાગળોની જેમ દીર્ધાયુષી ન હોવાથી તેનો ઉપયોગ પુસ્તક લખવા માટે કરાતો નથી. આપણે એવા અનેક જાતના કાગળોનો અનુભવ કરી ચૂક્યા છીએ, જે શરૂઆતમાં મજબૂત, ઊજળા તેમજ કોમળ દેખાવા છતાં થોડાં જ વર્ષો વીત્યા બાદ કાળા અને સહજ વળતાં તૂટી જાય તેવા નિ:સન્ત થઈ જાય છે. જોકે આ દોષ આપણે દરેક જાતના વિલાયતી કાગળને નથી આપતા, તેમ છતાં એટલી વાત તે ખરી જ છે કે વિલાયતી કાગળો દેશી કાગળ જેટલા ટકાઉ જવલ્લે જ હોય છે.
પુસ્તક લખવા માટે અગર ચિત્રપટ-યંત્રપટ આદિ આલેખવા માટે કપડાને કામમાં લેવા પહેલાં એ કપડાની બંને બાજુએ તેનાં છિદ્ર પૂરાય તેમ એકસરખી રીતે ઘઉંની કે ચોખાની ખેળ લગાડી, તે સુકાઈ ગયા પછી તેને અકીક, કસોટી આદિના ઘેટા વડે ઘૂંટવાથી તે કપડું લખવા લાયક બને છે. પાટણના વખતજીની શેરીમાં સંઘના જૈન ભંડારમાં ૫ડા ઉપર લખેલાં જે પુસ્તક છે તે ખાદીના કપડાને બેવડું ચોડી તેના ઉપર લખેલાં છે.
ટિપ્પણ ટિપ્પણું બનાવવા માટે કાગળના લીરા કરી, તેના છેડાઓને એક પછી એક ચેડીને લાંબા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org