Book Title: Jain Chitrakalpadrum
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 128
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૧૧૭ વગેરેના ભૂકાની નિર્માલ્ય પિટલીઓ બદલવી, જ્ઞાનભંડાર અને પુસ્તકને ઉપયોગી સાધનો વગેરે હાજર કરવાં આદિ કશું જ ન કરતાં માત્ર “સાપ ગયા અને લીસોટા રહ્યા” એ કહેવત મુજબ આજકાલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની વસ્તીવાળાં ઘણાંખરાં નાનાંમોટાં નગરોમાં ચેડાંઘણાં જે કામચલાઉ પુસ્તકે હાથ આવ્યાં તેને આડંબરથી ચંદરવા-પંઠિયાની વચમાં ગોઠવી તેના અતિસાધારણ પૂજાસત્કારથી જ માત્ર સંતોષ માનવામાં આવે છે. “જ્ઞાનપંચમી' પર્વના ઉપરોક્ત મૌલિક રહસ્ય અને તે દિવસના કર્તવ્યને વિસારવાને કારણે આજ સુધીમાં આપણા સંખ્યાબંધ જ્ઞાનભંડારે ઉધેઈ આદિના ભક્ષ્ય બની ચૂક્યા છે. જ્ઞાનપંચમીને આરંભ પ્રસ્તુત જ્ઞાનપંચમી પર્વનો આરંભ અમારા અનુમાન મુજબ પુસ્તકલેખનના આરંભની સાથેસાથે થવાનો સંભવ વધારે છે. એટલે એ પર્વની ઉત્પત્તિ, સ્થવિર આર્ય દેવગિણિ ક્ષમાશ્રમણ જેવા પ્રૌઢ અને પ્રતિભાસંપન્ન જૈન સ્થવિરેના વિશાળ દીર્ઘદર્શીપણાને જ આભારી છે એમ અમે એ દિવસના ઉદ્દેશ અને વ્યવસાયને ધ્યાનમાં લઈ ખાત્રીપૂર્વક કહી શકીએ છીએ. પારિભાષિક શબ્દ પ્રસ્તુત નિબંધમાં લેખનકળા સાથે સંબંધ ધરાવતાં અનેકવિધ સાધનો અને તેનાં પારિભાષિક નામ વગેરેનો તે તે સ્થળે વિસ્તૃત પરિચય આપ્યા પછી જે કેટલાક ઉપયોગી પારિભાષિક શબ્દો રહી જાય છે તેમને અહીં પરિચય આપવામાં આવે છે: ૧ હસ્તલિખિત પુસ્તકને પ્રતિ’ નામથી ઓળખવામાં આવે છે. આ પ્રતિ’ શબ્દ “પ્રતિકૃતિ શબ્દ ઉપરથી ટુંકાઇને બન્યાનું કહેવામાં આવે છે. ૨ હસ્તલિખિત પુસ્તકની બે બાજુએ રખાતા માર્જીનને “હાંસિયો કહેવામાં આવે છે અને તેની ઉપરનીચેના ભાગમાં રખાતા માર્જીનને જિળ્યા (સં. વિ==ા. નિન્મ=જીભ) તરીકે ઓળખવામાં આવે છે. ૩ પુસ્તકના હાંસિયાની ઉપરના ભાગમાં ગ્રંથનું નામ, પત્રાંક અધ્યયન, સર્ગ, ઉસ વગેરે લખવામાં આવે છે તેને “હુંડી' કહે છે. ૪ ગ્રંથના વિષયાનુક્રમને “બીજક' નામથી ઓળખવામાં આવે છે. ૫ પુસ્તકની અંદર અક્ષર ગણીને ઉલ્લિખિત લોકસંખ્યાને “ગ્રંથાર્ચ” કહે છે અને પુસ્તકના અંતમાં આપેલી ગ્રંથની સંપૂર્ણ લોકસંખ્યાને “સર્વાગ્ર” અથવા “સર્વગ્રંથાગ્રં’ નામથી ઓળખવામાં આવે છે. ૬ જૈન મૂળ આગમ ઉપર રચાએલી ગાથાબદ્ધ ટીકાને “નિયુકિત' કહેવામાં આવે છે. ૭ જૈન મૂળ આગમ અને નિર્યુક્તિ એ બંને ઉપર ચાલી વિસ્તૃત ગાથાબદ્ધ વ્યાખ્યાને ભાષ્ય” અને “મહાભાષ્ય” નામથી ઓળખવામાં આવે છે. કેટલીક વાર મૂળ આગમ ઉપર નિયુક્તિ અને ભાષ્ય હેય એના ઉપર વિસ્તૃત ગાથાબદ્ધ ટીકા રચવામાં આવે છે તેને “મહાભાષ્ય’ નામથી ઓળખવામાં આવે છે. કેટલીક વાર ભાષ્ય અને મહાભાષ્ય સીધી રીતે મૂળ સૂત્ર ઉપર પણ લખવામાં આવે છે. એકંદર રીતે નિર્યુક્તિ, ભાષ્ય અને મહાભાષ્ય એ ગાથાબદ્ધ ટીકાગ્રંથ છે. ૮ મૂળસૂત્ર, નિયુક્તિ, ભાષ્ય અને મહાભાષ્ય ઉપરની પ્રાકૃત-સંસ્કૃત મિશ્રિત ગાબંધ ટીકાને “ચૂર્ણ અને “વિશેષચૂણી” નામથી ઓળખવામાં આવે છે. ૯ જૈન આગમાદિ ગ્રંથે ઉપર જે નાની મોટી સંસ્કૃત વ્યાખ્યાઓ હોય છે તેને વૃત્તિ, ટીકા, વ્યાખ્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158