Book Title: Jain Chitrakalpadrum
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 32
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા લેખણ જેનાથી પુસ્તક લખી શકાય છે તે સાધનનું નામ લેખણ છે. લેખણુ એ સર્વત્ર પ્રસિદ્ધ વસ્તુ છે. આથી એક વસ્તુ ઉપર પ્રકાશ પડે છે કે તે યુગમાં પુસ્તક લખવા માટે કલમને જ ઉપયોગ કરવામાં આવ્યો હશે. બર્મીઝ આદિ લિપિઓ લખવા માટે લેવાના સોયા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે તેવા કોઈ સાધનનો ઉપયોગ કરાય નહિ હોય; કારણકે જન સંસ્કૃતિએ માત્ર નાગરીને અનુકૂળ બ્રાહ્મી લિપિમાં જ પુસ્તકો લખાવ્યાં હોઈ એના ભરેડને લેખણ સિવાય બીજું કોઈ સાધન માફક જ ન આવી શકે. જેના ઉપર પુસ્તક લખાયાં હતાં જૈન સંસ્કૃતિએ પુસ્તકલેખનને આરંભ કર્યો ત્યારે શાના ઉપર કર્યો હશે એને લગતે સ્પષ્ટ ઉલ્લેખ કયાંયે જોવામાં નથી આવતો, તોપણ કાનુગારજૂ, નિશીથવૂળ ૨૨ વગેરેમાં આવતા ઉલ્લેખોને અનુસારે કલ્પી શકાય છે કે ત્યારે પુસ્તક લખવા માટે મુખ્યત્વે કરીને તાડપત્રનો જ ઉપયોગ થયા છે. કપડાનો કે લાકડાની પાટી વગેરેને પુસ્તક લખવા માટે કેટલીક વાર ઉપયોગ થતો હશે, પરંતુ તે કરતાં યે અમે આગળ ઉપર જણાવીશું તેમ ટિપ્પણ, ચિત્રપટ, ભાંગા, યંત્રો વગેરે લખવા માટે જ તેનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હોવો જોઈએ. આજે પણ જૈન જ્ઞાનભંડારેમાં પુસ્તકે કરતાં ટિપ્પણ, ચિત્રપટ, યંત્રો વગેરે જ વધારે પ્રમાણમાં મળે છે. ભાજપત્રનો ઉપયોગ પુસ્તક લખવા માટે જૈન સંસ્કૃતિએ કર્યો હોય તેવો સંભવ નથી. તેમ છતા કવચિત એનો ઉપયોગ થયો હોય તે અશક્ય પણ નથી. હિમવંત ઘેરાવી પૃ. ૧૧માં ભોજપત્ર અને બીજાં ઝાડની છાલ ઉપર કલિંગાધિપતિ રાજા ખારવેલે જૈન પુસ્તકે લખાવ્યાની વાત જણાવી છે, પરંતુ આ થેરાવેલી અને તેમાંની હકીકત વિશ્વાસપાત્ર નથી મનાતી એટલે એના ઉપર અમે ભાર મૂક્તા નથી. ૨૨ (૪) વરિત્તે રૂમં–તરિમાદ્રિવક્રિહિત, તે વ તાંત્રિમાહિત્તા વોચતા તેણુ સ્ક્રિનિં, વધે વા સ્ક્રિનિં –અનુરજૂળ પત્ર ૧૫૧. (ख) 'इह पत्रकाणि तलताल्यादिसम्बन्धीनि, तत्संघातनिष्पन्नास्तु पुस्तकाः, वस्त्रणिप्फण्णे इत्यन्ये ।' -अनुयोगद्वारसूत्र हारिभद्री टीका पत्र २१. (T) “પુસ્તg વધુ વા ઈ–'નિશીથનૂની ૩૦ ૧૨. () કુમાર સંપુ” નિશીથf. (ङ) 'शरीरभव्यशरीरव्यतिरिक्तो द्रव्यव्यवहारः खल्वेष एव ग्रन्थः पुस्तकपत्रलिखितः, आदिशब्दात् काष्ठसम्पुट-फलक-पट्टिकादिपरिग्रहः, तत्राप्येतद्ग्रन्थस्य लेखनसम्भवात् ।' -व्यवहारपीठिका गा० ६ टीकायाम् पत्र ५. (च) 'पूर्वाचार्योपदेशलिखितपट्टकादिचिनबलेन तु सर्वा एव देव्यो न निषीदन्ति ।' -आवश्यक हारिभद्री टीका पत्र २३३. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158