________________
૫૦
જૈન ચિત્રકલ્પદ્રુમ કહેવું ઉચિત છે. આપણા પ્રાચીન લેખકે બે લીટી વચ્ચેનું અંતર ઓછું રાખતા હોઈ તે ઠેકાણે લખાતાં હસ્વ-દીર્ઘ ઈ-ઉનાં પાંખડાં ( 1 ), માત્રા () વગેરેને નાના માપમાં અથવા અઝમાત્રા પૃષ્યિમાત્રા રૂપે લખતા હતા. એટલેકે હસ્વ-દીર્ધ ઉકારનાં પાંખડાંને અત્યારે આપણી ચાલુ લિપિમાં લખીએ છીએ તેમ અક્ષરની નીચે ન લખતાં જે રીતે દીર્ધ ૪ અને હસ્વ-દીર્ઘ ૪૪ માં ઉકાર જોડવામાં આવે છે તેમ દરેક અક્ષરની આગળ જોડતા, અને અત્યારે પણ કેટલાક લેખકે એ રીતે જોડે છે. આને અમે “અઝમાત્રા” તરીકે ઓળખાવીએ છીએ. આ અઝમાત્રાઓ આજે અમાત્રાના રૂપમાં ફેરવાઈ ગએલી છે. અત્યારે અક્ષરની સાથે જોડાતા હસ્વ દીર્ધ ઉકાર (૧) એ પ્રાચીન આકૃતિઓના પરિણામરૂપ છે. જેમ હસ્વ-દીર્ધ ઉકાર “અઝમાત્રા” તરીકે લખાતા હતા તેમ આપણી માત્રાઓ, ચાલુ લિપિમાં લખાય છે તેમ “ઊર્ધ્વમાત્રા” તરીકે અર્થાત અક્ષરની ઉપર ન લખાતાં અક્ષરની પાછળ લખાતી હતી, અને એ જ કારણથી આપણે ત્યાં એ માત્રાઓને “પડિમાત્રા” (લંડ પૃષ્ટિમાત્ર 20 પટ્ટિમાત્રાળુ માત્રા) તરીકે ઓળખવામાં આવે છે. એ પડિમાત્રાઓ કાળે કરી ઊર્ધ્વમાત્રા તરીકે એટલે અક્ષરની ઉપર લખાવા લાગી છે. દા. ત. =વિ, શેકાય, નો=ાના, મૌ=ામો ઇત્યાદિ. ટૂંકમાં અમારા કથનનો આશય એ છે કે પ્રાચીન કાળમાં લખાતી અમાત્રાઓ અને પૃદ્ધિમાત્રાઓ (પડિમાત્રાઓ) પાછળના જમાનામાં અધામાત્રા અને ઊર્ધ્વમાત્રાના રૂપમાં ફેરવાઈ ગઈ છે.
અહીં અમે પ્રાચીન વર્ણમાળાના વિકાસને અંગે લખવા નથી બેઠા, તેમ છતાં આ વિષયને અહીં આટલો ચર્ચવાનું કારણ એ છે કે પ્રાચીન લેખકે એ પોતાના લેખનમાં સુગમતા અને લિપિમાં
એને ખરે અર્થ શો હશે એ માટે કોઈ પ્રાચીન ઉલ્લેખ મળતો નથી. તેના જાણકારોને એ માટે પૂછતાં તેઓ સંપ્રતિમાત્રા શબ્દને નિર્દેશ કરે છે, પરંતુ પ્રતિમાત્રા” શબ્દથી વાસ્તવિક અર્થ પ્રગટ થતો નથી એમ અમને લાગે છે એટલે અમે પડિમાત્રા” શબ્દને સંસ્કૃષ્ટિમાત્રા શબ્દ ઉપરથી આવેલો માનીએ છીએ, જેનો અક્ષરની પાછળ લખાતી માત્રા એ વાસ્તવિક અર્થઘટમાન છે. આ રીતે “અક્ષરની આગળ લખાતી માત્રાએ અર્થને ધ્યાનમાં રાખી અમે અઝમાત્રા શબ્દ ઉપજાવી કાઢે છે
પ્રાચીન લિપિમાં પડિમાત્રાને જેટલો અવકાશ હતું અને તેને પ્રચાર હતો તેના દશાંશ જેટલો યે અમાત્રાને અવ કાશ કે તેને પ્રચાર નહતો, એ પ્રાચીન શિલાલેખ અને પુસ્તકે જતાં સમજી શકાય છે. પડિમાત્રાને પ્રચાર એક કાળે લગભગ સાર્વત્રિક અને નિચત હતો, જ્યારે અગ્ર માત્રા માટે તેમ ન હતું. પડિમાત્રા લખવાની પદ્ધતિ એ, લિપિનો એક વિશિષ્ટ વારસો છે, જયારે અઝમાત્રાની પદ્ધતિ એ લિપિ લખવાની સુગમતા અને સુઘડતાને આભારી છે એમ અમે માનીએ છીએ. પડિમાત્રાનું લેખન આજે સર્વથા આથમી ગયું છે, જ્યારે અગ્ર માત્રાનું લેખન અાજે કેટલાક લેખકામાં ચાલુ છે
કેટલાક વિદ્વાનોનું માનવું એવું છે કે વિકમની તેરમી સદી પહેલાં પડિમાત્રા જ લખાતી હતી. ઊર્વમાત્રાને ત્યારે પ્રચાર જ ન હતો. આ માન્યતા તદન ભૂલભરેલી છે. વિક્રમની બારમી સદી અને તે પહેલાં લખાએલા એવા અનેક ગ્રંથો અને શિલાલેખ આજે મળે છે, જેમાં પડિમાત્રાને બદલે ઊર્ધ્વમાત્રાઓ પણ લખેલી છે.
પાટણના સંઘવીને પાડાના જૈન જ્ઞાનભંડારમાંના પંચસંગ્રહ પજ્ઞ ટીકા વગેરે અગિયારમા સૈકામાં લખાએલા જેવા લાગતા ગ્રંથમાં ઊર્ધ્વમાત્રાએ જ લખાએલી છે. (જૂઓ ચિત્ર ૧૧માં ઉપરનું પહેલું ૧૫૯ નંબરનું પાનું).
રાતના જૈન મંદિરમાં એક પ્રતિમાના પરિકર ઉપર સંવત ૧૧૨૪ લેખ છે, તેમાં પડિમાવા બલકુલ ન હતાં બધીયે ઊર્ધ્વમાત્રાઓ જ લખેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org