________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
પુસ્તકે અને જ્ઞાનભંડારોનું રક્ષણ જ્ઞાનભંડારો અને પુસ્તકલેખનને લગતી અનેક બાબતેની નોંધ કર્યા પછી તેના રક્ષણના સંબંધમાં ટૂંક માહિતી આપવામાં આવે છે, જે પુસ્તકના વાચકે અને જ્ઞાનભંડારોના સંરક્ષકને ઉપયોગી થઈ પડશે.
પુસ્તકો અને જ્ઞાનભંડારોના રક્ષણની જરૂરીઆત નીચેનાં કારણોને લઈ ઊભી થાય છે. ૧ રાજદ્વારી ઉથલપાથલ, ૨ વાચકની બેદરકારી, ૩ ઉંદર, ઉધેઈ, કંસારી, વાતરી આદિ જીવજંતુઓ અને ૪ બહારનું કુદરતી વાતાવરણું. આ મુખ્ય કારણને લઈ પુસ્તકો અને જ્ઞાનભંડારેનું જીવન ટૂંકાતું હોઈ અથવા તેના નાશ થવાનો સંભવ હોઈ આ બધાથી પુસ્તક–જ્ઞાનભંડારોનું રક્ષણ કરવા માટે જૈન સંરકૃતિએ જે અનેકવિધ સાધનો અને ઉપાયે ચોજ્યા છે એ અહીં જણાવીએ છીએ. રાજદ્વારી ઉથલપાથલ રાજદ્વારી ઉથલપાથલમાં મહારાજા શ્રી અજયપાલની મહારાજા શ્રી કુમારપાલદેવ પ્રત્યેની આંતર કેષવૃત્તિ અને મેગની તેમના હુમલા સમયની સ્વધર્માંધતા જેવા પ્રસંગે સમાય છે. આવા પ્રસંગોમાં વિપક્ષીઓ કે વિધર્મીઓ સામા થાય ત્યારે જ્ઞાનભંડારેને સ્થાનાંતર કરવા માટે અથવા બચાવવા માટે દૂરદર્શિતા તેમજ પરાક્રમ જ કામ આવે છે. કહેવામાં આવે છે કે મહારાજા શ્રી અજયપાલે મહારાજા શ્રીકુમારપાલદેવ પ્રત્યેના વૈરને કારણે તેમનાં કરેલાં કાર્યોના નાશની શરૂઆત કરી ત્યારે મંત્રી વાભેટે અજયપાલની સામે થઈ જૈન સંઘને પાટણમાં વિદ્યમાન જ્ઞાનભંડાર વગેરેને ખસેડવા માટે ત્વસ કરાવી. જૈન સંઘે પણ ત્યારે સમયસૂચકતા વાપરી ત્યાંના વિદ્યમાન જ્ઞાન ભંડાર આદિને ગુપ્ત સ્થાનમાં રવાના કરી દીધા અને મહામાત્ય વાટ અને તેમના નિમકહલાલ સુભટો અજયપાલ સાથેના યુદ્ધમાં પોતાના દેહનું બલિદાન આપી યમરાજના અતિથિ બન્યા. જૈન સંધે ઉપરોક્ત જ્ઞાનભંડાર ક્યાં સંતાડ્યા, પાછળથી તેની સંભાળ કેઈએ લીધી કે નહિ ઇત્યાદિ કશું યે કઈ જાણતું નથી, તેમજ એ હકીક્તને ઉલ્લેખ પણ કયાંય થયો નથી. સંભવ છે કે તેને
જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાં ને ત્યાં જ તે રહી ગયા હોય. કેટલાકનું કહેવું એવું છે કે એ બધું તે સમયે જેસલમેર તરફ મોકલાયું હતું, પરંતુ ત્યાંના કિલ્લામાં અત્યારે જે પુસ્તકસંગ્રહ વિદ્યમાન છે એ જોતાં તેમ માનવાને કશું જ કારણ નથી. ત્યાંની દંતકથા પ્રમાણે કિલ્લાના અન્ય ગુપ્ત ભાગમાં એ સંગ્રહ છુપાએલો પાડ્યો હોય તે કાંઈ કહેવાય નહિ.
આ તેમજ આના જેવા બીજા ઉથલપાથલના જમાનામાં જ્ઞાનભંડારોની રક્ષા માટે બહારથી સાદાં દેખાતાં મકાનમાં તેને રાખવામાં આવતા. જેમ જૈન સંઘે મોગલોની ચડાઈના જમાનામાં પ્રતિમાઓના રક્ષણ માટે જામનગર, પ્રભાસપાટણ, ઉના, અજાહરા, ઘોઘા, રજ, ઈડર, પાટણ આદિ નગરમાં મંદિરની અંદર ગુપ્ત, અગમ્ય માર્ગવાળાં અને અકથ્ય ઉડાઈવાળાં ભૂમિઘરભેયર બનાવ્યાં છે તેમ જ્ઞાનભંડારેની રક્ષા માટે ખાસ બનાવ્યાનું ક્યાંયે જાણવામાં કે સાંભળવામાં નથી. આનું કારણ અમને એ જણાય છે કે જેને મદિર એ જાહેર તેમજ ઓળખાણ અને ચિહ્યું– નિશાની-વાળું મકાન હૈઈ તેને શોધતાં કે તેના ઉપર હુમલો કરતાં વાર ન લાગે તેમજ પાષાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org