________________
૧૧૨
જૈન ચિત્રકલ્પમ અહીં આપવામાં આવે છે,
સ્વચ્છતા અને શુદ્ધિ પુસ્તકના અધ્યયન-મનન વાચન માટેનું સ્થાન સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણવાળું હોવું જોઈએ. એ સ્થાન-મકાન-બેઠકની નજીકમાં કે આસપાસ અપવિત્રતા કે ગંદકી ન હોવાં જોઈએ. પુસ્તક વાંચતાં તેના ઉપર થુંક ન પડે એ માટે મોઢા આડું કપડું-મુખવસ્ત્ર-મુખવસ્ત્રિકા કે હાથ રાખવો જોઈએ. પુસ્તકને જમીન ઉપર ન મૂકવું જોઈએ. પુસ્તકવાચનને અંગે આવા સર્વસામાન્ય કેટલાયે નિયમે જૈન સંસ્કૃતિએ ઘડી કાઢયા છે.૧૧
સાંપડે અને સાંપડી પુસ્તકને જમીન ઉપર ન મૂકતાં “સાંપડા કે સાંપડી' ઉપર મૂકીને વાંચવામાં આવે છે, જેથી પુસ્તકને જમીન ઉપરની ધૂળ કે કેઈ અપવિત્ર વસ્તુ લાગે નહિ તેમજ ચોમાસાની ઋતુમાં પુસ્તકને એકાએક જમીન ઉપરના ભેજની અસર થાય નહિ. આ સાધનને પ્રચાર આપણે ત્યાં મોગલોના સહવાસથી થયો હોય એમ લાગે છે. મોગલ પ્રજા આને “રીઆલ” નામથી ઓળખે છે. કેટલાક આને રીલ” પણ કહે છે. આપણે ત્યાં કેટલાક આને સાંપડા કે “સાંપડી” તરીકે ઓળખે છે અને કેટલાક “ચાપડા' તરીકે પણ ઓળખે છે. સાંપડે, સાંપડી શબ્દો . સપુત અને સપુષ્ટિ શબ્દો ઉપરથી આવ્યાનો સંભવ વધારે છે, જેનો ઉલ્લેખ સંવત ૧૩૧૩માં લવાએલી તાડપત્રીય પ્રતિમાની સાધના૧૩માં મળે છે. સાંપડે, સાંપડી શબ્દોનો ઉલ્લેખ સંવત ૧૩૬૯માં તાડપત્ર પર લખાએલી અતિચારની પ્રતિમાં મળે છે. “ચાપડ' શબ્દ ચપટા અર્થવાચક જિશ્વિક શબ્દ ઉપરથી બની શકે, તેમ છતાં એને લગતે કઈ પ્રાચીન ઉલ્લેખ અમે ક્યાંય જોયો નથી. અર્થની દૃષ્ટિએ બંને નામો સંગત થઈ શકે છે. ફરક માત્ર એટલો જ છે કે સાંપડે નામ છુટા કરીને ઊભા રાખેલા સંપુટાકાર સાંપડા સાથે સંગત છે, જ્યારે “ચાપડો' નામ ભેગા કરીને ચપટા રાખેલા સાથે બંધ બેસે છે. સાંપડે માટે હોય ત્યારે તેને “સાંપડો’ કહેવામાં આવે છે અને એ નાને હોય ત્યારે તેને “સાંપડી” તરીકે સંબોધવામાં આવે છે. આ સાંપડાઓ સામાન્ય રીતે સાગ, સીસમ વગેરે લાકડાના બને છે, પરંતુ જે લેકે ધનાઢય અથવા શોખીન હોય છે તેઓ ચંદનને પણ બનાવે છે, એટલું જ નહિ પણ એના ઉપર અભુત કોતરકામ પણ કરવામાં આવે છે.
કવળી
આનો ઉપયોગ દરરોજ વાંચવાના પુસ્તકને લપેટવા માટે થાય છે. પુસ્તક વાંચતાં ઊઠવું હોય ત્યારે પુસ્તકને આથી વીંટી રાખવાથી પુસ્તકનાં પાનાં ઊડવાને ભય રહેતો નથી તેમજ
૧૩૧ જુઓ ટિપ્પણી નં. ૧૩૦. ૧૩ર જુઓ ટિપ્પણું ને ૧૩૦ (). ૧૩૩ જુઓ ટિપ્પણી નં. ૧૩૦. (જ.થ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org